CIA ALERT

વાયરલ Archives - Page 15 of 78 - CIA Live

October 3, 2022
india-vs-sa.png
1min391

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-20 સીરિઝની બીજી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવી ત્રણ મેચોની સીરિઝ પર 2-0થી કબજો કરી લીધો છે. હવે ત્રીજી મેચ માત્ર ઔપચારિકતા જ બની રહેશે. ભારતે સાઉથ આફ્રિકાને બીજી ટી-20 મેચમાં 16 રને હરાવી ત્રણ મેચોની સીરિઝ પર 2-0થી કબજો કરી લીધો છે. ભારતે જીત માટે આપેલા 238 રનના લક્ષ્ય સામે સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 3 વિકેટે 221 રન જ બનાવી શકી હતી.

ડેવિડ મિલરે 47 બોલમાં 106 રન ફટકાર્યા હતા અને તે છેક સુધી સાઉથ આફ્રિકાને જીતાડવા માટે ઝઝૂમ્યો હતો અને અણનમ રહ્યો હતો. જ્યારે ક્વિન્ટન ડિ કોક પણ ઓપનિંગથી અંત સુધી ઝઝૂમ્યો હતો, પરંતુ સાઉથ આફ્રિકા માત્ર 16 રન માટે મેચ હારી ગયું હતું. આ પહેલો પ્રસંગ છે કે જ્યારે ભારતીય ટીમે પોતાના ઘરમાં સાઉથ આફ્રિકા સામે ટી-20 સીરિઝ જીતી છે.

સાઉથ આફ્રિકાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને 1 રને જ પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. તેમ્બા બાવુમા ખાતું ખોલાવ્યા વિના જ અર્શદીપનો શિકાર બન્યો હતો. તે પછી ક્વિન્ટન ડિ કોકને સાથ આપવા ક્રિઝ પર ઉતરેલો રિલી રોશૉ પણ શૂન્ય રને અર્શદીપનો શિકાર બન્યો હતો. જોકે, તે પછી એડન માર્કરમે ડિ કોકનો સાથ આપતા 33 રન બનાવ્યા હતા. જોકે, આ જોડીને અક્ષર પટેલે તોડી નાખી હતી. તે પછી ડી કોક સાથે ડેવિડ મિલર જોડાયો હતો. તે ધૂંઆધાર સદી ફટકારી અણનમ રહ્યો હતો. પરંતુ પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો. ભારત તરફથી અર્શદીપે 2 અને અક્ષર પટેલે 1 વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને પહેલા બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટે 237 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેએલ રાહુલ અને રોહિત શર્માએ ધમાકેદાર શરૂઆત કરી હતી. બંનેએ પહેલી વિકેટની ભાગીદારીમાં 96 રન જોડ્યા હતા. કેએલ રાહુલે 28 દડામાં 57 રન અને રોહિત શર્માએ 37 દડામાં 43 રન ફટકાર્યા હતા. રોહિતના આઉટ થયા પછી બેટિંગમાં આવેલા વિરાટ કોહલીએ પણ સાઉથ આફ્રિકાના બોલરોની ધોલાઈ ચાલુ રાખી હતી. 107 રનના સ્કોરે કોહલી અને રાહુલની ભાગીદારી તૂટી હતી. રાહુલના આઉટ થયા પછી કોહલી સાથે સૂર્યકુમાર યાદવ જોડાયો હતો. જોરદાર ફોર્મમાં ચાલી રહેલા સૂર્યકુમાર તો આવતાની સાથે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ શરૂ કરી દીધો હતો. તેણે જોતજોતમાં 22 દડામાં 61 રન ફટકારી દીધા હતા. કમનસીબે તે 61 રનના અંગત સ્કોરે રનઆઉટ થઈ ગયો હતો. તે પછી વિરાટ કોહલી અને દિનેશ કાર્તિકે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના ભારતનો સ્કોર 237 રને પહોંચાડ્યો હતો. દિનેશ કાર્તિકે 7 દડામાં બે છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 17 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે કોહલી 28 દડામાં સાત ચોગ્ગા અને એક છગ્ગા સાથે 49 રન બનાવી અણનમ રહ્યો હતો.

સાઉથ આફ્રિકા તરફથી એકમાત્ર કેશવ મહારાજને જ વિકેટ મળી હતી. તેણે બે વિકેટ ઝડપી હતી. એ સિવાય સાઉથ આફ્રિકાનો કોઈ બોલર ભારતીય બેટ્સમેનો પર પ્રભાવ જમાવી શક્યો ન હતો.

October 2, 2022
india-vs-sa.png
1min375

ભારતની ક્રિકેટ ટીમ આજે રવિવાર તા.2 ઓક્ટોબરના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમાનારી બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વિજય અભિયાન જારી રાખીને શ્રેણીમાં અજેય બઢત મેળવવાની કોશિશ કરવામાં આવશે.

બુમરાહની ભૂમિકા ઓસ્ટ્રેલિયામાં થનારા ટી-20 વિશ્વકપમાં મહત્ત્વની હતી. જો કે ઝડપી બોલર પીઠની પરેશાનીના કારણે વિશ્વકપમાં રમી શકશે કે નહીં તેના ઉપર પ્રશ્નાર્થ છે.

દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીનું આયોજન વિશ્વકપ પહેલા ટીમની તૈયારીને અંતિમ રૂપ આપવા માટે છે. જો કે બુમરાહની ગેરહાજરીએ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા સામે ઘણા સવાલ ઉભા કરી દીધા છે. મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે પણ બન્ને વિશ્વકપની ટીમમાં સામેલ નથી. સૌથી મોટો સવાલ એ છે કે બુમરાહના સ્થાને અન્ય બોલરને અજમાવવાનો પર્યાપ્ત સમય મળી રહેશે કે નહીં.

વિશ્વકપના સ્ટેન્ડબાયમાં સામેલ અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી કોરોનાથી બહાર આવી રહ્યો છે અને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીનો હિસ્સો નથી. તેને ઓસ્ટ્રેલિયા જતી ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. કારણ કે તેને ઓસ્ટ્રેલિયામાં રમવાનો અનુભવ છે. દક્ષિણ આફ્રિકાની શ્રેણી માટે ભારત પાસે દીપક ચાહર છે. જે વિશ્વકપ માટે સ્ટેન્ડબાય છે. બીજી તરફ અર્શદીપ સિંહ પણ ફોર્મમાં છે. ભારતીય ટીમ માટે મહત્ત્વની વાત એ છે કે સ્પીન વિભાગમાં અત્યારે કોઈ પરેશાની જોવા મળી રહી નથી. જાડેજા બહાર થયા બાદ ટીમમાં સામેલ થયેલા અક્ષર પટેલે તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો છે અને શાનદાર પ્રદર્શન કર્યું છે. બેટિંગમાં કોહલી સહિતના ખેલાડીઓ સારા ફોર્મમાં છે.’ કેએલ રાહુલ પણ રન બનાવી રહ્યો છે. પહેલા મેચમાં તેણે અર્ધસદી પણ કરી છે.

મધ્યક્રમમાં ઋષભ પંત અને દિનેશ કાર્તિકને પૂરતી તક મળી નથી. પંતને એશિયા કપમાંથી પરત ફર્યા બાદ બેટિંગની તક નથી મળી. જ્યારે કાર્તિકે છેલ્લા સાત મેચમાં માત્ર નવ બોલનો સામનો કર્યો છે. જ્યાં સુધી શ્રેણીની વાત છે તો ભારત દક્ષિણ આફિકા સામે દેશમાં જ પહેલી શ્રેણી જીતવાની કોશિશ કરશે.

દક્ષિણ આફ્રિકાની ટીમ પણ ટી20 વિશ્વકપમાં હજી સુધી અપેક્ષિત રમત બતાવી શકી નથી. તેણે અંતિમ વખત 2016મા સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે ગયા વર્ષે નોકઆઉટમાં પણ પ્રવેશ કરી શકી નહોતી. કગિસો રબાડા અને એનરિક નોર્કિયાના રૂપમાં આફ્રિકા પાસે બે સારા બોલર છે. જો કે તેમાં સટીકતા જોવા મળી રહી નથી. આ ઉપરાંત આફ્રિકાના બેટરોએ પણ સારુ પ્રદર્શન કરવું પડશે. જે ગયા મેચમાં નિષ્ફળ રહ્યા હતા.

October 1, 2022
Cia_business_news-1280x936.jpg
1min757

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગમાં પહેલીવાર એવું બન્યું કે મનસ્વી રીતે યાર્નના ભાવમાં વધઘટ કરતા સ્પીનર્સે વીવીંગ કારખાનેદારોની નીતિ સામે ઝૂકવું પડ્યું છે અને નાયલોન યાર્નના પ્રતિ કિલોના ભાવમાં એક જ ઝાટકે રૂ.30નો જંગી ઘટાડો કરવો પડ્યો છે. નાયલોન યાર્નનો સપ્લાય કરતા 19 પૈકી એક સ્પીનરે રાતોરાત ભાવ ઘટાડી દેતા હવે અન્ય કંપનીઓએ પણ ભાવ ઘટાડવાની ફરજ પડશે.

  • પાંડેસરા વિવર્સ સોસાયટીના સેક્રેટરી વિમલ બેકાવાલાએ કરી હતી અપીલ
  • નાયલોન વપરાશકારોએ પેનિક બાઇંગ કર્યું નહીં, મર્યાદિત ખરીદી કરી
  • નાયલોન યાર્નના ભાવમાં નફાનો ફુગાવો વસૂલ કરી રહ્યા હતા સ્પીનર્સ
  • એક સ્પીનરે યાર્નના ભાવ ઘટાડ્યા, હવે અન્યોને ફરજ પડશે
  • હજુ પણ નાયલોન યાર્ન વપરાશકારોએ જરૂર મુજબની ખરીદી કરવાની સલાહ

પાંડેસરા વીવર્સ સોસાયટીના સેક્રેટરી વિમલ બેકાવાલાએ જણાવ્યું હતું કે ગઇ તા.23મી સપ્ટેમ્બરના રોજ તેમણે દરેક વીવીંગ કારખાનેદારોને અપીલ કરી હતી કે આંતર રાષ્ટ્રીય બજારમાં નાયલોન યાર્નના મેન્યુફેક્ચરિંગમાં વપરાતા રો મટિરિયલના ભાવ ઘટ્યા છે અને તેને પગલે નાયલોન યાર્નના ભાવ ઘટવા જોઇએ પરંતુ, સ્પીનર્સે ભાવ ઘટાડવાની જગ્યાએ કોણીએ ગોળ વળગાડવાની નીતિ અપનાવતા સામી દિવાળીએ વીવીંગ કારખાનેદારોએ સપ્તાહમાં બે દિવસનો ઉત્પાદન કાપ મૂકવો પડ્યો હતો. જેને લઇને વીવીંગ કારખાનેદારોની યાર્નની ખરીદી ખપ પૂરતી  સિમીત બની ગઇ હતી.

એક જ સપ્તાહમાં નાયલોન યાર્ન સ્પીનર્સે ભાવ ઘટાડો કરવાની સ્થિતિમાં આવવું પડ્યું છે.વિમલ બેકાવાલાએ જણાવ્યું હતું કે નાયલોન યાર્નના ઉત્પાદકો પૈકી પ્રફુલ કંપનીએ આજે તા.1લી ઓક્ટોબરથી જ અમલમાં આવે તે રીતે નાયલોન યાર્નના પ્રતિ કિલોના રૂ.285ના ભાવમાં સીધો જ રૂ.30નો ઘટાડો કરીને નવો ભાવ રૂ.255 પાડ્યો છે. વીવીંગ કારખાનેદારો પેનિક બાઇંગથી દૂર રહ્યા અને ખપ પૂરતી જ યાર્નની ખરીદી કરી તેને કારણે યાર્નના ભાવ ઘટ્યા છે. વીવર્સે હજુ પણ ખરીદીમાં ઉતાળવ કર્યા વગર જરૂરીયાત પ્રમાણેની ખરીદી કરશે તો હજુ પણ યાર્નના ભાવમાં જે ફુગાવો થયો છે તેનો તોડી શકાશે.

