CIA ALERT

રાજકોટમાં જગવિખ્યાત બાલાજી હનુમાનજીને બનાવાયા MBBS

Share On :

ગુજરાતમાં ફેલાઈ રહેલા રોગચાળાની સામે રક્ષણ મળે એ માટે રાજકોટના જગવિખ્યાત બાલાજી હનુમાનજી ને ડૉક્ટરનો ડ્રેસ, ઇક્વિપમેન્ટસ સમેતનો શણગાર કરવામાં આવ્યો હતો.

BALAJI MBBS

રાજકોટમાં બાલાજી મંદિર ખાતે બિરાજમાન બાલાજી હનુમાનજી સમગ્ર સૌરાષ્ટ્રમાં જ નહીં બલ્કે જગવિખ્યાત ભગવાન છે. લાખો લોકોની આસ્થાનું પ્રતિક સમા બાલાજી ભગવાનને ગયા શનિવાર તા.26મી ડિસેમ્બર 2018ના રોજ તબીબના વાઘા પહેરાવવામાં આવ્યા હતા અને બાલાજી મંદિરને બાલાજી હોસ્પિટલના નામથી શણગાર કરીને એવી પ્રાર્થના કરવામાં આવી હતી કે ગુજરાત તેમજ દેશના સામાન્ય લોકોના આરોગ્યનું રક્ષણ કરજો ભગવાન….

ગુજરાતમાં વધી રહેલા ડેન્ગ્યુ ફીવર અને સ્વાઇન ફ્લુ જેવી જીવલેણ બીમારીના કેસો ઘટે અને લોકોનું આરોગ્ય જળવાય એ માટે રાજકોટના જગવિખ્યાત બાલાજી મંદિરના બાલાજીને ડૉક્ટરના વાઘા પહેરાવીને એ મુજબનો શણગાર કરી આ પ્રકારના રોગચાળા સામે રક્ષણ કરવા માટે તા.24મી ડિસેમ્બર 2018ના રોજ શનિવારે આરતી કરવામાં આવી હતી. રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા બાલાજી મંદિરમાં બાલાજી ભગવાનને ક્યારેય આ પ્રકારના વાઘા પહેરાવવામાં નથી આવ્યા. આ પહેલો પ્રસંગ હતો કે જેમાં ભગવાનને ડૉક્ટર બનાવવામાં આવ્યા હોય.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :