CIA ALERT

WE Archives - Page 52 of 63 - CIA Live

January 9, 2019
pubg.jpg
1min18460

દાદાગીરીથી ધંધો કરવો, વટથી ધંધો કરવો આજે બધા ભૂલી ગયા છે. કસ્ટમર્સ, કલાયન્ટસ, ગ્રાહકો મેળવવા માટે વેપારીઓ, વિક્રેતાઓ ગ્રાહકોના પગ પકડવાનું જ બાકી રાખતા હોય છે. પ્રોડક્ટસ કે સેવા વેચવા માટે વિક્રેતાઓ એટલા ઝૂકી જાય કે ન પૂછો વાત. પણ અહીં એવા વેપારીની વાત કરવી છે જે ઓનલાઇન ગેમ રમાડે છે અને આખી દુનિયાને હાલમાં ઘેલી ઘેલી બનાવી દીધી છે.

PUBG ગેમવાળાએ એન્ટી ચિટીંગ સોફ્ટવેર લાગૂ કર્યો અને નોટિરીયસ ગેમર્સને બેન કરી દીધા

#PUBG પબજી ગેમવાળા દાદાગીરીથી ધંધો કરે છે અને હાલમાં તેમની આ દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઇન ગેમ #PUBG પબજી રમતા 30 હજાર પ્લેયર્સને પબજીવાળાએ કાઢી મૂક્યા છે એટલે કે આ રજિસ્ટર્ડ યુઝર્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેઓ તેમના આઇ.ડી.થી ગેમ નહીં રમી શકે, તેમના ડિવાઇસ પર ગેમ શરૂ નહીં થઇ શકે. #PUBG પબજીએ વિશ્વભરમાંથી 30 હજારથી વધુ પ્લેયર્સ પર બેન મૂક્યો અને આ લિસ્ટમાં સૌથી વધુ ઇન્ડિયન્સ હોવાના અહેવાલો છે.

#PUBG પબજી ગેમવાળાએ 30 હજારથી વધુ પ્લેયર્સ પર જુદા જુદા કારણોસર બેન મૂક્યો છે. પબજી ગેમવાળાઓનું કહેવું છે કે 30 હજાર પ્લેયર્સ સીધી રીતે ગેમ રમતા ન હતા. #PUBG પબજી સિવાય બીજી એપ્લિકેશન્સ કે ટુલ્સ અગર તો સોફ્ટવેર જોઇન કરીને ગેમ ફોર્મેટ સાથે ચેડાં થાય તેવી હરકતો કરી રહ્યા હતા. કેટલાક અવળચંડા યુઝર્સ અન્ય યુઝર્સની માહિતીઓ ત્રાહિત વ્યક્તિઓને સેન્ડ કરી રહ્યા હતા. કોઇપણ જાતની નોટિસ આપ્યા વગર #PUBG પબજી વાળાએ આવા નોટિરીયસ ગેમર્સને દાદાગીરીથી ગેમની બહાર કરી દીધા છે.

અહેવાલો તો એવા છે કે આ નોટિરયસ ગેમ યુઝર્સ #PUBG પબજી ગેમ રમવા માટે એટલા વ્યસની થઇ ગયા કે ઘણાં બધાએ આજીજીઓ કરી, વિનંતીઓ કરી, મેઇલ કરીને પોતાના પર બેન હટાવી લેવા જણાવ્યું. કેટલાકે ભૂલ કબૂલીને બેન ઉઠાવી લેવા #PUBG પબજીવાળાને મેસેજ કર્યા. #PUBG પબજી ગેમ રમવા માટે એક યુઝર્સ અનેક આઇડી બનાવી શકે પરંતુ, ઇન્સ્ટ્રુમેન્ટસ પણ બદલવો પડે તેવી સ્થિતિ હોવાના કારણે #PUBG ગેમ રમવાના વ્યસનીઓને પ્રતિબંધ આકરો લાગી રહ્યો છે.

January 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min17880

ગુજરાત બોર્ડ સંલગ્ન હોય તેવી રાજ્યમાં 18 હજાર જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ રાજ્યમાં હાલ ચાલી રહી છે. આ શાળાઓમાં ધો.9થી ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસના વર્ગો ચાલી રહ્યા છે. રાજ્યની આ 18 હજારથી વધુ સ્કુલ્સમાં ટોપ ફાઇવ સ્કુલમાં જો કોઇ શાળા સામેલ હોય તો એ છે સુરતના અડાજણ રોડ પર આવેલી ભૂલકાંભવન ટ્રસ્ટ સંચાલિત વી.ડી. (વાડીવાળા) દેસાઇ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે. ભૂલકાંભવન રાજ્યની એકમાત્ર એવી શાળા છે જેણે અત્યાર સુધી ગુજરાત બોર્ડમાં સૌથી વધુ રેન્કર્સ સ્ટુડન્ટસ આપ્યા છે, અને હાલમાં એ-વન ગ્રેડસ પણ એટલા જ આપી રહી છે.

પૂર્વ પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ જ્યારે બાળકને યોગ્ય રીતે મળે ત્યારે જ બાળકનો કારકિર્દી ઘડતરનો પાયો મજબૂત બની શકે છે. ભૂલકાંભવન ટ્રસ્ટની શાળામાં ત્રણ વર્ષે દાખલ થતું બાળક આ જ પ્રકારે ઘડાય છે. પ્રાથમિક શિક્ષણ પૂરું થાય ત્યાં સુધીમાં તો ભૂલકાંભવનનું બાળક સર્વાંગી રીતે જીવન અને તેનો દ્રષ્ટિકોણ જોવા-જાણવા-માણવા માટે બિલકુલ સજ્જ બની જતું હોય છે. માધ્યમિક શિક્ષણમાં ધો.9 અને 10માં વિદ્યાર્થીમાં ધરબાયેલી પ્રતિભાને શોધીને યોગ્ય દિશા આપવાનું કામ થાય છે.

વ્યવસાયિક કારકિર્દીનો મજબૂત પાયો ઘડે છે ભૂલકાંભવન

ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સાયન્સ હોય કે કોમર્સ અહીં વિદ્યાર્થીઓની વ્યવસાયિક કારકિર્દી કઇ દિશા તરફ જશે તેનું મજબૂત ફાઉન્ડેશન થાય છે. ખાસ કરીને અહીં વાત કરવી છે ભૂલકાંભવન શાળામાં ચાલતા ધો.11-12 સાયન્સ ગુજરાત બોર્ડના અભ્યાસક્રમ અને તેની કાર્યપદ્ધતિ અંગે. ધો.11-12 સાયન્સના અભ્યાસની વાત આવે એટલે તેની સાથે જોડાયેલી જેઇઇ મેઇન્સ, એડવાન્સ્ડ અને નીટ-ગુજકેટ જેવી પરીક્ષાનો હાઉ વાલીઓ અને વિદ્યાર્થીઓના ચહેરા પર સાહજિક રીતે તરી આવે. પણ અહીં ભૂલકાંભવનમાં આ હાઉને દૂર કરવા માટે સિસ્ટમેટિક સ્ટડી મેથડ અમલી બનાવવામાં આવી છે.

ભૂલકાંભવનમાં ધો.11-12 સાયન્સ ભણનારા વિદ્યાર્થીઓને જેઇઇ-નીટ-ગુજકેટના કે અન્ય ટ્યુશનની જરૂર રહેતી નથી

ધો.11-12 સાયન્સમાં ભૂલકાંભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા ટ્યુશન, ક્રેશ કોર્સ કે જેઇઇ નીટ જેવી પરીક્ષા માટે લાખો રૂપિયાના પેકેજવાળા ધંધાદારી કોચિંગ ક્લાસીસની જરૂર રહેતી નથી. કેમકે અહીં ધો.11માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને શાળાનું શિક્ષણ ઉપરાંત તેના માટે જરૂર પડ્યે સ્પેશ્યલ ક્લાસીસ અને તેની સાથે જ જેઇઇ, નીટ, ગુજકેટ જેવી પરીક્ષાની તૈયારી પણ શાળા દ્વારા શાળામાં જ કરાવવામાં આવે છે. એક ફુલ ડે સ્કુલ સિસ્ટમથી અહીં ઉ.મા. વિભાગમાં સાયન્સનું શિક્ષણ આપવામાં આવે છે. સવારે 7 વાગ્યે શાળામાં આવતું બાળક બપોરે 3 વાગ્યા સુધીમાં સંપૂર્ણ અભ્યાસ બાદ ફ્રી થઇ જાય છે અને ઘરે વાંચન, લેખન કે અન્ય રચનાત્મક પ્રવૃતિ કરી શકે છે.

વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીમાંથી જ ફુલ-ડે સ્કુલ કન્સેપ્ટ અપનાવ્યો

જ્યારે આ સિસ્ટમ સિવાયના ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓની લાઇફ જોઇએ તો સ્કુલ ટાઇમ પછી સ્કુલના ટ્યુશન અને એની સાથે જેઇઇ, નીટ, ગુજકેટના ટ્યુશન એમ રાત્રે 9.30થી 10 વાગ્યે ફ્રી થાય અને બીજા દિવસથી ફરીથી એ જ રૂટિન શરૂ. ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓની આવી હાડમારી નિહાળીને ખાસ ભૂલકાંભવન ટ્રસ્ટના મેનેજમેન્ટએ વિદ્યાર્થીઓ માટે ફુલ ડે કન્સેપ્ટ અમલમાં મૂક્યો છે.

ધો.11-12 સાયન્સમાં ભૂલકાંભવનમાં પ્રવેશ લેવા ઇચ્છતા હોવ તો

ધો.11-12 સાયન્સમાં ભૂલકાંભવનમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે અડાજણ રોડ પર ભૂલકાંભવન સ્કુલના હોલમાં આગામી તા.10મી જાન્યુઆરી 2019ને ગુરુવારે સવારે 8 કલાકે ખાસ ગાઇડન્સ મિટીંગ રાખવામાં આવી છે. જેમાં ભૂલકાંભવન મેનેજમેન્ટ, શિક્ષકો આ શાળાની ધો.11-12 સાયન્સની ડે સ્કુલ કન્સેપ્ટ, ભણાવવાની પદ્ધિત, પ્રવેશ પરીક્ષાનું ગાઇડન્સ વગેરે આપશે.

ભૂલકાંભવન ક્યારે અને કેવી રીતે પાંગર્યું

1. Bhulka Bhavan Trust 15-03-1975
2. Pre-Primary Section 12-06-1975
3. Primary Section 06-06-1976
4. Secondary Section 01-09-1983
5. Higher Secondary Section Science Stream 01-07-1986
6. Commerce Stream 19-10-1989

 

 

January 7, 2019
main10.jpg
1min11600

લોકસભા 2019ની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બે મુખ્ય રાજકીય હરીફ ભાજપા અને કોંગ્રેસ જ્યાં જ્યાં પોતાની સરકારો છે ત્યાં ત્યાં સુધા જ સામાન્ય લોકોને લાભ મળે તેવી યોજનાઓની જાહેરાતો કરી રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતોના દેવા માફ કરી દેનાર કોંગ્રેસને લપડાક મળે તે માટે ભાજપાએ આજે કેન્દ્ર સરકારની કેબિનેટમાં એવો નિર્ણય લેવડાવ્યો કે જેનાથી આખા દેશના સવર્ણ (ઓપન કેટેગરી) (અનરિઝર્વ્ડ) કેટેગરીમાં આવતા તમામ લોકોને ઉચ્ચ અભ્યાસ (સ્કુલ પછીનો અભ્યાસ)માં તેમજ સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત મળશે. આ સાથે જ દેશમાં હવે અનામતનું પ્રમાણ 49 ટકાથી વધીને 59 ટકા થયું છે.