સ્પીનર્સોમાં ભાવ ઘટાડવાના મુદ્દે પડી તકરાર

સુરતના વીવીંગ કારખાનેદારો પાસેથી વર્ષોથી મનસ્વી રીતે ભાવ વસૂલતા આવેલા નાયલોન યાર્ન સ્પીનર્સમાં યાર્નના ભાવ ઘટાડવાના મુદ્દે તકરાર પડી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પીનર્સ વીવર્સની ધીરજ ખૂટાડવા માંગતા હતા. વીવર્સ થોડા દિવસમાં જ યાર્નના ભાવ વધશે તેવા ભયે પેનિક બાઇંગ કરીને યાર્ન ખરીદવા માંડશે એવી ગણતરી રાખીને બેઠેલા સ્પીનર્સની ધારણા ખોટી પડી અને સ્પીનર્સ પૈકીની જ એક કંપનીએ આજે નાયલોય યાર્નના ભાવ 15 ટકા જેટલા એક જ ઝાટકે ઓછા કરી દીધા છે. મળતી માહિતી મુજબ યાર્નના ભાવના ખેલમાં હવે વધુ સ્પીનર્સે ઘસડાવું પડશે નહીં તો તેમની પાસેથી મોંઘા ભાવનું યાર્ન કોઇ ખરીદશે નહીં.

September 30, 2022
sandeep-bhatt-iit-delhi.jpg
1min412

ભારત જ નહીં પણ વિશ્વભરના બુદ્ધિજીવીઓને માથું ખંજવાળતા કરી દે તેવી ઘટના બની છે. ગોલ્ડ મેડાલિસ્ટ એન્જિનિયર કે જેણે આઈઆઈટી દિલ્હીમાંથી બી.ટેક.નો અભ્યાસ ગોલ્ડ મેડલ મેળવીને પૂર્ણ કર્યો હતો એ સંદીપ કુમાર ભટ્ટે સંસારી જીવન ત્યજી દઇને સાધુ બની ગયા છે. તેમણે લગ્ન પણ કર્યા નથી. સાધુ બની ગયા બાદ સંદીપ ભટ્ટે પોતાનું નામ બદલી નાંખ્યું છે હવે તે સ્વામી સુંદર ગોપાલદાસથી ઓળખાય રહ્યા છે.
સંદીપ ભટ્ટ મૂળ બિહારના રહેવાસી છે. તેમણે કહ્યુ કે 2002માં આઈઆઈટી દિલ્હીમાંથી બીટેક કર્યુ, બીટેકમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યા. 2004માં એમટેક કમ્પલીટ કર્યુ. 2004થી 2007 વચ્ચે તેમણે એક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કર હતી.

સંદીપ ભટ્ટે કહ્યુ કે મશીનની ક્વોલિટી તો વધી રહી છે પરંતુ માણસની ક્વોલિટી ઘટી રહી છે. દર વર્ષે લાખો ક્રાઈમ થાય છે. આ એ વાતનુ પ્રમાણ છે કે માણસની ક્વોલિટી ખરાબ થઈ રહી છે. તેમણે કહ્યુ, હુ માનુ છુ કે ભણેલા ગણેલા લોકોએ સાધુ-સંત બનવુ જોઈએ. આખરે શુ કારણ છે કે મોટી-મોટી કંપની આઈઆઈટીના લોકો હાયર કરે છે. જો સમાજમાં સારાપણુ વધારવુ છે તો એવા લોકોએ પણ આગળ આવવુ જોઈએ.

જ્યારે તે એન્જિનિયરિંગ કરી રહ્યા હતા તો તેમણે નોટિસ કર્યુ કે તેમની આસપાસ એન્જિનિયર, ડોક્ટર, IAS, જજ, સાયન્ટિસ્ટ, નેતા તો ઘણા છે પરંતુ કોઈ એવી વ્યક્તિ નથી જે સમાજને અલગ રીતે માર્ગ બતાવી શકે. લોકોના ચરિત્રને સારુ કરી શકે. ધાર્મિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેઓ સંન્યાસી બન્યા.

