કુંભમેળા માટે રેલવે ૮૦૦ સ્પેશ્યલ ટ્રેનો દોડાવશે

Share On :

કુંભમેળા-૨૦૧૯ માટે મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે રેલવેએ વિવિધ સ્ટેશનોથી પ્રયાગરાજ સુધી ૮૦૦ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો પ્રસ્તાવ કર્યો છે. નોર્થ સેન્ટ્રલ રેલવે (એનસીઆર) દ્વારા દોડાવાતી ટ્રેનો ઉપરાંતની આ ટ્રેનો હશે.  કુંભમેળા માટે આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે વિવિધ રેલવે ઝોનમાંથી છ સ્પેશિયલ ટ્રેનો પ્રયાગરાજ આવશે.

પ્રયાગરાજથી નવી દિલ્હી સુધી ૫૦૦૦ પ્રવાસી ભારતીયને લઇ જવા માટે રેલવે પાંચ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો વિચાર કરી રહી છે. વારાણસીમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી બાદ તેઓ પ્રયાગરાજ આવવાના છે. એમને પ્રયાગરાજથી દિલ્હી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે લઇ જવામાં આવશે.

શરૂ થતી ટ્રેનો અને સ્પેશિયલ ટ્રેનોના ૧૪૦૦ ડબ્બાઓ પર વિનિલ વ્રેપિંગથી આખા દેશમાં આ ધાર્મિક મેળાનો સંદેશ પહોંચાડવા માટે કુંભમેળાનું બ્રાન્ડિંગ કરવામાં આવશે. ડબ્બાઓ પર કુંભમેળા અને પ્રયાગરાજના અગત્યના સ્થળોના આકર્ષક અને રંગીન ફોટાઓ લગાવવામાં આવશે.

રેલવેએ ‘પેઇન્ટ માય સિટી’ અભિયાન માટે રેલવે સ્ટેશનો અને રેહવાસી કોલોનીઓમાં ચિત્રો દોરવાની પરવાનગી આપી છે અને ત્યાં કુંભ મેળાની બ્રાન્ડિંગ કરવામાં આવશે.

સંસ્કૃતિ મંત્રાલય હેઠળ રેલવેના નોર્થ સેન્ટ્રલ ઝોન સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે અલાહાબાદ અને આસપાસના વિસ્તારોની સંસ્કૃતિ, કલા અને પરંપરાનું પ્રદર્શન કરતા સ્ટોલ્સ પેસેન્જર એનક્લોઝર્સમાં મૂકવામાં આવશે. અલાહાબાદ જંક્શન રેલવે સ્ટેશન પર ૧૦,૦૦૦ શ્રદ્ધાળુઓ સમાઇ શકે એવા ચાર મોટા એનક્લોઝર્સઊભા કરવામાં આવ્યા છે. એમાં વેન્ડિંગ સ્ટોલ્સ, પાણીના પ્યાઉ અને ટિકિટ કાઉન્ટર્સ, એલસીડી ટીવી, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સીસીટીવી કેમેરા અને મહિલાઓ અને પુરુષ માટે સ્વતંત્ર ટોઇલેટ્સની વ્યવસ્થા કરવામાં આવશે. આવા જ એનક્લોઝર્સ અન્ય સ્ટેશનો પર પણ ઊભા કરવામાં આવશે.

કુંભમેળાના કમાન્ડ, ક્ધટ્રૉલ સેન્ટરનું મોદી દ્વારા ઉદ્ઘાટન

પ્રયાગરાજ: કુંભમેળા માટે ખાસ તૈયાર કરવામાં આવેલા કમાન્ડ અને ક્ધટ્રોલ સેન્ટરનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં ઉદ્ઘાટન કર્યું હતું. એમણે ગંગા પૂજન કર્યું હતું અને સ્વચ્છ કુંભ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. કુંભમેળા અગાઉ ગંગા અને ઘાટોની સફાઇ માટેના વિવિધ વિકાસકાર્યો રાષ્ટ્રને અર્પણ કરવા અંડાવા જવા અગાઉ મોદીએ પ્રયાગરાજમાં અક્ષયાવતની મુલાકાત પણ લીધી હતી. ત્યાર બાદ તેઓ બમરૌલી એરપોર્ટ, પ્રયાગરાજ ગયા હતા અને ત્યાં એમણે એરપોર્ટના નવા ટર્મિનલ મકાનનું ઉદ્ઘાટન કર્યું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :