CIA ALERT

WE Archives - Page 22 of 63 - CIA Live

January 7, 2021
Cia_women_train2.jpg
1min939

મહિલાઓએ ગુડ્ઝ ટ્રેન ચલાવી અને સંપૂર્ણપણે સંચાલન પણ સુપેરે કર્યું : ભારતમાં આવું પહેલીવાર બન્યું

CiA Live આ ન્યુઝને ઘનિષ્ઠતાથી પ્રમોટ કરી રહ્યા છીએ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મહિલાઓ અમુક કાર્યો કરી શકે જ નહીં એવી ગેરમાન્યતાના વાામાંથી આપણે બહાર આવી રહ્યા છે એની પ્રતીતિ કરાવતી ઘટના શેર કરતા આનંદ અનુભવું છું. મહિલા કશું પણ કરી શકે છે, કરીયર કાઉન્સિલર હોવાના નાતે અનેક દિકરીઓને મેં મિકેનિકલ એન્જિનિયરિંગ વિષયમાં અભ્યાસ કરવા પ્રેરી હતી અને તેઓ આજે જબરદસ્ત કામ કરી રહી છે. બાકી એ દિકરીઓને એવું જ કહેવાયું હતું કે મિકેનિકલ એન્જિનિયરિંગ મહિલાઓ માટે છે જ નહીં.

મહિલાઓને પ્લેન ઉડાડતા તમે સાંભળ્યું, જોયું હશે પણ મહિલાઓ ટ્રેન ચલાવે છે એવું તમને પહેલીવાર અમે CiA Live જણાવી રહ્યા છે

આખી ગુડ્ઝ ટ્રેન ચલાવી, સંચાલન કર્યું અને એ પણ જોરદાર રીતે

મહિલાઓએ મહારાષ્ટ્રના વસઇથી ગુજરાતના વડોદરા સુધી ગુડ્ઝ ટ્રેનનું સંચાલન સુપેરે કર્યું. રેલવે મિનિસ્ટર પિયુષ ગોયેલના જણાવ્યા અનુસાર તો વસઇથી વડોદરા સુધીની ગુડઝ ટ્રેનને હંકારવાથી લઇને ગાર્ડ સહિતના તમામ પદો પર મહિલાઓ હતી અને તેમણે ક્યાંય પણ કોઇની હેલ્પ લીધા વગર પોતાની ફરજ જોરદાર રીતે અને પ્રેરણાદાયી રીતે અદા કરી છે.

ભારતના રેલવે મંત્રીએ ખુદ મહિલાઓના આ કાર્યને બિરદાવતા કહ્યું કે સ્ત્રી સશક્તિકરણનું આ એક અદભૂત ઉદાહરણ છે.

December 26, 2020
arya-1.jpg
1min1045

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

માત્ર સિનિયર હોય તેવા અથવા તો લાગવગીયા હોય તેવા અથવા તો મોટા નેતાના મળતીયાઓને જ પોલિટીક્સમાં ખાસ કરીને સત્તામાં હોદ્દા મળતા હોય છે. પરંતુ, કેરળમાં આ ચેઇન તૂટી છે. પોલિટીક્સમાં ખાસ કરીને સત્તાની ભાગબટાઇમાં પરંપરાગત ટ્રેન્ડથી વિપરીત 21 વર્ષિય યુવતિ આર્યા રાજેન્દ્રને મેયર બનાવવાનો નિર્ણય લેવાયો છે. બિનઅનુભવી હોય તો શું થઇ ગયું પરંતુ, એ યુવતિ પોતાની અલગ વિચારધારાથી કેરળના થિરુવનંતપૂરમ શહેરનું નેતૃત્વ તો કરશે જ પરંતુ સાથોસાથ એ પોતાનો અભ્યાસ પણ શરૂ રાખશે. અત્યાર સુધી વિદેશમાંથી આવા સમાચારો મળી રહ્યા હતા. ભારતમાંથી આ સમાચાર મળવા એ ન્યુ ઇન્ડિયાના નિર્માણના સંકેત મળી રહ્યા છે.

ભારતીય પોલિટીક્સમાં યંગસ્ટર્સની સક્રિયતા ખૂબ જરૂરી

તાજેતરમાં કેરળ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી યોજાઇ હતી. જેમાં કેરળના મહત્વપૂર્ણ શહેર ગણાતા થિરુવનંતપૂરમ્ ખાતે ક્રાંતિકારી નિર્ણય લઇને સૌથી યંગેસ્ટ કાઉન્સિલર એક યુવતિ નામે આર્યા પર મેયર પદનો કળશ ઢોળવામાં આવ્યો છે.

આર્યા રાજેન્દ્ર CPI(M) પાર્ટીની સીટ પરથી થિરુવનંતપૂરમ્ ના ચાલા વિસ્તારના એક્ટીવ મેમ્બર હતા અને તેથી તેને થિરુવનંતપૂરમ્ ના મુદ્રાંનમંગલ વિસ્તારની બેઠક પર પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમણે કાઉન્સિલરની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. આર્યા રાજેન્દ્ર બી.એસસી. મેથેમેટિક્સનો અભ્યાસ સફળતાપૂર્વક પાસ કરી ચૂક્યા છે.

આર્યા દેશના સૌથી યુવાન મેયર બન્યા છે, અને આ સાથે પાર્ટી વઘારે ભણેલી ગણેલી મહિલાઓ આગળ આવે અને લીડર બને તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ છે.

આર્યા રાજેન્દ્રને મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, “આ પાર્ટીનો નિર્ણય છે અને મારે તેનું પાલન કરવાનું છે. ચૂંટણી દરમિયાન લોકોએ મારા પર પસંદગી ઉતારી છે, હું એક વિદ્યાર્થિની છું ત્યારે લોકોએ મારા ભણતરને પણ ધ્યાનમાં રાખ્યું છે, અને તેમનો નેતા ભણેલો હોય તે વિચારીને મારી પસંદગી કરી છે. હું મારું ભણતર ચાલુ રાખીશ અને તેની સાથે મેયર તરીકે મારી ફરજ પણ નિભાવીશ”

December 23, 2020
teachers.jpg
1min471

ગુજરાતની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અંદાજે બે લાખ જેટલા શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે ધોરણ-૧ થી ૫ના શિક્ષકોને વધતા કિસ્સામાં ધોરણ-૬ થી ૮માં સમાવવામાં આવશે નહીં. બંનેની સિનિયોરિટી અલગ-અલગ જ ગણવામાં આવશે, જેને કારણે હવે પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ધોરણ-૧ થી ૮ને સળંગ એકમ ગણવામાં આવતો હોવાથી સિનિયોરિટીના લાભથી અનેક શિક્ષકો વંચિત રહેતા હોવાથી તેમની બદલીઓમાં વિલંબ થતો હતો. શિક્ષણ વિભાગે ટેમ્પરરી એવી જોગવાઈ કરી હતી કે ધોરણ ૧થી ૫માં જે શિક્ષકો વધુ હોય તેમને ધોરણ.૬થી ૮માં સમાવવાના રહેશે. આમ, વધારાના શિક્ષકો ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થવાના કારણે બદલીના સંજોગોમાં ધોરણ.૧થી ૮નો સળંગ એકમ ધ્યાનમાં લેવામાં આવતો હતો. જોકે હવે અન્ય કેટેગરીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સરકારની સચિવાલય સેવાઓ, ગુજરાત જાહેર સેવા આયોગ તથા ગુજરાત હાઈકોર્ટની વિવિધ જગ્યાઓમાં નિમણૂક થયેલા કર્મચારી કે અધિકારીઓના નોકરીનાં ત્રણ વર્ષ પૂર્ણ થયાં બાદ તેમનાં શિક્ષક પત્ની કે પતિને બદલીનો લાભ આપવામાં આવશે. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં ખાલી જગ્યાના આધારે નિમણૂક આપી શકાશે.

December 10, 2020
shakti.jpg
2min711

મહિલા અને બાળકો પર અત્યાચારના કેસ વધતા જતા હોવાથી સરકારે આંધ્રપ્રદેશના દિશા કાયદાની જેમ જ ‘શક્તિ’ કાયદો બનાવ્યો છે, જેને બુધવારે 9/12/2020 પ્રધાનમંડળની બેઠકમાં મજૂરી આપવામાં આવી હતી.

આ કાયદામાં શિક્ષાનું પ્રમાણ વધારવામાં આવ્યું છે તેમ જ નવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ મુખ્ય પ્રધાન કાર્યાલયે માહિતી આપી હતી. બુધવારે પ્રધાનમંડળમાં મહાારષ્ટ્ર શક્તિ ક્રિમિનલ લૉ (મહારાષ્ટ્ર અમેડમેન્ટ) એક્ટ ૨૦૨૦ એન્ડ સ્પેશિયલ ર્કોર્ટ એન્ડ મશિનરી ફોર ઈમ્પ્લિમેન્ટેન્શન ઑફ મહારાષ્ટ્ર શક્તિ ક્રિમિનિલ લૉ ૨૦૨૦ એમ બે કાયદાને મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આંધ્રપ્રદેશની મુલાકાત લઈ ત્યાંના કાયદાનો વિશેષ અભ્યાસ કર્યો હતો. રાજ્યમાં વધતી ગુનાખોરી સામે મહિલાઓને રક્ષણ આપવા સરકારે આ કાયદા બનાવ્યા છે. હવે આ કાયદો મહારાષ્ટ્ર સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી આપ્યો છે.

ફોજદારી પ્રક્રિયામાં ફેરફાર

૧. તપાસનો કાર્યકાળ બે મહિનાને બદલે ૧૫ કામના દિવસો કરવામાં આવ્યો

૨. કેર્ટમાં કેસ ચલાવવાની મર્યાદા બે મહિનાને બદલ ૩૦ કામના દિવસો કરવામાં આવ્યો

૩. અપીલનો કાર્યકાળ છ મહિનાને બદલે ૪૫ દિવસ

૪. દરેક સ્પેશિયલ કોર્ટ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યટર નિમવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે

૫. દરેક ઘટક માટે મહિલા અને બાળક પર થયેલા ગુનાની તપાસ કરવા માટે ખાસ પોલીસ ટીમ અને તેમાં કમ સે કમ એક મહિલા અધિકારી પ્રસ્તાવિત કરવામાં આવી છે.

૬. પીડિતાને મદદ કરવા માટે સામાજિક સંસ્થાને નિમવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.

——————————

કેવી હશે સજા

૧.બળાત્કાર, એસિડ હુમલા અને બાળક પર અત્યાચાર કરવા બદલ મૃત્યુદંડ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે

૨. સજાની મર્યાદા વધારવામા આવી છે

૩. એસિડ હુમલા પ્રકરણમાં દંડની જોગવાઈ કરી છે. આ રકમ પીડિતાના ઉપચાર અને પ્લાસ્ટિક સર્જરીમાં ઉપયોગમાં લેવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે

——————————–

કાયદામાં સમાવવામાં આવેલા નવા ગુના

૧. સોશિયલ મીડિયા મારફતે મહિલાને ધમકાવવી કે તેની બદનામી કરવી.

૨. બળાત્કાર, વિનયભંગ અને એસિડ હુમલા મામલે ખોટી ફરિયાદ કરવી.

૩. સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા પૂરી પાડતી કંપની દ્વારા તપાસમાં સહકાર ન આપવો.

૪. કોઈ લોકસેવકનો તપાસમાં સહકાર ન કરવો.

૫. બળાત્કારની જેમ એસિડ અને વિનયભંગની ભોગ બનેલી પીડિતાનું નામ છાપવાનું બંધનકારક.

December 2, 2020
CIA_Live_Logo_New2.jpg
10min917

Jayesh Brahmbhatt 98253 44944

ઇન્ડિયન એરફોર્સમાં અપટુ ડેટ કારકિર્દી બની શકે એ માટે ઇન્ડિયન એરફોર્સે 2021ના વર્ષ માટેની AFCAT (AIR FORCE COMMON ADMISSION TEST)નું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. ઇન્ડિયન એરફોર્સની વેબસાઇટ પર જઇને એન્જિનિયરિંગ, સાયન્સ, કોમર્સ, બીબીએ થયેલા ગ્રેજ્યુએટ ઉમેદવારો આ પરીક્ષા આપીને જુદી જુદી પોસ્ટ પર ભરતી માટેની પ્રક્રિયામાં જોડાઇ શકે છે.

AFCAT (AIR FORCE COMMON ADMISSION TEST)ની પરીક્ષા તા.20 અને 21મી ફેબ્રુઆરી 2021ના રોજ ઓનલાઇન લેવામાં આવશે. આ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનારા ઉમેદવારોનું સિલેકશન થશે અને તેમને ટ્રેનિંગ આપીને ઇન્ડિયન એરફોર્સની જુદી જુદી બ્રાન્ચમાં લાઇફટાઇમ જોબ આપવામાં આવશે.

એન્જિનિયરિંગ, કોમર્સ, મેનેજમેન્ટ અને સાયન્સ ગ્રેજ્યુએટ ઉમેદવારો AFCAT (AIR FORCE COMMON ADMISSION TEST) આપી શકે છે

Air Force Commanders' Conference to begin from tomorrow.

Educational Qualifications.

(i) Flying Branch. Candidates should have mandatorily passed with a minimum of 50% marks each in Maths and Physics at 10+2 level and

(a) Graduation with minimum three years degree course in any discipline from a recognized University with a minimum of 60% marks or equivalent.

OR

(b) BE/B Tech degree (Four years course) from a recognised University with a minimum of 60% marks or equivalent.

OR

(c) Candidates who have cleared Section A & B examination of Associate Membership of Institution of Engineers (India) or Aeronautical Society of India from a recognised University with a minimum of 60% marks or equivalent.

(ii) Ground Duty (Technical) Branch.

(aa) Aeronautical Engineer (Electronics) {AE (L)}. Candidates with a minimum of 50% marks each in Physics and Mathematics at 10+2 level and a minimum of four years degree graduation/integrated post-graduation qualification in Engineering/ Technology from recognized University OR cleared Sections A and B examination of Associate Membership of Institution of Engineers (India) or Aeronautical Society of India or Graduate membership examination of the Institution of Electronics and Telecommunication Engineers by actual studies with a minimum of 60% marks or equivalent in the following disciplines:- (aaa) Communication Engineering.

  • (aab) Computer Engineering/Technology.
  • (aac) Computer Engineering & Application.
  • (aad) Computer Science and Engineering/Technology.
  • (aae) Electrical and Computer Engineering. (aaf) Electrical and Electronics Engineering.
  • (aag) Electrical Engineering.
  • (aah) Electronics Engineering/ Technology.
  • (aaj) Electronics Science and Engineering.
  • (aak) Electronics.
  • (aal) Electronics and Communication Engineering.
  • (aam) Electronics and Computer Science.
  •  (aan) Electronics and/or Telecommunication Engineering.
  • (aao) Electronics and/or Telecommunication Engineering (Microwave).
  • (aap) Electronics and Computer Engineering.
  • (aaq) Electronics Communication and Instrumentation Engineering.
  • (aar) Electronics Instrument & Control.
  • (aas) Electronics Instrument & Control Engineering.
  • (aat) Instrumentation & Control Engineering.
  • (aau) Instrument & Control Engineering.
  • (aav) Information Technology.
  • (aaw) Spacecraft Technology.
  • (aax) Engineering Physics.
  • (aay) Electric Power and Machinery Engineering.
  • (aaz) Infotech Engineering.
  • (aba) Cyber Security.

(ab) Aeronautical Engineer (Mechanical) {AE (M)}.

Candidates with a minimum of 50% marks each in Physics and Mathematics at 10+2 level and a minimum of four years degree graduation/integrated post-graduation qualification in Engineering/Technology from recognised University OR cleared Sections A & B examination of Associate Membership of Institution of Engineers (India) or Aeronautical Society of India by actual studies with a minimum of 60% marks or equivalent in the following disciplines:-

  • (aaa) Aerospace Engineering.
  • (aab) Aeronautical Engineering.
  • (aac) Aircraft Maintenance Engineering.
  • (aad) Mechanical Engineering.
  • (aae) Mechanical Engineering and Automation.
  • (aaf) Mechanical Engineering (Production).
  • (aag) Mechanical Engineering (Repair and Maintenance).
  • (aah) Mechatronics.
  • (aaj) Industrial Engineering.
  • (aak) Manufacturing Engineering.
  • (aal) Production and Industrial Engineering.
  • (aam) Materials Science and Engineering.
  • (aan) Metallurgical and Materials Engineering.
  • (aao) Aerospace and Applied Mechanics.
  • (aap) Automotive Engineering.
  • (aaq) Robotics
  • (aar) Nanotechnology
  • (aas) Rubber Technology and Rubber Engineering.
  • (iii) Ground Duty (Non-Technical) Branches.

(aa) Administration& Logistics.

 Passed 10+2 and Graduate Degree (Minimum three years degree course) in any discipline from a recognised university with a minimum of 60% marks or equivalent or cleared section A & B examination of Associate Membership of Institution of Engineers (India) or Aeronautical Society of India from a recognised university with a minimum of 60% marks or equivalent.

B.Sc., B.Com., BBA passouts

(ab) Accounts Branch. Passed 10+2 and done graduation in any of the following streams with 60 % marks or equivalent from a recognized university:-

(aaa) B. Com Degree (Min three years course).

(aab) Bachelor of Business Administration (with specialization in Finance)/ Bachelor of Management Studies (with specialization in Finance)/ Bachelor of Business Studies (with specialization in Finance)

(aac) Qualified CA/ CMA/ CS/ CFA.

(aad) B.Sc. with specialization in Finance.

www.afcat.cdac.in

Indian Air Force (IAF) on Tuesday commenced the online application process for Air Force Common Admission Test (AFCAT) 01/2021 for flying branch and ground duty (Technical and Non-Technical) on its official website.

Candidates can apply for AFCAT 2021 through the official website of AFCAT — afcat.cdac.in — from today i.e., December 1, 2020. The last date to submit online applications for AFCAT is December 30.

AFCAT notification reads “Indian Air Force invites Indian citizens (Men and Women) to be part of this elite force as Group A Gazetted Officers in Flying and Ground Duty (Technical and Non-Technical) branches.

Online AFCAT examination will be conducted on 20 Feb 21 and 21 Feb 21.”

Candidates applying for the examination should ensure that they fulfill all the eligibility conditions for admission to the examination. Their admission at all the stages of examination viz.

Written examination and SSB test will be purely provisional, subject to their satisfying the prescribed eligibility conditions. If on verification at any time before or after the written examination or AFSB Testing, it is found that they do not fulfil any of the eligibility conditions, their candidature will be cancelled by the IAF.

November 24, 2020
CIA_Live_Logo_New2.jpg
2min935

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોવિડ-19 પેન્ડેમિક પરિસ્થિતિમાં 2020માં જેઇઇ અને નીટ જેવી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓનું શિડ્યુલ ખોરવાયું હતું, એ જ પ્રકારે હવે 2021માં પણ આ પરીક્ષાઓના ટાઇમટેબલની સાઇકલ ખોરવાઇ ગઇ છે, આમ છતાં હાલમાં ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એલાર્મિંગ પરિસ્થિતિ આવીને ઉભી છે. આગામી ટૂંક સમયમાં જેઇઇ 2021ના ફર્સ્ટ એટેમ્પ્ટનું સમયપત્રક જાહેર કરવામાં આવશે.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેઇઇ મેઇન 2021 જાન્યુઆરીમાં લેવાની થતી હતી. પરંતુ, વર્તમાન સ્થિતિને પગલે એન.ટી.એ. અને કેન્દ્ર સરકારે આ પરીક્ષા ફેબ્રુઆરી 2021ના અંતમાં લેવા અંગે વિચારણા લગભગ પૂર્ણ કરી દીધી છે. ફેબ્રુઆરીના આખરી સપ્તાહમાં સંભવિત યોજાનારી જેઇઇ મેઇન્સ 2021 પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન આગામી ડિસેમ્બર 2020માં ઓનલાઇન શરૂ થશે. બીજી તરફ હજુ હાલમાં એન્જિનિયરિંગ ઇન્સ્ટીટ્યુટ્સમાં 2020ની પ્રવેશ કામગીરી ચાલી રહી છે, આવી સ્થિતિમાં જાન્યુઆરી 2021માં જેઇઇ મેઇન લઇ શકાય તેવી શક્યતાઓ નથી.

વધુમાં ગત ઓક્ટોબર 2020માં નિયત કરાયા મુજબ જેઇઇ મેઇન જે હાલમાં ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ભાષામાં લેવાઇ રહી છે એ વધુ પ્રાદેશિક ભાષામાં લેવામાં આવશે. આ અંગે પણ અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.

JEE Main 2021: Updates, Application, Dates, Eligibility, Syllabus & Result

The first cycle of the Joint Entrance Examination (JEE-Main) 2021 will be conducted in the last week of February instead of January. The application process however will commence from December 2020.

JEE-Main, which is the national level competitive test for admission to various undergraduate engineering and architecture courses, including the eligibility test for the JEE (Advanced) for admission to IITs is conducted twice a year – January and April.

હાલમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ માટે મહત્વની માહિતી આપતું પુસ્તક

Contact for Counselling

November 23, 2020
MindRead.jpg
1min506

મૈસાચુસૈટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)થી ગ્રેજ્યુએટ થયેલા દિલ્હીના રહેવાસી અર્નવ કપૂરે ડિઝાઇન કરેલા એઆઈ-માઇન્ડ-રીડિંગ હેડસેટને ટાઇમ ર0ર0ના 100 સર્વશ્રેષ્ઠ આવિષ્કારોમાં સામેલ કરાયું છે.

આ ડિવાઇસને ચહેરા પર પહેરવામાં આવે છે. ત્યાર બાદ તે શરીરમાં હાડકાઓનાં કંપનની મદદથી મગજમાં ચાલી રહેલી ગતિવિધિઓની જાણકારી મેળવે છે.
કોમ્યુકેશનમાં મુશ્કેલી અનુભવતા લોકો માટે હેડફોનની જેમ પહેરાતું આ ડિવાઇસ વરદાન રૂપ સાબિત થઈ શકે છે. સેરિબલ પાલ્સીના દર્દીઓ તેનાં માધ્યમથી કોઈ શબ્દ વિના જ કોમ્પ્યુટર સાથે સંવાદ કરી શકે છે. એવો દાવો કરાયો છે કે આ ડિવાઇસની મદદથી મગજમાં ચાલી રહેલી બાબતોને વાંચી-સાંભળી શકાય છે અને તેને કોમ્પ્યુટર કે મોબાઇલ ફોનનાં માધ્યમથી બતાવી શકાય છે. આ ડિવાઇસ લોકોને સમજવામાં 9ર ટકા કારગર હોવાનું કહેવાય છે.

એમઆઇટીની વેબસાઇટ પર લખવામાં આવેલા આ સંશોધનનો હેતુ બોલી ન શકતા લોકોને સંચારમાં મદદરૂપ થવાનો છે. તેમાં માનવ અને કોમ્પ્યુટરને સાંકળવાની ક્ષમતા છે. ડિવાઇસની મદદથી ચેસ રમી તેના નિષ્ણાત બની શકાય છે. મશીનમાં માનવ નિર્ણય લેવામાં વધારો કરવાની ક્ષમતા છે.

અર્નવ તેનો ભાઈ શ્રેયસ અને એમઆઇટી મીડિયા લેબના સાથી સંશોધકો દ્વારા ડિઝાઇન કરાયેલા હેડસેટ ઓલ્ટરએગોએ પ્રેકિટલ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.

November 21, 2020
cbse1.jpg
1min846

સીબીએસઇના બૉર્ડના સચિવ અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ૧૦મા અને ૧૨મા ધોરણની બૉર્ડની પરીક્ષા ચોક્કસ યોજાશે અને એની તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. કોવિડ-૧૯ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને અનેક લોકો ૧૦મા અને ૧૨મા ધોરણની બૉર્ડની પરીક્ષા રદ કરવાની અથવા એની તારીખ લંબાવવાની માગણી કરી રહ્યા છે અને એના જવાબમાં ત્રિપાઠીએ આ વાત કહી હતી.

એમણે વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષાઓ ક્યારે અને કઇ રીતે યોજાશે એ વિશે અમે ચર્ચા કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં પરીક્ષાપત્રક જાહેર કરવામાં આવશે તથા પરીક્ષા કઇ રીતે લેવાશે એ વિશેની માહિતી પણ જાહેર કરવામાં આવશે.

જોકે, દર વર્ષની જેમ આ વખતે પણ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાશે કે નહીં એ વિશે એમણે મગનું નામ મરી નહોતું પાડયું, પણ એમ જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં કોરોનાને કારણે પ્રતિબંધ લદાયા બાદ આગળ કઇ રીતે વધવું એ વિશે અવઢવ હતી ત્યારે અમારા શિક્ષકોએ પોતાની જાતને નવી ટૅકનોલોજીમાં ઢાળીને ભણાવવાનું ચાલું રાખ્યું હતું તથા થોડા જ મહિનામાં વિવિધ ઍપ્સનો ઉપયોગ કરીને ઑનલાઇન ભણાવવાની વાત સામાન્ય બની ગઇ હતી.

કેટલાંક રાજ્યોમાં ૧૫મી ઑક્ટોબરથી આંશિક રીતે શાળાઓ શરૂ કરવામાં આવી છે, પણ કોરોનાને લીધે અમુક રાજ્યોમાં શાળાઓ સદંતર બંધ જ રહી છે.

જે બૉર્ડની પરીક્ષાઓની તારીખ લંબાવાઇ હતી, એ છેવટે રદ કરાઇ અને પર્યાયી અસેસમેન્ટને આધારે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.

November 5, 2020
ipl.jpeg
1min494

મુંબઇ ઇન્ડિયન્સની મજબૂત ટીમ અને આઇપીએલની વર્તમાન સિઝનમાં શાનદાર દેખાવ કરનાર દિલ્હી કેપિટલ્સની ટીમ વચ્ચે ગુરૂવારે ફાઇનલમાં પહોંચવા માટે પહેલા ક્વોલીફાયરમાં કાંટે કી ટક્કર થશે. લીગ રાઉન્ડના બન્ને મેચમાં મુંબઇએ દિલ્હીને હાર આપી છે. આથી આવતીકાલના મેચમાં પણ તે ફેવરિટ માનવામાં આવે છે. જો કે સુકાની રોહિત કહે છે કે તે ઇતિહાસ છે. અહીં પહોંચ્યા બાદ જે સારો દેખાવ કરશે તેને જીત મળશે.

આ મુકાબલાની વિજેતા ટીમ સીધી જ ફાઇનલમાં પહોંચશે. જ્યારે પરાજીત ટીમને આ માટે વધુ એક તક મળશે. કારણ કે બન્ને ટીમ પોઇન્ટ ટેબલ પર પહેલા-બીજા સ્થાને છે.

આઇપીએલની ચાર વખતની વિજેતા મુંબઇ ઇન્ડિયન્સ ટીમને લીગ રાઉન્ડમાં હાર આપવી કોઇ ટીમ માટે આસાન ન હતી, પણ મંગળવારના મેચમાં હૈદરાબાદના હાથે 10 વિકેટે મળેલી હારથી ચેમ્પિયન ટીમનો આત્મવિશ્વાસ થોડો ડગમગી ગયો છે.

બીજી તરફ પોતાના પહેલા ખિતાબ માટે ઝઝુમી રહેલી દિલ્હી કેપિટલ્સ સતત ચાર મેચ ગુમાવ્યા બાદ નિર્ણાયક મુકાબલામાં બેંગ્લોરને પરાજીત કરીને નંબર ટૂ ટીમ બની છે. આ જીતથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. મુંબઇની ટીમ માટે સકારાત્મક વાત એ છે કે તેનો કેપ્ટન રોહિત શર્મા વાપસી કરી ચૂકયો છે. હેમસ્ટ્રિંગને લીધે તે ચાર મેચ રમી શકયો ન હતો. જો કે આ સ્ટાર બેટ્સમેન હૈદરાબાદ સામે પ રન જ કરી શકયો હતો. મુંબઇ પાસે સારી બેટિંગ લાઇન અપ છે. યુવા ઇશાન કિશન (428 રન) તેનો મહત્ત્વનો બેટધર બનીને ઉભરી આવ્યો છે. કિવંટન ડિ’કોક (443 રન) તેની ભૂમિકા બખૂબી નિભાવી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ (410 રન) શાનદાર ફોર્મમાં છે. જ્યારે કિરોન પોલાર્ડ, હાર્દિક પંડયા અને કુણાલ પંડયા બિગ હિટર છે.

સુકાની રોહિત શર્મા દબાણગ્રસ્ત મેચનો મોટો ખેલાડી ગણાય છે. મુંબઇની બોલિંગને જસપ્રિત બુમરાહ (23 વિકેટ) અને ટ્રેંટ બોલ્ટ (20 વિકેટ) ધારદાર બનાવે છે. આ બન્નેને હૈદરાબાદ વિરૂધ્ધ વિશ્રામ અપાયો હતો.

બીજી તરફ દિલ્હી તરફથી અનુભવી શિખર ધવન (પ2પ રન) શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. જો કે તેને બીજા બેટ્સમેનો તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો નથી. દિલ્હીની ચિંતા પૃથ્વી શો અને ઋષભ પંતના નબળા ફોર્મની છે. સુકાની શ્રેયસ અય્યર (421 રન) લીગ રાઉન્ડના બીજા તબક્કામાં ચમકદાર દેખાવ કરી શકયો નથી. વિદેશી ખેલાડી હેટમાયર અને સ્ટોઇનિસે મહત્ત્વના મેચમાં ફોર્મ બતાવવું પડશે. રબાડા (2પ વિકેટ) અને નોત્ઝે (19 વિકેટ) સાથે સારી બોલિંગ કરી રહ્યા છે. આ આફ્રિકી જોડી દિલ્હી માટે હુકમના એક્કા સમાન છે.

October 30, 2020
neetresults-1280x1168.jpg
2min12410

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નીટ-2020નું પરીણામ ગઇ તા.16મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થયા બાદ 15 ટકા ઓલઇન્ડિયા ક્વોટા માટે પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ છે. ગુજરાતમાં પ્રવેશ કાર્યવાહી તા.2 નવેમ્બરથી શરૂ થશે.

સી.આઇ.એ. લાઇવ સાથે શિક્ષણ સર્વદાએ અહીં નીટ-2020ના પરીણામનું એવું એનાલિસીસ રજૂ કર્યું છે કે જેને યોગ્ય રીતે એસેસ કરવામાં આવે તો ઉમેદવાર ખુદ જાણી શકશે કે આ વખતે તેમને મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ મળશે કે નહીં.

નીટ-2020માં 500 પ્લસ માર્કસ લાવનારાઓનો રાફડો ફાટ્યો

નીટ-2020માં વ્યક્તિગત ટોપ સ્કોર ધરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અધધ એટલે કે જંગી પ્રમાણમાં વધી છે. નીટ 2020માં કુલ 97,093 વિદ્યાર્થીઓએ 500 પ્લસ સ્કોર હાંસલ કર્યો છે. 2019 નીટમાં 500 પ્લસ સ્કોર કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 49,581 હતી. આમ ગયા વર્ષ 2019માં નીટમાં 500 પ્લસ સ્કોર ધરાવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કરતા આ વખતે 2020માં 37,512 વધુ વિદ્યાર્થીઓ 500 પ્લસ સ્કોર ધરાવે છે. આ જ સૂચવે છે કે નીટ-2020માં મેડીકલ કોલેજોના કટઓફ અકલ્પ્ય રીતે ઉંચા જશે.

ગત વર્ષ 2019 કરતા આ વખતે 400 પ્લસ સ્કોરર વધ્યા

નીટ 2020માં 400 પ્લસ સ્કોર કરનારાઓની સંખ્યા 56,857 જેટલી વધી છે.

બીજા રાજ્યોના ટોપ સ્કોરર ફેક્ટર પર નજર કરો

  • કેરળમાં 2019માં નીટમાં 650 કે તેથી વધુ માર્કસ મેળવનારાઓની સંખ્યા 115 હતી જે 2020માં વધીને 643 થઇ છે.
  • રાજસ્થાનમાં 2019માં નીટમાં 500 કે તેથી વધુ માર્કસ લાવનારાઓની સંખ્યા 7,659 હતી જે 2020માં વધીને 11,698 પર પહોંચી ગઇ છે.
  • તમિળનાડુમાં નીટમાં 600 પ્લસ સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2019માં ફક્ત 146 હતી જે 2020માં વધીને 1,029 જેટલી થઇ ગઇ છે.
  • મહારાષ્ટ્રમાં 600 પ્લસ સ્કોર ધરાવતા 2019ના વિદ્યાર્થીઓની સંખ્યામાં 2020માં 220 ટકા જેટલો જંગી વધારો થયો છે.