MPના નાથ બન્યાની ગણતરીની મિનીટોમાં કમલે ખેડૂતોના દેવાં માફ કર્યા
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના માત્ર એક જ કલાકમાં કમલનાથે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. કમલનાથે ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ કર્યું છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની ખુરશી સંભાળતાની સાથે જે કમલનાથે ખેડૂતોનું દેવું માફ કરવાની ફાઈલ પર હસ્તાક્ષર કર્યા છે. ચૂંટણી દરમિયાન સભામાં રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે મધ્યપ્રદેશમાં કૉંગ્રેસના મુખ્યમંત્રી આવતાની સાથે 10 જ દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. કમલનાથે રાહુલ ગાંધીનું આ વચન સૌથી પહેલા પુરું કર્યું. જેનાથી ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ થઈ ગયું છે. સાથે જ કન્યા વિવાહ યોજના અંતર્ગત દેવામાં આવતી રકમ વધારીને 51 હજાર કરી દેવામાં આવી છે. સાથે મધ્યપ્રદેશમાં ચાર ગારમેંટ પાર્ક બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

કૃષિ અને સહકારિતા વિભાગે પંજાબ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રના મોડેલનો અભ્યાસ કરીને અહેવાલ તૈયાર કર્યો છે. રાહુલ ગાંધી આ લોકસભા ચૂંટણીમાં દેવા માફીને સૌથી મોટો મુદ્દો બનાવવા માંગે છે. અને આ રણનીતિ અંતર્ગત જ કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં દેવું પ્રાથમિકતાના આધાર પર માફ કરવામાં આવી રહ્યું છે. કૉંગ્રેસને બહુમતિ મળી ત્યારે જ કૃષિ, સહકારિતા અને નાણા વિભાગે તેની તૈયારી શરૂ કરી દીધી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


