CIA ALERT
17. May 2024

Related Articles



યુપી, પંજાબ સહિત 5 રાજ્યોમાં 7 તબક્કામાં ચૂંટણી મતદાન, 10 માર્ચે પરિણામ

Share On :
Print Friendly, PDF & Email

યુપીમાં તમામ સાત, પંજાબ, ઉત્તરાખંડ, ગોવામાં એક જ્યારે મણીપુરમાં બે તબક્કામાં થશે મતદાન

2022માં પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કરી દેવાયો છે. તમામ પાંચ રાજ્યની ચૂંટણી સાત તબક્કામાં પૂર્ણ થશે. પહેલા તબક્કામાં યુપીમાં 10 ફેબ્રુઆરીએ વોટિંગ શરુ થશે. બીજા તબક્કામાં યુપીની સાથે પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં પણ ચૂંટણી યોજાશે. આ ત્રણેય રાજ્યોમાં તમામ બેઠકો પર એક જ તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ જશે. જ્યારે યુપીમાં તમામ સાત તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મણીપુરમાં બે તબક્કામાં વોટિંગ થશે. 07 માર્ચના રોજ અંતિમ તબક્કાનું મતદાન થશે, જ્યારે 10 માર્ચે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ યુપી સહિતના રાજ્યોનો કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 15 જાન્યુઆરી સુધી રોડશો, પદયાત્રા, કોઈપણ પ્રકારની રેલી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારબાદ કમિશન સ્થિતિની સમીક્ષા કરીને આ નિયંત્રણોને લંબાવવા કે કેમ તેની સમીક્ષા કરશે. આ ઉપરાંત, રાતના 8થી સવારના 8 વાગ્યા સુધી પણ પ્રચાર નહીં કરી શકાય. પંચે નુક્કડ સભા પર પણ હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે.

પાંચ રાજ્યોની ચૂંટણીમાં આ વખતે 24.9 લાખ મતદાતા પહેલીવાર વોટિંગ કરશે. કુલ 18 કરોડ મતદારોમાં 8.5 કરોડ મહિલાનો સમાવેશ થાય છે. CEC સુશીલ ચંદ્રાના જણાવ્યા અનુસાર, યુપીની 403, પંજાબની 117, ઉત્તરાખંડની 70 જ્યારે મણીપુર અને ગોવાની 40-40 બેઠકો પર મતદાન યોજાશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, કોરોનાના સતત વધતા કેસ વચ્ચે પંચ દ્વારા હોમ સેક્રેટરી તેમજ હેલ્થ સેક્રેટરી ઉપરાંત હેલ્થ એક્સપર્ટ્સ સાથે સલાહ-મસલત કરવામાં આવી હતી. સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ તમામ તકેદારી સાથે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો હોવાની માહિતી તેમણે આપી હતી. આ ઉપરાંત, 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદાતા પોસ્ટલ બેલટથી મતદાન કરી શકશે. દરેક બુથ પર સેનિટાઈઝર અને માસ્કની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાંથી પંજાબ સિવાયના તમામ ચાર રાજ્યોમાં ભાજપ હાલ સત્તા પર છે. જેમાં યુપીની ચૂંટણી ખૂબ જ મહત્વની મનાઈ રહી છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ આ પાંચેય રાજ્યોમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. હાલ તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે મચી પડ્યા છે. ખાસ કરીને યુપીમાં ઉપરાછાપરી નેતાઓની વિશાળ રેલીઓ થઈ રહી છે. પીએમ મોદી પણ યુપીમાં અત્યારસુધી અનેક રેલી કરી ચૂક્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :