CIA ALERT

World Top Ten શેરબજારોની યાદીમાંથી ભારત Out : ૧૧માં નંબરે

Share On :

કોરોના વાયરસ રોગચાળાને કારણે વિશ્ર્વભરના શેરબજારોમાં ઘટાડા વચ્ચે ભારત વિશ્વના ટોચના ૧૦ શેર બજારોની સૂચિમાંથી બહાર નીકળી ગયું છે. વાયરસની ભારતીય અર્થવ્યવસ્થા પર ઘણી ખરાબ અસર પડી છે. આને કારણે ભારતીય શેર બજાર બીયર માર્કેટના દાયરામાં આવી ગયું છે અને ડોલરની સામે રૂપિયો નવી નીચી સપાટીએ પહોંચી ગયો છે.

શેરબજાર સર્વોચ્ચ સપાટીએથી ૨૦% કરતા વધુ નીચે આવી ગયું છે જેને બિયર માર્કેટના દાયરામાં માનવામાં આવે છે. વિશ્ર્લેષકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ૩૦ વર્ષમાં આ પાંચમો વખત છે જ્યારે ભારતીય બજારમાં ૪૦% થી વધુનો ઘટાડો થયો છે. અગાઉના ચાર પ્રસંગોમાં બજારને તળિયે સ્પર્શ કરવામાં ૧૦ થી ૨૭ મહિનાનો સમય લાગ્યો હતો. જ્યારે આ વખતે બજાર ત્રણ મહિનાથી ઓછા સમયમાં તેના નીચા સ્તરે પહોંચ્યું છે.

કેટલાક નામાંકિત સૂચકાંકો મુજબ ભારતીય મંદી હજુ ઘટાડના નીચા સ્તરે પહોંચી નથી.આ વર્ષમાં ભારતીય બજારના માર્કેટ કેપમાં ૨૭.૩૧%નો ઘટાડો થયો છે.

બ્લૂમબર્ગના આંકડા મુજબ, ભારતીય શેર બજારમાં સૂચિબદ્ધ શેરોના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં આ વર્ષની શરૂઆતની સ્થિતિની તુલનામાં ડોલરના મૂલ્યમાં ૨૭.૩૧ ટકાનો ઘટાડો થયો છે. ભારત હવે બે લાખ કરોડ ડોલર માર્કેટ કેપિટલાઇઝેશન વાળા બજારોની યાદીમાં નથી. ૧.૫૭ લાખ કરોડ ડોલર સાથે ભારત હવે ૧૧માં સ્થાને છે.

આ વર્ષે જાન્યુઆરીમાં, ભારતીય બજાર ૨.૧૬ લાખ કરોડ ડોલરના માર્કેટ કેપ સાથે ૧૦માં સ્થાને રહ્યું છે. આ અગાઉ જાન્યુઆરી ૨૦૧૯માં પણ, ૨.૦૮ લાખ કરોડ ડોલરના માર્કેટ કેપ સાથે ભારત વિશ્વમાં સાતમાં સ્થાને રહ્યું હતું.

૨૩ માર્ચે ભારત ટોપ -૧૦ ક્લબમાંથી બહાર નીકળી ગયું હતું. તે દિવસે સેન્સેક્સમાં ૧૩.૧૫%નો ઘટાડો નોંધાયો હતો, જે સેન્સેક્સનો સૌથી મોટો ઘટાડો હતો. તે દિવસે ભારતીય શેરોનો કુલ માર્કેટ કેપ ૧.૩૧ લાખ કરોડ ડોલર અથવા રૂ. ૧૦૧.૮૭ લાખ કરોડ હતું. ભારતીય બજારમાં સૂચિબદ્ધ તમામ કંપનીઓનો કુલ માર્કેટ કેપ આ વર્ષના ઉપરના સ્તર રૂ. ૧૫૫.૫૪ લાખ કરોડથી ઘટીને હાલમાં રૂ. ૧૨૧.૭૩ લાખ કરોડ પાર પહોંચ્યું છે. વિશ્ર્વના કુલ માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૨.૧૮ ટકા છે.

દેશના મુખ્ય શેર સૂચકાંક સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરોના કુલ માર્કેટ કેપ (ડોલરમાં)માં આ વર્ષે અત્યાર સુધીમાં ૨૯.૧૦ ટકાનો ઘટાડો થયો છે, જે ૨૦૧૯ માં ૧૧.૯૧ ટકા હતો. વિશ્ર્વના કુલ માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૨.૧૮ ટકા છે. ૨૦૧૯ની શરૂઆતમાં તે ૨.૯૭ ટકા હતો.

વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે પાછલા ૧૦૦થી વધુ વર્ષોમાં ભારત સહિત વિશ્વભરના બજારોમાં મોટો ઘટાડો થયો છે. આવી ઘટના દર ૧૦ વર્ષે એકવાર થાય છે જયારે મુખ્ય શેર સૂચકાંકમાં ૩૫ ટકાનો ઘટાડો થાય છે.

આ પછી સામાન્ય રીતે આર્થિક મંદી આવે છે. બેરોજગારી મોટા પાયે વધે છે અને કર્મચારીઓના પગારમાં ઘટાડો કરે છે. ઐતિહાસિક રીતે ભારતમાં આવી ઘટનાઓ પછી બજારને નીચા સ્તરે પહોંચવામાં સરેરાશ ૧૨થી ૧૪ મહિનાનો સમય લાગે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :