ગીર સોમનાથમાં 8 ઇંચ વરસાદ: હિરણ નદીમાં પૂર
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુએ દિશા બદલી પણ તેની અસર સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં ગુરુવારની બપોરથી શરૂ થયેલા વરસાદને પગલે શુક્રવાર સુવાર સુધીમાં સરેરાશ આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેના કારણે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા તેમ જ તાલાલા હાઇવે પણ પાણી ભરાઇ જતા તે નદીમં ફેરાવાયો હતો. ગુરુવારની રાત્રિએ તાલાલા અને સૂત્રાપાડામાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ખાબક્યો હતો, જ્યારે વેરાવળમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ભારે વરસાદને કારણે સોમનાથ મંદિર નજીક આવેલ શોપિંગ સેન્ટરમાં દુકાનોમાં ગોઠણ સુધી પાણી ભરાયા હતા. બીજી તરફ દીવ, ઉના અને ગીરગઢડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. વાવાઝોડાને લઇને દરિયાકાંઠાના શહેરો અને તાલુકામાં સવાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં તાલાલા અને સૂત્રાપાડામાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેમ જ વેરાવળમાં બે, કોડિનારમાં બે, ઊનામાં એક અને ગીર ગઢડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.ગીરસોમનાથ જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે. દરમિયાન રાજકોટમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 10 મિનિટ ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદ વરસ્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now