સૈનિકો માટે મંગળવારે પાલના સિદ્ધી વિનાયક ગણપતિ મંદિરમાં મહાઆરતી
કાશ્મીરના પુલવામા ખાતે ભારતીય સૈન્ય પર આતંકી હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. ભારતીય નાગરીકો, સંસ્થાઓ પોતપોતાની રીતે કાર્યક્રમો યોજીને સૈનિકોનું મનોબળ વધારી રહી છે. સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે આવતીકાલ તા.19મી ફેબ્રુઆરી 2019ને મંગળવારે સાંજે 7 કલાકે સૈનિકો માટે વિશેષ મહાઆરતી અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી આપતા મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું કે પુલવામાની ઘટના બાદ મંદિર પરિસરમાં દર્શનાર્થે આવતા ગણેશ ભક્તોમાં આતંકીઓ અને પાકિસ્તાન પ્રત્યે ભારે રોષ જોવા-સાંભળવા મળ્યો છે. એ પછી અમે સંચાલક મંડળએ ભારતીય સૈનિકોનું મનોબળ વધારવા તેમજ તેમના રક્ષણ કાજે ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના ચરણોમાં મહાઆરતી સમર્પિત કરીને ભારતીય સેન્ય માટે મંગળ થાઓની પ્રાર્થના કરીશું.
આ કાર્યક્રમમાં સુરત એજ્યુકેશન સોસાયટી સંચાલિત તમામ કોલેજો, શાળાઓના કર્મચારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, શહેરના જુદા જુદા વિદ્યાર્થી સંગઠનો, શહેરના જુદા જુદા જ્ઞાતિ સંગઠનો, મહિલા મંડળો, સોસાયટીઓ, સ્થાનિક સામાજિક, રાજકીય અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. મહાઆરતીના કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક ભક્તજનના હાથમાં દિવડા હશે અને તેઓ પણ ભારતીય સૈન્ય જવાનો માટે ગણેશજીની આરતી ઉતારીને તેમના માટે પ્રાર્થના કરી શકશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
