નૌકાદળમાં પાકિસ્તાન માટે જાસૂસી, 7 કર્મચારીઓની ધરપકડ
ભારતીય નૌસેનામાં જાસૂસીનાં મોટા ષડયંત્રનો ભાંડો ફૂટયો છે. આંધ્રપ્રદેશની પોલીસ, ગુપ્તચર તંત્ર અને કેન્દ્રીય એજન્સીઓએ એક સંયુક્ત ઓપરેશન પાર પાડતાં જાસૂસીનાં આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને નૌસેનાનાં 7 કર્મચારીઓની ધરપકડ કરી લીધી છે.
આંધ્રની પોલીસે હવે આ મામલે કેસ નોંધીને ધરપકડ કરવામાં આવેલા તમામ નૌકાદળનાં કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી અધિકૃત જાણકારી અનુસાર પોલીસ, કેન્દ્રીય અને નૌસેનાની ગુપ્તચર શાખાઓએ સાથે મળીને ઓપરેશન ડોલ્ફીન નોઝ ચલાવ્યું હતું અને આ જાસૂસીનાં કૌભાંડને ઉઘાડું કર્યુ છે.
જેમાં નૈસેનાનાં 7 કર્મચારી અને હવાલા ઓપરેટરને દેશનાં વિભિન્ન ભાગોમાં પકડી પાડવામાં આવ્યા છે. અન્ય કેટલાંક શકમંદોની પૂછપરછ પણ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ વિશે વધુ કોઈ વિગતો આપવાનો ઈનકાર કરતાં પોલીસે કહ્યું હતું કે આની વધુ તપાસ ચાલી રહી છે. આ જાસૂસી રેકેટનાં તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાની પૂરી આશંકા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now