૩૦ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા, ગુજરાતને પાણીનો પ્રશ્ન હવે નહીં સતાવે
છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૪૭ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો છે, જેમાં છોટાઉદેપુર તાલુકામાં ૯૩ મિ.મી. એટલે કે ચાર ઈંચ જેટલો અને કવાંટમાં ૮૯ મિ.મી., મોરવા હડફમાં ૭૯ મિ.મી., ગોધરામાં ૭૮ મિ.મી., દાહોદમાં ૭૭ મિ.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ત્રણ ઈંચથી
વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર તા. ૨૭/૦૮/૨૦૧૯ સવારે ૬.૦૦ કલાક સુધીમાં ખાનપુર તાલુકામાં ૭૨ મિ.મી., ઉમરપાડામાં ૭૦ મિ.મી., ડભોઇમાં ૫૭ મિ.મી., બોડેલીમાં ૫૪ મિ.મી. અને ભીલોડામાં ૫૨ મિ.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અન્ય ૩૮ તાલુકાઓમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૦.૯૨ ટકા જેટલો નોંધાયો છે.
રાજ્યમાં થયેલ સાર્વત્રિક વરસાદને પરિણામે આજ સુધીમાં ૨૦૪ જળાશયોમાં હાલ ૩,૯૭,૮૧૭.૪૬ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે એટલે કે ૭૧.૯૪ ટકા જેટલો જળસંગ્રહ તમામ જળાશયોમાં થઇ ગયો છે. સરદાર સરોવર જળાશયમાં હાલ ૨,૮૧,૨૪૧.૬૦ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના ૮૪.૧૮ ટકા છે. રાજ્યના ૩૦ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ ભરાયા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now