CIA ALERT

યંગિસ્તાન Archives - Page 3 of 36 - CIA Live

July 16, 2024
virat-kohli.jpg
1min161

૨૬ જુલાઈથી શરૂ થનાર પૅરિસ ઑલિમ્પિક્સ માટે વિરાટ કોહલીએ લગભગ એક મિનિટનો વિડિયો શૅર કરીને ભારતીય ખેલાડીઓને મોટિવેટ કર્યા છે. તેણે ભારતના રમતપ્રેમીઓને ૧૧૮ સભ્યોની ભારતીય ઑલિમ્પિક્સ ટીમને સમર્થન આપવાની હાકલ કરી છે, કારણ કે તેઓ ટોક્યો ઑલિમ્પિક્સના તેમના શ્રેષ્ઠ પ્રદર્શન (સાત મેડલ) કરતાં વધુ સારું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.

કિંગ કોહલીએ કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે દુનિયા ભારતને સાપ અને હાથીઓના દેશ તરીકે જાણતી હતી, પરંતુ હવે એવું નથી. હવે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ડેટા ટેક્નૉલૉજીનું કેન્દ્ર છીએ. અમે ક્રિકેટ અને બૉલીવુડ, સ્ટાર્ટઅપ યુનિકૉર્ન અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા માટે જાણીતા છીએ. હવે આ મહાન દેશ માટે આગળ શું થશે? મહત્તમ ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ. આપણાં ભાઈ-બહેનો મેડલ જીતવા પૅરિસ જઈ રહ્યાં છે. જ્યારે તેઓ ટ્રૅક ઍન્ડ ફીલ્ડ, કોર્ટ અથવા રિંગમાં ઊતરશે ત્યારે એક અબજથી વધુ ભારતીયો તેમને ઉત્સાહથી જોતા હશે. મારી સાથે તમે પણ એવા લોકોના ચહેરા યાદ કરજો જેઓ ગર્વથી તિરંગો ધ્વજ લહેરાવવાના દૃઢ નિશ્ચય સાથે પોડિયમની નજીક જશે. જય હિન્દ અને ભારતીય ટીમને શુભેચ્છાઓ.’

July 11, 2024
agniveer.jpg
1min179
xr:d:DAFsWZ_LRuQ:351,j:9068404731352087894,t:23102306

અગ્નિવીર સ્કીમને લઈ કેન્દ્ર સરકારે આજે સૌથી મોટી જાહેરાત કરી છે. આ યોજના અંગે વિપક્ષ દ્વારા તેને રદ કરવાની માગણી પણ કરી હતી, ત્યારે આજે કેન્દ્ર સરકારે સીઆઈએસએફ (CISF)ની ભરતીમાં 10 ટકા અનામત રાખવાનો નિર્ણય લીધો છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)માં 10 ટકા અનામત પૂર્વ અગ્નિવીર માટે રાખવામાં આવી છે. એની સાથે અગ્નિવીરોની શારીરિક પરીક્ષામાં પણ છૂટ આપવામાં આવી છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)ના વડા નીના સિંહે કહ્યું છે કે એના અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો આ યોજનાને ખતમ કરવામાં આવશે.

ગૃહ મંત્રાલય વતી આજે જણાવવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સીઆઈએસએફમાં નોકરી મળશે તેમ જ અગ્નિવીરો માટે દસ ટકા અનામત રાખવામાં આવશે. ફિઝિકલ ટેસ્ટમાં પૂર્વ અગ્નિવીરોને છૂટ મળશે, જ્યારે સીઆઈએસએફમાં દસ ટકા રિઝર્વેશન રહેશે.

14 જૂન, 2022માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. અગ્નિપથ યોજનામાં 17થી 21 વર્ષના યુવાનોને ફક્ત ચાર વર્ષ માટે ભરતી કરવાની જોગવાઈ છે, જેમાં 25 ટકા અગ્નિવીરોને આગામી પંદર વર્ષ સુધી રાખવાની જોગવાઈ છે. જોકે, એમાં સુધારો કરીને સરકારે ઉંમર મર્યાદા વધારીને 23 વર્ષ કર્યા હતા. યોજના અન્વયે પૂર્વ અગ્નિવીરોની પહેલી બેચ માટે અપર એજ લિમિટમાં પાંચ વર્ષની છૂટ આપી હતી અને પછી બાકીની બેચ માટે ત્રણ વર્ષની છૂટ આપી છે.
અગ્નિવીર યોજના અન્વયે ચાર વર્ષના કોન્ટ્રકાટ પર યુવાનોને આર્મીમાં ભરતી કરવામાં આવે છે. ભરતી કર્યા પછી યુવાનોને સેલેરી પણ નિશ્ચિત હોય છે. ચાર વર્ષના સમયગાળા માટે સૈનિક તરીકે નિયમિત નોકરી રહે છે.

July 10, 2024
neet-24.png
1min195

નીટ પરીક્ષા-2024માં પેપર લીક મુદ્દે આવતીકાલે (11 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. જોકે તે પહેલા કેન્દ્ર સરકારે આજે (10 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. કેન્દ્રએ તેમાં કહ્યું છે કે, NEET પરીક્ષા ફરી યોજવાની જરૂર નથી, તેમાં મોટા પાયે ચોરી થઈ નથી. ભારત સરકાર નીટ પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવા માટે બંધાયેલું છે.

સરકાર સમાધાન શોધવાના તમામ પ્રયાસો કરી રહી છે સરકાર

સોગંદનામામાં કહેવાયું છે કે, સરકાર સમાધાન શોધવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત સરકાર દોષી ઉમેદવારોને કોઈપણ લાભ ન મળે, તે પણ સુનિશ્ચિત કરી રહી છે. સરકાર પ્રયાસ કરી રહી છે કે, માત્ર આશંકાઓના કારણે 23 લાખ વિદ્યાર્થીઓ પર નવી પરીક્ષાનો બોજ નાખવામાં ન આવે.

તેમાં એમ પણ કહ્યું છે કે, સરકાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ નિષ્પક્ષ અને પારદર્શી રીતે યોજાય, તે માટે એક મજબૂત પરીક્ષા પ્રક્રિયા બનાવવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર પરીક્ષાઓની અખંડિતતા સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે તેમજ પેપર લીક અટકાવવા માટે કડક કાયદો બનાવાયો છે. આ માટે સંસદમાં પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024 કાયદો ઘડવામાં આવ્યો છે.

સીબીઆઈએ વધુ બે લોકોની ધરપકડ કરી

દરમિયાન કેન્દ્રી તપાસ એજન્સી સીબીઆઈએ NEET UG પેપર લીક અને ગેરરીતિના કેસમાં બિહારથી વધુ બે લોકોની ધરપકડ કરી છે. એજન્સીએ નીટ ઉમેદવાર સની કુમાર અને એક અન્ય નીટ ઉમેદવારના પિતાને પટનાથી ઝડપી લીધા છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે, રંજીતે પરીક્ષા માટે પોતાના પુત્રનું સેટિંગ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નીટ પરીક્ષા પેપર લીકની તપાસ કરી રહેલી સીબીઆઈએ અત્યાર સુધીમાં પટણા, ગોધરા અને હજારીબાગમાંથી ઘણા આરોપીઓની ધરપકડ કરી અને પેપર લીકનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.

ગત મંગળવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં નીટ પેપર લીક કેસની સુનાવણી દરમિયાન CBI તપાસના રિપોર્ટનો ઉલ્લેખ કરાયો હતો. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, સીબીઆઈએ આગામી સુનાવણીમાં તપાસ રિપોર્ટ કોર્ટમાં સબિદ કરવાનો રહેશે. આવી સ્થિતિમાં સીબીઆઈએ અત્યાર સુધીની ધરપકડોમાંથી એકત્ર કરાયેલા તમામ પુરાવાઓ વિશે કોર્ટને જાણ કરવી પડશે.

July 8, 2024
sarvajanik.jpeg
2min278

ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ હેઠળ સ્થપાયેલી પ્રતિષ્ઠિત સંસ્થા, સાર્વજનિક યુનિવર્સિટી અને L&Tના પેટા કંપની, L&T એજ્યુટેક વચ્ચે શૈક્ષણિક સહયોગ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં L&T ની આ પ્રકારની પ્રથમ ભાગીદારી છે, જેનો ઉદ્દેશ્ય ઉદ્યોગ અને એકેડેમિક સંસ્થા વચ્ચેના અંતરને દૂર કરવા, ખાસ કરીને એન્જિનિયરિંગ અને IT વિદ્યાર્થીઓની રોજગાર ક્ષમતામાં વધારો કરવાનો છે.

સાર્વજનિક યુનિવર્સિટી વિશે

૧૧૨ વર્ષ જૂની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપિત સાર્વજનિક યુનિવર્સિટી કિફાયતી ફીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સમર્પિત છે. એન્જિનિયરિંગ, સાયન્સ, કોમર્સ, મેનેજમેન્ટ, આર્ટસ, હ્યુમેનિટીઝ, આર્કિટેક્ચર, ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી અને કાયદાનો સમાવેશ કરતી 8 ફેકલ્ટીઓ સાથે, યુનિવર્સિટી અંડરગ્રેજ્યુએટથી લઈને ડોક્ટરલ સ્તર સુધીના 65 થી વધુ પ્રોગ્રામ્સ ઑફર કરે છે. 600 થી વધુ અનુભવી શિક્ષકોની અને લગભગ 7500થી વધુ વિદ્યાર્થીઓના ગૌરવ સાથે, સાર્વજનિક યુનિવર્સિટી શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સર્વગ્રાહી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

એલ એન્ડ ટી એજ્યુટેક વિશે

L&T Edutech એ 85 વર્ષથી કાર્યરત ભારતની અતિ-પ્રતિસ્થિત અને વૈશ્વિક નામના ધરાવતી L&Tનું એક ગતિશીલ નવું સાહસ છે, જે એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની રોજગાર ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના ઉદ્યોગની આગેવાની હેઠળના, એપ્લિકેશન-ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સ દ્વારા, L&T એજ્યુટેકનો ઉદ્દેશ્ય વિધ્યાર્થીઓને તેમની કારકિર્દીમાં શ્રેષ્ઠ બનવા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવાનો છે. L&T કૉલેજ કનેક્ટ પ્રોગ્રામ આ સાહસ હેઠળ એક મુખ્ય પહેલ છે, જે શૈક્ષણિક જ્ઞાનને વ્યવહારિક ઉદ્યોગની કુશળતા સાથે સાંકળવા માટે રચાયેલ છે.

સહયોગ

સાર્વજનિક યુનિવર્સિટી અને L&T Edutech વચ્ચેનો શૈક્ષણિક કરાર કોર એન્જિનિયરિંગ અને ITT ડોમેન્સ માટે ખાસ તૈયાર કરાયેલા સંકલિત અને સાંપ્રત સમયના ઉધોરોને જરૂરી એવા કોખ રજૂ કરશે. જેમાં મુખ્યત્વે મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, સિવિલ, કોમ્પ્યુટર તથા આઇટી ઈજનેરીના વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરવામાં આવશે. આ કાર્યક્રમો, જેમાં 30 ક્રેડિટનો સમાવેશ થાય છે જે સમગ્ર 4 વર્ષ (8 સેમિસ્ટર) દરમિયાન વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવશે. તદુઉપરાંત આર્કિટેક્ચર અને સિવિલના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ ઇન્ટિગ્રેટેડ મોડલિંગ (BIM) જેવા કોર્ષ તથા કોમર્સ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે પણ વિવિધ શોર્ટ ટર્મ (૨ થી ૩ ક્રેડિટ ) કોર્ષ તૈયાર કરવામાં આવ્યા છે, જે L&T એજ્યુટેકની અનુભવી ફેકલ્ટી દ્વારા હાઇબ્રિડ મોડમાં હાથ ધરવામાં આવશે, જ્યાં જરૂરીયાત મુજબ પ્રેક્ટિકલ સત્રોનો સમાવેશ કરવામાં આવશે. આ અભ્યાસક્રમ પૂર્ણ થવા પર, વિદ્યાર્થીઓને તેમની મુખ્ય ગ્રેજ્યુએશન ડિગ્રી સાથે L&T Edutech તરફથી પ્રમાણપત્ર અને સાર્વજનિક યુનિવર્સિટીમાંથી પણ ઇન્ટિગ્રેટેડ અથવા માઇનર ડિગ્રી પ્રાપ્ત થશે.

વિદ્યાર્થીઓ માટે લાભ

આ અનન્ય શૈક્ષણિક કરાર સાર્વજનિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કાર્યક્રમો પૂરા થયા પછી પ્રતિષ્ઠિત ઉદ્યોગો સાથે કામ કરવાની અમૂલ્ય તકો પ્રદાન કરશે. વધુમાં, વિદ્યાર્થીઓ તેમની વ્યાવસાયિક કારકિર્દીમાં સરળતાથી સંક્રમણ કરે તે સુનિશ્ચિત કરવા માટે L&T Edutech પ્લેસમેન્ટ સહાય પ્રદાન કરશે.

એમઓયુ પર હસ્તાક્ષર

સમજૂતી કરાર પર 8 જુલાઇ 2024ના રોજ એલ એન્ડ ટી એજ્યુટેકના કોલેજ કનેક્ટના વડા સુશ્રી ફેબેન મેડમ અને સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી ભરત શાહે હસ્તાક્ષર કર્યા હતા. આ કાર્યક્રમમાં L&T Edutech ના મુખ્ય વડા શ્રી રંગનાથન, શ્રી અતિકભાઈ દેસાઇ તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના કમિટી સભ્યો દ્વારા આ પહેલને સમયોચિત અને વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભ દાયક નિવડશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી, જે ઉદ્યોગ- શૈક્ષણિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.

ભવિષ્ય

અત્રે એ ઉલલેખનીય છેઃ કે હમણાં આ કરાર દ્વારા ઇન્ટિગ્રેટેડ કોર્ષ ઈજનેરીની વિવિધ શાખા ઉપરાંત આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવશે અને ભવિષયમાં ક્રમશ: અન્ય બીજી ફેકલ્ટી જેમ કે સાયન્સ, કોમર્સ તથા મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવશે. જેથી આ ભાગીદારીનો લાભ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને મળી રહેશે એવું યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પરસી એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું હતું. યુનિવર્સિટી એડ્મિનિસ્ટ્રેટિવ કમિટીના અધ્યક્ષ શ્રી રાજેશ દેસાઇ દ્વારા આ કરાર સમાજ અને તેના ભવિષ્ય ના ધડતર માટે કેટલો જરૂરી છે એ બાબત પર વિશેષ જાણકારી આપવામાં આવી હતી.

July 6, 2024
india-vs-zim-2024.png
2min183

ટી 20 વર્લ્ડકપ જીત્યા બાદની પહેલી ટી 20 મેચમાં ભારતનો પરાજય થયો છે. ભારત સામેની મેચમાં ઝિમ્બાબ્વે 13 રને વિજયી રહ્યું. ભારતના બેટર્સે 6/7/2024ની મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે જ હવે ઝિમ્બાબ્વે સીરિઝમાં 1-0થી આગળ છે. 

ઝિમ્બાબ્વેના હરારેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ ટી20 મેચની સીરિઝ યોજાઇ રહી છે જેમાં આજે પહેલી મેચ રમાઈ હતી. આજની મેચમાં ટોસ હાર્યા બાદ ઝિમ્બાબ્વેએ નવ વિકેટ ગુમાવીને 115 રન ફટકાર્યા હતા. ઝિમ્બાબ્વે ટીમમાં ક્લાઇવ મડાંડેએ ટીમમાં સૌથી વધુ 29 રન ફટકાર્યા, તે સિવાય કોઈ ખેલાડી કશું કમાલ કરી શક્યા નહોતા. 

ભારતના રવિ બિશનોઈ સૌથી સફળ બોલર સાબિત થયો. રવિએ ચાર ઓવરમાં 13 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી. વોશિંગ્ટન સુંદરે બે જ્યારે આવેશ ખાન તથા મુકેશ કુમારે એક એક વિકેટ લીધી હતી.  

ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન 

ઝિમ્બાબ્વેની બેટિંગ જોયા બાદ ફેન્સને આશા હતી કે ભારતીય ટીમ સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. પરંતુ થયું તદ્દન ઊંધું જ. શરૂઆતથી જ ભારતને એક બાદ એક ઝટકા લાગ્યા. ડેબ્યૂ મેચમાં અભિષેક શર્મા ખાતું ખોલ્યા વગર જ ઝીરો રનમાં પવેલિયનભેગો થઈ ગયો હતો. જે બાદ 15 રનના સ્કોર પર જ ભારતને બીજો ઝટકો લાગ્યો, માત્ર સાત રન બનાવીને ઋતુરાજ ગાયકવાડ પણ આઉટ થયો. 

ખેલાડીનું નામરનબોલ
અભિષેક શર્મા04
શુભમન ગિલ3129
ઋતુરાજ ગાયકવાડ79
રિયાન પરાગ23
રીન્કુ સિંહ02
ધ્રુવ જૂરેલ714
વૉશિંગ્ટન સુંદર2734
રવિ બિશ્નોઈ98
આવેશ ખાન1612
મુકેશ કુમાર03
ખલીલ એહમદ01

રિયાન અને રીન્કુ પણ કશું ખાસ કરી ન શક્યા 

ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલ રિયાન પરાગ પણ પોતાની ડેબ્યૂ મેચમાં ખાસ દેખાવ કરી શક્યો નહીં અને બે રન બનાવીને આઉટ થયો. પાંચમા ક્રમાંક પર રીન્કુ સિંહ અને તેણે પણ લોકોની આશા પર પાણી ફેરવ્યું. રીન્કુ પણ ખાતું ખોલ્યા વગર જ પવેલીયનભેગો થયો હતો. 

શુભમન ગિલે 31 રન બનાવ્યા 

જ્યાં એક તરફ શુભમન ગિલ બાજી સંભાળી રહ્યો હતો ત્યાં બીજી તરફ એક બાદ એક વિકેટ પડી રહી હતી. ધ્રુવ જૂરેલ પણ માત્ર છ રન બનાવીને આઉટ થયો. છ વિકેટ બાદ પણ ફેન્સને આશા હતી કે શુભમન ગિલ મેચ જીતાડી શકે છે પણ બાદમાં ગિલ પણ 31 રન બનાવીને આઉટ થયો. શુભમને 29 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 31 રન ફટકાર્યા હતા. 

શુભમન ગિલ બાદ વૉશિંગ્ટન સુંદર છેક સુધી મેદાન પર હતો. નવ વિકેટ ગુમાવ્યા બાદ પણ સુંદરની બેટિંગના કારણે મેચમાં જીતની એક આશા જીવંત હતી. જોકે અંતમાં વિજય ઝિમ્બાબ્વેનો જ થયો. મેચમાં નવા ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શન બાદ ક્રિકેટ એક્સપર્ટ્સનો પણ મત છે કે ટીમમાં સિનિયર ખેલાડીઓની કમી વર્તાઇ છે. 

January 17, 2024
auro.png
1min736

શહેરના ઇચ્છાપોર ખાતે આવેલી ઑરો યુનિવર્સિટીનો 11મો દિક્ષાંત (વાર્ષિક પદવીદાન) સમારોહ આવતીકાલ તા.18મી જાન્યુઆરીને ગુરુવારે યોજવામાં આવશે. દિક્ષાંત સમારોહમાં પોંડીચેરીના પૂર્વ ગર્વનર અને રિટાર્યડ મહિલા આઇ.પી.એસ. કિરણ બેદી ખાસ ઉપસ્થિત રહીને દિક્ષાંત પ્રવચન આપશે.વધુ માહિતી આપતા ઑરો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એચ.પી. રામા અને પ્રોવૉસ્ટ ડો.પરીમલ વ્યાસે જણાવ્યું હતું કે 11માં પદવીદાન સમારોહમાં કુલ 271 વિદ્યાર્થીઓને અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની જુદી જુદી પદવીઓ એનાયત કરવામાં આવશે. જેમાં સ્કુલ ઓફ બિઝનેસમાંથી કુલ 116 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ હોસ્પિટાલિટીમાંથી 46 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાંથી 36 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ લોમાંથી 32 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ લિબરલ આર્ટસ એન્ડ હ્યુમન સાયન્સમાંથી 24 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ ડિઝાઇનમાંથી 21 વિદ્યાર્થીઓ અને સ્કુલ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનમાંથી 14 વિદ્યાર્થીઓએ તેમની તમામ પરીક્ષાઓ સફળતાપૂર્વક સંપન્ન કરતા તેમને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.આ ઉપરાંત ઑરો યુનિવર્સિટીએ અમેરીકાની કેનસાસ યુનિવર્સિટી અને સેન ડિયેગો યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ. સાઇન કર્યા છે. જે અંતર્ગત ફેકલ્ટી એક્ષચેન્જ, એજ્યુકેશનલ ઇવેન્ટ, ટ્રેનિગ, રિસર્ચ વગેરે મુદ્દા પર ટૂંકાગાળા અને લાંબાગાળાના કાર્યક્રમો યોજવામાં આવશે.

December 7, 2023
cia_edu-1280x925.jpg
1min741

જો તમારું સંતાન આગામી માર્ચ 2024માં ધો.10 (એસ.એસ.સી.)ની પરીક્ષા કોઇપણ બોર્ડમાંથી આપવાનું હોય અને આગળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાનું આયોજન હોય તો સુરત શહેર જ નહીં સમગ્ર ગુજરાતની બેસ્ટ સ્કુલ્સની યાદીમાં અગ્રેસર ભૂલકા વિહાર સ્કુલની ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરવાની સિસ્ટમ સમજવા જેવી છે.

અત્યાર સુધી શહેરને અનેક તબીબો, એન્જિનિયર્સ, સી.એ., આર્કિટેક્ટ્સ આપી ચૂકેલી ભૂલકા વિહાર સ્કુલમાં મર્યાદિત વિદ્યાર્થીઓને ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપીને તેમને બોર્ડ સિલેબસ ઉપરાંત જુદી જુદી પ્રવેશ પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે.

ભૂલકા વિહાર સ્કુલના આચાર્યા મીતાબેન વકીલ કહે છે કે ભૂલકા વિહાર સ્કુલમાં ધો.11-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જેઇઇ મેઇન્સ, જેઇઇ એડવાન્સ્ડ, નીટ યુજી, ગુજકેટ જેવી પ્રવેશ પરીક્ષાની તૈયારીઓ સાથે જ બોર્ડના સિલેબસ પર પણ પૂરતું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે.

2024ના ધો.11 વિજ્ઞાન પ્રવાહના બેચ માટે ખાસ પેરેન્ટ મિટીંગ

મીતાબેન વકીલે કહ્યું કે આગામી વર્ષે ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાની ઇચ્છા કે આયોજન ધરાવતા વિદ્યાર્થીઓના વાલીઓ પછી એ વિદ્યાર્થી ભલે કોઇપણ બોર્ડમાં અભ્યાસ કરતો હોય તેમને

  • ધો.11-12 વિજ્ઞાન પ્રવાહ ભૂલકા વિહાર સ્કુલમાં કેવી રીતે ભણાવવામાં આવે છે?,
  • કયા શિક્ષકો કયો વિષય ભણાવશે, રિવિઝન કેવી રીતે થશે?,
  • ડાઉટ ક્લાસ શું હોય છે?,
  • વિદ્યાર્થીઓએ શું ભોગ આપવો પડશે?,
  • વાલીઓએ કેવી તૈયારી કરવી પડશે?,
  • ભૂલકા વિહાર સ્કુલ તરફથી કેવા પ્રકારનું એક્સ્ટ્રા નોલેજ અપાશે?,
  • ધો.11-12 વિજ્ઞાન પ્રવાહ સફળતાપૂર્વક પાસ થયા પછી કયા અભ્યાસક્રમોમાં કેવી રીતે પ્રવેશ મેળવવો?,
  • ફોરેન જવાનું પ્લાનિંગ કેવી રીતે કરવું?
  • વગેરેની માહિતી વિદ્યાર્થીઓના માબાપ, વાલીઓને મળી રહે તે માટે એક ખાસ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

મિટીંગની વિગતો

  • તા.10 ડિસેમ્બર 2023
  • રવિવાર
  • સમય સવારે 8.30 કલાકે
  • સ્થળ- ભૂલકાવિહાર સ્કુલ, પાલ-ભાઠા રોડ, સુરત
  • સંપર્ક નં.0261-2971900 – 89800 08283
November 29, 2023
jee-main-2024.jpg
1min1199

ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં હાલ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ત્રિપલ આઇટી જેવી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ લેવા ઇચ્છે છે તેમણે જેઇઇ મેઇન્સ પેપર-1 પરીક્ષા આપવાની ફરજિયાત છે. જેઇઇ મેઇન્સ 2024માં બે વખત લેવાનારી છે. પહેલા ફેઝની જેઇઇ મેઇન્સ પરીક્ષા જાન્યુઆરી 2024ના અંતમાં લેવાશે જ્યારે બીજા ફેઝની પરીક્ષા એપ્રિલ 2024માં લેવાશે.

પહેલા ફેઝમાં લેવાનારી જેઇઇ મેઇન્સ પેપર-1 પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ મુદત તા.30 નવેમ્બર 2023ની છે.

2024માં જેઇઇ ક્યારે લેવાશે તેનું સંપૂર્ણ સમયપત્રક

જેઇઇ મેઇન્સ પરીક્ષાની પેપર પેટર્ન

જેઇઇ મેઇન્સના ગુજરાતના પરીક્ષા કેન્દ્રો

July 4, 2023
WhatsApp-Image-2023-07-04-at-16.22.12-1280x710.jpeg
1min2203

કિરણ મેડીકલ કોલેજને એમબીબીએસની 150 સીટ સાથે માન્યતા

આ વર્ષે 150 સીટ અને આવતા વર્ષથી એમબીબીએસની 200 સીટ પર ગુજરાત સરકાર એડમિશન ફાળવશે

રાજ્યમાં સૌથી વધુ બાયોલોજીના વિદ્યાર્થીઓ ધરાવતા સુરત શહેરમાં ચાલુ વર્ષથી જ ત્રીજી મેડીકલ કોલેજ શરૂ થઇ જશે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આજે સુરતના વરીયાવ ખાતે કિરણ મેડીકલ કોલેજને ફર્સ્ટ એમબીબીએસની 150 સીટ સાથે ચાલુ વર્ષથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેની મંજૂરી આપી છે.

વધુ માહિતી આપતા કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણી તેમજ કિરણ મેડીકલ કોલેજના ડીન ડો.આર.ડી. પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રના આરોગ્ય વિભાગે આ વર્ષથી એમબીબીએસની 150 સીટ તેમજ આગામી વર્ષથી ફર્સ્ટ એમબીબીએસની 200 સીટની માન્યતા આપી છે. ગુજરાત સરકારની મેડીકલ એડમિશન કમિટીને પણ સૂચના આપી દેવામાં આવી છે કે સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન કમિટીમાં સુરતની ત્રીજી મેડીકલ કોલેજ તરીકે કિરણ હોસ્પિટલની 150 સીટો પર પ્રવેશાર્થીઓની ફાળવણી કરવામાં આવે. કિરણ મેડીકલ કોલેજમાં 150 સીટ પૈકી 75 ટકા સીટ સ્ટેટ ક્વોટા તેમજ 25 ટકા સીટમાં અનુક્રમે 10 ટકા મેનેજમેન્ટ ક્વોટા અને 15 ટકા સીટ એન.આર.આઇ. ક્વોટા તરીકે પ્રવેશ આપવામાં આવશે. મેડીકલ કોલેજની સાથે કિરણ હોસ્પિટલનું જોડાણ રહેશે. મેડીકલ કોલેજ વરીયાવ મુકામે ચાલશે તેમજ વિદ્યાર્થીઓ કિરણ હોસ્પિટલમાં પ્રેક્ટીકલ તાલિમ મેળવશે. એમબીબીએસ અભ્યાસક્રમની સાથે આગામી વર્ષથી એમ.ડી. તેમજ એમ.એસ.ના માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમો પણ કિરણ મેડીકલ કોલેજ ખાતે શરૂ કરવામાં આવશે.

વધુમાં સુરત શહેરમાં સરકારી મેડીકલ કોલેજ, સ્મીમેર મેડીકલ કોલેજ પછી હવે ત્રીજી મેડીકલ કોલેજના સ્વરૂપમાં કિરણ મેડીકલ કોલેજ આગામી ઓગસ્ટ માસથી કાર્યરત થઇ જશે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં સુરતની ત્રણ, નવસારી, વલસાડ, ભરૂચ અને સેલવાસની એક-એક મળીને મેડીકલ કોલેજોની સંખ્યા 7ની થઇ ગઇ છે.

March 21, 2023
societynews-1280x1040.jpg
2min703

શ્રી સુરતી મોઢ વણિક અઠવા પંચ યુવક મંડળ દ્વારા આયોજીત APL-3 2023 HEAVY TENNIS BALL CRICKET TOURNAMENT યોજાઈ હતી જે તા. ૧૨/૦૩/૨૦૨૩ અને ૧૯/૦૩/૨૦૨૩ ના બે રવિવારે ટુર્નામેન્ટ રમાઈ હતી અઠવા પંચ યુવક મંડળ ના આમંત્રણ ને માન આપી આવેલ મોઢ વણિક સમાજ નું ગૌરવ ગુજરાત રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રી હાલ ના ધારા સભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી, ધી સુરત પીપલ્સ બેંક ના ચેરમેનશ્રી મુકેશભાઈ દલાલ અઠવા પંચ ના સ્થાપક પ્રમુખ અને ટેક્સટાઇલ જગત ના ભીસમહ પિતા કહેવાતા ભરતભાઇ ગાંધી તેમજ સુરતી મોઢ વણિક સમાજ ના પ્રમુખશ્રી શ્રીવાસભાઈ ઘીવાલા તત્કાલીન પ્રમુખશ્રી મનહરભાઈ લાપસીવાલા, માજી પ્રમુખશ્રી હસમુખભાઈ લાલવાલા સાથે ધર્મેશભાઈ તમાકુવાલા, સંજયભાઈ ગાંધી, જેન્તીભાઈ લાપસીવાલા, અનિલભાઈ દલાલ, મુકેશભાઈ વરિયાવા, અજયભાઈ મોદી તેમજ અઠવા પંચ ના પ્રમુખશ્રી નીતિનભાઈ ગાંધી તત્કાલિન પ્રમુખશ્રી ચેતનભાઈ કાપડિયા, યોગેશભાઈ પપૈયાવાળા, નાલિનભાઈ ગાંધી, દેવરાજભાઈ મોદી, તેજશભાઈ ગાંધી, મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી અમિષાબેન ગાંધી તત્કાલિન પ્રમુખ શ્રીમતી અનુરાધાબેન જરીવાલા તેમની ટીમ અને વોર્ડ નં . ૨૧ ના નગર સેવક શ્રીમતી ડિમ્પલબેન ચેતનભાઈ કાપડિયા તેમજ પાંડેસરા વિવર્સ ના પ્રમુખશ્રી અને sgcci ના તત્કાલીન પ્રમુખશ્રી આશિષભાઈ ગુજરાતી પધાર્યા હતા

આ સર્વ મહેમાનો નો અઠવા પંચ યુવક મંડળ ના પ્રમુખશ્રી સંજયભાઈ અનાજ્વાળા સાથે યુવક મંડળ ની ટીમ ખૂબ ખૂબ આભાર માને છે કે તમે યુવક મંડળ ના આમંત્રને માન આપી પધારી આ ક્રિકેટ ટુર્નામેન્ટ ને ચાર ચાંદ લગાવી ટુર્નામેન્ટ સફર બનાવી સાથે આપના આશીર્વાદ અને આવનારા કાર્યક્રમ માં પણ આપનો સાથ સહકાર આવો જ મળતો રહે તેવી આશા સાથે ફરી એકવાર આપ સર્વે મોભીઓશ્રી, મહાનુભવોંશ્રી નો ખુબ ખુબ આભાર માણીયે છીએ..

આ સાથે જ અઠવાપંચ યુવક મંડળ જેના વગર આ ક્રિકેટ ટુર્નામેન્ટ APL-3 અધૂરી છે તેવા અમારા ક્રિકેટ ટીમ ના ઓનર્સ શ્રીઓ ભાવિનભાઈ બોઘાવાળા (MIVAAN 11) , સ્નેહલભાઈ મેહતા (SKYLINE SCORPION S), બંટીભાઈ સોપારીવાળા (JAY AMBEY 11), ભદ્રેશભાઈ કાપડિયા (DAY SEVEN 11) કુમારપાલ ગાંધી (GALAXY PANTHER) અજયભાઈ ચલિયાવાળા (TEAM AMBITION) પીયૂષભાઈ બેકાવાળા(KHUSHI FIGHTERS) વિરલભાઈ મોદી (MODI BAKERS) જીગર મોદી- યોગેશ ચરખાવાળા (YOGI-MODI WARRIOR’S) આ ૦૯ (નવ) ટીમ ઓનર્સ ટુર્નામેન્ટ ની આન-બાણ અને શાન છે જે આ ઓનર્સશ્રીઓ એ APL-3 AUCTION બાદ સમાજ ના ખેલાડીઓ સાથે મળી એક મહિનામાં જે મેહનત કરી તે આ ટુર્નામેન્ટ ના બે રવિવારે જોવા મળી છે અને સમાજ ના યુવા ખેલાડીઓ નો ઉત્સાહ વધાર્યો સાથે એક બીજા સાથે જોડાયા ને એ જોઈ અઠવાપંચ યુવક મંડળ ગર્વ અનુભવે છે

