25/9/22: આજે બપોરે 2 વાગ્યે ધોની ફેસબુક પર લાઇવ, શું જાહેરાત કરશે તેની ચર્ચા નવરાત્રી જેટલી જ થઇ રહી છે
મહેન્દ્ર સિંહ ધોની એક ખૂબ જ અંગત જીવન જીવવાનું પસંદ કરે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તે રાંચીમાં એક સાદગીભર્યું જીવન વિતાવી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયાથી પણ દૂર રહે છે અને ભાગ્યે જ કશુંક પોસ્ટ કરે છે. તે લાઈમલાઈટથી પણ દૂર રહે છે અને કોઈ ચાહક તેમનો ફોટો ક્લિક કરવામાં સફળ રહે ત્યારે જ ક્યાંક જોવા મળે છે.
જોકે ધોની હવે સોશિયલ મીડિયામાં એક ધમાકો કરવાની તૈયારીમાં છે. આજે તેઓ FACEBOOK સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ આવશે અને તેમણે પોતે જ એક ફેસબુક પોસ્ટ દ્વારા આ અંગેની જાણ કરી છે. ધોનીએ પોતે રવિવારે બપોરે 2:00 કલાકે ચાહકો સાથે એક ‘રોમાંચક સમાચાર’ શેર કરશે તેમ જણાવ્યું છે.
ધોની ફેસબુક લાઈવ આવીને કઈ જાહેરાત કરશે તે હજુ રહસ્ય જ છે. ધોનીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસને પણ 2 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે. જોકે તે હજુ પણ આઈપીએલ (IPL) રમે છે અને એવું માનવામાં આવે છે કે, આગામી આઈપીએલ ધોનીની અંતિમ આઈપીએલ હોઈ શકે છે.
આ સંજોગોમાં ક્રિકેટના અને ખાસ કરીને ધોનીના ચાહકો તે ક્રિકેટ સંન્યાસ સાથે સંકળાયેલી કોઈ જાહેરાત તો નહીં કરેને તેવી અટકળો કરી રહ્યા છે. ધોનીએ પોતે આઈપીએલમાં પોતાના હોમ ગ્રાઉન્ડ એટલે કે, ચેન્નાઈ સુપરકિંગ્સના હોમ ગ્રાઉન્ડ પર અંતિમ મેચ રમવા ઈચ્છે છે તે જણાવી દીધેલું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now