ડાકોરનું રણછોડરાયજીનું મંદિર 18 Juneથી માત્ર સ્થાનિકો માટે : બહારના લોકો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત

કોરોના વાઈરસના સંક્રમણની ભીતિને કારણે મોટાભાગનાં મંદિરોને બંધ કરી દેવામાં આવ્યાં હતા. જે હવે ધીરે ધીરે ખુલી રહ્યાં છે. ડાકોરનાં રણછોડરાયજીનું મંદિર પણ ૧૮ જૂનથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. આ ઉપરાંત આગામી ૧૮થી ૨૩ જૂન સુધી ફક્ત ડાકોરના સ્થાનિકો માટે જ દર્શન ખોલવામાં આવશે.
બીજી બાજુ સાળંગપુરનું હનુમાનજીનું મંદિર અને સૌરાષ્ટ્રમાં બીજા કેટલાક સ્વામિનારાયણ મંદિરો પણ આજથી ખૂલ્યાં હતા.
ડાકોર ટેમ્પલ કમિટિની યાદીમાં જણાવ્યા અનુસાર સરકારની ગાઇડલાઇન પ્રમાણે આગામી ૧૮ જૂનથી રણછોડરાયજી મંદિર ખોલવામાં આવશે.
દર્શન કરવા માટે યાત્રાળુઓએ હવે મંદિરની વેબસાઇટ અથવા મોબાઇલ એપથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી દર્શનાર્થીને ટોકન નંબર રજિસ્ટર્ડ મોબાઇલમાં મેસેજમાં મોકલવામાં આવશે. જે દર્શન સમય બતાવવાનો રહેશે. આગામી ૧૮થી ૨૩ જૂન દરમિયાન માત્ર સ્થાનિકો જ દર્શન કરવા આવી શકશે. જેના માટે તેમને ઓનલાઇન બુકિંગ અથવા આધારકાર્ડ બતાવવાથી પ્રવેશ અપાશે.
કોરોનાને કારણે મંદિરમાં આરતીના સમય, રવિવાર, પૂનમ, તહેવારો, ઉત્સવ, ગ્રહણના દિવસે વૈષ્ણવોનો મંદિર પ્રવેશ બંધ રહેશે. મંદિરમાં ફૂલ, તુલસી, શ્રીફળ, માળા, પ્રસાદ જેવી ચીજવસ્તુ લઇને પ્રવેશ નહીં કરવાની દર્શનાર્થીઓને સૂચના અપાઇ છે.
આ ઉપરાંત ૬૫ વર્ષથી વધુ અને ૧૦ વર્ષથી ઓછી ઉંમરના, સગર્ભા, વ્હીલચેરવાળા, બીમાર હોય તેમને સાથે નહીં લાવવા પણ અપીલ કરાઇ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


