વાયરલ Archives - Page 57 of 82 - CIA Live

July 13, 2020
breaking_CIA-1280x831.jpg
3min11350

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેના સત્તાવાર ફેસબુક પેજ માય સુરત પર રજૂ કરવામાં આવેલી એક પોસ્ટમાં જણાવાયું છે કે કોવીડ-19ના ક્રિટીકલ પેશન્ટસ માટે જીવનરક્ષક સમા ટોસીલીઝુમેબ ઇન્જેક્શન તેમજ રેમડેસીવીરની સીપ્લા પ્રોડક્ટ જેનરક દવાઓ હવે સીપ્લા ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા સીધી જ જે તે હોસ્પિટલમાં દાખલ દર્દીને મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આવી જાહેરાત ખુદ સીપ્લા કંપનીએ એક પોસ્ટર બનાવીને કરી છે. સીપ્લા કંપનીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર તેમજ ફેસબુક પર પણ આ જ સંદર્ભની જાહેરાતો મોટા ઉપાડે કરી છે કે ટોસીલીઝુમેબ ઇન્જેક્શન અને રેમડીસીવીરની જેનરીક વર્ઝનની દવાઓનું ડિસ્ટ્રીબ્યુશન હોસ્પિટલ ચેનલ્સ મારફતે કરવામાં આવી રહ્યું છે. સીપ્લાએ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત સમેત આખા દેશની હોસ્પિટલ્સનું લિસ્ટ જારી કર્યું છે જ્યાં આ દવાઓ મળી રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે.

ખુદ સુરત મહાનગરપાલિકા કહી શકતી નથી કે દવાઓ સુરતમાં મળી રહી છે કે નહીં

પરંતુ, સી.આઇ.એ. લાઇવ દ્વારા આ અંગેની ખરાઇ કરવામાં આવતા સીપ્લાની જાહેરાત અને રિયાલિટી બન્ને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. સુરત મહાનગરપાલિકાએ પણ પોતાના ફેસબુક પેજ પર સીપ્લા કંપનીનું પોસ્ટર પોસ્ટ કરી દીધું છે. પરંતુ, ખુદ સુરત મહાનગરપાલિકાના અધિકારીને પણ એ વાતની જાણ નથી કે ખરેખર સીપ્લાની જેનરીક દવાઓ સુરતમાં સીધી હોસ્પિટલને મળે છે કે નહીં.

સીપ્લાની વેબસાઇટ પર સુરતમાં ઉપલબ્ધિ સ્થાન કિરણ હોસ્પટલ દર્શાવાયું છે, કિરણ હોસ્પિટલ કહે છે અમને ખબર જ નથી

હકીકતમાં કિરણ હોસ્પટલના મેનેજમેન્ટને પણ એ વાતની ખબર નથી કે સીપ્લાની દવાઓ માટે તેમની હોસ્પિટલનું નામ સીપ્લા કંપનીએ વેબસાઇટ પર ચઢાવી દીધું છે.

સુરતની કિરણ હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડના ચેરમેન મથુરભાઇ સવાણીએ સીઆઇએ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમને ખબર જ નથી કે સીપ્લા કંપનીએ અમારુ નામ વેબસાઇટ પર મૂક્યું છે. અમારા દર્દીઓને જરૂરીયાત પ્રમાણે અમે સીપ્લા કંપનીમાંથી દવા મગાવી લઇએ છીએ. પણ વિતરણ સ્થાન તરીકે કિરણ હોસ્પિટલ છે એવું અમને પણ ખબર નથી એમ મથુરભાઇ સવાણીએ જણાવ્યું હતું.

સીપ્લા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ટોસીલીઝુમેબ ઇન્જેકશન તેમજ રેમડીસીવીર દવાની જરૂરીયાત માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે તેમજ ઇમેલ મારફતે પણ હોસ્પિટલ કે દર્દીઓના સગા દવાઓ માટે ઓર્ડર પ્લેસ કરી શકે છે.

સીપ્લા કંપનીનો હેલ્પલાઇન નંબર 86573 11088

સીપ્લા ફાર્માસ્યુટીકલ્સ કંપની એ એક દવા બનાવતી કંપની છે. જેમણે કોવીડ-19 માટે હાલમાં અસરકારક દવાઓનું જેનેરીક વર્ઝન તૈયાર કર્યું છે. રેમડેસીવીરનું જનરીક નામ સ્પીલાએ સીપ્રેમી રાખ્યું છે જ્યારે ટોસીલીઝુમેબ ઇન્જેકશનનું નામ એક્ટેમ્રા રાખવામાં આવ્યું છે.

ગુજરાતમાં આ હોસ્પિટલ્સમાંથી મળશે એવી માહિતી સીપ્લા કંપનીની વેબસાઇટ પર રજૂ કરવામાં આવી છે

Apollo Hospital, AhmedabadGujarat
CIMS Hospital, AhmedabadGujarat
HCG Hospital AhmedabadGujarat
Kiran Hospital, SuratGujarat
Narayana Health AhmedabadGujarat
Sterling Hospital AhmedabadGujarat
Sterling Hospital Baroda, VadodaraGujarat
GMSCL (Gujarat Medical Service Corporation Ltd)Gujarat

સુરત મહાનગરપાલિકાએ તેના ફેસબુક પેજ પર આ સ્ટેટસ અપડેટ કરીને માહિતી આપી છે

Looking at the increasing demands of Remdesivir & Tocilizumab two essential drugs to fight against the COVID, from now…

My Surat यांनी वर पोस्ट केले सोमवार, १३ जुलै, २०२०
July 11, 2020
corona_india.jpg
1min4590

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા આઠ લાખને પાર થઈ ગઈ છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે શુક્રવારે સવારે આઠ વાગ્યાથી શનિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં 22,752 નવા કેસ નોંધાયા છે અને 519 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 8,20,916 કેસ નોંધાયા છે. જેમાંથી 2,83,407 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 5,15,385 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 22,123 લોકો મૃત્યુ પામ્યા છે.

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા આઠ લાખને પાર થઈ ગઈ છે. ફક્ત ચાર જ દિવસમાં સંક્રમિતોની સંખ્યા સાત લાખથી વધીને આઠ લાખ થઈ ગઈ છે. હવે દર દસ લાખની વસતિએ 578 પોઝિટિવ કેસ નોંધાય છે અને 16 દર્દીના મોત થઈ રહ્યા છે. જોકે, આપણા દેશમાં લોકોના સ્વસ્થ થવાનો આંકડો પણ સારો છે. અત્યારસુધી પાંચ લાખથી વધુ દર્દી સાજા થયા છે. એટલે કે, 62 ટકાથી વધુ લોકો સ્વસ્થ થયા છે અને આ ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે.

દેશમાં 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. તેના 110 દિવસ બાદ 10મેના સંખ્યા વધીને એક લાખ થઈ ત્યારબાદ સંક્રમણની ગતિ એટલી વધી કે માત્ર 15 દિવસમાં જ આંકડો બે લાખને પાર થઈ ગયો હતો. ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા બેથી વધીને ત્રણ લાખ થવામા માત્ર દસ દિવસ લાગ્યા હતા. જ્યારે ત્રણ લાખથીચાર લાખ થવામાં આઠ દિવસ અને ચારથી પાંચ લાખ થવામા માત્ર છ દિવસ લાગ્યા હતા. પાંચથી છ લાખ અને છ લાખથી સાત લાખ કેસ થવામા માત્ર પાંચ-પાંચ દિવસ લાગ્યા હતા. પરંતુ આ વખતે સાતથી આઠ લાખ કેસ થવામા માત્ર ચાર દિવસનો સમય લાગ્યો હતો. એટલે કે, દર બે દિવસમાં સરેરાશ 50,000 કેસ નોંધાઈ રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 7,862 નવા કેસ નોંધાયા છે અને 226 લોકોના મોત થયા છે. જ્યારે 5,366 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,38,461 થઈ ગયો છે. તેમાંથી 95,943 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 9,893 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,32,625 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 875 નવા કેસ નોંધાયા હતા અને 14 લોકોના મોત થયા હતા. જ્યારે 429 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 40,069 થઈ ગયો છે. જેમાંથી 9,900 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,022 લોકોના મોત થયા છે અને 28,147 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના આંકડાઓ પ્રમાણે , દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 1,13,07,002 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 2,82,511 ટેસ્ટ કરાયા હતા.

July 10, 2020
up_lockdown.jpg
1min4920

ઉત્તરપ્રદેશની યોગી સરકારે કોરોના વાયરસના સંક્રમણના વધતા કેરને ધ્યાનમાં રાખીને ફરીથી લોકડાઉન જાહેર કરી દીધું છે. ૧૦ જુલાઈના રોજ રાત્રિના ૧૦ વાગ્યાથી ૧૩ જુલાઈના રોજ સવારે પાંચ વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન રહેશે. સરકારે યુપીમાં વધતા કોરોનાના કહેરના કારણે આ કડકાઈ પૂર્વક નિર્ણય લીધો છે. આગામી ત્રણ દિવસની અંદર કડકરીતે લોકડાઉનનું પાલન કરવામાં આવશે. આ દરમિયાન દરેક સંસ્થાઓ, બજાર, ઓફીસ, સરકારી ઓફીસ અને ખાનગી ઓફિસો પણ બંધ રહેશે. જયારે આવશ્યક સેવાઓ માટે પરવાનગી છે. આ દરમિયાન સાર્વજનિક સાધનોની સાથે રોડવેઝ બસોની આવનજાવન પણ બંધ રહેશે.

યુપીના મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારીએ કહ્યું હતું કે. કોવિડ-૧૯ની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી તથા અન્ય રોગોને પણ ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રાજ્યમાં ૧૦ જુલાઈ રાત્રિના ૧૦ વાગ્યાથી ૧૩ જુલાઈ સવારે ૫ વાગ્યા સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે.

July 10, 2020
corona_india.jpg
1min6370

અમેરિકામાં અને બ્રાઝીલ બાદ દેશમાં પ્રત્યેક દિવસે સૌથી વધારે કેસ ભારતમાં સામે આવી રહ્યા છે. આજે દેશમાં 24 કલાકમાં 26 હજારથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા આઠ લાખને નજીક પહોંચી ગઈ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધી 7,93,802 કેસ નોંધાયા છે. જેમાંથી 21,604 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 4,95,000 લોકો સાજા પણ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,506 નવા કેસ સામે આવ્યા છે અને 475 લોકોના મોત થયા છે. 

આંકડા મુજબ, દેશમાં હાલ 2,76,000 એક્ટિવ કેસ છે. જેમાં સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 93 હજારથી વધારે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારબાદ બીજા નંબરે તમિલનાડુ, ત્રીજા નંબર પર દિલ્હી, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમાં નંબર પર પશ્ચિમ બંગાળ છે. 

July 9, 2020
corona-gujarat.jpg
1min5970

ગુજરાતમાં સતત પાંચમા દિવસે કોરોના પોઝિટિવ કેસનો વિક્રમ ૭૮૩ કેસનો રચાયો છે. એમાંય સુરતના કુલ ૧૭૩ કેસની નવી સપાટી રચી છે એમાં મહાનગરના જ ૨૧૫ કેસ છે જ્યારે વિવિધ તાલુકાના મળી નવા ૫૮ કેસ આવ્યા છે એ પણ એક વિક્રમ છે. બીજી તરફ અમદાવાદ મહાનગરમાં ઓચિંતા ઘટતાં કેસનો સીલસીલો યથાવત રહેતાં ૨૦ એપ્રિલ પછી પહેલી વખત ૧૪૯ કેસ નોંધાયા છે એ જ રીતે જિલ્લાનો આંક બીજા દિવસે પણ સીંગલ ડીજીટ થઇ ગયો છે. સૌથી યોગાનુયોગ એ છે કે સુરત અને અમદાવાદમાં મૃત્યુ આંક ૫-૫ દર્દીનો નોંધાયો છે એની સાથે રાજકોટમાં ૩ દર્દી, જામનગર, મોરબી અને અમરેલીમાં ૧-૧ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.

વડોદરામાં હવે લગભગ સમગ્ર શહેરમાં સંક્રમણ પ્રસરી રહ્યું હોવાથી અહીં પણ અમદાવાદની જેમ ધનવંતરી રથનો પ્રયોગ સાથે ઘરે ઘરે જઇ રેપિડ ટેસ્ટ, હેલ્થ ચેકઅપની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરા મહાનગરમાં નવા ૫૫ કેસ મળ્યા છે જ્યારે ગ્રામ્યમાં ૧૨ નવા કેસ આવ્યા છે. સૌરાષ્ટ્રમાં સંક્રમણ હવે મોટા પાયે પ્રસરી રહ્યું છે. રાજકોટ શહેરમાંથી ૨૬ નવા કેસ અને ૩ દર્દીના મોત નોંધાય છે. ધોરાજી સહિતના અન્ય તાલુકાઓમાં ૧૩ નવા કેસ ઉમેરાયા છે. આ જ રીતે ભાવનગરમાં ૧૨ કેસ, ગ્રામ્યના ૭ મળી ૧૯ કેસ નવા ઉમેરાયા છે.

ગાંધીનગર શહેરમાંથી નવા આઠ દર્દી અને તાલુકાઓમાંથી ૧૧ કેસ નવા મળ્યા છે. જામનગરમાં સંક્રમિત વિસ્તારોમાંથી નવા ૮ કેસ, ગ્રામ્યમાંથી એક કેસ અને એક સારવાર હેઠળના દર્દીનું મૃત્યુ ઉમેરાયું છે. જૂનાગઢ મહાનગરામં નવા ૭ કેસ અને તાલુકાઓમાંથી ચાર કેસ મળ્યા છે.

જિલ્લાઓમાં ફરીથી વલસાડ જિલ્લામાં ૨૭ કેસ નવા નોંધાયા છે. દાહોદમાં ૧૮, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં ૧૬-૧૬ કેસ ઉમેરાયા છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠામાં ૧૫-૧૫ કેસ, સાબરકાંઠા ૮, પાટણ, ૪, અરવલ્લી ૨ કેસ નોંધાયા છે.

July 9, 2020
vikas_Dubey.jpg
1min12440

મધ્ય પ્રદેશ પોલીસની ટીમે કાનપુરના 8 પોલીસમેનોની હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબેની ઉજ્જૈન મહાકાલી મંદિરમાંથી 8મી જુલાઇની મધરાતે ધરપકડ કરી લીધી છે. વિકાસ દુબે પર 8 પોલીસકર્મીઓનો હત્યાનો આરોપ છે. પોલીસે તેના પાંચ સાથીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે જ્યારે અન્ય કેટલાકની ધરપકડ કરી છે. 

અગાઉ વિકાસ દુબેના બે સાથી પ્રભાત મિશ્રા અને બદઆ દુબેને પોલીસે ઠાર માર્યા હતો. પોલીસે જણાવ્યું છે કે, કાનપુર ટીમ ફરીદાબાદમાંથી વિકાસ પ્રભાત મિશ્રાની ધરપકડ કરી હતી. કાનપુરત લાવતી વખતે તેણે પોલીસની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન તેણે પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં પ્રભાને ગોળી વાગી ગઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાંજ વિકાસન દુબેનો બીજો સાથી બદઆ દુબેને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. આ જાણકારી ઈટાવા એસએસપી આકાશ તોમરે આપી છે. 

July 8, 2020
corona-gujarat.jpg
1min5240

સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જે પૈકી અમદાવાદ અને સુરતમાં સતત કોરોના વાયરસના નવા કેસ નોંધાઈ રહ્યા છે. હવે દરરોજ અમદાવાદ કરતા સુરતમાં કોરોના વાયરસના વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં તા.7મી જુલાઇના દિવસના 24 કલાકમાં કોરોના વાયરસના નવા 249 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના 76 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 187 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના 124 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 7 દર્દીઓના જ્યારે સુરતમાં 6 દર્દીઓના મોત થયા છે.

અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 22,262 કેસ નોંધાયા છે જે પૈકી કુલ 17,089 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 1498 દર્દીઓના મોત થયા છે. જ્યારે સુરતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 6458 કેસ નોંધાયા છે જે પૈકી કુલ 4185 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. સુરતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 194 દર્દીઓના મોત થયા છે.

સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી જ રહી છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે 700 પાર કેસ નોંધાયા છે. ગુજરાતમાં 24 કલાકમાં વધુ નવા 778 કેસ નોંધાતા હવે કુલ આંકડો પણ 37,636 પર પહોંચ્યો છે. નવા કેસમાં અમદાવાદમાં 187, સુરતમાં 249 જ્યારે વડોદરામાં વધુ 68 કેસનો પણ સમાવેશ થાય છે. જ્યારે 24 કલાકમાં વધુ 421 દર્દીઓ સ્વસ્થ થતાં રાજ્યમાં કુલ સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ 26744 થયો છે.

July 8, 2020
covid_cia.jpg
3min4870

India has one of the lowest COVID-19 cases per million in worldPTIIndia has one of the lowest COVID-19 cases per million in the world. Union Health Ministry said, according to World Health Organization Situation Report, India’s cases per million population is around 505 while the global average is at over one thousand 453.Chile has witnessed around 15,459 cases of COVID-19 per million population, while US over 8,500, Brazil over 7,419 and Spain witnessed over 5,358 cases per million population.

The WHO Situation Report also shows that India has one of the lowest deaths per million population. India’s cases of death per million population is around 14 while the global average is more than its four times, at 68.The Ministry said, India has ramped up the hospital infrastructure to adequately and effectively manage the cases. The preparedness included arrangement of oxygen support, ICU and ventilator facilities.

As on today (7 july) , there are over 1200 Dedicated COVID Hospitals, two thousand 611 Dedicated COVID Healthcare Centres and nine thousand 909 COVID Care Centres to look after COVID patients from those with very severe to very mild symptoms. Early detection and timely effective clinical management of COVID-19 cases have resulted in increasing daily recoveries.

During the last 24 hours, a total of 15,515 COVID-19 patients have been cured, taking the cumulative figure of recovered cases to more than 4,39,000. The Ministry said, due to coordinated efforts at all levels of the national and State governments for prevention, containment and management of COVID-19 are showing encouraging results with consistently increasing gap between recoveries and active cases.

As on date, there are over one lakh 80 thousand recovered cases more than the active COVID-19 cases.The recovery rate among COVID-19 patients has increased to 61.13 per cent yesterday. Presently, there are over 3, 59,000 active cases and all are under medical supervision.The Ministry said, more than two lakh tests being conducted per day. During the last 24 hours more than 3, 41,000 samples have been tested. With this, the nationwide samples tested for COVID-19 reached to over one crore two lakh

દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે સ્વાસ્થ મંત્રાલયે મંગળવારે દાવો કર્યો છે કે, ભારતમાં દસ લાખની વસતી પર કોરોના સંક્રમણવા કેસ અને મૃત્યુનું પ્રમાણ દુનિયાના અન્ય દેશોની તુલનામાં ઓછુ છે. મંત્રાલયે 6 જૂલાઇએ વિશ્વ સ્વાસ્થ સંગઠનની એક રિપોર્ટને હવાલે જણાવ્યુ કે ભારતમાં પ્રતિ દસ લાખ વસતી પર કોરોના સંક્રમણના કેસનો આંકડો 505.37 છે જ્યારે વૈશ્વિક સરેરાશ 1453.25 છે. ચિલીમાં પ્રતિ દસ લાખની વસકી પરર 15,459.8 કેસ છે જ્યારે પેરુમાં આ પ્રમાણ 9070.8 છે.

વિશ્વ સ્વાસ્થ સંગઠનની રિપોર્ટ અનુસાર પ્રતિ દસ લાખની વસ્તી પર અમેરિકામાં 8,560.5 કેસ, બ્રાઝિલમાં 7,419.1, સ્પેનમાં 5,358.7, રશિયામાં 4,713.5, બ્રિટનમાં 4,204.4, ઇટાલીમાં 3,996.1 અને મેક્સિકોમાં 1,955.8 કેસ છે. આ સાથે પ્રતિ દસ લાખની વસતી પર ભારતમાં મૃત્યુના કેસ 14.27 છે જ્યારે વૈશ્વિક સરેરાશ કેસ 68.29 છે. રિપોર્ટ મુજબ બ્રિટનમાં પ્રતિ દસ લાખ વસતી પર 651.4 મોતના કેસ છે. જ્યારે સ્પેનમાં 607.1, ઇટાલીમાં 576.6, ફ્રાન્સમાં 456.7, અમેરિકામાં 391.0, પેરુમાં 315.8, બ્રાઝિલમાં 302.3 અને મેક્સિકોમાં 235.5 મોતના કેસ છે. 

બીજી તરફ દેશમાં કોરોના સંક્રમણના કેસો વધીને સાત લાખને પાર પહોંચી ગયા છે જ્યારે કુલ મૃત્યુઆંક પણ વધીને 20 હજારની ઉપર નીકળી ગયો છે. 

સ્વાસ્થ મંત્રાલયે કહ્યુ કે કોરોના સંક્રમણના કેસોને લઇને ભારતમાં સ્વાસ્થ પ્રણાલીમાં સતત સુધારો થઇ રહ્યો છે. 

July 7, 2020
cbse.jpg
2min21380

દેશના અન્ય રાજ્યોના બોર્ડ ટૂંક સમયમાં આ પગલાને અનુસરશે

Jayesh Brahmbhatt 98253 44944

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઇએ આજે તા.7મી જુલાઇએ સાંજે એવી જાહેરાત કરી છે કે ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21માં ઉદભવેલી કોવીડ 19ની અસામાન્ય સ્થિતિને કારણે હાલમાં ચાર મહિનાનો અભ્યાસ વેડફાઇ ચૂક્યો છે અને હજુ પણ કેટલો સમય વેડફાશે એ નિશ્ચિત ન હોઇ, આ વર્ષે ધો.12 અને ધો.9ના વિદ્યાર્થીઓ માટે સિલેબસ ઘટાડી નાંખવામાં આવે છે.

શાળાઓ, શિક્ષકોને ઘટાડેલા સિલેબસ અનુસાર અભ્યાસ કરાવવા સૂચના

સીબીએસઇએ સ્કુલો, આચાર્યો તેમજ શિક્ષકોને સૂચના આપી છે કે હાલ થઇ રહેલા ઓનલાઇન ટીચીંગમાં ઘટાડેલા સિલેબસ અનુસાર વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે. જે સિલેબસ પાર્ટ ઘટાડાયો છે તેનું આંતરીક મૂલ્યાંકન પણ કરાવાનું નથી.

For complete details click link below

http://cbseacademic.nic.in/Revisedcurriculum_2021.html

સીબીએસઇએ ટ્વીટ કરીને માહિતી આપી

ઘટાડેલો સિલેબસની માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ

Also Read on this web

July 7, 2020
corona-gujarat.jpg
1min5870

ગુજરાતમાં કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત અમદાવાદમાં હવે સ્થિતિ ઝડપથી સુધરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં હવે કોરોનાના નવા કેસની સંખ્યા કરતા ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ સુરતમાં સતત ત્રીજા દિવસે 200થી વધુ કેસ નોંધાયા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 201 નવા કેસ નોંધાયા છે.

અમદાવાદમાં હવે કોરોનાની સ્થિતિ સુધરી રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોવિડ-19ના 168 નવા કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 235 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 15 નવા કેસ નોંધાયા છે અને પાંચ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સાત લોકોના મૃત્યુ થયા છે. આમ અમદાવાદમાં કેસ અને મૃત્યુઆંક સતત ઘટી રહ્યો છે.

કોરોના વાયરસના કેસની સંખ્યામાં ગુજરાતમાં હવે સુરત પ્રથમ ક્રમે આવી ગયું છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 201 કેસ નોંધાયા છે જ્યારે 42 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લાની વાત કરીએ તો 40 નવા કેસ નોંધાયા છે અને 44 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં ચાર અને સુરત જિલ્લામાં બે લોકોના મૃત્યુ થયા છે.

સુરતમાં કોરોનાના સતત વધી રહેલા કેસના કારણે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાતે સુરતની મુલાકાતે જઈ આવ્યા છે. મુખ્યમંત્રીએ સુરતમાં 100 કરોડના ખર્ચે બે કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સુરત માટે 200 વેન્ટિલેટર્સ મોકલવામાં આવ્યા છે.