CIA ALERT
25. April 2024
December 23, 20221min301

Related Articles



‘દીકરી જગત જનની’ ના 5000 થી વધુ લાડકડીઓના હાથોમાં મહેંદી મુકાઇ : પાલક પિતાએ પણ દીકરીના હાથોમાં મહેંદી મૂકી

Share On :
Print Friendly, PDF & Email

મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે… , મહેંદી લીલીને રંગ રાતો.., મારી મહેંદીનો રંગ ઊડી જાય રે…. મહેંદી તો રંગ લાતી હૈ… મહેંદી લગા કે રખના… જેવા મહેંદી ના હિન્દી ગુજરાતી ગીતોથી ગુરુવારે સવારથી અબ્રામાગામ ગુંજી રહ્યું હતું: પ્રસંગ હતો, પીપી સવાણી ગ્રુપ આયોજિત લગ્નોત્સવની મહેંદી રસમનો.

આગામી તા – 24 અને 25 ડિસેમ્બરે પીપી સવાણી ગ્રુપ અને જાનવી ગ્રુપ આયોજિત દીકરી જગત જનની લગ્નોત્સવ અંતર્ગત તા- 22મી ડીસેમ્બર ગુરૂવારે મહેંદી રસમનો કાર્યક્રમ યોજાયો હતો. સવારે 9 કલાકે પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો.

આ પ્રસંગે મહેશભાઈની દીકરી(પુત્રવધુ) આયુષી મોહિત સવાણી એ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આમંત્રિત મહેમાનો, દીકરીઓના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ; સર્વ મહેમાનોનું પુસ્તક, બૂકે અને સ્મૃતિભેટ આપી સ્વાગત કર્યું હતું. દિવસ દરમિયાન લગભગ 5000 થી વધુ બહેનોના હાથમાં વિવિધ પ્રકારની ડિઝાઇનની મહેંદી મૂકાતા અબ્રામાં ગામ આખું મહેંદીની સુગંધથી પણ મઘમઘી ઉઠ્યું હતું. આ લગ્નોત્સવમાં લગ્ન કરનાર 300 દીકરીના પાલક પિતા મહેશ સવાણીએ પણ દીકરીઓના હાથમાં ભારે હેતથી મહેંદી મૂકી હતી.

મહેશભાઈ સવાણી એ પ્રભુતામાં પગલાં પાડનારી 300 દીકરી અને અન્ય બહેનો-દીકરીઓને પિતાની હુંફ સાથે જણાવ્યું હતું કે જેણે ભગવાનને પણ જન્મ આપ્યો એ દીકરી છે એટલે જ આ અવસરનું નામ “દીકરી જગત જનની” રાખવામાં આવ્યુ છે. દીકરીઓને આદર્શ જીવનનું ભાથુ બાંધી આપતા મહેશભાઈએ કહ્યુ કે, દીકરી સાસરિયાને સ્વર્ગ બનાવે અને ઘરના તમામ સભ્યોને સ્વીકારે એ જરૂરી છે. સાથે દીકરીએ સહનશક્તિ કેળવવી જરૂરી છે. સાસુ -સસરા, નણંદ, દેરાણી -જેઠાણીની ફરિયાદ ઘરે કરવી નહિ, દીકરી સાસરેથી પાછી આવે ત્યારે પરિવારને ઘણું સાંભળવું પડે છે તેથી પરિવારનો વિચાર કરીને સાસરિયામાં સેટ થઇ જવું ઉત્તમ છે. સાસરિયામાં દૂધમાં સાકર ભળે એમ ભળી જજો. શરૂઆતમાં સમય આપશો એટલે સફર આસાન થઈ જશે. કોઈ ફરિયાદ હોય તો બેસીને શાંતિથી વાત કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો તો ચોક્કસ સારૂ પરિણામ મળશે.

મહેમાનોની વિશેષ ઉપસ્થિતિ: શાલીની અગ્રવાલ(IAS) (મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સુરત), બી.આર.પટેલ(IPS)(DCP,સુરત), દિવ્યાબેન શિરોયા (GST ઈન્સ્પેક્ટરશ્રી), ડો.સંધ્યાબેન છાસટીયા(ગાયનેકોલોજિસ્ટ), ડૉ.દક્ષાબેન ભાદિયાદરા (ઓપ્થાલમોલોજીસ્ટ), ડૉ.શીતલબેન સુહાગિયા(RMO), આદર્શગૃહિણીઓ : દિપ્તીબેન પંડ્યા, ભાવિકાબેન જોયસર, અસ્મિતાબેન રાબડીયા, હિરલબેન કાછડીયા, આશાબેન કોશિયા, ઉર્વશી બેન ધોરાજીયા, દિવ્યાબેન રૈયાણી, જલ્પાબેન રંઘોલિયા, ધિરલ બેન રાસડિયા વગેરે બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતુ.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :