CIA ALERT

વાયરલ Archives - Page 28 of 80 - CIA Live

March 11, 2022
india_vs_srilanka.jpg
1min677

ભારત અને શ્રીલંકાની ટીમ વચ્ચે અહીંના એમ. ચિદબંરમ સ્ટેડિયમ પર શનિવારથી ડે-નાઇટ ટેસ્ટ મેચ શરૂ થશે. પિન્ક બોલથી રમાનાર બીજા ટેસ્ટ પૂર્વે ભારતીય ટીમ સખત નેટ પ્રેક્ટિસ કરી રહી છે. ટીમના અભ્યાસ સત્ર દરમિયાનના કેટલાક ફોટો બીસીસીઆઇએ આજે ટ્વિટર પર શેર કર્યા છે. જેમાં જોવા મળે છે કે કોચ રાહુલ દ્રવિડનાં માર્ગદર્શનમાં ખેલાડી સખત પ્રેક્ટિસ કરી રહ્યા છે. પહેલા ટેસ્ટમાં શ્રીલંકા સામેની એક દાવ અને 222 રનની મહાજીત બાદ ટીમ ઇન્ડિયા ડે-નાઇટ ટેસ્ટમાં પણ વધુ એક મહાવિજયનો વિશ્વાસ ધરાવે છે. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા શ્રીલંકાનો 2-0થી ક્લીનસ્વીપ કરવા ઉત્સુક છે. ભારતીય ઇલેવનમાં જયંત યાદવનાં સ્થાને અક્ષર પટેલની વાપસી નિશ્ચિત માનવામાં આવે છે.
બીજા ટેસ્ટ દરમિયાન ફરી એકવાર તમામની નજર વિરાટ કોહલી પર રહેશે. તે પાછલા 27 મહિનાથી સદીથી વંચિત છે. ખાસ વાત એ છે કે તેણે છેલ્લી ઇન્ટરનેશનલ સદી બાંગલાદેશ વિરુદ્ધ 2019માં કોલકતામાં ડે-નાઇટ ટેસ્ટ દરમિયાન જ ફટકારી હતી. આથી ચાહકોને આશા છે કે કોહલી ફરી ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકાશે.

February 24, 2022
cia_edu-1280x925.jpg
7min653

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.11-12 સાયન્સ અને કોલેજોના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા અને ભવિષ્યમાં પ્યોર સાયન્સ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના ચલાવી રહી છે. વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સ્કોલરશીપ મળે તે માટે કેવીપીવાય નામની એપ્ટીટ્યુડ ટેસ્ટ દર વર્ષે લેવામાં આવે છે. 2021માં કોવીડ પેન્ડેમિકના સંજોગોવસાત્ નહીં લઇ શકાયેલી કેવીપીવાય પરીક્ષા હવે આગામી તા.22મી મે 2022ના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે.

અગાઉ કેવીપીવાય 2021ની પરીક્ષા તા.9મી જાન્યુઆરી 2022ના રોજ લેવાનાર હતી પરંતુ, એ સમયે કોવીડ-19ની ત્રીજી લહેરમાં ભારતમાં સૌથી વધુ કેસો મળી રહ્યા હોઇ, આ પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી. હવે આ પરીક્ષા 22મી મેએ લેવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન ગત સપ્ટેમ્બર 2021માં જ પૂરા થઇ ચૂક્યા છે. જેમણે સપ્ટેમ્બર 2021 સુધીમાં કેવીપીવાય પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.

સુરત શહેરમાં પણ લેવાશે કેવીપીવાય પરીક્ષા

સુરત શહેરને પણ આ વર્ષે પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે. અત્યાર સુધી સુરતમાંથી પરીક્ષા આપવા ઇચ્છતા હજારો વિદ્યાર્થીઓએ વડોદરા કે અમદાવાદ સુધી પરીક્ષા આપવા જવું પડતું હતું. પરંતુ હવેથી સુરત શહેરમાં જ કેવીપીવાય પરીક્ષા લેવામાં આવશે.

પરીક્ષા કેન્દ્રોની માહિતી નીચે અંગ્રેજી આર્ટીકલ સાથે આપવામાં આવી છે.

Kishore Vaigyanik Protsahan Yojana (KVPY) Aptitude Test 2021 will be held on May 22, 2022.

Due to the Covid-19 pandemic situation in India, and the subsequent restrictions and weekend curfew in many states, the KVPY-Aptitude Test 2021 was postponed. Earlier, the KVPY 2021 was scheduled to be held on January 9, 2022. The exam was postponed in the larger interest of the students.

Aptitude Test: Candidates meeting the eligibility criteria for various streams, will be called for aptitude test conducted both in Hindi and English at different centers across the country on Sunday, the 9th January 2022.

KVPY 2021: Admit Card
Students may download the admit card for the aptitude test from the website from the first week of May 2022.


Empowerment initiative in the KVPY Fellowship Program:

A certain number of additional fellowships exclusively for the students belonging to SC/ST community under the various streams as stated above will be operated.

About KVPY

The Kishore Vaigyanik Protsahan Yojana (KVPY) is an on-going National Program of Fellowship in Basic Sciences, initiated and funded by the Department of Science and Technology, Government of India, to attract exceptionally highly motivated students for pursuing basic science courses and research career in science.

The objective of the program is to identify students with talent and aptitude for research; help them realize their academic potential; encourage them to take up research careers in Science, and ensure the growth of the best scientific minds for research and development in the country.

Selection of the students is made from those studying in XI standard to 1st year of any undergraduate Program in Basic Sciences namely B.Sc./B.S./B.Stat./B.Math./Int. M.Sc./M.S. in Mathematics, Physics, Chemistry and Biology having aptitude for scientific research. Special groups / Committees are set up at IISc to screen the applications and conduct an aptitude test at various centres in the country. Based on the performance in the aptitude test, short-listed students are called for an interview which is the final stage of the selection procedure. For receiving a fellowship, both aptitude test and interview marks are considered.

KVPY Aptitude Test 2022 will be held in the following cities across India:

East & North East: 
Bhagalpur, Muzaffarpur, Patna (Bihar), Bhilai nagar, Bilaspur, Raipur  (Chhattisgarh), Bokaro, Dhanbad, Jamshedpur, Ranchi (Jharkhand), Berhampur, Bhubaneshwar,  Cuttack, Rourkela, Sambalpur (Orissa), Naharlagun (Arunachal Pradesh), Dibrugarh, Guwahati, Silchar, Tezpur (Assam), Imphal (Manipur), Shillong (Meghalaya), Agarthala (Tripura), Asansol, Burdwan, Durgapur, Hoogly, Kalyani, Kolkata, Siliguri (West Bengal)
North: 
Chandigarh (Chandigarh), New Delhi (Delhi), Ambala, Faridabad, Gurugram, Hisar, Karnal, Kurukshetra,  Rohtak, Sonipat (Haryana), Jammu (Jammu & Kashmir), Amritsar, Bhatinda, Jalandhar, Ludhiana, Mohali, Patiala (Punjab), Ajmer,  Bikaner, Jaipur, Jodhpur, Sikar, Udaipur (Rajasthan),  Agra, Bareilly, Ghaziabad, Gorakhpur, Jhansi, Kanpur, Lucknow, Meerut, Moradabad, Noida, Prayagraj, Varanasi (Uttar Pradesh), Dehradun, Haldwani, Roorkee (Uttarakhand)
South: 
Kurnool, Rajahmundry, Tirupathi, Vijayawada, Visakhapatnam (Andhra Pradesh), Belagavi, Bengaluru, Bidar, Chikkaballapura, Chikkamangaluru,  Davanagere, Hassan, Hubballi/Dharwad, Kalaburagi,  Mangaluru, Mysuru, Puttur, Shivamogga, Udupi, (Karnataka), Hyderabad, Warangal (Telangana), Alappuzha, Ernakulam, Idukki, Kannur, Kasaragod, Kollam, Kottayam, Kozhikode, Malappuram,  Pathanamthitta, Palakkad, Thiruvananthapuram, Thrissur (Kerala), Puducherry (Puducherry), Chennai, Coimbatore, Kanchipuram, Madurai, Nagercoil, Salem, Tiruchirappalli, Tirunelveli, Vellore (Tamil Nadu)
West & Central: 
Madgoan, Panaji (Goa), Ahamedabad, Anand, Gandhinagar, Rajkot, Surat, Vadodra (Gujarat), Bhopal, Gwalior, Indore, Jabalpur, Ujjain (Madhya Pradesh), Amaravati, Aurangabad, Jalgaon, Kolhapur, Mumbai, Nagpur, Nashik, Navi Mumbai, Pune, Thane (Maharashtra)
February 20, 2022
societynews-1280x1040.jpg
1min517

પ્રત્યક્ષ રીતે સુરતમાં ઉપસ્થિત નહીં રહી શકેલા લાખો લોકો સૌરાષ્ટ અને ઉત્તર ગુજરાતમાં પોતાના ઘરે બેઠા બેઠા સૌરાષ્ટ્ર પટેલ સમાજના લગ્નોત્સવના સાક્ષી બનશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અનેક પ્રકારની સામાજિક ક્રાંતિના પ્રણેતા, અનેક કુરિવાજોથી સમાજને મુક્ત કરાવનાર સૌરાષ્ટ્ર પટેલ સમાજનો આવતીકાલ તા.20મી ફેબ્રુઆરી 2022ના રોજ યોજાઇ રહેલો 63મો સમૂહલગ્નોત્સવ પણ એક મોટી ક્રાંતિને આકાર આપશે. પહેલી વખત આ સમગ્ર લગ્નોત્સવ સમારોહ વર્ચ્યુઅલ (ઓનલાઇન) યોજાઇ રહ્યો છે અને કમસેકમ 10 લાખ લોકો જુદા જુદા ડિજિટલ માધ્યમોથી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહલગ્નોત્સવમાં હાજરી આપશે. વિશ્વમાં આટલી મોટી સંખ્યામાં ઓનલાઇન લોકો જોડાય તેવી આ પહેલી વિક્રમી ઘટના આકાર પામશે.  

વિશ્વની સૌથી મોટી વર્ચ્યુઅલ ઇવેન્ટ બની રહેશે સૌરાષ્ટ્ર પટેલ સમાજનો 63મો સમૂલગ્નોત્સવ, 60 લાખ યુઝર્સનું ફોલોઇંગ ધરાવતા જુદા જુદા સોશ્યલ મિડીયા હેન્ડલ્સ પરથી ઇવેન્ટનું લાઇવ ટેલિકાસ્ટ થશે, અંદાજે 20 ટકા ફોલોઅર્સ પણ જોડાય તો 12 લાખ જેટલા લોકો આ સમૂહલગ્નોત્સવના અપ્રત્યક્ષ વર્ચ્યુઅલ સાક્ષી બનશે

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે જુદા જુદા સોશ્યલ મિડીયા હેન્ડલ્સ, ગ્રુપ્સ, પેજીસ, પર્સનાલિટીઝ, ટીવી ચેનલ્સ વગેરે તમામ મળીને 60 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે એ તમામ પર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજિત 63માં સમૂહ લગ્નોત્સવનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જેમાંથી એવો એક રેન્ડમ અંદાજ છે કે વીસ ટકા લોકો જોડાય તો પણ 12 લાખથી વધુ લોકો અપ્રત્યક્ષ રીતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજિત સમૂહલગ્નોત્સવમાં અપ્રત્યક્ષ વર્ચ્યુઅલ હાજરી આપશે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત આોયોજિત વરર્યુઅલ સમુહલગ્નોત્સ્વમાં ૧૨૨ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. સાંજે ૫ થી ૮ના એક જ સમય દરમિયાન કન્યાપક્ષના અનુકુળ સ્થળે મંડપમાં લગ્નવિધિ યોજાશે. તમામ ૧૨૨ મંડપોનું ડીજીટલી જોડાણ કરી સમગ્ર સમુહલગ્નોત્સ્વનું જીવંત પ્રસારણ જુદા જુદા સોશ્યલ મિડીયા હેન્ડલ્સ પરથી કરવામાં આવશે. એક અંદાજે મુજબ એક સાથે દસ લાખથી વધુ લોકો પોતાના મોબાઇલ ફોન, ટેબ્લેટ્સ, હોમ સ્માર્ટ ટેલિવિઝન, લેપ્ટોપ, કમ્પ્યુટર વગેરે પર આ સમૂહ લગ્નોત્સવને લાઇવ નિહાળશે અને તેમાં સહભાગી બનશે.આ પ્રસંગે મુખ્ય સમારોહ, આશીર્વચન સમારોહનું આયોજન વરાછા રોડ, સૌરાષ્ટ્ર પટેલ ભવન કરવામાં આવ્યું છે. રાકેશભાઈ દુધાતના અધ્યક્ષ સ્થાને યોજાનાર કાર્યક્રમમાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, દિલીપભાઈ સંઘાણી તથા મનહરભાઈ સાસપરાનું જાહેર બહુમાન આ પ્રસંગે કરવામાં આવશે.

BSC તથા MSC માં કુલ ૪ ગોલ્ડમેડલ મેળવનાર કુ. સર્જીતા ગામી, એપલમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે જોબ મેળવનાર મયુર હસમુખભાઈ શંકર તથા માત્ર ૯ માં ભણતા ક્ષીરાજ દિનેશભાઈ ઠુંમર આઈ.આઈ.ટી કાનપુર માં ટ્યુટર (ઇન્ટરશીપ) તરીકે કાર્યકરે છે. આઈ.ટી ના કોડીંગ એક્ષ્પર્ટ છે. બાળકોને પ્રેરણા મળે તેવી સિદ્ધિનું અભિવાદન કરાશે.સાંજે ૫ કલાકે વરર્યુઅલ માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમુહલગ્નોત્સ્વ માં ઉપસ્થિત રહશે ને ૧૨૨ નવયુગલોને શુભઆશિષ પાઠવશે.

February 18, 2022
blast_verdict.jpg
1min523

2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વિશેષ અદાલતે આજે તા.18મી ફેબ્રુઆરીને, શુક્રવારે સવારે 49 દોષિતોને સજા સંભળાવી છે. જેમાં 38ને મૃત્યુદંડની સજા જ્યારે 11ને આજીવન કેદની સજા આપવાનો હુકમ વિશેષ અદાલતે કર્યો છે. અમદાવાદ બોંબ બ્લાસ્ટ કેસના દોષિતોને સજા સંભળાવવાની હોવાથી સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સ્થિત વિશેષ કોર્ટ અને તેની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને સજા માટે 18 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 2008માં અમદાવાદના વિસ્તારોમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. સ્પેશિયલ જજ એ.આર.પટેલની કોર્ટે આદેશ પસાર કરવાની તારીખ 18 ફેબ્રુઆરી નક્કી કરી હતી અને આજે શુક્રવારે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો.

આ લોકોને ન્યાય મળ્યો

બોમ્બ વિસ્ફોટો 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયા હતા. 70 મિનિટમાં 56 લોકોના મોત થયા હતા. આ બોમ્બ વિસ્ફોટોમાં 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાના બાદ આ કેસ 13 વર્ષથી વધુ સમય સુધી કોર્ટમાં ચાલ્યો અને ગયા અઠવાડિયે વિશેષ અદાલતે 49 લોકોને દોષિત જાહેર કર્યા હતા અને અન્ય 28 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.

કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 77 આરોપીઓ સામે ટ્રાયલની કાર્યવાહી પૂરી કરી હતી. ટ્રાયલ હેઠળના 78 આરોપીઓમાંથી એક સરકારી સાક્ષી બન્યો હતો. પોલીસનો દાવો છે કે આરોપીઓ આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલા હતા. ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓએ 2002ના ગોધરા રમખાણોનો બદલો લેવાનું કાવતરું ઘડ્યું હોવાનો આરોપ છે.

February 8, 2022
blast_verdict.jpg
2min482

2008માં અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો આજે Dt.8/2/22 જાહેર થઈ ગયો છે. સ્પેશિયલ કોર્ટના જજ એ.આર. પટેલે આ કેસનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જે આરોપીઓને દોષિત જાહેર કરાયા છે તેમને 09 ફેબ્રુઆરીના રોજ સજા સંભળાવવામાં આવી શકે છે.

આ લોકો અમદાવાદના ગુનેગાર

  • ઈમરાન શેખ,
  • ઈકબાલ શેખ,
  • સમશુદ્દીન શેખ,
  • ગ્યાસુદ્દીન અન્સારી,
  • મહોમંદ આરીફ,
  • મહમંદ ઉસ્માન,
  • યુનુસ મન્સુરી,
  • કમરુદ્દીન નાગોરી,
  • આમીલ શેખ,
  • સિબલી અબ્દુલ કરીમ,
  • સફદર હુસૈન નાગોરી,
  • હાબિદ હુસૈન મુલ્લા,
  • મહંમદ સાજિદ,
  • મુક્તિ અબુ બશર,
  • અબ્બાસ સમેજા,
  • જાવેદ શેખ,
  • અતિકુર રહેમાન,
  • મહેંદી હસન,
  • ઈમરાન શેખ,
  • ઉમર કબીરા,
  • સલીમ સિપાહી,
  • અફઝલ ઉસ્માની,
  • મહંમદ સાદિક,
  • મહંમદ આરીફ,
  • આસિફ, રફિયુદ્દીન,
  • મહંમત આરીફ,
  • કયામુદ્દીન કાપડિયા,
  • મહંમત સૈફ,
  • જિશાન અહેમદ,
  • જિયાઉલ રહેમાન,
  • મહંમદ શકીલ,
  • અનિક,
  • મહંમદ અકબર,
  • ફઝલ રહેમાન,
  • મહંમદ નૌશાદ,
  • અહમદ બાવા,
  • સફરુદ્દીન,
  • સૈફુર રહેમાન,
  • મહંમદ અન્સાર,
  • સાદુ અલી,
  • મહંમદ તનવીર પઠાણ,
  • મહંમદ શકીલ,
  • આમીન ઉર્ફે રાજા,
  • મહંમદ મૌમીન,
  • મહંમદ અબરાર,
  • મહંમદ રફી ઉર્ફે જાવીદ

77માંથી 28 જેટલા આરોપીઓને શંકાનો લાભ આપીને કોર્ટે નિર્દોષ છોડી દેવાનો હુકમ કર્યો છે. પોલીસે આ કેસમાં 77 આરોપીઓની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યારે આઠ આરોપી હજુય નાસતા ફરે છે. શહેરને હચમચાવી દેનારી આ ઘટનામાં 56 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે 244 ઈજાગ્રસ્ત થયા હતા.

સિરિયલ બ્લાસ્ટમાં ટિફિન, સ્કૂટર તેમજ કારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાંય ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા હતા ત્યારે ત્યાં પણ પ્રચંડ વિસ્ફોટ થતાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી તેમજ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ કેસમાં કુલ 1163 લોકોને સાક્ષી તરીકે કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. કાયદાકીય કાર્યવાહીમાં વધુ વિલંબ ના થાય તે માટે 1237 સાક્ષીઓને પડતા મૂકવામાં આવ્યા હતા. આ કેસમાં મોટાભાગના સાક્ષીઓએ ફીટ જુબાની આપી હતી. અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા બાદ સુરતમાં પણ અલગ-અલગ વિસ્તારોમાંથી બોંબ મળી આવ્યા હતા. અમદાવાદમાં 20 અલગ-અલગ સ્થળોએ 21 બ્લાસ્ટ થયા હતા, જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનો પણ સમાવેશ થાય છે. આ મામલે અમદાવાદમાં 20 અને સુરતમાં 15 ફરિયાદ નોંધાઈ હતી.

February 3, 2022
cia_multi-1280x1045.jpg
3min714

Jayesh Brahmbhatt 98253 44944

ભારતમાં સિવિલ સર્વિસીઝ, સનદી સેવા અધિકારીઓની જુદી જુદી 26 જેટલી કેડર માટે ભરતી પ્રક્રિયા કરતી સંસ્થા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ બુધવાર, તા.2 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે 2022ના ચાલુ કેલેન્ડર વર્ષમાં સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા તા.5 જૂને લેવામાં આવશે. કુલ 861 પોસ્ટ માટે આ પરીક્ષા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા અને ભારતીય પોલીસ સેવા, અન્યો વચ્ચેના અધિકારીઓની પસંદગી માટે સિવિલ સેવાઓની પરીક્ષા વાર્ષિક ત્રણ તબક્કામાં લેવામાં આવે છે – પ્રીલીમ્સ, મુખ્ય અને ઇન્ટરવ્યુ.

પ્રીલીમનરી પરીક્ષા દ્વારા શરૂ કરાયેલી ભરતી પ્રક્રિયાના અંતે કુલ 861 જેટલી સનદી અધિકારીઓની ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂંકો અપાશે. આ પ્રક્રિયામાં વિકલાંગતા કેટેગરી ધરાવતી વ્યક્તિઓ માટે 34 જગ્યાઓ આરક્ષિત કરવામાં આવી છે.

સનદી સેવા અધિકારીઓમાં પણ પુરુષ અને મહિલા ઉમેદવારોની સંખ્યાનું સંતુલન જળવાય રહે તે માટે ખાસ મહિલા ઉમેદવારો આ પરીક્ષા વધુને વધુ સંખ્યામાં આપે તે માટે મહિલા ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે તમામને કહેવામાં આવી રહ્યું છે.

કોઇપણ સ્નાતક (ગ્રેજ્યુએટ) ઉમેદવારો www.upsconline.nic.in વેબસાઇટ પર યુપીએસસી પ્રીલીમનરી પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી સાંજે 6 વાગ્યા સુધી છે.

1 માર્ચથી 7 માર્ચ સુધી સાંજે 6 વાગ્યા સુધી ઓનલાઈન અરજીઓ પાછી ખેંચી શકાશે.

જે ઉમેદવારો ચાલુ વર્ષે ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષની પરીક્ષા આપવાના છે તેઓ પણ આ પરીક્ષા આપી શકે છે

In English

Civil services preliminary examination 2022 will be held on June 5 to fill 861 posts, the Union Public Service Commission (UPSC) said on Wednesday 2nd February 2022. The civil services examination is conducted annually in three stages — preliminary, main and interview — to select officers of Indian Administrative Service, Indian Foreign Service and Indian Police Service, among others.

The number of vacancies to be filled through the examination is expected to be approximately 861 which include 34 vacancies reserved for persons with benchmark disability category — seven for candidates of blindness and low vision, 11 for deaf and hard of hearing, and eight for locomotor disability.

The final number of vacancies may change after getting the exact number of vacancies from cadre controlling authorities, the UPSC said.

In a notification, it said the civil services preliminary examination will be held on June 5, 2022.
“The government strives to have a workforce which reflects gender balance and women candidates are encouraged to apply,” it said.

Candidates can apply online at www.upsconline.nic.in. The last date for sending online applications is Feb 22 till 6 pm.

Online applications can be withdrawn from March 1 to March 7 till 6 pm.

“No request for withdrawal of candidature will be entertained after the expiry of the specified period by the commission under any circumstances,” the notification said.

January 24, 2022
sensex_down.jpg
1min730

શેરબજારનો ઘટાડો સતત આગળ વધી રહ્યો છે અને તેનું તળિયું દેખાતું નથી. આજે સતત પાંચમા સત્રમાં શેરમાર્કેટમાં ઘડાડો થયો હતો. પાંચ સેશનની અંદર સેન્સેક્સ (Sensex) 3500 પોઇન્ટ જેટલો ઘટી ગયો છે. આ લખાય છે ત્યારે સેન્સેક્સ 1850 પોઇન્ટ ઘટીને 57186 પર હતો. અગાઉ લગભગ 1.40 વાગ્યે સેન્સેક્સ 2000 પોઇન્ટ સુધી ઘટી ગયો હતો.

સેન્સેક્સના તમામ 30 શેર રેડ ઝોનમાં હતા જેમાં બજાજ ફાઈનાન્સમાં સૌથી વધુ 6.46 ટકા, ટાટા સ્ટીલમાં 6.32 ટકા અને ટાઇટનના શેરમાં 5.93 ટકાનો ઘટાડો થયો હતો. ટેક મહિન્દ્રા, વિપ્રો અને એચસીએલ ટેકના શેર 5.63 ટકાથી લઈને 5.52 ટકા સુધી ઘટ્યા હતા.

બજેટ અગાઉના સપ્તાહમાં માર્કેટ નર્વસ જણાય છે. મંગળવારથી યુએસ ફેડ (US Fed)ની બે દિવસની મિટિંગ શરૂ થાય છે તે અગાઉ ચિંતા પ્રવર્તે છે. આ ઉપરાંત આ સપ્તાહમાં માસિક ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ (Derivative Contract) ની એક્સપાયરી છે.

માર્કેટ ખુલ્યાના એક કલાક પછીની સ્થિતિની વાત કરીએ તો વોડાફોન આઇડિયા (Vodafone Idea) ત્રણ ટકા ઘટ્યો હતો જ્યારે યસ બેન્કનો શેર ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટના રિએક્શનથી બે ટકા ઊંચકાયો હતો.

રેલિગેર બ્રોકરેજના વીપી, રિસર્ચ અજિત મિશ્રાએ જણાવ્યું કે, યુએસ ફેડ દ્વારા રેટમાં વધારાને લગતી અનિશ્ચિતતાથી બજારમાં ભયનો માહોલ છે. રોકાણકારો હવે 26 જાન્યુઆરીએ FOMCની બેઠકના તારણો અંગે સ્પષ્ટતા માંગે છે.

માર્કેટમાં સળંગ પાંચ દિવસના ઘટાડાના કારણે રોકાણકારોએ રૂ. 14 લાખ કરોડની સંપત્તિ ગુમાવી છે. આ સપ્તાહમાં 26મી જાન્યુઆરીએ બજાર બંધ રહેશે. આ ઉપરાંત રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે. રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ કરવામાં આવશે તો ભૂરાજકીય ચિંતામાં વધારો થશે.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું કે અત્યારે FPI મોટી વેચવાલી કરી રહ્યા છે જે બજાર માટે મુશ્કેલી પેદા કરે છે. રોકાણકારોએ અત્યાર વધુ સાવધ રહેવાની જરૂર છે.

સેન્સેક્સના શેરોમાં એશિયન પેઇન્ટ્સ (Asian Paints) 2.16 ટકા ઘટીને રૂ. 3203 હતો જ્યારે ટેક મહિન્દ્રા (Tech Mahindra) 1.19 ટકા ઘટીને રૂ. 1563 હતો. બજાજ ફિનસર્વ, વિપ્રો (Wipro), ઇન્ફોસિસ (Infosys), HCL ટેક્નોલોજી અને બજાજ ફાઇનાન્સ (Bajaj Finance)ના શેર પણ 1.8 ટકા સુધી ઘટ્યા હતા. એક્સિસ બેન્ક (Axis Bank) અને ટાઇટન (Titan)ના શેરમાં એક ટકાનો ઘટાડો થયો હતો.

આજે મારુતિ સુઝુકી 1.2 ટકા વધીને રૂ. 8287 પર હતો. પાવર ગ્રીડ, ઇન્ડસઇન્ડ બેન્ક, ICICI બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં એક ટકાનો વધારો થયો હતો.

January 22, 2022
ipl.png
8min512
IPL 2022 Mega Auction Date, Team Wise Players List @ www.iplt20.com

2 કરોડની બેઝ પ્રાઇઝ ધરાવતા ક્રિકેટર્સ

  • R Ashwin,
  • Yuzvendra Chahal,
  • Deepak Chahar,
  • Shikhar Dhawan,
  • Shreyas Iyer,
  • Mohammed Shami,
  • Devdutt Padikkal,
  • Krunal Pandya,
  • Harshal Patel,
  • Suresh Raina,
  • Ambati Rayudu,
  • Shardul Thakur,
  • Robin Uthappa,
  • Umesh Yadav, 
  • Dinesh Karthik,
  • Ishan Kishan,
  • Bhuvneshwar Kumar
  • Mujeeb Zadran,
  • Ashton Agar,
  • Nathan Coulter-Nile,
  • Pat Cummins,
  • Josh Hazlewood,
  • Mitchell Marsh,
  • Steve Smith,
  • Matthew Wade,
  • David Warner,
  • Adam Zampa,
  • Shakib Al Hasan,
  • Mustafizur Rahman,
  • Sam Billings,
  • Saqib Mahmood,
  • Chris Jordan,
  • Craig Overton,
  • Adil Rashid,
  • Jason Roy,
  • James Vince,
  • David Willey,
  • Mark Wood,
  • Trent Boult,
  • Lockie Ferguson,
  • Quinton de Kock,
  • Marchant de Lange,
  • Faf du Plessis,
  • Kagiso Rabada,
  • Imran Tahir,
  • Fabian Allen,
  • Dwayne Bravo,
  • Evin Lewis,
  • Odean Smith

1.5 કરોડની બેઝ પ્રાઇઝ ધરાવતા ક્રિકેટર્સ

  • Amit Mishra,
  • Ishant Sharma,
  • Washington Sundar,
  • Aaron Finch,
  • Chris Lynn,
  • Nathan Lyon,
  • Kane Richardson,
  • Jonny Bairstow,
  • Alex Hales,
  • Eoin Morgan,
  • Dawid Malan,
  • Adam Milne,
  • Colin Munro,
  • Jimmy Neesham,
  • Glenn Phillips,
  • Tim Southee,
  • Colin Ingram,
  • Shimron Hetmyer,
  • Jason Holder,
  • Nicholas Pooran.

1 કરોડની બેઝ પ્રાઇઝ ધરાવતા ક્રિકેટર્સ

  • Manish Pandey,
  • Piyush Chawla,
  • Prasidh Krishna,
  • T Natarajan,
  • Ajinkya Rahane,
  • Nitish Rana,
  • Wriddhiman Saha,
  • Kedar Jadhav,
  • Kuldeep Yadav,
  • Jayant Yadav,
  • Mohammad Nabi,
  • James Faulkner,
  • Moises Henriques,
  • Marnus Labuschagne,
  • Riley Meredith,
  • Josh Philippe,
  • Liam Livingstone,
  • Tymal Mills,
  • Aiden Markram,
  • Rilee Rossouw,
  • Tabraiz Shamsi,
  • Rassie van der Dussen,
  • Wanindu Hasaranga,
  • Roston Chase,
  • Sherfane Rutherford, 
  • D’arcy Short,
  • Andrew Tye,
  • Dan Lawrence, 
  • Ollie Pope,
  • Devon Conway,
  • Colin de Grandhomme,
  • Mitchell Santner

આ પ્લેયર્સની હરાજી નહીં થાય પહેલેથી જ ટીમોએ લઇ લીધા છે

CSKDCKKRMIPBKS
Ravindra JadejaRishabh PantAndre RussellRohit SharmaMayank Agarwal
MS DhoniAxar PatelVarun ChakaravarthyJasprit BumrahArshdeep Singh
Moeen AliPrithvi ShawVenkatesh IyerSuryakumar Yadav
Ruturaj GaikwadAnrich NortjeSunil NarineKieron Pollard
RRRCBSRHTeam AhmedabadTeam Lucknow
Sanju SamsonVirat KohliKane WilliamsonHardik PandyaKL Rahul
Jos ButtlerGlenn MaxwellAbdul SamadRashid KhanMarcus Stoinis
Yashasvi JaiswalMohammed SirajUmran MalikShubman GillRavi Bishnoi
Total of 33 Players have been retained / picked ahead of the Player Auction. The existing 8 IPL Franchises have retained a total of 27 players while the 2 new IPL teams have picked 6 players ahead of the Auction.
January 22, 2022
one_hand_bag.jpg
1min693

મેસ્ટિક પ્રવાસીઓને હવેથી માત્ર એક જ હેન્ડ બેગ લઈ જવાની પરવાનગી આપવામાં આવશે. બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (બીસીએએસ) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના પરિપત્ર મુજબ, ડોમેસ્ટિક મુસાફરોને માત્ર એક જ હેન્ડ બેગ સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવશે.

‘વન હેન્ડ બેગ નિયમ’ તમામ એરપોર્ટ પર લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણય ભીડ અને સુરક્ષાની અન્ય મુશ્કેલીઓને દૂર કરવા તેમજ એરપોર્ટ સ્ક્રીનિંગ પોઈન્ટ પરના ભારણને ઘટાડવાના હેતુથી લેવામાં આવ્યો છે.

19મી જાન્યુઆરીના રોજ બીસીએએસ સાથે વાતચીત કરતાં એક વરિષ્ઠ સીઆઈએસએફના અધિકારીએ પત્રમાં લખ્યું હતું કે, ‘બીસીએએસ ‘એવીએસઈસી’ પરિપત્ર પ્રમાણે, કોઈપણ મુસાફર મહિલાના પર્સ સહિત પરિપત્રમાં અગાઉથી સૂચિત વસ્તુઓ સિવાયની એકપણ હેન્ડબેગ નહીં લઈ જઈ શકે.’

‘જો કે, તેવું જોવામાં આવ્યું હતું કે, સ્ક્રીનિંગ પોઈન્ટ પર મુસાફરો પોતાની પાસે સરેરાશ બેથી ત્રણ હેન્ડ બેગ રાખે છે. તેના કારણે ક્લિયરન્સના સમયની સાથે-સાથે વિલંબ તેમજ ભીડ પણ થાય છે’, તેવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો હતો.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશલ એરપોર્ટના સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે, તમામ એરલાઈન્સને ભીડને હળવી કરવા માટે ‘વન હેન્ડ બેગ’ નિયમ લાગુ કરવા માટે જરૂરી પગલા લેવાની સૂચના આપવામાં આવી છે. સૂત્રોએ તેમ પણ જણાવ્યું હતું કે, એરલાઈન્સને કર્મચારીઓને જ્યારે જરૂરી હોય ત્યારે મુસાફરોને માર્ગદર્શન આપવા અને તેમના હાથનના સામાનની સ્થિતિ ચકાસવા માટે સ્ટાફની નિયુક્તિ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

એરલાઈન્સને તેમની ટિકિટ તેમજ બોર્ડિંગ પાસ પર ‘વન હેન્ડ બેગ નિયમ’ દર્શાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

January 22, 2022
mumbai_fire.jpg
1min693

મુંબઈ શહેરના તાડદેવ વિસ્તારમાં આજે Dated 22/1/22 વહેલી સવારે લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ એક 20 માળની ઈમારતમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આ આગ બિલ્ડિંગના 18મા માળ પર લાગી હતી. અત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઓલવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં સ્થિત ભાટિયા હોસ્પિટલની બાજુની ઈમારતમાં આ આગ લાગી છે.

Mumbai fire, Tardeo building fire: 2 dead, several injured after major fire  at 20-storey building in Tardeo

પ્રાથમિક જાણકારી અનુસાર, મુંબઈના નાના ચૌક પાસે આવેલી જે ઈમારતમાં આગ લાગી છે તેનું નામ કમલા છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકમાં આવેલી ભાટિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક સારવાર પછી બાર લોકોને સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અમુક દર્દીઓની સારવાર આઈસીયુમાં ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, ઈમારતમાં લેવલ 3 આગ લાગી છે. ઘટનાસ્થળ પર અત્યારે 13 જેટલી ફાયર બ્રિગેડ હાજર છે. બીએમસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું કે, અમને જાણકારી મળી છે કે હોસ્પિટલના લોકોએ દર્દીઓને દાખલ કરવાની ના પાડી હતી. અમે તપાસ કરીશું કે આખરે તેમણે આવુ કેમ કર્યું અને આ વાતની જાણકારી બીએમસી કમિશનરને આપવામાં આવશે.

આટલી મોટી આગ લાગી કેવી રીતે તે કારણ હજી સુધી સામે નથી આવી શક્યું. આગને કારણે ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. એવી અટકળો ચાલી રહી છે કે શોર્ટ સર્કિટને કારણે આગની આ ઘટના બની છે. તપાસ પછી જ આગનું સાચું કારણ સામે આવી શકશે. મુંબઈના મેયરે જણાવ્યું કે, નજીકની ભાટિયા હોસ્પિટલમાં બેડ ફુલ થઈ ગયા છે. આસપાસની હોસ્પિટલોને બેડ ખાલી રાખવાની સૂચના આપવામાં આવી છે. લોકોને ઈમારતમાંથી બહાર નીકાળવામાં આવી રહ્યા છે.