જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ 170 કિમીની પદયાત્રા કરી આજે દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકામાં તમામ જ્ઞાતિ-સમાજ, હૉટેલ એસોસિયેશન, વેપારી મંડળ, સામાજિક સંસ્થાઓ તથા દ્વારકાના સ્થાનિકોએ અનંત અંબાણીને જગતના નાથના નગરમાં વધાવ્યા હતા.
પદયાત્રાના સમાપન બાદ અનંત અંબાણીએ આજે ગોમતિપૂજન કર્યું. શારદાપીઠ ખાતે પાદુકાપૂજનનો પણ લાભ લીધો હતો. અનંત અંબાણીની સાથે તેમના માતા નીતા અંબાણી તથા પત્ની રાધિકાએ પણ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. આ પ્રસંગે અંબાણી પરિવાર તરફથી 10 હજાર જેટલા પરિવારના એક લાખ લોકોની પ્રસાદી સેવા કરાઇ. આ ઉપરાંત રામનવમીના પાવન અવસર પર દ્વારકાધીશના દર્શન કરવા આવેલા ભક્તોમાં પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સેમિકન્ડક્ટર ટેક્નોલોજી પર ભારતમાં સૌથી પહેલો કોર્સ, ગુરુગ્રામની નોર્થકેપ યુનિવર્સિટીમાં શરૂ થશે જુલાઇ 2025થી Start
સરળ ભાષામાં સમજો સેમિકન્ડક્ટર ચીપ શું હોય
સેમિકન્ડક્ટર એક એવી માઇક્રોચીપ છે કે જે પૂર્વનિર્ધારિત પ્રોગ્રામિંગ અનુસાર જુદી જુદી પરિસ્થિતિઓમાં જે તે ઉપકરણને ઓટોમેટીક અને સતત કાર્યરત રાખે છે. સેમિકન્ડક્ટર ચીપ કમ્પ્યુટર્સથી લઇને મોટરકાર, એરોપ્લેન, રોકેટ, હોમ એપ્લાયન્સીસઝ, મોબાઇલ ફોન્સ વગેરે વર્તમાન સમયના દરેકે દરેક ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું હાર્દ હોય છે.
નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC), IIT મંડી અને ધ નોર્થકેપ યુનિવર્સિટી (NCU), ગુરુગ્રામે, સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ટેકનોલોજીમાં વિશેષતા સાથે ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ (ECE) માં B.Tech રજૂ કરવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ઔપચારિક રીતે કૌશલ ભવન, નવી દિલ્હી ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો.
સેમિકન્ડક્ટર ટેક્નોલોજી એવું ક્ષેત્ર છે જે આધુનિક ઇક્વિપમેન્ટ્સથી લઇને મોટરકાર સુધીની તમામ ચીજવસ્તુઓના મેન્યુફેક્ચરીંગમાં અનિવાર્ય અંગ છે.ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં કુશળ વ્યાવસાયિકોની વધતી માંગને અનુરૂપ મેનપાવર ઉદભવે તે સાથે જ ધો.12 મેથ્સ ગ્રુપ સાથે પાસ થયેલાવિદ્યાર્થીઓને ઉદ્યોગ-સંબંધિત જ્ઞાન અને વ્યવહારુ તાલીમથી સજ્જ કરવા માટે ત્રણેય સંસ્થાઓએ ભેગા મળીને બી.ટેક. વીથ સેમિકન્ડક્ટર ટેક્નોલોજી કોર્સ ડિઝાઇન કર્યો છે.
આઠ સેમેસ્ટરમાં રચાયેલ આ ચાર વર્ષનો કાર્યક્રમ સેમિકન્ડક્ટર એન્જિનિયરિંગના મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે, જેમાં નીચેના ચેપ્ટર્સનો સમાવેશ થાય છે:
નેનોટેકનોલોજી અને સેમિકન્ડક્ટર મટિરિયલ્સ એન્જિનિયરિંગ
સેમિકન્ડક્ટર ફિઝિક્સ
માઇક્રોફેબ્રિકેશનનો પરિચય
સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન
સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ ડિઝાઇન અને ટેકનોલોજી
મેન્યુફેક્ચરિંગમાં એડવાન્સ્ડ વિષયો
અભ્યાસક્રમમાં NCU, NSDC અને IIT મંડી દ્વારા સહ-વિકસિત એપ્લિકેશન-ઓરિએન્ટેડ લર્નિંગના 25 ક્રેડિટ્સનો સમાવેશ થાય છે. ડિગ્રી NCU નોર્થકેપ યુનિવર્સિટી ગુરુગ્રામ દ્વારા એનાયત કરવામાં આવશે.
અમલીકરણમાં NSDC ની ભૂમિકા
NSDC આ કાર્યક્રમના સરળ રોલઆઉટને સુનિશ્ચિત કરશે:
તેના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થી નોંધણી કરવી
શિક્ષણ લોન સાથે પાત્ર ઉમેદવારોને ટેકો આપવો
AI-સક્ષમ સામગ્રી, વ્યાખ્યાનો અને સોંપણીઓ સાથે એક-સ્ટોપ લર્નિંગ પ્લેટફોર્મ પૂરું પાડવું
વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ અને નોકરી પ્લેસમેન્ટમાં સહાય કરવી
IIT મંડી ખાતે હેન્ડ્સ-ઓન લર્નિંગ
IIT મંડી ફેકલ્ટી વિશિષ્ટ અભ્યાસક્રમો ચલાવશે અને ચાર વર્ષમાં અદ્યતન પ્રયોગશાળાઓમાં છ હેન્ડ્સ-ઓન નિમજ્જન કાર્યક્રમો પ્રદાન કરશે. સંસ્થા અભ્યાસક્રમ, પરીક્ષાઓ, સબમિશન અને પ્રોજેક્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પણ કરશે, જે NCU ખાતે અંતિમ ડિગ્રી માટે ગણવામાં આવશે.
વેદ મણિ તિવારી, CEO, NSDC (અને MD, NSDC ઇન્ટરનેશનલ) કહે છે કે “IIT મંડી અને NCU સાથેનો અમારો સહયોગ ગુણવત્તાયુક્ત શિક્ષણનું લોકશાહીકરણ અને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યોને ઉચ્ચ શિક્ષણમાં એકીકૃત કરવા તરફ એક પગલું છે. આ પહેલ રોજગાર ક્ષમતામાં વધારો કરે છે અને વિદ્યાર્થીઓને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નવીનતા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવે છે – જે ભારતના તકનીકી વિકાસ માટે મહત્વપૂર્ણ છે.”
ડૉ. તુષાર જૈન, CCE, IIT મંડી કહે છે કે “આ સહયોગ IIT મંડીની સંશોધન કુશળતા, NCUના શૈક્ષણિક માળખા અને NSDCની કૌશલ્ય વિકાસ પહેલને જોડીને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભવિષ્ય માટે તૈયાર કાર્યબળ બનાવે છે.”
પ્રો. નુપુર પ્રકાશ, વાઇસ ચાન્સેલર, NCU: “આ અગ્રણી કાર્યક્રમ શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વ્યવહારુ સંપર્કનું એક અનોખું મિશ્રણ પૂરું પાડે છે. વિદ્યાર્થીઓ IIT મંડી ખાતે સ્વચ્છ રૂમ અને અદ્યતન પ્રયોગશાળાઓમાં વ્યવહારુ અનુભવ મેળવશે, જે તેમને ભારતના ઝડપથી વિકસતા સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે તૈયાર કરશે.”
આ પહેલ વિદ્યાર્થીઓને અત્યાધુનિક ટેકનિકલ કૌશલ્યો વિકસાવવાની તક આપે છે, જે તેમને વિકસતા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઉદ્યોગ માટે તૈયાર વ્યાવસાયિકો બનાવે છે.
The B.Tech CSE with Specialisation in Semiconductor Technology at The NorthCap University (NCU) is designed to equip students with in-depth knowledge of semiconductor design, fabrication, and advanced computing technologies. As semiconductors drive innovation across industries, this programme blends core computer science principles with cutting-edge semiconductor technologies to prepare students for high-demand roles in chip design, embedded systems, and nanoelectronics.
This specialisation focuses on VLSI design, semiconductor materials, circuit fabrication, and AI-enabled hardware, making graduates highly valuable in industries such as quantum computing, artificial intelligence, telecommunications, and IoT. With industry collaborations, state-of-the-art semiconductor labs, and hands-on exposure to chip design, testing, and fabrication, students gain practical expertise essential for the rapidly evolving semiconductor industry.
State-of-the-Art Labs – Hands-on training with Cadence, Xilinx, Siemens, Key Soft, and Ansys design software.
Global Academic Collaborations – Partnerships with NTHU Taiwan and University of Illinois, USA for advanced semiconductor technology research.
Research & Innovation Opportunities – Focus on quantum computing, AI-driven chip design, and next-gen semiconductor materials like graphene and gallium nitride.
Real-World Industry Exposure – Internships with leading semiconductor companies to gain practical experience in semiconductor design, testing, and production.
Multidisciplinary Skill Development – Integration of circuit design, embedded systems, semiconductor testing, and packaging technologies for industry readiness.
Curriculum – Detailed Programme Structure
The B.Tech CSE with Semiconductor Technology is structured over four years (eight semesters), integrating fundamental computer science principles with specialized semiconductor knowledge.
Advanced topics in Logic Gates, Power Management, and Circuit Analysis
Lab exposure with design and simulation software
Years 3 & 4: Advanced Specialisation & Industry Exposure
Digital & Analog Circuit Design for semiconductor applications
Embedded Systems Design for IoT, automotive, and AI applications
Quantum Computing & AI-Enabled Hardware
Semiconductor Fabrication & Testing with industry-standard tools
Research & Capstone Project in Semiconductor Innovations
Mandatory Internship with Semiconductor Firms
Programme Outcomes (POs)
Graduates of the B.Tech CSE with Semiconductor Technology will:
✅ Master semiconductor design methodologies and integrate AI-driven chip development. ✅ Develop expertise in VLSI circuit design, embedded systems, and chip fabrication techniques. ✅ Apply knowledge of semiconductor physics and materials to innovate in device miniaturisation and efficiency. ✅ Design and test semiconductor devices and circuits for various industrial applications. ✅ Gain industry-ready skills through practical exposure to semiconductor fabrication and testing. ✅ Be equipped for high-paying careers in semiconductor research, design, and manufacturing.
Career Opportunities After Course Completion
Graduates of this programme are in high demand across semiconductor design, fabrication, and emerging technology fields. Career opportunities include:
🔹 Chip Design Engineer – Develop next-gen semiconductor chips and processors. 🔹 Process Engineer – Optimise fabrication processes for high-yield semiconductor production. 🔹 Field Application Engineer (FAE) – Work on customer-focused chip design and implementation. 🔹 Embedded Systems Engineer – Design and develop hardware-driven AI and IoT applications. 🔹 Nanoelectronics Engineer – Innovate in miniaturised semiconductor devices and quantum computing. 🔹 AI Hardware Engineer – Develop AI-driven chips for machine learning and deep learning applications.
Top Hiring Companies:
✔ Intel Corporation ✔ TSMC (Taiwan Semiconductor Manufacturing Company) ✔ Samsung Electronics ✔ Apple Inc. ✔ Qualcomm ✔ NVIDIA ✔ Texas Instruments ✔ Infineon Technologies ✔ NXP Semiconductors ✔ Cadence ✔ IBM Research ✔ Micron Technology ✔ Broadcom Inc.
With the semiconductor industry driving advancements in AI, IoT, and smart devices, graduates enjoy strong career prospects with global companies.
Why Choose NCU for BTech CSE – Semiconductor Technology?
State-of-the-Art Labs – Hands-on experience with leading semiconductor design software (Cadence, Xilinx, Siemens, Ansys, and Key Soft).
Global Collaborations – Academic partnerships with NTHU Taiwan and University of Illinois, USA for semiconductor research.
Research & Innovation Focus – Students engage in projects on AI-driven chip design, quantum computing, and emerging semiconductor materials.
Internships & Industry Exposure – Strong ties with semiconductor giants like Intel, TSMC, and Qualcomm ensure students gain practical experience.
Placement Support – Graduates secure roles in leading semiconductor, AI, and computing companies worldwide.
With a strong blend of theoretical knowledge, practical training, and industry engagement, the B.Tech CSE – Semiconductor Technology programme at NCU ensures that students emerge as industry-ready professionals, shaping the future of semiconductor and computing technologies.
સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. GPSC દ્વારા તેમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. જીપીએસસી દ્વારા વર્ષ 2025માં કુલ અંદાજિત 1751 જગ્યા પર ભરતી કરવામાં આવશે.
સરકારી અધિકારીઓની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વપૂર્ણ સમાચાર છે. GPSC દ્વારા વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસી દ્વારા વર્ષ 2025માં ક્લાસ વન, ટૂ અને ત્રીજા વર્ગ મળીને કુલ અંદાજિત 1751 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જે તે પરીક્ષા માટેની જાહેરાત આગામી સમયમાં આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે.ગુજરાત હોટેલ્સ
જીપીએસસી દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, ત્રીજા વર્ગની 160 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે દિવ્યાંગોની ખાસ ભરતીનું માંગણીપત્રક મળેલ છે, જેની જાહેરાત ટૂંક સમયમા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની પ્રાથમિક પરીક્ષા સંભવત: અપ્રિલ-2025 તથા મુખ્ય પરીક્ષા જૂન-2025મા યોજાશે.
આ ઉપરાંત, ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-2 (વહીવટી શાખા)ની 300 જગ્યા પર જુલાઇ 2025માં ભરતીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે, જેની પરીક્ષા સંભવિત રીતે નવેમ્બર મહિનામાં યોજાશે, જ્યારે મુખ્ય પરીક્ષા 2026માં યોજાશે. જ્યારે રાજ્ય વેરા નિરીક્ષક, ત્રીજા વર્ગની 323 જગ્યા પરની ભરતીની સપ્ટેમ્બર મહિનામાં જાહેરાત કરવામાં આવશે. જ્યારે તેની પ્રાથમિક પરીક્ષા ડિસેમ્બર 2025માં યોજાશે અને તેની મુખ્ય પરીક્ષા માર્ચ 2026માં જ્યારે તેના ઇન્ટરવ્યૂ જૂન 2026માં યોજાશે.ગુજરાત હોટેલ્સ
તે ઉપરાંત ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2 ની 100 જગ્યાઓ પર ડિસેમ્બર માસમાં ભરતી જાહેર કરવામાં આવશે. રાજ્ય વેરા નિરીક્ષકની 323 જગ્યાઓ પર સપ્ટેમ્બર 2025માં ભરતી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
CBSE દ્વારા ગાઇડલાઇન જાહેર કરીને આગામી 2025માં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં ચોરીના બનાવો ન બને તેની સાવચેતી માટે CCTV કેમેરા ફરજિયાતનો નિર્ણય કરાયો છે. આમ જે શાળામાં CCTV કેમેરા નહીં હોય ત્યાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે નહીં.
CBSE બોર્ડે દાવો કર્યો છે, 2025માં આશરે 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10-12ની પરીક્ષા આપવાના છે, ત્યારે પરીક્ષામાં કોઈ પ્રકારે ચોરીના બનાવ ન બને તે માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓને હાઇ રિઝોલ્યુએશન કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી છે. જો કે, બોર્ડની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યા છે, જે આગામી 16 ઑક્ટોબર સુધી ચાલશે.
બોર્ડે જણાવ્યું હતું કે, ધોરણ 10-12ની પરીક્ષામાં ચોરીના બનાવની કોઈ સ્થિતિ ઊભી થાય તો, તેની સમીક્ષા કરવા માટે પરિણામ જાહેર થયાના બે મહિના માટે તમામ પરીક્ષા કેન્દ્રના રેકોર્ડિંગનો સંગ્રહ કરાશે. જેનું એક્સેસ માત્ર અધિકૃત કર્મચારી પાસે રહેશે.
ભારતે 23/09/24 ઈતિહાસ રચ્યો હતો. ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ 45મા ચેસ ઓલિમ્પિયાડના અંતિમ રાઉન્ડમાં પોતપોતાના હરીફોને હરાવીને સ્પર્ધામાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ, અર્જુન એરિગેસી અને આર પ્રજ્ઞાનાનંદાએ સ્લોવેનિયા સામે 11મા રાઉન્ડમાં પોતપોતાની મેચ જીતી હતી.
ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં 97 વર્ષમાં પહેલીવાર ભારતે પુરુષ અને મહિલા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડી ગુકેશ અને અર્જુન એરિગેસીના દમ પર ભારતે ચેસ ઓલિમ્પિયાડના ઓપન વિભાગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ઉપરાંત મહિલા વિભાગમાં પણ ભારતે ગોલ્ડ કબજે કર્યો છે.
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે આ બંને વિભાગમાં ગોલ્ડ જીત્યો હોય તેવું પણ પ્રથમ વખત બન્યું છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં રમાઈ રહેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ગુકેશે વ્લાદિમીર ફેડોસીવને હરાવ્યો, જ્યારે એરિગેસીએ જાન સુબેલને હરાવ્યો હતો.
ભારતીય પુરુષ ટીમમાં ડી ગુકેશ, અર્જુન એલિગસી, વિદિત ગુજરાતી, પેન્ટલા હરિકૃષ્ણા, આર પ્રજ્ઞાનાનંદ અને શ્રીનાથ નારાયણન સામેલ હતા. જ્યારે મહિલા ટીમે છેલ્લી મેચમાં અઝરબૈજાનને 3.5-0.5થી હરાવ્યું હતું. મહિલા ટીમમાં હરિકા દ્રોણાવલ્લી, વૈશાલી રમેશબાબુ, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાનિયા સચદેવ અને અભિજીત કુંતેનો સમાવેશ થાય છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપના ચેલેન્જર્સ ગુકેશ અને અર્જુન એરિગેસીએ ફરી એકવાર મુખ્ય મેચોમાં સારું પ્રદર્શન કરીને ભારતને ઓપન કેટેગરીમાં તેનું પ્રથમ ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. સ્લોવેનિયા સામેની મેચમાં ગુકેશે બ્લેક પીસ સાથે વ્લાદિમીર ફેડોસીવ સામે ટેક્નિકલ તબક્કામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જો કે તેણે સખત લડત આપી હતી, પરંતુ 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટરે શાનદાર વ્યૂહરચના અપનાવી હતી.
LLB ફાઈનલ યરના વિદ્યાર્થીઓને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે શુક્રવાર Dated 20/09/2024એ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ)ને એવો નિર્દેશ આપ્યો છે કે લૉ ગ્રેજ્યુએટ્સને વકીલ બનવા માટેની પાત્રતા પરીક્ષા ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન (એઆઈબીઈ) આપવાની પરવાનગી આપવામાં આવે.
એલએલબીના ફાઈનલ યરના વિદ્યાર્થીઓને છોડી દઈ શકાય નહીં એવી નોંધ કરતાં તેમણે કહ્યું હતું કે જો તેમને આ વર્ષની બાર પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં તો તેમનું એક વર્ષ બગડી જશે.
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠ એ વાતથી નારાજ હતી કે 2023માં આ મુદ્દે આપવામાં આવેલા પાંચ ન્યાયમૂર્તિના ચુકાદા છતાં બીસીઆઈ દ્વારા એઆઈબીઈ માટે નિયમો ઘડી કાઢવામાં આવ્યા નહોતા.
અહીં ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે 10 ફેબ્રુઆરીએ બાર કાઉન્સિલની પરીક્ષા લેવા માટેની બીસીઆઈની સત્તાને માન્ય રાખી હતી.
તેમણે એમિકસ ક્યુરી (અદાલતના મિત્ર) દ્વારા ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને યોગ્ય દસ્તાવેજો રજૂ કર્યા બાદ પરીક્ષા આપવા માટે પરવાનગી આપી હતી.
Canada New rule : કેનેડામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ આ મહિને અમલમાં આવનારાં નવા નિયમ અનુસાર ઓફ કેમ્પસ વર્ક એટલે કે યુનિવર્સિટી કેમ્પસ બહાર કામ કરવાના કલાકો અઠવાડિયામાં 24 પૂરતાં મર્યાદિત થશે જેને કારણે ભારતીય વિદ્યાર્થીઓને ટોરોન્ટો જેવા મોંઘા શહેરોમાં રહેવાનો ખર્ચ કાઢવામાં મુશ્કેલી પડશે. કોરોના મહામારી દરમ્યાન નિયમોમાં અપાયેલી છૂટની મર્યાદાઓ પણ 30 એપ્રિલે પુરી થઇ ચૂકી છે. જો કે, ઉનાળા અને શિયાળાની રજાઓ દરમ્યાન કામ કરવાના કલાકો પર કોઇ મર્યાદા લદાઇ નથી.
2022માં કેનેડામાં કુલ 5.5 લાખ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ હતાં જેમાંથી 2.26 લાખ સ્ટુડન્ટ્સ ભારતીય હતા. કેનેડામાં હાલ કુલ 3.2 લાખ ભારતીય સ્ટુડન્ટ્સ ગીગ વર્કર તરીકે કામ કરી કેનેડાના અર્થતંત્રમાં તેમનું પ્રદાન આપી રહ્યા છે.
ઓફ કેમ્પસ એટલે કે યુનિવર્સિટીના કેમ્પસની બહાર મળતી નોકરીઓ કરીને સ્ટુડન્ટ્સ તેમનો રહેવા -ખાવાનો ખર્ચ કાઢતાં હોય છે. મોટાભાગની શિફ્ટ આઠ કલાકની રહેતી હોઇ નવા નિયમ અનુસાર સ્ટુડન્ટ્સ હવે દર અઠવાડિયે ત્રણ જ પાર્ટ ટાઇમ શિફ્ટમાં જ કામ કરી શકશે. જેના કારણે તેમને ખર્ચા કાઢવાનું ભારે પડશે.
કેનેડામાં મે મહિનાથી કલાક દીઠ 17.36 ડોલર્સનું મહેનતાણું અમલમાં આવ્યું છે પણ હવે સામે કામના કલાકો મર્યાદિત થવાને પરિણામે સ્ટુડન્ટસ માટે આ લાભ રહ્યો નથી ઉલટું મોટાં શહેરોમાં તો તેમના માટે બે છેડાં ભેગાં કરવાનુ પણ મુશ્કેલ બની રહેશે. 2023માં કેનેડામાં કલાક દીઠ 16.65 ડોલર્સનું મહેનતાણું ચૂકવવામાં આવતું હતું.
સ્ટુડન્ટ્સ જેમના માટે કામ કર્યા વિના છૂટકો નથી તેમણે ખર્ચ બચાવવા માટે મિત્રો સાથે ફરવા જવા અને પ્રવાસ કરવાની પ્રવૃત્તિઓ પર કાપ મુકી દીધો છે. તો વધારે મુશ્કેલ આર્થિક હાલત ધરાવતાં સ્ટુડન્ટ્સ રેન્ટ બચાવવા માટે બીજા સ્ટુડન્ટ્સ સાથે એપાર્ટમેન્ટ શેર કરવા માંડ્યા છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ જરૂરિયાતો પુરી કરવા માટે કામ કરે છે. દરેક સ્ટુડન્ટને વધારાની આવક વિના ભણવાનું પરવડે તેમ હોતું નથી.
બીજી તરફ કેનેડાની યુનિવર્સિટીઓમાં ભણાવતાં પ્રોફેસરોના મતે સ્ટુડન્ટ્સ હવે ભણવામાં વધારે ઘ્યાન આપી શકશે. સ્ટુડન્ટ્સ ઘણીવાર અભ્યાસને બદલે તેમના કામને અગ્રતાક્રમ આપતાં હોઇ તેમના શિક્ષણની ગુણવત્તા કથળે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાના ચૅરમૅનપદે ત્રીજા ભારતીય: દાલમિયા અને પવાર પ્રમુખપદે હતા
બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહ આગામી પહેલી ડિસેમ્બરે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નવા ચૅરમૅન તરીકેનો હોદ્દો સંભાળશે. તેઓ મંગળવારે આ સર્વોચ્ચ પદ પર બિનહરીફ ચૂંટાયા હતા.
જય શાહ 35 વર્ષના છે અને આઇસીસીના સૌથી યુવાન અધ્યક્ષ બન્યા છે. તેઓ ચૅરમૅનપદ મેળવનાર એન. શ્રીનિવાસન (2014-’15) અને શશાંક મનોહર (2015-2020) પછીના ત્રીજા ભારતીય છે. ન્યૂ ઝીલૅન્ડના 62 વર્ષીય ગ્રેગ બાર્કલે પોણાચાર વર્ષ આ હોદ્દા પર રહ્યા હતા. તેઓ બે વર્ષની મુદતની ત્રીજી મુદત માટે તૈયાર ન હોવાથી ચૂંટણી થઈ હતી જેમાં જય શાહ એકેય પ્રતિસ્પર્ધી ન હોવાને કારણે સરળતાથી ચૂંટાયા હતા.
ખરેખર તો અગાઉ આઇસીસીના પ્રમુખ આ ક્રિકેટ સંસ્થાના સર્વોચ્ચ શાસક ગણાતા હતા, પરંતુ 2016માં પ્રમુખપદની પ્રથા બંધ કરવામાં આવી હતી અને ત્યારથી ચૅરમૅનનો માનદ હોદ્દો સર્વોચ્ચ ગણાય છે.
ભારતના જગમોહન દાલમિયા (1997-2000) અને શરદ પવાર (2010-2012) આઇસીસીના પ્રમુખપદે હતા.
જય શાહ ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર છે. જય શાહ 2019ની સાલથી ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી છે. તેઓ આઇસીસીના વહીવટમાં મોખરાનું (હાઈ-પ્રોફાઇલ) સ્થાન મેળવનાર (શ્રીનિવાસન, મનોહર, દાલમિયા અને પવાર પછીના) પાંચમા ભારતીય છે.
જય શાહ ક્રિકેટનો વિશ્ર્વભરમાં ફેલાવો કરવા માટે મક્કમ છે અને એ માટે તેઓ આઇસીસીની ટીમ તથા મેમ્બર-રાષ્ટ્રો સાથે મળીને કામ કરવા ઉત્સુક છે. તેમણે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ‘મને આઇસીસીનું ચૅરમૅનપદ મળ્યું એ બદલ ખુશી અને ગૌરવ અનુભવું છું. ક્રિકેટના તમામ ફૉર્મેટ વિશે સંતુલન જાળવવા, અદ્યતન ટેક્નોલૉજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમ જ મોટી ક્રિકેટ-ઇવેન્ટ્સને વૈશ્ર્વિક સ્તરે લઈ જવા માગું છું.’
આઇસીસીની 75 ટકાથી વધુ કમાણી ક્રિકેટજગતની સૌથી શ્રીમંત બીસીસીઆઇ દ્વારા ઊભી કરવામાં આવતી હોય છે. એવું મનાય છે કે સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડમાંથી કોઈ એક દેશના ક્રિકેટ બોર્ડ દ્વારા ચૅરમૅનપદ માટે જય શાહનું નામ સૂચવવામાં આવ્યું હતું અને બીજા એક દેશના બોર્ડ દ્વારા તેમને સપોર્ટ કરવામાં આવ્યા હતા.
આઇસીસીના બંધારણ મુજબ કુલ 17 વોટ ધ્યાનમાં લેવાતા હોય છે. એમાં 12 ટેસ્ટ-પ્લેઇંગ રાષ્ટ્ર, ચૅરમૅન, ડેપ્યૂટી ચૅરમૅન, બે અસોસિયેટ મેમ્બર-રાષ્ટ્ર અને એક અપક્ષ મહિલા ડિરેકટરનો સમાવેશ હતો.
