દિલ્હી, મુંબઈ, ગોવા આતંકવાદીઓના નિશાના પર હોવાની બાતમી

Share On :
દેશની રાજધાની દિલ્હી, મુંબઈ અને ગોવા પર આતંકવાદી સંગઠનો ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) અને અલકાયદાની નજર હોવાથી ગુપ્તચર એજન્સીઓ તરફથી બાતમી બાદ આ ત્રણેય શહેરની પોલીસને એલર્ટ કરી દેવાઈ છે. ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું કે, ન્યૂઝીલેન્ડ ગોળીબારનો બદલો લેવા માટે આઈએસ અને અલકાયદા આતંકવાદી હુમલા કરી શકે છે.
આ અંગે મળેલી બે બાતમી મુજબ, ભારતમાં સ્થિત વિવિધ યહૂદી સ્થળોને નિશાન બનાવવાનો કારસો ઘડાઈ રહ્યો છે. આતંકવાદીઓ હુમલા કરતી વખતે કાર અને છરી જેવી સામગ્રીઓનો ઉપયોગ કરી શકે છે તેવું ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું.
આ એજન્સીઓએ તેમના અહેવાલમાં મુંબઈ સ્થિત ઈઝરાયલી દૂતાવાસ, કોન્સ્યુલેટ જનરલ તેમજ છાબડ હાઉસની સુરક્ષા વધારી દેવાની સલાહ આપી છે.
ચાર દિવસના ગાળામાં ગુપ્તચર એજન્સીઓએ બેવાર એલર્ટ આપ્યાં હતાં. પહેલાં 20મી માર્ચના અને પછી 23મી માર્ચના બાતમી સાથે એલર્ટ જારી કરી દેવાયાં હતાં.
પટણામાંથી બે સંદિગ્ધ આતંકી ઝડપાયા: પુલવામા હુમલા સાથે સંબંધની શંકા
બિહાર પોલીસની સ્પેશિયલ ટાસ્કફોર્સે ગુપ્તચર બાતમીઓનાં આધારે પટણામાંથી બે સંદિગ્ધ આતંકવાદીની ધરપકડ કરી લીધી છે. આ બન્ને શંકાસ્પદ આતંકવાદીને બંગલાદેશી આતંકી જૂથ જમીયત ઉલ મુજાહિદ્દીન અને ઈસ્લામિક સ્ટેટ બંગલાદેશ સાથે સંબંધ હોવાની વાત સામે આવી છે. આટલું જ નહીં, બન્ને પાસેથી પુલવામા આતંકવાદી હુમલા સાથે સંલગ્ન કેટલાંક કાગળિયા પણ હાથ લાગ્યા છે. જેને પગલે આ હુમલા સાથે બન્નેને કોઈ સંબંધ હોવાની આશંકા ઉભી થઈ છે. આ બન્ને બંગલાદેશનાં માર્ગેથી જ ભારતમાં ઘૂસ્યા હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું. બન્ને બનાવટી દસ્તાવેજોનાં આધારે બિહારમાં રહેતા હતાં.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :