દેશમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા વધીને ૪,૯૧૯ થઇ ગઇ છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે.
દેશમાં કોરોના વાઇરસના રોગચાળામાં મરનારા દરદીઓની સંખ્યા મંગળવાર સવારના આંકડા મુજબ ૧૧૪ થઇ હતી અને તેમાં મહારાષ્ટ્રમાં ૪૫ અને ગુજરાતમાં ૧૨ દરદીના મૃત્યુનો સમાવેશ થતો હતો. દેશમાં આ રોગમાંથી ૩૨૫ લોકો સાજા થયા છે. દેશમાં જ ૬૬ વિદેશી દરદી છે. કોરોના વાઇરસને લીધે મધ્ય પ્રદેશમાં ૯, તેલંગણમાં ૭, દિલ્હીમાં ૭, પંજાબમાં ૬ અને તમિળનાડુમાં પાંચ દરદી મૃત્યુ પામ્યા હતા.
કર્ણાટકમાં ચાર, પશ્ર્ચિમ બંગાળમાં ત્રણ, ઉત્તર પ્રદેશમાં ત્રણ, આંધ્ર પ્રદેશમાં ત્રણ અને રાજસ્થાનમાં ત્રણ દરદી મૃત્યુ પામ્યા હતા. દેશમાં કોરોના વાઇરસના દરદીઓના સવારના આંકડા મુજબ સંખ્યા મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. કોરોના વાઇરસના રોગચાળાને નાથવા સરકાર અનેક પગલાં લઇ રહી છે અને લોકોને શારીરિક સંપર્ક ટાળવા અપીલ કરાઇ રહી છે.
લૉકડાઉન ઉઠાવવાની અનેક રાજ્યની અનિચ્છા
દેશના અનેક રાજ્યે લૉકડાઉન ૧૫મી એપ્રિલે સંપૂર્ણ ઉઠાવી લેવાની અનિચ્છા કેન્દ્ર સમક્ષ વ્યક્ત કરી હોવાથી કેન્દ્ર લૉકડાઉનને એપ્રિલના અંત સુધી લંબાવવા વિચારણા કરી રહ્યું હોવાનું કહેવાય છે.
મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ, તેલંગણ, છત્તીસગઢ સહિતના અનેક રાજ્ય ૧૫મી એપ્રિલે લૉકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાના પક્ષમાં નહિ હોવાનું મનાય છે.
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે લૉકડાઉન ૧૫મી એપ્રિલે સંપૂર્ણ ખોલવાને બદલે તેને તબક્કાવાર ઉઠાવી લેવું જ યોગ્ય ગણાશે. ઉત્તર પ્રદેશના મુખ્ય ગૃહ સચિવ અવનીશ અવસ્થીએ જણાવ્યું હતું કે રાજ્યમાં લૉકડાઉન સંપૂર્ણ ખોલવામાં કદાચ થોડો વધુ સમય લાગશે. રાજ્યમાં કોરોના વાઇરસના દરદીઓ હોય ત્યારે લૉકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાથી પરિસ્થિતિ વણસી શકે છે.
તિલંગાણા
તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે લૉકડાઉન ૧૫મી એપ્રિલે એકસાથે ઉઠાવી લેવાશે તો રાજ્યમાં દરદીઓની સંખ્યા અનેક ગણી વધી શકે છે.
છત્તીસગઢની માગણી
છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે દેશમાં લોકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશવાની એકસાથે છૂટ મળી જશે તો પરિસ્થિતિ અનિયંત્રિત બની શકે છે.
મધ્યપ્રદેશની તૈયારી
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અમે નાણાંને બદલે લોકોના જાનને વધુ મહત્ત્વ આપી રહ્યા છીએ. લૉકડાઉન લાંબુ ચલાવી લેવાય, પરંતુ લોકો રોગચાળામાં મરવા લાગે તે ન ચાલે.
આસામની પ્રતિક્રિયા
આસામ સરકારે પણ જણાવ્યું હતું કે લૉકડાઉન એકસાથે ઉઠાવી લેવાય તો રાજ્યમાં દરરોજ અંદાજે પચાસ હજાર લોકો આવે અને તેઓ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની જાય. અમે તેથી આસામમાં પ્રવેશવા ઇચ્છનારાઓ માટે પરમિટ આપવાનું શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છીએ અને તેના માટે વૅબસાઇટ શરૂ કરીને વૅબસાઇટ પરથી રાજ્યમાં પ્રવેશવાની પરમિટ આવવાનું વિચારીએ છીએ.
મહારાષ્ટ્રનો અભિગમ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અગાઉ જણાવ્યું હતું કે રાજ્યમાં લૉકડાઉન ઉઠાવવાનો અંતિમ નિર્ણય લોકો દ્વારા સરકારી આદેશના કરાતા પાલન પર આધારિત છે.
ઉદ્ધવ ઠાકરેએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક કે ખેલકૂદના કાર્યક્રમોને આગામી સૂચના નહિ મળે ત્યાં સુધી યોજવા નહિ દેવાય.
મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈમાં લૉકડાઉન ૧૫મી એપ્રિલે એકસાથે ઉઠાવી લેવાય તો ટ્રેન અને બસ જેવી જાહેર પરિવહન સેવામાંના ધસારાને કારણે રોગચાળો વધુ ફેલાવાનો ભય રહે છે. અનેક રાજ્ય સરકાર ઉપરાંત અનેક સૂક્ષ્મજીવશાસ્ત્રીઓ, ડૉક્ટરો અને અન્ય નિષ્ણાતો લૉકડાઉનને ૧૫મી એપ્રિલે એકસાથે સંપૂર્ણ ઉઠાવી નહિ લેવાની સલાહ આપી રહ્યા છે.
દુનિયાના ૧૮૩ દેશમાં કોરોના વાઇરસના દરદીઓ ફેલાયેલા છે અને દરદીઓની સંખ્યામાં તેમ જ મરણાંકમાં કૂદકે ને ભૂસકે વધારો થતો જાય છે.
India update 7 April 2020 1 pm
Confirmed Cases : 4,421
Total Deaths : 114
Total Recovered : 326
Active Cases : 3,981
STATE
Cases
Death
MAHARASHTRA
748
45
TAMIL NADU
621
5
DELHI
523
7
KERALA
327
2
TELANGANA
321
7
U.P.
305
3
RAJASTHAN
288
3
A.P.
266
3
M.P.
165
9
KARNATAKA
151
4
GUJARAT
165
12
J. K.
109
2
WEST BENGAL
91
3
HARYANA
90
1
PUNJAB
76
6
BIHAR
32
1
UTTARAKHAND
31
0
ASSAM
26
0
ODISHA
21
0
CHANDIGARH
18
0
LADAKH
14
0
HIMACHAL
13
1
ANDAMAN
10
0
CHHATTISGARH
10
0
GOA
7
0
PUDUCHERRY
5
0
JHARKHAND
4
0
MANIPUR
2
0
MIZORAM
1
0
Mumbai : વોકહાર્ટ હોસ્પિટલને ત્રણ ડોક્ટર અને ૨૬ નર્સ પોઝિટિવ
મુંબઇ મહાનગરપાલિકાએ મુંબઈ સેન્ટ્રલની વોકહાર્ટ હોસ્પિટલને એક અઠવાડિયામાં તેના ત્રણ ડોક્ટર અને ૨૬ નર્સ કોરોના પોઝિટિવ જણાયા બાદ ક્ધટેન્મેન્ટ ઝોનમાં ફેરવી છે. આ દરેકના રિપોર્ટ બે વખત નેગેટિવ નહીં આવે ત્યાં સુધી કોઇને પણ હોસ્પિટલમાં દાખલ થવા અથવા તેમાંથી બહાર આવવાની પરવાનગી આપવામાં નહીં આવે.
હોસ્પિટલના ૨૭૦થી વધુ સ્ટાફ અને દર્દીઓની ટેસ્ટ કરવામાં આવી છે. પોઝિટિવ આવેલી નર્સીસને હોસ્પિટલના વિલેપાર્લાના ક્વોર્ટર્સમાં મોકલી દેવામાં આવી છે. હોસ્પિટલની કેન્ટિન ચાલુ રહેશે અને ખાદ્યસામગ્રી પૂરી પાડશે. પોલીસ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. હોસ્પિટલમાં વધુ કેસ નોંધાયા હોવા અંગે મેનેજમેન્ટે કંઇ નિવેદન કર્યું નહોતું. ‘ઓપીડી અને ઇમર્જન્સી સર્વિસ બંધ કરી દેવામાં આવી છે’, એમ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું. વોકહાર્ટના સ્ટાફે આક્ષેપ કર્યો હતો કે કોરોનાગ્રસ્ત નર્સીસના સહકર્મચારીઓ અને રૂમ પાર્ટનર્સને ક્વોરન્ટાઇન કરવામાં ન આવ્યા હોવાને કારણે ઇન્ફેકશન ઝડપથી ફેલાયું હતું.
તબલીઘી જમાતની ઇવેન્ટ સાથે જોડાયેલા ૧,૪૪૫ કેસ
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે સોમવારે આપેલા આંકડા અનુસાર ભારતમાં કોરોના વાઇરસને લગતા જે કુલ ૪,૦૬૭ કેસ નોંધાયા છે એમાંથી ઓછામાં ઓછા ૧,૪૪૫ કેસ દિલ્હીમાં તાજેતરમાં યોજાઈ ગયેલા તબલીઘી જમાતના મેળાવડા સાથે સંબંધિત છે.
ભારતમાં છેલ્લા થોડા દિવસ દરમિયાન સામાન્ય રીતે સરેરાશ ૭.૪ દિવસમાં કોવિડ-૧૯ના કેસની સંખ્યા બમણી થતી હતી, પરંતુ ગયા મહિનાની નિઝામુદ્દીન ખાતેની જમાતની ઇવેન્ટને લીધે એ સરેરાશ વધીને ૪.૧ દિવસની થઈ ગઈ હતી. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે સોમવારે જણાવ્યું હતું કે રવિવારથી દેશમાં કોવિડ-૧૯ના નવા ૬૯૩ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૧૦૯ થઈ ગયો છે. જોકે, વિવિધ રાજ્યોમાંથી મળતા આંકડાને આધારે પીટીઆઇએ દર્શાવેલી સ્થિતિ મુજબ દેશમાં કોવિડ-૧૯ને લીધે મૃત્યુ પામેલાઓની સંખ્યા ૧૨૬ ઉપર પહોંચી ચૂકી છે, જ્યારે ૪,૧૧૧ લોકોને આ વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે. જોકે, એમાંથી ૩૧૫ લોકોને પૂર્ણપણે સારું થઈ ગયું છે અને તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે.
આર્થિક ફટકા સામે સજ્જ થવાની મોદીની હાકલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રધાનમંડળની સોમવારે મળેલી બેઠકમાં પ્રધાનોને કોરોના વાઇરસના રોગચાળાથી દેશના અર્થતંત્ર પર થનારી માઠી અસર ઘટાડવા માટેની આર્થિક યોજના યુદ્ધના ધોરણે તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો અને વિદેશો પરની નિર્ભરતામાં ઘટાડો થવાની તેમ જ મૅક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળવાની આશા વ્યક્ત કરી હતી.
મોદીએ ટેલિકૉન્ફરન્સિંગથી પ્રધાનમંડળની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાને લગતી હાલની કટોકટીથી મૅક ઇન ઇન્ડિયાને વેગ આપવાની અને વિદેશો પરની નિર્ભરતા ઘટાડવાની તક મળી છે.
તેમણે પ્રધાનોને કોરોના વાઇરસના રોગચાળાથી અસરગ્રસ્ત ન હોય એવા વિસ્તારોમાંના ડિપાર્ટમેન્ટ્સ (વિભાગો) ૧૫મી એપ્રિલ પછી શરૂ કરવાની તબક્કાવાર યોજના ઘડી કાઢવાની સૂચના પણ આપી હતી.
મોદીએ પ્રધાનોને રાજ્ય, જિલ્લા વહીવટી તંત્રના સતત સંપર્કમાં રહીને રોગચાળાને સંબંધિત સમસ્યા તાત્કાલિક ઉકેલવા માટે તૈયાર રહેવા અનુરોધ કર્યો હતો. કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકે સાંસદોના વેતન અને પેન્શનમાં કાપ મૂકવાની જોગવાઇ ધરાવતા વટહુકમને બહાલી આપી હતી.
રાજયમાં કોરોનાના નવા 55 કેસો, 50 એકલા અમદાવાદના : સૂરત-2, દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં 1-1-1 નવા કેસ મળ્યા
તા.9મી એપ્રિલના રોજ સવારે ગુજરાતમાં કોરોના કેસીસ અંગેની માહિતી આપતા રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે એક દિવસમાં ગુજરાતમાં કુલ 55 નવા કેસો નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝીટીવ હોય તેવા દર્દીઓની સંખ્યા 241 થઇ છે. નવા આવેલા 55 કેસોમાં 50 કેસો એકલા અમદાવાદના છે. અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા 133 થવા પામી છે. બીજા નંબરે સૂરતમાં સિટી વિસ્તારમાં 23 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 મળીને સૂરત જિલ્લામાં 25 કેસો છે જ્યારે વડોદરા અને ભાવનગર ખાતે 18-18 કોરોના કેસો હોવાનું જયંતિ રવિએ જણાવ્યું હતું.
24 કલાકમાં ચિંતાજનક રીતે વધ્યા કેસો, એક ઝાટકે 55 નવા કેસો મળતા ખળભળાટ
ગુજરાત અપડેટ
કુલ કેસ 241
કુલ મોત 17
રિકવરી 26
રાજ્યમાં સિટીવાઇઝ કેસો તા.9 એપ્રિલ સવારે 11 વાગ્યે
અમદાવાદ 133
સૂરત 25
ભાવનગર 18
વડોદરા 18
ગાંધીનગર 13
રાજકોટ 11
પાટણ 5
પોરબંદર 3
ગીરસોમનાથ 2
કચ્છ 2
આણંદ 2
છોટા ઉદેપુર 2
મહેસાણા 2
જામનગર 1
મોરબી 1
પંચમહાલ 1
દાહોદ 1
સાબરકાંઠા 1
ગુજરાત ડેથ-સ્પૉટ : કોરોનાના લોકલ ટ્રાન્સમિશનને રોકવા હવે બફર ઝોન
બુધવારની સવાર સુધીમાં રાજ્યમાં કોરોના વાઈરસના દર્દીઓનો આંકડો ૧૮૯એ પંહોચી ચૂક્યો છે, જેમાં ૧૧૪ જેટલા દર્દીઓ સ્થાનિક લોકો છે અને તેમને બહારથી આવેલા લોકોનો ચેપ લાગી ચૂક્યો છે પરંતુ હવે આવા સ્થાનિક પોઝિટિવ દર્દીઓનો ચેપ સ્થાનિક સ્તરે પ્રસરે નહીં તે માટે પોઝિટિવ દર્દીના વિસ્તારોને બફર ઝોન જાહેર કરીને તેમાં આરોગ્ય તપાસણી સહિતના પગલાં શરૂ કરી દેવામાં આવ્યાં છે. બુધવારે જામનગરમાં અને સુરતમાં એક- એક દર્દીના મોત થતા મૃત્યુઆંક ૧૬ ઉપર પહોંચી ચૂક્યો છે.
બુુધવારે રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં ૮૩ પોઝિટિવ કેસ અને ૫ના મોત, સુરતમાં ૨૩ પોઝિટિવ અને ૪ના મોત, ભાવનગરમાં ૧૬ પોઝિટિવ અને ૨ના મોત, વડોદરામાં ૧૩ પોઝિટિવ અને ૨ના મોત, ગાંધીનગરમાં ૧૩ પોઝિટિવ, રાજકોટમાં ૧૧ પોઝિટિવ, પાટણમાં ૫ પોઝિટિવ અને ૧નું મોત, પોરબંદરમાં ૩ પોઝિટિવ, મહેસાણામાં ૨ પોઝિટિવ અને ૧નું મોત, કચ્છમાં ૨ પોઝિટિવ અને ૧નું મોત, ગીર સોમનાથમાં ૨ પોઝિટિવ, પંચમહાલમાં ૧ પોઝિટિવ અને ૧નું મોત, જામનગરમાં ૧ પોઝિટિવ અને ૧નું મોત, મોરબી, છોટાઉદેપુર, આણંદ, સાબરકાંઠામાં ૧-૧ પોઝિટિવ કેસ નોઁધાયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૯૩૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૪ પોઝિટિવ, ૬૮૭ નેગેટિવ ટેસ્ટ છે જ્યારે ૨૩૧ પેન્ડિંગ છે. તેમજ અત્યારસુધીમાં ૩૯૭૨ ટેસ્ટ કરાયા છે. જેમાંથી ૧૭૯ પોઝિટિવ, ૩૫૬૨ નેગેટિવ ટેસ્ટ છે. રાજ્યમાં કુલ ૧૨૨૯૯ લોકોને ક્વોરન્ટીન કરાયા છે. જેમાંથી ૧૧૧૭૩ હોમ ક્વોરન્ટીન, ૯૫૨ સરકારી અને ૧૭૪ ખાનગી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.
અમદાવાદ અડધું કોરોનાના બફર ઝોનમાં
રાજ્યમાં કોરોના વાઇરસના હોટ સ્પોટ અમદાવાદમાં અત્યાર સુધીમાં ૮૩ કેસો નોંધાઇ ચૂક્યાં છે, જેમાં કોટ વિસ્તારમાં સૌથી કેસો નોંધાતા હવે તેને બફર ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. સમગ્ર કોટ વિસ્તાર એવા જૂના અમદાવાદની ૨૯ લાખ જેટલી વસ્તી એટલે કે અડધું અમદાવાદ બફર ઝોનમાં મુકવામાં આવ્યું છે. બફર ઝોનમાં ૬ જેટલા વિસ્તારમાં કલસ્ટર ઝોન બનાવી ૧૪૦૦૦થી વધુ લોકો ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જૂના અમદાવાદ એટલે કે કોટ વિસ્તારના પ્રવેશવાના મોટાભાગના રસ્તા બંધ અથવા તો બેરીકેડ મારી ચેકપોસ્ટ બનાવી દેવાઈ છે.
કોટ વિસ્તારમાં જ્યાં કલસ્ટર ઝોન છે ત્યાં થ્રી લેયર બનાવવામાં આવ્યું છે. બફર ઝોનમાં પ્રવેશતાં પહેલા જ બેરીકેડ મૂકી આરએએફ અને એસઆરપી તહેનાત કરાઈ છે અને પોલીસ ચેકપોસ્ટ બનાવાઈ છે. કોઈપણ વ્યક્તિને અંદર જતા પહેલા રોકી પૂછપરછ કરવામાં આવે છે, તો બહારની વ્યક્તિ હોય તો કેમ અંદર જવું છે તેમ પૂછપરછ બાદ જ જવા દેવામાં આવી રહ્યાં છે. ત્યારબાદ કોરોના ચેકપોસ્ટ બનાવેલી છે તેમાં મેડિકલ ટીમ દ્વારા થર્મલ ગનથી તેનું તાપમાન ચેક કરવામાં આવે છે. જો કોઈ શંકાસ્પદ લક્ષણ જણાય તો તેના સેમ્પલ ટેસ્ટ માટે લેવાય છે. જે પણ વ્યક્તિ બહાર આવે છે. તેને કામ વગર બહાર ન નીકળવા સૂચના પોલીસ દ્વારા આપવામાં આવે છે.
કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કર્યા બાદ કોર્ડન કરી ચેકપોસ્ટ બનાવ્યા બાદ દરરોજ જેટલા લોકો નીકળતા હતા તેના કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં લોકો આજે સવારે બહાર નીકળતા જોવા મળ્યા હતા. સવારે ૭થી ૯ દરમ્યાન શાકભાજી અને દૂધ લેવા જવા થોડી છૂટછાટને પગલે લોકો બહાર નીકળે છે. બપોર બાદ બહાર નીકળતાં લોકોને પોલીસ રોકી પૂછપરછ કરે છે. જો વગર કારણે બહાર નીકળે તો તેમના વાહનો જપ્ત કરી લે છે.
બફર ઝોન જાહેર કરાયા બાદ બપોરે ૧૨.૩૦ સુધીમાં કોટ વિસ્તારમાંથી લગભગ ૧૦૦૦૦ લોકો જ બહાર નીકળ્યા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશને તેમનું ચેકિંગ કર્યું હતું.
ગુજરાતમાં કોરોના : ૯,૪૬૪ બેડની હોસ્પિટલો તૈયાર
રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. વાઈરસના સ્થાનિક સંક્રમણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાજ્યમાં કોરોનાના ૯૪૬૪ દર્દીઓને સારવાર મળી રહે તે માટેની તૈયાર કરી છે. બુધવારે મળેલી રાજ્ય પ્રધાન મંડળની બેઠકમાં ૨૬ જિલ્લામાં ૩૧ ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કરતાં હવે કુલ ૪૦૬૪ બેડની ક્ષમતા વધશે. જ્યારે ચાર મહાનગરોમાં કોવિડ ૧૯ માટે ૨૨૦૦ બેડની હોસ્પિટલ શરૂ કરી છે અને અન્ય ૨૮ જિલ્લામાં ૩૨૦૦ બેડની હોસ્પિટલમાં તૈયાર રાખી છે. આમ, સમગ્ર ગુજરાતમાં કોવિડ-૧૯ કોરોના વાઈરસના સંક્રમિત અસરગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે કુલ ૯,૪૬૪ બેડની ક્ષમતાવાળી હોસ્પિટલો સાથે ગુજરાત આ મહામારીના પડકારને પહોંચી વળવા સજ્જ થયું છે.
રાજ્યમાં હાલ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં કુલ ૨૨૦૦ બેડની ડેડીકેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ કાર્યરત છે. અન્ય ૨૮ જિલ્લામાં કુલ ૩૨૦૦ બેડની ક્ષમતા અને વેન્ટીલેટર તથા આઇસીયુ ફેસેલિટીઝ સાથેની હોસ્પિટલો નજીકના ભવિષ્યમાં શરૂ થવામાં છે.
Reported on 8 April 2020
ગરીબોને ફૂડ પેકેટનું વિતરણ કરતા અમદાવાદ અને વડોદરાના બે સેવા કર્મીઓને કોરોના પોઝિટિવ
રાજ્યમાં છેલ્લા બે દિવસમાં અમદાવાદ અને વડોદરામાં ગરીબોને ભોજન પૂરું પાડવાનું કામ કરતા બે સેવા કર્મીઓને પણ કોરોના વાઈરસનો ચેપ લાગતા બન્નેને પોઝીટીવ કોરોના આવ્યો છે. બીજી બાજુ સરકાર દ્વારા હવે આવાં ટીફીન સેવાની કામગીરી પર પ્રતિબંધ મૂકી દીધો છે.
પહેલો કેસ અમદાવાદ મણિનગરમાં
અમદાવાદમાં ભાથું બાંધવા જતાં કોરોના ગ્રસ્તગરીબોને ટિફીન પહોંચાડતા મણિનગરમાં રહેતાં ૫૫ વર્ષીય સેવા કર્મીને કોરોના પોઝીટીવ હોવાનું નિદાન થયું છે. તેઓ સેવાના ઉદ્દેશથી ટિફિન સેવા આપનારી સંસ્થા સાથે સંકળાયેલાં હતા. ગરીબોને તેઓ વિનામુલ્યે ટિફિન પૂરા પાડતા જતા હતા. તેમને કોરોના ચેપ ક્યાંથી લાગ્યો તેની તપાસ હાલ મ્યુનિસિપાલ તંત્રએ શરુ કરી છે. આ સાથે હાલ ટીફીન સર્વિસ આપતાં બીજા છ લોકો અને સારવાર આપતાં ડોક્ટરને પણ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે ફેમિલીના ત્રણ લોકોને પણ કોરેન્ટાઈન કેન્દ્રમાં કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
બીજો કેસ વડોદરામાં બન્યો
વડોદરામાં રવિવારે નાગરવાડાના એક વ્યક્તિનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વ્યક્તિ સયાજી હોસ્પિટલ સહિત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટ આપવાની સેવા કરવા માટે જતો હતો. આ વ્યક્તિની સેવાની હિસ્ટ્રી બહાર આવતા વડોદરામાં કોરોના વાઈરસની કામગીરી માટે ખાસ નિમાયેલા ડો. વિનોદ રાવે લોકડાઉનમાં સેવા કરતી સંસ્થાઓની સેવાઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.
ગુજરાત અપડેટ્સ 8 એપ્રિલ 11 વાગ્યે
ગુજરાત રાજ્યમાં ગઇકાલે સત્તાવાર રીતે રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા બાદ છેલ્લા 12 કલાકમા કોરોનાના વધુ ચાર દર્દી નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંકડો 179 પર પહોંચ્યો છે. છેલ્લા 12 કલાકમાં કોરોના પોઝીટીવ આવેલા બે દર્દીના મોત થયા છે. જેમાં જામનગરના 14 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે તેમ આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિએ તા.8મી એપ્રિલે સવારે 10 વાગ્યે જણાવ્યું હતું.
આજે તા.8મી એપ્રિલે સવારે જે ચાર નવા કેસ સામે આવ્યા છે તેમાં સુરત, વડોદરાના એક-એક અને ભાવનગરના બે દર્દીનો સમાવેશ થાય છે. આ તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. અમદાવાદમાં તા.7મી એપ્રિલે નોંધાયેલા 20 કેસ બાદ આજે હજુ સુધી કોઈ નવો કેસ આવ્યો નથી.
હાલ રાજ્યમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીમાં બેની હાલત ગંભીર છે, અને બંને હાલ વેન્ટિલેટર પર છે જ્યારે 136 દર્દીઓ સ્ટેબલ છે, અને 25 લોકોને અત્યારસુધી ડિસ્ચાર્જ અપાઈ ચૂક્યો છે. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, હાઈડ્રોક્સિનક્લોરોક્વિન, એઝીથ્રોમાઈસિન નામની બે દવા કોરોનાની ટ્રીટમેન્ટમાં ખૂબ જ ઉપયોગી છે તેવું વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે. ગુજરાતમાં હાલ આ બંને દવાનો પૂરતો સ્ટોક છે.
ગુજરાતમાં હવે ગામડાઓનો વારો: બીજા રાજ્ય અને જિલ્લામાંથી આવેલાનો સર્વે થશે
ગુજરાતમાં વધતા જતા કોરોના પોઝિટિવના કેસને ગંભીરતાથી લઈ ગુજરાત સરકાર દ્વારા હેલ્થ સર્વેનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં હવે ગામડાઓમાં બીજા રાજ્ય અને બીજા જિલ્લામાંથી આવેલા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ બીજા તબક્કામાં હેલ્થ વિભાગની સાથે સેલ્ફ રિપોર્ટિંગ અનેઆઇવીઆર થી લોકોની ખબર પૂછવામાં આવશે.
ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓનો ક્વોરન્ટીન પિરિયડ પૂરો થાય બાદ પણ લોકલ ટ્રાન્સમિશન અને ગામડાંઓમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે જેથી ગુજરાત સરકાર દ્વારા સર્વેનો બીજો રાઉન્ડ થશે. જેમાં બીજા રાજ્ય અને બીજા જિલ્લામાંથી આવેલા લોકોની માહિતી ના આધારે એમનો ટેસ્ટ કરવામાં આવશે. ખાસ કરીને શહેરમાંથી ગામડામાં આવ્યા હોય અને તેમને તાવ કે શ્વાસની તકલીફ હોય તેમનો અલગથી ટેસ્ટ કરાશે.
આ ઉપરાંત બીજા તબક્કાના આ સર્વેમાં તંત્ર ઘેર જઈને તપાસ કરે એ પહેલા જે તે વ્યક્તિ કે જેને કોઈ હેલ્થ પ્રોબ્લેમ હોય તેઓ સામેથી ૧૦૪માં ફોન કરીને સારવાર માટે કહી શકે છે જેથી સેલ્ફ રિપોર્ટિંગ પણ કરવામાં આવશે. આ ઉપરાંત બીજા તબક્કામાં એક એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે, ફોનમાં આઇવીઆર સિસ્ટમથી લોકોની ખબર પૂછવામાં આવશે, જેમાં પણ કોઈ પણ વ્યક્તિ પોતાની તકલીફ જણાવી શકશે.
ગુજરાતમાં સ્થાનિક સંક્રમણનો ભય વધ્યો
રાજ્યમાં હવે વિદેશથી આવેલા લોકોનો કોરોના વાયરસ સંક્રમણનો સમય પુરો થઇ ચૂક્યો છે પરંતુ તેમના સંપર્કમાં આવેલા આતંર રાજ્ય પ્રવાસ કરનારાં અને સ્થાનિક લોકોને હવે કોરોનાએ સકંજામાં લીધા છે. મંગળવારે સાંજ સુધીમાં એક દિવસમાં રાજ્યમાં ૧૯થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા, જેમાં તમામ લોકલ ટ્રાન્સમિશનનો શિકાર બન્યાં છે. સાંજ સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૧૬૫ને પાર પહોંચ્યો છે. તેમજ પાટણમાં એક અને સુરતમાં એક દર્દીનું મોત થતાં રાજ્યમાં કોરોનાનો મૃતક આંક ૧૪ પર પહોંચ્યો છે. આ ઉપરાંત હવે આણંદ અને સાબરકાંઠા એમ બે નવા જિલ્લાઓમાં પણ કોરોનાએ પગરણ માંડ્યા છે.
ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશન ધરાવાતા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સોમવારની સાંજથી અત્યાર સુધીમાં ૧૯ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૧૩, પાટણમાં ત્રણ, ભાવનગર, પાટણ અને સાબરકાંઠામાં એક-એક કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૬૫ પોઝિટિવ કેસમાંથી ૧૦૦ જેટલા લોકલ ટ્રાન્સમિશન, ૩૩ વિદેશી ટ્રાવેલ હિસ્ટ્રી અને ૩૨ આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૮ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી ૨૩૭ નેગેટિવ છે, ૨૧ પોઝિટિવ અને ૪૦ કેસ પેન્ડિંગ છે. આમ અત્યારસુધીમાં કુલ ૩૦૪૦ ટેસ્ટ કરાયા છે. જેમાંથી ૧૬૫ પોઝિટિવ, ૨૮૩૫ નેગેટિવ અને ૪૦ કેસ પેન્ડિંગ છે. જિલ્લાવાર આંકાડાઓ જોઇએ તો અમદાવાદમાં ૭૭ પોઝિટિવ કેસ અને ૫ના મોત, સુરતમાં ૧૯ કેસ અને ૩ના મોત, ભાવનગરમાં ૧૪ કેસ અને ૨ના મોત, ગાંધીનગરમાં ૧૩ કેસ, વડોદરામાં ૧૨ કેસ અને ૨ના મોત, રાજકોટમાં ૧૦ કેસ, પાટણમાં ૫ કેસ, પોરબંદરમાં ત્રણ કેસ, મહેસાણામાં બે કેસ, કચ્છમાં બે કેસ, ગીર સોમનાથમાં બે કેસ, પંચમહાલમાં એક કેસ અને એક મોત, સાબરકાંઠા, આણંદ, મોરબી, છોટાઉદેપુર અને જામનગરમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા હતાં.
Reported on 7 April 2020
ગુજરાતમાં 19 નવા કેસ : અમદાવાદમાં 13, પાટણમાં 3 અને આણંદ, સાબરકાંઠા અને ભાવનગરમાં 1-1-1 : ગુજરાતના પ્રયાસો યુદ્ધ સ્તરીય
તા.7મી એપ્રિલને મંગળવારે ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને 165 થવા પામીછે. સૌથી વધુ કેસીસ અમદાવાદ ખાતેથી પણ મળી આવ્યા હતા. નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝીટીવ કેસો મળવાના શરૂ થયા છે. હવે ગુજરાતમાં કુલ 16 જિલ્લાઓમાં પહોંચી ચૂક્યો છે કોરોના વાઇરસ. ગુજરાતમાં આજે તા.7મી એપ્રિલે સવારે 19 નવા કેસો જાહેર થયા હતા જેમાંથી 13 અમદાવાદ, 3 પાટણ અને ભાવનગર, આણંદ અને સાબરકાંઠા ખાતે 1-1-1 નવા કેસો મળી આવ્યા છે.
કોરોના વાઇરસને પહોંચી વળવા માટે તેમજ પ્રીપેડનેસ પ્લાનમાં ગુજરાત સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રયાસો યુદ્ધસ્તરીય ગણાય છે. ગુજરાતની કામગીરીની પ્રશંસા પણ થઇ રહી છે. ગુજરાતમાં જે પ્રમાણે કેસો છે તેની સામે પ્રીપેડનેસ તેમજ ઘનિષ્ઠ કામગીરીને કારણે મોટા પ્રમાણમાં સંક્રમણને ટાળી શકાઇ રહ્યું છે.
ગુજરાતમાં છેલ્લા રવિવાર અને સોમવાર તા.5 અને 6 એપ્રિલ 2020ના આ બે દિવસમાં રાજ્યભરમાંથી કોરોના પોઝીટીવ હોય એવા 39 નવા કેસ મળી આવ્યાં છે. ગુજરાતમા કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 146એ પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કારણે 12 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસના કુલ 15 હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યાં છે. જેમના માટે પણ ચોક્કસ એક્શન પ્લાન તૈયાર થઈ રહ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 87 કેસ લોકલ ટ્રાન્સમિશનના થયાં છે. જેમાંથી એક ચોક્કસ વિસ્તારમાંથી જ 31 કેસ સામે આવ્યાં છે. જ્યારે વિદેશથી આવેલા દર્દીઓની સંખ્યા 33 થઈ છે.
ગુજરાતમાં સિટીવાઇઝ કેસીસ
અમદાવાદમાં 77 કેસ
સુરતમાં 19
રાજકોટમાં 10
વડોદરા 12
ગાંધીનગર 13
ભાવનગરમાં 14
કચ્છ 2
મહેસાણામાં 2
પોરબંદરમાં 3
ગીર સોમનાથમાં 2
પંચમહાલ અને
છોટા ઉદેપુરમાં 1-1
પાટણમાં 5
જામનગર 1
આણંદ 1
મોરબીમાં 1 કેસ
રાજ્યના 15 વિસ્તારો કોરોના હોટસ્પોટ
અમદાવાદમાં સૌથી વધુ 8 વિસ્તાર હોટસ્પોટ જાહેર કરાયા હતાં. જેમાં
દાણીલીમડા,
રખિયાલ,
જમાલપુર,
બાપુનગર,
હીરાવાડી,
આંબાવાડી,
શાહઆલમ અને
દરિયાપુરનો સમાવેશ થાય છે.
સૂરતના ત્રણ વિસ્તારો કોરોના હોટસ્પોટમાં
સચિન
રાંદેર
બેગમપરા
વડોદરામાં
સૈયદપરા અને
નાગરવાડા
ભાવનગર શહેરના
રુવાવડી અને
સંધિયાવાડ વિસ્તારને હોટસ્પોટ જાહેર કરાયા છે.
સુરત બેગમપુરાના ૧૧૪૭ મકાનના ૬૦૦૦ લોકો ક્વોરન્ટાઇન
સૂરત શહેરમાં બેગમપુરાના વૃદ્ધ અને તેના એક દિવસ બાદ તેમની સાસુના સેમ્પલમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતુ. રવિવારે બેગમપુરા અને ઝાંપાબજારમાં મનપા દ્વારા ડિસઇન્ફેક્ટિવની કામગીરી કરવામાં આવી હતી. સાથે બેગમપુરા હાથી ફળિયાના ૧૧૪૭ મકાનમાં રહેતા છ હજાર લોકોને ક્વોરટાઈન કરવામાં આવ્યા હતા.
બેગમપુરાથી ઝાંપાબજાર વિસ્તાર નજીક હોવાથી ઝાંપાબજાર વિસ્તારની તમામ માર્કેટો ૧૪ એપ્રિલ સુધી બંધ રાખવા સુરત મનપા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતું. જાહેરનામાંના અમલનો ભંગ કરનાર સામે એપેડેમિક ડીઝીસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવેલા તમામ લોકોનું ૧૪ દિવસનું હોમ ક્વોરેન્ટાઈન પૂર્ણ
ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પર માર્ચ મહિનામાં ૫૨૧૯ લોકો વિદેશથી આવ્યા છે. જેમનો ૫૨૧૯ લોકોનો ૧૪ દિવસનો ક્વોરન્ટાઈન સમય પણ પૂર્ણ થયો છે. વિદેશથી આવેલા લોકોએ શિસ્ત જાળવી તે આપણા માટે મોટી વાત છે, જ્યારે નિયમભંગ કરનારા નવ લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કબૂલી હતી. અમદાવાદના હોટસ્પોટ કરાયેલા વિસ્તારોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિજય નહેરા દ્વારા જણાવવામાં આવ્યુ હતું.
વલસાડના નારગોલમાં ૨૩ બોટમાં આવેલા ૧૧૨૩ માછીમારને ક્વોરન્ટાઈન કરાયા
નારગોલ-ઉમરગામ, મરોલીના સ્થાનિક માછી સમાજના વિરોધ વચ્ચે સૌરાષ્ટ્રથી આવેલી ૨૩ બોટના ૧૫૦૦થી વધુ માછીમાર ખલાસીને નારગોલ બંદરે ઉતારવામાં આવ્યા હતા. જે બાદ આરોગ્ય ખાતાની ટીમ દ્વારા તમામનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું અને ૧૪ દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.
વલસાડના નારગોલમાં ૧૮૦૦માંથી ૧૧૨૩ માછીમાર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રથી નારગોલ ૧૮૦૦ જેટલા માછીમારો આવ્યા હતા. મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યના માછીમારોને પરત મોકલાશે.
એક માછીમારમાં કોરોનાના લક્ષણ દેખાતા દાખલ કરાયા હતા. ઉમરગામ, નારગોલ અને મરોલી કાંઠાના ગામના લોકો અને માછી સમાજના વિરોધના કારણે સૌરાષ્ટ્રથી ખલાસીઓ ભરીને આવેલી બોટ ઉમરગામના મધદરિયે છેલ્લા બે દિવસથી અટવાઈ પડી હતી. આ બોટમાં ઉમરગામ તાલુકાના સ્થાનિક માછીમારો ખલાસી ભાઈઓ હોવાથી મંત્રી રમણભાઈ પાટકરે સ્થાનિક માછીમારો અને વહીવટી તંત્ર સાથે ચર્ચા વિચારણા કરી હતી. જે બાદ આખરે ઉમરગામ નારગોલ બંદરે ૨૩ જેટલી બોટને લંગારાઈ હતી. જેમાંના અંદાજે ૧૫૦૦ જેટલા ખલાસીઓને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉતારવામાં આવ્યા હતા.
આ તમામ ખલાસીઓનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું અને તમામ સ્થાનિક ખલાસીઓને પોતાના ઘરે મોકલી ૧૪ દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરી દેવાયા હતા. આ તમામ ખલાસીઓ સ્વસ્થ હોવાનું આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળ્યું હતું. જ્યારે એક ખલાસીને તાવ, શરદી અને ખાંસીના લક્ષણો જણાતા તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
આ બોટમાં વલસાડ-નવસારી અને બીલીમોરાના પણ ખલાસીઓ હતા. તેઓને ધોલાઈ બંદરે ઉતારવામાં આવ્યા હતા. વધુમાં આ બોટમાં ઉમરગામ તાલુકાને અડીને મહારાષ્ટ્રના ગામડાઓના પણ અંદાજે ત્રણસો જેટલા ખલાસીઓ હોવાનું કહેવાય છે.
વડોદરામાં કોરોના વાઈરસથી વધુ 2 પોઝિટિવ 1 દર્દીનું મોત
વડોદરામાં કોરોના વાઈરસથી આજે સોમવારે વધુ એક મોત થયું છે. શ્રીલંકાના પ્રવાસે પરત ફરેલી મહિલાનું કોરોના વાઈરસથી મોત થયું હતું. જેથી વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી બે દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે જ્યારે નવાં બે પોઝિટિવ કેસ નોંધાયાં કુલ દર્દીઓની સંખ્યાં ૧૨ થઇ છે.
વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, વડોદરા શહેરના ૬૨ વર્ષની કોરોનાગ્રસ્ત મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. આ મહિલા શ્રીલંકાના પ્રવાસેથી પાછા ફર્યા પછી ૧૮ માર્ચે હોસ્પિટલમાં દાખલ થયા પછી તેમનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવી રહી હતી. જોકે આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. વડોદરામાં કોરોના વાઈરસથી અગાઉ એક પુરુષનું મોત થયું હતુ અને આજે એક મહિલાનું મોત થયું છે. એક ૧૫ વર્ષની ઉંમરના કિશોર અને ૨૭ વર્ષની ઉંમરના યુવાનનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરાના કોરોના પોઝિટિવની સંખ્યા વધીને ૧૨ થઇ ગઇ છે. આ લોકોના સેમ્પલ ગઇકાલે લેવામાં આવ્યા હતા. એમને હાલમાં ગોત્રી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
સ્ટેજ 1માં જે લોકો કોરોના વાયરસ જ્યાં ફેલાયો હોય
તે દેશમાંથી આવે છે સૌથી પહેલા ઉદગમ કેન્દ્ર એટલે કે ચીનના લોકો ચેપગ્રસ્ત બન્યા. બાદમાં
ઈટાલી અને ચીનમાંથી આવ્યા તે પૈકી કેટલાંક લોકોમાં કોરોના વાયરસ જોવા મળ્યો.
સ્ટેજ 2માં વિદેશથી આવેલા લોકો દ્વારા દેશના અન્ય
લોકોમાં કોરોના વાયરસ ફેલાય છે.
સ્ટેજ 3માં કોરોના વાયરસ ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં
આવનારા અન્ય સામાન્ય લોકોમાં આ ચેપ ફેલાય છે. સ્ટેજ 3ને રોકવા માટે જ લોકડાઉન જાહેર કરવામાં આવે છે. લોકોને ઘરમાં રહેવાનું
જણાવવામાં આવે છે.
જ્યારે સ્ટેજ 4માં આ મહામારી પર નિયંત્રણ નથી રહેતું અને
નવા કેસ સામે આવવા લાગે છે. જેમાં દેશના મોટાભાગના વિસ્તારમાં આ ચેપ ફેલાઈ જાય છે.
વાહન પ્રતિબંધ પરીણામદાયી : ગુજરાતમાં નવા 16 કેસ : અમદાવાદના 11, વડોદરામાં 2 અને સુરત, પાટણ અને મહેસાણામાં 1-1 નવા કેસ
વાહન પ્રતિબંધ પરીણામદાયી
અમદાવાદ બાદ સૂરત શહેરમાં રવિવારે રાત્રે 12 વાગ્યાથી પ્રાઇવેટ વાહનોની અવરજવર પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધની ખાસ્સી અસર સૂરત શહેરના માર્ગો પર જોવા મળી હતી. આ વાહન પ્રતિબંધ સૂરત માટે પરીણામદાયી રહ્યો છે. સૂરતના માર્ગો પર હવે એકલદોકલ વાહનો જોવા મળી રહ્યા છે.
સૂરતમાં એક કેસ ઉમેરાયો
સૂરતમાં સોમવારે સવારે મળેલી માહિતી મુજબ રાંદેરના અલમિન એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષિય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. મેયર ડો.જગદીશ પટેલએ પોતાના ફેસબુક પેજ પર આ માહિતી શેર કરતા જણાવ્યું હતું કે સૂરત શહેરમાં હવે કુલ 15 કોરોના પોઝીટીવ કેસ થયા છે જ્યારે સૂરત ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ થયા છે. સૂરતમાં અત્યાર સુધી કુલ 205 સેમ્પલ્સ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 188 નેગેટિવ આવ્યા છે. જ્યારે 2 કેસમાં રિપોર્ટની રાહ જોવાય રહી છે.
સોમવારે સવારે મહાનગરપાલિકાની સત્તાવાર માહિતી મુજબ નવા 5 દર્દીઓને શંકાસ્પદ કોરોના લક્ષણો જોવા મળતા તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે. આ પાંચ દર્દીઓમાં નવા ગામ ડીંડોલી વિસ્તારના એક વર્ષના બાળકનો પણ સમાવેશ થતો હતો. પરંતુ, સદનસીબે એ બાળકનો ટેસ્ટ નેગેટીવ આવતા તમામને રાહત થઇ હતી.
સૂરત અપડેટ્સ.
કુલ સેમ્પલ્સ 205
પોઝીટીવ કેસ સિટી 15 (એક્ટીવ કેસ 09)
પોઝીટીવ કેસ ગ્રામ્ય 02
નેગેટીવ 188
મૃત્યુ 02
રિકવર 04
રિપોટર્ વેઇટિંગ 07
ગુજરાતમાં રવિથી સોમવારે સવાર સુધીમાં નવા 16 કેસ મળ્યા
ગુજરાતમાં નવા મળેલા 16 કેસોમાં 11 અમદાવાદના, વડોદરાના 2, મહેસાણા, સુરત અને પાટણના 1-1 કેસો હોવાનું જણાવાયું હતું.
રવિવારે રાત્રે 9
કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 20
નવા કેસ નોંધાયા છે,
અને આ સાથે જ રાજ્યમાં કન્ફર્મ કેસનો આંકડો 128ને આંબી ગયો છે.
આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે 10 વાગ્યા સુધીમાં 14ના રિપોર્ટ
પોઝિટિવ આવ્યા બાદ સાંજે 7.30 કલાક સુધીમાં વધુ છ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે ચાર
દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રવિવાર તા.5મી
એપ્રિલે જામનગરમાં 14 મહિનાના બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ બાળકને હાલ
વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત,
અમદાવાદમાં એક વૃદ્ધ પણ હાલ વેન્ટિલેટર પર છે, જ્યારે બાકીના 94 દર્દીઓ સ્ટેબલ છે
અને 21 દર્દીઓને રજા આપી
દેવામાં આવી છે. ગુજરાતમાં અત્યારસુધી આ વાયરસને કારણે 11 લોકોએ પોતાનો જીવ
ગુમાવ્યો છે. જોકે, આજે એકપણ દર્દીનું મોત નથી થયું.
રવિવારે
ગુજરાતમાં કોરોના વાયરસના 20
નવા દર્દીઓ સામે આવ્યા, જે
એક દિવસમાં સામે આવેલા કોવિડ-19ના
દર્દીનો સૌથી મોટી સંખ્યા છે. ગુજરાતમાં કોરોનાના હોટસ્પોટ તરીકે જાહેર થયેલા
અમદાવાદમાં કોરોનાના નવા 8
સેમ્પલ્સ પોઝીટીવ આવતા રાજ્યમાં કોરોના દર્દીની
સંખ્યા વધીને 128 થઈ પર પહોંચી ગઇ હતી.
મોતના મામલે દેશમાં ગુજરાત મહારાષ્ટ્ર પછી બીજા નંબરે
એથી
વિશેષ ગુજરાતમાં કોરોનાથી કુલ 11 લોકોના
મોત થઇ ચૂક્યા છે સમગ્ર દેશમાં મૃત્યુના મામલે મહારાષ્ટ્ર
બાદ ગુજરાત બીજા નંબરે છે.
ગુજરાતમાં તબલીગી મરકઝના કનેકશનમાં કોરોનાના કેસો મળી આવ્યા
રાજ્યના
સ્વાસ્થ્ય વિભાગ મુજબ,
રવિવારે સામે આવેલા 20 કેસોમાંથી
9 જેટલા
કેસોનું કનેક્શન તબલીગી જમાત સાથે જોડાયેલું છે. ડીજીપી શિવાનંદ ઝાએ કન્ફર્મ
કર્યું હતું કે, 6 દર્દીઓની દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી રહી છે.
ગુજરાત પોલીસે એવા 126
લોકોની ઓળખ કરી છે જેઓ મરકજમાં ગયા હતા.
India Update
Confirmed Cases 4,067
Total Deaths 109
Total Recovered 292
Active Cases 3,666
STATE/UT
Case
Death
MAHARASHTRA
690
45
TAMIL NADU
571
5
DELHI
503
7
TELANGANA
321
7
KERALA
314
2
RAJASTHAN
253
0
U.P.
227
2
A.P.
226
3
M.P.
165
9
KARNATAKA
151
4
GUJARAT
128
11
JAMMU
106
2
HARYANA
84
1
WEST BENGAL
80
3
PUNJAB
68
6
BIHAR
30
1
ASSAM
26
0
UTTARAKHAND
26
0
ODISHA
21
0
CHANDIGARH
18
0
LADAKH
14
0
HIMACHAL
13
1
ANDAMAN
10
0
CHHATTISGARH
9
0
GOA
7
0
PUDUCHERRY
5
0
JHARKHAND
3
0
MANIPUR
2
0
ભારતમાં
કોરોના વાયરસના સંક્રમણથી પીડીત દર્દીઓનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે.
તા.1લી એપ્રિલે 2000 કેસો હતા જે તા.5મી એપ્રિલની રાત્રે વધીને 4200 પ્લસ થઇ ગયા
છે. રવિવારના 24 કલાકમાં ભારતમાં કોરોનાથી પીડીત 27 દર્દીઓનાં મોત થયા બાદ વાયરસના કારણે મૃત્યુ પામનારા
લોકોની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે. રવિવારે ઓછામાં ઓછા 12 લોકોના
મોત થયા હોવાની વાતને સમર્થન આપવામાં આવ્યું છે. દેશમાં કોરોના વાયરસના પીડિતોની
સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
Reported on 5 April
Surat Update સૂરતમાં Saturday 3 નવા કેસો મળતા એલર્ટ
સૂરત શહેરમાં રવિવાર તા.5મી એપ્રિલે સવારે નવા બે પેશન્ટના કોવીડ-19 રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. શનિવારે એક મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેનું શનિવારે મોડીરાત્રે નિધન થયું હતું. રવિવારની સવારે વધુ 2 નવા કેસો મળી આવતા સૂરત શહેર માટે આગામી દિવસો ચિંતાજનક સ્થિતિના હોવાનું જણાય આવે છે.
સૂરતના નવા કેસોમાં પાંડેસરા સ્થિત ડીમાર્ટના સેલ્સમેનની માતાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે ઝાંપાબજાર હાથી ફળિયામાં રહેતા રમેશચંત્ર રાણાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળે છે.
એક્ટીવ પોઝીટીવ કેસ સિટી વિસ્તાર 09
એક્ટીવ પોઝીટીવ કેસ ગ્રામ્ય વિસ્તાર 02
2 ના મોત
3 પેશન્ટ રિકવર
રિપોર્ટ પેન્ડીંગ 05
Gujarat Update ગુજરાતમાં 123 કેસો થઇ ગયા
રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા રવિવારે સવારે 10 વાગ્યે 110 પર પહોંચી ગઇ હતી. શનિવારે 13 અને રવિવારે સૂરતમાં નવા 2 કેસો મળીને કુલ 15 કેસ છેલ્લા 24 કલાકમાં મળ્યા હતા.
રાજ્યમાં કોરોનાના પોઝીટીવ હોય એવા દર્દીઓની સંખ્યા 108 પર પહોંચી ગઇ છે. શનિવારે રાત્રે 12 કલાકે વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના પોઝીટીવ હોય એવા કુલ 13 નવા કેસ સામે આવ્યા છે. શનિવારે જે નવા પોઝીટીવ કેસોમાં અમદાવાદના 7 દર્દીઓનો, ભાવનગરના 2, ગાંધીનગરના 2, પાટણ અને સુરતના 1-1 દર્દી હોવાનું જાણવા મળ્યું છે.
શનિવારના નવા 14 કન્ફર્મ
કેસમાંથી એક જ કેસમાં દર્દી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે, જ્યારે
બાકીના બધા લોકલ ટ્રાન્સમિશનના છે. પાટણ જિલ્લામાં પણ આજે સૌપ્રથમ કેસ સામે આવ્યો
છે.
અમદાવાદ તેમજ સુરત જેવા શહેરોના ગીચ વિસ્તારમાં પ્રસરી રહ્યો છે
ત્યારે આ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોને આઈસોલેટ કરાઈ રહ્યા
છે, અને લોકોના ઘરની
બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં નોંધાયેલા 108 કેસમાંથી 64 લોકલ ટ્રાન્સમિશનના છે, જ્યારે ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 34 કેસ છે. 10 દર્દીઓ ઈન્ટર સ્ટેટ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. 10 મૃતકોમાંથી લોકલ ટ્રાન્સમિશનથી આ વાયરસનો ભોગ બનેલા લોકોની સંખ્યા 6 થાય છે, અને 2-2 મૃતકો ઈન્ટર સ્ટેટ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે
છે. રાજ્યમાં અત્યારસુધી 13 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો છે.
યુવાનો ભોગ બની રહ્યા છે કોરોના વાઇરસનો ભારતમાં 42 ટકા દર્દીઓ 21થી 40 વર્ષના
કોરોના વાયરસ વિશે માનવામાં આવી રહ્યું છે કે, તે વૃદ્ધોને સરળતા પકડમાં લઈ રહ્યો છે, પરંતુ ભારતમાં આંકડા ચોંકાવનારા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોના સંક્રમણના સૌથી વધુ 42 ટકા કેસ 21-40 વર્ષની ઉંમરના છે. 33 ટકા મામલા 41-60 વર્ષની ઉંમરના અને 17 ટકા મામલા 60 વર્ષથી વધુ ઉંમરના છે. 9 ટકા મામલા 0-10 વર્ષની ઉંમરના ગ્રુપના છે.
લૉકડાઉનમાંથી કેવી રીતે બહાર નીકળવું પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસે ઇનપૂટ્સ મંગાવ્યા
જેમ જેમ તા.14મી એપ્રિલ નજીક આવી રહી છે તેમ તેમ દેશના લોકોમાં લૉકડાઉન
સમાપ્તિ અંગેની તાલાવેલી અને અધિરાઇ સ્પષ્ટ કરતી ઘટનાઓ આકાર પામી રહી છે.
કેન્દ્રની ઉચ્ચસ્તરીય ટીમ લૉકડાઉન સમાપ્તિ અંગે હાલ રોજેરોજ મનોમંથન કરી રહી છે.
દરમિયાન ગઇ તા.3 એપ્રિલના રોજ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલે પૂરા થનારા ‘કોરોના લોકડાઉન’માંથી તબક્કાવાર ધોરણે બહાર નીકળવાનાં સૂચન
મંગાવ્યા હતા. રાજ્યોના મુખ્યમંત્રીઓને કોમન સ્ટ્રેટેજી તેમજ એક્ઝીટ પ્લાન અંગે
ઇનપૂટ્સ આપવા જણાવાયું હતું. વડાપ્રધાન કાર્યાલય (PMO)ની યાદી અનુસાર શુક્રવારે સવારે રાષ્ટ્રને
સંબોધન પહેલાં મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની
વાતચીતમાં કોમન ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ સૂચવવા સૂચવ્યું હતું.
સમગ્ર ચર્ચાનો હેતુ એ હતો કે લોકડાઉન પૂરું થયા પછી બધા
લોકો એકસાથે રસ્તા પર ઊતરી ન પડે. આપણે શૂન્યમાંથી 100 ટકા પ્રવૃત્તિ શરૂ કરી ન
શકીએ. આપણે લોકડાઉન ધીમેધીમે ખોલવું પડશે.”
ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાની
આગેવાનીમાં અધિકારીઓનું સત્તાધારી જૂથ અન્ય દેશોના અનુભવને આધારે વ્યૂહરચના
ઘડવાનું કામ કરી રહ્યું છે.
સરકાર કોરોના હોટસ્પોટને બંધ રાખી કેટલાક વિસ્તારોને
ખોલવાની યોજના ઘડી શકે. ઉપરાંત, સિનિયર સિટિઝન પરનો અંકુશ
લાંબો સમય ચાલુ રાખવાનો નિર્ણય પણ લેવાઈ શકે.
વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે આ મુદ્દાઓ પર વિચાર આદાન પ્રદાન કર્યા હતા.
વડાપ્રધાને રાજ્યોને કોવિડ-19 સામેની લડતમાં
સક્રિય સંખ્યાબંધ હેલ્થ વર્કર્સની સંખ્યામાં વધારો કરવાના વિકલ્પો
સહાયની રકમ તબક્કાવાર ધોરણે ચૂકવવા
બેન્કોમાં ભીડને ટાળી શકાય
તબીબોની ઉપલબ્ધતા વધારવા
રાજ્યોને AYUSHના ડોક્ટર્સનો ઉપયોગ કરવા
ઓનલાઇન ટ્રેનિંગ ગોઠવવા
પેરામેડિકલ સ્ટાફ, NCC અને NSSના સ્વયંસેવકોનો કાર્યક્ષમ ઉપયોગ
મોદીના જણાવ્યા અનુસાર આગામી કેટલાંક સપ્તાહમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, આઇસોલેશન અને ક્વોરન્ટાઇન પર ધ્યાન આપવાનો
નિર્દેશ અપાયો હતો.
દેશના કુલ કોરોના કેસીસમાં 1023 કેસોનું દિલ્હી તબલીગી મરકઝ સાથે કનેકશન
કોરોના વાયરસના મામલામાં છેલ્લા કેટલાક દિવસોમાં દેખાઈ
રહેલો ઉછાળો ઘણી હદ સુધી તબલીગી જમાતની બેજવાબદારી જવાબદાર છે. સ્વાસ્થ્ય
મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં સામે આવેલા કુલ મામલામાં 30 ટકા તો માત્ર ‘એક ખાસ સ્થાન’ સાથે જોડાયેલા છે. આ સ્થાન બીજું કોઈ નહીં પરંતુ જમાતની હેડ
ઓફિસ નિઝામુદ્દીન મરકઝ છે, જ્યાં ગત મહિને થયેલા જલસામાં સામેલ થયેલા લોકો મોટી
સંખ્યામાં કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધીમાં 1023થી વધુ તબલીગી સભ્યોમાં કોરોનાની પુષ્ટિ કરવામાં આવી ચૂકી
છે.
આરોગ્ય ખાતાના પ્રવક્તા લવ અગ્રવાલે કહ્યું અન્ય દેશોની સંરખામણીમાં વાઇરસ ફેલાવાનો દર ભારતમાં ઓછા સ્તરે
કોરોના વાયરસના મામલામાં ઉછાળો તો આવ્યો છે, પરંતુ સરકારે આશ્વાસન આપ્યું છે કે, ડરવાની જરૂર નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય
મંત્રાલયે પોતાની ડેલી પ્રેસ બ્રીફિંગમાં શનિવારે જણાવ્યું કે, દેશમાં આ વાયરસના ફેલાવાનો દર ઘણા અન્ય
દેશોની સરખામણીમાં ઓછો છે અને 30 ટકા મામલા માત્ર ‘એક ખાસ સ્થાન’ સાથે જોડાયેલા છે.
આયુષ્યમાન ભારત હેઠળ ખાનગી હોસ્પિટલોમાં મફત થશે કોરોના ટેસ્ટ અને સારવાર
નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ)એ શનિવારે એક
મહત્વની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારતના લાભાર્થીઓને ટૂંક
સમયમાં જ કોરોના વાયરસના ટેસ્ટ અને સારવાર મફતમાં ઉપલબ્ધ કરાવવા અંગેના આદેશો જારી
કરી દેવામાં આવ્યા છે. નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમને અમલી બનાવનાર એનએચએનું
કહેવું છે કે આનાથી કોરોના વાયરસ સામે લડવામાં દેશની તાકાતમાં વધારો થશે.
લાભાર્થીઓને આ યોજના સાથે જોડાયેલી લેબોરેટરી અને હોસ્પટિલોમાં મફત ટેસ્ટ અને
સારવાર મળી શકશે.
એનએચએ દ્વારા જારી એક યાદીમાં કહેવામાં
આવ્યું છે કે હાલમાં જાહેર સુવિધાઓમાં કોવિડ-19નો ટેસ્ટ અને સારવાર મફતમાં ઉપલબ્ધ છે.
હવે 50 કરોડ નાગરિકો આ હેલ્થ એસ્યોરન્સ સ્કીમ અંતર્ગત ખાનગી લેબમાં કોવિડ-19નો મફતમાં ટેસ્ટ કરાવી શકશે અને તેની સાથે જોડાયેલી હોસ્પિટલોમાં
મફત સારવાર કરાવી શકશે.
આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય
યોજના (એબી-પીએમજેએવાય) સાથે જોડાયેલી હોસ્પિટલો તેમની સત્તાવાર ટેસ્ટિંગ
સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે, તેમ એનએચએ દ્વારા જારી કરવામાં આવેલી
યાદીમાં કહેવામાં આવ્યું છે.
ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ
(આઈસીએમઆર) દ્વારા બનાવવામાં આવેલા પ્રોટોકોલ મુજબ જ ખાનગી લેબ અથવા તો તેની સાથે
રેજિસ્ટર્ડ થયેલી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલોમાં કરવામાં
આવતી કોવિડ-19ની સારવાર એબી-પીએમજેએવાય યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
Reported Earlier on 4 April 2020
ગુજરાતમાં હવે કોમ્યુનિટી ઇન્ફેકશનનો તબક્કો શરૂ, છેલ્લી ફ્લાઇટ 22મી માર્ચે આવી હતી તેના પણ 14 દિવસ પૂર્ણ થશે
Gujarat Update 4 April 2020
ગુજરાત કુલ કેસ 105, મૃત્યુ 10, રિકવરી 12
અમદાવાદમાં 43
સુરતમાં 12
ગાંધીનગરમાં 13
રાજકોટમાં 10
વડોદરામાં 9
ભાવનગરમાં 9
પોરબંદરમાં 3
ગીર સોમનાથમાં 2
કચ્છ 1
મહેસાણા 1
પંચમહાલમાં 1 કેસ
પાટણ 1
World Update in Single Frame
India Update 4 April
Confirmed Cases : 3,112, Total Deaths : 90, Total Recovered : 184, Active Cases : 2,838
સુરતમાં છેલ્લા બે દિવસથી કોરોનાની રાહત: બે દિવસમાં તમામ ૧૦ દર્દીના રિપોર્ટ નેગેટિવ
સૂરત અપડેટ 4 એપ્રિલ 2020
શહેર એક્ટીવ કેસ 06
જિલ્લા એક્ટીવ કેસ 02
નેગેટીવ સેમ્પલ્સ કુલ 152
રીકવર 03
મૃત્યુ 01
19 સેમ્પલ્સના ટેસ્ટ રિપોર્ટની જોવાતી રાહ
સુરત શહેરમાં બે દિવસમાં વધુ ૧૬ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં છ વ્યક્તિ વિદેશ અથવા આંતરરાજ્ય પ્રવાસ કરી સુરત આવ્યા હતા. જ્યારે અન્ય ૧૦ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી. આ તમામ ૧૬નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે શંકાસ્પદ દર્દીઓ પૈકીની એક મહિલા દર્દીનું ટુકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા ૧૫૩ થઈ ગઈ છે. જેમાંથી ૧૨ કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે ૧૩૬ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
India State Wise Cases on 4 April
STATE/UT
Cases
DEATHS
MAHARASHTRA
490
26
TAMIL NADU
411
1
DELHI
386
6
KERALA
295
2
RAJASTHAN
179
0
UP
174
2
AP
161
1
TELANGANA
158
7
KARNATAKA
128
3
MP
104
6
GUJARAT
105
10
J KASHMIR
75
2
WEST BENGAL
63
3
PUNJAB
53
5
HARYANA
49
0
BIHAR
29
1
ASSAM
24
0
CHANDIGARH
18
0
UTTARAKHAND
16
0
LADAKH
14
0
ANDAMAN
10
0
CHHATTISGARH
9
0
GOA
6
0
HIMACHAL
6
1
ODISHA
5
0
PUDUCHERRY
5
0
MANIPUR
2
0
JHARKHAND
2
0
ગુજરાતમાં કોમ્યુનિટી સંક્રમણનો તબક્કો શરૂ
રાજ્યમાં સૌપ્રથમ કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ ગત ૧૮મી માર્ચના રોજ નોંધાયાં બાદ આજે ૧૬ દિવસ પુરા થઇ ચૂક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૯૫ જેટલા પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યાં છે. વિદેશ અને આંતર રાજ્યના પ્રવાસેથી રાજ્યમાં આવેલા લોકોથી સંક્રમિત થયેલા કોરોના વાયરસનો તબક્કો પૂરો થઇ રહ્યો છે ત્યારે હવે કોમ્યુનિટી સંક્રમણનો તબક્કો શરૂ થઇ ચૂક્યો છે.
ગાઈડલાઈન્સ મુજબ ૧૪ દિવસનો ઈન્ક્યુબેશન પીરિયડ હોય છે. એરપોર્ટ પર છેલ્લી ફ્લાઈટ ૨૨મીએ આવી હતી. જેમાં આવેલા લોકોના ઈન્ક્યુબેશન પીરિયડ પણ 1 દિવસમાં પૂરો થશે. પરંતુ શહેરમાં ૩૧ લોકો પોઝિટિવ આવ્યા છે. જેમના સંપર્કમાં આવેલા ૬૫૦ લોકોને પણ ક્વોરન્ટીનમાં મૂકી દેવામાં આવ્યા છે. જેથી તેમના ૧૪ દિવસનો સમય પૂરો થતાં ૨૦ એપ્રિલ સુધીનો સમય લાગી શકે તેમ છે. જેથી હજુ પણ અમદાવાદ શહેર માટે આગામી ૨૦થી ૨૫ દિવસ ખૂબ જ મહત્ત્વના છે. આ સમય દરમિયાન સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી હોવાનું માનવામાં આવે છે.
હવે ઇન્ટર સ્ટેટ અને ઇન્ટરસિટીથી આવેલા લોકો માટે સચેત રહેવું પડશે
આ ઉપરાંત મુંબઈ, સુરત કે રાજ્ય બહારથી આવેલા લોકોનો હવે ઇન્ક્યુબેશન પિરિયડ શરૂ થશે. એટલે હવે ચિંતા ગામડાઓની કરવાની છે. ગામડાઓમાં પણ આંતરરાજ્ય પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા નાગરિકોને કડકપણે હોમ ક્વોરન્ટીન પાળવા આદેશ છે. ત્યા પણ શહેરોની જેમ ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટનો દોર શરૂ થશે. ગુજરાતમાં બહારથી આવેલા કોરોના વાઇરસને કારણે અમદાવાદ સહિતના ૬ મહાનગરો અને ૧૧ જિલ્લામાં લોકલ ટ્રાન્સમીશનને કારણે ૮૮ પૈકી ૪૭ કેસ છે. જેમાં ગાંધીનગર, ભાવનગરમાં સૌથી વધુ ગ્રામ્ય દર્દીઓ છે.
ગૃહ મંત્રાલયે બે નવી હેલ્પલાઇન શરૂ કરી
ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે તબલીગી જમાતના 960 વિદેશીઓના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. તેને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમમાં અત્યાર સુધી 7 હેલ્પલાઈન નંબર હતા. હવે બીજી બે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ છે 1930 (ઓલ ઈન્ડિયા ટોલ ફ્રી નંબર) અને 1944 (નોર્થ ઈસ્ટ માટે ડેડિકેટેડ છે). હેલ્પલાઈન નંબર ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.
દવાની અછત નથી: સરકાર
કોરોના સામેની લડતમાં દેશભરમાં દવાના પુરવઠાની અછત ન હોવાનું સરકારે શુક્રવારે કહ્યું હતું. કોરાના સામેની લડતમાં તમામ જરૂરી દવાઓ તેમ જ અન્ય તબીબી સાધનસામગ્રીનો પુરવઠો સરળતાપૂર્વક ચાલુ રહે તેની સરકાર દ્વારા ખાતરી કરવામાં આવી રહી છે એમ જણાવતાં કેન્દ્રના રસાયણ અને ખાતર ખાતાના પ્રધાન વી. સદાનંદ ગોવડાએ કહ્યું હતું કે છેલ્લા પાંચ દિવસમાં જીવનજરૂરિયાતની દવાઓના ૧૫.૪ ટનના જથ્થા સાથે પાંચ વિમાન દેશભરમાં રવાના કરવામાં આવ્યા છે.
હૉસ્પિટલ માટે જરૂરી ઉપકરણો નએ જીવનાવશ્યત દવાઓનાં ઉત્પાદનની પ્રવૃત્તિઓ પર સરકાર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે અને તે માટે ૨૦૦ જેટલા એકમો કાર્યરત છે, એમ તેમણે કહ્યું હતું.
તબલીગી જમાત, 14 રાજ્યોમાં કોરોનાના 647 કેસ સામે આવ્યા
કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું છે કે અત્યાર સુધી દેશમાં 2301 કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે અને 56 લોકો આ જીવલેણ વાયરસનો ભોગ બન્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું છે કે છેલ્લા બે દિવસમાં તબલીગી જમાતના સભ્યોના કારણે 14 રાજ્યોમાં કોરોનાના 647 દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત નીપજ્યા છે જેમાં ઘણા તબલીગી જમાત સાથે જોડાયેલા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કુલ 336 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં એક કાર્યક્રમના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. આવી ઘટનાઓથી આપણા તમામ પ્રયાસો નિષ્ફળ થઈ જાય છે. દિલ્હીમાં કોરોનાના 141 નવા કેસ આવ્યા છે જેમાં 129 તબલીગી જમાત સાથે જોડાયેલા છે. લવ અગ્રવાલે કહ્યું છે કે આપણે સમજવું પડશે કે કોરોના વિરુદ્ધ લડાઈ ચાલી રહી છે. તેવામાં આપણી એક ભૂલના કારણે આપણે ઘણા પાછળ જતા રહીશું.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા મળેલા 7 કેસ, તમામ અમદાવાદના, પંચમહાલના એક દર્દીનું મોત
Gujarat Update
ગુજરાતમાં કોરોના ના 95 કેસ, મોત -8, સાજા-10
આજે 3 April અમદાવાદમાં વધુ 7 કેસ નોંધાયા,
પંચમહાલમાં 1 મોત
અમદાવાદ:38
સુરત:12
રાજકોટ: 10
વડોદરા:9
ગાંધીનગર:11
ભાવનગર :7
કચ્છ:1
મહેસાણા -1
ગીરસોમનાથ -2
પોરબંદર -3
પંચમહાલ-1
અત્યાર સુધી કુલ 1944 ટેસ્ટ કર્યા.
ગુજરાતમાં આજે સવારે 10 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના પોઝીટીવ હોય તેવા વધુ 7 દર્દીઓનો ઉમેરો થયો હતો. રાજ્યમાં નવા મળેલા સાતેય કેસો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લામાંથી મળી આવેલા એક કેસમાં દર્દીનું મોત નિપજતા ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને કુલ 8 થવા પામી છે.
India Update on 3 April at 10 am
Confirmed Cases : 2,301, Total Deaths : 56, Total Recovered : 157, Active Cases : 2,088
Confirmed Cases : 2,301, Total Deaths : 56, Total Recovered : 157, Active Cases : 2,088
India State wise cases
STATE/UT
Cases
DEATHS
MAHARASHTRA
335
16
TAMIL NADU
309
1
KERALA
286
2
DELHI
219
4
RAJASTHAN
133
0
ANDHRA PRADESH
132
1
KARNATAKA
124
3
UTTAR PRADESH
113
2
TELANGANA
107
3
M.PRADESH
99
6
GUJARAT
95
8
JAMMUKASHMIR
70
2
WEST BENGAL
53
3
PUNJAB
46
4
HARYANA
43
0
BIHAR
24
1
CHANDIGARH
18
0
ASSAM
16
0
LADAKH
14
0
ANDAMAN
10
0
UTTARAKHAND
10
0
CHHATTISGARH
9
0
GOA
6
0
HIMACHAL
6
1
ODISHA
5
0
PUDUCHERRY
3
0
MANIPUR
2
0
24 કલાકમાં દેશમાં કોરોના પોઝીટીવનો આંકડે 2000થી 2500 નજીક પહોંચી ગયો, નવા કેસોમાં 65 ટકા દિલ્હી મરકઝ સાથે કનેકશન ધરાવે છે
દિલ્હી સ્થિત મરકઝમાં તબલીગી જમાતના કાર્યક્રમના કારણે દેશભરમાં કોરોના
પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત ત્રીજા દિવસે પણ વધારો થયો છે. માર્ચ મહિનાના
મધ્યમાં દિલ્હી મરકઝ ખાતે યોજાયેલા તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો
પૈકી 295 લોકોને કોરોના પોઝિટિવ હોવાનું રિપોર્ટમાં આવ્યું છે. ગુરુવારે રાત્રે પૂરા
થતા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોના નવા પોઝીટીવ કેસોની સંખ્યા 485 હતા જેમાંથી 50 ટકાથી વધુ કેસ દિલ્હી સ્થિત મરકઝમાં ગયેલા
તબલીગી જમાત લોકો સાથે કોઇકને કોઇક રીતે કનેકશન ધરાવે છે અથવા તો એવા દર્દીઓ છે
જેઓ પોતે જ મરકઝમાં સામેલ હતા.
તા.1લી એપ્રિલે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 1965 હતા, તા.2જી
એપ્રિલે આ આંકડો એક જ દિવસમાં વધીને 2500 પર પહોંચી ગયો છે.
દિલ્હીમાં સૌથી વધુ કેસ તબલીગી મરકઝ સાથેના કનેકશનના
દિલ્હીની વાત જ કરીએ તો ગુરુવારે ઓછામાં ઓછા 141 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. એકલા
દિલ્હીમાં જ કોરોના પોઝીટીવ કુલ 141 કેસ પૈકી 129 કેસ તબલીગી જમાતના છે. એવી જ રીતે મહારાષ્ટ્રમાં
85 અને તામિલનાડુમાં 75 નવા કેસ સામે આવ્યા છે.
દક્ષિણ ભારતમાંથી દિલ્હી મરકઝમાં ગયેલા અને લોકો અને કોરોના પોઝીટીવ કેસો
દક્ષિણના રાજ્યો તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં સામે આવેલા
કોરોના પીડિતોના કુલ આંકડામાંથી 143 લોકો દિલ્હી મરકઝમાં સામેલ હતા અથવા તો
કોઇકને કોઇક રીતે આ કાર્યક્રમમાં સામેલ લોકો સાથે સંપર્કમાં આવીને કોરોના
ઇન્ફેક્ટેડ બન્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આંધ્ર પ્રદેશના નોડલ અધિકારી શ્રીકાંત કહે છે કે અમે દિલ્હીથી આવેલા 758 લોકોના ટેસ્ટ કર્યા જે પૈકી 91 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. આ રાજ્યમાંથી
સૌથી વધુ લોકો મકરજમાં ગયા હતા. મકરજની કુલ સંખ્યાના 16 ટકા જેટલા છે. અમારી પાસે તબલીગી જમાતના આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામની
જાણકારી છે અને જિલ્લા અધિકારીઓને તેમને ટ્રેસ કરવા માટે કહેવામાં આવ્યું છે.
તામિલનાડુમાં 75માંથી 74, તેલંગણામાં 27માંથી 26 અને કર્ણાટકમાં 14માંથી 11 નવા કેસ તબલીગી જમાતના છે. આંધ્રપ્રદેશમાં
તમામ નવા 32 કેસ તબલીગી જમાતના છે.
દેશના અન્ય રાજ્યોની સ્થિતિ
દિલ્હી મરકઝમાં સામેલ થયા બાદ જુદા જુદા રાજ્યોમાં ગયેલા લોકોને ટ્રેશ કરવાની
અપાયેલી સૂચના બાદ રાજ્યોની તપાસમાં બહાર આવ્યું છે. એ મુજબ મધ્યપ્રદેશ, આસામ, મણિપુર અને અરુણાચલમાં પણ કન્ફર્મ થયેલા
કોરોનાના નવા કેસ આ જ સંગઠનના સાથે જોડાયેલા છે. રાજસ્થાનમાં 13 નવા કેસ પૈકી 3, યુપીના 10 નવા કેસ પૈકી 2 અને મહારાષ્ટ્રના 88 નવા કેસ પૈકી 8 કેસ તબલીગી જમાત સાથે કોઈને કોઈ રીતે સંપર્ક
ધરાવે છે.
આસામના આરોગ્ય પ્રધાને કહ્યું કે, ‘રાજ્યના 503 લોકોએ તબલીગી જમાતના આ કાર્યક્રમમાં ભાગ લીધો
હતો. જે પૈકી 488 લોકો સાથે અમારો સંપર્ક થઈ ચૂક્યો છે. તે પૈકી 361 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે
કાર્યક્રમમાં ભાગ લેનાર 15 બીજા લોકોને ટ્રેસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.’
ભાવનગરમાં સુરતથી ચાર લાખ લોકો આવ્યા: ટ્રેક કરવાનું અઘરું
ભાવનગર: શહેર અને જિલ્લામાં સુરત અને અમદાવાદ સહિતના મહાનગરોમાં આજીવિકા માટે ગયેલાં હજારો પરિવારો લોકડાઉન વચ્ચે જ રાતોરાત પોતાના વતન આવ્યાં હોવાથી તંત્ર આવાં લોકો પર વિશેષ ધ્યાન રાખી રહ્યું છે પરંતુ અંદાજે ચાર લાખ લોકોમાંથી જે લોકો છુપાઇને આવ્યાં છે એવાં અઢી લાખ જેટલા લોકોને ટ્રેક કરવાનું પણ કઠીન બની રહ્યું છે.
ભાવનગરમાં કોરોના પોઝિટિવના છ થી વધુ કેસ નોંધાઇ ચૂકયાં છે અને બે દર્દીઓના મોત પણ થયાં છે. મરનારાં આ બન્ને દર્દીઓએ અનુક્રમે દિલ્હી અને સુરતનો પ્રવાસ કર્યો હતો, જયારે એક મહિલા દર્દી સુરતમાંથી હિજરત કરીને આવી હોવાનું જાણવા મળે છે. સુરત અને અન્ય શહેરોમાંથી ભાવનગર અને જિલ્લાના ગામડાઓમાં દોઢ લાખ લોકો આવ્યા છે તે કાગળ ઉપર છે. પરંતુ છૂપાઈને કે અન્ય ટેન્કરો, વાહનમાં બેસીને આવેલા અઢી લાખથી વધારે લોકોને ટેક કરવા અઘરી વાત છે.
ભાવનગર જિલ્લાના ડીડીઓ વરૂણ બરનવાલે જણાવ્યું હતું કે ગામડામાં કોણ અન્ય શહેરોમાંથી આવ્યું છે તે માહિતી મેળવવા હેલ્થ કર્મીઓ જાય છે પણ તેમની સાથે લોકો ગેરવર્તન કરી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ આવા ખરાબ સમયે લોકોને વિવેક સાથે મદદ કરવા અપીલ પણ કરી હતી.
રાજકોટનો પ્રથમ દર્દી રિકવર થઇને ઘરે ગયો
ગુજરાતમાં ગુરુવારની સવાર સુધીમાં સાત જેટલા પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલોમાં સાજા કરીને તેમને રજા પણ આપી દેવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ પોઝિટિવ કેસ ૧૭મી માર્ચે રાજકોટમાં નોંધાયો હતો જેને આજે ગુરૂવારે સાજો કરીને રજા આપી દેવામાં આવી હતી. ૩૧મી માર્ચે રાજકોટમાં ૧૬ રિપોર્ટ અને ૧લી એપ્રિલે ૧૨ દર્દીના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. રિપોર્ટ નેગેટિવ આવતા જ રાજકોટવાસીઓમાં એક પોઝિટિવીટી આવી રહી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં ૧૦ પોઝિટિવ કેસ નોંધાયાં છે જેમાંથી ત્રણ દર્દી વિદેશ પ્રવાસથી આવેલાં છે જ્યારે સાત દર્દી લોકલ છે.
રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દેખાયો હતો અને આ યુવાન દર્દીને ૧૭મીએ શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ૧૫ દિવસથી સારવાર ચાલી રહી હતી. હવે યુવાન કોરોનાગ્રસ્ત નથી.
ગુજરાતમાં હાલ 87 એક્ટીવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર બાકીના 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા
તા.2જી એપ્રિલ 2020ના રોજ સવારે ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોનાની અપડેટ વિગતો આપતા જણાવ્યું છેકે, ગુજરાત માટે રાહતના સમાચાર છેકે ગઇકાલ 1લી એપ્રિલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે આગામી 4થી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 1789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે. જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને 9 ટેસ્ટ પેન્ડિંગ છે. 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે, 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં અમદાવાદ હોટસ્પોટ જાહેર થયું છે. અમદાવાદમાં સૌથી વધારે 31 કેસ અને 03 મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 12 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 11 કેસ, રાજકોટમાં 10 કેસ, વડોદરામાં 09 કેસ અને 1 મૃત્યુ, ભાવનગરમાં 6 કેસ અને 2 મૃત્યુ, પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ જ્યારે કચ્છ, મહેસાણા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે.
INDIA : Confirmed Cases : 1,965, Total Deaths : 50, Total Recovered : 151, Active Cases : 1,764 (2/4/20 @ 10am)
India Statewise
STATE/UT
Cases
DEATHS
MAHARASHTRA
302
9
KERALA
241
2
TAMIL NADU
234
1
DELHI
152
2
UP
103
2
KARNATAKA
101
3
TELANGANA
96
3
RAJASTHAN
93
0
AP
83
0
GUJARAT
87
7
MP
66
3
J&K
62
2
HARYANA
43
0
PUNJAB
42
3
WEST BENGAL
37
3
BIHAR
23
1
CHANDIGARH
16
0
LADAKH
13
0
ANDAMAN
10
0
CHHATTISGARH
9
0
UTTARAKHAND
7
0
GOA
5
0
ODISHA
4
0
HIMACHAL
3
1
PUDUCHERRY
3
0
ASSAM
1
0
JHARKHAND
1
0
વડોદરામાં કોરોના વાયરસથી પહેલું મોત
કોરોના વાયરસના કારણે વડોદરામાં એક વ્યક્તિનું મોત થયું છે. આ મોતના કારણે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. આ વખતે નિઝામપુરામાં રહેતા 55 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. આ પહેલા અમદાવાદમાં 3, ભાવનગરમાં 2, સાબરકાંઠામાં 1નું મોત થયું હતું.
આજે 55 વર્ષના પુરુષનું કોરોના વાયરસના કારણે મોત થયું છે જેઓ શ્રીલંકા પ્રવાસથી પરત ફર્યા હતા. પરિવારના 4 સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટી થઈ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે આ મોતની પુષ્ટી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પણ કરવામાં આવી છે. મૃતકના પરિવારના ચાર સભ્યો હાલ કોરોના વાયરસના કારણે સારવાર હેઠળ છે.
ICMRની ચેતવણી: કોરોનાવાયરસથી બચવા મેલેરિયાની આ દવા લેવાની ભૂલ ના કરશો
હાઈડ્રોક્સિક્લોરોક્વિન કોરોનાથી બચાવે છે તેવું માની ઘણા લોકો તેનો સ્ટોક કરી રહ્યા છે. જોકે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સિનિયર વૈજ્ઞાનિક રમન આર ગંગાખેડકરે જણાવ્યું છે કે આ દવા સામાન્ય વ્યક્તિએ ના લેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે હાઈડ્રોક્સિક્લોરોક્વિન કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોક્ટર્સ અને તેમના સંપર્કમાં આવેલા લોકોને જ અપાય છે.
આ દવાને આરોગ્ય મંત્રાલય દ્વારા એસેન્શિયલ ડ્રગ જાહેર કરાઈ છે અને હાલની સ્થિતિમાં તેની વધારે જરુર હોવાથી રાજ્યોમાં તેના વિતરણ અને વેચાણ પર નિયંત્રણ મૂકી દેવાયા છે. ICMRએ વારંવાર કહ્યું હતું કે સ્વસ્થ લોકો આ દવા લેવાથી દૂર રહે.
પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવશો તો પરિવારથી દૂર કરી ક્વોરન્ટીન કરવામાં આવશે
કોરોના વાઇરસ એ ચેપી રોગ છે જે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેના સંપર્કમાં રહેલા વ્યક્તિને પણ ૧૪ દિવસ હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડે છે. આ વાઇરસ વધુ ન ફેલાય તે માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જો તમે પણ આ બીમારીનો ભોગ બનો તો તમારા પરિવાર અને બાળકોથી દૂર થઈ જશો.
જેનું એક તાજું જ ઉદાહરણ અમદાવાદમાં રહેતા દંપતી સાથે થયું છે. પતિ-પત્નીના પોઝિટિવ કેસના કારણે તેમની પાંચ વર્ષની પુત્રી એકલી થઈ ગઈ હતી.
માતા-પિતાને હોસ્પિટલમાં દાખલ અને અમદાવાદમાં કોઈ પરિવારજન ન હોવાથી બાળકી રઝળી પડી હતી. જ્યાં સુધી કચ્છથી તેના પરિવારજન ન આવી જાય ત્યાં સુધી તેને એક સોસાયટીના પાર્કિગમાં મૂકેલી ગાડીમાં સુવડાવવાની ફરજ પડી હતી.
પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવામાં આવે છે. ત્યારે આ બાળકીને તેના પિતાના મિત્રના માતા-પિતા પાસે રાખવાની હતી. જો કે જ્યારે મિત્રની સોસાયટીમાં જાણ થઇ ત્યારે સોસાયટીના લોકોએ આ વાતનો વિરોધ કર્યો હતો.
બાળકીને અન્ય કોઈ વ્યક્તિના ઘરે પણ લઈ જવાય તેમ ન હતી. કારણ કે તેને લઈ જાય તો પરિવારને ક્વોરન્ટીનમાં રહેવું પડે.
જેથી જો કોઇ લોકડાઉનનો ચુસ્તપણે અમલ નહિ કરો અને કોઈ પોઝિટિવ કેસના સંપર્કમાં આવી ગયા હશો તો તમારે પણ ક્વોરન્ટીન થવું પડશે અને તમારા બાળકોથી અને પરિવારજનોથી દૂર થવું પડશે. એટલે ઘરમાં રહો અને સુરક્ષિત રહો.
માતા-પિતા કોરોના પોઝિટિવ અને પાંચ વર્ષની બાળકી નેગેટિવ: બાળકીને તેના કાકાને સોંપાઇ
કોરોનાની ભયાનકતા કેટલી હોય છે તેનો કેસ અમદાવાદમાં જોવા મળ્યો હતો. માતા પિતાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે ૫ વર્ષની દીકરીને નેગેટિવ આવતા જ દીકરીને મા-બાપથી વિખૂટી પાડી દેવામાં આવી છે. અમદાવાદમાં કોઈ સગું રહેતું ના હોવાથી દીકરીને પોલીસ અને હોસ્પિટલ સ્ટાફએ આખી રાત સાચવી રાખી હતી. એસ.પી રિંગ રોડ પર આવેલા ફ્લેટમાં રહેતા દંપતીનો કેસ પોઝિટિવ આવ્યો હતો. બંનેને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બાળકીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
દંપતીને પાંચ વર્ષની નાની બાળકીની સાર સાંભળનો પ્રશ્ન ઊભો થયો હતો. બાળકીને આખી રાત સોસાયટીના પાર્કિંગમાં સૂવડાવી હતી, પરંતુ હોસ્પિટલના સ્ટાફે માનવતા દાખવી અને બાળકીને પરત હોસ્પિટલ લાવવા કહ્યું હતું. ત્યાર બાદ બાળકીને એસવીપી હોસ્પિટલના સેફ ઝોનમાં રાખવામાં આવી હતી. એસવીપી હોસ્પિટલના ડોક્ટરો, મનપા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો.ઓમપ્રકાશ અને એલિસબ્રિજ પીઆઈએ મદદ કરી બાળકીને તેના પરિવાર સુધી પહોંચાડવા મદદ કરી હતી.
એસ.પી.રિંગ રોડ પર રહેતા અને પોતાની કંપની ધરાવતા વ્યક્તિને ત્રણ દિવસ પહેલા કોરોના વાઇરસનો કેસ પોઝિટિવ આવ્યો હતો. તેની પત્ની અને બાળકીનો પણ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સોમવારે રાતે તેની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે બાળકીનો નેગેટિવ આવ્યો હતો. પત્નીનો પણ ટેસ્ટ પોઝિટિવ આવતા માતા-પિતાને પોતાની પાંચ વર્ષની બાળકીની ચિંતા થઈ હતી. અને મૂળ અમદાવાદના અને કેનેડામાં રહેતા તેમના મિત્રને કહ્યું હતું કે બાળકીને તારા માતા-પિતાના ઘરે લઈ જા. તેમના મિત્રના માતા-પિતા બાળકીને લેવા જતા હતા. જોકે સોસાયટીના લોકોએ બાળકીને અહીંયા લાવવા પર વિરોધ કર્યો હતો. નાની બાળકી છે તેના માતા-પિતા હોસ્પિટલમાં છે તેને પરિવારની જરૂર છે તેવું કહેવા છતાં સોસાયટીના લોકો માન્યા નહોતા.
દેશમાં 30મી માર્ચે કોરોના વાઇરસના નવા ૯૨ દરદી નોંધાયા
Confirmed Cases : 1,251
Total Deaths : 32
Total Recovered : 102
Active Cases : 1,117
આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૯૨ દરદી નોંધાયા હતા અને ચાર જણ મૃત્યુ પામ્યા હતા. દેશમાં કોરોના વાઇરસના કુલ દરદીની સંખ્યા વધીને ૧,૨૪૨ થઇ છે અને મરણાંક ૩૫ થયો છે.
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત મંત્રી લવ આગરવાલે જણાવ્યું હતું કે દેશમાં હાલમાં સ્થાનિક સ્તરે કોરોના વાઇરસનો રોગચાળો ફેલાઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત મંત્રીએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસનો રોગચાળો અટકાવવા માટે શારીરિક સંપર્ક ટાળવો બહુ જરૂરી છે. એક વ્યક્તિની બેદરકારીથી કોરોના વાઇરસ સમાજના અનેક લોકોમાં ફેલાઇ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસને લગતી અફવા ફેલાતી રોકવાને બદલે તેના સંબંધમાં સામાન્ય જનતાને જાગૃત કરવાની જરૂર છે.
દરમિયાન, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચના આર. ગંગાખેડકરે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસ માટે ૩૮,૪૪૨ જણ પર પરીક્ષણ (ટૅસ્ટિંગ) કરાયું હતું અને તેમાંના ૩,૫૦૧ જણની તપાસ તો માત્ર રવિવારે જ કરાઇ હતી.
તેમણે જણાવ્યું હતું કે દેશની વિવિધ ખાનગી લૅબમાં છેલ્લાં ત્રણ દિવસમાં ૧,૩૩૪ જણનું કોરોના વાઇરસ માટે પરીક્ષણ કરાયું હતું.
ભારતમાં હજુ કોમ્યુનિટી લેવલ પર નથી દેખાયો કોરોના
દેશભરમાં કોવિડ-19 (Covid-19)ને રોકવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ માટે લોકડાઉનની સકારાત્મક દિશામાં અસર દેખાઈ રહી છે અને ઘાતક વાયરસ હાલ ‘લોકલ ટ્રાન્સમિશન’ (બીજા) સ્ટેજમાં છે. સરકારે જણાવ્યું છે કે જેવા આ વાયરસના “કમ્યુનિટી ટ્રાન્સમિશન”ના પુરાવા મળશે કે તરત નાગરિકોને વધારે એલર્ટ કરી દેવાની સૂચના આપી દેવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે સામાજિક સંસ્થાઓએ લોકોને રોગચાળાને લગતી સાચી માહિતી આપીને જાગૃત કરવા જોઇએ. દેશમાં હજી પણ અનેક સ્થળે લોકો ખોટી માહિતી કે અંધશ્રદ્ધાને કારણે ટોળે વળે છે અને શારીરિક સંપર્ક ટાળતા નથી.
રોગચાળાની ખોટી માહિતી નહિ ફેલાવો : મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજિક સંસ્થાઓના કાર્યની પ્રશંસા કરતા સોમવારે જણાવ્યું હતું કે સમાજના કલ્યાણ માટે કાર્ય કરતા સંગઠનો કોરોના વાઇરસને લગતી અંધશ્રદ્ધા અને ખોટી માહિતી ફેલાતી રોકવામાં સહાય કરી શકે છે.
મોદીએ સમાજના કલ્યાણ માટે કામ કરતા વિવિધ સંગઠનોને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંબોધતા જણાવ્યું હતું કે સામાજિક સંગઠનો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન તેમ જ તબીબી સુવિધા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
વડા પ્રધાનની કચેરીએ બહાર પાડેલા નિવેદનમાં મોદીને એમ કહેતા ટાંક્યા હતા કે દેશ હાલમાં અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યો છે અને સામાજિક સંગઠનોની બહુ જ મોટી સેવાની જરૂરિયાત છે.
મોદીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી કહેતા હતા કે ગરીબો અને અન્ય નબળા વર્ગના લોકોની સેવા જ દેશની મોટી સેવા ગણાય. જનસેવા એ જ સાચી પ્રભુસેવા છે.
મોદી સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરનારા સામાજિક સંગઠનોના સ્વયંસેવકોએ પોતાના દ્વારા ભોજનના પૅકૅટ્સ, સૅનિટાઇઝર્સ, દવા અને કરિયાણાની અન્ય ચીજોના કરાયેલા વિતરણની જાણકારી આપી હતી.
કોરોનાનો ભય: હજારો કેદીઓને વચગાળાના જામીન પર છોડી મૂકાયા
કોરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવા અને કેદીઓ વચ્ચેની અથડામણનો ભય ટાળવાના પ્રયાસો વચ્ચે એક અસાધારણ પગલું લેતાં વહીવટકર્તાઓએ દેશભરની ખીચોખીચ ભરેલી જેલના હજારો કેદીઓને વચગાળાના જામીન કે પૅરોલ પર છોડી દેવામાં આવ્યા હોવાનાં અહેવાલ છે.
ખીચોખીચ ભરેલી દિલ્હીની તિહાર જેલમાંથી બીજા તબક્કામાં ૧૫૦૦ કેદીઓને મુક્ત કરવામાં આવશે, એમ અધિકારીઓએ સોમવારે કહ્યું હતું.
એશિયાની સૌથી મોટી અને ગીચ જેલ ગણાતી પ્રથમ તબક્કામાં કુલ ૩૦૦૦ કેદીમાંથી ૪૦૦ કેદીને મુક્ત કરી દેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
જેલના ડિરેક્ટર જનરલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ દિલ્હીની તિહાર જેલની કુલ ક્ષમતા ૧૦,૦૦૨૬ કેદીની છે તેની સામે તેમાં કુલ ૧૭,૪૪૦ કેદીઓ છે જેમાંથી ૧૪,૩૫૫ અન્ડર ટ્રાયલ કેદીઓ હોવાનું તેમણે કહ્યું હતું.
જેલના કેદીઓમાં અત્યાર સુધીમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે જેલમાં કોરોના વધુ ઝડપથી ફેલાય તેવી શક્યતા હોવાને કારણે જેલના ખૂણેખૂણાનું
નિયમીત રીતે સૅનિટાઈઝેશન અને સફાઈ કરવામાં આવે છે. કેન્દ્રના આરોગ્ય ખાતાના જણાવ્યાનુસાર દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૦૭૧ કેસ નોંધાયા હોવા ઉપરાંત તેને કારણે ૨૯ જણનાં મોત થયા છે.
વધુમાં વધુ સાત વર્ષની જેલની સજાનો સામનો કરી રહેલા અન્ડર ટ્રાયલ કેદીઓને પણ આ જ પ્રકારનો લાભ આપવાનું કૉર્ટે સૂચન કર્યું હતું.
મોદીએ પોતાના યોગ કરતા ઍનિમૅટૅડ થ્રી-ડી વીડિયો શૅર કર્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના દ્વારા યોગ કરીને કઇ રીતે શારીરિક સુસજ્જ રહેવાય છે, તેની જાણકારી આપતા ઍનિમૅટૅડ થ્રી-ડી વીડિયો ટ્વિટર પર શૅર કર્યા હતા.
તેમણે ટ્વીટ કર્યું હતું કે મને રવિવારે એક જણે ‘મન કી બાત’ કાર્યક્રમમાં શારીરિક સુસજ્જતા જાળવવા માટેની મારી દરરોજની કસરત અંગે પૂછ્યું હતું. હું આશા રાખું છું કે તમે બધા પણ નિયમિત યોગ કરશો.
મોદીએ જણાવ્યું હતું કે હું શારીરિક સુસજ્જતા જાળવવાની સલાહ આપી શકતો નિષ્ણાત કે યોગનો પ્રશિક્ષક નથી. હું માત્ર યોગની પ્રૅક્ટિસ કરનારો છું. યોગના અનેક આસનની સ્વાસ્થ્ય પર ઘણી સારી અસર થાય છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં તીવ્ર વધારા સાથે આંક હજારને પાર કરી ગયો હોવાથી અને કોરોનાને કારણે ૨૫ લોકોના મૃત્યુ થયા હોવાથી કેન્દ્ર સરકારે રવિવારે પરપ્રાંતિય કામદારો દ્વારા સંભવિત કોરોનાવાયરસના સામૂહિક ચેપને રોકવા માટે દેશભરના રાજ્ય અને જિલ્લાની સરહદો સીલ કરવાનો આદેશ આપ્યો હતો અને ચેતવણી આપી હતી કે ઉલ્લંઘન કરનારાઓને ૧૪ દિવસના કવોરન્ટાઇનનો સામનો કરવો પડશે. આ સાથે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને લોકડાઉનનું સખતાઈથી પાલન કરવાનો આદેશ આપ્યો હતો.