September 30, 2022
mbbs_student_mysy.jpg
1min859

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં રૂ.બે લાખ અને કન્યા કેળવણી યોજનામાં રૂ.ચાર લાખ મળીને કુલ રૂ.૬ લાખની સહાય મળી

રાજ્યના તેજસ્વી, જરૂરિયાતમંદ અને યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને મુખ્યમંત્રા કન્યા કેળવણી નિધિ યોજના તેમની શૈક્ષણિક કારર્કિદી અને ભાવિ વિકાસના સંદર્ભમાં ખૂબ જ નિર્ણાયક અને ઉપયોગી સાબિત થઈ રહી છે, ત્યારે સુરતની તેજસ્વી વિદ્યાર્થિની બરીરા ખત્રીને પોતાના સ્વપ્ન સમાન MBBSના ઉચ્ચ અભ્યાસ માટે MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધી યોજના સાર્થક નિવડી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા લાભાર્થી બરીરાએ જણાવ્યું કે, MYSY અંતર્ગત રૂ. બે લાખની સહાય ઉપરાંત મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત વધારાની રૂ. ચાર લાખની સહાય મળી છે. અને એમ.બી.બી.એસમાં અભ્યાસ દરમ્યાન બંન્ને યોજનાના લાભ થતી કુલ રૂ.૨૭ લાખની શિષ્યવૃતિની સહાય સરકારશ્રી તરફથી મળશે.

વધુમાં બરીરાએ કહ્યું કે, તબીબી અભ્યાસમાં પહેલેથી જ રસ હોવાથી મહેનત કરી ધો.૧૨ સાયન્સમાં ૯૨ ટકા પ્રાપ્ત કર્યા હતા. ડોક્ટર બની સમાજની સેવા કરવાનું મારૂ અને પરિવારનું સપનું હતું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ડોક્ટર બનીશ કે નહી તેના  પર પ્રશ્નાર્થ હતો. ત્યારે જ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા-સ્વાવલંબન યોજનામાં મલ્ટી ઉપયોગી સહાયની જાણકારી મળી એટલે હિંમત આવી અને સુરત મ્યુનિસિપલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (સ્મીમેર)માં MBBSમાં એડમિશન લીધું. આ યોજના થકી વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં મને કુલ રૂ.૧૨ લાખની શિષ્યવૃતિ સહાય મળી છે.

 હાલ હું એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરૂ છું. મારી તબીબી ક્ષેત્રની કારકિર્દી પાછળ રાજ્ય સરકારની યોજનાઓ મદદરૂપ બની છે. MYSY યોજના થકી મારૂ ડોક્ટર બનવાનું સપનું હવે હું પુરૂ કરી શકીશ. આ યોજના ન હોત તો મારા માટે ડોક્ટર બનવાનો વિચાર કરવો પણ પોસાય તેમ ન હતો. મારો પરિવાર સરકારનું ઋણ ક્યારેય ચૂકવી નહી શકે. હવે ડોક્ટર બન્યા પછી સરકારની સાથે રહીને સમાજના જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર-સેવા કરીશ એમ બરીરાએ ઉમેર્યું હતું.

રાજ્ય અને કેન્દ્ર સરકારની આ પ્રકારની કલ્યાણકારી યોજનાએ રાજ્યના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે એવો સ્પષ્ટ મત બરીરાએ વ્યક્ત કર્યો હતો.

September 30, 2022
rbi.jpeg
1min382

ભારત સહિત વિશ્વભરમાં મોંઘવારીને ડામવા માટે અમેરિકા બાદ હવે ભારતની સેન્ટ્રલ બેંક પણ આકરા પાણીએ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે જાહેર થયેલ મોનિટરી પોલિસીમાં વ્યાજદરમાં 50 bps (50 બેઝિસ પોઈન્ટ્સ)નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ આરબીઆઈના બેન્ચમાર્ક વ્યાજ દર 5.9 ટકા થયા છે.

RBI MPCના 6 સભ્યોમાંથી 5 સભ્યોએ વ્યાજદરમાં 0.50 % વધારવાનો મત આપ્યો હતો. આ સાથે મોનિટરી પોલિસીનું સ્ટેન્ડ આરબીઆઈએ એકોમોડેશનથી પાછું ખેંચવાનું વલણ યથાવત રાખ્યું છે. SDF 5.65% અને MSF 6.15% કરવામાં આવે છે તેમ ગવર્નરે ઉમેર્યું હતું.

ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડાના કારણે આયાતી ચીજોના વધી રહેલા ભાવથી સંભવિત મોંઘવારી, અમેરિકા અને ભારતના વ્યાજના દર વચ્ચે ઘટી રહેલા તફાવતથી ભારતમાં રોકાણ કરવું જોખમી બની રહ્યું હોવાથી પણ રિઝર્વ બેન્કને વ્યાજના દર વધારવા ફરજ પડી છે.

મે 2020થી મે 2022 વચ્ચે રિઝર્વ બેંકના રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. બેન્કો જ્યારે નાણાંની જરૂર પડે અને રિઝર્વ બેંક પાસેથી તે મેળવે ત્યારે જે વ્યાજ દર ચૂકવે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ આ બે વર્ષ 4 ટકા રહ્યો હતો.

જોકે, વધી રહેલા ફુગાવા અને વૈશ્વિક બેન્કોએ વ્યાજ દર વધારવાનું શરૂ કરતાં મે મહિનામાં આશ્ચર્યજનક રીતે મધ્યકાલીન સમીક્ષા પહેલા જ રિઝર્વ બેન્કે વ્યાજ દર વધારવા શરૂ કર્યા હતાં. આજની બેઠક પહેલા રેપો રેટ વધી 5.4 ટકા થઈ ગયો હતો.

રેપો રેટ વધતા બેન્કોની નાણાં મેળવવાની શકિત ઘટે છે અને નાણાં મોંઘા થાય છે. એની અસરથી ધિરાણ દરમાં વધારો થાય છે. સતત વધી રહેલા વ્યાજના દરથી હવે લોન ઉપર ગ્રાહકોએ વધારે વ્યાજ ચૂકવવું પડે છે. રિઝર્વ બેન્ક માટે હાલમાં સૌથી મોટી ચિંતા રૂપિયામાં થઈ રહેલો ઘસારો છે. રૂપિયામાં ઘસારાની સીધી અસર આયાત બિલ પર પડી રહી છે. ફોરેકસ રિઝર્વમાં ઘટાડાથી મની માર્કેટમાં દરમિયાનગિરી કરવાની રિઝર્વ બેન્કની ક્ષમતા ઓછી થઈ રહી છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું.

ક્રુડ તેલના ભાવ જે જુનમાં પ્રતિ બેરલ 120 ડોલરથી વધુ હતા તે હાલમાં ઘટીને 80 ડોલરની અંદર ચાલી ગયા છે, જે આરબીઆઈ માટે રાહતની વાત છે.

ફોરેકસ રિઝર્વ તેની 642 અબજ ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએથી 100 અબજ ડોલર જેટલું ઘટી 545 અબજ ડોલર આવી ગયું છે. વર્તમાન વર્ષમાં રૂપિયો ડોલર સામે દસ ટકા જેટલો ઘટી ગયો છે.

September 28, 2022
india-vs-sa.png
1min490

ભારત- દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ટી-20 શ્રેણીનો આજે તા.28મી સપ્ટેમ્બર 2022ને બુધવારથી પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ મેચની પૂર્વ સંધ્યાએ આફ્રિકાના કપ્તાન ટેમ્બા બાવૂમાએ કહ્યંy કે ટીમ સામે સૌથી મોટો પડકાર શરૂઆતી ઓવરોમાં સ્વિંગ થતી ઝડપી બોલનો સામનો કરવાનો હશે. આ તકે બાવુમાએ ઓસ્ટ્રેલિયા સામે 2-1થી જીત મેળવનાર ભારતીય ટીમની પ્રશંસા કરી હતી અને વિશ્વસ્તરીય ગણાવી હતી.

મેચ પૂર્વેની પત્રકાર પરિષદમાં આફ્રિકી કેપ્ટન બાવુમાએ કહ્યું કે વર્લ્ડ કપની તૈયારી માટે બન્ને ટીમ માટે આ સિરીઝ ઘણી મહત્ત્વની છે. ભારતમાં નવા દડાથી બોલરોનો સામનો કરવો ચુનૌતિપૂર્ણ બની રહેશે. શરૂઆતમાં બોલ ઘણા સ્વિંગ થાય છે. અમે આફ્રિકાની જે પરિસ્થિતિમાં ટેવાયેલા છીએ એથી ભારતીય બોલરો વધુ સ્વિંગ કરે છે.

જો કે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ભારતીય ઝડપી બોલરો બહુ પ્રભાવિત કરી શકયા નથી. આમ છતાં બાવુમા કહે છે કે સફળતા માટે અમારે શરૂઆતી ઓવરમાં વિકેટ ગુમાવતા બચવું પડશે. બુમરાહ અને ભુવનેશ્વર જેવા બોલરો હંમેશા શરૂમાં પડકાર આપે છે. જો કે આ શ્રેણીમાં ભુવનેશ્વરને વિશ્રામ અપાયો છે. બાવુમા કહે છે કે રોહિત અને વિરાટ મોટા નામ છે. તેની સાથે ટીમમાં ઘણા સારા ખેલાડીઓ છે. તેમના દેખાવથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. અમે ભારત સામે ખુલીને રમશું. અમે બેસ્ટ ટીમ વિરૂધ્ધ શાનદાર પ્રદર્શનની કોશિશ કરશું.

September 26, 2022
dollarvsrupeee.jpg
1min398

મંદીના ભણકારા શેરબજારમાં વેચવાલી અને અન્ય કારણોસર વૈશ્વિક બજારમાં ડોલરમાં સતત ખરીદી જોવા મળી રહી છે. સોમવારે ભારતીય ચલણ રૂપિયો ડોલર સામે આજે પહેલા નોરતેં જ વધુ એક ઐતિહાસિક નીચી સપાટીએ ખુલ્યો હતો. શુક્રવારે 80.99 બંધ રહ્યા બાદ આજે રૂપિયો 81.52 ખુલ્યો હતો.

વૈશ્વિક બજારમાં પાઉન્ડ 1985 પછીની સૌથી નીચી સપાટીએ છે. એક પાઉન્ડ ડોલર સામે અત્યારે 1.03 ની સપાટીએ છે. 

વિશ્વના છ અન્ય ચલણ સામે ડોલરનું મૂલ્ય નક્કી કરતો ડોલર ઈન્ડેક્સ સોમવારે 113.75ની બે દાયકાની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.

September 26, 2022
amba.png
1min519

આસ્થા-સાધના-તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો આજે 26 સપ્ટેમ્બર 2022થી પ્રારંભ થયો છે. આજથી નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લિન્ન થશે જ્યારે ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. કોરોનાને પગલે છેલ્લા બે વર્ષથી રાસ-ગરબાનું ભવ્ય આયોજન થઇ શક્યું નહોતું. પરંતુ હવે આ વર્ષે કોઇ  નિયંત્રણ વિના રાસ-ગરબાને મંજૂરી આપવામાં આવતા ખેલૈયાઓનો ઉત્સાહ જબરદસ્ત છે.

નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દૈવશક્તિના વિજય માટે નવદુર્ગા, અંબિકા, જગદંબા, ભગવતી ચંડીકા જેવા અનેક નામોથી પૂજીએ છે તે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર.નવરાત્રિના પ્રારંભ સાથે આવતીકાલથી શક્તિપીઠ અંબાજી, ચોટીલા, હરસિદ્ધિ માતા, અમદાવાદમાં ભદ્રકાળી સહિતના માતાજીનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટશે. જ્યોતિષીઓના મતે ઘટ સ્થાપન, અખંડ દીપ સ્થાપન, જ્વારારોપણ માટે આજે સવારે ૬ઃ૩૦ થી ૮ઃ૦૧ દરમિયાન અમૃત, સવારે ૯ઃ૩૧થી ૧૧ઃ૦૧ શુભ જ્યારે બપોરે ૧૨ઃ૦૭થી ૧૨ઃ૫૫ અભિજીત મુહૂર્તમાં પૂજન અર્ચન હર્ષોલ્લાસભેર થયા હતા..

નવરાત્રિના પ્રારંભે માતાજીના પૂજનમાં અનોખું મહત્વ ધરાવતું મહાન અને શુભ ફળ દેનારું ‘અંબિકા વીસા યંત્ર’ નું શુભ મુહૂર્તમાં સ્થાપન કરી નવરાત્રિ વખતે પૂજન કરવામાં આવે તો માં અંબિકાની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. જેના ફળસ્વરૃપે રોગ, શત્રુઓનો નાશ થાય છે. જેની સાથે ધન, ધાન્ય સંતતી, સમૃદ્ધિ, આયુષ્ય, આરોગ્યની વૃદ્ધિ થાય છે. નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. અમદાવાદ પ્રાચિન ભદ્રકાળી મંદિરમાં નવરાત્રિના નવેય દિવસ દરમિયયાન માતાજીને અલગ શણગાર થશે. શક્તિપીઠ અંબાજીમાં આવતીકાલે સવારે ૯ થી ૧૦ઃ૩૦ દરમિયાન ઘટ સ્થાપન કરાશે. આ વખતે મહાઅષ્ટમી ૩ ઓક્ટોબર સોમવારના છે.

આ ઉપરાંત ચાચર ચોકમાં દરરોજ સાંજે ગરબા પણ યોજાશે. આમ, આજથી નવ દિવસ માતાજીની આરાધનાનો માહોલ જ જોવા મળશે. નવરાત્રિમાં અનેક સ્થાનેએ બેઠા ગરબાના પણ આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના નવેય નોરતા દરમિયાન અનેક ભક્તો ઉપવાસ પણ કરતા હોય છે.

September 25, 2022
societynews-1280x1040.jpg
5min3690

Jayesh Brahmbhatt

CIA Live ન્યુઝ વેબ અહીં એવી ગરબા ટ્યુન્સ મૂકી રહ્યા છે જે આ વખતે નવરાત્રી 2022માં નાના મોટા લગભગ દરેક ગરબા ગ્રાઉન્ડસ પર અચૂક સંભળાશે. ગુજરાત પહેલા વિશ્વમાં અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આફ્રિકા, બ્રિટન ત્યાં સુધી કે આર્યલેન્ડ જેવા દેશમાં પણ ગરબા નાઇટ્સ યોજાઇ ચૂકી છે અને યોજાઇ રહી છે. આ વખતે ગરબા ટ્યુન્સમાં મ્યુઝિક્સ રિમિક્સનો ટ્રેન્ડ જબરદસ્ત ચાલ્યો છે અને તેમાં પણ ગુજ્જુ ગાયકો કિર્તીદાન ગઢવી, કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, ઓસમાન મીર, આદિત્ય ગઢવી જેવા અનેક કલાકારોની ગરબા ટ્યુન્સ જબરદસ્ત ક્રેઝી બની ચૂકી છે.

ગૌરી તમે મનડા લીધા મોહી રાજ

હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા…..

મોતી વેરાણા ચોકમાં, આવ્યા અંબે માં..

ગોરી રાધા ને કાળો કાન…

હો આવી ગઇ રાત….ભૂલો બધી વાત…..

ઇંધણા વીણવા ગઇ તી….

ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર…

કેસરીયો રંગ તને લાગ્યો એના ગરબા…

રંગ ભીની રાધા ને …..

નોન સ્ટોપ ગરબા પ્લે લિસ્ટ….

કિંજલ દવે….