CIA ALERT
26. April 2024
September 5, 20191min7860

Related Articles



શ્રાવણમાં સોમનાથ મહાદેવના ૪૬ દેશના 4 કરોડ શ્રદ્ધાળુઓએ ડિજિટલ દર્શન કર્યા

Share On :
Print Friendly, PDF & Email

શ્રાવણ પર્યન્ત સોમનાથ મહાદેવ સોશિયલ મીડિયામાં પણ છવાયા હતા. શ્રાવણ દરમ્યાન વિશેષ શૃંગારના ફોટોગ્રાફ્સ-આરતીના ક્લીપિંગ્સ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, હેગલ્લો એપ વિગેરે પર નિયમિત રીતે શ્રી સોમનાથ ટ્રસ્ટની સોશ્યલ ટીમ દ્વારા મૂકવામાં આવતા હતા.

આ વર્ષે ફેસબુકની વાત કરીએ તો વર્ષ-૨૦૧૮માં ૧.૪૦ (એક કરોડ ચાલીસ લાખ) દેશ-વિદેશના ભક્તોએ ડિજિટલ દર્શનનો લ્હાવો લીધો હતો, આ વર્ષે ૨૦૧૯માં ૪.૦૭ કરોડ રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુઓએ દર્શન કરેલ છે.

ભક્તોના માનવ સમુદાયની વાત કરીએ તો

  • અમેરિકા યુનાઇટેડ સ્ટેટમાં ૮૬,૦૦૨-
  • નેપાળમાં ૭૭,૨૫૦-
  • આરબ અમીરાતમાં ૫૪,૭૭૨-
  • કેનેડામાં ૨૫,૭૯૪-
  • સાઉદી અરેબિયામાં ૪૦,૮૪૦-
  • ઓસ્ટ્રેલિયામાં ૧૯,૮૨૩-
  • પાકિસ્તાનમાં ૧૩,૩૪૦.

કેપિટલ શહેરોમાંના ભક્તોની સંખ્યા જોઇએ તો

  • દિલ્હીમાં ૧૦.૭૨ લાખ,
  • અમદાવાદમાંથી ૬.૯૭ લાખ,
  • મુંબઇના ૬.૫૩ લાખ,
  • સુરતમાં ૬.૧૨ લાખ

ક્રમશ: ભક્તોએ જોડાઇ સોશ્યલ મીડિયામાં અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કરાવ્યો હતો. ડિજિટલ સેવાના માધ્યમથી ટ્રસ્ટના સોશ્યલ મીડિયાના માધ્યમો દ્વારા શ્રાવણ માસ દરમ્યાન ૪૬ દેશોમાં ૪.૦૭ કરોડ ભક્તોએ ભગવાન સોમનાથના દર્શન કર્યા તેમજ શ્રાવણના વિશેષ શૃંગારના અભિનંદન પાઠવ્યા હતા.

ટ્વિટરની વાત કરીએ તો વર્ષ-૨૦૧૮માં ૪.૮૭ લાખ પ્રભાવિત (ઇમ્પ્રેસ) થયા હતા. જે વર્ષ-૨૦૧૯ માં ૨૨.૬૨ લાખ થયા છે. ઇન્સ્ટાગ્રામમાં વર્ષ-૨૦૧૮ માં ૩૦૦૦૦ ભક્તોએ શ્રાવણ દરમ્યાન દર્શન કરેલ જે વર્ષ-૨૦૧૯માં ૩૬.૬૬ લાખ થયા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :