CIA ALERT

WE Archives - Page 53 of 63 - CIA Live

December 24, 2018
ankur_logo.png
4min21270

પુસ્તકોમાં રહેલું જ્ઞાન કલ્પના સમું હોય છે, બાળકો જ્યાં સુધી એ જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરતા નહીં શીખે ત્યાં સુધી એ જ્ઞાન ફક્ત પુસ્તકિયું જ્ઞાન બની રહે છે. પુસ્તકોમાં રહેલા જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ નહીં કરી શકવાના કારણે જ આજે મોટી મોટી ડિગ્રીધારકો નોકરી વિહોણા રહી જાય છે. આ ભેદ પારખી ગયેલા સુરતના હીરાબાગ ખાતે આવેલી અંકુર વિદ્યાવિહાર શાળાના મિત્તલ બી. પરડવા અને તેમની ટીમે પ્રાઇમરી શિક્ષણથી જ બાળકોને પુસ્તકના જ્ઞાનના વ્યવહારુ ઉપયોગની તાલિમ આપવાનું શરુ કર્યું છે અને આ તાલિમ ગઇ તા.22-23 ડિસેમ્બર 2018ના રોજ શાળામાં યોજાયેલા નોલેજ કાર્નિવલના સ્વરૂપમાં ચરિતાર્થ થયેલી દેખાઇ આવી હતી. નોલેજ કાર્નિવલમાં હીરાબાગની અંકુર વિદ્યાવિહારના બાળકોએ પુસ્તકોમાં રહેલી કલ્પનાઓને તેમના વાલીઓ, શાળાની આસપાસના રહેવાસીઓને વાસ્તવિક કરી દેખાડી હતી.

વરાછા રોડ પર હીરાબાગ સર્કલ ખાતે આવેલી અંકુર વિદ્યાવિહાર શાળામાં ગઇ તા.22-23 ડિસેમ્બ દરમિયાન નોલેજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળભવનથી શરૂ કરીને ધો.12 સુધીના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓએ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને તેનું ડિસપ્લે કરીને મુલાકાતીઓને અચંબામાં મૂકી દીધા હતા. તદુપરાંત વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકોમાં નિર્દેશિત વિવિધ પ્રકારના નમૂનાઓ, સેલ્ફ સ્ટડી માટેના મોડેલ, ટ્રાફિક અવેરનેસ પ્રોજેક્ટ, કરીયર ગાઇડન્સ માટેની માહિતીઓ રજૂ કરી હતી.

બાળભવનના બાળકોની કૌશલ્ય કલાઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. એવી જ રીતે યોગ અને આયુર્વેદિક ટેકનિક્સ, ભારતના રાજ્યોની લોકસંસ્કૃતિ, ગુજરાતના તમામ જિલ્લાઓની માહિતી, જાણીતા સ્થળોનું ડિસ્પ્લે, પ્રાથમિક વિભાગના બાળકોએ વિજ્ઞાનના નિયમો આધારિત પ્રયોગોના વર્કિંગ મોડેલ રજૂ કરીને એક ખરા અર્થમાં નોલેજ કાર્નિવલને સાકાર કર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, આસપાસના રહેવાસીઓ વગેરેએ ફુડ ઝોનની પણ મજા માણી હતી.

દરમિયાન સુરત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાજ્યગુરુએ પણ નોલેજ કાર્નિવલની મુલાકાત લીધી હતી.

હીરાબાગ સ્થિત અંકુર વિદ્યાવિહાર શાળાના નોલેજ કાર્નિવલનું ઉદઘાટન મધુવન ઇન્ટરનેશનલ સ્કુલના સંચાલક શ્રી ભૂપતભાઇ સુખડીયાએ કર્યું હતું.  શનિ અને રવિવાર દરમિયાન શાળાના બે હજાર વાલીઓ ઉપરાંત શાળાની આસપાસ રહેતા અંદાજે 1500 લોકોએ અંકુર વિદ્યાવિહાર શાળાના વિદ્યાર્થીઓના અદભૂત પ્રયોગ નોલેજ કાર્નિવલની મુલાકાત લઇને બાળકોના પ્રયાસને બિરદાવ્યો હતો.

વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત નોલેજ કાર્નિવલ અંતર્ગત દરેક વિદ્યાર્થીએ ભણતરને મનોરંજક સ્વરૂપે દર્શાવ્યુ હતું અને પોતાની અદ્ભૂત કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત શિક્ષકોએ પણ આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

અંકુર વિદ્યાવિહાર ખાતે યોજાયેલા નોલેજ કાર્નિવલની તસ્વીરી ઝલક

 
December 23, 2018
gseb-1280x720.jpg
1min7130

લોકરક્ષક દળની પરીક્ષા અને માધ્યમિક શિક્ષક માટેની ટાટની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવતા સરકારની ભારે ટીકા થઈ હતી અને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોમાં પણ ભારે રોષ ફેલાતા સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું. જેથી આ વખતે સરકાર દ્વારા પ્રથમવાર ધોરણ.10 અને ધોરણ. 12ની બોર્ડની પરીક્ષાનું સમગ્ર મોનિટરિંગ મુખ્ય પ્રધાનના કાર્યાલય (Chief Minister Office) થી થશે અને આત્યારથી જ બોર્ડની પરીક્ષાને લઈને રોજેરોજ સી.એમ કાર્યાલયમાં રિપોર્ટ રજુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના માટે દરરોજ રાજ્યના પાંચ પાંચ ડીઈઓને ગાંધીનગર બોર્ડની કચેરી ખાતે રૂબરૂમાં બોલાવી બિલ્ડિંગ અને બ્લોક વાઈઝ એનાલિસીસ કરવામાં આવી રહ્યુ છે.

આગામી તા.7મી માર્ચથી ધોરણ.10 અને ધોરણ.12 સામાન્ય પ્રવાહ તેમજ સાયન્સના અંદાજે 19 લાખ જેટલા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થશે. દર વર્ષે બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા માટે રાજ્યના તમામ ડીઈઓની એક સાથે ચેરમેનની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવતી હતી, પરંતુ આ વખતે માત્ર પાંચ પાંચ ડીઈઓને બોલાવી એકદમ ઝીણવટ પૂર્વક માહિતી એકઠી કરવામાં આવી રહી છે. બોર્ડની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર કેન્દ્ર પરથી લીક થતું હોય છે. જેથી આવાં સંવેદનશીલ કેન્દ્રો પર વધુ બંદોબસ્ત ગોઠવવો કે પછી આવાં કેન્દ્રો રદ કરવા વિચારણા ચાલી રહી છે. તાજેતરમાં જ યોજાએલી લોકરક્ષક દળની પરીક્ષા અને માધ્યમિક શિક્ષક માટેની ટાટની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર લીક થતા આખી પરીક્ષા રદ કરવામાં આવતા સરકારની ભારે ટીકા થઈ હતી અને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોમાં પણ ભારે રોષ ફેલાયો હતો.

December 22, 2018
d8.jpg
2min16820
  • ગંભીર ઇજા પામેલા 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હોવાના બિનસત્તાવાર અહેવાલો
  • 200 ફૂટથી વધુ ઉંડી ખીણમાં બસ ખાબકી
  • 32 જેટલા ભૂલકાઓને નાની મોટી ઇજાઓ
  • અમરોલીના ખાનગી ટ્યુશન આપતા ખાનગી ક્લાસીસની હતી બસ

સુરતના અમરોલી-છાપરાભાઠા ખાતે પ્રાઇમરી સ્કુલના બાળકોના ટ્યુશન આપતા ખાનગી ક્લાસીસના બાળકોની બસ આજે સાંજે ડાંગના બરડીપાડા રોડ ખાતે 200ફૂટથી વધુ ઉંડી ખાઇમાં ખાબકી હોવાના સમાચારોએ સુરતના શિક્ષણ જગતને હચમચાવી મૂક્યું છે. બસમાં ધો.1થી 8 સુધીના જ વિદ્યાર્થીઓ હતા. સુરત પરત ફરી રહેલી ટ્યુશન ક્લાસીસના બાળકોની બસ નંબર જી.જે.5 ઝેડ 9993 ને મહાલ-બરડી પાડા રોડ પર અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગૂમાવતા રોડ સાઇડમાં આવેલી ખીણમાં બસ ખાબકી હતી.

બસમાં અંદાજે 75-80 જેટલા વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા જે પૈકી આ ગમખ્વાર અકસ્માતમાં 32 જેટલા ભૂલકાઓને નાની મોટી ઇજાઓ પહોંચી છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે વિદ્યાર્થીઓની હાલત ગંભીર જણાવાય રહી છે. 2 ગંભીર વિદ્યાર્થીઓને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હોવાની વિગતો મોડી સાંજે જાણવા મળી છે. બિનસત્તાવાર રીતે મળતી પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં ગંભીર રીતે ઇજા પામેલા 3 બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.

બસ ખીણમાં ખાબકતા જ આસપાસના વિસ્તાર બાળકોની ચીચીયારીથી ધ્રુજી ઉઠ્યો હતો. આસપાસના ગામવાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સત્વરે બાળકોને બસની બહાર કાઢીને તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.

પ્રાથમિક તસ્વીરો

 

December 22, 2018
LRB-lokrakshak-constable-2018.jpg
1min5280

સમય બપોરના 3 વાગ્યાનો બદલીને સવારે 11નો કરાયો

પરીક્ષા પૂર્વે જ પેપર લીક થઇ જતા ગઇ તા.2જી ડિસેમ્બર 2018ના રોજ છેલ્લી ઘડીએ રદ કરાયેલી લોકરક્ષક (પોલીસ જવાન) ભરતીની પ્રવેશ પરીક્ષા હવે તા.6 જાન્યુઆરી 2019ના રોજ યોજાશે. આ અંગેની હોલ ટિકીટ જારી કરી દેવામાં આવી છે. પરીક્ષાનો સમય બપોરે 3 વાગ્યાનો હતો જે હવે સવારે 11નો કરી દેવામાં આવ્યો છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પરીક્ષા આપનારા ઉમેદવારોને મુસાફરી ભથ્થું આપવાની કરેલી જાહેરાતનો કોઇ ઉલ્લેખ સુદ્ધાં હોલ ટિકીટમાં કરવામાં આવ્યો નથી.

સ્પર્ધકના રહેઠાણના જે તે જિલ્લામાં કે તાલુકામાંના પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાની નજર હોય નજીકમાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવાના બદલે ભૂલનું પુનરાવર્તન કરી ફરીથી તેઓને અગાઉના સ્થળે જ 200 થી 400કિમી.દૂર  મોકલી પરીક્ષા આપવા મજબૂર કર્યા છે. જેઓને કોલ લેટરમાં અગાઉનો માથે પડેલો ભાડાખર્ચ કે હવે ચૂકવવા પડનારા બીજા ભાડાદર ચૂકવવાની ભરતી બોર્ડે કોઈ સૂચના આપી નથી કે રાજ્ય સરકારના મુખ્યમંત્રીએ આવવા-જવાના બસભાડા આપવાનું કે તેઓએ ચુકવેલ ભાડું પરત આપવાની જાહેરાત કરેલી જેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. એટલે સ્પર્ધકોએ વહેલી સવારે નીકળી  ઠંડીભરી સવારમાં 8-30 કલાકે જે તે કેન્દ્ર પર પહોંચી રિપોર્ટિંગ કરવાનું છે અને 10:30 પછી પ્રવેશ પ્રતિબંધ છે.

પરીક્ષાર્થીઓનું એવું કહેવું છે કે અમને જે તે પરીક્ષા કેન્દ્રમાં જ ઓછામાં ઓછા 1000 રૂપિયાની તક્ષણ રાહત ચૂકવવાના આદેશ રાજ્ય સરકારે કરવા જોઈએ, નહીંતર પરીક્ષા પૂરી થયા બાદ સરકારી તંત્ર ટલ્લે ચડાવશે. બીજી ડિસેમ્બરના રોજ જે તે શાળા-કેન્દ્ર  આચાર્યને બે દિવસના મળી પંદરસો રૂપિયા સુપરવાઇઝરને 375 અને પાણી- પટાવાળાને  રૂ.225 લેખે ચુકવણું કરેલ જે ખર્ચા છઠ્ઠી જાન્યુઆરીએ  ફરી ચૂકવવાના થશે.

December 22, 2018
vaccine.jpg
1min6410

ઉત્તર પ્રદેશની સેંકડો મદરેસાઓએ કર્યો બાળકોને રસી મુકાવવાનો ઇનકાર

પશ્ચિમી ઉત્તર પ્રદેશની સેંકડો મદરેસાઓએ તેમના સ્ટુડન્ટ્સને ઓરી-અછબડાની રસી મુકાવવાનો ઇનકાર કર્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારના આરોગ્ય વિભાગે મદરેસાઓના સંચાલકો પાસે ત્યાં ભણતા સ્ટુડન્ટ્સને ઓરી-અછબડાની રસી મૂકવાની પરવાનગી માગી હતી, પરંતુ સંચાલકોએ એવી પરવાનગીનો ઇનકાર કર્યો હતો.

પશ્ચિમી ઉત્તર પ્રદેશના મેરઠના પરિસરની ૨૭૨ મદરેસામાંથી ૭૦ મદરેસાઓએ તેમ જ બિજનૌર અને મુરાદાબાદની મદરેસાઓએ બાળકોના રસીકરણ માટે પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. તેમના ઇનકારના કારણ વિશે મેરઠ જિલ્લાના વૅક્સિનેશન ઑફિસરે જણાવ્યું હતું કે ‘વૉટ્સઍપ મેસેજ દ્વારા એવી અફવા ફેલાવવામાં આવી હતી કે ઓરી-અછબડાની રસી મુકાવવાથી છોકરાઓ નપુંસક થઈ જશે. મુસ્લિમોને નપુંસક બનાવવા માટે સરકાર તેમનાં સંતાનોને ઓરી-અછબડાની રસી મુકાવે છે.’

દેશના જુદા-જુદા પ્રાંતોમાંથી રસી મુકાવ્યા બાદ અનેક સ્ટુડન્ટ્સ બીમાર પડ્યા હોવાના સમાચાર ફેલાતાં લોકોમાં ભય ફેલાયો હતો. બાળકો બીમાર પડવા માટે વૅક્સિનેશન નહીં પણ અન્ય કોઈ કારણ હોવાનું સમજાવવાનો પ્રયાસ અમારા અધિકારીઓ કરી રહ્યા છે.’

December 21, 2018
icai_logo.jpeg
4min22380

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ કોર્સ તેમજ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ વ્યવસાયની સઘળી બાબતોનું સંચાલન જેના હાથમાં છે અને જે સંસ્થાને ભારતીય સંસદના ઠરાવથી અસ્તિત્વમાં લાવવામાં આવી છે એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા (આઇ.સી.એ.આઇ.)ની સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત તા.20મી ડિસેમ્બર 2018થી હાથ ધરાયેલી મતગણતરીની પ્રક્રિયામાં સુરતના આઇકોન યુથ અને સુરત સમેત દક્ષિણ ગુજરાતના યુવાનોમાં સૌથી વધુ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ તૈયાર કરનાર જય અજિત છૈરાનો પહેલા જ રાઉન્ડમાં પહેલા જ પ્રેફરન્સીયલ વોટથી પહેલા જ ક્રમે વિજય થયો છે.

આઇ.સી.એ.આઇ. ની સેન્ટ્રલ કાઉન્સિલમાં વેસ્ટર્ન રિજિયનમાંથી 11 ઉમેદવારો પ્રતિનિધિત્વ કરશે. વોટિંગ થયા બાદ દરેક ઉમેદવારે કુલ 3450 મત મળવા જોઇએ એવું ગણિત બેઠું હતું. પહેલા રાઉન્ડની ગણથરીમાં જ જય છૈરાને 3832 પ્રથમ પ્રેફરન્સીયલ મળી જતા તેઓ ચૂંટાયેલા જાહેર કરાયા છે. સુરત માટે આ ગૌરવશાળી બાબત છે કેમકે આઇ.સી.એ.આઇ. એ ભારતીય ઇકોનોમી બુસ્ટ કરે તેવી સંસ્થા છે. ભારતનાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ વ્યવસાયથી લઇને અભ્યાસક્રમને સંચાલિત કરે છે અને તેની સેન્ટ્રલ કાઉન્સિલમાં એક સુરતીનું ચૂંટાવું એ ખરેખર સુરત તેમજ ગુજરાત માટે ગૌરવવંતી બાબત છે. આ સાથે જય છૈરા બીજા વખત સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાયા છે.

ઇન્સિટટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસની સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં કુલ 42,517 મત પડ્યા હતા. જેમાંથી 1192 મતો ઇનવેલિડ પુરવાર થયા હતા. કુલ 41,405 વેલિડ વોટ્સના આધારે 3450નો ક્વોટા સેન્ટ્રલ કાઉન્સિલ માટે અને 1800નો ક્વોટા રિજિયોનલ કાઉન્સિલ માટે નિયત કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં પરીણામ આ મુજબ રહ્યું હતું

Rank

Sr No.

Name City 1st Pref
1 4 CHHAIRA JAY AJIT SURAT 3832
2 5 CHHAJED PRAFULLA PREMSUKH MUMBAI 3786
3 9 JAMBUSARIA NIHAR NIRANJAN MUMBAI 3441
4 18 TALATI ANIKET SUNIL AHMEDABAD 2987
5 13 KHANDELWAL DHEERAJ KUMAR MUMBAI 2735
6 14 KHANDELWAL PURUSHOTTAMLAL HUKAMICHAND AHMEDABAD 2560
7 8 HEGDE NANDKISHORE CHIDAMBER MUMBAI 2476
8 12 KABRA DURGESH KUMAR MUMBAI 2427
9 6 CHITALE CHANDRASHEKHAR VASANT PUNE 2373
10 3 BHANDARI ANIL SATYANARAYAN MUMBAI 2362
11 15 KINARE MANGESH PANDURANG THANE 2269
12 11 JOSHI SHRINIWAS YESHWANT MUMBAI 2224
13 7 GHIA TARUN JAMNADAS MUMBAI 2131
14 1 ADUKIA RAJKUMAR SATYANARAYAN MUMBAI 1823
15 17 SHAH SHRUTI JAYESH MUMBAI 1329
16 10 JOSHI SARVESH NANDLAL PUNE 929
17 2 BANERJEE ROBIN MUMBAI 892
18 16 PAWAR SANJAY NARAYAN PUNE 747

WIRCમાં બાલકિશન અગ્રવાલ પણ

પહેલા જ રાઉન્ડમાં વિજેતા

સુરતમાં પ્રેક્ટિસ કરતા બાલકિશન અગ્રવાલે પણ વેસ્ટર્ન રિજિયન કાઉન્સિલમાં મેમ્બરની ચૂંટણીમાં ઝુકાવ્યું હતું. તેમણે પહેલા જ રાઉન્ડમાં ફર્સ્ટ પ્રેફરન્સિયલ વોટ સાથે કુલ 2336 મતો મેળવીને વિજેતા નિવડ્યા હતા. તેઓ પણ સુરત માટે ગૌરવ સમાન છે. સુરત આઇ.એસ.એ.આઇ.ના ચેરમેન ભાવિન હિંગરે જય છૈરા તેમજ બાલકિશન અગ્રવાલને ઝળહળતા વિજય બદલ શુભકામનાઓ પાઠવી છે.

December 20, 2018
nilanshi.jpg
1min12460

મોડાસાના સાયરા ગામમાં રહેતી નીલાંશી પટેલ દસમા ધોરણમાં ભણે છે અને હાલમાં તેના નામે સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ગિનેસ વર્લ્ડ  રેકૉર્ડ બન્યો છે. તે છ વર્ષની હતી ત્યારે છેલ્લે વાળ કપાવ્યા હતા. એ પછીથી તેણે કદી વાળ કપાવ્યા નથી. દસ વર્ષમાં તેના વાળ ૧.૭૫ મીટર જેટલા લાંબા થઈ ચૂક્યા છે. તે અઠવાડિયે એક વાર વાળ ધુએ છે.

અડધો કલાક વાળને સૂકવતાં થાય છે. રોજેરોજ વાળની ગૂંચ કાઢીને ઓળતાં પૂરો એક કલાક થાય છે. લાંબા વાળ હોવા છતાં તે સ્પોર્ટ્સમાં પણ રસ ધરાવે છે. ટેબલ ટેનિસ, સ્વિમિંગ અને ડાન્સિંગનો તેને જબરો શોખ છે. જ્યારે પણ સ્પોર્ટ્સ રમવાની હોય ત્યારે તે લાંબો ચોટલો વાળીને એનો અંબોડો વાળી લે છે. થોડાક સમય પહેલાં તેને લિમ્કા બુક ઑફ રેકૉર્ડમાં સ્થાન મળ્યું છે. અને હાલમાં ગિનેસ વર્લ્ડ  રેકૉર્ડ્સમાં સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ખિતાબ મળ્યો છે.

December 18, 2018
nitin12.jpg
2min18160

(ઇટલી મોનાકોમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન)

(ઇટલીમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન)

(ઇટલીના મોનાકોમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન)

( સુરતના કટ્સ એન્ડ કલર્સના ઓનલ નીતિન માસ્ટર ટ્રેનર સાથે ઇટલીમાં )

ઇટલીમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા નીતિન લિંબાચીયા

(ઇટલીમાં હેર ડ્રેસિંગની ટ્રેનિંગ લઇ રહેલા નીતિન લિંબાચીયા પોતાના આર્ટથી ઇટલીમાં પણ નામના મેળવી રહ્યા છે)

કહેવાય છે ને કે નોકરી-ધંધામાં એ લોકો જ સફળ થાય છે જેઓ તેમના ધંધો-રોજગારને દિલોજાનથી ચાહતા હોય છે. સામાન્ય સંજોગોમાં આજે હાલતા-ચાલતા કોઇને પણ પૂછીએ કે નોકરી-ધંધો કેવો ચાલે છે, ત્યારે 99 ટકા જવાબો એવા જ આવે છે કે કશું બરાબર ચાલતું નથી, ફરીયાદોના ઢગલા થઇ જાય એટલું સાંભળવા મળે, ભાગ્યે જ એવા લોકો હોય કે જેમને પોતાના ધંધા-રોજગારથી પ્રેમ હોય. અહીં સુરતના એવા યુવાનની વાત કરી રહ્યો છું જે વ્યવસાયે વાળંદ છે પણ તેને પોતાના વ્યવસાય પ્રત્યે અનહદ પ્રેમ છે અને એટલે જ સુરતનો આ યુવાન નીતિન લિંબાચિયા ભારતનો જ નહીં પણ આંતર રાષ્ટ્રીય સ્તરે પોતાના ક્ષેત્રનો રોકસ્ટાર બની ચૂક્યો છે. અગાઉ ફેશન સિટી એમ્સટરડેમ ખાતે અને હાલમાં ઇટલીના મોનાકો, મોન્ટી કાર્લો ખાતે હેર ડ્રેસિંગની ઇન્ટરનેશનલ ટ્રેનિંગમાં પણ આ યુવાન વાહવાહી લૂટીં રહ્યો છે.

કટ્સ એન્ડ કલર્સના નીતિન કહે છે ઇટલીમાં હેર ડ્રેસિંગની ઇન્ટરનેશનલ ટ્રેનિંગનો લાભ સુરતના લોકોને જ મળવાનો છે 

હેર  ડ્રેસિંગમાં આંતર રાષ્ટ્રીય સ્તરે રોજેરોજ નીતનવી ટ્રીક્સ એન્ડ ટેકનિક્સ આવી જતી હોય છે

વાત કરી રહ્યો છું સુરતના ઘોડદોડ રોડ પર ક્રોમા નજીક આવેલા નીતિન્સ કટ્સ એન્ડ કલર્સના નીતિન લિંબાચીયાની. નીતિન હાલમાં ઇટાલીમાં છે અને હેર ડ્રેસિંગની લેટેસ્ટ ટેક્નોલોજી, ટ્રેન્ડસ જાણી રહ્યો છે. નીતિન કહે છે કે હેર ડ્રેસિંગ એ આર્ટ હોવાની સાથે સાયન્સ પણ છે. આ એટલું ડીપ સાયન્સ છે કે તેને સમજવામાં એક યુગ નીકળી જશે. અમારી પાસે આવતા ક્લાયન્ટસને ફક્ત એક હેરકટ, હેર સ્ટાઇલ કે બ્યુટી ટ્રીટમેન્ટથી એવો સંતોષ થાય કે તેમનું કમ્પલિટ મેકઓવર થયું છે, એનાથી મોટી ખુશી કઇ હોઇ શકે.

ઇટાલીના મોનાકોથી સી.આઇ.એ. લાઇવ સાથે વાત કરતા નીતિને કહ્યું કે હું જે કંઇપણ ટ્રેનિંગ નેશનલ, ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પરથી લઇ રહ્યો છું એ ફક્તને ફક્ત મારા ક્લાયન્ટસ, કસ્ટમર્સ અને સુરતના લોકો માટે છે. હું સુરતના લોકોને તેમની હેયરસ્ટાઇલ થકી નવી પહેચાન આપવા માગુ છું. આજે પણ સુરતમાં નીતિન પાસે હેર ડ્રેસિંગ કે અન્ય ટ્રીટમેન્ટ કરાવનારાઓનો વર્ગ ખાસ્સો મોટો છે, એપોઇન્ટમેન્ટ વગર નીતિન પાસે જઇ શકાય નહીં. આવું થવા પાછળનું કારણ ફક્ત એ જ છે કે નીતિન સાયન્ટિફીક એપ્રોચ થકી પોતાના ક્લાયન્ટની હેર સ્ટાઇલ, હેર કટ કે અન્ય બ્યુટી ટ્રીટમેન્ટસને આકાર આપે છે.

(ઇટલીના મોનાકોમાં જે ટીમ સાથે રહીને ટ્રેનિંગ લઇ રહી છે એ ટીમ સાથે ગ્રુપ ફોટો)

પરંપરાગત રીતે દાયકાઓ સુધી સિમીત રહેનાર હેર ડ્રેસિંગ પ્રોફેશનને સુરતના નીતિનએ એવા સ્ટેજ પર મૂકી દીધું છે કે તેના ક્લાયન્ટસ ટોળામાં પણ અલગ જ તરી આવે. નીતિન કહે છે કે વ્યક્તિની પર્સનાલિટીમાં હેર સ્ટાઇલ સૌથી મહત્વની ભૂમિકા ધરાવે છે, અમારી પાસે જ્યારે કોઇ ક્લાયન્ટ હોય ત્યારે તેના ચહેરા પર કઇ હેર સ્ટાઇલ સૌથી વધુ શૂટ થશે એ નક્કી કરીને તેને ઓપ આપવા માટે વિઝન જરૂરી છે, ટ્રેનિંગ અને નોલેજ વગર વિઝન મેળવવું મુશ્કેલ છે અને એટલે જ ક્લાયન્ટને 100 ટકા આપવા માટે અમારે સમયનો ખૂબ ભોગ આપવો પડે છે.

નીતિન સાથે તેમના વાઇફ પણ વુમન્સ બ્યુટી પાર્લરનું સુપેરે સંચાલન કરી રહ્યા છે.

December 17, 2018
SDCA_logo.jpg
1min12320

લાલભાઇ સ્ટેડીયમ ખાતે વોલીબોલ, બાસ્કેટબોલ અને ફુટબોલ માટે અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ

(પત્રકાર પરીષદને સંબોધતા સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના શ્રી કનૈયાભાઇ કોન્ટ્રકાટર, શ્રી હેમંત કોન્ટ્રાક્ટર, શ્રી હિતેષભાઇ પટેલ, શ્રી નરેન્દ્રભાઇ ગાંધી દ્રશ્યમાન છે)

સુરત શહેરની સૌથી પ્રીમિયર સ્પોર્ટસ ક્લબ તરીકે ગણના પામતા લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં ધ સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશન દ્વારા તેમના મેમ્બર્સ માટે વધુને વધુ અત્યાધુનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે. તાજેતરમાં ધ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા બાસ્કેટબોલ, ફુટબોલ અને વોલીબોલની ગેમ્સ માટે સિન્થેટિક્સ કોર્ટ તૈયાર કરાવડાવી તેનું લોકાપર્ણ કર્યું હતું.

(લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીરસમાં વોલીબોલ માટે અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો, એ સમયે રમાયેલી પહેલી મેચની તસ્વીર)

આ પ્રસંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વધુ વિગતો આપતા શ્રી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર, હેમંતભાઇ કોન્ટ્રાક્ટર, શ્રી હિતેશભાઇ  ડી. પટેલ, શ્રીએસ.એ. રાવલ, શ્રી મયંક દેસાઇ, ડો. નૈમેષ દેસાઇ, નિલેશ પટેલ, વિપુલ મુન્સી, યશેષ સ્વામી, નરેન્દ્ર ગાંધી, સાયમનભાઇ કોરેથ વગેરેએ જણાવ્યું હતું કે સિન્થેટિક્સ કોર્ટ એ રમનારાઓ માટે સુવિધા સંપન્ન હોવા સાથે ફિટનેસ માટે પણ ઉપયોગી છે. આંતર રાષ્ટ્રીય સ્તરે હવે સિન્થેટિક્સ કોર્ટ સર્વસ્વીકૃત બન્યા છે.

(લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં ફુટબોલની રમત માટે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ પર રમાયેલી પહેલી મેચની યાદગાત તસ્વીર)

આગેવાનોએ જણાવ્યું કે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશીએશન માટે એવી છાપ હતી કે ફક્ત ક્રિકેટની રમતને જ પ્રોત્સાહન મળે છે પરંતુ, અહીં હવે તમામ પ્રકારની રમતો સ્પર્ધાત્મક રીતે રમી શકાય તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરવામાં આવી રહ્યું છે. હાલના જીમ્નેશિયનને તોડીને નવું અત્યાધુનિક જીમ્નેશિયમ આકાર પામી રહ્યું છે. સ્વીમીંગ પુલ પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો બનાવવામાં આવી રહ્યો છે.

વધુમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં જ ટૂંક સમયમાં ઇન્ડોર લોન ટેનિસ તેમજ બેડમિગ્ટન કોર્ટનું નિર્માણ કરીને તેને સભ્યો માટે ખુલ્લા મૂકવામાં આવશે.

ક્રિકેટની રમત અંગે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના આગેવાનોએ જણાવ્યું કે સુરતને આઇ.પી.એલ. કે અન્ય ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ મળે તે માટે જરુરી માળખાગત સુવિધા વિકસાવવામાં આવી રહી છે. જેમકે આંતર રાષ્ટ્રીય સ્તરની મેચ માટે મિડીયા સેન્ટર હોવું જરૂરી હોઇ, કુલ 6000ની ક્ષમતા ધરાવતું મિડીયા સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે.

December 17, 2018
competitive.png
1min15580

ભરૂચમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિનામૂલ્યે તાલીમ વર્ગ ♦️

પોલીસ, તલાટી અને બિનસચિવાલયની ભરતી માટે લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમામ વર્ગના યુવાન-યુવતીઓ માટે વિના મૂલ્યે એક મહિનાના તાલીમ વર્ગ

✔️ 20 ડિસેમ્બરથી શરૂઆત
********************
એસ.સી., એસ.ટી., ઓબીસી અને જનરલ કેટેગરી સહિત તમામ વર્ગના યુવાન-યુવતીઓ જોડાઈ શકશે.

 સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વિના મૂલ્યે મેળવવાની અમૂલ્ય તક

ભરૂચમાં માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ, નવેઠા તથા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, ભરૂચ ઘ્વારા દરેક વર્ગના યુવાન યુવતીઓ માટે વિના મૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તાલીમ વર્ગનું આયોજન કરાયું છે. સરકાર ઘ્વારા પોલીસ, તલાટી અને બિનસચિવાલય વિભાગોમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે. જેના માટે ભરૂચ જીલાના યુવાન અને યુવતીઓ મફત તાલીમ મેળવી પરીક્ષામાં સફળ થઈ સરકારી નોકરી મેળવી શકે તેવા શુભ આશયથી આ તાલીમ વર્ગનું આયોજન હાથ ધરાયુ છે. જેનો લાભ લેવા તમામ વર્ગના યુવાન-યુવતીઓને અપીલ છે

✒️ પ્રવેશ ફોર્મ મેળવવાનું સ્થળ
**********************
નર્મદા ચેનલ,
સ્ટેચ્યુ પાર્ક પાસે,
ભરૂચ.

✔️ ફોર્મ પરત કરવાની તારીખ
********************
૧૯-૧૨-૨૦૧૮

✒️ વધુ માહિતી માટે સંપર્ક
******************

નરેશ ઠક્કર
મો. 95865 22666
ધર્મેશ પરમાર
મો. 99257 58409
જગદીશ પરમાર
મો. 94271 16916