CIA ALERT
28. March 2024

Related Articles



રાજ્ય સરકારે બિલ્ડરોને ઓક્સીજન આપ્યો નવી જંત્રીનો અમલ 63 દિવસ મૌકૂફ 15મી એપ્રિલ પહેલા જે કરવું હોય તે કરી લો

Share On :
Print Friendly, PDF & Email

ગયા શનિવાર તા.4 ફેબ્રુઆરીએ સાંજે રાજ્ય સરકારે એકાએક પરિપત્ર જાહેર કરીને તા.5મી ફેબ્રુઆરી 2023થી અમલમાં આવે એ રીતે જંત્રીના ભાવ આખા રાજ્યમાં બમણા કરી દેવાની જાહેરાત કરી હતી. બરાબર એક અઠવાડીયા પછી આજે શનિવાર, તા.11 ફેબ્રુઆરીએ સવારે એવા સમાચાર વાઇરલ થયા છે કે રાજ્ય સરકારે હવે જંત્રી બમણી કરવાના નિર્ણયનો અમલ હાલ તુરત (63 દિવસ માટે) મૌકૂફ રાખવાનો નિર્ણય જાહેર કરતા સાથે જણાવ્યું છે કે તા.15મી એપ્રિલ 2023થી અમલમાં આવે એ રીતે નવી જંત્રીનો અમલ શરૂ કરવામાં આવશે.

જાણકારો કહે છે કે ક્રેડાઇ ગુજરાત તથા બિલ્ડરોની અનેક સંસ્થા, સંગઠનોએ રાજ્ય સરકાર પર દબાણ કરતા સરકારે નવી જંત્રીના અમલમાં 63 દિવસની રાહત આપી છે. બિલ્ડરો માટે આ ઓક્સિજન સમાન છે. હવે આગામી 62 દિવસમાં બિલ્ડરોએ જે ખેલ કરવા હોય તે કરી લેવા પડશે.

આજે તા.11મી ફેબ્રુઆરીએ સવારથી રાજ્ય સરકારનો આ મેસેજ સોશ્યલ મિડીયામાં ખાસ્સો વાઇરલ થયો છે

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :