CIA ALERT
02. May 2024
February 29, 20201min5270

Related Articles



હાથીપગા રોગ નેસ્ત નાબૂદ થયાની વાતો પાયાવગરની, 4 જિલ્લામાં કેસો મળતા ખળભળાટ

Share On :
Print Friendly, PDF & Email

સૂરતમાં બિલ્લીપગે ફેલાયો હાથીપગો, રાજ્યમાં સૌથી વધુ 248 કેસ સૂરતથી મળ્યા

ગુજરાતમાંથી હાથીપગા નામનો રોગ નેસ્ત નાબૂદ થઇ ચૂક્યો હોવાની સરકારી જાહેરાતોની ભીંતરમાં ગુજરાતના ચાર જિલ્લાઓમાંથી હાથીપગાના સેંકડો કેસો મળી આવતા રાજ્યનું આરોગ્ય ખાતું હરકતમાં આવી ગયું છે. ગુજરાતમાં હજુ પણ હાથીપગાનો રોગ અસ્તિત્વમાં એની પ્રતીતી કરાવતી બનેલી ઘટનાઓમાં સુરત જિલ્લા અને શહેરના મળીને કુલ ૨૪૮ કેસો હાથીપગાના દર્દીઓના મળી આવ્યા છે, એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં સૂરતને અડીને આવેલા નવસારી જિલ્લામાં ૨૦, રાજકોટ જિલ્લામાં ૧૬ કેસ, જૂનાગઢમાં જિલ્લામાં હાથી પગાના 5 દર્દીઓ મળી આવ્યા હોવાની સત્તાવાર માહિતી સરકારના પ્રવક્તા નીતિન પટેલે આપી છે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાથીપગા રોગના નિયંત્રણ માટે રાજ્ય સરકારે નક્કર આયોજન કર્યું છે. નવસારી જિલ્લામાં ૨૦ દર્દીઓ હાથીપગા રોગના નોંધાયા છે જેમને કાયમી ધોરણે વિનામૂલ્યે દવાની સુવિધા રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

હાથીપગા રોગના નોંધાયેલા દર્દીઓના અંગે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આ રોગ એ ચેપ લાગવાથી થાય છે. એ માટે સ્વયં માવજત તથા જાગૃતિ અનિવાર્ય છે. આ રોગના દર્દીઓ તેમના દર્દમાંથી રાહત મેળવી શકે તે માટે સર્જરી, સ્વમાવજતની તાલીમ માટે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :