CIA ALERT

Saurashtra patel seva samaj Archives - CIA Live

May 20, 2026
societynews-1280x1040.jpg
3min187
  • કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે ઉદઘાટન
  • સરદાર સાહેબના પ્રતિમાનું ગૃહમંત્રી હર્ષ સંધવી કરશે અનાવરણ
  • સમાજના અગ્રણી જયંતીભાઈ બાબરીયા અને અમદાવાદથી રવજીભાઈ વસાણીના હસ્તે ભવનનું શુભ ઉદ્ઘાટન
  • ૧૦૦૦ વિદ્યાર્થીઓની સુવિધા સાથે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ
  • શહેરના પ્રવેશ દ્વારે સરદાર સાહેબની પ્રતિમા અને 13 માળનું જમનામાં વિદ્યાર્થી ભવન બનશે સુરતની શાન
  • પુસ્તકાલય, ઇ-લાઇબ્રેરી અને વાંચનાલય સહિતની સુવિધાઓનું નિર્માણ થયું છે.
  • વિદ્યાર્થીઓને રહેવા-જમવા ઉપરાંત જીમ, યોગા સેન્ટર અને પ્રાર્થના હોલ છે.

કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા,કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઊર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયા અને નાગરિક સંરક્ષણ મંત્રી કમલેશભાઈ પટેલ સાંસદ મુકેશ દલાલ, સાંસદ ભરતભાઈ સુતરીયા, સાંસદ મિતેશભાઇ પટેલ સહિત રાજસ્વી મહાનુભવોની ખાસ ઉપસ્થિતિ રહેશે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરત ખાતે નિર્માણ થયેલ જમનાબા વિદ્યાર્થી ભવનનું આગામી તારીખ ૨૪-૦૫-૨૦૨૬ રવિવારના રોજ લોકાર્પણ થનાર છે. સુરતના પ્રવેશ દ્વારે ૧૦૦૦ વિદ્યાર્થીઓની હોસ્ટેલ વ્યવસ્થા સાથે અનેકવિધ વ્યવસ્થાઓ સાથે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે. પટેલ સમાજના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ ભવનમાં ૧૦૦ વ્યક્તિઓ રહી શકે તેવા શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિભવન તૈયાર થયું છે. ૪૨૫ બેઠકની ક્ષમતાવાળુ કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ તૈયાર થયું છે. કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા તથા રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા કેશુભાઈ પટેલ ઓડિટોરિયમને ખુલ્લુ મુકશે. સુરતના મુખ્ય પ્રવેશ દ્વારે ૧૩ માળ અને ૩ લાખ ચોરસ ફૂટના બાંધકામ વાળા ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવનના પરિસરમાં ૩૧ ફૂટ ઊંચી અને ૯ ટન વજનની ભારત રત્ન સરદાર સાહેબ વલ્લભભાઈ પટેલની કાંસ્ય પ્રતિમા મૂકવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સરદાર સાહેબ પ્રતિમાનું અનાવરણ કરશે. ઉપરાંત ૫૧ ફૂટ ઊંચા સ્થંભ ઉપર રાષ્ટ્રધ્વજનું આરોહણ પણ કરવામાં આવશે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા માટે ફેઝ વન પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. અને હવે ફેસ ટુ માં ૫૦૦ દીકરીઓ માટે કિરણ મહિલા ભવનનું લોકાર્પણ ટૂંક સમયમાં થશે. બંને પ્રોજેક્ટ મળીને કુલ રૂપિયા ૨૦૦ કરોડની કિંમતના બંને ભવનનું નિર્માણ થયું છે.

