CIA ALERT

ચેમ્બર ઓફ કોમર્સ Archives - CIA Live

August 13, 2026
WhatsApp-Image-2026-08-12-at-18.18.04-1280x639.jpeg
1min43

કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારીના વરદ્ હસ્તે બિઝનેસ મેળાનું ઉદ્‌ઘાટન કરાયું

બિઝનેસ મેળાઓ થકી મહિલા સાહસિકોને પગભર થવા અને પોતાની નવીન પ્રોડક્ટ્સ સીધી માર્કેટ સુધી પહોંચાડવામાં મોટી મદદ મળે છે: ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી

સુરત, 12 ઓગસ્ટ 2026: શ્રાવણ માસના પવિત્ર તહેવારોની ખરીદી અને સ્થાનિક વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને માહેશ્વરી લક્ઝુરિયાના સંયુક્ત ઉપક્રમે બુધવાર, તા. 12 ઓગસ્ટ અને ગુરુવાર, તા. 13 ઓગસ્ટ 2026ના રોજ દ્વિ-દિવસીય ‘શ્રાવણ બિઝનેસ મેળા 2026’નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું છે. પર્વત પાટીયા, આઇ માતા રોડ સ્થિત માહેશ્વરી લક્ઝુરિયા ખાતે સવારે 10:00થી સાંજે 07:00 વાગ્યા દરમિયાન યોજાયેલા આ બિઝનેસ મેળાનો કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીના વરદ્ હસ્તે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સંદેશ આપતાં જણાવ્યું હતું કે, “દક્ષિણ ગુજરાતનું આર્થિક માળખું નાના વેપારીઓ અને મહિલા ઉદ્યોગસાહસિકોની મહેનત પર નિર્ભર છે. આ બિઝનેસ મેળો સ્થાનિક કળા, નારી સશક્તિકરણ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરી રહ્યો છે. સુરતની જનતા શ્રાવણી તહેવારોની ખરીદી આ મેળામાંથી કરીને મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરે અને તેમને આત્મનિર્ભર બનાવવામાં સહભાગી બને તે ઇચ્છનીય છે.”

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “સુરત હંમેશાં નારી સશક્તિકરણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક વ્યાપાર અને ખાસ કરીને મહિલા ઉદ્યમીઓની કળા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે. આ મેળો લઘુ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને મહિલા સાહસિકોને સીધા નવા બજારો સાથે જોડવાનું કાર્ય કરશે.”

ઉદ્‌ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીએ જણાવ્યું હતું કે, સુરતમાં વેપારી સંસ્થાઓ અને સમાજના સંગઠનો દ્વારા આયોજિત આવા બિઝનેસ મેળાઓ થકી મહિલાઓને પગભર થવામાં મોટી મદદ મળે છે અને તેઓ પોતાની યુનિક પ્રોડક્ટ્સ સીધી ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે.

માહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી શ્યામજી રાઠીએ જણાવ્યું હતું કે, બ્રાન્ડ બનાવવાની શરૂઆત નાના પાયાથી જ થાય છે અને સોશિયલ મીડિયાના યુગમાં એક્ઝિબિશન એ ડાયરેક્ટ કસ્ટમર કનેક્ટનો શ્રેષ્ઠ માર્ગ છે. રાષ્ટ્રીય યુવા વક્તા ડો. અંકિતા મુલાણીએ પદ્મશ્રી કલ્પના સરોજના સંઘર્ષમય જીવનના પ્રસંગો વર્ણવી મહિલાઓને પગભર બનવા પ્રેરિત કર્યા હતા. ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી દિનેશ નાવડિયાએ ઉમેર્યું હતું કે ચેમ્બર ‘વોકલ ફોર લોકલ’ અને રોજગારી નિર્માણ માટે સતત પ્રયત્નશીલ છે.

એક જ છત નીચે તહેવારલક્ષી વિશાળ શ્રેણી: ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કરતાં શ્રાવણ મેળાનાં ચેરપર્સન શ્રીમતી રૂપલ શાહે જણાવ્યું હતું કે, મેળામાં ફેન્સી રાખડીઓ, રાખી કાર્ડ્સ, ડિઝાઇનર ડ્રેસ મટીરિયલ્સ, ઇમિટેશન જ્વેલરી, હોમ કેર પ્રોડક્ટ્સ, હેન્ડીક્રાફ્ટ, ડેકોરેશન, સાડીઓ, કુર્તી-કોટી અને વાનગીઓ સહિતની વિવિધ સામગ્રીઓ ઉપલબ્ધ કરાઈ છે.

કાર્યક્રમના અંતે લેડિઝ વિંગનાં ચેરપર્સન શ્રીમતી અલ્પાબેન મદ્રાસીએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટરો સતીષભાઈ મૈસુરીયા, અનિલભાઈ સોજીત્રા, સરોજબેન પટેલ, મનિષાબેન આહીર, હિનાબેન વાછાણી, વિધિબેન રાઠોડ, દિપકભાઈ રબારી અને દિનેશભાઈ રાજપુરોહીત સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

July 17, 2025
WhatsApp-Image-2025-07-16-at-15.27.55-1280x853.jpeg
1min153

સુરતઃ મહેસાણાના લોકસભા સાંસદ શ્રી હરીભાઈ પટેલે તાજેતરમાં જ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લઇ ચેમ્બરના ઓફિસ બેરર્સ તેમજ સુરતના ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ સાધી દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્રના વિવિધ પાસાઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી.

આ મુલાકાત દરમિયાન સુરતના ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, કેમિકલ, એન્જિનિયરિંગ, લોજિસ્ટિકસ અને સ્ટાર્ટ–અપ ક્ષેત્રમાં ચાલી રહેલા વિવિધ ડેવલપમેન્ટ, પડકારો તથા નવી તકો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્યોગ સાહસિકોએ વિવિધ નીતિગત મુદ્દાઓ તથા કેન્દ્ર સરકારની યોજનાઓ વિષે પોતાનો અભિપ્રાય અને સૂચનો સાંસદશ્રી સમક્ષ રજૂ કર્યા હતા.

મહેસાણાના સાંસદ શ્રી હરીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગ સાહસિકોમાં કાર્યક્ષમતા અને નવીનતાનો સમન્વય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નાણાંકીય તેમજ ટેકનોલોજીકલ અને પોલિસી સપોર્ટના માધ્યમથી આવા ઉદ્યોગ કેન્દ્રોને વધુ મજબૂતી આપવા સતત પ્રયાસ ચાલી રહયા છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલા, માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ સુરતના ઉદ્યોગ–ધંધાઓના ડેવલપમેન્ટથી તથા તેના માટે છેલ્લા ૮પ વર્ષથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે સાંસદશ્રીને વાકેફ કર્યા હતા અને ચેમ્બર દ્વારા આવનારા સમયમાં આયોજિત વિવિધ કાર્યક્રમો તથા પહેલોમાં તેઓનું માર્ગદર્શન તથા સહયોગ મળતો રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.