કેન્દ્ર સરકારની કેબિનેટમાં આર્થિક રીતે નબળા વર્ગના સવર્ણ પરિવારોના ઉમેદવારોને નોકરી અને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ સમયે 10 ટકા અનામત આપવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ બિલ સંસદ અને રાજ્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવશે. લોકસભાની ચૂંટણીઓ 2019માં યોજાઇ રહી છે તે પહેલા કેન્દ્રની ભાજપા સરકાર આ બિલનો અમલ કરી દેવા સાથે આગળ વધી રહી છે.

આર્થિક રીતે નબળા વર્ગના સવર્ણનું પ્રમાણ નક્કી કરવા માટે જે તે પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ.8 લાખની રાખવામાં આવી છે.

News in English too

The Union Cabinet has approved 10 per cent reservation in jobs and educational institutions for the economically weak sections in the general category+. This reservation will be over and above the existing 50 per cent reservation, they said, adding that the government is likely to bring a constitutional amendment bill in Parliament on Tuesday, 8th January 2019.

“The reservation will be given to those economically backward poor people who are not availing the benefit of reservation as of now,” a source said.

The reservation benefit is likely to be availed by those whose annual income is below Rs 8 lakh and have up to five acres of land, he said.

Articles 15 and 16 of the Constitution will have to be amended for implementation of the decision, the sources added.

The move has come just ahead of the Lok Sabha elections this year.

January 4, 2019
kausa.jpg
1min6050

ઓસ્ટ્રેલિયામાં ભણવા માટે ગયેલા અને રોજીરોટી માટે ટેક્સી ચલાવવા સહિત નાની મોટી નોકરી કરી ગુજરાન ચલાવનાર કૌશલ્યા વાઘેલાની પસંદગી ઓસ્ટ્રેલિયામાં સાંસદ તરીકે કરવામાં આવી છે.

ભારતીય નાગરિકો વિદેશમાં જઈને ભારતનું નામ રોશન કરતા હોય છે. અને આ વખતે આ કામ જામનગરના મૂળ એવા કૌશલ્યા વાઘેલાએ ભારતનું ગૌરવ વધાર્યું છે. કૌશલ્યા વાઘેલાએ જામનગરની સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે. તે ભારતમાં જન્મેલા પહેલા મહિલા છે જે વિદેશમાં સાંસદ બન્યા છે. 11 ડિસેમ્બર થયેલી ચૂંટણીના પરિણામમાં કૌશલ્યા વાઘેલાની જીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે કૌશલ્યા ઓસ્ટ્રેલિયામાં સમાજના પાયાના પ્રશ્નો અને સમાજની જરૂરિયાતોને મુદ્દો બનાવીને ચૂંટણી લડ્યા હતા. મૂળ જામનગરના કૌશલ્યા વાઘેલા ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા સંસદમાં સાંસદ તરીકે ચૂંટાયા છે.

એક સમયે ઓસ્ટ્રેલિયામાં ભણવા માટે ગયેલા અને રોજીરોટી માટે ટેક્સી ચલાવવા સહિત નાની મોટી નોકરી કરી ગુજરાન ચલાવનાર કૌશલ્યા વાઘેલાની પસંદગી ઓસ્ટ્રેલિયામાં સાંસદ તરીકે કરવામાં આવી છે. કૌશલ્યા વાઘેલાએ નાની-નાની નોકરી કરતા કરતા પોતાનો ધંધો કરવાની શરૂઆત કરી હતી, જેના કારણે કેટલીક વખત એવો સમય પણ આવ્યો જ્યારે કાયદા સામે અવાજ ઉઠાવવાની જરૂર પણ પડી. જો કે આજે આ જ કૌશલ્યા વાઘેલા ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા પાર્લામેન્ટના સાસંદ બન્યા છે.

 

January 2, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6970

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાત સરકારે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ગિફટ આપી છે. માત્ર મેડિકલ જ નહી, હવેથી અન્ય અભ્યાસ માટે પણ વિદેશમાં સ્ટડી કરવા માટે સરકાર સસ્તા વ્યાજે લોન આપશે.

ગઈ કાલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પ્રધાનમંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી જેમાં બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટેના અભ્યાસને લઈને મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટલે જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતના શિક્ષિત યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રીતે સહાય કરવા માટે રાજ્ય સરકારે બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરી છે. એમાં વિવિધ યોજનાઓ કાર્યન્વિત કરવામાં આવી છે જેમાં સહાય મેળવવા માટે વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાની હતી એ વધારીને સાડાચાર લાખ રૂપિયાની કરવામાં આવી છે. આ ઉપરાંત ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે સાદા વ્યાજની ૧૫ લાખની લોન અપાય છે એ માટેની આવક-મર્યાદા સાડાચાર લાખ રૂપિયાથી વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે હવે છ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા કોઈ પણ યુવાનો વિદેશ અભ્યાસ માટે લોન મેળવી શકશે.’

મેડિકલ અને ટેક્નિકલ અભ્યાસ માટે નિગમ દ્વારા જે લોન અપાતી હતી એ યોજનાનો માત્ર ગુજરાતમાં પ્રવેશ મેળવે તેને જ લાભ મળતો હતો. એને બદલે હવે રાજ્યની બહાર કોઈ પણ રાજ્યમાં પ્રવેશ મેળવશે તો તે પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. સાથે-સાથે રાજ્ય બહારની IIT, NID, IIM, NIFT, નિરમા જેવી રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ ગુજરાતનો યુવાન પ્રવેશ મેળવશે તો તેને પણ આ નિગમ દ્વારા લોનનો લાભ પૂરો પાડવામાં આવશે.

December 28, 2018
surat_police.jpg
1min14880

આગામી તા.31મી ડિસેમ્બર 2018ને સોમવારે 2018ની વિદાય અને 2019ના આગમન પ્રસંગે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જળવાય રહે તે માટે સુરત પોલીસને તમામે તમામ જવાનો સાંજે 5 વાગ્યાથી ઓન ફિલ્ડ હશે એવી જાહેરાત કરતા સુરત પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ ફેસબુક લાઇવ વિડિયોમાં જણાવ્યું હતું કે સુરત પોલીસને ત્રણ ફરીયાદો વારંવાર મળે છે, એક દારુડીયાઓ દ્વારા તોફાન મચાવવાની, બીજી ફરીયાદ મહિલાઓ, યુવતિઓની મશ્કરી કરવાની અને ત્રીજી ફરીયાદ રફ ડ્રાઇવિંગ કરવાની. આ ત્રણેય બાબતો પર પોલીસની વોચ રહેશે.

  • સુરત પોલીસના એકેએક જવાનો ઓન ધ ફિલ્ડ હશે
  • 31 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યાથી ડુમસ રોડ પર વાહન બંધી
  • 4 પોલીસ ચોકી પર ખાસ પોલીસ કુમક તૈનાત રહેશે
  1. પીપલોદ પોલીસ ચોકી
  2. ગોવર્ધન હવેલી પાસે
  3. એસ.કે. નગર ચાર રસ્તા
  4. ડુમસ લંગર ચાર રસ્તા

પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ નાગરિકોને જણાવ્યું કે 31મી ડિસેમ્બર 2018ને સાંજે 5 વાગ્યાથી ડુમસ રોડ વાહનોની અવરજવર માટે બંધ રહેશે. નાગરિકો ડુમસ રોડ પર વાહનો લઇને નહીં જઇ શકે, પગપાળા ઉજવણી માટે ત્યાં પહોંચી જશે. તેમણે કહ્યું કે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પોલીસ પોઇન્ટ હશે. કોઇપણ નાગરિક પોલીસની મદદ માગી શકશે. સુરત શહેર પોલીસનો તમામે તમામ સ્ટાફ થર્ટી ફર્સ્ટની રાત્રે ઓન ધ ફિલ્ડ હશે. દરેક જવાન, અધિકારીઓને પોતાની ફરજના સ્થળ જણાવી દેવાયા છે અને તેઓ ત્યાં તૈનાત હશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કંઇપણ ખરી છૂટશે.

સુરત શહેર પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ ફેસબુક લાઇવ પર આ રીતે ગાઇડન્સ આપ્યું હતું.

#નવા વર્ષની ઉજવણી દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો.#Live #SmartCity #SmartSurat #SuratCityPolice #GujaratPolice #Like #Share #Comment #SafeSurat #Follow #Surat #Gujarat #India.Our Official Pages :FB Page : @suratcitypoliceInsta : @suratcitypoliceTwitter : @Cp_surat

Posted by Surat City Police on Friday, 28 December 2018

December 26, 2018
d3-1.jpg
1min15990

ગુજરાતના શિક્ષણ વિભાગમાં રાજ્ય સરકારની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઇ રહી છે. રાજ્યમાં સ્કુલ ટુરની બસોના થયેલા ઉપરાછાપરી બે અકસ્માત બાદ રાજ્ય સરકારે મને કમને એવો નિર્ણય કરવો પડ્યો છે કે સ્કુલની ટૂરો રાત્રીના સમયે ડ્રાઇવિંગ નહીં કરી શકે એટલે રાત્રીના સમયે સ્કુલ કોલેજની ટૂરોની મુસાફરી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે શાળા કે કૉલેજમાંથી પ્રવાસ માટે જતા વિદ્યાર્થીઓની સલામતિને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. સ્કૂલ કે કૉલેજની પ્રવાસ લઈને જતી બસો રાત્રે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી પ્રવાસ નહીં કરી શકે.

ડાંગમાં વિદ્યાર્થીઓની બસને થયેલા અકસ્માતની ફાઈલ તસ્વીર

શાળા કે કૉલેજની બસોને થતા અકસ્માતને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસ લઈને જતી બસોને રાત્રિ દરમિયાન પ્રવાસ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારના નિર્ણય અંગે નાયબ મુખ્યમંત્રીએ જાણકારી આપતા કહ્યું કે થોડા સમયથી શાળાને બાળકોને લઈ જતી બસને અકસ્માત થયો હોવાના કિસ્સા વધી રહ્યા છે. જેમાં બાળકોના મોતના સમાચાર પણ સામે આવે છે. વિદ્યાર્થીઓ ઘાયલ પણ થાય છે. આવા કિસ્સામાં સરકાર સહાય જાહેર કરે છે. પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શાળાના બાળકોને પ્રવાસે લઇ જતી બસો રાતનાં 11 કલાકથી સવારે 6 કલાક સુધી પ્રવાસ નહીં કરી શકે. જે બસો રાતે પ્રવાસ કરતી હતી અને વિવિધ જગ્યાએ અકસ્માતનો ભોગ બની તેવું ભવિષ્યમાં ન થાય એટલે રાતે બસો પ્રવાસ કરી શકશે નહીં. આ ઉપરાંત બાળકોને રાતે રહેવાની યોગ્ય વ્યવસ્થા કરશે.

મહત્વનું છે કે ચાર દિવસ પહેલા જ ડાંગમાં વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલી બસ ખીણમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબકેલી આ બસમાં ત્યારે 50 વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાંથી 10નાં મોત થયા હતા. જે બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

December 24, 2018
fo2-1280x853.jpg
1min11530

આમ તો સુરત અને સુરતીઓ ઉદાર સખાવતી ગણાય. સુરતમાં કહેવાય છે કે કોઇક સારા કામ-કાર્ય કરવા માટે ટહેલ નાંખે એટલે જોતજોતામાં કરોડો રૂપિયા ભેગા થઇ જાય. ખાણીપીણીના શોખીન સુરતીઓમાં હેલ્પિંગ હેન્ડસની ભાવના પણ ઉજાગર થતી જોવા મળે છે. આવા જ એક સુરતી યુવાન જીગર ટોપીવાલાએ પોતાની નાનકડી દિકરી વિહાની જીગર ટોપીવાલામાં નાનપણથી જ ઉદાર હાથે બીજાને કશુંક આપવાની પ્રેરણાના બી રોપવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાના અંદાજે 286 જેટલા વિદ્યાર્થીઓને ગીફ્ટસ વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમની ફળશ્રુતિ રૂપે શહેરના દાનવીરોને મળી છે દાન કરવાની ચેલેન્જ અને એ ચેલેન્જનું નામ પણ રાખવામાં આવ્યું છે હેશટેગ વાઇરલ કર દો ખુશીયા…#KhushiyanViralKarDo

(વિહાની જીગર ટોપીવાળા નામની આ દિકરીમાં અત્યારથી જ ઉદારતા અને સમર્પણની ભાવના વિકસાવવા માટે તેના માતાપિતાએ નાતાલ પર્વને અનુલક્ષીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત રવિશંકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિહાનીના હસ્તે ગીફ્ટ વિતરણ કર્યું હતું.)

૨૪ ડિસેમ્બરના રોજ શહેરની શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા, ઉગત ના વિદ્યાર્થીઓ એ નાનકડા બાળ સાન્ટા કલોઝ સાથે નાતાલની ઉજાણી કરી હતી. વિદ્યાર્થીઓમાં ડાન્સ, ક્વિઝ અને તેમની ઉમર મુજબ ગિફ્ટ્સ, ચોકલેટસ તથા કેક આપી ભૂલકાઓના ચહેરા પર ખુશાલી મહેકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરતના અડાજણ સ્થિત ડિજીટલ મિડીયા માર્કેટિંગ ફર્મ ઓનલાઈન યુગ ના મેનેજમેન્ટએ આ ચેલેન્જ લઇને દાનવીર તરીકે જાણીતા સુરતીઓને એક નવી દિશા આપી છે.

(શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી રવિશંકર પ્રાથમિક શાળામાં નાતાલની પર્વે જીગર ટોપીવાળા એન્ડ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા 286 જેટલા બાળકોને ગીફ્ટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો)

બાળપણથી નાના બાળકોમાં ઉદારતા અને સમર્પણની ભાવનાના બીજ રોપાય અને સમગ્ર જીવન દરમિયાન તેઓ તેનો વ્યાપ વધારે એવા પ્રયાસના ભાગરૂપે સુરત મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

(શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી રવિશંકર પ્રાથમિક શાળામાં નાતાલની પૂર્વ સંધ્યાએ ગીફ્ટ વિતરણ કરતા જૈવલ કુનાલ મારફતિયા)

દાન અને મદદની ભાવના રાખીને આગળ વધે એ જ આપણી સભ્યતા અને સંસ્કાર છે. આ વર્ષ ના અંત પેહલા એક નાનકડી પ્રતિજ્ઞા લઇને આપણા બાળકોને દાન કરતા શીખવીએ અને ગરીબ બાળકોની મદદ શરુ કરીએ. સોશ્યિલ મીડિયા પર લોકોને પ્રેરિત કરવા માટે #KhushiyanViralKarDo મુકી તમારા ફોટોસ શૅર કરો. સુરતના દરેક લોકો દાન કરે અને ખુશી ફેલાવામાં પોતાનું યોગદાન આપે, એ ઉદેશ્ય સાથે ચાલો અપને પણ આજે એક ચેલેન્જ લઈએ અને બીજા પાંચ લોકોને ચેલેન્જ લેવા પ્રેરિત કરીયે.

(વિહાની ટોપીવાળાની સખાવત સાથે શહેરમાં શરૂ થઇ ચેલેન્જ #KhushiyanViralKarDo)

દરેક ગરીબ બાળક ને પણ એ જ ઉજાણી અને મજાક મસ્તી નો હક છે જે આપણા બાળકો ને છે. ૨૦૧૯ ની શરૂઆત દરેક બાળક માટે યાદગાર બને એ માટે એક ખુશ ભવિષ્ય ની તરફ કદમ ઉઠાવીયે, ચાલો ખુશી વાયરલ કરીયે.

December 24, 2018
mainved.jpg
1min17820

સમગ્ર વિશ્વમાં હાલમાં એક ભારતીય સાહસિક સાયકલિસ્ટ યુવતિ વેદાંગી કુલકર્ણી સોશ્યલ મિડીયામાં ટ્રોલ થઇ રહી છે. વેદાંગી કુલકર્ણીએ એ કહેવતને સાર્થક કરી દેખાડી છે કે, … મહેનત ઇતની ચૂપકે સે કરો કી સફલતા શોર મચા દે….પૂણેની સાહસિક યુવતિ વેદાંગીએ એવો રેકોર્ડ કર્યો છે કે ભલભલા અચંબામાં પડી ગયા છે. સમગ્ર વિશ્વનો સૌથી ઝડપી સાઇકલ પર રાઉન્ડ મારનાર જો કોઇ હોય તો એ વેદાંગી કુલકર્ણી છે.

  • જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિગંની શરૂઆત કરી
  • દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર સાઇકલ પર કાપે છે વેદાંગી
  • ૧૫૯ દિવસોમાં ૧૪ દેશોમાં સાઇકલ લઇને ફરી ચૂકી છે વેદાંગી

પુણેની ૨૦ વર્ષની વેદાંગી કુલકર્ણી નામની યુવતીએ સાઇકલ પર આખા વિશ્વનો ઝડપથી પ્રવાસ કરી એશિયાની સૌથી ઝડપી મહિલા બની હોવાનો અદ્ભુત અને અવિશ્વસનીય ખિતાબ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પુણેમાં રહેતી વેદાંગીએ કલકત્તામાં તા.23 ડિસેમ્બર 2018ને રવિવારે સવારથી સાઇકલ ચલાવવાનું શરૂ કર્યું હતું. સમગ્ર વિશ્વમાં સાઇકલ ચલાવવા માટે લાયક બનવા ૨૯,૦૦૦ કિમી અંતરની જરૂર હતી. જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિંગની શરૂઆત કરી હતી અને હવે તે રેકોર્ડ પૂર્ણ કરવા માટે ઓસ્ટ્રેલિયાના શહેરમાં પાછી ફરશે. આ અંગે વેદાંગીએ જણાવ્યું હતું કે દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર કાપીને ૧૫૯ દિવસોમાં ૧૪ દેશો ફરી વળી છું. દરમિયાન મને સારા અને ખરાબ અનુભવો પણ થયાં હતાં.

બ્રિટિશ સાહસિક જૅની ગ્રહમ (૩૮) ૨૦૧૮માં ૧૨૪ દિવસોમાં આખી દુનિયામાં સાઇકલ ચલાવી શકનારી સૌથી ઝડપી મહિલા છે, જે અગાઉના રેકોર્ડ કરતાં ત્રણ અઠવાડિયા ઝડપી હતી.

December 24, 2018
utu_logo-1280x1380.png
1min17330

સુરત નજીક બારડોલી-મહુવા રોડ પર આવેલા માલિબા કેમ્પસમાં કાર્યરત ઉકા તરસાડીયા યુનિવર્સિટીનો 6ઠ્ઠો વાર્ષિક પદવીદાન સમારોહ તા.23મી ડિસેમ્બર 2018ના રોજ યુનિવર્સિટી સંકુલમાં શાનદાર રીતે સંપન્ન થયો હતો. માલિબા કેમ્પસમાં ચાલતી વિવિધ ફેકલ્ટીઓની કોલેજોના ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર સાથે દિક્ષા આપીને વ્યવહારુ દુનિયામાં પ્રવેશ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

(6th Convocation of Uka Tarsadia University)

ઉકા તરસાડીયા યુનિવર્સિટીના 6ઠ્ઠા વાર્ષિક પદવીદાન સમારોહના અધ્યક્ષ પદે સંસ્થાના પ્રમુખ શ્રી શૈલેષભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના કમિશનર શ્રી ડો.હેમંતભાઇ જી. કોશીયા, શ્રી બળદેવભાઇ ઠાકોર અને શ્રી નારણભાઇ પટેલ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પદવીઓ હાંસલ કરનારા વિદ્યાર્થીઓની તેમના માતા-પિતા, પરિવારજનો, ફ્રેન્ડ્સ તેમજ કોલેજના અન્ય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(Anthem of UTU)

Value based Education at Uka Tarsadia University

Posted by Uka Tarsadia University -Maliba Campus on Thursday, 18 December 2014

(Uka Tarsadia Univeristy Convocation held at the Maliba Campus on 23-12-2018)