તારીખ ૨૪-૦૫-૨૦૨૬ રવિવારે સાંજે ૫ કલાકે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પટેલ સમાજના અગ્રણી શ્રી જયંતીભાઈ એકલેરા વાળા તથા અમદાવાદથી શ્રી રવજીભાઈ વસાણીના વરદ હસ્તે શુભ ઉદ્ઘાટન વિધિ થનાર છે. મુખ્ય નામકરણના દાતા શ્રી હંસરાજભાઈ ગોંડલીયા, સરદાર સાહેબની પ્રતિમા ખર્ચના સૌજન્ય દાતા શ્રી વલ્લભભાઈ પી. સવાણી, અતિથિ ભવનના નામકરણના દાતા તુષારભાઈ ઘેલાણીના ધર્મપત્ની પલ્લવીબેન તુષારભાઈ ઘેલાણી સહિત દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ થનાર છે. જમનાબા વિદ્યાર્થી ભવનની બાજુમાં આવેલ સંતોકબા વિલેજ ફાર્મ ખાતે લોકાર્પણ સમારોહ યોજાનાર છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ, કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, ઉર્જામંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા, નાગરિક સંરક્ષણ મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, વિધાનસભા ડેપ્યુટી સ્પીકર પુર્ણેશભાઈ મોદી, સુરતના સાંસદ મુકેશભાઈ પટેલ, અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા તથા આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ અને સ્થાનિક ધારાસભ્યો સહિત રાજસ્વી અતિથિશ્રીઓ ખાસ ઉપસ્થિત રહેશે. સમાજના અગ્રણીશ્રીઓનું વર્ષોથી એક સ્વપ્ન હતું કે, વિદ્યાર્થીઓ અને સમાજ ઘડતર માટેનું કેન્દ્ર હોય તેવા ભવનનું નિર્માણ સુરતમાં થાય. સંસ્થાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ જી. પટેલ અને સ્વ. કે ડી વાઘાણીના કાર્યકાળમાં સુરતથી કામરેજ જતા મુખ્ય રસ્તા પર જમીનની ખરીદી કરવામાં આવી હતી.

૨૦૨૧ માં વિજયા દશમીના રોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને હીરા ઉદ્યોગના અગ્રણી શ્રી વલ્લભભાઈ એસ. લખાણીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. જમનાબા વિદ્યાર્થી ભવનમાં શ્રીમતી વર્ષાબેન મનહરભાઈ કાકડીયા પુસ્તકાલય, ગોપીન વાચનાલય, મૂળચંદભાઈ અમીન ઇ-લાઈબ્રેરી, માતૃશ્રી સંતોકબા ભોજનાલય, હરિકૃષ્ણ કારકિર્દી માર્ગદર્શન સેન્ટર, ઉપરાંત જીમ, યોગા સેન્ટર અને પ્રાર્થના હોલ સહિતની સુવિધાઓ નિર્માણ પામી છે.

આ ઉપરાંત મહત્વનું દાન આપનાર મુકેશભાઈ પટેલ, રમેશભાઈ વી. ગજેરા, રાકેશભાઈ એચ. દુધાત અને ઝેડ. પી. ખેની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે. જમનાબા વિદ્યાર્થી ભવનની છત ઉપર ગોલ્ડી સોલાર તરફથી રૂફટોપ સોલાર ફીટ કરેલ છે. જ્યારે સમગ્ર ભવનમાં ડ્રિંકિંગ વોટર સિસ્ટમનું સૌજન્ય જે. એમ. પટેલ પરિવાર તરફથી મળેલ છે.

સુરત ખાતે ગૌરવંતા જમનાબા વિદ્યાર્થી ભવનના ઉદઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે. મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રી વેલજીભાઈ શેટા, કેશુભાઈ ગોટી, અગ્રણીશ્રી વસંતભાઈ ગજેરા, લાલજીભાઈ ટી પટેલ, અમદાવાદ થી ગુણવંતભાઈ સોજીત્રા, મગનભાઈ રામાણી, રાજકોટથી વિજયભાઈ ડોબરીયા, ચંદુભાઈ વિરાણી, અનુભાઈ તેજાણી, જયંતીભાઈ નારોલા, ઘનશ્યામભાઈ શંકર અને દિનેશભાઈ કુંભાણી સહિત મહાનુભાવો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર છે. સૌરાષ્ટ્રથી સુરત સ્થળાંતર થયેલા સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજના અગ્રણીઓએ ચાર દાયકા પહેલા ૧૯૮૨ માં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની સ્થાપના કરી હતી. સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્વ. જે. આર. સવાણી સમૂહલગ્ન પ્રવૃત્તિ શરૂ કરી હતી. ત્યારબાદ પ્રમુખ તરીકે સુરેશભાઈ જી. પટેલ અને પૂર્વ પ્રમુખ કે. ડી વાઘાણીએ સમાજનું નેતૃત્વ કરી સામાજિક પ્રવૃત્તિનો દોર ચાલુ રાખ્યો હતો. વર્તમાન સમયે સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા, ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા, મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક, ખજાનચી મનહરભાઈ સાસપરા અને ભવનના નિર્માણ માટે કાર્ય કરનાર શ્રી ધીરૂભાઈ માલવિયા, શ્રી હરિભાઈ કથીરિયા, શ્રી ભવાનભાઈ નવાપરા, જી. આર. આસોદરીયા તથા શ્રી નટુભાઈ ચોવટીયા વગેરે અગ્રણીશ્રીઓ સહીત વ્યવસ્થાપક ટ્રસ્ટીઓ અને કાર્યકરો છે. સંસ્થામાં ખૂબ ઉદાર ભાવ સાથે સમાજના શ્રેષ્ઠીઓએ આર્થિક સહયોગ આપ્યો છે. પરિણામે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ શરૂ થયું છે. નાના વ્યક્તિઓએ ભૂમિદાન પણ આપેલ છે. મહિલાઓએ એકવારનું દાન આપી મહિલા ટીમ પણ કાર્યરત બની છે. યુવા મિત્રો પણ સમાજ જાગૃતિ અને સેવા પ્રવૃત્તિમાં ઉત્સાહથી કાર્યરત છે.

શ્રી જમનાબા વિદ્યાર્થી ભવનમાં કાર્યરત સુવિધાઓ અને પ્રવૃત્તિઓની યાદી :
  1. ૧૦૦૦ વિદ્યાર્થીઓ(ભાઈઓ) રહી શકે તેવી હોસ્ટેલ સુવિધા જેમાં જમવા-રહેવા કપડાની લોન્ડ્રી-ઈસ્ત્રી વાર્ષિક ફી રૂ. ૪૦,૦૦૦ છે.
  2. ૧૦૦ વ્યક્તિઓ રહી શકે તેવુ અતિથિભવન
  3. ૫૦ હજાર પુસ્તકોની ક્ષમતાવાળુ પુસ્તકાલય
  4. વિશાળ વાંચનાલય (સવારે ૬ થી રાત્રીના ૧ સુધી)
  5. ડીઝીટલ લાઈબ્રેરી
  6. ૪૨૫ બેઠકવાળુ કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ
  7. ૩૦૦ બેઠકની ક્ષમતાવાળુ સુવિધાયુક્ત ભોજનાલય
  8. કારકિર્દી માર્ગદર્શન સેન્ટર, સરકારી પરીક્ષા માટે કોચીંગ વ્યવસ્થા
  9. સરકારી યોજનાઓ માટે માર્ગદર્શન સેન્ટર
  10. ૩૧ ફૂટ ઉંચી પંચધાતુની ભારતરત્ન સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા,
    ૫૧ ફૂટની ઊચાઇએ રાષ્ટ્રધ્વજ લહેરાય છે.
  11. વિનામૂલ્યે પુસ્તક લઇ શકે તેવુ ખુલ્લુ પુસ્તકાલય.
  12. વિદ્યાર્થીઓ માટે જીમ અને યોગા સેન્ટર, પ્રાર્થનાહોલ
  13. AI રીસર્ચ લેબ
  14. ૭૦ બેઠકની ક્ષમતાવાળુ કોન્ફરન્સરૂમ.
  15. ૩૫ બેઠકની ક્ષમતાવાળો મીટીંગ હોલ
  16. હોસ્ટેલમાં દરેક માળે એક્ટીવીટીઝ રૂમ.
    ટૂંક સમયમાં શરૂ થશે.:
  17. ફેઝ (I) માં – પાટીદાર ગેલેરી તૈયાર થશે.
  18. ફેઝ (II) માં – કેન્ટીન વ્યવસ્થા થશે.
September 1, 2023
TT-4.jpg
1min1281

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સમાજ ધડતરના નવતર કાર્યક્રમમાં દર ગુરુવારે નવા વિચારનું વાવેતર કરવામાં આવે છે. તા. ૧૬/૦૩/૨૦૨૩ ના રોજથી શરૂ થયેલ થર્સ-ડે થોટ્સ ના તા.31મી ઓગસ્ટ 2023ના રોજ ૨૫માં કાર્યક્રમમાં હેલ્થ, વેલ્થ અને હેપીનેસ વિશે વક્તાઓ એ નુતન વિચાર સાથે માર્ગદર્શન આપ્યું હતું.

શહેરના જાણીતા કાડીયોલોજીસ્ટ ડૉ.સંજયભાઈ વાઘાણીએ હાર્ટ એટેક ના વધતા બનાવો અને કારણો અંગે માહિતી આપી
જણાવ્યું હતું કે, ખાંડ એટલે કે ગળપણ… આરોગ્ય માટે સૌથી મોટી દુશ્મન છે.

ઇન્ફેકશન અંગે ખુબ જાણીતા ડૉ. પ્રતિક સાવજે શરીરએ માણસની મુલ્યવાન સંપતિ ગણાવી તેને સાચવવા અનુરોધ કર્યો હતો.

વર્તમાન સમયે ઘણા દર્દીઓને કોઈ રોગ ન હોય તોય બીમાર હોય છે. તેનું કારણ ,માનસિક પ્રશ્નો , શહેરના જાણીતા મનોચિકિત્સક ડૉ. જય કુમાર કુંભાણી એ જણાવ્યું હતુ કે તન, મન ની સુખાકારી માટે ખુશ રહેવું ખુબ જરૂરી છે.

આજે થર્સ-ડે થોટ્સમાં ૨૫ મો વિચાર ના અનુસંધાનમાં કાપડ ઉદ્યોગના આઇકોન શ્રી દીપકભાઈ શેટાએ જણાવ્યું હતું કે સતત નવું શિખતા રહેવું અને માનવીય સંવેદના સાથે નવું કરતા રહેવું તેજ ખરી પ્રગતિ છે. પોતાના બિઝનેશ જર્ની વિષે ખુબ પ્રભાવક શૈલીમાં જણાવ્યું હતું કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. તેમ છતાં ઇનોવેશન અને સદભાવના એ પ્રગતિ માટે જરૂરી છે. શહેરના સૌથી મોટા ટેક્ષ પેયર બનવાના સંકલન સાથે તે સતત પ્રગતિ કરી રહ્યો છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળાએ અત્યાર સુધીના ૨૪ અઠવાડિયાની ફલશ્રુતિ જણાવી હતી. શહેરના જાણીતા સર્જન ડૉ. અમુલખ સવાણીને થર્સ-ડે થોટ્સ કાર્યક્રમના બ્રાંડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા હતા. પ્રગતિશીલ રહેવા માટે નવીનતા – ઇનોવેશન અને સદભાવના જરૂરી ગણાવી હતી. કોણ ૧(એક) અને કોણ ૦(શૂન્ય) એ ખબર નથી પરંતુ બંને સાથે મળે તો ૧૦(દસ) થાય તે ખબર છે. આ વાત સાથે વિચારને વધુ સ્પષ્ટ કર્યો હતો.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી નિર્માણાધીન જમનાબા ભવન અને કિરણ મહિલા ભવન માટે ડૉ.સંજયભાઈ વાઘાણી, શ્રી દીપકભાઈ શેટા તથા શ્રી મધુસુદનભાઈ દોંગા દાતા ટ્રસ્ટી બન્યા હતા. ૩૦૦ થી વધુ લોકો સ્વયંભુ દર ગુરુવારે નવા વિચાર માટે ઉત્સાહ સાથે આવી જાય છે. પટેલ સમાજની યુવા ટીમ તથા ટીમ ૧૦૦ ના યુવામિત્રો એ ઉત્સાહભેર આ કાર્યક્રમની કાળજી લઈ રહ્યા છે.

February 1, 2023
cia_society-1280x880.jpg
2min702

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત તરફથી આગામી પાંચમી ફેબ્રુઆરીએ યોજાનાર ૬૪માં સમુહ લગ્નોત્સવમાં ૮૭ યુગલો પ્રભુતામાં પગલાં પાડનાર છે. સામાજિક જાગૃતિ અને સમાજને નવો વિચાર આપવા સમૂહ લગ્નની પ્રવૃત્તિ એક માધ્યમ છે. ૪૦ વર્ષ પહેલા ૧૯૮૩થી શરૂ થયેલ આ પ્રવૃત્તિમાં અત્યાર સુધીમાં ૫૩૧૯ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા છે. મોટા વરાછા ગોપીનગામ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવ યજમાન અગ્રણી શ્રી જયંતીભાઈ એકલારા વાળા પરિવાર છે. લવજીભાઈ બાદશાહ અધ્યક્ષ સ્થાને યોજાનારા સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો રાજ્સ્વી મહાનુભવો સહિત ૨0000 ની માનવમેદની હજાર રહેનાર છે.

