સરકાર અને લોકોને સાથે રાખીને સામાજિક કાર્ય કેવી રીતે કરાય તેનું ઉત્તમ ઉદાહરણ.
લોક કલ્યાણ અભિયાનો કે સારથી – પદ્મશ્રી મથુરભાઈ સવાણી
- સમૂહ લગ્નોત્સવના પ્રણેતા
- જળસંચય અભિયાન
- બેટી બચાવો મહાલાડુ ઝુંબેશ
- ગઢપુર ટાઉનશીપના સ્વપ્ન દ્રષ્ટા
- સમસ્ત પાટીદાર સમાજની સ્થાપનામાં અગ્રેસર ભૂમિકા
- વિશ્વ પાટીદાર સમાજ સરદારધામના સ્વપ્નદ્રષ્ટા
- કિરણ હોસ્પિટલના પાયાના પથ્થર
- સુરત ડાયમંડ બુર્સના કુશળ સંચાલનકર્તા
1990થી ગુજરાતમાં લોક કાર્યોમાં સમગ્ર જીવન સમર્પિત કરી દેનાર મથુરભાઇ સવાણી એક એવું નામ છે જેને સ્વયંસિદ્ધ લોકનાયકનો દરજ્જો મળ્યો છે. કોઇ મેનેજમેન્ટ સ્કુલ કે આઇઆઇએમ જેવી સંસ્થાના ગ્રેજ્યુએટ્સ પણ નહીં કરી શકે તેવી સામાજિક ક્રાંતિ મથુરભાઇ સવાણીએ કરી દેખાડી છે. એક સમયે સૌરાષ્ટ્રમાં પાણીની તીવ્ર અછત હતી એવા કટોકટીના સમયે જળસંચયનું ભગીરથ અભિયાન હાથ ધર્યું અને તેના મીઠાં ફળ આજે આપણે સૌ જાણી માણી શકીએ છીએ. એવા અનેક લોક કાર્યોને કુશળ સંચાલન થકી તેમણે મેન ઓફ મેનેજમેન્ટનું બિરુદ હાંસલ કર્યુ છે.
સુરતની નવીનત્તમ વૈશ્વિક ઓળખ બની રહેલા બે મેગા પ્રોજેક્ટના કુશળ સંચાલન કર્તા
મથુરભાઇ સવાણીને મેન ઓફ મેનેજમેન્ટનું બિરુદ પણ એટલા માટે આપવામાં આવી રહ્યું છે કેમકે તેઓ હાલ જે સંસ્થાઓમાં સંચાલન કરી રહ્યા છે એમાં એક કિરણ હોસ્પિટલ જે હવે ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં તેની સેવાઓ, સેવાઓની ગુણવત્તા અને આધુનિક સેવા પદ્ધતિ માટે જાણિતી બની છે. સમગ્ર દેશમાંથી કિરણ હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીઓ રિફર થઇ રહ્યા છે. એવી જ રીતે વિશ્વની સૌથી મોટી ઓફિસ પ્રિમાઇસીસ તરીકે ખ્યાતિપ્રાપ્ત સુરત ડાયમંડ બુર્સ કે જેને ઘણાં લોકો એવું કહેતા હતા કે આ પ્રોજેક્ટ ક્યારેય પૂરો નહીં થઇ શકે, તેને પણ સુપેરે પૂર્ણ કરી દેખાડ્યો છે મથુરભાઇ સવાણીએ.