આજે (31/5) કોરોનાથી મુક્તિ માટે 99 કરોડ નવકારમંત્ર જાપ

આજે રવિવાર તા.31મી મે સવારે પોણા નવ વાગ્યાના અરસાથી સમગ્ર વિશ્વ કોરોના મુક્ત બને તે માટે 10 લાખ જૈનો દ્વારા 99 કરોડ નવકારમંત્ર જાપ શરૂ કરવામાં આવ્યા છે.
જૈન ધર્મના અનુયાયીઓ પણ આજે રવિવારે 99,99,99,999 વાર નવકાર મંત્રનો જાપ કરીને વિશ્વ આ મહામારીથી મુક્ત થાય તે માટે પ્રાર્થના શરૂ કરી છે. આજે રવિવારે સવારે 8.41 વાગ્યાથી નવકારમંત્ર જાપ શરૂ થયા હતા. જે બપોરે 12.41 વાગ્યા સુધી જારી રહ્યા હતા. ચાર કલાક માટે સમગ્ર વિશ્વના જુદા જુદા ખૂણામાંથી આશરે 10 લાખ જેટલા જૈન ધર્માનૂયાયીઓ ઓનલાઇન પ્લેટફોર્મ પર ભેગા થયા હતા. આ નવતર પ્રયોગ પહેલી વખત હાથ ધ વામાં આવ્યા હતો અને ઓનલાઇન મંચ પર એક મિલિયન લોકો દ્વારા નવકાર મંત્રનો જાપ કરવામાં હતા.
કોરોના મહામારીના સંકટ સામે વિજ્ઞાનની સાથે સાથે ધર્મ પણ લોકોનો આશરો બની રહ્યો છે. આ મહામારીથી બચવા માટે દરેક ધર્મના વ્યક્તિઓ પોતપોતાની શ્રદ્ધા અનુસાર વિશ્વની પરમશક્તિને પ્રાર્થના કરી રહ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


