કતારગામ ગોપાલલાલજી મહારાજની હવેલીમાં જમુનેશ મહાપ્રભુજીનો 349મો જન્મોત્સવ ઉજવાયો
’જય શ્રી ગોપાલલાલ મહારાજશ્રીની સુરત સૃષ્ટિ ટ્રસ્ટ-સુરત’ નિર્મિત પ્રભુશ્રી ગોપાલલાલજી ની હવેલીના પાટોત્સવના ૨૫ વર્ષ પૂરા થતાં ટ્રસ્ટ આયોજીત પાટોત્સવ મિતિ રજત મહોત્સવ વર્ષ ૨૦૧૯ – ૨૦૨૦ ના ભાગરૂપે આજ રોજ સવંત ૨૦૭૫, જેઠ વદ દશમ તારીખઃ- ૨૮/૦૬/૨૦૧૯ શુક્રવારના રોજ શ્રી જમુનેશ મહાપ્રભુજીનો ૩૪૯માં જન્મદિન રૂપી ઓચ્છવમાં સુરત સૃષ્ટિના વૈષ્ણવોએ સુંદર સત્સંગ સાથે કુંજવારા (છપ્પનભોગ) તેમજ રાત્રે ઢાઢીલીલા નું સુંદર આયોજન કરવામા આવ્યું હતું. જેમાં હજારો વૈષ્ણવોએ જન્મોત્સવ નો લાભ લઈ આનંદ અને ખુશી વ્યકત કરી હતી.
પ્રભુશ્રી ગોપાલલાલજી ની હવેલી – કતારગામ, સુરત ટ્રસ્ટના પ્રમુખશ્રી નાગજીભાઈ જે. પટેલ તથા મંત્રીશ્રી જસમતભાઈ એન. વિડિયા તથા સુરત સૃષ્ટિ ટ્રસ્ટ-સુરતના સેવાકાર્યમાં જોડાયેલ વૈષ્ણવો ભીખાભાઈ ઈટાલિયા, વશરામભાઈ શેટા, પ્રવિણભાઈ કાકડિયા, હિંમતભાઈ સવાણી, ભરતભાઈ ઈટાલિયા (ઢાઢીશ્રી), ભીમજીભાઈ મીયાણી, બટુકભાઈ જીવાણી, લક્ષ્મણભાઈ મોરડિયા, હિંમતભાઈ બેલડિયા સુરત સૃષ્ટિના વૈષ્ણવોએ કરેલ સુંદર આયોજન સાથે સેવાકાર્યની સુરત સૃષ્ટિના વૈષ્ણવો થકી પણ ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી, તેમજ સુરત સૃષ્ટિ ટ્રસ્ટે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં અથાગ પરિશ્રમ કરનાર સ્વયં સેવકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now