WE Archives - Page 23 of 63 - CIA Live

October 17, 2020
neetresults-1280x1168.jpg
1min10020

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઓરિસ્સાના શોએબ આફતાબ 720માંથી 720 માર્ક્સ તેમજ દિલ્હીની આકાંક્ષા સિંહે પણ NEETની પરીક્ષામાં 720માંથી 720 માર્ક્સ મેળવ્યા

NEET Result 2020: Here is why Aftab got 1st rank while Akansha got 2nd

તા.16મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થયેલા નીટ 2020 પરીક્ષાના પરીણામમાં કુલ 13 લાખ 40 હજાર પૈકી શોએબ આફતાબ નામનો એક છોકરો અને આકાંક્ષા સિંહ નામની દિલ્હીની એક છોકરી બન્નેએ કુલ 720માંથી 720 માર્કસ મેળવ્યા છે. આમ છતાં છોકરા શોએબ આફતાબ ને પહેલો નંબર ઓલ ઇન્ડિયા રેન્ક 01 આપવામાં આવ્યો જ્યારે છોકરી આકાંક્ષાસિંહ ને ઓલ ઇન્ડિયા રેન્ક 02 આપવામાં આવ્યો.

છોકરો અને છોકરી બન્નેને ફુલ માર્ક, હાઇએસ્ટ, સેન્ટ પરસેન્ટ માર્કસ મેળવ્યા છતાં છોકરીને બીજો રેન્ક કેમ મળ્યો. આ અંગે આખા દેશમાં ભારે ચર્ચાઓ ચાલી છેલ્લે એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના અધિકારીએ સ્પષ્ટતા કરવી પડી છે.

આકાંક્ષાસિંહની ઉંમર ઓછી હોવાથી તેને ફુલ માર્ક 720 હોવા છતાં બીજો રેન્ક આપવામાં આવ્યો

એન.ટી.એ.ના અધિકારીએ સ્પષ્ટતા આપતા કહ્યું કે બન્નેના માર્કસ સરખા હોય ત્યારે ઉંમરનો નિયમ જોવામાં આવે છે. આ કિસ્સામાં આકાંક્ષાસિંહની ઉંમર આફતાબ કરતા ઓછી હોવાથી તેને બીજો રેન્ક આપવો પડ્યો છે. આ નિયમો પૂર્વનિર્ધારિત હોય છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ટાઈ-બ્રેકિંગ નીતિ (સમાન અંક મળવા પર વરિષ્ઠતાના આધારે રેન્ક નક્કી કરવી) અંતર્ગત ઓછી ઉંમર હોવાના કારણે તેને બીજી રેન્ક મળી. અધિકારીઓએ જણાવ્યું કે, ટાઈ-બ્રેકર નીતિમાં ઉંમર, વિષયોમાં માર્ક્સ્ અને ખોટા જવાબને ધ્યાનમાં લેવામાં આવે છે. આથી ઉંમરના આધાર પર રેન્કીંગ નક્કી કરવામાં આવ્યું હતું.

એન.ટી.એ.ના નિયમો મુજબ સમાન માર્ક્સ ની સ્થિતિ સર્જાય ત્યારે ટાઇ બ્રેકર તરીકે પહેલા કેમેસ્ટ્રી ગણતરીમાં લેવાય, એ સરખા હોય તો પછી બાયોલોજીના માર્ક્સની સરખામણી કરવામાં આવે છે. જો બંને વિષયોમાં સમાન માર્ક્સ હોય તો પછી પરીક્ષામાં ખોટા જવાબ પર વિચાર કરવામાં આવે છે. અહીં પણ નિર્ણય ન થવા પર ઉંમરને આધાર બનાવવામાં આવે છે.

October 14, 2020
Kaumudi-Munshi.jpg
1min6010

સુપ્રસિદ્ધગાયિકા અને સ્વરકાર કૌમુદી મુન્શી એટલે ‘ધ નાઈન્ટિંગલ ઑફ ગુજરાત’.કંઠની મીઠાશ જાણે તેમના સ્વભાવમાં પણ ભળી ગયેલી. ઠુમરી, ગઝલ, ચૈતી, હોરી અને ઉત્તર પ્રદેશના લોકગીતોની તાલીમ મેળવી ચૂકેલાં કૌમુદીબહેને સુગમ સંગીતના શિખરો તેમના જીવનસાથી અને સુપ્રસિદ્ધ સંગીતકાર નિનુ મઝુમદારસાથે રહીને સર કર્યાં હતા. સંગીતનો એ સિતારો આજે સંગીતના નભમંડળમાંથી ખરી પડ્યો.

kaumudi munshi News in Gujarati, Latest kaumudi munshi news, photos, videos  | Zee News Gujarati

હા, કૌમુદીબહેન આજે આપણી વચ્ચે નથી રહ્યા. ૧૩ ઑક્ટોબરની વહેલી સવારે બે વાગે ૯૧વર્ષની વયે તેમણે ટૂંકીબીમારી બાદ મુંબઈમાં આ ફાની દુનિયા છોડી દીધી. કોરોના-૧૯ના ખપ્પરમાં તેઓ હોમાઇ ગયા. તેમનેહૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અનેત્યાં જ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. તેમના પુત્ર ઉદય મઝુમદાર પણ સ્વાસ્થ્ય સારું ન હોવાથી અત્યારે હોસ્પિટલમાં જ છે.

તેમનું આખું જીવન સંગીતમાં જ વીત્યું હતું. જીવનના અંતિમ શ્ર્વાસ સુધી તેઓ સંગીતની સેવા કરતા રહે તે તેમનો ધ્યેય હતો. તેઓ જીવનમાં ક્યારેય દુ:ખી નહોતા રહેતા, હંમેશાં આનંદમાં રહેતા. ૯૧ વર્ષની વયે પણ તેઓ સદાબહાર ગીતો ગાતા હતા. ‘ગીત કૌમુદી’, ‘તારો વિયોગ’, ‘સ્મરણાંજલિકા’ જેવા તેમના સંગીત આલબમો ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા. કૌમુદીબહેન મૂળ બનારસનાં એટલે હિન્દી ભાષા પર ખૂબ જ સારું પ્રભુત્વ ધરાવે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના લોકગીતોનો તેમની પાસે ખજાનો. પચાસ વર્ષ સુધી ગુજરાતી સુગમ સંગીતમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન ભોગવનાર કૌમુદી મુન્શી ૨૧મી સદીમાં ગાયિકા તરીકે નિવૃત્ત થયા એમ કહી શકાય. જોકે, સંગીત ગુરુ તરીકે તો ૨૦૨૦ સુધી અથવા તો કોરોના સુધી સક્રિય રહ્યા. ગુજરાતી સુગમ સંગીતમાં તેમનું અદ્વિતીય અને મહામૂલું યોગદાન છે. તેમણે ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દીકરો’માં ‘ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા’ ગીત ગાયું હતું. ‘કોઇ આઘે આઘેથી વેણુ વાય છે’ જેવું તેમનું ગીત ખૂબ જ જાણીતું થયું હતું.

કૌમુદી મુન્શીનો જન્મ ૩ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ વારાણસીમાં થયો હતો. વારાણસીમાં મોટા જમીનદારના ઘરમાં તેમનો જન્મ. વારાણસીમાં પુરુષો સંગીતના શોખીન, પણ તે માટે તેઓ બહાર ગાવા-વગાડવા જાય. તે સમયે પારંપારિક રીતે ઠુમરી વગેરે ગણિકા ગાન કહેવાતું. ઘરની સ્ત્રીઓ શરીફ ઔરત ગણાય એટલે એમનો અવાજ પણ બહાર સંભળાવવો ન જોઇએ. વિદ્યાર્થીની તરીકે કૌમુદીબહેન રિયાઝ કરે ત્યારે તેમની માતા બારી બારણાં સખત રીતે બંધ કરી દેતા. કૌમુદીબહેન આ બધી વાડો ઓળંગીને છેક ‘દાલકી મંડી’ જેવી બદનામ વસ્તીમાં જઇને પણ ઠુમરી સંગીતના મહારાણી કહેવાતા સિદ્ધેશ્ર્વરી દેવીપાસે ઠુમરી,દાદરા, હોરી, ચૈતી વગેરે શીખ્યા. આ વાડ કુદવામાં તેમના પતિ નીનુ મઝુમદારનો મોટો સાથ હતો.

આ યુગલની સંગીતયાત્રા ૧૯૫૨માં શરૂ થઇ હતી. નીનુ મજુમદાર તે સમયે ગાયક, સંગીતકાર, ગીતકાર તરીકે જાણીતા હતા. કૌમુદીબહેનના મધુર અવાજ અને શાસ્ત્રીય સંગીતની તાલીમથી નીનુભાઇ અભિભૂત થયેલા અને તેમનો અવાજ એચએમવીની રેકોર્ડમાં અને રેડિયોના સંગીત રૂપકોમાં ઉપયોગ કરેલો. ૧૯૫૪માં નીનુભાઇના પ્રથમ પત્ની શારદાબહેનનું અવસાન થતાં બંનેનો સંબંધ લગ્નમાં પલટાયો હતો.

તેમનો પુત્ર ઉદય મઝુમદારપણ જાણીતા ગાયક-સંગીતકાર છે અને તેમની ત્રણ બહેનો ગાયિકા રાજુલ મહેતા, નારીવાદી કર્મશીલ લેખિકા સોનલ શુક્લ અને અભિનેત્રી મીનળ પટેલ શારદા નિનુ મઝુમદારની પુત્રીઓ છે.

દિગ્ગજોનીસંગીતાંજલિ

* વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ તેમને સંગીતાંજલિ આપતા કહ્યું હતું કે ગુજરાતી સુગમ સંગીતનાં શિરમોર ગાયિકા કૌમુદી મુનશીના અવસાનથી દુ:ખ અનુભવું છું. ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં તેમનું યોગદાન સંગીતપ્રેમી પેઢીઓ માટે હંમેશાં યાદગાર રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને તેમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના. ઇશ્ર્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

* ગુજરાતના મુખ્યમંત્રી વિજયરૂપાણીએ કૌમુદીબહેનને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે ગુજરાતીસુગમ સંગીતના શિરમોર ગાયિકા કૌમુદીબહેનેપોતાના મધુર સ્વરથી ગુજરાતી રચનાઓને ઘેર-ઘેર ગૂંજતી કરી હતી. તેમનું આ યોગદાન ગુજરાતી સુગમ સંગીતમાં દીર્ઘકાલીન બની રહેશે.

*દિગ્ગજ ગાયક-સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મને હજુ પણ યાદ છે કે કૌમુદીબહેન વારાણસીથી મુંબઈમાં આવ્યા ત્યારે તેમના ભાઇના ઘરે સાંતાક્રુઝમાં રહેતા. હું પણ સાંતાક્રુઝમાં રહેતો અને તે સમયે પ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસ સાથે જોડાયેલો હતો. અવિનાશભાઇએ કૌમુદીબહેન પાસે પ્રથમ ગુજરાતી ગરબો ગવડાવેલો, ‘અલી ઓરે બજાર વચ્ચે બજાણીઓ’. તે ગીત બેસાડવા તેેમની પાસે હું ગયો હતો અને આખું ગીત તેમને ગવડાવ્યું હતું. તેઓ વારાણસીથી આવેલા એટલે તેમનું હિન્દી બહુ સારું હતું. પછી તો નીનુભાઇ સાથે તેમને પ્રેમ થયો. બંને ભવન્સ પાસે આવેલી હોટેલ અન્નપૂર્ણામાં મળતા અને સંગીતની ચર્ચાઓ કરતા અને બંનેના લગ્ન પણ થયા. તેઓ ગુજરાતીમાં એકમાત્ર મહિલા હતા, જેઓ ઠુમરીમાં ઉસ્તાદ હતા.

October 11, 2020
govt_jobs.jpg
1min5020

 દેશના ર3 રાજયો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો (યૂટી) માં સરકારી નોકરીઓમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરી દેવાઈ છે. સરકારી નોકરીમાં પસંદગીનો આધાર લેખિત પરીક્ષાને બનાવવામાં આવ્યો છે. કાર્મિક બાબતોના કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે શનિવારે કહ્યું ર016 બાદથી કેન્દ્ર સરકારમાં ગ્રુપ-બી (નોન ગેઝેટેડ) તથા ગ્રુપ-સી પદો માટે ઈન્ટરવ્યૂ બંધ કરી દેવામાં આવ્યા છે.

વર્ષ 2015 સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી નોકરીઓમાં ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરવા સૂચન કરી લેખિત પરીક્ષાને આધારે પસંદગી કરવા પર ભાર મૂકયો હતો. જેને ધ્યાને લઈ પર્સોનેલ અને ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટે વ્યાપક કવાયત હાથ ધરી ત્રણ મહિનામાં 1 જાન્યુઆરી, 2016 થી કેન્દ્ર સરકારમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથાને બંધ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી.

જીતેન્દ્રસિંહે ઉમેર્યુ કે આ મામલે મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજયો નિયમને લાગુ કરવા તત્પર હતા તો કેટલાક રાજયો ઈચ્છુક ન હતા.રાજય સરકારો સાથે સમજાવટ અને વારંવાર રિમાઈન્ડરને પગલે જમ્મુ કાશ્મીર અને લદાખ સહિત ભારતના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો અને દેશના ર8માંથી ર3 રાજયોમાં સરકારી ભરતીમાં ઈન્ટરવ્યૂ પ્રજા બંધ કરાઈ છે. ભરતીમાં લેખિત પરીક્ષાને આધાર બનાવવાથી દરેક ઉમેદવારને સમાન તકો ઉપલબ્ધ થાય છે. પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા વધતાં સરકારી તિજોરીને આર્થિક લાભ થયાનું અનેક રાજયોએ કહ્યું છે.

October 6, 2020
gseb-1280x720.jpg
1min5750

કોરોના પેન્ડેમિકની પરિસ્થિતિમાં 2020-21ના શૈક્ષણિક વર્ષનું પહેલું સત્ર સાવ જ ધોવાય જતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12માં 30 ટકા જેટલો અભ્યાસક્રમ ચાલુ શૈક્ષણિક વર્ષમાંથી કાઢી નાંખવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના પેન્ડેમિકને કારણે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બિલકુલ સંભવી ન શકવાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્યના દિવસો અને અભ્યાસક્રમમાં ઘટાડો કરવા માટે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને 27 જૂલાઈ, 20 ઓગસ્ટ અને 11 સપ્ટેમ્બરે બેઠક યોજાઈ હતી જેમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ વિદો અને અધિકારીઓની ચર્ચાના નિષ્કર્ષ રૂપે કોર્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાંથી ઘટાડેલા મુદ્દાઓ પરીક્ષાના હેતુંથી ઘટાડવામાં આવ્યા છે અને તે પરીક્ષામાં પૂછાશે નહીં. જોકે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં શિક્ષકોએ તે મુદ્દાઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. આ અંગે વિગતવાર પરિપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. કયા મુદ્દાઓ અને પ્રકરણ અભ્યાસક્રમમાંથી રદ્દ કરવામાં આવશે તેની માહિત જિલ્લા શિક્ષણ અધિકારીઓના માધ્યમથી તમામ શાળાઓને મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત બોર્ડની વેબસાઈટ પર પણ તેને મૂકવામાં આવશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અભ્યાસક્રમમાં ઘટાડો કરવાના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા જે દર વર્ષે માર્ચ મહિનામાં લેવામાં આવે છે તે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ વર્ષે મે મહિનામાં લેવાઈ શકે છે. આ ઉપરાંત ધોરણ 9 અને 11ની પરીક્ષા જૂનમાં યોજાઈ શકે છે જેથી કરીને સ્કૂલોમાં અભ્યાસક્રમ પૂરો થઈ શકે, તેમ શિક્ષણ મંત્રીએ કમલમ ભાજપની ઓફિસ ખાતે જણાવ્યું હતું.

September 19, 2020
rupani-1280x789.jpg
1min4350

ગુજરાતનાં નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હિલર-થ્રી વ્હિલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરી છે.

આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-૯થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હિલર ખરીદવા સરકાર ૧ર હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી ૧૦ હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. એટલું જ નહિ, વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હિલર ખરીદીમાં પણ ૪૮ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે. સાથોસાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા ૫૦ લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે.

September 19, 2020
mital_sojitra.jpg
1min5720

સુરતની મહિલા ચિત્રકાર મિતલ સોજીત્રા (Mittal Sojitra)એ અનુકરણીય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી છે. તા.17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસે સમગ્ર દેશમાં ઉજવાય રહ્યો હતો ત્યારે સુરતના મહિલા ચિત્રકાર મિતલ સોજીત્રાએ 70 બાળકોને દત્તક લીધા હતા. એક મહિલાએ આ પ્રકારે અનુકરણીય અને અનોખી પહેલ કરી છે.

સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ક્રુષ્ણકુમાર સિંહ પ્રાથમિક શાળાના 70 વિધાર્થીઓ જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી તેમની જરૂરિયાતની વસ્તુઓ માટે મિતલ સોજીત્રા અને તેમના સહયોગી વર્ષા અલગીયા તેમને સહાયભૂત થશે. દત્તક લેવાનો અર્થ અહીં એ છે કે 70 બાળકોના શિક્ષણ, સ્ટેશનરીથી માંડીને જરૂરિયાતની દરેક વસ્તુમાં મદદ કરવામાં આવશે.

https://www.facebook.com/photo?fbid=3462476700486021&set=pcb.3462490277151330

પોતાનો અભિગમ સ્પષ્ટ કરતા મિતલ સોજિત્રાએ જણાવ્યું હતું કે

વિદ્યાર્થીઓને સરકારી શાળામાંથી જરૂરીયાતની વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ અમુક સામગ્રી એવી હોય છે જે આપવામાં આવતી ન હોય. તેમજ અમુક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે જરૂરી વસ્તુઓ ખરીદી શકતા નથી. જેથી તેમના વિકાસમાં અડચણો ઉભી થાય છે. વિદ્યાર્થીઓના વિકાસમાં અડચણ ઉભી ન થાય એટલા માટે જ બે બાળકોનો આધાર બનાવનું નક્કી કર્યું અને આ પહેલ શરૂ કરી છે.

મિતલ સોજીત્રા જાણીતા ચિત્રકાર છે. તેમણે “બેટી બચાઓ બેટી પઢાવો”નું  127 ફૂટ લાંબુ પેઇન્ટિંગ બનાવી ગિનીસ બુકના રેકૉર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. આવનારા સમયમાં તેઓ નરેન્દ્ર મોદીની બાયોગ્રાફી પણ લોન્ચ કરવાના છે. જેમાં તેમના નાનપણથી લઈને અત્યાર સુધીના 100 ચિત્રો હશે સાથે જ તેના વિશેની માહિતી આપવામાં આવશે.

September 17, 2020
Schoolsclosed4.jpg
1min5150

16/9/20 મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખૂલે. કેન્દ્ર સરકારે અનલોક 4માં ધોરણ 9થી 12ના વર્ગો શરુ કરવા મંજૂરી આપી છે. જોકે, તે ફરજિયાત નહીં પરંતુ મરજિયાત છે. તેવામાં ગુજરાત સરકારે કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા સ્કૂલો બંધ જ રાખવાનું નક્કી કર્યું છે. કેબિનેટે એવું પણ નક્કી કર્યું છે કે ભવિષ્યમાં રાજ્યમાં કોરોનાના કેસો ઘટે ત્યારે જ સ્કૂલો ખોલવા અંગે નિર્ણય લેવાશે.

Indiana schools closed for rest of academic year

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર 9થી 12ના વર્ગો શરુ કરવા મરજિયાત છે. તેવામાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે સ્કૂલો બંધ જ રાખવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સામાન્ય રીતે 15 જૂનથી સ્કૂલો ખૂલી જતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે હજુ સુધી સ્કૂલો નથી ખૂલી અને વિદ્યાર્થીઓને ઓનલાઈન જ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

September 14, 2020
mahila_kalyan.jpg
1min10120

ગુજરાતની મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ ‘મહિલા કલ્યાણ યોજના’ની જાહેરાત કરી છે. તે માટે ગુજરાત સરકારે 175 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ યોજના અંતર્ગત મહિલાઓને અનેક છૂટછાટ આપવામાં આવશે.

‘મહિલા કલ્યાણ યોજના’ અંતર્ગત 10 લાખથી વધુ મહિલાઓને વગર વ્યાજની લોન આપવામાં આવશે. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ આગળ આવશે. વડાપ્રાધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ની રાજ્યની માતૃશક્તિને ભેટ આપવામાં આવશે. આ નિર્ણયથી કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા માટે આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખુલશે.

રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’નો લાભ મળશે. કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. આ લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે. રાજ્ય સરકાર બેન્કો સાથે ટૂંક સમયમાં યોજનામાં જોડાવા અંગેના એમઓયુ કરશે. 10 મહિલાઓ-બહેનોના એક જૂથ એમ 1 લાખ જૂથ બનાવાશે. પ્રત્યેક જૂથને એક લાખનું લોન ધિરાણ મળશે. પ્રત્યેક માતા-બહેનોને પોતાનો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે.

રાજ્યની લાખો બહેનોના આત્મનિર્ભરતા સાથે સ્વમાન ભેર જીવવાનાં સપનાં-અરમાન પાર પાડવામાં ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ ઉદીપક બનશે. હવે આ યોજનાથી મહિલાઓને તેમના નાના વ્યવસાયો, ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનું કૌશલ્ય અને સપનાં સાકાર કરવાની તક આપવામાં આવશે.

September 12, 2020
neet.jpg
6min18240

સુરતમાં અંબાણી સ્કુલની જગ્યાએ રેડીયન્ટ પીપલોદ ખાતે પરીક્ષા લેવાશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત શહેર જિલ્લા કે દક્ષિણ ગુજરાતમાંથી નીટ 2020 પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સુધી એ વાત પહોંચાડવી જરૂરી છે કે જે બાળકોની હોલ ટિકિટમાં પરીક્ષાનું કેન્દ્ર સુરત શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલી જે.એચ. અંબાણી સ્કુલનું કેન્દ્ર દર્શાવવામાં આવ્યું છે એ પરીક્ષા કેન્દ્ર છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યું છે. હવે જે.એચ.અંબાણી સ્કુલની જગ્યાએ પરીક્ષા કેન્દ્ર રેડીયન્ટ ઇંગ્લિશ એકેડેમી, રાજહંસ સિનેમા સામે, પીપલોદ, સુરત ખાતે બદલવામાં આવ્યું છે.

જે વિદ્યાર્થીઓની હોલટિકીટમાં જે.એચ. અંબાણી સ્કુલનો પરીક્ષાકેન્દ્ર તરીકે ઉલ્લેખ છે તેમણે પરીક્ષા આપવા માટે રેડીયન્ટ ઇંગ્લિશ એકેડેમી, રાજહંસ સિનેમા સામે, પીપલોદ, સુરત ખાતે જવાનું હોવાની જાહેરાત અખબારોમાં પણ આપવામાં આવી છે.

ઉપરોક્ત જાહેરાત તા.12મી સપ્ટેમ્બર 2020ના દિવ્યભાસ્કર દૈનિક, સુરત આવૃતિના પાના નં.9 પર પ્રકાશિત કરવામાં આવી છે

સૂચના મુજબના કપડા નહીં પહેરીને જશો તો કાઢી પણ મૂકી શકે, નીટ કેન્દ્રો પર ખૂબ કડકાઇ હોય છે, સહેજેય ઓવરકોન્ફીડન્સમાં ન રહેતા

ઉપરોક્ત સૂચનાઓ સત્તાવાર રીતે ગુજરાતીમાં જાહેર કરવામાં આવેલા નીટ-2020 પરીક્ષાના નોટિફિકેશનના પેજ નં.29 પર ઉપલબ્ધ છે. એ પેજની જેપીજી ઇમેજ અહીં રજૂ કરવામાં આવી છે.

નીટ પરીક્ષા 2020નું ગુજરાતી ભાષામાં સત્તાવાર નોટિફિકેશન પીડીએફ ફાઇલમાં જોઇતું હોય તો 98253 44944 પર નીટ શબ્દ વ્હોટસએપ કરવો

The candidates should to follow the following dress code while appearing for NEET (UG) – 2020

a) Light clothes with long sleeves are not permitted. However in case, candidates come in cultural/customary dress at the Examination Centre, they should report at least an hour before the last reporting time i.e. 12.30 pm so that there is enough time for proper frisking without any inconvenience to the candidate while maintaining the sanctity of the examination.

b) Slippers, sandals with low heels are permitted. Shoes are not permitted.

c) In case of any deviation required due to unavoidable (medical, etc.) circumstances, specific approval of NTA must be taken before the Admit Cards are issued.

It is desired that the candidates follow instructions issued by the NTA strictly. This will help NTA in the fair conduct of examination.

NEET 2020 in Brief

The National Testing Agency (NTA) is all set to conduct the National Eligibility Cum Entrance Test Undergraduate (NEET-UG), 2020 on Sunday, September 13, 2020.

Apart from following the Standard Operating Procedure (SOP) for the examination, candidates are required to follow the dress code on the examination day.
NEET (UG) – 2020 is a Pen & Paper-based test, to be answered on the specially designed machine gradable sheet using Ball Point Pen.

An All India Merit List of the qualified candidates shall be prepared on the basis of All India Rank in the Merit List of the NEET (UG) – 2020 and candidates shall be admitted to Undergraduate Medical Courses from the said list only, with existing reservation policy.

NTA will only provide All India Rank to candidates, while Admitting Authorities will invite applications for Counselling and merit list shall be drawn based on All India Rank by the Admitting Authorities. Admission to Undergraduate Medical Courses within the respective categories shall be based solely on All India Rank as per merit list of NEET (UG) – 2020.

Admission to AIIMS/JIPMER/Deemed Universities/Central Universities/ESIC including Delhi University (DU), BHU & AMU will be conducted by DGHS/MoA/AACCC and reservation policy will be as per rules and regulations of the concerned University or Institutions.

Candidates should register on MCC website for admission to Deemed /Central University/ ESIC and AFMC for MBBS/BDS courses and AACCC website for admission to Deemed Universities/Central Universities/National Institutes for Undergraduate Medical Courses.

Admission to AFMC, Pune shall be subject to the norms prescribed by the Directorate General of Armed Forces Medical Services, Ministry of Defence, Government of India. Candidates who apply for NEET (UG) – 2020 and/or for seeking admission in AFMC also need to apply to AFMC on www.afmc.nic.in/www.afmcdg1d.gov.in.

September 12, 2020
educationpolicyjpg.jpg
1min5040

નવી પેઢીના બાળકોના શિક્ષણ માટે ‘ઍન્ગેજ, ઍક્સપ્લોર, ઍક્સપ્રેસ ઍન્ડ ઍક્સલ’ નવો મંત્ર છે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવનારો નવો અભ્યાસક્રમ નવી શિક્ષણ નીતિને અનુરૂપ હશે.

વર્ષ ૨૦૨૨માં દેશ જ્યારે સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરશે ત્યાં સુધીમાં નવા અભ્યાસ્રમને નવી શિક્ષણ નીતિને અનુરૂપ બનાવવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

માર્કશિટ વિદ્યાર્થીઓ તેમ જ તેમના પરિવારજનો માટે પ્રેશરશિટ અને પ્રેસ્ટિજશિટ બની ગઈ હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો આશય આ પ્રેશર દૂર કરવાનો છે.

નવી શિક્ષણ નીતિ અભ્યાસક્રમ ઘટાડશે તેમ જ શિક્ષણને મનોરંજન અને સંપૂર્ણ અનુભવ આધારિત બનાવશે, એમ તેમણે કહ્યું હતું.

શિક્ષણ ખાતા દ્વારા આયોજન કરવામાં આવેલી ‘સ્કૂલ ઍજ્યૂકેશન કૉન્ક્લેવ’ને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે અભ્યાસક્રમનું માળખુ વિકસાવવામાં આવશે અને વર્ષ ૨૦૨૨માં દેશ સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરશે ત્યાર સુધીમાં તે તૈયાર થઈ જશે.

નવો અભ્યાસક્રમ વૈજ્ઞાનિક ઢબનો હોવા ઉપરાંત વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરશે.

નવી શિક્ષણ નીતિના અમલ અગાઉ માય ગવર્નમેન્ટ પૉર્ટલ મારફતે એક જ અઠવાડિયામાં ૧૫ લાખ કરતા પણ વધુ સૂચનો આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરતા તેમણે કહ્યું હતું કે ભાષા માત્ર અભ્યાસ કરવાનું માધ્યમ છે, પરંતુ ભાષા પોતે અભ્યાસ નથી.

વડા પ્રધાને શિક્ષકોને કોરોના વાઈરસની માર્ગદર્શિકાનું ભારપૂર્વક પાલન કરવા જણાવ્યું હતું.

તેમણે શિક્ષકોને માસ્કથી મોઢું ઢાંકવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને સ્વચ્છતા જાળવવા કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી દેશમાં માર્ક અને માર્કશિટ આધારિત શિક્ષણ હતું.

માર્કશિટ વિદ્યાર્થીઓ માટે પ્રેસરશિટ અને પરિવારજનો માટે પ્રેસ્ટિજશિટ બની ગઈ હતી.

નવી શિક્ષણ નીતિ બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરતી હોવા ઉપરાંત મનોરંજન, શોધ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, એમ તેમણે કહ્યું હતું.

નવી પેઢીના બાળકોના શિક્ષણ માટે ‘ઍન્ગેજ, ઍક્સપ્લોર, ઍક્સપ્રેસ ઍન્ડ ઍક્સલ’ નવો મંત્ર છે, એમ તેમણે કહ્યું હતું.

અમારું કામ હજુ તો શરૂ થયું છે એ જણાવતાં મોદીએ કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો સમાનતા અને અસરકારક રીતે અમલ કરવામાં આવશે.

નવી શિક્ષણ નીતિ નવા યુગના આરંભનું બીજ વાવશે અને તે ૨૧મી સદીના ભારતને નવી દિશા આપશે, એમ તેમણે કહ્યું હતું.