હીરાએ શું શું આપ્યું? 97 વર્ષના ઘરડાં જીવીબાએ હીરા ઉદ્યોગ પ્રત્યે વ્યક્ત કરેલી હ્રદયસ્પર્શી કૃતજ્ઞતા
SDB સુરત ડાયમંડ બુર્સ પર જઇને વલ્લભાઇ પટેલે એક હીરા ઉદ્યોગપતિના માતૃશ્રી જીવીબાની લાગણી શેર કરી, જીવીબાએ ભગવાનને વિનવણી કરી સૌનું કલ્યાણ કરજો (સી.આઇ.એ લાઇવ 9825344944)
હીરા ઉદ્યોગે સુરત, સોરાષ્ટ્ર, મુંબઇના લોકોને શું આપ્યું છે એનો અહેસાસ જો કોઇને સૌથી વધુ પ્રમાણમાં થયો હોય તો એ હીરા ઉદ્યોગના દિગ્ગજ કિરણ જેમ્સના વલ્લભભાઇ એસ. પટેલે એક હીરા ઉદ્યોગપતિના 97 વર્ષિય માતૃશ્રી જીવીબાની શેર કરેલી લાગણીસભર પોસ્ટ વાઇરલ થઇ છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના માતૃશ્રી જીવીબાએ હીરા ઉદ્યોગે શું આપ્યું છે તેનો માર્મિક ખ્યાલ તો આપ્યો જ પરંતુ, હીરા ઉદ્યોગનો ઋણ સ્વીકાર પણ એવી રીતે કર્યો કે આખું વિશ્વ જોતું રહી ગયું. જીવીબાએ વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે સાકારીત થવા જઇ રહેલા સુરત ડાયમંડ બુર્સ પર જઇને ભગવાનને વિનંતી કરી કે અહીં સૌનું કલ્યાણ કરજો.
જીવીબા એ કહ્યું હિરાએ ગામના નળિયાવાલા ઘરને પાકા ધાબાવાલા ઘર આપ્યા, બળદના પુછડા આમળતાને મોટા માણસ બનાવ્યા
સીઆઇએ લાઇવ 98253 44944
SDBના ચેરમેન વલ્લભભાઇ પટેલે વ્હોટ્સએપ પર એક હીરા ઉદ્યોગપતિએ તેમને મોકલેલી લાગણીસભર પોસ્ટ શેર કરી
સીતારામ પ્રણામ
મારા માતૃશ્રી જીવીબા (૯૭ વર્ષ ) એ એક વર્ષ પહેલા અચાનક નવા હિરા બજાર સ્થાને લઇ જવા મને કહ્યું મે બા ને પૂછ્યું ત્યાં શા માટે જાવું છે? બા એ કહ્યું હિરાએ ગામના નળિયાવાલા ઘરને પાકા ધાબાવાલા ઘર આપ્યા, બળદના પુછડા આમળતાને મોટા માણસ બનાવ્યા. આવી વાત કરતા એમણે કહ્યું નવી જગ્યાએ જઇ ભગવાનને વિનવણી કરીશ આ જગ્યાએથી બધાનું કલ્યાણ થાય વડીલોની લાગણીને આપને વ્યક્ત કરી.