સમાજ ને એક સાથે મળી આ ક્રિકેટ ટુર્નામેન્ટ મ્યુઝિક મસ્તી હસી-ખુશી સાથે આનંદ માણ્યો તેમજ આ APL-3 ટુર્નામેન્ટ ના દાતાશ્રીઓ અઠવા પંચ યુવક મંડળ નો એક સ્થંપ છે કે જેના વગર આ ટુર્નામેન્ટ શક્યજ નથી એવા અમારા વડીલશ્રી મોઢ વણિક સમાજ ના જાણીતા માનીતા માર્ગ દર્શક શ્રી ભરતભાઈ ગાંધી (BATSONS)ગ્રુપ ના કરતા ધરતા સાથે ધી સુરત પીપલ્સ બેંક ચેરમેનશ્રી મુકેશભાઈ દલાલ, ટ્રોફી આપનાર જાણીતા શ્રી પ્રવીણભાઈ ગાંધી, મનીષભાઈ દૂધવાળા (VRUNDAVAN DAIRY), ડો. અંકુરભાઈ ગાંધી-ડો. સ્નેહા પટેલ ગાંધી (JAHAAN WOMEN’S HOSPITAL), (SAI SPORTS GYM & SPORTS WEAR), PANDESARA WEAVER’S CO-OP SOCIETY LTD., વિરેનભાઈ ચોકસી (D. KHUSHALBHAI JEWELLER’S), નરેન્દ્રભાઈ કાબરાવાળા (PURVI INVESTMENT), મોંતુભાઈ બેકાવાળા(REY FASHION) અને વિરલભાઈ મોદી (MODI BAKERS) કે જેઓએ ખેલાડીઓનો ઉત્સાહમાં વધારો કરતા આખી ટુર્નામેન્ટ ની દરેક મેચ માં જે ખેલાડી ઓએ વધારે સિક્સ માર્યા હોઈ, વધારે વિકેટ લીધી હોય,કે વધારે રન કર્યા હોય તે દરેક ખેલાડી ઓને રૂ.૫૦૦/- નું ગિફ્ટ વાઉચર આપી ખેલાડીઓનો ઉત્સાહ વધારીયો હતો.

સાથે જ અઠવાપંચ યુવક મંડળના કમિટી સભ્ય શ્રી રાહુલભાઈ ગાંધીએ ખુબજ સુંદર ફોટોગ્રાફીની સેવા આપી હતી ,અને સ્કોરર તરીકે શ્રી ચંદ્રેશભાઈ પાનવાલા અને પીનાકીનભાઈ ખાટીવાલાએ સેવા આપી હતી શ્રી સુરતી મોઢ વણિક અઠવા પંચ યુવક મંડળ આપ સર્વ મહાનુભવોશ્રી, દાતાશ્રી, ટીમ ઓનર્સશ્રી સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લેનાર દરેક ખેલાડીઓ તેમજ APL-3 ટુર્નામેન્ટ ને સફર બનાવવા માટે યુવક મંડળ ના કમિટી સભ્યોશ્રીઓ નો પ્રમુખશ્રી સંજયભાઈ અનાજવાલા, તત્કાલીન પ્રમુખશ્રી મનીષભાઈ દૂધવાલા, ઉપપ્રમુખશ્રી વિમાલભાઈ બેકાવાલા, માનદ મંત્રીશ્રી આનંદભાઈ ગાંધી, સહ મંત્રીશ્રી રોમેશભાઈ પાનવાલા, ખજાનચી શ્રી વિપુલભાઈ ગાંધી, સહ ખજાનચી કેતનભાઈ પાનવાલા આપ સર્વ નો ખુબ ખુબ આભાર માણીયે છીએ…

તેમજ આ APL-3 ટુર્નામેન્ટ ટોટલ ૧૨ મેચ રમવાની હતી હેવી ટેનિસ બોલ દ્વારા જેમાં દરેક ટીમ એ ૦૨ લીગ મેચ રમી એવરેજ મુજબ સેમિફાઇનલ માં એન્ટ્રી લેવાણી હતી સેમિફાઇનલ માં ચાર ટીમ આવી હતી જેમાં પહેલી સેમીફાઇનાલ MIVAAN 11 V/S GALAXY PANTHER વચ્ચે થઈ હતી જેમાં MIVAAN 11 વિજેતા થઈ ફાઇનલ માં આવી હતી બીજી સેમી ફાઇનલ DAY SEVEN 11 V/S YOGI- MODI WARRIORS જેમાં DAY SEVEN ના કેપ્ટન ચીમ્પુ લાપસીવાલાએ સેન્ચુરી મારી નોટ આઉટ રહી પોતાની ટીમને વિજય અપાવી ફાઇનલમાં પ્રવેશ્યા હતા ને ફાઇનલ મેચ MIVAAN 11સામે હારી RUNNER’S UP થયા અને MIVAAN 11 APL-3 2023 ચેમ્પિયન ટીમ બની હતી.