CIA ALERT
20. April 2024

Sparkal 2022 Archives - CIA Live

December 22, 2022
Cia_business_news-1280x936.jpg
1min268

આવતીકાલ તા.18મી ડિસેમ્બર 2022ના રોજ રવિવારે શહેરના ઇન્ડોર સ્ટેડીયમમાં યોજાયેલા સ્પાર્કલ ઝવેરાત એક્ઝિબિશનનો અંતિમ દિવસ છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હિમાંશુભાઇ બોડાવાલા અને તેમની ટીમે સુરતવાસીઓ ઉપરાંત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને સ્પાર્કલ 2022ના અંતિમ દિવસે અવનવી આકર્ષક ડિઝાઇન ધરાવતા દાગીના જોવા, ખરીદવા માટે ખાસ આમંત્રણ આપ્યું છે.

December 16, 2022
Cia_business_news-1280x936.jpg
1min204

ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તા. ૧૬, ૧૭ અને ૧૮ ડિસેમ્બર ર૦રર દરમ્યાન બીટુસી ધોરણે આયોજિત ત્રિદિવસીય સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦રર માં ૩૦થી વધુ ઝવેરાતની બ્રાન્ડ પોતાની વેરાઇટી ડિસ્પ્લેમાં મૂકશે 

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ત્રણ દિવસીય હીરા ઝવેરાતના સ્પાર્કલ મેગા એક્ઝિબિશન કમ સેલનો આરંભ આગામી તા.16મી ડિસેમ્બરના રોજ સુરતના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડીયમ ખાતે કરવામાં આવશે. દેશના અનેક શહેરોમાંથી બાયર્સ તથા વિઝીટર્સ સ્પાર્કલ એક્ઝિબિશનની મુલાકાત લેશે અને આ વખતે સ્પાર્કલ અગાઉના એક્ષ્પોના વેચાણના તમામ રેકોર્ડ તોડી નાંખશે એ પ્રકારે સ્પાર્કલનું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા આ વખતે બીટુસી ધોરણે એકઝીબીશન યોજાશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદર્શનમાં જ્વેલરી મેન્યુફેકચરર્સ અને ડિઝાઈનર્સ પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરતમાં ડાયમંડ ટ્રેડીંગ અને જ્વેલરી મેન્યુફેકચરીંગ મોટા પાયા ઉપર થઇ રહયું છે.

સ્પાર્કલ ઇન્ટરનેશનલ પ્રદર્શનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે, સુરતના જ્વેલર્સ દ્વારા જ્વેલરીમાં આજે જે ટ્રેન્ડ ચાલી રહયો છે તે આજીવન ગ્રાહકોને પસંદ પડશે તે બાબતને ખાસ ધ્યાનમાં રાખીને બ્રાઇડલ જ્વેલરી બનાવવામાં આવી છે. લગ્નસરા વખતે ભારતીય પરિવારો દ્વારા જીવનમાં એક અથવા બે વખત જ લાઇફ ટાઇમ માટે પારિવારીક ઘરેણું ખરીદવામાં આવે છે. સમયાંતરે બ્રાઇડલ જ્વેલરીની કિંમત વધતી જ જાય છે. આથી ગ્રાહકોની લાગણીઓને ધ્યાને લઇને સોનામાં રિયલ એમરલ્ડ સ્ટોન, રૂબી સ્ટોન, મોતી, પોલકી ડાયમંડ, રોઝ કટ ડાયમંડ અને કલર સ્ટોનનો ઉપયોગ કરીને અલૌકિક ફયુઝન જ્વેલરી બનાવવામાં આવી છે, જે સ્પાર્કલમાં પ્રદર્શિત કરવામાં આવશે.મ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન તેમજ કન્વીનર બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે,સ્પાર્કલ પ્રદર્શનમાં ભારતભરમાંથી ૩૦થી વધુ જ્વેલરી બ્રાન્ડ પાર્ટીસિપેટ કરી રહી છે.

છ મહિનામાં જે પરિવારમાં લગ્ન થવાના છે તેઓ ખાસ આમંત્રિત

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શનમાં સુરતના બાયર્સ આવતા જ હોય છે. પરંતુ લગ્નસરા હોવાથી આ વખતે સુરત, નવસારી, બારડોલી અને વાપી વિગેરે દક્ષિણ ગુજરાતમાંથી એનઆરઆઇને એક જ પ્લેટફોર્મ પરથી વિવિધ અવનવી ડિઝાઇનર્સ જ્વેલરી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ ચેમ્બર દ્વારા પ૦૦ જેટલા પરિવારો કે જેમના ત્યાં આગામી ચાર – છ મહિનામાં લગ્ન થવાના છે તેઓને આઇડેન્ટીફાય કરી તેઓને સ્પાર્કલમાં ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પરિવારોનું સ્પાર્કલમાં ચેમ્બર દ્વારા સન્માન કરવામાં આવશે. 

50 હજારથી એક કરોડ સુધીના આર્ટિકલ વેચવા મૂકાશે

સ્પાર્કલમાં પ્રદર્શિત થનાર જ્વેલરી છ મહિનાથી સ્પેશિયલ કારીગરો પાસે તથા જ્વેલરી ડિઝાઇનરો પાસે ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં હેરીટેજ જ્વેલરી, એકસકલુઝીવ બ્રાઇડલ કલેકશન, નવાબી કન્સેપ્ટ, ફયુજન જ્વેલરી, પોલકી અનકટ જ્વેલરી, બિકાનરી મીના અને રજવાડી જ્વેલરી, ફેન્સી ડાયમંડ અને એન્ટી ગોલ્ડ જેવી સુરતમાં ડિઝાઇન થતી જ્વેલરી જે ભારતભરમાં વખાણાય છે તેને પ્રદર્શિત કરવામાં આવશે. એકઝીબીશનમાં રૂપિયા પ૦ હજારથી લઇને રૂપિયા ૧ કરોડ સુધી બ્રાઇડલ જ્વેલરી પ્રદર્શિત કરાશે. ગુણવત્તાયુકત અને વિવિધ ડિઝાઇનીંગ સાથેની અલૌકિક જ્વેલરી રિઝનેબલ ભાવે મળી રહેશે.