શિક્ષણનો મુખ્ય હેતુહૃદયની સંસ્કૃ શત, સ્થાયી મૂલ્યો પર આધાશરત સંસ્કૃ શત આપવાનો હોવો જોઈએ” – અમ્મા.
કેન્દ્ર સરકારના જી-20 અન્વયે સમાવિષ્ટ સી-20 કાર્યક્રમ કે જે સિવિલ સોસાયટીના પરીપ્રેક્ષ્યમાં છે, જેના બહોળા વ્યાપ વિસ્તારના ભાગરૂપે સુરતના ઇચ્છાપોર સ્થિત ઓરો યુનિવર્સિટી દ્વારા આગામી તા.27મી મે 2023ના રોજ સી-20 કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશના ખ્યાતનામ વક્તાઓ 21મી સદીમાં શૈક્ષણિક સ્થિરતા સાથે સમાજ કલ્યાણના મૂલ્યોનું જતન કરી શકે તેવા નાગરીકો કેવી રીતે ઉભી કરી શકાશે તે બાબતે પોતાના વિચારો રજૂ કરશે. આ પ્રસંગે ઓરો યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પરિમલ વ્યાસે જણાવ્યું કે 250 ઉપરાંત શિક્ષણવિદો આ કોન્કલેવમાં પ્રત્યક્ષ રૂપે જોડાશે જ્યારે અન્યો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. આ પ્રસંગે ઓરો યુનિવર્સિટીમાં એક નાનકડું એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું છે.
પરિમલ વ્યાસે જણાવ્યું કે AURO યુનિવર્શિટીની સ્થાપના પાછળનો પ્રમુખ હેતું ઇન્ટીગ્રલ એજ્યુકેશનનો છે.”
C20 કોન્ક્લેવનો હેતુ વ્યક્તિઓને ગ્લોબલ સિટીઝનના પરીપ્રેક્ષ્યમાં માર્ગદર્શિત કરવાનો છે.
કોન્ક્લેવમાં 21મી સદીમાં ગ્લોબલ સિટીઝનશીપ માટેના કૌશલ્યો અને ટકાઉ જીવન માટેની સ્થિતિ સ્થાપકતા અંગેનો છે.
ઓરો યુનિવર્સિટી આયોજિત સી-20 કોન્કલેવમાં દિલ્હીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર ડૉ. કિરણ બેદી, પદ્મભૂષણ કપીશ કપૂર, પદ્મશ્રી વિષ્ણું પંડ્યા, ઇતિહાસકાર-લેખક શ્રી સેન ગુપ્તા, વિવિધ મિડીયા સાથે જોડાયેલા પત્રકારો, અને યુનિવર્સિટીઓના વાઇસ ચાન્કસેલરો જોડાશે.