વિજાપુરમાં 6, કચ્છમાં દોઢ ઇંચ : ગુજરાતના ૧૮૬ તાલુકામાં વરસાદ
ગુજરાતમાં પાંચ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સાર્વત્રિક વરસાદનો પ્રારંભ થઈ ગયો છે. શનિવારે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૬ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં સવા છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ જિલ્લાના દેત્રોજમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

વડોદરાના કરજણમાં સવા ત્રણ ઇંચ, ખેડાના માતરમાં ત્રણ ઇંચ, બહુચરાજીમાં અને સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ, રાજ્યના ૧૩ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યના ૬૪ તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢના તરસડા ગામમાં નદીના વહેણમાં બળદગાડું તણાઇ જતા એકનું મોત થયું હતું. બીજી બાજુ શનિવારે સવારથી સાંજ સુધીમાં રાજ્યના છ તાલુકામાં ૫ મીમીથી ૩૬ મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં કચ્છના નખત્રાણામાં ૩૬ મીમી વરસાદ વરસ્યો હતો.
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૨૧, કચ્છના માંડવીમાં આઠ, વડાદરાના પાદરા, સુરતના માંગરોળ, અને ડાંગના સુબીરમાં પણ સાંજ સુધીમાં પાંચ થી ૧૦ મીમી વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં શુક્રવારે મોડી સાંજથી સૌરાષ્ટ્ર બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. મધ્ય ગુજરાતમાં મોડી રાત્રે એકથી ૩.૫ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો જ્યારે દાહોદમાં ત્રણ વીજ કર્મીને કરંટ લાગતા તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
વડોદરામાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી સાત સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. વડોદરા શહેર અને જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં શુક્રવારે રાત્રે એકથી ૩.૫ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વડોદરા જિલ્લાના ડભોઇમાં ૩.૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ થયો હતો. વડોદરા શહેરમાં માત્ર એક ઇંચ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. દરિમયાન ગીરજંગલ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અડધો થી એક ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલ અને ભાવનગરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો હતો. પરંતુ છેલ્લા ચાર દિવસથી જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં વરસી રહેલા વરસાદથી નદી- નાળા બે કાંઠા વહેતા થયા છે. જેમાં જૂનાગઢના તરસિગડામાં એક બળદગાડું તણાતા એકને બચાવી લેવાયો હતો પરંતુ ગાડામાં બેઠેલી એક મહિલાનું તણાઇને ડૂબી જવાથી મોત થયું હતુ. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર, મહુવા, તળાજા, પાલિતાણા, ગારિયાધાર, ઉંમરાળા, ઘોઘા અને શિહોર પંથકમાં વરસાદ પડ્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


