CIA ALERT

વાયરલ Archives - Page 77 of 80 - CIA Live

December 5, 2018
medical.jpg
1min9840
  • જો કોઈ વ્યક્તિ 10 વર્ષથી વધારે સમયથી ગુજરાતમાં રહેતો હોય તો ગુજરાતને જ તેનું ડોમિસાઈલ રાજ્ય ગણાશે
  • પ્રવેશ સમયે પ્રવેશાર્થીની ઉંમર 18 વર્ષની હોતી નથી એટલે કે એ સગીર કહેવાય
  • સગીર વ્યક્તિનું ડોમીસાઇલ વાલીના ડોમીસાઇલના આધારે નક્કી થશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતમાં આવેલી મેડીકલ-પેરામેડીકલ કોલેજોમાં પ્રવેશ સમયે લેવામાં આવતા ડોક્યુમેન્ટસમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 18-19થી ડોમીસાઇલ સર્ટિફિકેટ ફરજિયાત cialive બનાવાયું હતું. ડોમીસાઇલ સર્ટિફિકેટ એટલે પ્રવેશાર્થીએ ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ ગુજરાત બોર્ડમાંથી ગુજરાતની સ્કુલમાંથી આપી હોય એમ ગણવામાં આવતું હતું. પરંતુ, આજે ગુજરાત હાઇકોર્ટે આપેલા cialive મહત્વના ચૂકાદામાં જણાવ્યું છે કે 18 વર્ષથી ઓછી વયના પ્રવેશાર્થીઓને સગીર કહેવામાં આવે છે અને સગીર વયની વ્યક્તિ પોતાનું cialive ડોમીસાઇલ કેવી રીતે આપી શકે, આથી સગીર વયના વિદ્યાર્થીઓનું ડોમીસાઇલ સર્ટિફિકેટ હવેથી તેના પિતા-માતા કે વાલીઓના ડોમીસાઇલના આધારે નક્કી કરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટે લાંબા સમયથી ચાલતા ડોમિસાઈલ વિવાદ મામલે મહત્વનો નિર્ણય આપ્યો છે. જેના પ્રમાણે 18 વર્ષથી ઓછી ઉંમરના એટલે કે સગીર બાળકનું ડોમિસાઈલ વાલીના cialive ડોમિસાઈલના આધારે નક્કી થશે. અને જો કોઈ વ્યક્તિ 10 વર્ષથી વધારે સમયથી ગુજરાતમાં રહેતો હોય તો ગુજરાતને જ તેનું ડોમિસાઈલ રાજ્ય cialive ગણાશે.

કાયદા પ્રમાણે કોઈ પણ રાજ્યમાં cialive રહેતા નાગરિકને રાજ્ય સરકાર જે અધિકાર આપે છે તેને ડોમિસાઈલ કહેવામાં આવે છે. આ પ્રમાણપત્ર રહેઠાણ અને અભ્યાસના પુરાવાની ચકાસણી બાદ મળે છે. આ વર્ષે મેડિકલમાં પ્રવેશ cialive માટે ગુજરાતીઓ માટેની બેઠકને લઈને ડોમિસાઈલનો વિવાદ સામે આવ્યો હતો. કોને ગુજરાતના મૂળ અધિનિવાસી ગણવા અને કોને નહીં તેના પર આજે cialive હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે.

અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે મેડીકલ cialive અને પેરામેડીકલ અભ્યાસક્રમો કે જ્યાં ઉપલબ્ધ બેઠકોની સંખ્યા ઓછી હોવાથી પ્રવેશની સમસ્યા સર્જાય છે અને આવા સંજોગોમાં ગુજરાત બહાર ખાસ કરીને કોટા-રાજસ્થાન, પીલાની વગેરે અભ્યાસ કરીને cialive આવતા વિદ્યાર્થીઓ પ્રવેશાર્થી બનીને મૂળ ગુજરાતી વિદ્યાર્થીઓની બેઠકો પર cialive તરાપ મારતા હોવાની ફરીયાદોને પગલે ગુજરાતના વાલીઓએ સરકાર પાસે ડોમીસાઇલ cialive ફરજિયાત બનાવડાવ્યું હતું. તેની સામે ગુજરાત બહારના બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દાના પડકાર્યો હતો.

ડોમીસાઇલ સર્ટિફિકેટ્સ પહેલેથી જ વિવાદમાં આવ્યા, સુરતમાંથી આખું બોગસ ડોમીસાઇલ સર્ટિફિકેટ ઇશ્યુ કરવાનું કૌભાંડ પકડાયું હતું.

ડોમીસાઇલ સર્ટિફિકેટ મેડીકલ અને પેરામેડીકલમાં પ્રવેશ માટે ફરજિયાત બનાવવામાં આવ્યા ત્યારથી જ વિવાદોમાં રહ્યા છે. ડોમીસાઇલ સર્ટિફિકેટ્સ ઉપજાવી કાઢેલા દસ્તાવેજોના આધારે બોગસ રીતે બનાવી આપવાનું આખું કૌભાંડ સુરતના પૂણા વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરમાંથી પકડાયું હતું. અંદાજે 75થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી ગયા બાદ તેમના ડોમીસાઇલ સર્ટિફકેટ બોગસ હોવાથી પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા. બોગસ ડોમીસાઇલ પકડાય જવાની બીકે અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓ મેરીટમાં હોવા છતાં પ્રવેશ લેવા માટે આગળ આવ્યા ન હતા.

November 30, 2018
reservation.jpg
1min9490

મરાઠાઓને શિક્ષણ અને સરકારી નોકરીમાં 16 ટકા અનામત આપીને ક્વૉટા ટકાવારીમાં મહારાષ્ટ્ર દેશમાં બીજા ક્રમાંકે આવી ગયું છે. ક્વૉટા ટકાવારીમાં પહેલા ક્રમાંકે તમિળનાડુ છે.

અગાઉ હરિયાણા 67 ટકા અનામત આપીને બીજા ક્રમાંકે હતું અને તેલંગણા 62 ટકા અનામત આપીને ત્રીજા ક્રમાંકે હતું, પરંતુ મહારાષ્ટ્રમાં મરાઠાઓને 16 ટકા અનામત જાહેર કરીને ક્વૉટા ટકાવારી 68 ટકા પર પહોંચી ગઇ છે. તમિળનાડુમાં ક્વૉટા ટકાવારી 69 ટકા છે. રાજસ્થાનમાં ગુર્જર અને અન્ય ચાર પછાત કોમને અનામત જાહેર કરીને ક્વૉટા ટકાવારી 54 ટકા પર પહોંચી છે.

November 29, 2018
online_fraud-1280x720.jpg
1min12570

ઇન્ટરનેટ કે સોશ્યલ મિડીયા સાઇટ્સ, સોશ્યલ નેટવર્કિંગ સાઇટ વગેરે પર મૂકવામાં આવતી, પોસ્ટ કરવામાં આવતી બધી માહિતી, વિડીયો, ફોટા કે અન્ય મટિરિયલ્સ પર ભરોસો મૂકનારા મોટા ભાગે પસ્તાયા છે. ઇન્ટરનેટ પર મૂકાતી માહિતીને વેરાફાય થઇ શકે નહીં, અને ખુદ ભરોસો મૂકનારે વેરીફાય કર્યા પછી આગળ વધવું જોઇએ અન્યથા મુંબઇની એક યુવતિને આવો અનુભવ કેટલા રૂપિયામાં પડ્યો એ જાણીને તમે ક્યારેય ઇન્ટરનેટ પરની માહિતીને સાચી નહીં માની બેસો એ વાતની ગેરન્ટી છે.

મેટ્રીમોનિયલ સાઇટ પર યુવક સાથે થયેલો પરિચય 32 વર્ષની યુવતીને ભારે પડયો હતો. વિદેશમાં એરપોર્ટ પર મની લોન્ડરિંગની શંકા પરથી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ વિભાગે તાબામાં લીધો હોવાનું જુઠ્ઠાણું ચલાવી યુવતી પાસેથી રૂ. 26.49 લાખ પડાવવા બદલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે યુવકની ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-2ના અધિકારીઓએ ધરપકડ કરેલા યુવકની ઓળખ નિમેશ ચોટલિયા તરીકે થઇ હતી. ધરપકડ બાદ નિમેશને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવતાં તેને 4 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.

અમેરિકામાં વર્ક વિઝા પર નોકરી કરતી યુવતીએ મેટ્રીમોનિયલ વેબસાઇટ પર પોતાનો પ્રોફાઇલ અપલોડ કર્યો હતો. ત્યાર બાદ મેટ્રીમોનિયલ સાઇટ મારફત તેનો પરિચય નિમેશ સાથે થયો હતો. નિમેશે તેને કહ્યું હતું કે તેણે ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કર્યો છે અને મુંબઈની બીકેસી ખાતે આવેલી કંપનીમાં હાર્ડવેર નેટવર્કિંગ વિભાગનો હેડ છે. તેણે યુકેની અનેક કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે. દરમિયાન યુવતીએ નિમેશના માતા-પિતા સાથે લગ્ન વિશે વાતચીત કરવાનું નક્કી કર્યું હતું, પણ વરલીમાં ફ્લેટ લીધા બાદ વાતચીત કરવાનું નિમેશે તેને કહ્યું હતું.

દરમિયાન તેણે યુવતીને કહ્યું હતું કે તે લંડન જઇ રહ્યો છે અને ત્યાંથી તે ન્યૂ યોર્ક આવીને તેને મળશે. જોકે બાદમાં તેણે કહ્યું હતું કે તેને ન્યૂજર્સી ખાતે એરપોર્ટ પર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન વિભાગે મની લોન્ડરિંગની શંકા પરથી તાબામાં લીધો હતો અને તેમાં યુવતીનું નામ આવ્યું હોવાથી આમાંથી અમેરિકન ડોલર તેના મુંબઈના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાનું યુવતીને જણાવ્યું હતું. યુવતીએ વખતોવખત 37,122 અમેરિકન ડોલર (રૂ. 26.49 લાખ) નિમેશના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

દરમિયાન યુવતીને શંકા જતાં તેણે મેટ્રીમોનિયલ સાઇટ પર નિમેશે આપેલા સરનામે જઇને તેના પરિવારને મળવા માટે પોતાના પિતાને કહ્યું હતું. આથી યુવતીના માતા-પિતા નિમેશના પાર્લામાં આવેલા ઘરે ગયા હતા, જ્યાં નિમેશ પાંચ વર્ષમાં ક્યારે પણ વિદેશ ગયો ન હોવાનું તેમને જાણવા મળ્યું હતું. છેતરપિંડી થયાની જાણ થતાં યુવતીના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, એમ પોલીસે કહ્યું હતું.

November 26, 2018
rummy-1280x720.jpg
1min6820

સન્ની લિયોનીનું નામ આવે એટલે સ્વાભાવિક છે કે પુખ્તવયના પુરુષોના ભવાં ચઢી જાય. સન્ની લિયોનીનું નામ જ્યારે પણ જાહેરમાં સભળાય કે વાંચવામાં આવે એટલે તરત જ તેના પર ધ્યાન કેન્દ્રીત કરે એવા લાખો નહીં કરોડો ચાહકો ભારતમાં છે. આવા સન્ની લિયોનીના ચાહકોએ આજરોજ તા.26મી નવેમ્બરે ટ્વીટર પર સન્ની લિયોનીને ફરીથી ટ્રોલ કરી છે.

નવાઇની વાત એ છે કે સન્ની લિયોનીનું નામ પડે એટલે કોઇ ફિલ્મમાં બોલ્ડ દ્રશ્યો, અંગ પ્રદર્શન, હોટ સીન વગેરે લઇને આવી રહી હશે અગર તો આઇટમ શોંગ કર્યું હશે, પણ આનાથી વિપરીત સન્ની લિયોની તા.26મી નવેમ્બર 2018ના રોજ ટ્વીટર પર ગંજીફા (પ્લેઇંગ કાર્ડસ)ની રમી રમતની એપ્લિકેશન માટે ટ્રોલ થઇ છે.

#RummyWithSunny ટ્વીટર પર આ ટેગલાઇન એટલી બધી ટ્રોલ થઇ રહી છે, જેમાં સન્ની લિયોની દ્વારા રમી રમતની મોબાઇલ એપ લોંચ કરવામાં આવી છે. એપ્લિકેશન લોંચ કરનારાઓનો દાવો છે કે આ વિશ્વની સૌથી મોટી રમતની એપ છે. બિલકુલ ફ્રી ડાઉનલોડમાં ઉપલબ્ધ #RummyWithSunny રમતમાં કહેવાય છે કે રમનારાઓને રોજેરોજ બોનસ પોઇન્ટસ પણ આપવામાં આવે છે. અન્ય ગેમ્સમાં મળતા બોનસ કરતા વધું બોનસ આપીને #RummyWithSunny એપને વધુ ચાહક પ્રિય બનાવવામાં આવી છે.

સન્ની લિયોની હાલમાં આ #RummyWithSunny ગેમ એપનું પ્રમોશન કરી રહી હોઇ, તેના ચાહકોએ તેને રમીની રમત માટે ટ્રોલ કરી છે.

November 24, 2018
Mataji_meldi.jpg
1min36020

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં નરોડા–દહેગામ રોડ પર આવેલી સ્મશાનભૂમિ સંકુલમાં મસાણી મેલડી માતાના મંદિરમાં પૌરાણિક રીતિ-રિવાજોને પગલે માતાજીને દારૂ ચઢાવવાનું ચલણ એટલું વધી ગયું કે સામાન્ય લોકો તેમજ મંદિર સંચાલકો માટે ઉપદ્રવજનક બનતા મંદિરના સંચાલકોએ રીતસર બોર્ડ મારીને સૂચના લખવી પડી છે કે માતાજીને દારુ ચઢાવવો નહીં. સામાન્ય રીતે ચોક્કસ જ્ઞાતિના લોકોમાં આ રિવાજ છે પણ અહીં સ્વજનની અંતિમ વિધીમાં આવતા અજાણ્યા લોકો માટે આ બોર્ડ કૂતુહલ સર્જી રહ્યું છે અને આ બાબતથી અજાણ લોકો હવે આ મંદિરના ફોટા અને સ્ટોરી વાઇરલ કરી રહ્યા છે.

અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર આવેલી આ સ્મશાન ભૂમિ આ જ કારણે આજકાલ સોશ્યલ મિડીયામાં ભારે ચર્ચાસ્પદ બની છે. સ્મશાનભૂમિમાં ઉપરોક્ત તસ્વીરમાં જોઇ શકાય છે એમ મસાણી મેલડી માતાનું નાનકડું મંદિર છે અને પૌરાણિક પરંપરા એવી છે કે અહીં કેટલીક ચોક્કસ જ્ઞાતિઓના લોકો માતાજીને દારૂ ચઢાવે છે અને પોતાની માનતા-અાખડી-બાધા વગેરે દૂર કરે છે. આ રીવાજ ધીરે ધીરે એટલો ફૂલ્યોફાલ્યો કે મંદિરમાં અન્ય લોકો પણ મસાણી મેલડી માતાને દારૂ ચઢાવવા માંડ્યા છે. એક તબક્કે લોકો દેશી દારૂની પ્લાસ્ટીકની કોથળીઓ, બાટલીઓ વગેરે મંદિરમાં ચઢાવી જતા હતા અને તેના જથ્થાનો નિકાલ કરવાનું પણ મુશ્કેલ બન્યું હતું. ગુજરાતમાં એક તરફ દારૂ બંધી છે અને અહીં વર્ષોથી શ્રદ્ધાળુઓ બેરોકટોક મસાણી મેલડી માતાને દારૂ ચઢાવી રહ્યા હતા. આખરે મંદિર સંચાલકોએ બોર્ડ મારી દેવું પડ્યું છે કે આ મંદિરમાં માતાજીને દારૂ ચઢાવવો નહીં.

 

November 22, 2018
hardik.jpg
1min22000

મહારાષ્ટ્રમાં ચાલુ સપ્તાહે મહારાષ્ટ્ર ઓબીસી પંચ દ્વારા મરાઠાઓને રિઝર્વેશન આપવાની કરેલી જાહેરાત બાદ ગુજરાતમાં પાટીદાર આંદોલનના સમીકરણો અને દિશા બદલાય છે. પાટીદાર અનામત માટે લડી રહેલા હાર્દિક એન્ડ કંપની એટલે કે હાર્દિક અને પાસના 25 જેટલા સાથીદાર કન્વીનરોએ આજે તા.22મી નવેમ્બર 2018ના રોજ બપોરે ગાંધીનગર ખાતેના ગુજરાતના ઓબીસી પંચની કચેરી જઇને પાટીદારોને ઓબીસીમાં સમાવવા માટેની રજૂઆતો કરી હતી.

હાર્દિક પટેલ અને તેમના સાથીદારોએ ગુજરાતમાં અધર બેકવર્ડ ક્લાસ પંચ સમક્ષ રજૂઆતો કરાય એ પહેલા મિડીયાને જણાવ્યું હતું કે પાસ દ્વારા જુદા જુદા રાજ્યોમાં કેવી રીતે જુદી જુદી જાતિઓને ઓબીસીમાં સમાવવામાં આવી તે પ્રક્રિયાનો નિર્દેશ કરતી 17 પાનાની લેખિત રજૂઆતો કરી હતી. ઓબીસી પંચના અધિકારીઓ સમક્ષ હાર્દિક પટેલ એન્ડ કંપનીએ એવી રજૂઆતો કરી હતી કે મહારાષ્ટ્રમાં જેમ ઓબીસી પંચે સરવે કર્યો હતો તેવી જ રીતે ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે તે માટે સરવે કરવા માટે સૂચન કર્યું હતું.

હાર્દિક પટેલ એન્ડ કંપની એવી રજૂઆતો કરી રહી છે કે જે રીતે મહારાષ્ટ્રમાં ઓબીસી પંચ દ્વારા પહેલા સરવે કરવામાં આવ્યો અને સરવેના તારણોના આધારે મહારાષ્ટ્ર સરકારને ભલામણો કરવામાં આવી હતી. એ ભલામણોને મહારાષ્ટ્ર સરકારે સ્વીકારી લીધી છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારે મરાઠાઓને તાજેતરમાં જ રિઝર્વેશન આપવામાં આવ્યું છે, એ જ તર્જ પર ગુજરાતમાં પાટીદારોને અનામત આપવામાં આવે એવી રજૂઆત સાથે હાર્દિક અને તેના 25 જેટલા સાથીઓ તા.22મી નવેમ્બર 2018ની બપોરે અઢી વાગ્યાના અરસામાં ગાંધીનગર ઓબીસી કમિશનની કચેરી પર પહોંચ્યા બાદ સીધા જ ઓબીસી કમિશનની કચેરીમાં અધિકારીઓને રજૂઆતો કરવા ગયા હતા.

 

November 22, 2018
gopal_italia.jpg
1min14590

પાટીદાર અનામત આંદોલનના એક્ટિવિસ્ટ અને ફાયર બ્રાન્ડ યુવા નેતા ગોપાલ ઇટાલિયાનો એક એવો વિડીયો છેલ્લા 24 કલાક દરમિયાન વાઇરલ થયો છ જેમાં ગોપાલ ઇટાલિયા દેશી બોંબની વાત કરી રહ્યા છે. પીવીસી પાઇપ અને કેટલાક ટુલ્સની મદદથી તૈયાર થયેલા આ દેશી બોંબથી ચારેક ધડાકા કરીને ભાજપને પડકાર આપતો આ વિડીયો સમગ્ર ગુજરાતમાં ભારે વાઇરલ થયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સોશ્યલ મિડીયા પર, વ્હોટ્સ એપ અને ફેસબુક ગ્રુપ્સમાં તા.21મી નવેમ્બર 2018ની રાતથી આ વિડીયો ભારે વાઇરલ થયો છે.

ફેસબુક પર લવજી લેપટોપના આઇ.ડી. પરથી પોસ્ટ થયેલો આ વિડીયો હાલમાં લોકલ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર હોટકેક બન્યો છે અને ચોરેને ચૌટે જોવાય રહ્યો છે.

 

#ભાજપ_ના_ભક્તો ને ભગાવાનું સાધન બહાર પડ્યું ????????

Posted by લવજી લેપટોપ on Wednesday, 21 November 2018

જાણકારો કહે છે કે ગોપાલ ઇટાલિયા જે ઔજારનો દેશી બોંબ તરીકે ઉલ્લેખ કરી રહ્યા છે એનો ઉપયોગ ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરોમાં ભેલાણ કરતા ડુક્કર કે અન્ય પ્રાણીઓને ભગાડવા માટે કરતા હોય છે. સાવ જ સામાન્ય ઉપયોગની વસ્તુઓમાંથી મોટો ધડાકો થાય તેવી આ સ્થાનિક બનાવટના દેશી પિસ્તોલ હોવા છતાં શહેરી વિસ્તારોમાં રહેતા લોકો માટે આ વિડીયો અને તેમાં દર્શાવવામાં આવતો દેશી બોંબ કુતુહલ સર્જી રહ્યો હોઇ, સોશ્યલ મિડીયા નેટવર્ક પર આ વિડીયોએ ખાસ્સી ચર્ચા જગાડી છે.

November 21, 2018
roro.jpg
1min20230

ભરૂચના દહેજથી લઇને સામે પાર ઘોઘા સુધી દરીયામાં ફેરી બોર્ટ સર્વિસનો ઇજારો જેને આપવામાં આવ્યો છે એ ઇન્ડીગો સી વેયઝનું તોતિંગ જહાજ આજે બપોરે ભરૂચના દહેજથી નીકળીને દરીયામાં ઘોઘા તરફ જઇ રહ્યુ ંહતું ત્યારે ઘોઘાથી 75 નોટિકલ માઇલ દૂર દરિયામાં ખોટકાય જતા 400 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. લગભગ એક કલાક સુધી દરિયામાં ઇન્ડીગો સી વેયઝનું જહાજ ફસાયેલું રહ્યું હતું, રો રો ફેરી સર્વિસની આ બોટમાં 100થી વધુ વાહનો પણ હતા, છેવટે ભાવનગરના અલંગ ખાતેથી ઇન્ડીગો સી વેયઝના તોતિંગ જહાજને ખેંચી લાવી શકે તેવા ટગ બોટની મદદથી જહાજને ખેંચીને ઘોઘા ખાતે લઇ જવાયું ત્યારે મુસાફરોના જીવ હેઠાં બેઠા હતા.

દહેજથી ઘોઘા ફેરી સર્વિસનો કોન્ટ્રાક્ટ લઇને ફક્ત નાણાં ઉસેટવાનું કામ કરી રહેલી ઇન્ડીગો સી વેયઝ કંપનીના સંચાલકોના પાપે આજે આ કંપનીનું જહાજ મધદરીયે ખોટકાય ગયું હતું. દરિયા વચ્ચે બંધ પડી ગયેલા ઇન્ડીગો સી વેયઝના જહાજમાં 400 જેટલા મુસાફરો હતા. જહાજ બંધ થવા અંગે મુસાફરોને ફક્ત ટેકનિકલ ફોલ્ટની માહિતી આપવામાં આવી હતી. જોકે, જહાજના વહીવટી તંત્રએ જહાજની આ ટેકનિકલ ખામી અંગે કેટલાય દિવસોથી ઇન્ડીગો સી વેયઝના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી કે મુસાફરોના જીવ જોખમમાં મૂકાય તેવી શક્યતા છે, આમ છતાં આ ફોલ્ટ પરત્વે નજરઅંદાજ રહેલા ઇન્ડીગો સી વેયઝના સંચાલકોના પાપે આજે મુસાફરો મધદરિયે એક કલાક સુધી યાતનાનો ભોગ બન્યા હતા.

મળતી માહિતી મુજબ ઇન્ડીગો સી વેયઝ દ્વારા દહેજથી ઘોઘા ફેરી સર્વિસ માટે જે જહાજ તૈનાત કરવામાં આવ્યું છે, એમાં અગાઉથી જ ટેકનિકલ ક્ષતિ છે આમ છતાં સંચાલકો તેને ચલાવીને મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. હવે આ જ કંપનીને હજીરાથી ઘોઘાનો પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એ ડિસેમ્બર 2018થી શરૂ કરવાની ફિરાકમાં છે ત્યારે કંપની સામે રાજ્ય સરકારે પગલાં ભરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

 

November 19, 2018
paas.jpg
1min7530

આજરોજ તા.19મી નવેમ્બર 2018ના રોજ અમદાવાદ ખાતેની પલાસિયો હોટેલમાં બપોરે 3 વાગ્યાના અરસામાં પાસની એક મિટીંગ યોજવામાં આવી હતી. જોકે, આ હોટેલમાં પાસના નેતાઓ જેવા કે દિનેશ બાંભણીયા, નિખિલ સવાણી, દિલીપ સાબવા વગેરે ઉપસ્થિત હતા અને મિટીંગ શરૂ થાય એ પહેલા જ હોટેલ સંચાલકોએ ઇલેક્ટ્રીસિટી બંધ કરી દેતા મિટીંગ વિખેરી નાંખવાની ફરજ પડી હતી. હોટેલ માલિકો સાથે પાસના કાર્યકર્તાઓએ જીભાજોડી કરીને ઘર્ષણ કરવાનો પ્રયાસ કરતા હોટેલ માલિકોએ પોલીસ બોલાવવી પડી હતી. હોટેલ માલિકોએ પત્રકારોને જણાવ્યું હતું કે પાસના નેતાઓએ સ્નેહ મિલનના નામે જુઠ્ઠું બોલીને હોલ બુક કરાવ્યો હતો.

આ મિટીંગમાં લગભગ 150થી વધુ પાસ કન્વીનરો, આગેવાનો સમગ્ર ગુજરાતભરમાંથી આવ્યા હોવાની માહિતી પાસ આગેવાનોએ આપી હતી.

(પ્રતિકાત્મક તસ્વીર)

હોટેલમાં રૂપિયા ભરીને સ્થળ ફાઇનલ કર્યું હોવા છતાં પાસ, એસપીજી સમેતના આંદોલનકારી સંસ્થાઓના આગેવાનોની મિટીંગ ફિક્સ થઇ હતી પરંતુ, રાજ્ય સરકારના દબાણ હેઠળ હોટેલ સંચાલકોએ વીજળી ગુલ કરી દીધી હોવાનો આક્ષેપ દિનેશ બાંભણીયા તેમજ અન્યોએ કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ પાસના નેતાઓ, કાર્યકર્તાઓ, અગ્રણીઓ, કન્વીનરોએ મિટીંગ અને મિટીંગ પછી યોજાનારી પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરી દેવાની ફરજ પડી હતી.

પાસ અગ્રણી નરેન્દ્રભાઇએ પત્રકારોને જણાવ્યું હતું કે પાટીદાર સમાજ માટે લડત ચલાવી રહેલી તમામ સંસ્થાઓના આગેવાનો જ્યારે સંગઠિત થવાના એજન્ડા પર મળવાના હતા, તેમાં સરકારે હવનમાં હાડકા નાંખ્યા છે. પણ આ મિટીંગ ટૂંક સમયમાં કોઇ ખેતરમાં કે ખુલ્લી જગ્યાએ રાખીશું. સરકાર કોઇ કાળે મિટીંગ વિખેરી શકશે નહીં.

હોટેલના માલિકે જણાવ્યું કે ફક્ત 20-25 વ્યક્તિઓના ગેટ ટુ ગેધર ના નામે હોટેલ બુક કરાવવામાં આવી હતી. અમે તેમને રાજકારણ કે વિવાદિત મુદ્દા પર મિટીંગ નહીં કરવા જણાવ્યું હતું જોકે, પાછળથી ખબર પડી કે પાસના રાજકારણ માટે હોટેલ બુક કરાવવામાં આવી હોવાથી અમારે ના પાડવી પડી હતી. પાસના કાર્યકર્તાઓએ હોબાળો મચાવતા અમારે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

November 16, 2018
nuts_burn.jpg
1min6850

ગુજરાત સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ જાહેર કરીને તા.14મી નવેમ્બર 2018થી ખરીદીનો આરંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના નીતિ-નિયમોને લીધે પહેલા જ દિવસે સૌરાષ્ટ્રના મગફળી પકવતા ખેડૂતોનો પિત્તો ગયો હતો અને તેઓ એવા રોષે ભરાયા કે રાજ્ય સરકારને મગફળી વેચવાને બદલે રસ્તા પર મગફળી બાળવાનું શરૂ કરી દીધું હતું, જોત જોતામાં મગફળી બાળવાનો ટ્રેન્ડ એવો વાઇરલ થયો કે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ગામેગામ મગફળી બાળવામાં આવી રહી છે એટલું જ નહીં હાઇવે પરથી પસાર થતાં વાહનોને રોકી-રોકીને એમાં બેઠેલા પૅસેન્જરોને પણ ભરપેટ મગફળી ખવડાવીને ખેડૂતોએ સરકારની નીતિનો અનોખો વિરોધ કર્યો છે.

અળવીતરો નિયમ સરકારનો

ગુજરાત સરકારએ આ વખતે મગફળી ખરીદીમાં કેટલાક અળવીતરા નિયમો બનાવ્યા છે. જેમકે 35 કિલોના પૅકિંગમાં મગફળી પૅક કરવાની છે અને એમાં પણ અડધા ફુટની જગ્યા ખાલી રાખવાની છે. ખાલી રાખવાની જગ્યાનો નિયમ પાળવામાં આવે તો બોરીમાં ત્રીસ કિલોથી વધારે મગફળી આવે એમ નથી.

મગફળી વેચવા માટે ખેડૂતો તા.14મી નવેમ્બર 2018ના રોજ માર્કેટિંગ યાર્ડો પર પહોંચ્યા ત્યારે એંસી ટકા માલ પૅકિંગને પ્રશ્ને રિજેક્ટ કરવામાં આવતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને તેમણે હાઇવે પર જ પૅકિંગ ખોલી નાખ્યાં હતાં. માર્કેટમાં બરાબર ભાવ ન મળે ત્યારે ખેડૂતો સરકારને મગફળી આપે. એક તો પોષણક્ષમ ભાવ ન મળતા હોય એવામાં આ મગફળી ફરીથી પાછી લઈ જવી અને એ માટેની બોરી બનાવવી એ કોઈ ખેડૂતને પોસાય એમ નથી એટલે પાછા લઈ જવાના ખર્ચને બદલે બધાએ મગફળી બાળી નાખી તો અમુકે લોકોની વચ્ચે લહાણી કરી નાખી.

છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રમાં ગામેગામ મગફળી બાળી નાંખવાનો કે લોકોમાં વહેંચી દેવાનો ટ્રેન્ડ ભારે વાઇરલ થયો છે.

તા.14મી અને 15મી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓછામાં ઓછી બે હજાર કિલો મગફળીનો જથ્થો અગર તો બાળવામાં કે મફત ખવડાવવામાં આવ્યો હતો.