લગ્ન વિધિ શરૂ કરતાં પહેલા રાષ્ટ્રગીતનું ગાન થશે

સમાજમાં રાષ્ટ્રચેતના પ્રગટે તે માટે લગ્નવિધિ શરૂ કરતાં પહેલાં રાષ્ટ્રગીતનું ગાન થશે, સાંજે ૪:૩૦ સુધી માં વર-કન્યા અને પક્ષકારો – મહેમાનો આવી જશે ૪:૫૫ કલાકે  સમારોહની અંદાજે ૨૦ હજાર જનમેદની એકસાથે રાષ્ટ્રગીતને માન અપાશે. જે સૈનિક યુગલના લગ્ન થવાના છે તે યુગલ રાષ્ટ્રધ્વજ સાથે સ્ટેજ ઉપર હશે.

ગંગા સ્વરૂપા બહેનોને હસ્તે  સમારોહનો શુભારંભ થશે

ગંગાસ્વરૂપ બહેનોને શુભ પ્રસંગે અવગણવામાં આવતા હોય છે. લોકોની આ માનસિકતા દૂર કરવા વર્ષોથી પટેલ સમાજના સમૂહ લગ્ન સમારોહ દીપ પ્રાગટ્ય વિધિ ગંગાસ્વરૂપ બહેનોના હસ્તે કરવામાં આવે છે. દરેક પ્રસંગે આવી માતાઓને માન આપવા અને આગળ રાખવા અનુરોધ થશે.જે સમાજની ખરી સામાજિક ક્રાંતિ છે.

             નવયુગલ માટે આશીર્વચન સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ, કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશ, રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલા તથા પટેલ સમાજના આગેવાનો દાતાશ્રીઓ, વિવિધ સંસ્થાના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેનાર છે.

             કોઈ નાત-જાતના ભેદભાવ વગર સારા રાષ્ટ્રના નિર્માણ માટે જેઓએ વિશેષ સેવા પ્રદાન કર્યું છે તેવા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવશે. સુરતમાં ૫૦ હજારથી વધુ વૃક્ષો રોપી જતન કરી શહેરને હરીયાળુ કરવાનો ભગીરથ પ્રયાસ કરનાર જે. કે. સ્ટાર ના શ્રી શૈલેષભાઈ લુખીને પર્યાવરણ સેવા માટે સન્માનિત કરાશે. દેશભરમાં જરૂરિયાતવાળા પછાત વિસ્તારમાં ૩૦૯ શિક્ષણધામ બાંધી આપવાનો સંકલ્પ કરનાર અને તેમાંથી મોટાભાગની શાળાઓ બાંધવાના સફળ પ્રયાસ કરનાર પટેલ સમાજના આગેવાન કેશુભાઈ એચ. ગોટી ને શિક્ષણ સુવિધા-સેવા સન્માન અર્પણ કરાશે. અને જાગૃતિના અભાવે ઘણા લોકો અંધાપો ભોગવે છે તેના જીવનમાં રોશની માટે વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટના સ્થાપક ડૉ. ભાવિનભાઈ જે. પટેલ નું વિશેષ અભિવાદન કરવામાં આવશે.દેશમાટે પ્રાણનું બલિદાન આપનાર વીરજવાનોના પરિવારના ઘેર સોલાર રૂફ રોપ લગાવી અંજવાળું પ્રગટાવનાર એસ.આર.કે. ફાઉન્ડેશનના શ્રી જાય્ન્તીભાઈ નારોલા તથા શ્રી ઈશ્વરભાઈ ધોળકિયાનું અભિવાદન થશે. આ મોંધવારીના સમયમાં આરોગ્યની સામાન્ય સારવાર માટે પણ આર્થિક મુશ્કેલી પડે છે.

ત્યારે વડતાલ ધામ અને સુરત રૂસ્તમબાગ ખાતે વિનામૂલ્ય સ્વામીનારાયણ હોસ્પિટલ અને કલીનીક શરુ કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવનાર સંસ્થાના પ્રમુખ ધનજીભાઈ રાખોલિયા, પિતા વિહોણી દીકરીઓના માત્ર લગ્ન કરાવવા એટલુજ નહી તે પરિવાર સાથે લાગણીના સબંધો જાળવવાનું વિશિષ્ઠ ઉદાહરણ પૂરુંપાડનાર શ્રી મહેશભાઈ સવાણીનું લાગણી સાથે સમાજ સેવા સન્માન થશે.                

ધંધા વ્યવસાયક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર અને યુવાનોને પ્રેરણા મળે તેવી પ્રગતિ કરનાર યુવા સાહસિકોને સિદ્ધિગૌરવ સન્માન અર્પણ કરવામાં આવનાર છે. ભારતપે ના  કો-ફાઉન્ડર શ્રી શાશ્વત નાકરાણી, અમી ઓર્ગેનિક ના શ્રી નરેશભાઈ પટેલ, અવધ ગ્રુપના શ્રી દીલીપભાઈ ઉંધાડ, એલ્યુમીનીયમ ઇન્ડસ્ટ્રીઝના આગેવાન વિપુલભાઈ ચલોડિયા તથા પ્રભુભાઈ સોજીત્રા, ડેઈલી દવા ડોટ કોમના શ્રી રજનીભાઈ મુંગરા, લેબગ્રોન ડાયમંડના યુવા સાહસિક રજની રાદડિયા તથા કેનેડામાં રોયલ બેંકના અધિકારી તરીકે સફળ કામગીરી કરતી સૌરાષ્ટ્ર ના ખેડૂતની દીકરી જીલ વિઠ્ઠલભાઈ ગોંડલિયાનું પણ અભિવાદન કરાશે. કોઈપણ ધંધા – વેપાર કે વ્યવસાયના સંગઠનોની ભૂમિકા ખુબ અગત્યની હોય છે. ત્યારે જે તે બિઝનેશમાં યોગ્ય નેતૃત્વ પૂરું પાડી ધંધા – વેપાર ને  નેતૃત્વ પૂરું પાડનાર યુવા અગ્રણીઓનું પણ અભિવાદન કરવામાં આવનાર છે.

                        સમૂહલગ્ન સમારોહમાં પરણનાર યુગલોમાં એક દંપતી લશ્કરમાં કમાન્ડો છે નયનાબેન ધાનાણી એન.એસ.જી કમાન્ડો છે જ્યારે તેની સાથે લગ્નગ્રંથિ થી જોડાનાર નિકુંજ અજુડિયા આર્મીમાં કમાન્ડો છે ખાસ ઓપરેશન ટીમમાં રાષ્ટ્રની સુરક્ષા માટે તૈનાત રહેનારા યુગલના પારિવારિક જીવનને અને આર્થિક સલામતીને માટે દાતાશ્રીઓના સહયોગથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત આ કમાન્ડો યુગલ ને ૫ લાખની રકમ પુરસ્કાર તરીકે આપશે.

      મહિલા ખેલાડીઓનું સન્માન તથા ૧ લાખથી વધુનો પુરસ્કાર            

આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રતિભાશાળી મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તેઓના અભિવાદન સાથે પુરસ્કાર આપવામાં આવશે. એથ્લેટિક્સ (દોડ)માં રાષ્ટ્રીય ચેમ્પિયન તથા આગામી ઓલમ્પિકસ ગેમ્સ ૨૦૨૪ માં આશાસ્પદ ખેલાડી કુ. શ્રદ્ધા રજનીકાંતભાઈ કથીરીયા જે સૌરાષ્ટ્રના ગામડાની ખેડૂત ની દીકરી છે. તેઓને તૈયારી અને પૌષ્ટિક આહાર માટે દાતાશ્રીઓ ના સહયોગથી રૂપિયા ૧૦ લાખ નો આર્થિક સહયોગ આપવામાં આવશે. ઉપરાંત લાંબીકુદમા જુનિયર રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયન કુ. કુમકુમ ભરતભાઈ રામાણી તથા ઇન્ટરનેશનલ પેરા બેડમિન્ટન ખિલાડી શ્રીમતી વૈશાલી નિલેશભાઈ પટેલને  ૫૧-૫૧ હજારના પુરસ્કાર સાથે સન્માનિત કરાશે. આ સાથે ભારતનું ગૌરવ કુ. ધ્રુવી કિશોરભાઈ જસાણી નાસામાં સ્પેસ આર્કિટેક્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે તેઓનું પણ અભિવાદન કરી રાષ્ટ્રના યુવાધનને પ્રોત્સાહન આપવામાં આવશે.

       સંસ્થાની એક યાદીમાં જણાવવામાં આવે છે કે સમગ્ર સમારોહની વ્યવસ્થા માટે કુલ ૧૫૦ થી સંખ્યાઓના ૨૦૦૦ થી વધુ સ્વયંસેવક મિત્રો કામગીરી કરશે. સમૂહલાગ્નોત્સ્વમાં લગ્ન ઉપરાંત વ્યસનમુક્તિ, સારા પુસ્તકોનું વાંચન તથા નેત્ર જાગૃતિ, કેન્સર જાગૃતિ અને સુરતને સ્વચ્છ રાખવા માટે સુકો કચરો તથા ભીનો કચરો જુદા પાડવા ખાસ જાગૃતિ સ્ટોલ રાખી પ્રયાસ કરવામાં આવશે. લોકોને કોઈ અગવડતા નપડે તે માટે પૂરી કાળજી રાખવામાં આવશે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના ટ્રસ્ટીઓ, યુવાટીમના કાર્યકર્તાઓ, ટીમ – ૧૦૦ના સભ્યો તથા સૌરાષ્ટ્ર પટેલ મહિલા ટીમની બહેનો વ્યવસ્થા માટે તડામાર તૈયારી કરી રહ્યા છે. સમારોહમાં આપવા માટે પ્રવેશ પાસ જરૂરી છે. સમગ્ર કાર્યક્રમનું દુનિયાભરમા ચેનલ તથા સોશીયલ મીડિયામા પ્રસારિત થનાર છે.

       શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતમાં નિર્માણ થનાર ડ્રીમ પ્રોજેક્ટ જમનાબાભવન તથા કિરણ મહિલાભવન અંગે સમાજઅગ્રણીઓ વિચાર ગોષ્ઠી કરશે. હોસ્ટેલ પ્રોજેક્ટ-૨ ઝડપથી સાકાર થાય તે માટે સમાજને સહયોગ માટે અનુરોધ કરવામાં આવશે. જમનાબા ૧૦૦૦ વિદ્યાર્થી ભાઈઓ માટે અને કિરણ મહિલા ભવનમા ૫૦૦ બહેનો માટે રહેવાની વ્યવસ્થા થશે. તે ઉપરાંત રાધાબેન ઘેલાણી અતિથીભવન તથા શૈલેશભાઈ લુખી પરિવાર તરફથી મહિલા રોજગાર તાલીમ કેન્દ્ર પણ શરુ થનાર છે. કિરણ મહિલાભવનનું આગામી ટૂંક સમયમાં ખાતમુહુર્ત થનાર છે.

February 20, 2022
societynews-1280x1040.jpg
1min551

પ્રત્યક્ષ રીતે સુરતમાં ઉપસ્થિત નહીં રહી શકેલા લાખો લોકો સૌરાષ્ટ અને ઉત્તર ગુજરાતમાં પોતાના ઘરે બેઠા બેઠા સૌરાષ્ટ્ર પટેલ સમાજના લગ્નોત્સવના સાક્ષી બનશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અનેક પ્રકારની સામાજિક ક્રાંતિના પ્રણેતા, અનેક કુરિવાજોથી સમાજને મુક્ત કરાવનાર સૌરાષ્ટ્ર પટેલ સમાજનો આવતીકાલ તા.20મી ફેબ્રુઆરી 2022ના રોજ યોજાઇ રહેલો 63મો સમૂહલગ્નોત્સવ પણ એક મોટી ક્રાંતિને આકાર આપશે. પહેલી વખત આ સમગ્ર લગ્નોત્સવ સમારોહ વર્ચ્યુઅલ (ઓનલાઇન) યોજાઇ રહ્યો છે અને કમસેકમ 10 લાખ લોકો જુદા જુદા ડિજિટલ માધ્યમોથી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહલગ્નોત્સવમાં હાજરી આપશે. વિશ્વમાં આટલી મોટી સંખ્યામાં ઓનલાઇન લોકો જોડાય તેવી આ પહેલી વિક્રમી ઘટના આકાર પામશે.  

વિશ્વની સૌથી મોટી વર્ચ્યુઅલ ઇવેન્ટ બની રહેશે સૌરાષ્ટ્ર પટેલ સમાજનો 63મો સમૂલગ્નોત્સવ, 60 લાખ યુઝર્સનું ફોલોઇંગ ધરાવતા જુદા જુદા સોશ્યલ મિડીયા હેન્ડલ્સ પરથી ઇવેન્ટનું લાઇવ ટેલિકાસ્ટ થશે, અંદાજે 20 ટકા ફોલોઅર્સ પણ જોડાય તો 12 લાખ જેટલા લોકો આ સમૂહલગ્નોત્સવના અપ્રત્યક્ષ વર્ચ્યુઅલ સાક્ષી બનશે

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે જુદા જુદા સોશ્યલ મિડીયા હેન્ડલ્સ, ગ્રુપ્સ, પેજીસ, પર્સનાલિટીઝ, ટીવી ચેનલ્સ વગેરે તમામ મળીને 60 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે એ તમામ પર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજિત 63માં સમૂહ લગ્નોત્સવનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જેમાંથી એવો એક રેન્ડમ અંદાજ છે કે વીસ ટકા લોકો જોડાય તો પણ 12 લાખથી વધુ લોકો અપ્રત્યક્ષ રીતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજિત સમૂહલગ્નોત્સવમાં અપ્રત્યક્ષ વર્ચ્યુઅલ હાજરી આપશે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત આોયોજિત વરર્યુઅલ સમુહલગ્નોત્સ્વમાં ૧૨૨ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. સાંજે ૫ થી ૮ના એક જ સમય દરમિયાન કન્યાપક્ષના અનુકુળ સ્થળે મંડપમાં લગ્નવિધિ યોજાશે. તમામ ૧૨૨ મંડપોનું ડીજીટલી જોડાણ કરી સમગ્ર સમુહલગ્નોત્સ્વનું જીવંત પ્રસારણ જુદા જુદા સોશ્યલ મિડીયા હેન્ડલ્સ પરથી કરવામાં આવશે. એક અંદાજે મુજબ એક સાથે દસ લાખથી વધુ લોકો પોતાના મોબાઇલ ફોન, ટેબ્લેટ્સ, હોમ સ્માર્ટ ટેલિવિઝન, લેપ્ટોપ, કમ્પ્યુટર વગેરે પર આ સમૂહ લગ્નોત્સવને લાઇવ નિહાળશે અને તેમાં સહભાગી બનશે.આ પ્રસંગે મુખ્ય સમારોહ, આશીર્વચન સમારોહનું આયોજન વરાછા રોડ, સૌરાષ્ટ્ર પટેલ ભવન કરવામાં આવ્યું છે. રાકેશભાઈ દુધાતના અધ્યક્ષ સ્થાને યોજાનાર કાર્યક્રમમાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, દિલીપભાઈ સંઘાણી તથા મનહરભાઈ સાસપરાનું જાહેર બહુમાન આ પ્રસંગે કરવામાં આવશે.

BSC તથા MSC માં કુલ ૪ ગોલ્ડમેડલ મેળવનાર કુ. સર્જીતા ગામી, એપલમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે જોબ મેળવનાર મયુર હસમુખભાઈ શંકર તથા માત્ર ૯ માં ભણતા ક્ષીરાજ દિનેશભાઈ ઠુંમર આઈ.આઈ.ટી કાનપુર માં ટ્યુટર (ઇન્ટરશીપ) તરીકે કાર્યકરે છે. આઈ.ટી ના કોડીંગ એક્ષ્પર્ટ છે. બાળકોને પ્રેરણા મળે તેવી સિદ્ધિનું અભિવાદન કરાશે.સાંજે ૫ કલાકે વરર્યુઅલ માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમુહલગ્નોત્સ્વ માં ઉપસ્થિત રહશે ને ૧૨૨ નવયુગલોને શુભઆશિષ પાઠવશે.