આગામી ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે અને એ બાબતમાં મહત્ત્વના નિર્ણયો લેવાનું સૌથી પહેલું કામ જય શાહે પાર પાડવું પડશે.
સુરક્ષાના કારણસર ગુજરાતની તમામ પ્રાથમિક સ્કૂલમાં તા.27મી ઓગસ્ટ 2024ને મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી તા.27મી ઓગસ્ટને મંગળવારે તમામ સરકારી ગ્રાન્ડેટ, નોન ગ્રાન્ટેડ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલને બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે.
ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે ચેતવણી આપી છે કે આગામી૨-૩ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. છેલ્લા ૪૮ કલાકમાં ભારે વરસાદ વચ્ચે, ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર આવ્યું છે, જેના કારણે સેંકડો રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ વિસ્થાપિત કરવાની ફરજ પડી છે.
ગુજરાતમાં ૫ જિલ્લા સિવાય સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના પાંચ જિલ્લા માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોમાંથી રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવા નિર્દેશ આપ્યા છે. તેમની ઓફિસે જણાવ્યું હતું કે ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલનો સમાવેશ થાય છે. દરમિયાન, મોરબી જિલ્લામાં એનડીઆરએફ દ્વારા ૭ વ્યક્તિઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સોમવારે સવારે ૬ વાગ્યે પૂરા થતા ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૫૬ મીમી વરસાદ નોંધાયો હતો. ૧૦૦ મીમીથી વધુ વરસાદ ધરાવતા અન્ય જિલ્લાઓમાં નર્મદા, સૌરાષ્ટ્ર, રાજકોટ, તાપી, મહિસાગર, મોરબી, દાહોદ અને વડોદરાનો સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્ય સચિવે પ્રશાસનને શ્રાવણ માસ દરમિયાન આવનારા તહેવારોને કારણે જે વિસ્તારોમાં મોટી ભીડ થવાની સંભાવના છે તેવા વિસ્તારોમાં એલર્ટ રહેવા જણાવ્યું છે.
એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે મુંબઈના કાલીનામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ કાબૂ બહાર જવાથી, અરજદારોને તેમના બાયોડેટા સબમિટ કરવા અને જવા માટે કહેવામાં આવ્યું હતું.
મંગળવારે મુંબઈના કાલીનામાં હજારો નોકરી શોધનારાઓ એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે આવ્યા હતા. આ પદો માટેની લઘુત્તમ લાયકાત SSC પાસ અને વધુમાં વધુ 23 વર્ષની હતી. પગાર રૂ. 22,530 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો હતો. આ પદ 3 વર્ષના ફિક્સ્ડ-ટર્મ કોન્ટ્રાક્ટના આધારે હતું. વિવિધ સમારકામ અને જાળવણી કાર્યો કરવા માટે હેન્ડીમેન અને યુટિલિટી એજન્ટની પોસ્ટ માટે 1,800 જગ્યાઓ માટે લગભગ પચાસ હજારથી વધુ લોકો આવ્યા હતા. લિમિટેડ વેકેન્સી હોવા છતાં ભરતી કચેરીની બહાર ભારે ભીડ ઉમટી પડતા નાસભાગની સ્થિતિ સર્જાઇ હતી.
ગુજરાતમાં 9 જુલાઈના રોજ આવી જ નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. અંકલેશ્વર ખાતે 40 જગ્યાઓ માટે એક પેઢી દ્વારા લેવામાં આવેલા વોક-ઈન ઈન્ટરવ્યુ માટે લગભગ 1,000 લોકો આવ્યા હતા. ભીડ એટલી વધી ગઇ હતી કે તેને કાબૂમાં રાખવું મુશ્કેલ બની ગયું હતું. ત્યાર બાદ બેકાબૂ યુવાનોનું ટોળું હોટલની બહારની રેલિંગ પર ચઢી ગયું હતું. જેના કારણે રેલિંગ તૂટી ગઈ હતી અને અનેક યુવકો નીચે પડી ગયા હતા. ઉપરાંત રેલીંગની સામે પાર્ક કરાયેલા વાહનોને પણ નુકસાન થયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.