પરપ્રાંતિય કામદારોની મોટા પાયે હિજરતથી ચિંતિત, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ રાજ્ય અને જિલ્લાની સરહદોને અસરકારક રીતે સીલ કરવા જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે, આદેશનું ઉલ્લંઘન કરનારાઓને સરકારી સુવિધાઓમાં ૧૪-દિવસની ક્વોરન્ટાઇનમાં મોકલવામાં આવશે.
લૉકડાઉનનો 5 દિવસ પૂર્ણ
રવિવારે દેશવ્યાપી ૨૧ દિવસના લોકડાઉનનો પાંચમો દિવસ હતો. કામધંધા બંધ થઇ ગયા હોવાથી તેઓ બેકાર થઇ ગયા હતા અને ભૂખે મરવા કરતા તેમણે પોતાના વતન પાછા ફરવાનું મુનાસિબ સમજ્યું હતું. પરપ્રાંતિય કામદારોએ અને અનેક રાજ્ય તથા જિલ્લાની સરહદ પર ભારે ભીડ જમાવી હતી. તેઓ પાસે ખાવાપીવાની પણ કોઇ વ્યવસ્થા નહોતી. સખાવતી સંસ્થાઓ, સ્વયંસેવકો, ધાર્મિક સંસ્થાઓ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ સહિતની સરકારી સંસ્થાઓએ દેશભરના હજારો લોકોના ખાવાપીવાની વ્યવસ્થા કરી હોવા છતાં પણ અનેક લોકો આ સરકારી સુવિધા અને પહોંચથી વંચિત રહ્યા હતા.
વડાપ્રધાનની મન કી બાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ’મન કી બાત’ના રેડિયો પ્રસારણમાં દેશવ્યાપી લોકડાઉનને કારણે થયેલી મુશ્કેલીઓ માટે રાષ્ટ્રની ક્ષમા માંગી હતી અને કહ્યું હતું કે તે જરૂરી છે કારણ કે દેશ જીવન અને મૃત્યુનો જંગ લડી રહ્યો છે. તેમ છતાં કોરોનાવાઇરસ સામેના જંગમાં જીતવાનો અતૂટ વિશ્ર્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ કટોકટીભર્યા સમયમાં દેશમાં અતિઆવશ્યક સેવાઓ પહોંચાડનારા અસંખ્ય કામદારો અને ફ્રન્ટલાઇન વર્કર્સોની તેમણે પ્રશંસા કરી હતી.
ભારતમાં ઇંધણની કટોકટી નથી
ઇંધણના વપરાશમાં વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવતા ભારતમાં ઇંધણની કોઈ કટોકટી નથી એમ જણાવતાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ના અધ્યક્ષ સંજીવ સિંહે કહ્યું હતું કે દેશમાં ત્રણ અઠવાડિયાના લોકડાઊંનની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ નો જથ્થો તેના કરતા વધુ લાંબો સમય ચાલે એમ છે. જે દિવસે દેશમાં ૨૧ દિવસના લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી હતી તે જ દિવસે તેમના પિતાનું મૃત્યુ થયું હોવા છતાં દેશના તમામ વિસ્તારમાં ઇંધણની અછત ન સર્જાય અને લોકો ગભરાટના માર્યા બુકિંગ ન કરાવે તેની ખાતરી કરવા તેમણે વિતરણની કામગીરી પર દેખરેખ રાખવાનું ચાલુ રાખ્યું છે. એપ્રિલ મહિના તેમ જ ત્યાર બાદ પણ લોકોને ઇંધણ નો અખંડ પુરવઠો મળતો રહે તે માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે, એમ તેમને કહ્યું હતું. ઇંધણના મોટા સંગ્રહસ્થાન તેમ જ રાંધણ ગેસ એજન્સી ઓ, પેટ્રોલ પંપ, સામાન્ય રીતે જ ચાલી રહ્યા છે અને દેશમાં ઇંધણની કોઈ કટોકટી નથી, એમ તેમણે કહ્યું હતું.
કોરોના સ્પ્રેડ માટે અમદાવાદ દેશના 10 હોટસ્પોટમાં, ઇન્ફેકશન અટકાવવા યુદ્ધસ્તર પર કામગીરી શરૂ
કોરોના માટે દેશના ટોપ 10 હોટસ્પોટમાં ગુજરાતના અમદાવાદનો સમાવેશ
દિલશાદ ગાર્ડન
નિઝામુદ્દીન
નોઇડા
મૈરુત
ભીલવાડા
અમદાવાદ
કસરગડ
પથનમથ્થિટ્ટા
મુંબઇ
પૂના
કેન્દ્ર સરકારે કોરોના વાઇરસ સ્પ્રેડ માટે સૌથી વધુ સેન્સિટીવ હોય તેવા 10 હોટસ્પોટ જાહેર કર્યા છે. જેમાં ઉપરોક્ત દસ શહેરોના સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાંથી અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ કેસો મળી આવ્યા છે. અહીં કોરોનાની રોકથામ માટે યુદ્ધના ધોરણે પગલાં ભરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં મોટા ભાગના કેસો લોકલ ટ્રાન્સમિશનના
ગુજરાતમાં મળી આવેલા તા.31મી માર્ચે રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના મળેલા ૭૩ પોઝીટીવ કેસમાંથી ૩૭ લોકલ ટ્રાન્સમિશનના છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને ગાંધીનગર હોટ સ્પોટ કર્યા છે. પાંચ દર્દીઓ હકારાત્મક રીતે સારવાર લઈ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાંથી ત્રણ દર્દીઓ ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા માસ્ક અને સેનીટાઈઝરને જરૂરિયાતની વસ્તુમાં સામેલ કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં એન-૯૫ માસ્ક ૯.૭૫ લાખ, પીપીઈ કીટ ૩.૫૮ લાખ અને ટ્રીપલ લેયર માસ્કનો ૧.૨૩ કરોડનો જથ્થો ઉપલબ્ધ છે. સરકાર દ્વારા ૧૦ લાખ નવા માસ્ક લેવામાં આવ્યા છે. અન્ન અને નાગરિક પુરવઠાના તમામ લોકોને માસ્ક આપવામાં આવશે.
તા.31મી માર્ચે ગુજરાતમાં કોરોના પોઝીટીવ હોય તેવા વધુ ૩ નવા કેસ ઉમેરાયા હતા. જેમાં એક અમદાવાદના ૫૫ વર્ષના પુરુષ, ગાંધીનગરના ૩૨ વર્ષના એક મહિલા અને એક ૨૮ વર્ષના રાજકોટના પુરુષનો કેસ છે જે તમામ લોકલ ટ્રાન્શમીશન ધરાવે છે.
ગુજરાતમાં કેસોની સ્થિતિ
અમદાવાદ 23
ગાંધીનગર 11
રાજકોટ 10
સૂરત 09
વડોદરા 09
ભાવનગર 06
ગીર સોમનાથ 02
કચ્છ 01
મહેસાણા 01
પોરબંદર 01
India Update :
Confirmed Cases : 1,397,
Total Deaths : 35,
Total Recovered : 124,
Active Cases :1,238
State wise cases
STATE/UT
CONFIRMED
DEATHS
KERALA
234
1
MAHARASHTRA
216
9
UP
101
0
DELHI
97
2
KARNATAKA
83
3
TELANGANA
79
1
RAJASTHAN
74
0
GUJARAT
73
6
TAMIL NADU
67
1
J&K
54
2
MADHYA PRADESH
47
3
PUNJAB
41
3
HARYANA
40
0
ANDHRA PRADESH
40
0
WEST BENGAL
26
2
BIHAR
15
1
LADAKH
13
0
CHANDIGARH
13
0
ANDAMAN
10
0
CHHATTISGARH
8
0
UTTARAKHAND
7
0
GOA
5
0
ODISHA
3
0
HIMACHAL
3
1
ગુજરાતમાં 1400થી વધુ સેમ્પલ્સ ટેસ્ટીંગ થઇ ચૂક્યું છે
રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૩૯૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે તે પૈકી ૧૩૨૨ નેગેટિવ, ૭૩ પોઝિટિવ અને એક પેન્ડિંગ કેસ છે. જિલ્લાવાર પોઝિટિવ કેસની વિગતો આપતા ડો. રવિએ કહ્યું કે અમદાવાદ જિલ્લામાં ૨૩, સુરતમાં ૦૯, રાજકોટમાં ૧૦, વડોદરામાં ૦૯, ગાંધીનગરમાં ૧૧, ભાવનગરમાં ૦૬, ગીર સોમનાથમાં ૨ અને કચ્છ, મહેસાણા અને પોરબંદરમાં જિલ્લાદીઠ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જે ૭૩ કેસ પોઝીટીવ છે તેમાં ૬૦ દર્દી સ્ટેબલ છે, બે વેન્ટિલેટર પર તથા પાંચ દર્દીઓ પ્રોટોકોલ મુજબ ફરીથી ટેસ્ટ કરીને ટેસ્ટ નેગેટિવ આવતાં તેમને ડિસ્ચાર્જ પણ અપાયું છે.
કેન્દ્ર દ્વારા અમદાવાદને કોરોના પ્રોટેકશન માટે હોટસ્પોટ જાહેર કરાયું
કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને હોટસ્પોટ સિટી જાહેર કરાયું છે જેની સામે રાજ્ય સરકારે પ્રો-એક્ટિવ થઈને ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરના ક્લસ્ટરમાં જે કેસો નોંધાયા છે ત્યાં ક્લસ્ટર ક્ધટેન્ટ પ્રોટોકોલ મુજબ સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવી દીધી છે. આ વિસ્તારોમાં વસતા વૃદ્ધો-વયસ્કોનું પણ પરીક્ષણ કરી ખાસ કાળજી લેવાશે. ઉપરાંત આ વયસ્કોને જે સામાન્ય રોગ છે તેની દવાઓ-સારવાર સમયસર લેવા પણ અનુરોધ કરાયો છે.
આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું છે કે નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે રાજ્યના નાગરિકો લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરે અને સૌ સંયમ રાખીને ઘરમાં જ રહે તે અત્યંત અનિવાર્ય છે.
ગુજરાતમાં હવે 9 લેબોરેટરીમાં કોરોના ટેસ્ટીંગ
રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર તથા રાજકોટ ખાતેની મેડિકલ કોલેજોમાં અને અમદાવાદની ત્રણ ખાનગી લેબોરેટરી ન્યુ બર્ગ સુપ્રાટેક લેબોરેટરી, યુનિપથ લેબોરેટરી અને પાનજીનો મિક્સ લેબોરેટરી અમદાવાદને પણ ટેસ્ટિંગ ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જૂનાગઢમાં કોરોના અંગે અફ્વા ફેલાવનાર 2ની ધરપકડ
જૂનાગઢ જિલ્લામાં હાલ કોરોનાને લઈને લોકડાઉન છે, ત્યારે મોબાઈલ ઉપર, વોટ્સએપ કે અન્ય સોશિયલ સાઈટ ઉપર અફ્વા ફેલાવતા અટકાવવા માટે જિલ્લા પોલીસે સાયબર સેલની મદદથી સોશિયલ સાઈટ પર મોનીટરીંગ શરૂ કરું હતું. જેમાં જૂનાગઢમાં જય વિર વચ્છરાજ નામના વોટ્સએપ ગ્રુપમાં એક મોબાઈલ નંબરના ઘારકે જનતા અને પોલીસ સાથેનો ઘર્ષણનો વીડિયો જૂનાગઢનો હોવાનું જણાવી વાયરલ કર્યો હતો, તેમજ ભેંસાણના કારીયા ગ્રુપમાં એક શખસે બ્રેકીંગ ન્યુઝ જૂનાગઢ જિલ્લામાં ભેંસાણમાં કોરોનાનો પ્રથમ કેસ પોઝિટિવ આવ્યો હોવાનો મેસેજ મુક્યો હતો તે જીગ્નેશ દેવગીરી મેઘનાથી નામના શખ્સ સામે પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી હતી. જ્યારે ત્રીજા બનાવમાં માંગરોળનાકાના મેરામણ ચાવડા નામના શખસે ગિર સોમનાથ જિલ્લામાં પોઝિટિવ જાહેર કરાયેલા વ્યક્તિ માંગરોળના એક વ્યવસાયિક પાર્ટનર અમદાવાદ એરપોર્ટથી રિસીવ કરી વેરાવળ આવેલા અને તે અનેક લોકોના સંપર્કમાં હોવાનો મેસેજ વાયરલ કર્યો હતો. પોલીસે તેની સામે ગુન્હો નોંધીને ધરપકડ કરી હતી.
Reported on 31 March 2020
ગુજરાતમાં 71 કેસ, 6 ના મોત
અમદાવાદમાં 23
રાજકોટ 10
સૂરત 09
રાજકોટ 09
ગાંધીનગરમાં 9
ભાવનગરમાં 6
ગીર સોમનાથમાં 2
કચ્છ 1
મહેસાણામાં 1
પોરબંદરમાં 1 કેસ પોઝિટિવ નોંધાયા છે.
India Update
Confirmed Cases : 1,251
Total Deaths : 32
Total Recovered : 102
Active Cases : 1,117
India State wise
STATE/UT
CONFIRMED
DEATHS
KERALA
202
1
MAHARASHTRA
198
8
DELHI
87
2
KARNATAKA
83
3
UP
82
0
TELANGANA
71
1
GUJARAT
71
6
TAMIL NADU
67
1
RAJASTHAN
59
0
J&K
48
2
MADHYA PRADESH
47
3
PUNJAB
38
1
HARYANA
36
0
ANDHRA PRADESH
23
0
WEST BENGAL
19
1
BIHAR
15
1
LADAKH
13
0
ANDAMAN 9
0
CHANDIGARH
8
0
UTTARAKHAND
7
0
CHHATTISGARH
7
0
GOA
5
0
ODISHA
3
0
HIMACHAL
3
1
PUDUCHERRY
1
0
તા.30મી માર્ચે સોમવારે સાંજે ગુજરાતમાં સુરત અને રાજકોટમાં વધુ બે કેસ પોઝિટિવ આવતા ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 71એ પહોંચ્યો છે અને 6 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ વધતા જઈ રહ્યાં છે. અને હવે ગુજરાતમાં મળી રહેલા કેસો લોકલ ટ્રાન્સમિશનને કારણે હોવાનું બહાર આવ્યું હોઇ, હવે રાજ્ય સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ લૉકડાઉનને સંપૂર્ણપણે ચુસ્ત રીતે પાલન કરાવવા માટે કટિબદ્ધ બન્યા છે.
સૌરાષ્ટ્ર કોરોના કન્ટ્રોલ રૂમ
લૉકડાઉનમાં કારણ વગર ફરતા લોકોના 6 હજાર વાહનો જપ્ત
પોલીસ લૉકડાઉનનું સંપૂર્ણપણે પાલન થાય તેવા પ્રયત્ન કરી રહી છે તો વગર કારણે બહાર નીકળેલા 6000 કરતાં વધુ વાહનો પણ જપ્ત કર્યા છે. આ ઉપરાંત રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પણ એક-બે ટામેટાં બહાર લેવા નીકળતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.
ગુજરાતમાં કોરોનાથી છઠ્ઠું મોત: ૨૪ કલાકમાં ૧૧ નવા પોઝિટિવ કેસ
રાજ્યમાં હવે કોરોનાનું લોકલ ટ્રાન્સમીશન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે ધીરે ધીરે પોઝીટીવ કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે બપોર સુધીમાં કુલ ૫૮ જેટલા પોઝીટીવ કેસ હતાં જેમાં ૨૪ કલાકમાં ૧૧ વધુ કેસનો વધારો થતાં રાજ્યમાં કુલ પોઝીટીવ કેસનો આંકડો ૬૯ થી ઉપર પહોંચ્યો છે જ્યારે સોમવારે ભાવનગરમાં એક પોઝીટીવ મહિલા દર્દીનું મોત થતાં કોરોનામાં મરનારાં દર્દીઓનો આંકડો છ ઉપર પહોંચ્યો છે.
અમદાવાદમાં સૌથી વધું ૨૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચૂક્યાં છે. આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સોમવારની બપોર સુધીમાં છ નવા પોઝીટીવ કેસો નોંધાયા છે. જે સાથે રાજ્યમા કુલ ૬૯ પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે જેમાં અમદાવાદમાં ૨૩, સુરતમાં ૮, રાજકોટમાં ૯, વડોદરામાં ૯, ગાંધીનગરમાં ૯, ભાવનગરમાં ૬, ગીર સોમનાથમાં ૨ અને કચ્છ, મહેસાણા, પોરબંદર પ્રત્યેકમાં એક-એક કેસ પોઝિટિવ છે. આ તમામ પૈકી ૫૯ દર્દીઓ સ્ટેબલ છે. અને બે દર્દીઓ વેન્ટિલેટર પર છે.
રોગના કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ છ નાગરિકોના નિધન થયા છે જેમાં અમદાવાદમા ત્રણ , ભાવનગરમાં બે, અને સુરતમા એક નાગરિકનુ નિધન થયું છે. ડો. રવિ વધુમાં ઉમેર્યું હતું કે આજે જે પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં અમદાવાદના એક ૩૮ વર્ષના પુરુષનો કેસ છે.
અમેરિકાના વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવે છે એજ રીતે ભાવનગરના ચાર પુરુષ અને એક મહિલાનો કેસ છે જે લોક્લ ટ્રાન્સમિશન ધરાવે છે. રાજ્યમાં બે દર્દીઓને ૧૪ દિવસનો કોરંટાઇન પૂર્ણ થતા તેમના પ્રોટોકોલ મુજબ પુન:ટેસ્ટ કરતાં નેગેટિવ આવ્યા છે તેમને ડિસ્ચાર્જ પણ આપી દેવાયુ છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, હાલ ૧૮,૭૦૧ હોમ કોરંટાઇન, ૭૪૪ સરકારી, ૧૭૨ ખાનગી મળી કુલ ૧૯,૬૧૭ લોકો કોરંટાઇન હેઠળ છે. રાજ્યમા હોમ ટૂ હોમ અને ટેલીફોનિક સર્વેલન્સ હેઠળ અત્યાર સુધીમાં ૫.૯૦ કરોડ નાગરિકોનું સર્વેક્ષણ – ટ્રેકિંગ પૂર્ણ કર્યો છે.
સોમવારે તા.30મી માર્ચે દેશમાં કોરોના વાઇરસના નવા ૯૨ દરદી નોંધાયા
આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૯૨ દરદી નોંધાયા હતા અને ચાર જણ મૃત્યુ પામ્યા હતા.
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત મંત્રી લવ આગરવાલે જણાવ્યું હતું કે દેશમાં હાલમાં સ્થાનિક સ્તરે કોરોના વાઇરસનો રોગચાળો ફેલાઇ રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસના કુલ દરદીની સંખ્યા વધીને ૧,૨૪૨ થઇ છે અને મરણાંક ૩૫ થયો છે.
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત મંત્રીએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસનો રોગચાળો અટકાવવા માટે શારીરિક સંપર્ક ટાળવો બહુ જરૂરી છે. એક વ્યક્તિની બેદરકારીથી કોરોના વાઇરસ સમાજના અનેક લોકોમાં ફેલાઇ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસને લગતી અફવા ફેલાતી રોકવાને બદલે તેના સંબંધમાં સામાન્ય જનતાને જાગૃત કરવાની જરૂર છે.
દરમિયાન, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચના આર. ગંગાખેડકરે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસ માટે ૩૮,૪૪૨ જણ પર પરીક્ષણ (ટૅસ્ટિંગ) કરાયું હતું અને તેમાંના ૩,૫૦૧ જણની તપાસ તો માત્ર રવિવારે જ કરાઇ હતી.
તેમણે જણાવ્યું હતું કે દેશની વિવિધ ખાનગી લૅબમાં છેલ્લાં ત્રણ દિવસમાં ૧,૩૩૪ જણનું કોરોના વાઇરસ માટે પરીક્ષણ કરાયું હતું. આમ છતાં, આપણી પાસે હજી પણ પરીક્ષણની જરૂરી ક્ષમતા ૩૦ ટકાથી ઓછી છે.
Reported on 30 March 2020
કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી 21 દિવસના લૉકડાઉનને લંબાવવાની કોઇ યોજના નથી
ગુજરાતના ભાવનગર ખાતેથી કોરોનાના એક સાથે 5-5 કેસ પોઝીટીવ મળી આવતા ગુજરાતના આરોગ્ય તંત્રમાં હલચલ મચી ગઇ છે. ભાવનગર કલેક્ટરે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે એક સાથે પાંચ દર્દીઓના સેમ્પલ્સનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. એથી વિશેષ આજરોજ તા.30મી માર્ચ 2020ના રોજ ભાવનગર ખાતે કોરોના પોઝીટીવ એવી 45 વર્ષિય મહિલાનું મોત નિપજ્યું હતું. આ મહિલાને તેના સંબંધી દ્વારા કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જણાય આવે છે.
સૌથી વધુ પોઝિટિવ કેસનો આંકડો પણ અમદાવાદનો જ છે. અહીં 23 દર્દીઓ પોઝિટિવ છે જ્યારે ગાંધીનગર, રાજકોટ અને વડોદરામાં 9-9 કેસ છે, તો સુરતમાં 8, ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 2, મહેસાણામાં 1, પોરબંદરમાં 1, કચ્છમાં 1 પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં પાછલા 12 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યમાં 6 નવા કેસ નોંધાયા છે.
ગુજરાત કોરોના અપડેટ 30મી માર્ચ 2020 બપોરે 12 કલાકે
અમદાવાદ 23
ગાંધીનગર 9
રાજકોટ 9
વડોદરા 9
સૂરત 8
ભાવનગર 6
ગીર-સોમનાથ 2
મહેસાણા 1
પોરબંદર 1
કચ્છ 1
સૂરતની વાત કરીએ તો સૂરતમાં કુલ 7 પોઝીટીવ કેસ છે. એક વ્યક્તિનું મોત નિપજી ચૂક્યું છે. કુલ 10 સેમ્પલ્સ પેન્ડિંગ હોવાનું જાણવા મળે છે.
Confirmed Cases – 1,024, Deaths – 27 Total Recovered-96 Active Cases -901
India State wise Cases on 30/03 at 10am
STATE/UT
CONFIRMED
DEATHS
MAHARASHTRA
186
6
KERALA
182
1
KARNATAKA
76
3
TELANGANA
66
1
UP
66
0
GUJARAT
59
5
RAJASTHAN
54
0
TAMIL NADU
42
1
DELHI
39
2
PUNJAB
38
1
HARYANA
33
0
J&K
31
2
MADHYA PRADESH
30
2
ANDHRA PRADESH
19
0
WEST BENGAL
18
1
LADAKH
13
0
BIHAR
9
1
ANDAMAN
9
0
CHANDIGARH
8
0
UTTARAKHAND
6
0
CHHATTISGARH
6
0
GOA
6
0
ODISHA
3
0
HIMACHAL
3
1
PUDUCHERRY
1
0
કેન્દ્ર સરકારની સ્પષ્ટતા
સમગ્ર દેશમાં પરપ્રાંતીય કામદારોની મોટા પાયે હિજરત શરૂ થતાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે લૉકડાઉન પિરીયડ જે 21 દિવસ છે તેને લંબાવવાની હાલમાં કોઇ યોજના નથી.
વિદેશી વાયરસ કોરોનાના મોટાભાગના દર્દીઓ સામાન્ય રીતે વિદેશ પ્રવાસથી પરત આવેલા લોકોમાં જ પ્રથમ તબક્કે જોવા મળે છે પરંતુ આવાં લોકોના દેશમાં આવ્યાં બાદ પ્રથમ તેમના સંપર્કમાં આવેલાને ચેપ લગાડે છે ત્યારબાદ ત્રીજી વ્યકિત સુધી આવો ચેપ પ્રસરી જતો હોય છે. ગુજરાતમાં પણ હવે ધીરે ધીરે વિદેશ પ્રવાસથી પરત આવેલા લોકો બાદ સ્થાનિક લોકોને પણ ઝડપમાં લેવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી નોંધાયેલા કુલ ૫૮ જેટલા પોઝીટીવ કેસમાંથી ૨૬ લોકો સ્થાનિક છે જેઓ ક્યારે વિદેશ ગયાં જ નથી પરંતુ વિદેશ પ્રવાસીઓની સંપર્કમાં આવ્યાં બાદ કોરોનાનો શિકાર બની રહ્યાં છે.
ગુજરાતમાં સરકાર અને પોલીસ દ્વારા લોકડાઉનની સ્થિતિ વધુ કડક બનાવામાં આવી રહી છે. તેની પાછળનું એક કારણએ પણ છે કે, ગુજરાતમાં નોંધાયેલા કોરોના પોઝિટિવના કુલ ૫૮ કેસમાં વિદેશથી આવેલા પ્રવાસીઓ જેટલા જ કેસો લોકલ ટ્રાન્સમિશનના બહાર આવી રહ્યા છે. ગુજરાતના કુલ ૫૮ કેસમાં વિદેશના ૨૮ કેસની સાથે લોકલ ટ્રાન્સમિશનના ૨૬ અને આંતરરાજ્યના ચાર કેસ છે. ગુજરાતમાં કોરોનાના કારણે થયેલા પાંચ મોતમાં પણ બે લોકલ ટ્રાન્સમિશન અને બે આંતરરાજ્યના કેસ છે. અમદાવાદમાં કુલ કોરોનાના ૨૧ પોઝિટિવ કેસમાં સાત કેસ લોકલ ટ્રાન્સમિશનના છે જયારે બે આંતર રાજ્ય અને ૧૨ વિદેશના છે. આ ઉપરાંત ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તો લોકલ ટ્રાન્સમિશનના કેસ સૌથી વધુ છે. ગાંધીનગરમાં કુલ ૯ કેસમાં ૭ લોકલ ટ્રાન્સમિશનના છે. જ્યારે રાજકોટમાં પણ કુલ ૮ કેસમાં ૬ લોકલ ટ્રાન્સમિશનના છે. સુરતમાં કુલ ૭ કેસમાં ૨ લોકલ અને ૪ વિદેશી છે. વડોદરામાં પણ કુલ ૯ કેસમાં ૩ લોકલ ટ્રાન્સમિશન વાળા છે.
ગુજરાતમાં કોરોનાથી વધુ બે દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો
ગુજરાતમાં ૧૨ કલાકમાં કોરોના વાયરસથી વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યાં છે. કેસના રીપોર્ટ રાત સુધીમાં આવતા કેસનો આંકડો 61 કેસ થયો છે. બીજી તરફ અમદાવાદમાં વધુ બે દર્દીઓના મોત થતાં રાજ્યમાં કોરોના વાયરસથી મરનારાંઓનો આંકડો પાંચ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં ત્રણ અને ભાવનગર સુરતમાં એક-એક દર્દીઓના મોત થયાં છે. અમદાવાદમાં શનિવારે રાત્રે એક પોઝિટિવ દર્દીનું મોત થયાં બાદ આજે રવિવારે વધુ એકનું મોત થયું હતું જ્યારે નવાં ત્રણ પોઝિટિવ દર્દી સાથે અત્યાર સુધીમાં કુલ ૨૧ જેટલા દર્દીઓ નોંધાયાં છે. રવિવારે મોત પામનારાં દર્દીને ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં ૬૭ વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયા છે જેને લોકલ ટ્રાન્સમિશન થી ચેપ લાગ્યો હતો.
આ ઉપરાંત ૩૪ વર્ષના અમદાવાદના એક પુરુષને પણ કોરોના પોઝિટિવ જણાયો છે. આ યુવાનમાં મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ છે. આમ રવિવારની સાંજ સુધીમાં નવા ત્રણ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ સવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ ૫૮ કેસમાં અમદાવાદમાં ૨૧, સુરતમાં ૦૭, રાજકોટમાં ૦૮, વડોદરામાં ૦૯, ગાંધીનગરમાં ૦૯, ભાવનગર, કચ્છ, મહેસાણા અને ગીર સોમનાથ સહિત પ્રત્યેક જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે.
ડો. જયંતિ રવિએ ઉમેર્યું કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ અને જિલ્લા કક્ષાએ ૫૫૦૦ જેટલા બેડની અલાયદી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ ખાતે ૧૨૦૦, સુરત ખાતે ૫૦૦, વડોદરા ખાતે ૨૫૦, રાજકોટ ખાતે ૨૫૦ બેડની સુવિધાવાળી ખાસ કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે. એજ રીતે રાજ્યના તમામ જિલ્લામાં ૫૦ સરકારી અને ૫૦ ખાનગી મળી અંદાજે ૧૦૦ બેડની સુવિધાવાળી ૩૩૦૦ બેડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
પોઝીટીવ કેસોના દર્દીઓ કે જે વધુ ક્રિટીકલ હોય તો તેમને વેન્ટીલેટરની જરૂરિયાત પડે તેવા કિસ્સાઓમાં સારવાર પૂરી પાડવા રાજ્યમાં કુલ ૨૭૬૧ વેન્ટીલેટર્સ ઉપલબ્ધ છે જેમાં ૧૦૬૧ સરકારી સંસ્થામાં અને ૧૭૬૧ ખાનગી સંસ્થાઓમાં ઉપલબ્ધ છે. નવા વેન્ટીલેટર્સ ખરીદવાની પક્રિયા પણ હાથ ધરવામાં આવી છે, એવું તેમણે જણાવ્યું હતું.
નવા જીવલેણ કોરોના વાઇરસ ને કારણે રવિવાર સુધીમાં વિશ્વભરમાં કુલ ૩૧૪૧૨ જણ માં મોત નીપજ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
ચીનમાં સૌપ્રથવાર ડિસેમ્બર મહિનામાં કોરોના કેસ નોંધાયા બાદ વિશ્વના ૧૮૩ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના ૬,૬૭,૦૯૦ કેસ નોંધાય હોવાનું તેમણે કહ્યું હતું. અત્યાર સુધીમાં તેમાંથી ૧,૩૪,૭૦૦ જણ સજા થઈ ગયા હોવાનું તેમણે કહ્યું હતું.
ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસ ના ૮૧,૩૯૪ કેસ નોંધાયા છે જેમાંથી ૭૪,૯૭૧ લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાષ્ટ્રીય વહીવટકર્તાઓ અને વિશ્વ આરોગ્ય સંસ્થા પાસેથી સમાચાર સંસ્થા દ્વારા એકઠા કરવામાં આવેલા આંકડાઓ ખરેખર કોરોના ના ચેપનો ભોગ બનેલા લોકોના વાસ્તવિક આંકડાનું આંશિક પ્રતિબિંબ પાડે તેવી શકયતા હોવાનું તેમણે કહ્યું હતું. અનેક દેશોમાં જ દરદી ઓને ખરેખર હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે તેમનું માત્ર પરીક્ષણ કરીને ઘરે મોકલી આપવામાં આવે છે, એમ તેમણે કહ્યું હતું.
કોરોના વાઇરસ ને કારણે દેશમાં ફેબ્રઆરી મહિનામાં પ્રથમ મૃત્યુની જાહેરાત કરનાર ઇટલીમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસ ને કારણે ૧૦૦૨૩ લોકોનાં મોત નીપજ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
ઇટલીમાં અત્યાર સુધીમાં ૯૨,૪૭૨ જણને કોરોના નો ચેપ લાગ્યો છે તો ૧૨,૩૮૪ લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
ઈટલી જેમ જ સ્પેનમાં પણ કોરોના કારણે ચીન કરતા વધુ લોકોનાં મોત થયા છે. સ્પેનમાં કોરોના ને કારણે અત્યાર સુધીમાં ૬,૫૨૮ જણ નાં મોત થયા છે તો ૭૮,૭૪૭ લોકો કોરોનાથી પ્રભાવિત છે, એમ તેમણે કહ્યું હતું.
હોંગકોંગ અને મકાઉ ને બાદ કરતા ચીને અત્યાર સુધીમાં કોરોના વાઇરસ ને કારણે દેશમાં ૩,૨૯૫ લોકોનાં મોત થયાં હોવાનું સત્તાવાર જાહેરાત કરી છે.
કોરોના વાઇરસ થી સૌથી ખરાબ રીતે પ્રભાવિત ઈરાનમાં કોરોના ને કારણે મૃત્યુ પામેલા લોકો નો આંક ૨૬૪૦ પર પહોંચ્યો છે.
અમેરિકામાં કોરોના ના ચેપનો ભોગ બનેલા સૌથી વધુ ૧,૨૪,૬૮૬ કેસ નોંધાયા છે જેમાંથી ૨૧૯૧ લોકોનાં મોત થયાં છે તો ૨૬૧૨ સજા થઈ ગયા છે.
સ્પેનમાં રોગચાળાથી ૨૪ કલાકમાં ૮૩૮નાં મોત
સ્પેનમાં કોરોના વાઇરસના રોગચાળાને લીધે છેલ્લાં ૨૪ કલાકમાં ૮૩૮ જણ મૃત્યુ પામ્યા હતા અને તેથી સ્પેનમાંનો મરણાંક વધીને ૬,૫૨૮ થયો હતો. દરમિયાન, ઇરાનમાં આ રોગચાળાને લીધે વધુ ૧૨૩ જણનાં મૃત્યુ થતાં ત્યાં મરણાંક વધીને ૨,૬૪૦ થયો હતો.
સ્પેનમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યામાં એક જ દિવસમાં ૯.૧ ટકાનો વધારો થતાં ત્યાં આવા કુલ દરદીઓની સંખ્યા વધીને ૭૮,૭૯૭ થઇ હતી. સ્પેનમાં આવા દરદીઓની સંખ્યા દરરોજ ઝડપથી વધી રહી છે.
સ્પેનની સરકારે પોતાને ત્યાંના આવા ૧૪,૭૦૯ દરદી સાજા થયા હોવાનો રવિવારે દાવો કર્યો હતો. અહીંના વહીવટી તંત્રે ઇટલી સહિતના અન્ય દેશોની જેમ રોગચાળાને નાથવા જનતા પર અનેક નિયંત્રણ લાદ્યા છે અને અત્યાવશ્યક ન હોય એવી બધી સાર્વજનિક પ્રવૃત્તિ બંધ રાખવાનો આદેશ અપાયો હતો.
સ્પેનમાં અત્યાવશ્યક ન હોય એવી આર્થિક પ્રવૃત્તિ કરનારા નોકરિયાતો અને અન્ય શ્રમિકોને બે અઠવાડિયાં ઘેર રહેવાનો હુકમ કરાયો હતો.
વડા પ્રધાન પેન્ડ્રો સેન્ચેઝે જણાવ્યું હતું કે આરોગ્ય, અન્ન પુરવઠા અને ઊર્જા ક્ષેત્રને અત્યાવશ્યક સેવા ગણીને હાલમાં ચાલુ રખાશે.
ઇરાનમાં છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૨,૯૦૧ દરદી મળતા આવા કુલ દરદીઓની સંખ્યા વધીને ૩૮,૩૦૯ થઇ હતી અને ૩,૪૬૭ દરદીની હાલત ગંભીર હોવાનો દાવો કરાયો હતો.
ચીનમાંથી વિશ્ર્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના રોગચાળાને લીધે ભારત સહિતના અનેક દેશમાં લોકડાઉન છે અને તેની વ્યાપાર, ધંધા તેમ જ ઉદ્યોગ પર માઠી અસર થઇ છે. આમ છતાં, જેમ સિક્કાની બે બાજુ હોય છે, એમ લોકડાઉનની પોઝિટિવ અસર પણ થઇ છે. તેને લીધે વાતાવરણનું પ્રદૂષણ ઘટ્યું છે અને પૃથ્વી પરની સજીવસૃષ્ટિને સૂર્યના હાનિકારક પારજાબંલી (અલ્ટ્રા વાયોલેટ) કિરણથી બચાવતા ઓઝોનના આવરણમાં સુધારો થયો છે.
ઓસ્ટ્રેલિયાની મેલબર્ન યુનિવર્સિટીના ઓર્ગેનિક કેમિસ્ટ ઇયાન રેએ પણ લોકડાઉનને લીધે હવાનું પ્રદૂષણ ઘટ્યું હોવાનું તેમ જ દક્ષિણ ધ્રુવ અને ઓસ્ટ્રેલિયા પરના ઓઝોનના આવરણમાંનું ગાબડું નાનું થઇ રહ્યું હોવાનું કબૂલ કર્યું હતું. ઓઝોનનું આવરણ (થર) પૃથ્વીથી અંદાજે ૨૦થી ૩૦ કિલોમીટર (આશરે ૧૨થી ૧૯ માઇલ)ની ઊંચાઇએ આવેલું છે અને તે સૂર્યના પારજાંબલી કિરણ સામે પૃથ્વીની ઢાલનું કામ કરે છે.
ઓઝોનનું આવરણ સૂર્યના પારજાંબલી કિરણને શોષી લઇને તેને પૃથ્વી સુધી પહોંચતા અટકાવતું હોવાથી તેને સજીવસૃષ્ટિ માટેનું કુદરતી સનસ્ક્રીન પણ કહી શકાય. પૃથ્વીને ફરતું ઓઝોનનું આવરણ ન હોય તો અલ્ટ્રા વાયોલેટ કિરણ પૃથ્વી પર પહોંચીને મનુષ્ય સહિતના પ્રાણીઓ અને વનસ્પતિના ડીએનએ (ડિઓક્સિ રિબોન્યુક્લિક એસિડ)ને પણ નુકસાન પહોંચાડી શકે છે અને થોડા સમયમાં અનેક વનસ્પતિ નાશ પામી શકે છે તેમ જ પ્રાણીઓનું મૃત્યુ શકે છે.
ઓઝોન (ઓ-થ્રી) ઓક્સિજન (પ્રાણવાયુ)ના ત્રણ અણુનો બનેલો હોય છે અને તેથી તેને સ્પેશલ (ખાસ) ઓક્સિજન પણ કહી શકાય. પૃથ્વી પરના ઓઝોનના આવરણની ઘટ્ટતામાં મોસમ, ભૌગોલિક વિસ્તાર અને પ્રદૂષણને લીધે વધ-ઘટ થતી રહે છે. પૃથ્વી, ખાસ કરીને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પરના ઓઝોનના આવરણમાં વસંત દરમિયાન ગાબડું (કાણું) વધેલું જોવા મળે છે અને તેને લીધે ઘણી વખત ઉનાળો લાંબો બને છે અને તેની માઠી અસર દુનિયાભરના પર્યાવરણ પર જોવા મળે છે. ઘણી જગ્યાએ દુષ્કાળ પડે છે તો કેટલાક સ્થળે ભારે વરસાદ થાય છે અને પૂર આવે છે.
કોલોરાડો બોલ્ડર યુનિવર્સિટીના સંશોધનકારોએ જણાવ્યું હતું કે પૃથ્વી પરના ઓઝોનના આવરણને નુકસાન પહોંચાડતા ગેસના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા અથવા તેનો ઉપયોગ ઘટાડવા ૧૯૮૦ના દાયકામાં નક્કી કરાયું હતું. ૧૯૮૭ની મોન્ટ્રિયલ ઘોષણા – કરારમાં વાતાવરણ, ખાસ કરીને ઓઝોનના આવરણને નુકસાન પહોંચાડતા ક્લોરોફ્લોરો કાર્બન્સ, હેલોજનેટેડ હાઇડ્રોકાર્બન્સ, મિથાઇલ બ્ર્ાોમાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનું અથવા તેનો ઉપયોગ ઘટાડવાનું નક્કી કરાયું હતું, પરંતુ તેનો અમલ ૧૯૮૯થી શરૂ કરાયો હતો.
ઓઝોન સામાન્ય રીતે શ્ર્વાસમાં લેવાય તો ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ ઓઝોન જનરેટર્સ હવાને શુદ્ધ કરતા એર ક્લિનર તરીકે પણ વપરાય છે.
(૧) ઓઝોનને નુકસાન પહોંચાડતા ક્લોરોફ્લોરો કાર્બન્સ, હેલોજનેટેડ હાઇડ્રોકાર્બન્સ, મિથાઇલ બ્ર્ાોમાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ સહિતના ગેસ કે રસાયણનો ઉપયોગ ઘટાડવો અથવા ન કરવો.
(૨) વાહનોનો ઉપયોગ ઘટાડીને હવાનું પ્રદૂષણ ઓછું કરો. કારપુલ (સાથે મળીને કારમાં કામધંધે જવું)નો વધુ ઉપયોગ કરો.
(૩) વિનેગર કે બાયોકાર્બોનેટ જેવા નોન-ટોક્સિક (બિનઝેરી) રસાયણનો વધુ ઉપયોગ કરો.
(૪) સ્થાનિક ઉત્પાદનો વધુ વાપરવાથી નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ ઘટાડી શકાય છે.
(૫) જૂના એર કન્ડિશનર (એસી), રેફ્રિજરેટર બરાબર કામ કરતા ન હોય એટલે કે તેમાંથી ગેસનું ગળતર થતું હોય અથવા એરોઝોલ પ્રોડક્ટ્સનો વધુ ઉપયોગ થતો હોય તો વાતાવરણમાં નુકસાનકારક ક્લોરોફ્લોરો કાર્બન્સ ફેલાઇ શકે છે અને તેથી એસી તેમ જ રેફ્રિજરેટરની યોગ્ય જાળવણી કરવી.
નીચે પોસ્ટ કરવામાં આવેલી તસ્વીર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં તલોદના પૂંસરી ગામ ખાતે દરજી પરિવારમાં યોજાયેલા બેસણાંની છે. દરજી પરિવારના મોભીનું નિધન થતાં પરિવારજનોએ બેસણાની વિધી માટે ડિજિટલ બેસણું રાખ્યું હતું. ખુદ મૃતકના મુંબઇ રહેતા પુત્રએ પણ પિતાને ડિજીટલ શ્રદ્ધાંજલિ આપી હતી. પુત્ર પાસે કોઇ છુટકો ન હતો કે એ લૉકડાઉન વચ્ચે ગામમાં પહોંચી શકે. બનાસકાંઠાના ભીલોડાના પૂંસરી ગામના દરજી પરિવારના આ પગલાંને વિશ્વભરમાં બિરદાવવામાં આવી રહ્યું છે.
ગુજરાતની પહેલું ડિજિટલ વિલેજ ગણાય છે બનાસકાંઠાના તલોદનું પૂંસરી ગામ
કોરોનાની મહામારીની ગંભીરતા સમજી લોકો મૃતક સ્વજન પાછળ બેસણું અને લોકાચાર અને મરણોત્તર વિધિ મુલત્વી રાખી રહ્યા છે. તલોદ તાલુકાના પુંસરી ગામે જયંતીભાઈ દરજીનું આકસ્મિક નિધન થતા પરિવારજનોએ ડિજિટલ બેસણું રાખ્યું હતું.
દેશમાં સૌ પ્રથમ સ્માર્ટ વિલેજ પુંસરીમાં કોરોનાની મહામારી વચ્ચે બુધવારે જયંતીભાઈ દરજીનું આકસ્મિક નિધન થતા મૃતકના પરિવારજનો અને કૌટુંબિક અગ્રણીઓ સાથે ચર્ચા કરી બેસણું રાખવામાં આવે તો દુ:ખમાં ભાગીદાર થવા અને શોકાંજલિ પાઠવવા મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટે તો કોરોના વાઈરસ સંક્રમણની શક્યતાઓના પગલે ડિજિટલ બેસણું યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પુંસરી ગામે જયંતીભાઈ દરજીનું ડિજિટલ બેસણું પુંસરી ગ્રામ પંચાયતના આઈ.ડી અને મૃતકના ભત્રીજા આશિષ દરજીના એફ.બી.આઈ.ડીનો ઉપયોગ કરી ફેસબુક લાઈવ અને વિડીયો કોન્ફરન્સથી યોજ્યું હતું, જેમાં મૃતકના મુંબઈ રહેતા પુત્ર અને રાજ્ય અને દેશમાં વસવાટ કરતા સગા-સંબંધીઓએ શોકાંજલિ પાઠવી હતી. ટેક્નોલોજીનો ઉપયોગ કરી દરજી પરિવારે દુ:ખદ પરિસ્થિતિમાં લોક ડાઉનની સ્થિતિમાં કોરોના વાઈરસને પ્રસરતો અટકાવવા સરાહનીય કામ કરવાની સાથે લોકોને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સૂરતની યુવતિનો એક ટેસ્ટ નેગેટીવ આવી ચૂક્યો હવે 24 કલાકમાં બીજા નેગેટીવ ટેસ્ટની રાહ
ગુજરાતમાં કોરોના 58 કેસો બાદ એક રાહતના સમાચાર એ મળ્યા છે કે અમદાવાદની એક મહિલા પેશન્ટ કોરોનાથી સંપૂર્ણ મુક્ત થઇને અમદાવાદની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. અમદાવાદમાં સામે આવેલા કોરોના વાયરસની પહેલી દર્દીને SVP હોસ્પિટલમાં 10 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ફિનલેન્ડથી આવેલી યુવતીને 18મી માર્ચે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.
સૂરત માટે પણ રાહતના સમાચાર એ છે કે લંડનથી આવેલી સૂરતની યુવતિ કે જેનો ગુજરાતમાં પહેલો કોરોના પોઝીટીવ કેસ હતો એનો પણ પહેલો નેગેટીવ ટેસ્ટ આવી ચૂક્યો છે. હવે સૂરતની આ યુવતિનો 24 કલાકમાં દ્વિતીય ટેસ્ટ નેગેટિવ આવશે એટલે તેને પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો નિયમ છે કે કોઇપણ કોરોના પોઝીટીવ દર્દીના ચોવીસ કલાકમાં બે ટેસ્ટ નેગેટીવ આવે તો તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાનો રહેશે.
અમદાવાદની હોસ્પિટલે ફેસબુક વોલ પર આપી માહિતી, ક્લીક કરો લિંક
આજે સવારે ગુજરાત સરકારની સત્તાવાર માહિતી મુજબ કોરોનાના વધુ ત્રણ કેસો પોઝીટીવ મળી આવ્યા છે. આ ત્રણેય કેસો અમદાવાદ વિસ્તારના હોવાનું જણાવાયું છે. અમદાવાદમાં વધુ એક પેશન્ટ કે જે કોરોના પોઝીટીવ અને ડાયાબિટીસથી પીડાતા હતા એનું મોત નિપજ્યું છે. ગુજરાતમાં હવે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 58 થઇ છે. ગુજરાતમાં કોરોનાથી કુલ 5 દર્દીઓના મોત નિપજી ચૂક્યા છે.
સૂરત માટે રાહતના સમાચાર
સૂરતમાં પહેલો કેસ રિકવર સ્ટેજમાં, કોરોના મુક્તિ માટે 24 કલાકમાં બે રિપોર્ટ નેગેટિવ આવવા જોઇએ. સૂરતના પહેલા કેસના દર્દીનો પહેલો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે. હવે આગામી 24 કલાકમાં દ્વિતિય રિપોર્ટ નેગેટીવ આવશે એટલે એમને રજા આપીને હોમ ક્વોરન્ટાઇનમાં રહેવા સૂચના અપાશે
સૂરતના શંકાસ્પદ દર્દીઓના વધુ 6 પેન્ડીંગ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
સૂરતમાં છેલ્લા 24 કલાકમાં કોઇ નવો પોઝીટીવ કેસ નોંધાયો નથી.
હવે તા.29મી માર્ચે 11 વાગ્યાની સ્થિતિ અનુસાર કુલ 9 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ છે.
લોકલ ટ્રાન્સમિશન સામે મિશન ગુજરાતમાં નોવેલ કોરોનાના કુલ 58 પોઝિટિવ દર્દીઓમાંથી 38 જેટલા દર્દીઓ વિદેશ પ્રવાસ કરીને ગુજરાત પરત આવેલા છે, જ્યારે 16 જેટલા દર્દીઓ એવા છે કે જેઓ વિદેશ પ્રવાસે ગયાં નહોતા, પરંતુ તેમને વિદેશ પ્રવાસ કરીને આવેલા લોકોનો ચેપ લાગ્યો છે. હોમ કવોરન્ટાઇન કરાયેલા લોકોના સંપર્કથી હવે રાજ્યમાં કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન શરૂ થતા લોકડાઉનનો કડક અમલ શરૂ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ 18 કેસ સાથે અમદાવાદ કોરોનાના પોઝિટિવ કેસમાં અવ્વલ રહ્યું છે ત્યારે શહેરમાં આરએએફની ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે.
અમદાવાદમાં 21
સુરતમાં ૦૭
રાજકોટમાં ૦૮
વડોદરામાં ૦૯
ગાંધીનગરમાં ૦૮
ભાવનગરમાં ૦૧
મહેસાણામાં ૦૧ કેસ
ગીર 1 કેસ
ગુજરાતમાં શુક્રવારથી શનિવાર બપોર સુધીના છેલ્લા ૧૨ કલાકમાં નોવેલ કોરોના વાઈરસનો એક પણ નવો કેસ નોંધાયો નહોતો. શુક્રવારે રાત્રે રાજકોટમાં ત્રણ અને શનિવારે નવા છ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ચાર કેસ લોકલ ટ્રાન્સમિશનથી થયા છે. આમ રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ૫૩ પર પહોંચ્યો છે. જોકે મહેસાણા જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. છ નવાં કેસમાં અમદાવાદમાં ત્રણ અને મહેસાણા, ગાંધીનગર, વડોદરામાં એક-એક કેસનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં નોવેલ કોરોનાથી સુરત, અમદાવાદ અને ભાવનગરમાં એક- એક મળીને કુલ ત્રણના મોત થઇ ચૂક્યાં છે.
India Tally as on 29 March @ 11am
STATE/UT
CONFIRMED
DEATHS
MAHARASHTRA
186
6
KERALA
182
1
KARNATAKA
76
3
TELANGANA
66
1
UP
55
0
RAJASTHAN
54
0
GUJARAT
53
4
TAMIL NADU
42
1
DELHI
39
2
PUNJAB
38
1
HARYANA
33
0
J&K
31
1
MADHYA PRADESH
30
2
WEST BENGAL
17
1
ANDHRA PRADESH
14
0
LADAKH
13
0
BIHAR
9
1
ANDAMAN
9
0
CHANDIGARH
8
0
UTTARAKHAND
6
0
CHHATTISGARH
6
0
ODISHA
3
0
HIMACHAL
3
1
GOA
3
0
PUDUCHERRY
1
0
ભારત કોરોનાનાં સકંજામાં: શનિવારના એક જ દિવસમાં ૨૩૦ કેસ
દેશમાં કોરોના વાયરસના 979 કેસ નોંધાયા છે, જ્યારે 25થી વધુના મોત થઈ ગયા છે. દેશમાં કુલ 87 લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે. હાલ દેશમાં કુલ 867 એક્ટિવ કેસ છે.
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે શનિવારે આપેલી જાણકારી મુજબ દેશમાં એક જ દિવસમાં (છેલ્લા ૨૪ કલાકમાં) કોરોના વાઇરસના પૉઝિટિવ રિપોર્ટવાળા નવા ૨૩૦ કરતાં પણ વધુ કેસ નોંધાયા હતા. એ સાથે, કોવિડ-૧૯ની મહામારીના ભારતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસની સંખ્યા ૯૫૩ થઈ ગઈ છે. આ મહારોગને લીધે ભારતમાં વધુ બે જણના મૃત્યુ થતાં મૃતકોનો આંકડો શનિવારે ૧૯ ઉપર પહોંચ્યો હતો. જોકે, ૯૫૩માંથી ૮૦ જેટલા લોકોને કોરોનામાંથી મુક્તિ મળી છે.
ચીન, અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાએ જે હાહાકાર મચાવ્યો છે અને વાઇરસના ચેપવાળા તેમ જ મૃત્યુના જે આંકડા બહાર આવ્યા છે એ જોતાં ૧૩૦ કરોડ કરતાં વધુ લોકોની વસતિ ધરાવતા ભારતમાં ૯૦૦+ કેસનો આંકડો મોટો ન કહેવાય, પરંતુ સમગ્ર દેશ માટે અત્યારે સ્થિતિ ગંભીર તો કહી જ શકાય અને લોકોએ વર્તમાન લૉકડાઉનના સમયગાળાના આવનારા દિવસોમાં વધુ સતર્ક રહેવું પડશે.
પહેલા ૧૫૦ કેસ ૪૯ દિવસમાં, 29મી માર્ચના એક દિવસે ૨૩૦થી વધુ કેસ
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઇરસનાં પહેલા ૧૫૦ કેસ વર્ષ ૨૦૨૦ની ૩૦ જાન્યુઆરીથી ૧૮મી માર્ચ સુધીમાં (૪૯ દિવસમાં) નોંધાયા હતા અને ચોંકાવનારી બાબત એ છે કે એ પછીના ૧૦ દિવસમાં (એટલે કે ૧૮ માર્ચથી ૨૮ માર્ચ સુધીના છેલ્લા ૧૦ દિવસમાં) બીજા ૭૬૮ કેસ દેશમાં નોંધવામાં આવ્યા છે. વધુ આંચકાજનક વાત એ છે કે કોરોનાનાં પહેલા ૧૫૦ પૉઝિટિવ કેસ ૪૯ દિવસમાં નોંધાયા, પણ ગઈ કાલના (શનિવારના) એક જ દિવસમાં ૨૩૦ કરતાં વધુ પૉઝિટિવ કેસ બન્યા હતા. શનિવારે સાંજ સુધીમાં દેશમાં કોરોનાના કુલ ૯૫૩ કેસ બનતાં પરિસ્થિતિ દિન-પ્રતિદિન વિપરીત વળાંક લઈ રહી હોવાનું જણાયું છે. ભારતમાં આ મહામારીથી ગઈ કાલ સાંજ સુધીમાં ૧૯ મૃત્યુ થયા હતા.
ગુજરાતમાંથી દોઢ લાખ રાજસ્થાનીઓ વતન ગયાં
કોરોનાના કહેરને પગલે રાજસ્થાન સરકારે આંતરરાજ્ય સરહદો સીલ કરતા ગુજરાતમાંથી અંદાજે દોઢ લાખથી વધુ લોકો રાજસ્થાનમાં પ્રવેશતા સરહદ પર અટવાતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટે ઉદયપુર ખાતે દોડી આવી સ્થાનિક પ્રશાસન તંત્ર અને આરોગ્ય વિભાગને સૂચના આપી ગુજરાતમાંથી પ્રવેશતા તમામ લોકોનું રજીસ્ટ્રેશન કરી સેનેટાઇઝેશન કરી પ્રવેશ આપવાની પ્રક્રિયા હાથધરી હતી.
રાજસ્થાન સરકારે આંતરરાજ્ય સરહદો પરથી સીલ હટાવી દઈ ગુજરાતમાંથી પરત ફરતા લોકોને પ્રવેશ આપવા માટે કામગીરી હાથ ધરી લોકોનું રજીસ્ટ્રેશન અને સેનેટાઇઝેશન કરીને જે ગામના હોય તે ગામનું નામ સરનામું લખીને રાજસ્થાનની બસો મારફતે તેમના વતન મોકલવા કામગીરી હાથ ધરી હતી. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર અને પોલીસતંત્ર દ્વારા ખડે પગે સરહદ પર ઉભા રહીને તપાસ હાથ ધરી બીમાર અને તાવ શરદી ઉધરસ, ખાંસીના લક્ષણો ધરાવતા લોકોને ડુંગરપુર સારવાર અર્થે અને આઈસોલેશન માટે ખસેડવાની કામગીરી રાઉન્ડ ધી ક્લોક ચાલી રહી છે.
કોરોના અપડેટ 28/3 @ 12 Noon :
એક્ટીવ કેસ ભારત-775 ગુજરાત-53 સૂરત-06
ગુજરાતમાં 6 નવા કેસમાં સૂરતનો એક પણ નહીં, 5 એપ્રિલ સુધી કેસ વધવાની શક્યતા
ગુરુથી શુક્રવારના સમયગાળામાં એકપણ પોઝીટીવ દર્દી જ્યાં મળ્યો ન હતો એ ગુજરાતમાં શુક્રવારે બપોર બાદ મોકલાયેલા સેમ્પલ્સમાં કોરોના વાયરસના પોઝિટિવ હોય એવા વધુ 6 દર્દીઓનો ઉમેરો થતાં આંકડો વધીને 53 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં 6 નવા કેસમાં સૂરતનો એક પણ નહીં
ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના મળેલા વધુ નવા છ કેસમાં સૂરત શહેર કે દક્ષિણ ગુજરાતમાં એક પણ કેસ નહીં હોવાનું જાણવા મળ્યું છે જે નવા કેસો છે એ ગાંધીનગર, અમદાવાદ અને વડોદરાથી મળ્યા હોવાનું જણાવાયું છે.
6 નવા કેસ પોઝીટીવ
વડોદરા 1, UKથી આવેલ પુરૂષ 66 વર્ષ
ગાંધીનગર 1 લોકલ, પુરૂષ 81 વર્ષ
મહેસાણા 1 લોકલ પુરુષ 52 વર્ષ
અમદાવાદ 1 ઈંદોરથી આવેલ 70 વર્ષ
અમદાવાદ 1 લોકલ પુરુષ 33 વર્ષીય
અમદાવાદ 1 લોકલ મહિલા 45 વર્ષ
રાજ્યમાં અત્યારસુધી 934 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. સરકારના આંકડા અનુસાર, કોરોનાનો ભોગ બનેલા ત્રણ લોકો સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.
ત્રણ કેસમાં વાયરલ લોડ ક્લિયર થયો
રાજ્યમાં ત્રણ પોઝિટિવ કેસ સુધારા પર છે. નિર્ધારીત સમય બાદ બે વાર ટેસ્ટ કરતા તેમા વાયરલ લોડ ઘટ્યો અને વાયરલ લોડ ક્લિયર થયો હોવાના સારા સમાચાર છે. વડોદરાના જ એક પુરુષ અને બે મહિલાના કેસ સુધારા પર જેમને ધીમે ધીમે ડિસ્ચાર્જ પણ કરાશે. જો કે આ લોકોને પણ 14 દિવસ સુધી હમો ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે તેમ આરોગ્ય વિભાગના અગ્ર સચિવે જણાવ્યું હતું.
ડૉ. રવિએ ઉમેર્યું હતું કે, ICMR કે જે સર્વોચ્ચ રેગ્યુલેટરી ઓથોરિટી છે જેના પ્રોટ્રોકોલ મુજબ જ કોરોનાના ટેસ્ટ થાય છે. જે મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 993 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે, જે પૈકી 938 સેમ્પલ નેગેટીવ આવ્યા છે, માત્ર 53 કેસ પોઝીટીવ છે તેમજ બે રીપોર્ટમાં કન્ફર્મેટરી ટેસ્ટ ચાલી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં 20,103 નાગરિકોને હોમ કોરોન્ટાઈનમાં રખાયા હતા તેમાં ઘટાડો થયો છે અને હવે 19,340 લોકોને જ હોમ કોરોન્ટાઈન હેઠળ છે જ્યારે સરકારી કોરોન્ટાઈનમાં 657 લોકોને રખાયા છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ માટે આરોગ્ય સેનાનીઓ દ્વારા હોમ ટુ હોમ અને ટેલિફોનિક સર્વેલન્સ-ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે જે સંદર્ભે 4 કરોડથી વધુ નાગરિકોને આવરી લેવાયા છે અને જેમાં તાવ, ઉધરસ કે અન્ય લક્ષણો જણાય તો સામેથી કોન્ટેક કરીને તેમને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
આરોગ્ય ખાતાના અગ્ર સચિવ જયંતિ રવિના જણાવ્યા અનુસાર, વધુ છ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં હાલ 20,103 લોકોને ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે.
ભારતમાં 886 કેસ
Confirmed 873, Deaths 19, Recovered 79, Active 775
લોકડાઉનના ચોથા દિવસે દેશમાં કોરોનાના કન્ફર્મ કેસનો આંક 886 પર પહોંચ્યો છે, જેમાં 21 લોોકના મોત થયા છે. વિશ્વમાં 5.97 લાખ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. જેમાં ઈટાલીમાં 9 હજારથી પણ વધુ લોકોના તેના કારણે મોત થયા છે.
ગુજરાતમાં ગુરુવારની રાતથી શુક્રવારની બપોર સુધીના છેલ્લા ૨૪ કલાકમાં એક પણ કોરોના વાઈરસ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. ગુરૂવારે ૧૧ દર્દીઓના નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ નેગેટિવ આવ્યા છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિએ કોરોના અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના કમનસીબ મૃત્યુ નિપજ્યાં છે એ ત્રણેય દર્દીઓ કો-મોર્બીડ એટલે કે અન્ય ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અન્ય રોગોથી પીડાતી હતી. એટલું જ નહીં એ ત્રણેય દર્દીઓ મોટી વયના હતા.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આપણા ઘરોમાં વૃદ્ધો- વડીલો હોય તેમણે વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. ઘરમાં પણ આ વડીલો ક્વોરેન્ટાઈનમાં રહે એ વિશેષ આવકાર્ય છે.
ડૉ. શ્રીમતી જયંતી રવિ એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે કોરોનાના ૪૪ પોઝિટિવ દર્દીઓ છે. જે પૈકી અમદાવાદમાં ૧૫, સુરતમાં ૭, રાજકોટમાં ૫, વડોદરામાં ૮, ગાંધીનગરમાં ૭ અને ભાવનગર તથા કચ્છમાં એક-એક પોઝિટિવ દર્દીઓ છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના ૪૪ પોઝિટિવ દર્દીઓ પૈકી ના ૩૬ દર્દીઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવેલા છે, જ્યારે અન્ય ૧૮ દર્દીઓ પૈકીના ૧૬ દર્દીઓ એવા છે જે આ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સીધા સંપર્કમાં આવ્યા હોય. બે દર્દીઓ એવા છે જેમણે આંતરરાજ્ય મુસાફરી કરી હતી. આ વ્યક્તિઓ સાથે સીધા સંપર્કમાં આવેલા તમામ લોકોની પણ કાળજી લેવામાં આવી રહી છે. આવા લોકો એટલે કે ક્વોરેન્ટાઈન વ્યક્તિઓને ૧૪ દિવસના ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ચુસ્તપણે ક્વોરેન્ટાઈનનું કડક પાલન થાય તેવા પ્રયત્નો કરે છે.
India update on 28/03/2020 @ 11 am
STATE/UT
CONFIRMED
DEATHS
MAHARASHTRA
180
5
KERALA
173
0
KARNATAKA
55
2
RAJASTHAN
48
0
TELANGANA
48
0
UP
45
0
GUJARAT
45
3
DELHI
39
1
TAMIL NADU
38
1
PUNJAB
38
1
HARYANA
33
0
MADHYA PRADESH
30
2
J&K
18
1
WEST BENGAL
15
1
ANDHRA PRADESH
14
0
LADAKH
13
0
BIHAR
9
1
CHANDIGARH
7
0
CHHATTISGARH
6
0
UTTARAKHAND
5
0
ODISHA
3
0
HIMACHAL
3
1
GOA
3
0
ગુજરાતમાં ૩.૫૦ કરોડ લોકોનો સર્વે: ૩૭ હજારથી વધારે લોકોએ રાજ્યબહાર પ્રવાસ કર્યો હતો
ગુજરાત રાજ્યમાં દસ હજારથી વધારે ફિમેલ હેલ્થ વર્કરો ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ૩ કરોડ, ૫૦ લાખ, ૬૯, ૯૨૬ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે ગુજરાતની અડધાથી વધારે વસ્તીનો સર્વે કરીને લોકોના આરોગ્યની સાચી ચિંતા કરી છે. આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, ૩૭,૮૮૫ વ્યક્તિઓએ આંતરરાજ્ય પ્રવાસો કર્યા છે, અને ૮,૨૬૫ જેટલી વ્યક્તિઓએ વિદેશ પ્રવાસ કર્યો છે. અત્યાર સુધીમાં ૧૧૮ જેટલી વ્યક્તિઓને રોગના ચિન્હો જણાતા તેમને સર્વેલન્સમાં મુકવામાં આવ્યા છે. ડૉ. શ્રીમતી જયંતી રવિએ જણાવ્યું હતું કે, એમ પણ કહ્યું હતું કે, ગુજરાતમાં વેન્ટિલેટર અને જરૂરી દવાઓ તથા માસ્કનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. આરોગ્યની સંભાળ રાખતા જે કર્મચારીઓ ડૉક્ટરો ફરજ બજાવે છે તેમને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.
હોમ કોરોન્ટાઇન પરિવારો પર હવે પોલીસ નજર રાખી રહી છે
રાજ્યમાં વિદેશથી આવેલા ૨૭ હજારથી વધારે લોકોમાંથી મોટાભાગના લોકોને ઘર અને હોસ્પિટલોમાં કોરોનાન્ટાઇન કરવામાં આવ્યા છે, સરકારી કોરોન્ટાઇનમાં કરતા માં રખાયેલાં શંકાસ્પદ દર્દીઓ પર પહેરો રાખવામાં આવી રહ્યો છે પરંતુ જે લોકોને તેમના ઘર પર જ હોમ કોરોનેટાઇન રાખવામાં આવ્યાં છે તેમના પર પહેરેદારી ન હોવાથી બહાર નિકળે છે. જેને કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધી જવાની ભીતિ ને પગલે હવેથી આવાં હોમ કોરોન્ટાઇન પરિવારો પર પણ પહેરો ગોઠવામાં આવી રહ્યો છે.
રાજકોટમાં આ માટે ખાસ ટીમની કરવામાં આવી છે. પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, જ્યાં જ્યાં હોમ ક્વોરોન્ટાઇન છે ત્યાં હવે પોલીસ પણ દિવસમાં ચેકિંગ કરશે કે ઘરમાં રહે છે કે નહીં અને જો ઘરની બહાર નીકળે તો કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપી છે.
જાહેરનામા ભંગના ૨૫૦ ગુના થયા છે અને ક્વોરોન્ટાઇન ભંગના ૨૩૬ ગુના નોંધાયા છે.લોકડાઉનમાં લોકોને સમજાવીએ છીએ, જ્યાં લોકો નહીં સમજે ત્યાં કાયદાનો ઉપયોગ કરવો પડશે.રાજકોટ શહેરમાં ૫૧૫ જેટલા લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. આ તમામ લોકો માટે ૧૦૦ જેટલા સરકારી કર્મીઓની ટીમ બનાવી છે. આ ટીમ કોઈ હોમ ક્વોરન્ટીનનો નિયમ ન તોડો તો તેમની સામે ગૂનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ફર્ક સમજો આઇસોલેશન અને ક્વોરેન્ટાઇન વચ્ચેનો
હવે કોઇને શહેર બહાર જવા નહીં દેવાય : શહેરોમાં શ્રમજીવીઓ માટે ૫૪ રાહત કેમ્પો શરૂ કરાયા
રાજ્યમાં લોકડાઉનનો અમલ હોવાછતાં શાક માર્કેટ, કરીયાણાંની દુકાનો પર લોકોની ભીડ અને શ્રમજીવીઓ તથા શહેરોમાં રહેતા ગામડાનો પરિવારોની હિજરત ને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિ સામે હવે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. હવેથી કોઇને પોતાનું સ્થળ છોડવા માટે પ્રતિબંધ સુધીના પગલા અને છુટક શાકભાજી માર્કેટો પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. શ્રમજીવીઓ માટે રાહત કેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ ઘેર બેઠાં મળી રહે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. રાજ્યમાં બે શહેરોમાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.
ગામડાઓમાં સ્થાનિક આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. લોકડાઉનમાં વધુમાં વધુ પોલીસનોઉપયોગ થાય તે માટે સૂચના આપી છે. ખોટું કારણ બતાવશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે. તેમજ અત્યાર સુધી ૫૪ રાહત કેમ્પો પણ શરૂ કરવામાં આવ્યાછે. ગુજરાત બહાર જતા ૧૮ હજાર લોકોને રોકવામાં આવ્યા છે એવું રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.
લોકડાઉનની સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે, હોમક્વોરેન્ટાઈનનો ભંગ કરનારા ૨૩૬ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવામાં આવી છે. લોકો નિયમોનું ઉલ્લંઘન ન કરે તો આપણે કોરોનાના દર્દીઓનીસંખ્યા ઓછી રાખવામાં સફળ રહી શકીશું, અને કોરોનાનો ચેપ ફેલાતો અટકાવી શકીશું.
ગુજરાતમાં એક તરફ કોરોનાનો ફફડાટ છે, લૉકડાઉનનો કડકાઇપૂર્વક અમલ કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ તા.26મી માર્ચ 2020ની સાંજથી ગુજરાતના ક્લાઇમેટમાં અસામાન્ય ફેરફારો જોવા મળ્યા. અમદાવાદ, ગાંધીનગર સમેત ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા. સમગ્ર ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાતા શિયાળા જેવો માહોલ વર્તાયો. તા.27મી માર્ચ 2020ની સવારે સૂરતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા અનુભવાયા. ગુજરાતીઓ માટે આ એક વિચિત્ર અનૂભુતિ છે. આ તમામ પ્રતિકુળતાઓ વચ્ચે ધૈર્ય જ એકમાત્ર ઉપાય છે. કેમકે આ સમય પણ વહી જવાનો છે.
કેસોની સંખ્યા 43 પર સ્થિર
ગુજરાતમાં તા.26મી માર્ચ 2020ના રોજ કોરોના વાયરસથી વધુ બે દર્દીઓના મોત થતાં અત્યાર સુધીમાં આ રોગથી મરનારાનો આંકડો 3 પર પહોંચ્યો છે જ્યારે વધુ ચાર કેસ નોંધાતા પોઝીટીવ દર્દીઓના આંકડો વધીને ૪૩ નો થયો છે. જોકે આ આંકડો સ્થિર થયો હોવાની વાતે રાહતની લાગણી જરૂર ફેલાય છે.
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવિએ તા.26મી માર્ચે જણાવ્યું હતું કે રાજયમાં નોવેલ કોરોનાના અત્યાર સુધીમાં કુલ ૪૩ કેસ પોઝિટિવ નોંધાયા છે અને અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ-૩ નાગરિકોના નિધન થયાં છે. આ મૃતકોની પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરવામાં આવી છે.
રવિએ ઉમેર્યું કે રાજયમાં અત્યાર સુધીમાં જે કેસ પોઝિટિવ નોંધાયા છે તેમાં અમદાવાદમાં ૧૫, સુરતમાં ૦૭, રાજકોટમાં ૦૪, વડોદરામાં ૦૮, ગાંધીનગરમાં ૦૭, ભાવનગરમાં ૦૧ અને કચ્છમાં ૦૧ મળી કુલ-૪૩ કેસ નોંધાયા છે. રાજ્યના નાગરિકોને તાવ, શરદી, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો જણાય તો ૧૦૪ અને ૧૦૮ની આરોગ્યલક્ષી હેલપલાઈન સેવાનો વધુને વધુ ઉપયોગ કરવા પણ ભારપૂર્વક અનુરોધ નકરાયો છે.
તેમણે ઉમેર્યું કે અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વાયરસને કારણે જે ત્રણ નિધન થયા છે એમાં એક સુરત, એક અમદાવાદ અને એક ભાવનગરના વ્યક્તિનો સમાવેશ થાય છે. અમદાવાદ ખાતે જે મહિલાનું મૃત્યુ થયુ છે તે ૮૫ વર્ષની ઉંમર અને સાઉદી અરેબિયાની પ્રવાસ હિસ્ટ્રી ધરાવે છે તેમને માનસિક બિમારી સાથે અન્ય લક્ષણો હતા. જયારે ભાવનગર ખાતે ૭૦ વર્ષના એક પુરુષનું નિધન થયુ છે જેઓ ડાયાબિટિસ, કેન્સર, બ્લડપ્રેસર, હાઈપર ટેન્શન જેવી બિમારીથી અગાઉથી જ પીડાતા હતા તેમ તેમણે ઉમેર્યું હતુ.
ક્લાઇમેટ ચેન્જ
ગુજરાત રાજ્ય કોરોના વાઈરસના કહેરનો સામનો કરી રહ્યું છે, બીજી તરફ રાજ્યમાં ભારે પવન સાથે કેટલસાક ઠેકાણે સતત બીજા દિવસે વરસાદી ઝપટાં વરસ્યાં હતા. બુધવારે કચ્છ અને ઉત્તર ગુજરાત તેમજ દિક્ષિણ ગુજરાતમાં કેટલાક ઠેકાણે વરસાદ થયાં બાદ આજે ગુરૂવારે પણ ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું.
કચ્છમાં સામખિયાળી બાદ કેટલાક ઠેકાણે ગુરૂવારે પણ ઝાપટા વરસ્યા હતા. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો મંગળવારથી જ વરસાદી ઝાપટાં પડવા લાગ્યા છે. કચ્છના સામખિયાળી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદથી ખેતીને નુકસાન પહોંચ્યું છે. આજે બુધવારે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને કચ્છમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હતો.
ભર ઉનાળે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદના ઝાપટાં પડી રહ્યાં છે. ગુરૂવારે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ યથાવત રહ્યું હતું પરંતુ ભારે પવન પણ ફૂંકાયો હતો.
રાજ્યમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૩૦થી ૪૦૯ કિ.મી.ની ઝડપે પવન સાથે હળવાથી ભારે વરસાદ પડી શકે છે.
હાલ દેશ અને રાજ્યનું તંત્ર કોરોના વાયરસ ને ફેલાતો અટકાવવા માટે લડી રહ્યું છે. બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદ રૂપી આફત આવવાની તૈયારી છે. આગામી દિવસોમાં રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત જિલ્લામાં કમોસમાં વરસાદ પડાવાની સંભાવના રહેલી છે.
હવામાન વિભાગ તરફથી તા. ૨૫ માર્ચના રોજ પાંચ દિવસની આગાહી આપવામાં આવી હતી.
ગુજરાતમાં કોરોના, લૉકડાઉન વચ્ચે ક્લાઇમેટ ચેન્જ : ફિઝિકલ દુનિયા નાની કરીને વર્ચ્યુઅલ દુનિયા મોટી કરવી એક જ ઉપાય
ગુજરાતમાં રોજ ૫૫ લાખ લીટર દૂધનું વિતરણ
ગુજરાતમાં કોરોનાના ૪૩ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. તેમાંથી ત્રણના તો મોત પણ થયા છે. લોકડાઉનના દિવસો દરમિયાન સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના મળી રહે તે માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. ગુરૂવારે સવારે રાજ્યની શાકભાજી મંડળીઓ-માર્કેટમાં ૫૯ હજાર ક્વિન્ટલ શાકભાજી અને ૨,૬૮૦ ક્વિન્ટલ ફ્રુટની આવક થઈ છે. તેમજ રાજ્યમાં દૈનિક ૫૫ લાખ લીટર દૂધના પાઉચનું વિતરણ થઇ રહ્યું છે.
૫૯ હજાર ક્વિન્ટલ શાકભાજી
રાજ્યના સીએમઓના સચિવ અશ્વિની કુમારે કહ્યું હતું કે, ૫૯ હજાર ક્વિન્ટલ શાકભાજીમાં ૧૩,૬૫૫ ક્વિન્ટલ બટાટા, ૪,૩૫૦ ક્વિન્ટલ ડુંગળી, ૬૯૦૦ ક્વિન્ટલ ટમેટા અને ૩૪૦૦૦ ક્વિન્ટલ લીલા શાકભાજી રાજ્યના નાગરિકોના વપરાશ માટે ઉપલબ્ધ થયેલા છે. સમગ્ર રાજ્યમાં ૬૮ જેટલા શાકભાજી માર્કેટ કાર્યરત છે તેમજ ચૈત્રી નવરાત્રિના આ પર્વ દરમિયાન ઉપવાસ-વ્રત રાખનારા લોકોને અગવડતા ન પડે તે માટે પુરતા ફળફળાદિ પણ બજારમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં ૬૧૦ ક્વિન્ટલ કેળાં, ૯૭૦ ક્વિન્ટલ સફરજન અને ૧૧૦૦ ક્વિન્ટલ અન્ય ફળફળાદી સહિત ૨૬૮૦ ક્વિન્ટલ ફળોની આવક માર્કેટમાં થાય છે. અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે, ૬૦ લાખથી વધુ પરિવારોના ૩.રપ કરોડ જેટલા લોકોને એપ્રિલ-ર૦ર૦માં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો દ્વારા વિનામૂલ્યે અપાનારા ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠાની પણ સરળતાએ ઉપલબ્ધિનું માઇક્રો પ્લાનીંગ પુરવઠા વિભાગે કરી દીધું છે.
પુંસરી ગામે મૃતકનું ડિજિટલ બેસણું યોજાયું
કોરોનાની મહામારીની ગંભીરતા સમજી લોકો મૃતક સ્વજન પાછળ બેસણું અને લોકાચાર અને મરણોત્તર વિધિ મુલત્વી રાખી રહ્યા છે. તલોદ તાલુકાના પુંસરી ગામે જયંતીભાઈ દરજીનું આકસ્મિક નિધન થતા પરિવારજનોએ ડિજિટલ બેસણું રાખ્યું હતું. મૃતકનો મુંબઈ રહેતો પુત્રે પણ ભારે હૈયે કોરોનાની ગંભીરતા સમજી વિડીયો કોન્ફરન્સથી પિતાને શોકાંજલિ પાઠવી હતી.
દેશમાં સૌ પ્રથમ સ્માર્ટ વિલેજ પુંસરીમાં કોરોનાની મહામારી વચ્ચે બુધવારે જયંતીભાઈ દરજીનું આકસ્મિક નિધન થતા મૃતકના પરિવારજનો અને કૌટુંબિક અગ્રણીઓ સાથે ચર્ચા કરી બેસણું રાખવામાં આવે તો દુ:ખમાં ભાગીદાર થવા અને શોકાંજલિ પાઠવવા મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટે તો કોરોના વાઈરસ સંક્રમણની શક્યતાઓના પગલે ડિજિટલ બેસણું યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પુંસરી ગામે જયંતીભાઈ દરજીનું ડિજિટલ બેસણું પુંસરી ગ્રામ પંચાયતના આઈ.ડી અને મૃતકના ભત્રીજા આશિષ દરજીના એફ.બી.આઈ.ડીનો ઉપયોગ કરી ફેસબુક લાઈવ અને વિડીયો કોન્ફરન્સથી યોજ્યું હતું, જેમાં મૃતકના મુંબઈ રહેતા પુત્ર અને રાજ્ય અને દેશમાં વસવાટ કરતા સગા-સંબંધીઓએ શોકાંજલિ પાઠવી હતી. ટેક્નોલોજીનો ઉપયોગ કરી દરજી પરિવારે દુ:ખદ પરિસ્થિતિમાં લોક ડાઉનની સ્થિતિમાં કોરોના વાઈરસને પ્રસરતો અટકાવવા સરાહનીય કામ કરવાની સાથે લોકોને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
કોરોના વાયરસથી ગુરુવારે દેશભરમાં કુલ 7 લોકોના મોત થયા છે. જે ભારતમાં આ વાયરસથી એક જ દિવસમાં મૃત્યુનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ દેશમાં કોરોનાના સંક્રમણથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 20ને પાર પહોંચી ગઈ છે. તેમજ અહેવાલ અનુસાર નવા 71 કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં દિલ્હીમાં 4 કેસ આવ્યા છે. રાજ્યોના અહેવાલ નુસાર ભારતમાં કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા 700થી પાર થઈ ગઈ છે. જ્યારે દુનિયામાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 5 લાખ 31 હજારથી વધારે થઈ ચૂકી છે. જ્યારે મૃત્યુ પામનારની સંખ્યા 24 હજારથી વધુ થઈ ગઈ છે. તો 1 લાખ 23 હજારથી વધુ લોકોએ આ વાયરસ સામેની લડાઈ જીતીને નવજીવન મેળવ્યું છે
કેરળમાં 137 કેસો
કેરળમાં અત્યાર સુધીમાં કોઇનું કોવિડ-19થી મોત થયું નથી. જો કે રાજ્યમાં ગુરૂવારના રોજ વધુ 19 કેસ નવા નોંધાયા. અહીં અત્યાર સુધીમાં 137 દર્દી છે જે દેશના કોઇપણ રાજ્યમાં સૌથી વધુ છે. ગુજરાતમાં ગુરૂવારના રોજ એક 70 વર્ષના વ્યક્તિનું મોત અને પાંચ નવા પોઝીટીવ કેસ દાખલ થયા. રાજ્યમાં પોઝીટીવ લોકોની સંખ્યા 44 સુધી પહોંચી ગઇ છે. જ્યારે 3 લોકોના મોત થયા છે. ભાવનગરના રહેવાસી પીડિત તાજેતરમાં જ દિલ્હીથી આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે તેઓ કેન્સર, ડાયાબીટીસ અને હાર્ટના દર્દી હતા.
India Corona Status as on 27 March 2020 at 10 a.m.
Confirmed 979, Deaths 25, Recovered 87, Active 867
STATE/UT
CONFIRMED
DEATHS
MAHARASHTRA
186
6
KERALA
182
1
KARNATAKA
76
3
TELANGANA
66
1
UP
55
0
RAJASTHAN
54
0
GUJARAT
53
4
TAMIL NADU
42
1
DELHI
39
2
PUNJAB
38
1
HARYANA
33
0
J&K
31
1
MADHYA PRADESH
30
2
WEST BENGAL
17
1
ANDHRA PRADESH
14
0
LADAKH
13
0
BIHAR
9
1
ANDAMAN
9
0
CHANDIGARH
8
0
UTTARAKHAND
6
0
CHHATTISGARH
6
0
ODISHA
3
0
HIMACHAL
3
1
GOA
3
0
PUDUCHERRY
1
0
ભારતમાં કેસોની સંખ્યા 979
શનિવારે એક દિવસમાં સમગ્ર દેશમાં કોવિડ-19ના કુલ 109 જેટલા નવા કેસ નોંધાય છે જે સાથે દેશમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા 974 પહોંચી ગઈ છે. જ્યારે આરોગ્ય મંત્રાલય દ્વારા 918 કેસના આંકડાને કન્ફર્મ કરવામાં આવ્યો છે. જોકે આ બધા વચ્ચે એક સારી વાત છે કે દેશમાં ટોટલ નોંધાયેલા કેસના 10 ટકા જેટલાક દર્દીઓ એટલે કે 94 દર્દીઓ આ બીમારીમાંથી સંપૂર્ણ રીતે સાજા થઈ ચૂક્યા છે.
દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. શનિવારે દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલાનો કુલ આંકડો 27 પર પહોંચી ગયો છે. જેમાં ગઈકાલે એક જ દિવસમાં દિલ્હી, કેરળ, તેલંગણા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એક લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત એકલા મહારાષ્ટ્રમાં 33 નવા કેસ નોંધાયા છે. જે કોઈપણ એક જ દિવસમાં સૌથી વધુ કેસ છે. જે સાથે મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ 186 કોવિડ-19 કેસ ધરાવતું રાજ્ય બન્યું છે.
Reported on 28 March 11 am
ભારતમાં આરોગ્ય ખાતાએ શનિવાર સવારે 10 વાગ્યા સુધીના આંકડા સાથે આપેલી માહિતી મુજબ ભારતમાં કોરોનાના 873 કેસ નોંધાયા છે અને આ મહામારીને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૭ જણના મૃત્યુ થયા છે. ભારતના આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે આ માહિતી આપી હતી. શુક્રવારે દેશમાં કોરોનાના નવા ૭૫ કેસ નોંધાયા હતા તથા ૪ જણના મૃત્યુ થયા હોવાના અહેવાલ હતા.
મહારાષ્ટ્રમાં ચાર, ગુજરાતમાં ત્રણ, કર્ણાટકમાં બે જણના મૃત્યુ થયા છે, જ્યારે એક-એક મૃત્યુ મધ્ય પ્રદેશ, તમિળનાડુ, બિહાર, પંજાબ, દિલ્હી, પશ્ર્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં નોંધાયા છે.
ડેટા મુજબ દેશમાં કોવિડ-૧૯ના ૬૪૦ સક્રિય કેસ છે, જ્યારે ૬૬ જણને કોરોનાની બીમારીમાંથી મુક્તિ મળી છે.
દેશમાં કોવિડ-૧૯ના સામના માટે ૨૧ દિવસનું સંપૂર્ણ લૉકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું છે જેનો આરંભ બુધવારે થયો હતો. તાળાબંધીના પહેલા દિવસે લોકોએ આવશ્યક ચીજવસ્તુઓ લેવા ભાગદોડ મચાવી હતી જેના કારણે દેશમાં ઘણા સ્થળે લૉકડાઉનના ભંગ થયા હોવાના સમાચારો હતા. જોકે, બીજા દિવસે અને ત્રીજા દિવસે લોકો આ મહામારીના સામના માટે પોતાના ઘરમાં ભરાઈને રહેવું જ પડશે એ વાસ્તવિકતાને અપનાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
વિદેશથી આવતા પ્રવાસીઓના નિરીક્ષણની પ્રક્રિયા વધુ મજબૂત બનાવવામાં આવે: કેન્દ્ર
લોકડાઉન અગાઉ વિદેશમાંથી દેશમાં દાખલ થયેલા કુલ પ્રવાસીઓ અને કોરોનાનું નિરીક્ષણ થયું હોય એવા પ્રવાસીઓની સંખ્યામાં મોટો તફાવત છે. તેથી વિદેશી આવેલા પ્રવાસીઓની માહિતી મેળવવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનો નિર્દેશ કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપ્યો છે.
તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચીફ સેક્રેટરીને લખેલા પત્રમાં ગૌબાએ જણાવ્યું છે કે વિદેશથી આવેલા કુલ પ્રવાસીઓ અને જેમના નિરીક્ષણ થયા છે તેમાં મોટો તફાવત છે. પ્રવાસીઓને મોનિટરિંગ કરવાની પ્રક્રિયામાં આવી ભૂલને કારણે કોરોના વાઇરસને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો નિષ્ફળ બનાવી શકે છે.
નોંધનીય છે કે કોરોનાના ભયને પગલે દેશના તમામ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ૧૮મી જાન્યુઆરીથી પ્રવાસીઓના સ્ક્રિનિંગ થઇ રહ્યા છે. ત્યારથી લઇને ૨૩મી માર્ચ સુધીમાં ૧૫ લાખ લોકો વિદેશથી દેશમાં દાખલ થયા છે. આ તમામ લોકોનું મોનિટરિંગ કરવું આવશ્યક હોવાથી આ દિશામાં તાત્કાલીક પગલાં લેવાની સૂચના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવી છે.
India Corona Tally on 28 March @ 12 p.m.
STATE/UT
CONFIRMED
DEATHS
MAHARASHTRA
180
5
KERALA
173
0
KARNATAKA
55
2
RAJASTHAN
48
0
TELANGANA
48
0
UP
45
0
GUJARAT
45
3
DELHI
39
1
TAMIL NADU
38
1
PUNJAB
38
1
HARYANA
33
0
MADHYA PRADESH
30
2
J&K
18
1
WEST BENGAL
15
1
ANDHRA PRADESH
14
0
LADAKH
13
0
BIHAR
9
1
CHANDIGARH
7
0
CHHATTISGARH
6
0
UTTARAKHAND
5
0
ODISHA
3
0
HIMACHAL
3
1
GOA
3
0
ANDAMAN
2
0
લોકડાઉનનું કડકાઇથી પાલન કરાવો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તામિળનાડુના મુખ્ય પ્રધાન પલાનીસ્વામીને રોનાવાયરસના પ્રસારને રોકવા અને લોકો માટે જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવા સાથે જાહેર કરાયેલા ત્રણ અઠવાડિયાના રાષ્ટ્રીય લોકડાઉનને સખત રીતે લાગુ કરવા જણાવ્યું હતું.
ફોન પર થયેલી વાતચીતમાં મોદીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કલમ ૧૪૪ અને સામાજિક અંતર જાળવવા સહિતના પ્રતિબંધિત આદેશોનો કડક અમલ થવો જોઈએ.
વડા પ્રધાને રાજ્યના વિવિધ સરકારી વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા કોરોનાવાયરસ નિવારક પગલાં વિશે મુખ્ય પ્રધાન પાસે જાણવાની માંગ કરી હતી. પલાનીસ્વામીએ કોરોનાવાઇરસ સામે રાજ્ય સરકાર દ્વારા સતત લેવામાં આવતા પગલાઓ વિશે મોદીને માહિતગાર કર્યા હતા એમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
લોકહિતને ધ્યાનમાં રાખીને વડા પ્રધાને કલમ ૧૪૪ હેઠળના પ્રતિબંધનાત્મક આદેશોનું કડક પાલન કરવા અને લોકોને સામાજિક અંતર જાળવવા આદેશ આપવા જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે લોકો માટે જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પગલાં લેવા જોઈએ. પલાનીસ્વામીએ જવાબ આપ્યો હતો કે આ તમામ પાસાઓનો સંપૂર્ણ અમલ કરવામાં આવી રહ્યો છે.
ગુરુવારે ૩૧ માર્ચ સુધી બંધની ઘોષણા કરનારી તામિળનાડુની રાજ્ય સરકારે વડા પ્રધાને જાહેર કરેલા રાષ્ટ્રીય લોકડાઉનને ધ્યાનમાં લઇ બંધ ૧૪ એપ્રિલ સુધી લંબાવ્યો છે.
મહારાષ્ટ્રમાં સાંગલીના ઇસ્લામપુર ગામે એક જ પરિવારના 12 સભ્યો કોરોના પોઝિટિવ
મહારાષ્ટ્રમાં સાંગલી જિલ્લાના ઈસ્લામપુર ગામમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના સેમ્પલ ટેસ્ટીંગ રિપોર્ટ ગઇ તા.23 માર્ચે પોઝિટિવ આવ્યો હતો. તેમને 19 માર્ચે મિરાજના એક આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ ચારેય લોકો સાઉદી અરબથી હજ કરીને પરત આવ્યા હતા.
ત્યાર બાદ બે દિવસ પૂર્વે તા.25 માર્ચ સુધી આ પરિવારના વધુ પાંચ સભ્યોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગુરુવાર,તા.26મી માર્ચે આ જ પરિવારના ત્રણ અન્ય સભ્યોને પણ ચેપ લાગ્યો હોવાની માહિતી આપવામાં આવી છે. આમ, એક જ પરિવારના કુલ 12 સભ્યોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ 12 દર્દીઓમાંથી 11 સાંગલીના ઈસ્લામપુર ગામના જ છે જ્યારે એક કોલ્હાપુર જિલ્લાના પેઠવડગાંવની રહેવાસી છે. આ મહિલા દર્દી હજથી પરત આવેલા પોતાના સંબંધીને મળવા આવી હતી.
India Update on 27 March @ 11 a.m.
STATE/UT
CONFIRMED
DEATHS
KERALA
137
0
MAHARASHTRA
130
4
KARNATAKA
55
2
TELANGANA
45
0
GUJARAT
43
3
RAJASTHAN
41
0
UP
41
0
DELHI
36
1
PUNJAB
33
1
HARYANA
30
0
TAMIL NADU
29
1
MADHYA PRADESH
20
1
LADAKH
13
0
J&K
13
1
ANDHRA PRADESH
12
0
WEST BENGAL
10
1
CHANDIGARH
7
0
CHHATTISGARH
6
0
BIHAR
6
1
UTTARAKHAND
5
0
HIMACHAL PRADESH
3
1
GOA
3
0
ODISHA
2
0
PUDUCHERRY
1
0
કોરોના સામે લડત: કેન્દ્ર સરકારે જાહેર કર્યું ₹૧ લાખ ૭૦ હજાર કરોડનું રાહત પેકેજ
કોરોના સામે લડત આપવાના એક પગલાં તરીકે કેન્દ્ર સરકારે કોરોના સામેની જંગમાં સાથ આપનારા માટે વીમા કવચ સહિત કુલ ₹ ૧ લાખ ૭૦ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે.
કેન્દ્ર સરકારે કોરોના મહામારી વચ્ચે શહેરી તેમજ ગ્રામ્ય સ્તરના ગરીબોની ચિંતા કરતા આજરોજ ૧.૭ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૮૦ કરોડ લાભાર્થીઓને અન્ન સહાય તેમજ સીધી નાણાં સહાયની જાહેરાત કરી છે.
નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ તેમજ રાજ્ય કક્ષાના નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે આ પેકેજની જાહેરાત કરી છે. નાણાં પ્રધાને કોરોના સામેના જંગમાં દેશના આગળની હરોળના લડવૈયા આશા વર્કરો, સેનેટાઈઝ વર્કર્સ, પેરામેડિક્સ અને ડોક્ટર્સ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સરકારે સ્વાસ્થ્ય સુરક્ષાના કર્મીઓ માટે ત્રણ મહિના માટે દરેકને ૫૦ લાખનું વીમા કવચ આપવાની જાહેરાત કરી છે.
નાણાં પ્રધાન નિર્મલા સિતરમણે પત્રકાર પરિષદમાં કોરોના સામે લડાઇમાં મદદ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના માટે ૫૦ લાખ રૂપિયાના મેડિકલ વીમાની જાહેરાત કરી છે.
આ સ્વાસ્થ્ય કર્મચારીઓમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ જાહેરાતથી ૨૦ લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે.
એક મહત્વના નિર્ણય અનુસાર પ્રોવિડન્ટ ફન્ડ સ્કીમ રેગ્યુલેશનમાં અમેન્ડમેન્ટ કરવામાં આવશે. ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં કર્મચારીઓ તેમના પીએફનું ૭૫ ટકા એડવાન્સમાં લઇ શકે છે. ૭૫ ટકા એડવાન્સ અથવા ત્રણ મહિનાનો પગાર, બેમાંથી જે ઓછું હોય તે લઇ શકે છે.
આગામી બે મહિના દરમિયાન સંગઠિત ક્ષેત્રમાં જ્યાં ૧૦૦થી ઓછા કર્મચારી છે અને જેનો પગાર ૧૫ હજાર કે તેનાથી ઓછો છે તેમના બે મહિના સુધીના પીએફની રકમ સરકાર જમા કરશે.
કેન્દ્ર સરકાર દ્વારા ૨૦ કરોડ મહિલા જનધન અકાઉન્ટ હોલ્ડરને વધારાના ૫૦૦ રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે જેથી તેમને ઘરના કામકાજમાં સહાયતા મળે.
ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને આગામી ત્રણ મહિના માટે મફતમાં સિલિન્ડર આપવામાં આવશે. ૮ કરોડથી વધુ મહિલાઓને ફાયદો થશે. એ નોંધવું રહ્યું કે અમેરિકાએ બુધવારે ૨ લાખ કરોડ ડોલર (લગભગ ૧૫૧ લાખ કરોડ રૂપિયા)ના રાહત પેકેજની જાહેરાત કરી હતી.
ડીલમાં એક ખાસ જોગવાઇ પણ છે. તેનાથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના પરિવારના કોઇ સભ્ય, કોંગ્રેસના કોઇ સભ્ય આ પેકેજની રકમમાંતી લોન કે કોઇ રોકાણ મેળવી નહીં શકે. આ જોગવાઇ ફન્ડનો ખોટો ઉપયોગ રોકવા માટે કરવામાં આવી છે.
ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનના હજુ કોઇ પુરાવા મળ્યા નથી
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, દેશમાં કોરોના વાયરસના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. અત્યારસુધી દેશમાં કુલ 639 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 10ના મોત થયા છે. આ તારણ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા લેવામાં આવેલા બે હજાર રેન્ડમ સેમ્પલના આધારે કાઢવામાં આવ્યું છે. જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે તેના આધારે બુધવારે કહ્યું હતું કે કોરોનાના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના હજુ કોઈ પુરાવા નથી મળ્યા.
કોરોના વાયરસના ફેલાવાના ચાર સ્ટેજ હોય છે. જેમાં પહેલા સ્ટેજમાં તે વિદેશથી આવતા લોકો દ્વારા દેશમાં આવે છે. બીજો સ્ટેજ લોકલ ટ્રાન્સમિશનનો હોય છે, જેમાં લોકો વિદેશથી આવેલા વ્યક્તિના સંપર્કમાં આવવાના કારણે આ વાયરસના ભોગ બને છે. ત્રીજા સ્ટેજમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરુ થાય છે. આ સ્ટેજમાં દર્દી વિદેશ ન ગયો હોય, પરંતુ સ્થાનિક વ્યક્તિના સંપર્કમાં આવવાના કારણે ચેપગ્રસ્ત બને છે. જ્યારે ચોથા તબક્કામાં તેને રોગચાળો જાહેર કરવામાં આવે છે. ભારતમાં કોરોના બીજા સ્ટેજમાં આવી ચૂક્યો છે, પરંતુ તે ત્રીજા સ્ટેજમાં પ્રવેશ્યો હોવાનો સરકાર સતત ઈનકાર કરી રહી છે.
તમિલનાડુમાં કોરોના વાયરસથી પ્રથમ મોત
કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં છે. હજારો લોકો કોરોના વાયરસના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે ભારતમાં પણ વધુ એક દર્દીનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. મદુરાઈના અન્નાનગરના 54 વર્ષીય શખ્સનું કોરોનાની સારવાર દરમિયાન બુધવારે મોત થયું. બુધવારે જ આ શખ્સને તેના પરિવારે કબ્રસ્તાનમાં દફનાવી દીધો હતો. દફનક્રિયા વખતે મૃતકની પત્ની, દીકરો અને બે ભાઈઓ જ હાજર હતા. મહત્વનું છે કે, તમિલનાડુમાં કોરોના વાયરસના કારણે મોતનો આ પ્રથમ કિસ્સો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.