– એશિયા કપ ટી-20માં પ્રથમ મેચ ભારત જીત્યુ હતુ
– સાંજે 7-30થી મેચનો પ્રારંભ : ભારતની ટીમમાં ફેરફાર થશે તે નિશ્ચિત
દુબઈ : ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિય કપની સુપર ફોરની મેચ આવતીકાલે ભારતીય સમય પ્રમાણે સાંજે ૭-૩૦થી રમાશે.
આ ટુર્નામેન્ટની ગુ્રપ ‘એ’ની મેચમાં ભારતે હાર્દિક પંડયા અને જાડેજાની બેટિંગ અને ભુવનેશ્વર કુમારની બોલિંગને સહારે પાકિસ્તાનને આખરી ૨૦મી ઓવરમાં ચોથા બોલે પરાજય આપ્યો હતો.
પાકિસ્તાને ગુ્રપ મેચમાં શુક્રવારે હોંગકોંગને જે રીતે પરાજય આપ્યો તેનાથી ભારત સામેની કાલની મેચમાં જુસ્સો વધારે જોવા મળશે.
પાકિસ્તાને ૧૯૩ રન બે વિકેટ ગુમાવીને કર્યા બાદ હોંગ કોંગને ૩૮ રનમાં જ ખખડાવ્યું હતું. તેની તુલનામાં ભારત સામે હોંગ કોંગે પરાજય છતા સન્માનજનક દેખાવ કર્યો હતો.
ભારત તેની ટીમમાં ઈજાગ્રસ્ત જાડેજાના સ્થાને અક્ષર પટેલ કે અશ્વિનને સમાવી શકે છે. ફાસ્ટર આવેશ ખાનની જગ્યાએ પણ એક બોલર સ્થાન પામશે. કે. રાહુલના ફોર્મ પર નજર રહેશે. રોહિત શર્મા અને કોહલીએ આગવા પ્રભુત્વ સાથે રમવાનું છે. પંતને કઈ રીતે સ્થાન અપાય છે તે જોવાનું રહેશે.