CIA ALERT
08. May 2024
September 5, 20191min7530

Related Articles



ગણેશ વિસર્જન ક્યારે? કેલેન્ડરમાં 2 ચૌદશ !, શાસ્ત્રો કહે છે 12મી સપ્ટેમ્બરે મૂર્તિ વિસર્જન કરવું

Share On :
Print Friendly, PDF & Email

આ વર્ષનું અંગ્રેજી કેલેન્ડર વાંચશો તો જોવા મળશે કે સપ્ટેમ્બર 2019ના પાના પર 12મી અને 13મી તારીખ બન્ને ચૌદશનો ઉલ્લેખ છે. કેલેન્ડરવાળા ખોટા નથી. શાસ્ત્રોમાં પણ વિક્રમ સંવત કેલન્ડરમાં બે તિથીઓનો સંયોગ હોઇ, કેલેન્ડરમાં એ નિર્દેશિત કરાય છે.

હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને તંત્રવાહકો વિસર્જન માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ગણેશ વિસર્જન ક્યારે કરવું એ અંગે સુરતના અડાજણ, સ્ટારબજારની સામે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લએ સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું કે કેલેન્ડરમાં 2 ચૌદશનો ઉલ્લેખ છે અને કેટલાક કેલેન્ડરમાં તો 13મીએ જ અનંત ચૌદશનો ઉલ્લેખ છે પરંતુ, ખરી અનંત ચૌદશ, ગણેશ વિસર્જન તા.12મી સપ્ટેમ્બર 2019ના રોજ કરવું.

વધુમાં ગણેશ ઉત્સવ સમિતિ સુરતના શ્રી અનિલભાઇ બિસ્કટવાલાએ પણ જણાવ્યું હતું કે કેલેન્ડરમાં બે ચૌદશનો ઉલ્લેખ છે, પરંતુ, ખરી ચૌદશ તા.12મી સપ્ટેમ્બર 2019ના રોજ માનવી અને સુરત શહેર જિલ્લામાં તમામ સ્થળો પર ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન તા.12મી સપ્ટેમ્બર 2019ના રોજ કરવું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :