CIA ALERT

આઠ મહિના પછી મોદી-ઉદ્ધવ ભાઈ ભાઈ

Share On :

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે એકબીજાના હાથ પકડીને સ્ટેજ પર પ્રવેશ કર્યો હતો. લાતુર અને ઉસ્માનાબાદના યુતિના ઉમેદવારની સંયુક્ત ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ મરાઠી ભાષામાં શરૂઆત કરી હતી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પોતાના નાના ભાઈ તરીકે સંબોધ્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી અને સિદ્ધેશ્ર્વર મહારાજ તથા આઈ તુળજાભવાનીના આશીર્વાદ સાથે મહારાષ્ટ્રની પુણ્ય ભૂમિને નમન કરતા તેમણે મારા નાના ભાઈ ઉદ્ધવ ઠાકરે એવું સંબોધન કર્યું હતું.

મોદીએ કૉંગ્રેસ પર જોરદાર હુમલો કરતાં કહ્યું હતું કે કૉંગ્રેસે હિન્દુ હૃદયસમ્રાટ એવા બાલાસાહેબ ઠાકરેનું નાગરિકત્વ છીનવીને મતદાનના અધિકારથી વંચિત રાખ્યા હતા તેને કોઈ ભૂલશે નહીં.

કૉંગ્રેસ અને પાકિસ્તાનના વિચાર અને નિવેદન એકસરખા છે. આપણા સુરક્ષા જવાનોએ પાકના આતંકી કેમ્પ પર બે વાર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. દરેક વખતે કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ પુરાવા માગ્યા હતા. જવાનોનું મનોબળ તોડે એવા રોજ નિવેદન કરાય છે. કૉંગ્રેસે ચૂંટણીઢંઢેરામાં પણ રાષ્ટ્રદ્રોહનો કાનૂન નાબૂદ કરવા તથા સુરક્ષા દળોને પાવર ઘટાડવા જણાવ્યું છે. આવા લોકોની ચૂંટણીમાં ડિપોઝિટ જાય એ માટે જનતાને હાકલ કરી હતી.

પ્રથમવાર મતદાન કરનારાએ તેમનો વોટ બાલાકોટમાં આતંકી કેમ્પનો ખાતમો બોલાવનાર વીર જવાનોને સમર્પિત કરવો જોઈએ, એમ મોદીએ કહ્યું હતું. કૉંગ્રેસના નેતાઓને કારણે પાકિસ્તાનનું સર્જન થયું હતું. કૉંગ્રેસ આવશે તો ભ્રષ્ટાચાર ફરીથી ફૂલશે-ફાલશે. કૉંગ્રેસના ઘરેથી કરોડો રૂપિયા ચૂંટણી સમયે જપ્ત કરાયા છે, જે દર્શાવે છે કે કૉંગ્રેસની સંસ્કૃતિ કેવી છે. ખરા ચોર કોણ છે તે તમને ખબર પડી ગઈ છે.

કૉંગ્રેસ અને પાકિસ્તાનની ભાષા એકસરખી છે. આવા લોકોને દેશની સત્તા આપી શકાય એવો પ્રશ્ર્ન તેમણે કર્યો હતો. ભાજપે સંકલ્પપત્રમાં જણાવ્યું છે કે દેશની સુરક્ષા, ખેડૂતોના કલ્યાણ, આતંકવાદ નાબૂદી માટે તેઓ પ્રતિબદ્ધ છે. વંશવાદ ચલાવતા કૉંગ્રેસે બાલાસાહેબ ઠાકરે પરિવાર પાસેથી શીખવા જેવું છે, જેમણે સરકારમાં કોઈ હોદ્દો સ્વીકાર્યો નહોતો. મોદીએ એનસીપીના વડા શરદ પવાર પર હુમલો કરતા કહ્યું હતું કે ભાગલાવાદી પરિબળો સાથે પવાર ઊભા છે તે શોભતું નથી.

જમ્મુ-કાશ્મીરના ઉમર અબ્દુલ્લા અલગ વડા પ્રધાનની માગણી કરી રહ્યા છે તેવા લોકો સાથે પવાર ઊભા છે તે આશ્ર્ચર્ય જન્માવે છે. મરાઠા સ્ટ્રોંગમેન નબળા મનના લોકોની પડખે કેમ છે? એ પ્રશ્ર્ન પૂછ્યો હતો. સંયુક્ત રેલીને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ પણ સંબોધી હતી. કેન્દ્રના કડક પગલાંથી કાશ્મીરમાં દહેશતવાદ ઘટ્યો છે. પડોશી દેશ કૂણા પડ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :