CIA ALERT

ભાઈબીજ પર બંધ થશે કેદારનાથના કપાટ, 28 એપ્રિલ 2020ના રોજ ખુલશે દ્વાર

Share On :

ભાઈબીજના તહેવાર પર આજે યમુનોત્રી મંદિર અને કેદારનાથ ધામના કપાટ શિયાળા માટે બંધ થઈ જશે. યમુનોત્રી મંદિર સમિતિના ઉપાધ્યક્ષ જગમોહન ઉનિયાલે જણાવ્યું કે ભાઈબીજે સવારે આઠ વાગે ખરસાલીથી યમુનાજીના ભાઈ શનિ મહારાજ સમેશ્વર દેવતાની ડોલી યમુનાજીને વિદાય કરવા માટે યમુનોત્રી જવા રવાના થશે.

12.25 વાગે અભિજિત મુહૂર્તમાં યમુનોત્રી મંદિરના કપાટ શીતકાળ માટે બંધ કરી દેવામાં આવશે. યમુનાજીની ઉત્સવ મૂર્તિને ડોલી યાત્રા સાથે ખરસાલી લાવવામાં આવશે. અહીં વિધિ વિધાન અનુષ્ઠાન સાથે યમુનાજીની મૂર્તિને યમુના મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

કેદારનાથ ધામના કપાટ સવારે 8.30 વાગે બંધ કરવામાં આવશે. બાબા કેદારની પંચમુખી ભોગમૂર્તિ વિગ્રહ ઉત્સવ ડોલીમાં વિરાજમાન થઈને પોતાના શીતકાલીન ગાદીસ્થળ ઓંકારેશ્વર મંદિર માટે પ્રસ્થાન કરતા પહેલા વિરામ માટે રામપુર પહોંચશે. 31 ઓક્ટોબરે બાબાની ભોગમૂર્તિને ઓંકારેશ્વર મંદિરમાં છ મહિનાની પૂજા-અર્ચના માટે વિરાજમાન કરવામાં આવશે.

કપાટ બંધ કરવાની બધી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મુખ્ય પૂજારી કેદાર લિંગ દ્વારા બાબાના સ્વયંભૂ જ્યોતિર્લિંગને સમાધિનું રૂપ આપી ભસ્મથી ઢાંકી દેવામાં આવશે. આ પ્રસંગે પંચમુખી ભોગ મૂર્તિનો શૃંગાર કરીને ચલ વિગ્રહ ઉત્સવ ડોલીમાં વિરાજમાન કરવામાં આવશે. પરંપરા અનુસાર સવારે 6.30 વાગ્યે ભગવાન કેદારનાથની પંચમુખી મૂર્તિને ડોલીમાં રાખી મંદિર પરિસરમાં ભક્તોના દર્શન માટે રાખવામાં આવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :