CIA ALERT

WE Archives - Page 36 of 63 - CIA Live

November 15, 2019
CIA_live_waterbreak_logo-1280x1280.jpg
1min5940

શાળાઓમાં ‘વૉટર બ્રેક’ વિદ્યાર્થીઓને નિયમિત અંતરાલે પાણી પીવાનું યાદ અપાવે છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિજ્ઞાન, શાસ્ત્રો અને તબીબો નિયમિત રીતે એવું કહી રહ્યા છે કે માનવીએ દિવસમાં શક્ય હોય તેટલું વધુ પાણી પીવું જોઇએ, કમનસીબે બહુ જૂજ લોકો નિયમિત અંતરાળે પાણી પી ને સ્વાસ્થય સારુ રાખે છે, બિમારીઓને દૂર રાખી શકે છે. મોટા ભાગના લોકો વિદ્યાર્થીઓ સમેત કહેવાતી વ્યસ્તતા ને કારણે શરીરને પાણીથી કલાકો વંચિત રાખે છે અને તેને કારણે જાત જાતની બીમારીઓ નોંતરે છે. CIA Live આવું ન થાય તે હેતુથી કેરળની શાળાઓમાં બાલ દિન પૂર્વે પ્રાયોગિક ધોરણે ‘વૉટર બ્રેક’ શરૂ કરાયો હતો. દરેક પીરિયડમાં વિદ્યાર્થીઓને પાણી પીવા માટેનો સમય આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને પાણી પીવડાવવાનું યાદ અપાવવા માટે ખાસ બેલ વગાડવામાં આવે છે.

કેરળની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ નિયમિત રીતે પાણી પીએ એ માટે ખાસ વોટર બ્રેક અભિયાન શરૂ થયું છે. સમગ્ર દેશમાં આ અભિયાનને સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે. કેરળ પછી કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વોટર બ્રેક માટે અનુકુળ માહોલ સર્જાયો છે. હવે આ વોટર બ્રેક અભિયાન સમગ્ર દેશમાં શરૂ થાય એ દિવસો દૂર નથી. CIA Live

આ યોજનાને હાલમાં શરૂ કરાયેલા અસોસિયેશન ઓફ પ્રાયમરી એજ્યુકેશન (એપીઇઆર) અને સંશોધને Water Break નામની ઝુંબેશ હેઠળ દેશભરની તમામ શાળાઓમાં લાગુ કરવાને અપીલ કરવામાં આવી છે. CIA Live

મુંબઇ સહિત પુણે, હૈદરાબાદ, બૅંગ્લોર અને ચેન્નઇના શિક્ષકો અને વિદ્યાર્થીઓના વાલીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતાં, તેમાં 6થી 10 વર્ષની વયના ૬૮ ટકા વિદ્યાર્થીઓ પાણી ભરેલી બૉટલ ઘરે પાછી લાવતા હોય છે. તેથી શાળાઓના વિદ્યાર્થીઓને પાણી પીવાનું યાદ અપાવવા માટે ખાસ ઘંટ વગાડવામાં આવે તેવી અપીલ અસોસિયેશન કરી રહ્યું છે.

અનેક ક્ષેત્રોમાં પહેલ કરતા સૂરત શહેરની શાળાઓએ વોટર બ્રેકનો કન્સેપ્ટ અપનાવવામાં વિલંબ ન કરવો જોઇએ

સૂરત શહેરની વાત કરીએ તો સૂરત શહેરમાં 1200થી વધુ શાળાઓ, 150થી વધુ કોલેજો, ટ્યુશન-કોચિંગ ક્લાસીસો વગેરે કાર્યરત છે. સૂરત ગુજરાતનું મોટામાં મોટું એજ્યુકેશનલ હબ બની ચૂક્યું છે. સૂરત શહેરનું નામ પહેલ કરવામાં અગ્રેસર છે. સ્વચ્છતા અભિયાન હોય, ગ્રીનરી વિકસાવવાની હોય, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના પ્રોજેક્ટસ હોય કે પછી ટેક્સ ભરવાનો હોય, સૂરત શહેરના લોકોએ પહેલ કરી છે અને પછી ગુજરાત રાજ્ય અને દેશભરમાં એ પહેલને અનુયાયીઓ મળ્યા છે. સી.આઇ.એ. લાઇવ CIA Live અને શિક્ષણ સર્વદા (વિદ્યાર્થીઓનું અખબાર) સૂરત શહેરની શાળાઓ, સંચાલકો, આચાર્યો, શિક્ષકો વગેરેને અપીલ કરે છે કે સૂરતના વિદ્યાર્થીઓના સ્વાસ્થય હિતમાં વોટર બ્રેકનો અમલ સત્વરે શરૂ કરવો જોઇએ.

સૂરતના બાળકોના શરીરમાં શાળાકીય સમયના 5થી 6 કલાકમાં એકથી દોઢ લીટર પાણી જશે તો બાળકો અનેક બિમારીઓથી દૂર રહેશે અને તેઓ ફીટ રહેવા માંડશે. CIA Live


November 13, 2019
uma_ias.png
1min6810

રાતે સૂતી વખતે ઘડિયાળ સામે નહીં જોવાનું, પણ સવારમાં એ જ ઘડિયાળમાં પાંચ વાગે એટલે જાગી જવાનું. એ સમયે ઘરના અન્ય સભ્યો ગાઢ નીંદરમાં હોય એટલે કોઈને પણ વિક્ષેપ ન પડે એ રીતે અભ્યાસ કરવાનો. પૂરા બે કલાક સુધી. ઘડિયાળમાં સાતના ટકોરા થાય એટલે ઘરકામમાં લાગી જવાનું. સવારના ચા-નાસ્તાથી માંડીને બીજાં દૈનિક કામો પતાવવા ઉપરાંત દીકરીને જગાડી, એને તૈયાર કરીને શાળાએ ભણવા મોકલવાની. આ બધું કામ પતાવતા પતાવતા ઘડિયાળમાં દસ ક્યાં વાગી જાય એની ખબર જ ન પડે. સવારે વહેલાસર જાગ્યા પછી સતત પાંચ કલાક પ્રવૃત્ત રહ્યા પછી કોઈ પણ વ્યક્તિને બે ઘડી લાંબો વાંસો કરવાનું મન થાય એ સ્વાભાવિક ગણાય. પણ ના, એ પોસાય જ નહીં, કારણ કે નક્કી કરેલું લક્ષ્ય પાર પાડવાનું છે. દસ વાગ્યાથી ફરી પુસ્તક હાથમાં અને અધૂરો રાખેલા અભ્યાસ આગળ ચાલુ રાખવાનો. બાર સવાબાર થાય એટલે દીકરીનો સ્કૂલેથી પાછા ફરવાનો સમય થઈ જાય. ફરી પુસ્તકો બંધ અને સમગ્ર ધ્યાન દીકરીમાં પરોવાઈ જાય. દીકરીનું જમવાનું, એના અભ્યાસ પર દેખરેખ રાખવાની અને ઘરના બીજાં નાનામોટા કામ તો રોજેરોજ ઊભા જ હોય. સાંજ પડે ને પતિ ઑફિસેથી પાછા ફરે એટલે દીકરીના રૂટિનની જવાબદારી એમને સોંપી દેવાની અને પછી બપોરે અધૂરો મૂકેલો અભ્યાસ ફરી શરૂ કરવાનો.

૩૩ વર્ષની તામિલનાડુના તિરુનેલવેલી શહેરની રહેવાસી ઉમા મહેશ્ર્વરીની આ દિનચર્યા હતી. સિવિલ સર્વિસ એક્ઝામની કસોટીમાં સાંગોપાંગ પાર ઉતરાય એ માટે ઉમા આ પ્રકારે મહેનત કરી રહી હતી. શરૂઆતમાં તેને નિષ્ફળતા મળી અને એ પણ એક-બે નહીં, પણ પૂરા છ પ્રયાસોમાં એ નિષ્ફળ રહી. જાળું બાંધવાના પ્રયાસમાં વારંવાર નીચે પછડાતો હોવા છતાં હિંમત ન હારનાર અને અંતે સફળતા મેળવનારા કરોળિયાની વાર્તા ઉમા જાણે છે કે નહીં એ આપણે નથી જાણતા, પણ એ ભાવના, એ જોશ, એ સંકલ્પ આ તમિળ યુવતીમાં ભારોભાર છે એમ ચોક્કસ કહી શકાય. પાંચ પાંચ વખત નિષ્ફળતા મળ્યા પછી પણ દૃઢ મનોબળ સાથે વધુ એક પ્રયાસ કરનારી ઉમા મહેશ્ર્વરીએ છઠ્ઠા પ્રયાસમાં સફળતા અંકે કરી જ લીધી. સંઘર્ષના અને પ્રયાસોના દિવસો યાદ કરીને ઉમા જણાવે છે કે ‘હું જ્યારે તિરુનેલવેલીમાં શાળા અને કૉલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે જો ‘નસીબમાં હશે તો મળશ’ે એવું કોઈ કહેતું તો એ વાત હું હસવામાં કાઢી નાખતી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયમાં સંઘર્ષ કરીને હું જે રીતે આગળ આવી છું એ પછી મને પણ નસીબમાં વિશ્ર્વાસ બેસવા લાગ્યો છે. પુરુષાર્થને પ્રારબ્ધનો સાથ મળવો જોઈએ.’

ઉમા બાળપણથી જ ભણવામાં તેજસ્વી હતી. આ છોકરી બહુ આગળ વધશે એવું એની શાળાના પ્રાથમિક કક્ષાના શિક્ષકો કહેતા હતા. સારી વાત એ થઇ કે એના પરિવારે પણ એને ભણવા માટે ઉત્તેજન આપ્યું અને એન્જિનિયરિંગનો અભ્યાસ તેણે પૂરો કર્યો. આટલેથી સંતોષ માની ન લેતા આ યુવતીએ એમબીએનો અભ્યાસ શરૂ કર્યો. જોકે, આ સમયે ઉમાએ સિવિલ સર્વિસ એક્ઝામનો વિચાર સુધ્ધાં નહોતો કર્યો. એના એક પ્રોફેસરે એને આ પરીક્ષા માટે પ્રોત્સાહિત કરી. કારકિર્દીમાં આવેલા એ વળાંકને યાદ કરીને ઉમા જણાવે છે કે ‘હું કૉલેજમાં ભણતી હતી એ દરમિયાન એક દિવસ હું સિવિલ સર્વિસની પરીક્ષા આપીશ એવો સપનેય ખ્યાલ નહોતો. મારા એક પ્રોફેસરે મને આ પરીક્ષા આપવા સમજાવી અને પ્રોત્સાહન આપ્યું. પહેલી વખત મેં ૨૦૧૧માં આ પરીક્ષા આપી અને એ પણ કોઈ પ્રકારની તૈયારી વિના.’ અલબત્ત એમાં એને નિષ્ફળતા મળી જે સહજ અને સ્વાભાવિક હતું અને એટલે નિરાશ થવાનું કોઈ કારણ પણ નહોતું. બીજી એક વાત પોરસાવનારી એ હતી કે ઉમાએ કૉલેજ શિક્ષણ પૂરું કર્યું ત્યારે એના હાથમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનું લેબલ અને ત્રણ અલગ અલગ મોટી કંપનીઓની નોકરીમાં જોડાવાના ઑફર લેટર્સ પણ હતા. જોકે, કુદરત હજી ઉમાની વધુ કસોટી કરવા માગતી હતી. સફળતા મેળવવા માણસે શૈક્ષણિક પરીક્ષાઓ પાસ કરવાની સાથે જીવનની પરીક્ષાઓ પણ પાસ કરવાની હોય છે. એ સમય યાદ કરીને ઉમા મહેશ્ર્વરી જણાવે છે કે ‘કૉર્પોરેટ જૉબ મેં સ્વીકારી ત્યારે જીવનમાં કંઈક મેળવ્યાનો આનંદ હૈયે જરૂર હતો. જાણે હું ગુલાબી સેજ પર ચાલી રહી હોઉં એવી લાગણી થઈ રહી હતી. એવામાં અચાનક મારા પિતાશ્રીનો દેહાંત થઈ ગયો. મારું જીવન મારા માતા-પિતાને કેન્દ્રમાં જ રાખીને આગળ વધી રહ્યું હતું. આ આઘાત હજી હું પચાવું ત્યાં મારાં માતુશ્રી પણ અવસાન પામ્યાં.’ અલબત્ત આ આઘાત પચાવીને ઉમાએ પાંચ વર્ષ સુધી અગ્રણી કંપનીઓમાં નોકરી કરવાનું ચાલુ રાખ્યું. એક સારી વાત એ હતી કે આ નોકરી દરમિયાન પણ ઉમાએ સિવિલ સર્વિસની એક્ઝામ આપવાના પ્રયાસો ચાલુ રાખ્યા. પૂરતા સમયને અભાવે પ્રયત્નો ઓછા પડતા હોવા છતાં નોકરી કરતા કરતા ઉમા મહેશ્ર્વરીએ પાંચ વખત પરીક્ષા આપી, પણ પાંચેય વાર એ નિષ્ફ્ળ રહી હતી. આટલી નિષ્ફળતાઓ મળ્યા પછી કોઈ ભાંગી જાય, કોઈ હારી જાય તો કોઈ કંટાળી જાય. આપણી ઉમા તો વધુ મક્કમ બની ગઇ વધુ એક પ્રયાસ કરવા માટે. કઈ પ્રેરણા કામ કરી ગઈ એવા સવાલના જવાબમાં ઉમા જણાવે છે કે ‘મારી આસપાસની દરેક વ્યક્તિએ મારા માટે આશા છોડી દીધી હતી એ મારા ખ્યાલમાં આવ્યું. હું આ પરીક્ષા પાસ કરી શકું છું એ મારે આસપાસ રહેલી દરેક વ્યક્તિને અને ખાસ કરીને જાતને બતાવી દેવું હતું.’ પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા મક્કમ બનેલી ઉમાએ ૨૦૧૭માં લગડી જેવી કૉર્પોરેટ જૉબ છોડી દીધી. પૂરા પ્રયત્નો પરીક્ષાની તૈયારી માટે લગાડી દીધા. આ નિર્ણય લેવો અઘરો હતો. એ દિવસ યાદ કરતા શ્રીમતી મહેશ્ર્વરી જણાવે છે કે ‘મારે આવી સારી નોકરી છોડીને જેમાં હું વારંવાર નિષ્ફળ જાઉં છું એ પરીક્ષા ફરી આપવા માટે શું કામ પ્રયત્નો કરવા જોઈએ એ વાત કોઈને સમજાતી જ નહોતી. નોકરી કરતા કરતા સાઈડમાં મારે પરીક્ષા આપવાની તૈયારી કરવી જોઈએ એવો અભિપ્રાય બધાનો હતો. જોકે, એ રીતે સરખી રીતે તૈયારી નહીં થઈ શકે એવું મારું માનવું હતું.’

મન હોય તો માળવે જવાય એ ન્યાયે ઘરની સંભાળ અને પરીક્ષાની તૈયારી વચ્ચે ઉમાએ સંતુલન મેળવી લીધું. ‘હું પાંચ વાગે જાગીને અભ્યાસ કરતી અને પછી ઘરના નિત્ય કાર્યક્રમો પતાવીને ફરી અભ્યાસ કરવા બેસી જતી. પ્રીલીમ્સ માટે આ રૂટિન હતું જ્યારે મેઈન એક્ઝામ વખતે ઉમાએ અભ્યાસના કલાકો વધારી દીધા. રાતે ૧૦ વાગે દૈનિક કાર્ય આટોપી લીધા પછી મળસકે ત્રણ વાગ્યા સુધી એ વાંચતી. એના આ પ્રયાસ અંગે પતિ અને સાસરિયાઓનો દૃષ્ટિકોણ કઈ રીતે બદલાયો એ વિષે ઉમા અનુ કુમારીનું ઉદાહરણ આપે છે. આવાં ઉદાહરણો પેરણારૂપ સાબિત થવાની સાથે એક નવી દિશા દેખાડતા હોય છે. એ વિષે બોલતાં ઉમાએ કહ્યું કે ‘૨૦૧૮ની પરીક્ષાના પરિણામ જાહેર થયા ત્યારે હરિયાણાની અનુ કુમારી બીજા ક્રમે આવી હતી.’ પ્રતિકૂળ સંજોગોમાં પણ હરિયાણાીની યુવતીએ મેળવેલી સફળતા ઉત્સાહ વધારનારી હતી. બાળક ઉછેરની અને પરિવારની જવાબદારી પણ શિરે હોવા છતાં તેણે મેળવેલી આ સિદ્ધિ જોઈને ઉમાના પતિ અને પરિવારના સભ્યોને ભરોસો બેઠો કે અનુની જેમ ઉમા પણ આ એક્ઝામ પાસ કરી શકશે. એમનો ભરોસો, એમનો વિશ્ર્વાસ અને ઉમાની મહેનત રંગ લાવી અને ઉમાને સિવિલ સર્વિસ એક્ઝામ પાસ કરવામાં સફળતા મળી. ‘મન મેં હો વિશ્ર્વાસ, પૂરા હો વિશ્ર્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન’ એ ઉક્તિને ઉમા મહેશ્ર્વરીએ વધુ એક વખત સાચી પાડી છે. જેમ અનુનું ઉદાહરણ ઉમા અને એના પરિવાર માટે પ્રેરણાદાયી સાબિત થયું એ જ રીતે આવતી કાવે અન્ય કોઇ યુવતી ઉમાના ઉદાહરણમાંથી પ્રેરણા લઇને આગળ વધશે.

November 12, 2019
bhse_logo-1280x595.jpg
1min10550

ગુજરાત બોર્ડએ BHSE-Delhi બોગસ બોર્ડ હોવા અંગે એડવાઇઝરી જારી કરી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડએ ગુજરાતમાં આવેલી સ્કુલો, કોલેજો, યુનિવર્સિટીઓ, નોકરીદાતાઓ વગેરે જોગ એક એડવાઇઝરી જારી કરીને જણાવ્યું છેકે નવી દિલ્હીના ગણાવાતા બોર્ડ ફોર હાયર સેકન્ડરી એજ્યુકેશ BHSE-Delhi એ એક ગેરકાનૂની બોર્ડ છે. BHSE-Delhi બોર્ડ દ્વારા જુદા જુદા સત્તામંડળોને પત્રો લખીને તેમના સર્ટિફિકેટ્સને કેન્દ્ર સરકારની માન્યતા મળી હોવાનું જણાવીને તેમના ઉમેદવારોને સ્કુલ કોલેજોમાં પ્રવેશ આપવા તેમજ નોકરીદાતાઓને નોકરી આપવામાં માન્ય ગણવા પત્રો લખ્યા છે.

ગુજરાત બોર્ડે સ્પષ્ટતા કરી છે કે BHSE-Delhi સાવ બોગસ છે, કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે આ બોર્ડને કોઇ માન્યતા આપી નથી. આ બોર્ડ દ્વારા કરવામાં આવતા પત્ર વ્યવહાર કે આ બોર્ડના પ્રમાણપત્રોને માન્ય ગણીને કોઇ કાર્યવાહી કરવી નહીં.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની BHSE-Delhi અંગેની સ્પષ્ટતા

કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયની BHSE-Delhi અંગેની સ્પષ્ટતા

BHSE-Delhi ની માન્યતા 1 જુલાઇ 1962ના રોજ પૂરી થઇ ચૂકી છે

કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે BHSE-Delhiને બોગસ બોર્ડ હોવાની રાષ્ટ્રવ્યાપી સ્પષ્ટતાઓ કરી છે આમ છતાં BHSE-Delhi એ પોતાની વેબસાઇટ પર જણાવ્યું છે કે આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને દિલ્હી સરકાર પાસે તેમની માન્યતા રદ કરવાની કોઇ સત્તા નથી.

November 10, 2019
CIA_shikhar_dhavan_with_indian_pilot.jpg
1min5330

નાગપુરમાં 9/11/2019 ભારતીય હવાઈ દળની સૂર્યકિરણ ઍરોબૅટિંગ ટીમ સાથે ભારતના ક્રિકેટરો (ઉપર, રિષભ પંત તથા મનીષ પાન્ડે તેમ જ ડાબે, શિખર ધવન). હેડ-કોચ રવિ શાસ્ત્રીએ પણ પાઇલટો સાથે થોડો સમય વીતાવ્યો હતો. આ પાઇલટો ‘ઍર ફેસ્ટ ૨૦૧૯’માં ભાગ લેવા નાગપુર આવ્યા છે.

November 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min18470

Womens’ Helpline : સોશ્યલ મિડીયા પર પજવણી થતી હોય તો વિનાસંકોચે ૧૮૧ નંબર ડાયલ કરો

માહિતી બ્યૂરો દ્વારા, ગુજરાત સરકાર, સૂરત

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને અભયવચન આપતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને આપત્તિની પરિસ્થિતિમાં અનેક મહિલાઓને ઉગારી છે.

મહિલાઓ દિનપ્રતિદિન મોટી સંખ્યામાં બચાવ અને રાહત માટે મદદ, માર્ગદર્શન મેળવી રહી છે. આજના ટેક્નોલોજીના યુગમાં નાનકડાં મોબાઈલથી વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ઈમેઈલ, વિડિઓ કોલિંગ વગેરેથી દેશવિદેશમાં સંદેશા વ્યવહાર ઝડપી બન્યો છે. પરંતુ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી મહિલાઓને હેરાન કરવા, બ્લેક મેઈલ કરી જાતીય શોષણ, મહિલાનો આર્થિક શારીરિક ગેરઉપયોગ જેવા કિસ્સા માં પણ વધારો નોંધાયો છે.

તરૂણીઓ, સ્ટુડન્ટ, જોબ કરતા મહિલા કર્મચારીઓ તેમજ ગૃહિણીઓ પણ ટેલિફોનિક હેરાનગતિનો જાણતા-અજાણતા ભોગ બની રહ્યા છે. આ સંજોગોમાં મહિલાઓએ અજાણી વ્યક્તિને પોતાના ફોટો, ડોક્યુમેન્ટ કે અંગત વિગતો આપતાં પહેલા સાવધાની અને કાળજી રાખવી જરૂરી છે.

અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓ મુશ્કેલીના સમયે ટેલિફોનિક કાઉન્સેલિંગ અને ખાસ કિસ્સામાં રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર જઈને મદદ અને બચાવ કરવામાં આવે છે. મોબાઈલ દ્વારા પજવણીના કિસ્સામાં મહિલા કોઈને પોતાની વ્યથા કહી શક્તી નથી, અને મૂંગા મોઢે સહન કર્યા કરે છે.

પજવણી કરનાર વ્યક્તિ મહિલાની આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવે છે. આવા ટેલિફોનિક રોમિયો, ગુનાહિત અને વિકૃત માનસ ધરાવતા વ્યક્તિઓ દ્વારા થતી પજવણી, બિનજરૂરી મેસેજ-કોલ્સ થકી બ્લેકમેઇલ કરીને મહિલાઓનું જીવવું દુષ્કર કરી નાખે છે.

આ પ્રકારના કિસ્સાઓમાં મહિલાઓને મુક્તિ અપાવવાના હેતુથી GVK EMRI દ્વારા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કઠવાડા  અમદાવાદ ખાતે ૧૮૧ અભયમ એકશન ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ફરજ બજાવતાં ખાસ તાલીમબદ્ધ મહિલા કાઉન્સેલર અને પોલિસ કર્મચારીઓ ટેલિફોનિક પજવણીના કિસ્સાઓની ફરિયાદ પર ત્વરિત એકશન શરૂ કરે છે.

અભયમ એકશન ડેસ્કના ફરજ પરના સ્ટાફ દ્વારા શરૂઆતમાં ભોગ બનનાર મહિલા સાથે વિગતે માહિતી મેળવવામાં આવે છે. હેરાન પરેશાન કરનાર રોમિયોનો નંબર મેળવી તેને આધુનિક ટેક્નોલોજીની મદદથી ડેટા બેઇઝ મેઈન્ટેનન્સ કરી મોબાઈલનું ટ્રેકીંગ કરવામાં આવે છે.

અભયમ એકશન ડેસ્ક દ્વારા સાવધાનીપૂર્વક રોમિયોને એક તક આપી સમજાવવામાં આવે છે કે પીડિત મહિલાને બિનજરૂરી કોલ કે મેસેજ ન કરવાથી જેલમાં જવાની નોબત આવશે. તેને સ્પષ્ટ સૂચના અને તાકીદ કરવામાં આવે છે કે હવે પછી કોઈપણ પ્રકારના કોલ, મેસેજ આવશે તો પોલિસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરી તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. પરિણામે પજવણી કરનાર વ્યક્તિને ભૂલ સમજાય છે. અભયમ એકશન ડેસ્કને મળેલા કેસોમા ૯૫ % કેસોનું આ પ્રકારની સુનિયોજિત ટેકનિકથી નિરાકરણ મેળવવામાં સફળતા મળી છે.

અભયમ એકશન ડેસ્કની નવતર પહેલના કારણે પીડિત મહિલાઓને રોમિયોની હેરાનગતિમાંથી મુક્તિ મળી છે. પરંતુ અમુક કિસ્સાઓમાં પજવણી ચાલુ રહે તો અભયમ રેસ્ક્યુ વાન સ્થળ પર પહોંચીને મદદ કરે છે. આ પ્રક્રિયામાં પીડિત મહિલાની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. કોઈપણ પ્રકારની ફરિયાદ કરાવ્યા સિવાય ઘેરબેઠા જ મહિલાઓની સમસ્યાનું સુખદ નિવારણ કરવામાં આવે છે.        

રાજ્યના કોઈ પણ શહેર કે ગામોમાં રહેતી મહિલા, કિશોરી, વિદ્યાર્થીનીઓને મોબાઈલ દ્વારા પજવણીની સમસ્યા હોય તો વિનાસંકોચે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

ટેલિફોનિક હેરેસમેન્ટના વર્ષ વાર આંકડાઓ જોઈએ તો વર્ષ ૨૦૧૪ માં ૫૭૯, ૨૦૧૫ માં ૨૧૩૩, ૨૦૧૬ માં ૨૭૩૮, ૨૦૧૭માં ૩૪૬૧, ૨૦૧૮ માં ૪૦૨૮ અને સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી ૨૮૧૮ મળી કુલ ૧૫૭૫૭ કેસોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે.

November 8, 2019
CIA_Live_Logo_New2.jpg
2min13260

કોલેજ-યુનિવર્સિટીમાં પ્રોફેસર બનવા માટેનો પહેલો એન્ટ્રીગેટ એટલે જીસેટ (GSET પરીક્ષા) : રજિ. શરૂ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોલેજ અથવા યુનિવર્સિટી જેવી ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં અધ્યાપક હોવું એ ગર્વની વાતની સાથે હવે અર્થોપાર્જન માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે. પહેલા લોકોમાં એવી માન્યતા હતી કે બેંક કે સરકારી નોકરી સૌથી શ્રેષ્ઠ ગણાય પણ હવે એવી માન્યતા છે કે સૌથી શ્રેષ્ઠ અધ્યાપક તરીકેની નોકરી ગણાય. ખેર આ તો માન્યતા છે પણ લખનાર એક કરિયર કાઉન્સિલર છે અને અભ્યાસ બાદ એવા તારણ પર આવી શકાય કે કોલેજ-યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકેની કારકિર્દી એ કારકિર્દીના અઢળક વિકલ્પો પૈકીમાં શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય એમાં બે મત નથી.

અહીં વાત કરવી છે ગુજરાતમાં આવેલી કોલેજો, યુનિવર્સિટીઓ કે ઉચ્ચ શિક્ષણ આપતી અનેક સંસ્થાઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય તો સૌથી પહેલું પગથીયું કયું કહેવાય. આ સવાલનો જવાબ એ જ મળે કે ગુજરાત સેટ (જી-સેટ). ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ ફોર આસિસ્ટન્ટ પ્રોફેસર.

જી-સેટ પરીક્ષા હાલમાં પી.જી.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા ઉમેદવારો પણ આપી શકે

જે યુવક યુવતિઓ હાલમાં માસ્ટર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે એ અથવા જેમણે માસ્ટર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી વેલિડ યુનિવર્સિટીમાંથી મેળવી ચૂક્યા છે એ તમામ ગુજરાત સેટ પરીક્ષા આપી શકે છે. આ વખતે ગુજરાત સેટ (જી-સેટ)ની પરીક્ષા તા.29મી ડિસેમ્બર 2019ના રોજ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે અંગેના એપ્લિકેશન ફોર્મ ભરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે.

જી-સેટ (ગુજરાત સેટ) પરીક્ષાનું સમયપત્રક

Date of Examination
પરીક્ષાની તારીખ
29 December 2019
૨૯ ડિસેમ્બર ૨૦૧૯
Starting of Fee Collection
પરીક્ષા ફી ભરવાની શરુઆત ની તારીખ
04 November 2019
૦૪ નવેમ્બર ૨૦૧૯
Last day for Fee Collection
પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ
30 November 2019
૩૦ નવેમ્બર ૨૦૧૯
Starting of Online Registration
ઓનલાઇન અરજી ફોર્મ શરુ થવાની તારીખ
04 November 2019
૦૪ નવેમ્બર ૨૦૧૯
Last day for Online Application Submission
ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
30 November 2019
૩૦ નવેમ્બર ૨૦૧૯

જી-સેટ માટે કયા કોર્સનું ક્યાં કનેકશન

ઓનલાઇન રજિસ્ટ્રેશન તેમજ બાકીની બધી માહિતી માટે નીચેની લિંક પર ક્લીક કરો

https://www.gujaratset.in/

જીસેટ પરીક્ષા માટેનું નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો

https://www.gujaratset.in/download/info_bulletin_2019.pdf

November 2, 2019
unemployment.jpg
1min4890

દેશમાં 2011-12થી 2017-18ના છ વર્ષમાં પહેલીવાર 90 લાખ જેટલી મોટી સંખ્યામાં નોકરીમાં ચિંતાજનક ઘટાડો થયો છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ઓફ સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટ તરફથી જારી કરાયેલાં એક સંશોધન હેવાલ મુજબ દર વર્ષે 26 લાખ નોકરીઓ ઘટે છે.

સંતોષ મેહરોત્રા અને જે.કે. પરિદાએ તૈયાર કરેલા હેવાલ મુજબ 2011-12માં દેશમાં 47.4 કરોડ નોકરી હતી જે 2017-18 સુધી ઘટીને 45.7 કરોડ પર પહોંચી ગઈ. અલબત્ત, આ હેવાલના તારણો લવીશ ભંડારી અને અમરેશ દુબે દ્વારા તૈયાર કરાયેલા હેવાલના તારણોથી અલગ છે. ભંડારી અને દુબેના રિપોર્ટમાં જણાવાયું હતું કે, 2011-12માં 83.3 કરોડ નોકરી હતી જે 2017-18માં વધીને 45.7 કરોડ થઈ ગઈ.

મેહરોત્રા અને પરિદાનો અભ્યાસ નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (એન.એસ.એસ.ઓ.)ના 2004-05 થી 2011-12ના રોજગાર સર્વેક્ષણ અને પીરિયોડીક લેબર ફોર્સ સર્વેના 2017-18ના આંકડાના આધારે કરવામાં આવ્યો છે.

November 1, 2019
neet.jpg
4min17960

MBBS માટે ખાસ: મેડીકલમાં માસ્ટર્સ માટે ભારતમાં સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ NEET-PG

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મેડીકલ ગ્રેજ્યુએશન એટલે કે એમ.બી.બી.એસ. થયા હોય અને એમ.ડી., એમ.એસ. કે અન્ય પી.જી. ડીપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તબીબો માટે નીટ પી.જી. 2020 પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આજરોજ તા.1લી નવેમ્બર 2019થી નીટ પી.જી. માટેના રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયા છે. તા.5મી જાન્યુઆરી 2020ના રોજ રાષ્ટ્રવ્યાપી ધોરણે નીટ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.

ક્યાં પ્રવેશ મળી શકે નીટ પી.જી.ના સ્કોરથી

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન The National Board of Examinations (NBE) દ્વારા લેવામાં આવતી નીટ પી.જી. 2020 પ્રવેશ પરીક્ષા માટેની ઇમ્પોર્ટન્ટ તારીખો આ મુજબ છે.

The National Board of Examinations (NBE) will commence the online application process for the National Eligibility cum Entrance Test-Post Graduate (NEET-PG) 2020 on its official website today i.e. November 1, 2019.

Official website : www.nbe.edu.in

The candidates who seek admission to MD/ MS/ Post Graduate Diploma courses can apply online through the official website of NBE — nbe.edu.in.

Candidates can register online for NEET 2020 from 3.00 p.m. today. The information available on the official website reads “The Form will be available only between 01-11-2019 15 Hours 00 Minutes to 21-11-2019 23 Hours 55 Minutes”

Last Date of Application is 21/11/19

The last date to submit online applications for NEET PG 2020 is November 21, 2019. NBE has scheduled to conduct NEET PG 2020 as a Computer Based Test (CBT) on January 5, 2020. The result for the same would be announced by January 31, 2020.

Examination Fee Rs. 3,750 for GEN/OBC

The General /OBC candidates need to pay an examination fee of Rs 3750. The candidates belonging to ST/SC/PWD (PH) categories need to pay an examination fee of Rs 2750. It is to be noted that the fee for the examination has to be remitted through payment gateway, at the time of online submission of application form, using a debit card or credit card issued by banks in India or through internet banking.

નીટ પી.જી. 2020નું પ્રોસ્પેક્ટસ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો

https://drive.google.com/file/d/140rq0y37jBUd8Jif4eS22BmLdkk1JKPG/view

November 1, 2019
cmat.jpg
2min8330

MBA કરવા ઇચ્છતા કોઇપણ કોલેજના છેલ્લા વર્ષમાં ભણતા ઉમેદવારોએ CMAT આપવી અનિવાર્ય

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોઇપણ કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા એવા યુવક યુવતિઓ કે જેઓ મેનેજમેન્ટ કોલેજ, બી સ્કુલ્સમાંથી એમ.બી.એ. કરવાની ઇચ્છા ધરાવે છે એમના માટે એક માત્ર અને અમૂલ્ય તક આવી ગઇ છે.

ગુજરાતની એમ.બી.એ. કોલેજ સમેત સમગ્ર દેશની મોટી ભાગની બી સ્કુલ્સના એમ.બી.એ.માં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે CMAT પ્રવેશ પરીક્ષાનો સ્કોર જરૂરી છે. CMATના સ્કોરના આધારે મેરીટ લિસ્ટ બને છે અને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ CMAT 2020નું સમયપત્રક જાહેર કરી દીધું છે અને CMAT 2020 માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યા છે.

CMAT 2020 માટેની લાયકાત શું

હાલમાં ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા કોઇપણ કોલેજના વિદ્યાર્થીઓ CMAT 2020 માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. CMAT માટે ઉંમરનો કોઇ બાધ નથી. ભૂતકાળમાં કોઇપણ વર્ષે ગ્રેજ્યુએટ થયા હોય એવા ઉમેદવારો પણ જો ઇચ્છે તો CMAT 2020 પરીક્ષા આપી શકે છે.

CMAT 2020 નું પ્રોસ્પેક્ટસ નીચેની લિંક ક્લીક કરીને ડાઉનલોડ કરી શકો

https://cmat.nta.nic.in/WebInfo/Handler/FileHandler.ashx?i=File&ii=99&iii=Y

October 25, 2019
kathiyawad.jpg
1min5680

દીકરાઓ કરતા વધુ દીકરીઓ દત્તક લેવાઇ

114 વર્ષ જૂના રાજકોટના કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાંથી દર 3 દીકરા સામે 7 દીકરીઓ લેવાય છે દત્તક

રાજકોટમાં ગોંડલ રોડ સ્થિત કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં જુદી પરિસ્થિતિ જોવા મળે છે. એક સદી જૂના આ બાલાશ્રમમાંથી દર 3 દીકરા સામે આશરે 7 દીકરીઓ દત્તક સંતાન તરીકે દંપતીઓ સ્વીકારે છે. હાલમાં અનેક મામલે દીકરીઓ સવાયી સાબિત થઈ રહી છે ત્યારે નિ:સંતાનોના ઘરનો ખિલખિલાટ બનવામાં પણ કન્યા રત્ન આગળ રહ્યું છે.

આ સંસ્થામાંથી બાળકો દત્તક લેવા દેશ અને વિદેશના દંપતીઓ અગ્રિમતા આપે છે. બાલાશ્રમમાં એક સમયેં ધૂલ કા ફૂલ તરીકે નિરાધાર-તરછોડાયેલા 3પ0 જેટલા બાળકો હાલ સ્પેન, જર્મની, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન જેવા દેશોમાં સન્માન સાથેનું ઉચ્ચ કક્ષાનું જીવન જીવી રહ્યા છે.

બાલાશ્રમના પ્રમુખ તરીકે એપ્રિલ ર019થી પદભાર સંભાળનાર હરેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે હાલમાં અહીંયા 1 દિવસના બાળકથી માંડીને રર વર્ષ સુધીના યુવક-યુવતી મળી કુલ આશ્રિતોની સંખ્યા 180 જેટલી છે. દર વર્ષે સરેરાશ 10થી 1ર બાળકો કોઈ મુકી જાય છે જેની સામે 10થી 1ર બાળકો દેશ-વિદેશમાં દત્તક આપવામાં આવે છે. રર વર્ષથી વધુની વયના યુવક-યુવતીને સ્પે. હોમ ફોર બોયઝ-ગર્લ્સમાં આશ્રય અપાય છે.

આ સંસ્થામાંથી દાયકાઓ પહેલા વિદેશના દંપતી દ્વારા દત્તક લેવાયેલા કેટલાક બાળકો આજે ડોક્ટર, એન્જિનિયર બની ગયા છે. તેઓ હજુ પણ આ સંસ્થાની મુલાકાત લેવા તેમના પત્ની-પરિવાર સાથે આવે છે અને અહીંયા આવીને ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. બાલાશ્રમમાં આશ્રિત એવી બે સગી બહેનોને સ્પેનના દંપતીએ દત્તક લીધી હતી. આ બન્ને બહેનો તાજેતરમાં જ બાલાશ્રમની મુલાકાતે આવી હતી. એક સમયે તરછોડાયેલા અને આજે વિદેશમાં સમૃધ્ધિમાં મ્હાલતા હોવાથી અહીંના પૂર્વ આશ્રિત બાળકો માત્ર મુલાકાત લઈને જતા નહીં રહેતા અન્ય બાળકોના જતન માટે અનુદાન પણ આપતા જાય છે.