CIA ALERT

WE Archives - Page 14 of 63 - CIA Live

December 7, 2021
dhyan.jpg
2min936

ધ્યાનને બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. એક જ્ઞાનાત્મક ભાગ છે, જે મગજમાં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજો વર્તણૂકનો ભાગ છે, જે વધુ મૂર્ત ભાગ છે, જેમાં રોજબરોજની વસ્તુઓનો સમાવેશ થાય છે.

વધતી જતી ટેકનોલોજી અને સતત ધ્યાન ભટકાવનારા આ વિક્ષેપજનક યુગમાં, માતા-પિતા માટે બાળકોના ધ્યાનને કેન્દ્રિત રાખવાનું કામ ઘણું મુશ્કેલ છે. તેથી ‘ધ્યાન’નો સાચો અર્થ શું છે તે સમજવું એ તેમના બાળકોમાં યાદશક્તિ, ભાષા, વાંચન, લેખન અને સામાન્ય શિક્ષણ જેવા જટિલ કૌશલ્યો વિકસાવવામાં મદદ કરવા માટે નિર્ણાયક છે, જે તમામ ધ્યાન સાથે સંબંધિત છે.

ધ્યાનની પાઠ્યપુસ્તકમાં આપેલી વ્યાખ્યા એ છે કે, કામ પ્રત્યે યોગ્ય રસ ઊભો કરવાની અને ટકાવી રાખવાની ક્ષમતા. તે સામાન્ય રીતે આપણી પ્રેરણા, પ્રેક્ટિસ, સંવેદનાત્મક એકીકરણ અને ભાષાને પકડવાની ક્ષમતા જેવા ઘણા પરિબળો દ્વારા નિયંત્રિત થાય છે. જોકે, આપણે જમીન પર ઘસરકા કરીએ, તો ધ્યાન ‘ચોક્કસ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા’ની સરળ સમજણથી ઘણું આગળ નીકળી જાય છે. તેમાં સ્પર્ધાત્મક માહિતી, ઉત્તેજના અને સંવેદનાઓની વિશાળ માત્રાને અવગણવી અને ટ્યુનિંગ કરવાનો પણ સમાવેશ થાય છે, જે આ ક્ષણે સંબંધિત નથી.

તો ચાલો જોઈએ કે, ધ્યાનમાં કયા તત્વોનો સમાવેશ થાય છે અને આપણે કેવી રીતે આપણા બાળકોના ધ્યાનના સમયગાળાને વધારીને તેમની શીખવાની ક્ષમતાઓને વધારી શકીએ છીએ અને જીવનભરના શિક્ષણ અને વિકાસને ટેકો આપવા માટે પાયો પૂરો પાડી શકીએ છીએ.

ધ્યાનને સમજવું
આ સંદર્ભમાં, ધ્યાનને બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. એક જ્ઞાનાત્મક ભાગ છે, જે મગજમાં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં વિવિધ પરિસ્થિતિઓમાં આપણી આસપાસની ઉત્તેજનાને દિશા આપવાની, નિયંત્રણની, ધ્યાન જાળવવાની અને ઊર્જાને લક્ષ્ય બનાવવાની અદ્રશ્ય માનસિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. બીજો વર્તણૂકનો ભાગ છે, જે વધુ મૂર્ત ભાગ છે, જેમાં રોજબરોજની વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમકે, બાળક પોતાનો વારો આવવાની રાહ જોતું હોય, તેમના વર્ગખંડની બહાર ભસતા શ્વાનને અવગણવું, જેથી તેઓ શિક્ષકની સૂચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, અથવા બાળક સતત સળવળાટ કરે છે અને મૂંઝવણ અનુભવે છે.

જ્ઞાનાત્મક બાજુ અને વર્તણૂકીય બાજુ વચ્ચેના ગાઢ આંતર-સંબંધનું ઉદાહરણ એ રીત છે જે રીતે બાળક વિડીયો ગેમ્સ રમવામાં કલાકો પસાર કરી શકે છે. આ રમતો સંગીત, ગ્રાફિક્સ અને સમસ્યાઓના ઉકેલનો ઉપોયગ કરીને મગજના ચોક્કસ ભાગોથી ધ્યાન કેન્દ્રિત કરવા અને જાળવી રાખવા માટે ડિઝાઈન કરવામાં આવી છે, જે જ્ઞાનાત્મક ભાગ છે. પરિણામે, બાળકો ગેમ કન્ટ્રોલરને પકડીને સોફા પર એક જગ્યાએ બસી રહેશે, જ્યારે કેટલીક વખત હતાશામાં આવીને જોરથી બૂમો પાડશે, જે વર્તણૂકનો ભાગ છે.

ધ્યાન તેમના ભાવનાત્કમ સ્વાસ્થ્ય, તેમની આસપાસ બનેલી કે બનતી ઘટનાઓ, જેવિકે પરિબળો જેવા કે ભૂખ્યા હોવું, ઊંઘમાં હોવું અથવા થાકેલા હોવું, ઉંમર, વિષયમાં વ્યક્તિગત રસ, શીખવાની અક્ષમતા, મૂડ અને જ્ઞાનાત્મક ક્ષમતાઓ જેવા અન્ય પરિબળો દ્વારા પણ સંચાલિત થાય છે. બાળકના ધ્યાનના સમયગાળાને અસર કરતા ઘણાબધા પરિબળો હોવાથી બાળકને સતત મુશ્કેલીઓ આવી રહી હોય , જે તેમના શિક્ષણ અને વિકાસને અસર કરી શકે છે, ત્યારે તેને ઓળખવી મુશ્કેલ બની શકે છે. ત્યારે બાળક શીખતું હોય અને લાંબો સમય કામ કરતું હોય તે દરમિયાન માતા-પિતાનું સક્રિય અવલોકન અને બાળક સાથે તેમની સહભાગિતા મહત્વપૂર્ણ બની જાય છે. ઉપરાંત, જાણીતી ઓસ્ટ્રેલિયન ડિજિટલ હેલ્થ કંપનીની Tali Detect એપ જેવીનવી ટેકનોલોજીનો ઉપયોગ, માતા-પિતાને એ સમજવામાં મદદ કરી શકે છે કે તેમનું બાળક ધ્યાન કૌશલ્યના વિકાસ સાથે કેવી રીતે આગળ વધી રહ્યું છે.

અલગ-અલગ બાળકોમાં ધ્યાન કઈ રીતે કામ કરે છે
આપણે બધા જાણીએ છીએ કે, બાળકનું ધ્યાન પુખ્ત વયના લોકો કરતાં ઘણું ઓછું હોય છે, પરંતુ ધ્યાન પણ દરેક બાળકમાં બદલાય છે. TALiના ક્લિનિકલ લીડ, ડો. સિમોન ગિન્ડિડિસે સમજાવ્યું કે, ધ્યાન સમજવાની સરળ રીત એ છે કે, ફ્લોર પર બેઠેલા બાળકોના વર્ગખંડની કલ્પના કરવી અને રૂમની આગળના ભાગમાં તેમના શિક્ષક સૂચનો આપે છે. વર્ગખંડમાં ઝાંખો પ્રકાશ છે અને ઓરડામાં મોટાભાગના બાળકોના માથા પર સ્પોટલાઈટ હોય છે. દરેક સ્પોટલાઈટ અલગ-અલગ કદની હોય છે, પરંતુ ચોરસ રીતે રૂમની આગળની તરફ લક્ષિત હોય છે. સ્પોટલાઈટ બાળકો બાકીના રૂમને ફિલ્ટર કરવામાં સક્ષમ છે (કારણ કે ત્યાં તદ્દન અંધારું છે) અને જ્યાં તે હોવું જરૂરી છે, ત્યાં પ્રકાશ ફેંકે છે. ધ્યાનમાં નબળા બાળક માટે, તેમના પ્રકાશનો સ્ત્રોત વાસ્તવમાં સ્પોટલાઈટને બદલે મીણબત્તી છે. તેથી, જ્યારે તે બાળક તેના પ્રકાશને શિક્ષક તરફ દિશામાન કરે છે, ત્યારે આખો ઓરડો પણ પ્રકાશિત થાય છે. આખો ઓરડો ઝળહળતો હોવાથી, બાળક જોઈ શકે છે કે બીજી હરોળમાં રહેલો નાનો જોની તેના બૂટની દોરી સાથે રમી રહ્યો છે, અને ડેસ્ક પર એક રમકડું પડ્યું છે, જેની સાથે તેઓ રમવાનું પસંદ કરે છે, અને તેમને એ પણ ખ્યાલ આવે છે કે તેમને ભૂલ લાગી છે અને દિવાલ પરની ઘડિયાળ જોરથી અવાજ કરી રહી છે.

ડો. સિમોન આ કલ્પનામાં જે મુખ્ય બાબત પર પ્રકાશ પાડે છે, તે એ છે કે, બાળકોના મગજ અલગ-અલગ હોય છે, અને કેટલાકમાં પ્રકાશનો સ્ત્રોત બાકીના કરતા અલગ હોય છે. આપણે આ બાળકોને તેમના વિશ્વને સમજવા માટે વ્યુહરચનાઓ અને સાધનોને એક્સેસ કરવામાં જેટલી વહેલી મદદ કરી શકીએ, તેટલી જ તેઓ તેમના જીવનમાં અન્ય પડકારોને દિશા આપવામાં સક્ષમ થવાની શક્યતા વધારે રહે છે.

બાળકોમાં રહેલી ધ્યાનની નબળાઈઓમાં શરૂઆતથી હસ્તક્ષેપ શા માટે મહત્વપૂર્ણ છે
સંખ્યાબંધ અભ્યાસો સૂચવે છે કે, ધ્યાનની મુશ્કેલીઓ ધરાવતા લોકો તેમના સમગ્ર શાળાકીય વર્ષો દરમિયાન સંઘર્ષ કરે તેવી શક્યતા વધુ હોય છે અને તેઓ યુવાન પુખ્ત વયના અને તેના કરતા મોટ થાય ત્યારે તેઓ માનસિક સમસ્યાઓ અને ઓછા આત્મસન્માનનો અનુભવ કરે છે. વધતા પુરાવા દર્શાવે છે કે, બાળકોમાં શક્ય તેટલું વહેલી તકે ધ્યાનના મુદ્દાઓને ઓળખવા અને તેના પર કામ કરવું એ તેમની ભાવિ સફળતા માટે ઘણું મહત્વપૂર્ણ છે, અને તેનાથી માત્ર તેમને જ નહીં, પરંતુ તેમના પરિવાર, શિક્ષકો અને વ્યાપક સમુદાયને પણ લાંબા ગાળાના લાભ થાય છે.

એટલે જ, માતા-પિતા બાળકોને તેમના નાનપણથી જ ધ્યાન આપવાની કુશળતા વિકસાવવામાં અને ઓળખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ તેમના બાળકને જે રીતે ટેકો આપી શકે છે, તેમાં સૂચનાઓને તોડીને ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો સમાવેશ થાય છે, જેથી કરીને બાળકો હાથમાં રહેલા કાર્યોમાં સફળ થઈ શકે અને જ્યારે તેઓ સફળ થાય ત્યાર તેમને સકારાત્મક પ્રતિસાદ આપી શકે. ક્લિનિકલ મનોવૈજ્ઞાનિકો પણ માતાપિતાને ભલામણ કરે છે કે, બાળકો સામાન્ય રીતે જે વિક્ષેપો અનુભવે છે તેમાં ઘટાડો કરે. અતિશય ઉત્તેજના બાળકના ધ્યાનના સમયગાળા સામે પણ કામ કરી શકે છે અને આ અનુભવને ઉત્તેજિત કરતી પ્રવૃત્તિઓમાં બાળકોના એક્સેસને મર્યાદિત કરવી શ્રેષ્ઠ બાબત છે.

આ બધા ઉપરાંત, એ યાદ રાખવું જરૂરી છે કે, દરેક બાળકનું મગજ અલગ હોય છે અને જેટલી વહેલી તકે આપણે તેમને તેમની દુનિયાને સમજવામાં મદદ કરવા માટે વ્યુહરચનાઓ અને સાધનોને એક્સેસ કરવામાં મદદ કરી શકીએ, તેમના જીવનમાં અન્ય પડકારોને નેવિગેટ કરવામાં તેઓ સફળ થવાની શક્યતા વધી જાય છે.

તમારું બાળક ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવે છે કે કેમ તે જાણવું
ધ્યાન મગજના ઘણા અનન્ય ક્ષેત્રોને સમાવે છે અને ધ્યાનની મુશ્કેલી ઘણીવખત બીજા પડકારોની સાથે ઊભી થાય છે. તેથી તે હંમેશા સ્પષ્ટ નથી હોતું કે ધ્યાનની મુશ્કેલીઓ અન્ય નબળાઈઓને ઢાંકી રહી છે કે તેનાથી ઉલટું છે. આથી જ ક્લિનિકલ સ્તરે, ત્યાં ઘણી મુખ્ય વર્તણૂકો છે, જે માપવામાં આવે છે, તે સૂચવે છે કે, શું બાળક ધ્યાનની મુશ્કેલીઓ અનુભવી રહ્યું છે. માતા-પિતા તેમના બાળકો પર વધારે ધ્યાન આપીને આ પ્રક્રિયામાં મદદ કરી શકે છે અને તેમનું બાળક કઈ રીતે પ્રગતિ કરી રહ્યું છે, તે વિશે દેખાતા હોય તેવા કોઈપણ સંકેતોને ક્યારેય અવગણવા જોઈએ નહીં.

માતા-પિતા ઘણીવાર તેમના બાળકની જ્ઞાનાત્મક શૈક્ષણિક અને વર્તણૂકીય શક્તિઓ અને નબળાઈઓને સમજનારા સૌ પ્રથમ લોકો હોય છે. જો તેમને લાગતું હોય કે કંઈક સારી રીતે કામ કરી રહ્યું નથી, તો યોગ્ય હેલ્થકેર પ્રેક્ટિશનરને મળવું યોગ્ય છે, જે ધ્યાન અને શીખવાની સમસ્યાઓ માટે તેમના બાળકનું યોગ્ય મૂલ્યાંકન કરી શકે. સારા સમાચાર એ છે કે, માતા-પિતા પાસે હવે TALi DETECT દ્વારા તેમના બાળકના ધ્યાનનું મૂલ્યાંકન કરવાની વધારાની રીત છે. Tali ઓસ્ટ્રેલિયાની ટોચની યુનિવર્સિટીઓમાંથી એકમાં અગ્રણી બાળપણ સંશોધનો દ્વારા વિકસિત ધ્યાન મૂલ્યાંક એપ્લિકેશન પ્રદાન કરે છે. સતત વ્યસ્ત રાખતી ગેમ આધારિત પ્રવૃત્તિઓની શ્રેણી દ્વારા માતા-પિતા તેમના બાળકનું ધ્યાન તપાસી શકે છે અને તેમની ઉંમરના અન્ય બાળકો સાથે તુલના કરી શકે છે. Taliનું બિનહાનિકારક, ડિજિટલ ધ્યાન મૂલ્યાંક સાધન મફત ઉપયોગ કરી શકાય છે અને તે એન્ડ્રોઈડ અને એપલ બંને ટેબ્લેટ્સ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. એકવખત માતા-પિતા સમજી લે કે કઈ રીતે તેમનું બાળક સરખામણી કરે છે, ત્યારે તેમની પાસે ક્લિનિકલી સાબિત 5 અઠવાડિયાના તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરવાનો વિકલ્પ હોય છે, જે તેમન બાળકના ધ્યાન કૌશલ્યને મજબૂત કરવા માટે ઈન્ટરેક્ટિવ ગેમ આધારત કસરતોનો ઉપયગો કરે છે અને તે ગૂગલ પ્લે અને એપ સ્ટોર બંને પરથી ડાઉનલોડ કરવા અને ખરીદવા માટે પણ ઉપલબ્ધ છે.

December 6, 2021
coronaupdate.jpg
1min451

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસનો આંકડો ભારતમાં 20ને પાર થઈ ગયો છે. આવામાં એક તરફ સ્કૂલો ખોલવામાં આવી છે ત્યારે કર્ણાટકમાં એક જ સ્કૂલમાં વિદ્યાર્થી અને સ્ટાફ મળીને 94 કોરોના પોઝિટિવ કેસ આવતા હડકંપ મચી ગયો છે. કર્ણાટકાના નરસિમ્હારાપુરામાં આવેલા સ્કૂલમાંથી આ કિસ્સો સામે આવ્યો છે. હવે સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફના પણ રિપોર્ટ્સ કરવામાં આવી રહ્યા છે જેથી આ ચેઈનને તોડી શકાય.

મળતી વિગતો પ્રમાણે સ્કૂલમાં વધુ 35 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા નરસિમ્હારાજપુરાની કેન્દ્રીય સ્કૂલમાં કોરોનાના કુલ કેસનો આંકડો 94 પર પહોંચ્યો છે. સ્કૂલના કેમ્પસમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 100ની નજીક પહોંચી જતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલનો સ્ટાફ ચિંતામાં મૂકાયો છે. એક તરફ ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે ત્યારે એક સાથે આટલા બધા કેસ એક જ સ્કૂલના કેમ્પસમાં આવતા કેસમાં થતો વધારો અટકાવવા માટેના જરુરી પગલા પણ ભરવામાં આવી રહ્યા છે.

એક સામટા આટલા કેસ એક જ સ્કૂલમાંથી આવતા હવે વધુ 418 લોકોના ટેસ્ટ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફનો સમાવેશ થાય છે. સ્કૂલનો કોરોનાના કેસનો આંકડો સદીની નજીક પહોંચી જતા કર્ણાટકની આ સ્કૂલને વહીવટી તંત્ર દ્વારા હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે નરસિમ્હારાજપુરાની સ્કૂલમાં ભણતા 59 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જે બાદ સોમવારે વધુ 35 વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા છે. આમાં સ્કૂલના શિક્ષકો અને અન્ય સ્ટાફ મળીને 13 લોકો થાય છે કે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે 81 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ડૉક્ટરોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. આ તમામ જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓ એસિમ્પ્ટોમેટિક છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 8,306 કેસ નોંધાયા છે, જેની સામે 8,834 દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 98,416 થઈ ગયો છે. આમ એક્ટિવ કેસનો આંકડો 552 દિવસના તળિયે પહોંચી ગયો છે.

December 6, 2021
NIFT_official_logo.png
6min983

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT) એ તેની સત્તાવાર વેબસાઇટ પર આગામી 2022ના વર્ષ માટે બેચલર ઓફ ડિઝાઇન તેમજ બેચલર ઓફ ફેશન ટેક્નોલોજી પ્રોગ્રામ્સ (B.Des & B.FTech) માં પ્રવેશ માટેની સૂચના બહાર પાડી છે.

ભારતના કોઈપણ રાજ્યમાંથી લાયકાત ધરાવતા ઉમેદવાર જે સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નિર્ધારિત વય અને શૈક્ષણિક લાયકાતના માપદંડોને પૂર્ણ કરે છે તે અધિકૃત વેબસાઇટ – http://niftadmissions.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

Courses offered at NIFT campus

ઉમેદવારની સાહજિક ક્ષમતા, કન્સેપ્ટ ડેવલપમેન્ટમાં અવલોકનની શક્તિ અને ડિઝાઇન ક્ષમતા નક્કી કરવા માટે એન્ટ્રન્સ એકઝામ અન્ડર ગ્રેજ્યુએટ UG અને PG પોસ્ટ ગ્રેજ્યુએટ  ડિઝાઇન પ્રોગ્રામ બંને માટે લેવામાં આવે છે. કસોટીનું મહત્વનું પાસું એ છે કે રંગ અને ચિત્રણ કૌશલ્યોનો સર્જનાત્મક અને નવીન ઉપયોગ.

લેખિત પ્રવેશ પરીક્ષામાંથી B.Des માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ સિચ્યુએશન ટેસ્ટ લેવાની જરૂર છે જે સામગ્રીના આપેલ સેટ સાથે આપેલ પરિસ્થિતિમાં સામગ્રીના સંચાલન માટે ઉમેદવારની કુશળતા અને નવીન ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે હાથ પરની કસોટી છે.

ઉમેદવારોએ તેમના દ્વારા પસંદ કરેલ NIFT કેમ્પસમાં સ્ટુડિયો ટેસ્ટ, વ્યક્તિગત ઇન્ટરવ્યુ અને દસ્તાવેજોની ચકાસણી માટે હાજર રહેવું પડશે. સ્ટુડિયો ટેસ્ટ પસંદ કરેલ પ્રોગ્રામ માટે ઉમેદવારના જ્ઞાન અને કૌશલ્યની યોગ્યતા ચકાસવા માટે રચાયેલ છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માત્ર એડમિટ કાર્ડ સાથે જ આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ અને અન્ય ઈન્ફોટેક ગેજેટ્સને મંજૂરી નથી. મોબાઇલ અથવા અન્ય ઇન્ફોટેક ગેજેટ્સ સાથે મળી આવેલા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર છોડવા માટે કહેવામાં આવશે અને ગેરલાયક ઠેરવવામાં આવશે. ઉમેદવારોએ પરીક્ષા શરૂ થવાના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું જોઈએ. સ્ટુડિયો ટેસ્ટ NIFT કેમ્પસમાં યોજાશે.

NIFT Admission 2022: Important dates

EventDates
Last date to apply onlineJanuary 17, 2022
Registration with late fee of Rs. 5000January 18 to 22, 2022
NIFT Admit Card release dateJanuary 29, 2022
NIFT Entrance Exam 2022 dateFebruary 6, 2022
Result of Written Entrance ExaminationMarch 2022
Situation Test/ Group Discussion/ InterviewApril 2022
Last date for online registration for foreign
nationals/SAARC/NRIs/OCI
April 30, 2022
Declaration of Final Result (Online)May 2022
CounsellingMay-June2022 onwards

NIFT Admission 2022: How to apply online

1) Register yourself for the online application process at http://niftadmissions.in/.
2) Activate your online Application with the Activation Code received on your Email ID during the registration process.

3) The applicant is required to fill his/her “Personal Information” after registration only. The application form will appear on the screen. The applicant is required to fill up the details in the application form

4) In the next step, the applicant is required to upload scanned image file of his/her Photograph and Signature one by one.

5) In the next step, the applicant may be required to fill the Educational Information (as per requirement).

6) Once all the details are filled in, the candidate is required to Review the details entered and Confirm. No editing will be allowed once the application is confirmed by the candidates.

7) Your form will be completed only after paying the application fees, after confirmation using any of the available online modes of payment.


NIFT Admission 2022: Scheme of examination

Candidates will have to appear for a studio test, personal interview and verification of documents at the NIFT Campus opted by them. The studio test is designed to test the knowledge and skill aptitude of the candidate for the programme opted. Entry to the Examination Centre will be allowed with Admit Card only. Mobiles and other infotech gadgets are not allowed inside the Examination Centre. Candidates found with mobile or other infotech gadgets will be asked to leave the examination centre and shall be disqualified. Candidates should reach the Examination Centre at least 30 minutes before the commencement of the examination. The studio test will be held at NIFT Campuses.

December 5, 2021
cia_multi-1280x1045.jpg
1min546

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી દ્વારા પ્લેસમેન્ટના તમામ રેકોર્ડ તુટી ગયા છે.

આઈઆઈટી ખડગપુરના 1100 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ઓફર કરાયુ છે.બીજી તરફ દિલ્હીના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટની 400 ઓફરો મળી છે.આ વખતે કંપનીઓએ જંગી સેલેરી પેકેજનો પણ વરસાદ કર્યો છે.

આ વખતે સેલેરી પેકેજના મામલે આઈઆઈટીના તમામ રેકોર્ડ તુટી ગયા છે અને ખડગપુરના વિદ્યાર્થીને અત્યાર સુધીનુ સૌથી વધારે 2.40 કરોડ રુપિયાનુ પેકેજ આપવામાં આવ્યુ છે.ઉપરાંત ખડગપુરના 1100 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યુ છે તે પણ રેકોર્ડ છે.

આ વખતે પણ આઈઆઈટીમાં ઓનલાઈન પ્લેસમેન્ટ ચાલી રહ્યા છે. પ્રી પ્લેસમેન્ટ ઓફર ડિસેમ્બરમાં પૂરી થશે.બાકીના વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરીમાં પ્લેસમેન્ટનો વધુ એક રાઉન્ડ યોજાશે.

આઈઆઈટી દિલ્હીના 400 વિદ્યાર્થીઓને નોકરીઓ મળી છે અને સૌથી વધારે પેકેજ એક કરોડ રુપિયાનુ રહ્યુ છે.આઈઆઈટી રુરકીમાં સૌથી હાઈએસ્ટ પેકેજ 2.15 કરોડ રુપિયાનુ રહ્યુ છે.

આઈઆઈટી ગૌહાટીના 200 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ અપાયુ છે જ્યારે આઈઆઈટી મદ્રાસના પ્લેસમેન્ટમાં 43 ટકાનો વધારો થયો છે.

December 3, 2021
gita_gopinath.jpg
1min541

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથને પ્રમોશન અપાયુ છે અને તે હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર બની ગયા છે.સંગઠનમાં આ બીજા નંબરનુ પદ છે.

ભારતીય મૂળની કોઈ વ્યક્તિ આ પદ પર પહેલી વકત પહોંચી છે.ગીતા ગોપીનાથ તો ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ છોડવા માંગતા હતા.તેમનો વિચાર આગામી વર્ષથી ફરી હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવવાનો હતો પણ હવે તેઓ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે જ જોડાયેલા રહેશે.

ગીતા ગોપીનાથ અમેરિકાના સિટિઝન છે.જોકે તેમનો જન્મ ભારતમાં થયો હતો.નાનપણમાં તેઓ તેજસ્વી સ્ટુડન્ટ નહોતા.એક ઈન્ટરવ્યૂમાં તે્મણે કહ્યુ હતુ કે, ધો.7માં મારા 45 ટકા આવ્યા હતા પણ તે પછી મેં ભણવામાં વધારે ધ્યાન આપવાનુ શરુ કર્યુ હતુ.બાદમાં તેમણે મૈસૂરની કોલેજ જોઈન કરીને સાયન્સનો અભ્યાસ કર્યો હતો.જોકે એ પછી તેમણે ઈકોનોમિક્સ વિષય સાથે બીએની ડિગ્રી મેળવી હતી.

દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાં તેમણે ઈકોનોમિક્સમાં ઓનર્સની ડિગ્રી પણ મેળવી હતી.એ પછી દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઈકોનોમિક્સની માસ્ટર ડિગ્રી મેળવી હતી.1994માં તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટી જોઈન કરી હતી.1996 થી 2001 સુધી તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સમાં પીએચડી કરી હતી.

આ દરમિયાન તેમની મુલાકાત ઈકબાલ સાથે થઈ હતી.બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.તેમને 18 વર્ષનો એક પુત્ર છે.જેનુ નામ રાહિલ છે.2001 થી 2005 સુધી તેઓ શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપક હતા અને બાદમાં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસરની નોકરી સ્વીકારી હતી.ગીતા ગોપીનાથે ઈકોનોમિક્સ અને નાણાકીય બાબતો પર 40 રિસર્ચ પેપર પણ લખ્યા છે.

ગયા વર્ષે એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ હતુ કે, ગ્લોબલ ગ્રોથનુ જે અનુમાન છે તેમાં 80 ટકા ઘટાડો થયો છે અને તે માટે ભારત જવાબદાર છે.તેમણે મોદી સરકારના નોટબંધીના નિર્ણયને પણ નકારાત્મક ગણાવ્યો હતો.જોકે મોદી સરકારના કૃષિ કાયદાના તેમણે વખાણ કર્યા હતા.

December 2, 2021
placement-2021.jpg
1min428

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોરોના વૈશ્વિક રોગચાળાના અને મંદીના માહોલ પછી ભારતના પ્રીમિયર IIT કેમ્પસમાં કરોડોથી વધુ રકમના જોબ પેકેજો મળ્યા છે. ડોમેસ્ટીક જોબ માર્કેટમાં આઇ.આઇ.ટી.ના ગ્રેજ્યુએટ્સને વાર્ષિક રૂ.1.8 કરોડ તેમજ ઇન્ટરનેશનલ જોબ માર્કેટમાં આઇ.આઇ.ટી.ના પાસઆઉટ ઉમેદવારને રૂ.2 કરોડના પે પેકેજ મળતા, આઇઆઇટીની પ્લેશમેન્ટ ઇનિંગની શરૂઆત ધમાકેદાર રીતે થઇ છે.

આઇ.આઇ.ટી. જોબ પ્લેશમેન્ટની સિઝનના આજે પહેલા જ શરૂઆતના દિવસે, ઘણા IITiansને કરોડો રૂપિયા પ્લસ પેકેજની ક્લબમાં પ્રવેશ મળ્યો છે, કારણ કે આ વર્ષે પ્લેશમેન્ટમાં મળેલું આઇઆઇટીના ઉમેદવારોને સર્વોચ્ચ સ્થાનિક (ડોમેસ્ટિક ઇન્ડીયા પ્લેશ) પેકેજ રૂ. 1.8 કરોડના પગારની નોકરી ઓફર થઇ છે જે આઇઆઇટીમાં અત્યાર સુધીની, સર્વકાલીન હાઇએસ્ટ ઓફર છે. એવી જ રીતે આઇ.આઇ.ટી.ના કેન્ડીડેટ્સને આંતરરાષ્ટ્રીય કંપની તરફથી થયેલી ગાર ઓફરની રકમ રૂ. 2 કરોડ વાર્ષિકને પાર કરી ગઈ છે.

વૈશ્વિક ટ્રાન્સપોર્ટેશન કંપની ઉબરે IIT-બોમ્બે અને મદ્રાસ સમેતની 5 આઇઆઇટી કેમ્પસમાંથી પાસઆઉટ એક-એક વિદ્યાર્થીને રૂ.2.05 કરોડ (અથવા $274,000)ના પેકેજમાં પસંદ કર્યા છે, જ્યારે IIT-રુરકીના એક વિદ્યાર્થીને રૂ. 2.15 કરોડ ($287,550) અને ત્રણની આંતરરાષ્ટ્રીય ઓફર મળી હતી. અન્યને રૂ. 1.30 કરોડથી રૂ. 1.8 કરોડની સ્થાનિક ઓફર મળી હતી.

IIT બેંગ્લોર  ખાતે પ્રથમ સ્લોટમાં, ઉબેર પછીની સૌથી વધુ ઓફર ક્લાઉડ ડેટા મેનેજમેન્ટ કંપની રૂબ્રિક તરફથી આવી હતી, જેમાં રૂ. 90.6 લાખ (અથવા $121,000) પેકેજ હતું. કેટલીક કંપનીઓ તરફથી પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.

ઇન્ડીયા લોકલ ડોમેસ્ટિક માર્કેટમાંથી ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ મિલેનિયમે પ્રથમ સ્લોટમાં રૂ. 62 લાખના પેકેજ માટે વિદ્યાર્થીઓને પસંદ કર્યા હતા, જ્યારે વર્લ્ડ ક્વોન્ટે રૂ. 52.7 લાખ અને બ્લેકસ્ટોને રૂ. 46.6 લાખ ઓફર કર્યા હતા.

Google, Microsoft, Qualcomm, Boston Consulting Group (BCG), Airbus અને Bain & Company દ્વારા સૌથી વધુ સંખ્યામાં ડોમેસ્ટિક ઑફર્સ કરવામાં આવી હતી. IT/સોફ્ટવેર, કોર એન્જિનિયરિંગ અને કન્સલ્ટિંગ એ પ્રથમ સ્લોટમાં સંસ્થા પાસેથી ભાડે લેવા માટે અગ્રણી ક્ષેત્રો હતા.

IIT-મદ્રાસમાં પ્રથમ દિવસે 11 જેટલી આંતરરાષ્ટ્રીય ઑફરો કરવામાં આવી હતી, એમ IIT મદ્રાસના સલાહકાર (તાલીમ અને પ્લેસમેન્ટ) પ્રોફેસર સીએસ શંકર રામે જણાવ્યું હતું.

સંસ્થાએ પ્લેસમેન્ટના પ્રથમ સત્રમાં 407 ઓફરો રેકોર્ડ કરી હતી, જે અત્યાર સુધીની શ્રેષ્ઠ છે, જેમાં 231 PPOનો સમાવેશ થાય છે.

કુલ મળીને, 11 વિદ્યાર્થીઓએ રૂ. 1 કરોડને વટાવી ગયેલી ઓફરો પ્રાપ્ત કરી હતી અને તેમાંથી 10 વિદ્યાર્થીઓને સ્થાનિક ઓફર મળી હતી અને 13 વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય ઓફર માટે સાઇન અપ કર્યું હતું, જેમાંથી 12 વિદ્યાર્થીઓએ જાપાન અને સિંગાપોરમાં નોકરી કરવા માટે રૂ. 1 કરોડથી ઓછા પેકેજની પસંદગી કરી હતી.

November 30, 2021
mbbs.jpg
1min517

મેડિકલ-ડેન્ટલના પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાદ ૨૪૨૨૮ વિદ્યાર્થીઓએ વેરિફેકશન કરાવ્યુઃ

ધો.૧૨ સાયન્સ પછીના યુજી મેડિલ-ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાદ આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે.આ વર્ષે પ્રથમવાર મેડિકલ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. ૧૧ હજાર યુવકો સામે ૧૩ હજાર યુવતીઓ પ્રવેશની લાઈનમાં છે.

રાજ્ય સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે.ગઈકાલે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.જેમાં ૨૫૩૧૫ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું.રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવુ ફરજીયાત હોય વેરિફિકેશન કરાવનારા વિદ્યાર્થીઓ જ ફાઈનલ મેરિટમાં સમાવિષ્ટ થઈ શકે છે.આજે રાજ્યના નક્કી કરાયેલા ૩૨ હેલ્પ સેન્ટરો પર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો છેલ્લો દિવસ હતો.કુલ ૨૪૨૨૮ વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યુ છે.

મહત્વનું છે કે પ્રથમવાર મેડિકલ-ડેન્ટલ પ્રવેશ માટે વિદ્યાર્થિનીઓની સંખ્યા વિદ્યાર્થીઓ કરતા ઘણી વધી છે.આ વર્ષે પ્રવેશ માટેની લાઈનમાં ઉભેલા કુલ વિદ્યાર્થીઓમાં ૧૧૧૦૦ યુવકો છે અને જેની સામે યુવતીઓ ૧૩૧૧૮ છે.આમ યુવકો કરતા યુવતીઓ ૨ હજાર જેટલી વધારે છે.પ્રથમવાર મેડિકલ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ સંખ્યા ઘણી વધારે જોવા મળી છે. નર્સિંગમાં મોટા ભાગે વિદ્યાર્થિનીઓ વધુ પ્રવેશ લેતી હોય છે ત્યારે હવે આ ટ્રેન્ડ મેડિકલ-ડેન્ટલમાં પણ જોવા મળશે તેવુ લાગી રહ્યુ છે. જો કે નીટ આપનારા સ્ટુડન્સમાં વિદ્યાર્થિનીઓ વધુ છે અને પરિણામ પણ તેઓનું વધુ આવ્યુ છે.

November 4, 2021
sukanya-samriddhi-yojana.jpg
1min444

વુમન એમ્પાવરન્મેન્ટનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે સુરત જિલ્લામાં આવેલા વાંકલનું ધાણાવડ ગામ. આ નાનકડા ગામે દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એવું કામ કર્યું છે જેમાંથી સમગ્ર દેશને પ્રેરણા મળી શકે છે. ટીપે ટીપે સરોવર ભરાઇ એ રીતે વાંકલના ભાણાવડ ગામમાં 92 ટકા જેટલી દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને તથા તેમના પરિવારોને સ્મોલ સેવિંગ્સ કરાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર સુરતમાં 1800થી વધુ ગામડાઓમાં ધાણાવડ ગામે સૌથી વધુ દિકરીઓના સેવિંગ્સ કરાવીને ઇતિહાસ સર્જતા પોસ્ટ વિભાગે આ ગામને સુકન્યા ગામ ઘોષિત કરીને બહુમાનિત કર્યું છે.

ઉમરપાડા તાલુકાનુ ઘાણાવડ ગામમાં પોસ્ટ માસ્તર અને સરપંચ ના પ્રયાસથી સુકન્યા સમૃદ્ધિ યોજનાની વિશિષ્ટ કામગીરી થતા ગામ સુકન્યા ગામ જાહેર કરાયું છે. કેન્દ્ર સરકારનાં પોસ્ટ વિભાગ તરફથી બાલિકાઓ માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં છે. જેમાં બાલિકાઓનાં પોસ્ટમાં ખાતા ખોલી બચત કરવાની થાય છે.

સરકાર તરફથી ભવિષ્યમાં કન્યાઓને નાણાંકીય તકલીફ ન પડે તેની જોગવાઈ આ યોજનામાં કરેલ છે. ગ્રામ્ય લેવલે વાલીઓને સમજાવી બચત કરાવવાનુ ખૂબ મુશ્કેલ કામ છે. આવા કઠીન કાર્ય માટે ઘાણાવડ બ્રાંચ પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્તર મનજીભાઈ આટીયાભાઈ વસાવાએ ઘરે ઘરે ફરી બાલિકાઓનાં ખાતા ખોલવાની સુંદર કામગીરી કરી હતી. જેની કદર રૂપે સરકાર દ્વારા આ ગામ ને સંપૂર્ણ સુકન્યા ગ્રામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

સુરત ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ઘાણાવડ ગામનાં સરપંચ અને પોસ્ટ માસ્ટર મનજીભાઇ આટિયાભાઇ વસાવાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગામને પ્રતિષ્ઠા અપાવવા બદલ ગ્રામજનો એ પોસ્ટ માસ્ટર ને અભિનંદન પાઠવ્યા છે.

ધરમસિંહભાઈ વસાવા, ઘાણાવડ ગ્રામ પંચાયત, સરપંચ

ઘાણાવડમાં કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના નો 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવાની નેમ સાથે અમે પોસ્ટ વિભાગ સાથે હાલમાં કામ કરી રહ્યા છે અમારા ગામની પોસ્ટ ઓફિસના કાર્યક્ષેત્ર ના ગામો દિવતણ લીંબરવાણ. કાટનવાળી વગેરે ગામોમાં અમે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ પોસ્ટમાં ખાતા ખુલે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે.

November 1, 2021
cia_multi-1280x1045.jpg
1min871

સુરતના અઠવાલાઇન્સ સ્થિત સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી માટે આ એક ગર્વની ક્ષણ છે જેમાં SCET ના કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકની ટીમને 10મી કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઈન્ડિયા – ઇનએપ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોજેક્ટ એવોર્ડ્સ 2021 માં “પ્રથમ પુરસ્કાર” એનાયત કરવામાં આવ્યો છે.

ઇનએપ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોજેક્ટ એવોર્ડ્સ 2021ની સ્થાપના નવીન સોફ્ટવેર એપ્લિકેશનો વિકસાવવામાં અસાધારણ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને ઓળખવા અને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે.કરવામાં આવી હતી. આ એવોર્ડની પસંદગી પ્રક્રિયા 6 મહિનાની લાંબી પ્રક્રિયા હતી જેમાં વિશ્વભરના 2000 થી વધુ પ્રતિસ્પર્ધીઓ દ્વારા સબમિટ કરાયેલા 600+ પ્રોજેક્ટ્સમાંથી શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં એલિમિનેશનના 3 રાઉન્ડ હતા જે થકી ક્વોલિફાઇ થઇને પ્રથમ પુરસ્કાર મેળવવું એ કોમ્પ્યુટર ઇન્જીન્યરીંગ ડિપાર્ટમેન્ટ- સ્કેટ ના વિદ્યાર્થીઓની મોટી સિદ્ધિ છે.

શરૂઆતમાં સ્પર્ધા કરતી 600+ ટીમોમાંથી, પસંદગીના 2 રાઉન્ડ હતા. 20મી ઓક્ટોબર 2021ના રોજ રાજભવન, ત્રિવેન્દ્રમ ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં અંતિમ રાઉન્ડના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી અને કેરળના માનનીય રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાને વિજેતાઓને ઈનામો એનાયત કર્યા હતા.

SCET ના કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થી ટીમના સભ્યો છે:

  • નિનાદ અંકલેસરિયા,
  • ધ્યેય નિકલવાલા,
  • યશવી માલુ,
  • ઉર્મિ પાઠક અને
  • જીનલ પટેલ.

આ વિદ્યાર્થીઓને SCET ખાતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના ડો. નિરાલી નાણાવટી અને સુશ્રી પ્રીતિ શ્રીનિવાસન (IIT મંડીમાં માસ્ટર્સ રિસર્ચ સ્કોલર) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુપરસ્કેન સુરત સાથે સંકળાયેલા રેડિયોલોજિસ્ટ એવા ડૉ. નિપુન જિંદલ દ્વારા અભ્યાસ હેતુ માટે MRI ડેટા પ્રદાન કરવામાં આવ્યો હતો.

SCET ના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ આ પ્રથમ પુરસ્કાર વિજેતા પ્રોજેક્ટનું નામ- “મેડિકલ ઇમેજ ટ્રાન્સલેશન” છે. આ પ્રોજેક્ટમાં MRI ઇમેજને એક પ્રકારની ઇમેજમાંથી બીજી પ્રકારની ઇમેજમાં અનુવાદિત કરવા માટે ડીપ લર્નિંગ ફ્રેમવર્કનો ઉપયોગ કરાય છે.

આ પ્રોજેક્ટ નો ફાયદો છે કે – આનાથી રેડિયોલોજિસ્ટના  સંસાધનો અને સમય બચશે , દર્દીઓ માટે ખર્ચ ઓછો થશે , રેડિએશનની શરીર પરની અસર ઘટાડવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટ ના કારણે -એમઆરઆઈ સ્કેનનો સમય ઓછો થશે અને જેથી ખર્ચો પણ ઓછો થશે, તદુપરાંત થોડા રીસોર્સીસ-સમયમાં – વધુ એમઆરઆઈ પરીક્ષણ  થઇ શકશે. આ પ્રોજેક્ટ બાળકો માટે પણ ખુબ જ ફાયદાકારક રહેશે કારણ કે તે તેમના એમઆરઆઈ માટે જરૂરી રેડિએશન નો સમય ઘટાડશે.

October 30, 2021
cia_multi-1280x1045.jpg
1min629

Jayesh Brahmbhatt 98253 44944

ભારતની પ્રતિષ્ઠિત ગણાતી દિલ્હી યુનિવર્સિટીના કોમર્સ બેઝ અભ્યાસક્રમો માટે લેવાયેલી નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટના જાહેર થયેલા પરીણામમાં સુરતનો વિદ્યાર્થી ક્રિશિવ રાહુલ અગ્રવાલે ઓલ ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક મેળવીને સુરતનું નામ ફરી વખત શિક્ષણમાં રાષ્ટ્રીય સ્તરે ગૂંજતુ કરી દીધું છે.

દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી દિલ્હી યુનિવર્સિટી પોતાના અભ્યાસક્રમો માટે અલગથી પ્રવેશ પરીક્ષા લે છે અને તેનું ઓલ ઇન્ડિયા મેરીટ તૈયાર કરે છે તેમાં સુરતનો વિદ્યાર્થી Krishiv Rahul Agarwal ઓલ ઇન્ડીયા સ્તરે પહેલા ક્રમે આવ્યો. CiA Live News Portal

મળતી માહિતી મુજબ દિલ્હી યુનિવર્સિટી દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહ પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દિલ્હી યુનિવર્સિટી જોઇન્ટ એડમિશન ટેસ્ટ રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવે છે. આ પરીક્ષાનું મેરીટથી મેનેજમેન્ટ સ્ટડીઝ, બિઝનેસ મેનેજમેન્ટ, બીબીએ ફાઇનાન્સ, બી.એ. ઓનર્સ વગેરે જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. સુરત સમેત સમગ્ર દેશમાંથી અંદાજે સાડાચાર લાખ જેટલા વિદ્યાર્થીઓએ ડીયુ-જેટ (દિલ્હી યુનિવર્સિટી જોઇન્ટ એડમિશન ટેસ્ટ) પરીક્ષા આપી હતી. જેનું પરીણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું.

સૌના આશ્ચર્ય વચ્ચે ડીયુ-જેટ પરીક્ષામાં સુરતનો વિદ્યાર્થી ક્રિશીવ રાહુલ અગ્રવાલને ઓલ ઇન્ડીયા ફર્સ્ટ મેરીટ રેન્ક એલોટ થતાં સમગ્ર ભારતનું ધ્યાન સુરત પર કેન્દ્રીત થયું હતું. ક્રિશીવ રાહુલ અગ્રવાલ સુરતની દિલ્હી પબ્લિક સ્કુલમાંથી ધો.12 કોમર્સ પાસ કર્યું છે. અગાઉ સુરત કે ગુજરાતમાંથી કોઇ પણ વિદ્યાર્થીએ દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત મનાતી ડીયુ-જેટ પરીક્ષામાં આ પ્રકારનો દેખાવ કર્યો નથી. સુરતમાંથી તો સૌથી પહેલી વખત કોઇ વિદ્યાર્થીએ દિલ્હી યુનિવર્સિટીમાં ઓલ ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક મેળવ્યો હોય તેવી આજે પહેલી ઘટના બની છે.

First time a Surat student Tops Delhi University Joint Admission Test

Krishiv Rahul Agrawal an Alumni of Delhi Public School Surat batch 2020-21 has secured All India Rank 1 (AIR 1) 1 in Delhi University Joint Admission Test f( DU- JAT 2021). DU-JAT is  a national level entrance exam conducted every year for admission to courses like BMS, BBE, BBA (FIA) courses and BA (Hons) in Business Economics programmes.