CIA ALERT

Uncategorized Archives - Page 11 of 13 - CIA Live

October 24, 2018
1min5030
સૂરતઃ માહિતી બ્યુરો– સુરત અને તાપી રોજગાર કચેરી દ્વારા આગામી તા.૨૬/૧૦/૨૦૧૮ના રોજ સવારે ૧૦.૦૦ વાગે દ.ગુ.યુનિ.ના કન્વેન્શન સેન્ટર ખાતે મેગા જોબફેર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી ક્ષેત્રની ૭૦ થી વધુ કંપનીઓ હાજર રહેશે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા બાયોડેટા(ત્રણથી ચાર નકલમાં) ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર) દ્વારા જણાવાયું છે. હાજર રહેનાર કંપનીઓ અને જગ્યાઓ અંગેની જાણકારી માટે ફેસબુક પેઝ Mccsurat મળી શકશે.
September 18, 2018
odd-even-delhi-pollution.jpg
1min5710

ટૂ-વ્હીલર્સ તેમ જ મહિલાઓ દ્વારા હંકારાતા ફૉર-વ્હીલર વાહનો પર ઑડ-ઇવન યોજના લાગુ કરતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના આદેશ પર સુપ્રીમ કૉર્ટે સોમવારે સ્ટે આપ્યો હતો. હાલ દિલ્હીમાં અમલમાં નથી તેવી આ યોજના અંતર્ગત ઑડ અને ઇવન નંબર ધરાવતા વાહનો એકાંતરે રસ્તા પર દોડી શકે છે. દિલ્હીના ગ્રેડેડે રિસ્પોન્સ ઍક્શન પ્લાન-જીઆરએપી મુજબજ્યારે પાર્ટિક્યુલેટ મૅટર પીએમ-૧૦ અને પીએમ-૨.૫નું સ્તર પ્રતિ ક્યૂબિક મીટર અનુક્રમે ૫૦૦ અને ૩૦૦ માઈક્રોગ્રામથી વધી જાય છે ત્યારે દિલ્હી અને નેશનલ કૅપિટલ રિજન-એનસીઆરમાં આ યોજના આપોઆપ ૪૮ કલાક માટે અમલમાં આવી જાય છે.

દિલ્હીમાં ૬૮ લાખ દ્વિચક્રી વાહનો છે અને તેને ઑડ-ઇવન સ્કીમ લાગુ કરવામાં આવશે તો જાહેર પરિવહન સેવામાં આટલા બધા લોકોનો સમાવેશ કરવાનું અશક્ય બની જશે એમ દિલ્હી સરકારે જણાવ્યા બાદ સુપ્રીમ કૉર્ટનો આ આદેશ આવી પડ્યો હતો.

ગયા વરસે એનજીટીએ ૧૧ નવેમ્બરે આપેલા આદેશમાં ઑડ-ઇવન સ્કીમના દાયરામાંથી કોઈપણ વ્યક્તિ, અધિકારી કે દ્વિચક્રી વાહનોને બાકાત ન રાખવાનું અને તમામ લોકો અને વાહનોને એકસમાન રીતે એ યોજના લાગુ કરવા જણાવ્યું હતું.

 

August 6, 2018
sapu3.jpg
1min5950

રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા હિલ સ્ટેશન સાપુતારામાં એક મહિનાનો સાપુતારા મોન્સુન ફેસ્ટિવલ ઊજવવામાં આવશે. સાપુતારામાં ગયા વર્ષે મોન્સુન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા 2 લાખથી પણ વધારે હતી. જોકે ચાલુ વર્ષે આ સંખ્યા અગાઉથી વધે તેવી પ્રવાસન વિભાગને અપેક્ષા છે. આ ફેસ્ટિવલ તારીખ 4 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ચાલશે.

ગત શનિ-રવિ, તા.4 અને 5 ઓગસ્ટ મોન્સુન ફેસ્ટિવલનું પહેલું વીકએન્ડ હતું અને પહેલા જ વીકએન્ડમાં પ્રવાસીઓથી ઉભરાય ગયું હતું સાપુતારા. સાપુતારાના દરેક ડેસ્ટીનેશનથી લઇને હોટેલ્સ, રેસ્ટોરેન્ટસમાં ભારે ભીડ જામી હતી. વરસાદી માહોલને માણવા માટે છેક દક્ષિણ ગુજરાત અને અમદાવાદ, વડોદરાથી ટુરીસ્ટ આવ્યા હતા.

આ ફેસ્ટિવલમાં સ્થાનિક લોકો અને નાના વિક્રેતાઓને વેપારની તકો પૂરી પાડવમાં આવે છે, સાથે સાથે ડાંગની સ્થાનિક આદિવાસી પ્રજાની જીવનપદ્ધતિ વિષે માહિતી મળે છે, સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. છેલ્લાં સાત વર્ષથી એક મહિના લાંબા મોન્સુન ફેસ્ટિવલનું સાપુતારામાં આયોજન થાય છે.

સાપુતારામાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે રૂમ અને ડોરમેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. સાપુતારામાં નજીક આવેલો ગીરા ધોધ, હની બી સેન્ટર, રોઝ ગાર્ડન, બોટિંગ, આર્ટિસ્ટ વિલેજ, ઇકો પોઇન્ટ, સનસેટ પોઇન્ટ, નાગેશ્વર મહાદેવ મંદિર, સાપુતારા તળાવ, સાપુતારા રોપ-વે જેવાં સ્થળો પ્રવાસીઓનાં આકર્ષણનાં કેન્દ્ર બને છે.

July 19, 2018
w4-1280x722.jpg
1min7260

સુરતના જાણીતા ડો. વિમલ રાઠીના ‘અવેરનેસ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત’ દ્વારા દર ૧૫ ઓગસ્ટે ‘વિશ્વ રોગ નિવારણ દિન’ (વર્લ્ડ પ્રિવેન્ટીવ હેલ્થ કેર ડેWorld PHD) ની સ્થાનિક ઉજવણી વિવિધ રીતે થાય છે.

‘વિશ્વ રોગ નિવારણ દિન’ (વર્લ્ડ પ્રિવેન્ટીવ હેલ્થ કેર ડે)ની ઉજવણીના ભાગ રૂપે આઠ પ્રવૃત્તિઓ પર ધ્યાન અપાય છે.

૧. મિશન ઓક્સીજન (વૃક્ષ વાવો અને તેનું જતન કરો),

૨. મિશન સ્પ્રેડ સ્માઈલ્સ (યોગ અને ધ્યાન દ્વારા આરોગ્ય),

૩. મિશન ક્લીન્લીનેસ (કચરાટોપલી વિતરણ),

૪. મિશન અવોઈડ મોસ્કીટો (મચ્છરદાની વાપરી/વહેંચી મચ્છરથી બચીને મેલેરિયાથી બચાવ),

૫. મિશન વુમન એન્ડ ચાઈલ્ડ કેર (મહિલાઓ તથા બાળકોના કુપોષણ અંગે જાગૃતિ– એનીમિયા અવેરનેસ-અને મહિલાઓ માટે સ્વબચાવ),

૬. મિશન હંગર પ્રિવેન્શન (સાત્વિક ખોરાકના ફૂડપેકેટનું વિતરણ),

૭. મિશન એન્ટી ટોબેકો (તમાકુથી દૂર રહેવાના શપથ લેતા ફોર્મ ભરવા),

૮. મિશન ઈમરજન્સી કેર (લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ અને મેડીકલ ઈમરજન્સી ટ્રેઈનીંગ).

વધુને વધુ શાળાઓ અને તેમના વિદ્યાર્થીઓ આ ઉપયોગી ‘વિશ્વ રોગ નિવારણ કાર્યક્રમ’ સાથે જોડાય તે માટે આ વર્ષે

‘ફેસ ધ કેમેરા’

સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીએ મોબાઈલ સામે આવી બે મિનીટના વિડીયો દ્વારા રજૂઆત કરવાની રહેશે. તેઓ નીચેનામાંથી કોઈ એક વિષય પર રજૂઆત કરી શકે.

૧. ૧૫ ઓગસ્ટના વિશ્વ રોગ નિવારણ દિન (વર્લ્ડ પી.એચ.ડી.) ની ઉજવણીનું મહત્વ.

૨. તમે એ દિન કેવી રીતે ઉજવશો અને સમાજને શું સંદેશો આપશો?

૩. આ ઉજવણીમાં તમે વધુને વધુ લોકોને કેવી રીતે જોડશો?

૪. ‘વિશ્વ રોગ નિવારણ દિન’ (વર્લ્ડ પીએચડી) શું છે અને તેના હેતુઓ શું છે?

ઉપરના કોઈ પણ એક વિષય પર વિદ્યાર્થી મોબાઈલ કેમેરા સામે બોલીને બનેલી ‘શોર્ટ ફિલ્મ’ ૩૧ જુલાઈ સુધી પોતાની શાળામાં જ જમા કરાવશે.એ શાળા જ તેમની શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીઓની ‘શોર્ટ ફિલ્મ’ પસંદ કરશે અને વિજેતા વિદ્યાર્થીઓના નામવ્હોટસએપ/ઈ મેઈલ દ્વારા અમને મોકલશે.શોર્ટ ફિલ્મમાં વિદ્યાર્થીએ સૌથી પહેલાં પોતાનું અને શાળાનું નામ બોલીને સંદેશો આપવાનો રહેશે. દરેક શાળાના પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને અને જે શાળામાંથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હશે તે શાળાઓને ઇનામ અપાશે. આ સંદર્ભે શાળાના આચાર્યની વિડીયો મુલાકાત પણ લેવાશે. જે સ્થાનિક ટીવી પર બતાવાશે. ભાગ લેનાર શાળાના શિક્ષકોને ‘ગુરુ+હેલ્થ કાર્ડ’ ભેટ અપાશે, જેના દ્વારા તેઓ સો જેટલાં ક્લિનિક-હોસ્પિટલમાં ફ્રી હેલ્થ ચેક-અપ કરાવી શકશે.

જે શાળાઓ આ સ્પર્ધામાં ભાગ લેશે તેમને ૧૫ ઓગસ્ટે ‘સ્વતંત્રતા દિને’ જ ‘વિશ્વ રોગ નિવારણ દિનની ઉજવણી’ માટે પસંદ કરાશે.

આપની શાળાના વધુને વધુ વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રેરિત કરશોજી. આપની શાળાના રજીસ્ટ્રેશન તથા અન્ય મદદ માટે પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર નરેશ કાપડીઆ (99099 21100) મદદરૂપ થશે. આ પ્રવૃત્તિ ટ્રસ્ટના માનદ પ્રમુખ ડો. વિમલ રાઠી અને માનદ મંત્રી શ્રી પ્રવીણ વોરાના માર્ગદર્શનથી થનાર છે.

આવો, રોગમુક્ત વિશ્વ બનાવવામાં આપનો સહકાર આપો. આ સ્પર્ધાનું સમગ્ર સંચાલન ઈ-મેઈલ અને વ્હોટ્સએપથી જ ‘પેપરલેસ’ થશે, જે જાણશોજી.

July 9, 2018
jee13.png
1min10920

જયેશ બ્રહ્મભટ્ટ

ભારતમાં એમબીબીએસ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટ પરીક્ષા તેમજ એનઆઇટી, આઇઆઇટી જેવી નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી એન્જિનિયરિંગ  કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી જેઇઇ મેઇન પરીક્ષા એક કેલેન્ડર વર્ષમાં બે વખત લેવાની જાહેરાત બાદ દેશમાં ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગૂંચવાડાભરી સ્થિતિ સર્જાવા પામી છે. કેમકે નીટ અને જેઇઇ બે વખત લેવાથી ફાયદો કોને થશે?, જાન્યુઆરીમાં નીટ આપનારા વિદ્યાર્થીઓને પ્રવેશ ક્યારે અને કેવી રીતે મળશે? , ધો.12ની જે તે બોર્ડની પરીક્ષાઓ માર્ચમાં લેવાતી હોય ત્યારે એ પહેલા જેઇઇ કે નીટની પરીક્ષા કોણ આપશે? વગેરે સવાલોના કોઇ જવાબ કેન્દ્ર સરકાર આપી શકતી નથી. નીટ અને જેઇઇ પરીક્ષા બે વખત લેવાની જાહેરાત બાદ યોગ્ય ગાઇડન્સના અભાવે સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઉલ્ટાની વધુ ગૂંચવાડાભરી સ્થિતિ સર્જાવા પામી છે.

વિદ્યાર્થીઓ 12મું નહીં 13મું ધોરણ ભણતા થઇ જશે

સામાન્ય રીતે ભારતમાં ધો.10 માધ્યમિક અને ધો.11-12 ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બાદ વિદ્યાર્થીઓને તેમના રસના વિષયો અનુસાર ગ્રેજ્યુએશન માટે કોલેજમાં પ્રવેશ મળે છે. પરંતુ, બે વખત નીટ અને જેઇઇ લેવાથી એક ભયસ્થાન એ પણ ઉપસ્થિત થયું છે કે વિદ્યાર્થીઓ  વધુ એક ચાન્સ મળે તેવી આશા સાથે ડિસેમ્બરની પરીક્ષા આપશે એટલે તેમનું એક વધારાનું વર્ષ શાળાકીય સ્કુલમાં વ્યતિત થશે અને એ રીતે ધો.12ની જગ્યાએ વધુ એક વર્ષ એટલે કે 13મું વર્ષ પણ ભણશે.

 

નીટ અને જેઇઇના પરીણામો જોયા પછી પણ વિદ્યાર્થીઓ સેલ્ફ એસેસમેન્ટ કરતા નથી

હકીકતમાં નીટ અને જેઇઇ પરીક્ષાનું પરીણામ જોતા હાયર મેરિટ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને જ આઇઆઇટી કે એનઆઇટીમાં પ્રવેશ મળે છે. આ એક રિયાલિટી છે, વાસ્તવિક સ્થિતિ એવી પણ છે કે દર વર્ષે આઇઆઇટી, એનઆઇટીમાં ગુજરાતના ફક્ત 100 વિદ્યાર્થીઓ જ  પ્રવેશ પામી શકે છે, આમ છતાં હજારો વિદ્યાર્થીઓ ધો.11-12માં પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસની કરોડો રૂપિયાની ફી ચૂકવે છે અને છેલ્લે 96 ટકા વિદ્યાર્થીઓએ જીટીયુ એફિલિયેટેડ કોલેજોમાં જ ગુજકેટને આધારે પ્રવેશ લેવો પડે છે. આવું દર વર્ષે જોવા મળે છે. આમ છતાં પછીના વર્ષના વિદ્યાર્થીઓ સેલ્ફ એસેસમેન્ટ કરતા નથી અને તમામ જેઇઇ નીટની તૈયારીમાં કરોડો રૂપિયા વ્યય કરી બેસે છે.

હજુ સુધી જેનું કાગળ પર પણ અસ્તિત્વ નથી એવી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)જ એનઇઇટી, જેઇઇ અને નેટના એન્ટ્રેન્સ એક્ઝામ કરાવશે. જે લોકો આ પરીક્ષા આપવા માગે છે તેમને વધુ ચાન્સ મળી રહે તેવો આશય તેમાં રહેલો છે, તેમ કેન્દ્રીય માનવ સંશાધન અને વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે શનિવારે આ અંગેની જાહેરાત કરતાં કહ્યું હતું. પરંતુ, આવી જાહેરાતને પગલે જે સવાલો ઉપસ્થિત થયા છે એ પેચીદા બન્યા છે.

સવાલ-1

ડિસેમ્બરમાં લેવાનારી નીટ કે જેઇઇની પરીક્ષા આપશે કોણ? કેમકે ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો કરશે કે નીટ કે જેઇઇ પરીક્ષા આપશે?

સવાલ-2

ડિસેમ્બરમાં લેવાનારી નીટ કે જેઇઇ પરીક્ષા આપ્યા બાદ જાન્યુઆરીમાં રિઝલ્ટ જાહેર થશે અને તેમાં સારો રેન્ક ધરાવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ કોણ આપશે, અધવચ્ચેથી પ્રવેશ અપાશે તો સીટ્સ ક્યાંથી ઉપલબ્ધ થશે. અને જો શૈક્ષણિક વર્ષ અનુસાર જૂનમાં પ્રવેશ અપાશે તો વિદ્યાર્થીને ફાયદો શું થશે?

સવાલ-3

બે વખત નીટ કે જેઇઇ પરીક્ષા લેવાની યોજના ફક્ત એવા વિદ્યાર્થીઓ માટે અસ્તિત્વમાં લાવવામાં છે કે જેઓ ધો.12ની બોર્ડની પરીક્ષા આપી ચૂક્યા છે?

સવાલ-4

ધો.12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ બીજી વખતની નીટ કે જેઇઇની પરીક્ષામાં સારો સ્કોર લાવશે ત્યારે તેના મેરિટની ગણતરી બીજા વર્ષના ફ્રેશર્સ વિદ્યાર્થીઓની સાથે કેવી રીતે સરખામણી કરાશે?

July 2, 2018
kala.jpg
1min16530

ગાયન, નૃત્ય, વાદન અને અભિનય સહિત ૨૩ કૃતિઓનો સમાવેશ થાય છેઃ 


સૂરતઃ સોમવારઃ- રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા રાજયના સાંસ્કૃતિક વારસાનું જતન થાય કલા મહાકુંભ તા.૧૬/૭/૨૦૧૮ થી તા.૧૦/૯/૨૦૧૮ દરમિયાન તાલુકા/ ઝોન, જિલ્લા પ્રદેશકક્ષાથી રાજયકક્ષાએ યોજાનાર છે.

કલા મહાકુંભ-૨૦૧૮માં ૬ વર્ષથી ૧૪ વર્ષ, ૧૪ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરની વયજુથના રમતવીરો ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા કલાકારોએ પ્રવેશપત્ર www.kalamahakumbh.com ઓનલાઈન/ઓફલાઈન તા.૧૫/૭/૨૦૧૮ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. કલામહાકુંભમાં ગાયન, નૃત્ય, વાદન, અભિનય સહિત ૧૬ કૃતિઓ ઉપરાંત અન્ય ૭ કૃતિઓનો સમાવેશ થાય છે. વધુ વિગતો માટે જિ્લલા રમતગમત અધિકારીની કચેરી, જુની કોર્ટ બિલ્ડીંગ, નાનપુરા ખાતે સંપર્ક સાધવાનો રહેશે.

June 8, 2018
googlewififeature.jpg
95min1280
ઈન્ટરનેટ અને ટેક્નોલૉજી કંપની ગૂગલ ઇન્ડિયાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે રેલટેલની મદદથી ભારતનાં ૪૦૦ રેલ્વે સ્ટેશનો પર મુસાફરો માટે 30 મિનિટ માટે બિલકુલ મફતમાં  Wifi ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટોલ કરી દીધું છે. ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત જાન્યુઆરી ૨૦૧૬માં મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનથી ફ્રી ઇન્ટરનેટ મિશનનો આરંભ કરવામાં આવ્યો હતો. આસામનાં ડિબ્રુગઢ રેલવે સ્ટેશન તા.7મી જૂન 2018ના રોજ ભારતનું ૪૦૦મું રેલ્વે સ્ટેશન બન્યું છે.
ગૂગલે જણાવ્યું કે કાર્યક્રમની શરૂઆતનાં પહેલા વર્ષની અંદર દેશનાં ૧૦૦ સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશનો પર તેની શરૂઆત કરી દેવાઈ હતી. આવું પહેલી વખત બન્યું છે કે દરરોજ ૧૫ હજાર લોકો ઈન્ટરનેટનો મફકમાં લાભ ઉઠાવી શક્યા હોય. આ મફત વાઈફાઈ સેવા અંતર્ગત દરેક વ્યક્તિ પહેલો અડધો કલાક ફ્રીમાં વાઈફાઈની સુવિધા મેળવી શકશે. અડધા કલાક સુધી ઈન્ટરનેટનાં વપરાશ પર વ્યક્તિએ એક પણ રૂપિયો ચાર્જ ચુકવવાનો રહેતો નથી.
દેશના 400 વાઇફાઇ ફ્રી સેવા ધરાવતા રેલવે સ્ટેશન્સની યાદી
Mumbai Central local station
Allahabad
Jaipur Railway Station
Ranchi Railway Station
Patna Jn.
Ujjain Railway Station
Pune Railway Station
Bhopal Railway Station
Kacheguda Railway Station
Vijayawada Railway Station
Visakhapatnam Railway Station
Ernakulam Jn Railway Station
Lucknow Charbagh Railway Station
Lucknow NER
Gorakhpur Jn.
Raipur Railway Station
Sealdah Railway Station
Guwahati Railway Station
Bhubaneswar Railway Station
Chandigarh Railway Station
Hazrat Nizamuddin
Jhansi Railway Station
Jodhpur Railway Station
Kanpur Central
Mughalsarai Jn.
Puri Railway Station
Bandra Terminus
Kalyan Railway Station
Dadar (CR)
Lokmanya Tilak (T)
Panvel Railway Station
Thane Railway Station
Chennai Central
Chennai Egmore
Madurai Jn
Mangalore Central
Tambaram Railway Station
Thrissur Railway Station
Tiruchirappalli Jn
Railway Station Tirupati
Hajipur Jn.
Coimbatore Jn
Kozhikkode Railway Station
CST Mumbai
Andheri Railway Station
Churchgate Railway Station
Bandra Local Station
Khar Road Railway Station
Borivali Railway Station
Byculla Railway Station
Kurla Railway Station
Dadar western railway ticket booking
Dehradun Railway Station
Kota Railway Station
Gaya Jn
Ajmer Railway Station
Mathura Jn
Indore Railway Station
Tiruvananthapuram Central
Gwalior Railway Station
Cuttack Railway Station
Surat Railway Station
Amritsar Railway Station
Hyderabad Railway Station
Jabalpur Railway Station
Kharagpur Railway Station
Secunderabad Jn (Upgradation)
Udaipur City Railway Station
Belapur Railway Station
Arakkonam Junction
Solapur Railway Station
Vashi Railway Station
Jalandhar City Railway Station
Nagpur Railway Station
Ahmedabad Railway Station
Kollam Jn
Tatanagar Railway Station
Gulbarga Railway Station
Dhanbad Jn.
Muzaffarpur Jn.
Warangal Railway Station
Varanasi Railway Station
Hubli Railway Station
Durg Junction
Guntur Jn.
Darbhanga Jn.
Barddhaman Railway Station
Bangalore City Railway Station
Asansol Railway Station
Aligarh Railway Station
Ayodhya Junction
Vadodara Railway Station
Bareilly Railway Station
Agra Cantt Railway Station
Ambala Cantt. Jn.
Yesvantpur Railway Station
Mysore Railway Station
Rajkot Railway Station
Ooty Railway station
Ghazipur city Railway Station
New Jalpaiguri Junction Railway Station
Bhagalpur Junction
Bilaspur Junction
Coonoor Railway station
Aurangabad Railway station
Moradabad Railway Station
Howrah Railway Station
Ghaziabad Railway Station
Anand Vihar Terminus
Mettupalayam Railway Station
New Delhi Railway Station
Ludhiana Railway Station
Haridwar Junction Station
Chhapra Junction station
Delhi Junction
Darjeeling Railway station
Ghoom Railway Station
Jammu Tawi Railway Station
Vizianagaram Railway station
Ghatkopar railway station
Chembur Railway Station
Sambalpur Railway Station
Siliguri Railway Station
Chengalpattu Railway Station
Katpadi Junction
Srikakulam Road Station
Palasa Station
Mulund Railway Station
Bhayander Railway Station
Rampurhat Railway Station
Digha Railway Station
Rourkela Railway Station
Muzaffarnagar Railway Station
Solan Railway station
Rajahmundry railway station
Falna Railway Station
New Farakka Junction
Meerut City Station
Marwar Junction Station
Shimla Railway Station
Eluru Railway Station
Khurda Road Station
Dombivli Railway Station
Gonda Junction
Danapur Railway Station
Malda station
Virar Railway Station
Vasai Railway Station
Kakinada Town Railway Station
Nellore Railway Station
Villupuram Junction
Karnal Railway Station
Tundla Railway Station
Barabanki Railway Station
Jasidih Railway Station
Panipat Railway Station
Bhadrak Railway Station
Mokama Junction
Thanjavur Jn
Bhadohi Railway Station
Balasore Railway Station
Mirzapur Railway Station
Daund Railway Station
Rameswaram Railway Station
Etawah Junction
Rayagada Railway Station
Phaphund Railway Station
Abu Road Railway Station
Delhi Shahdara Railway Station
Singrauli Railway Station
Pratapgarh Railway Station
Bangarpet Railway Station
Kurduwadi Railway Station
Bhimavaram Town Station
Dimapur Railway Station
Samalkot Junction
Sainagar sirdi Railway Station
Rohtak Railway Station
Kumbakonam Railway Station
Rani Railway Station
Satyasai Prashanti Nilayam Railway station
Khammam Railway Station
Gurugram Railway Station
Delhi Cantt. Railway Station
Saharanpur Junction
Naihati Railway Station
Jolarpettai Junction
Behrampur Railway Station
Kopargaon Railway Station
Viramgam Railway Station
Durgapur Railway Station
Badnera Railway Station
Jharsuguda Railway Station
Akola Railway Station
Janghai Railway Station
Gandhidham Railway Station
Itarsi Railway Station
Lumding junction station
Jajpur Keonjhar Road railway station
Meerut Cant railway station
Gandhidham Railway Station
Bathinda Railway Station
Parasnath Railway Station
Kiul Railway Station
Satna Railway Station
Palanpur Railway Station
Wardha Railway Station
Alipurduar junction
Alwar Railway Station
Raebareli Railway Station
Tuni Railway Station
Lonavla Railway Station
Vidisha Railway Station
Basti Railway Station
Pali Railway Station
Anakapali Railway Station
Kathgodam Railway Station
Wadala Road Station
Sonipat Railway Station
Badlapur Railway Station
Kengeri Railway Station
Ratlam Railway Station
Champa Railway Station
Raigarh Railway Station
Hapur Railway Station
Jamnagar Railway Station
Fulera Railway Station
Bhusaval Railway Station
Tenali Junction station
Adarsh nagar Station
Manmad Railway Station
Kazipet Railway Station
New Alipurduar Railway Station
Bhilai Railway Station
Balia Railway station
Jaiselmar Railway Station
Faridabad Railway station
Bikaner Railway Station
Fatehpur Railway Station
AzamgarhRailway Station
Jorhat Railway Station
Bina Railway Station
Dharwad Railway Station
HanumangarhRailway Station
Firozpur Cantt. Railway Station
Beas Junction Station
Pipariya Railway Station
Pathankot Railway Station
Purulia Railway Station
Ahmednagar Railway Station
Raiganj Railway Station
Belthara Road Railway Station
Kolkata Railway Station
Rampur Junction Railway Station
Salem Railway Station
Davanagera Railway Station
Krur Junction
Erode Junction Station
Faridabad new town railway station
Deoria Sadar Railway Station
krishnarajapuram Railway Station
Shahjahanpur Railway Station
Hosangabad Railway Station
Bharatpur Junction Railway Station
Saugor Railway Station
Damoh Railway Station
kolhapur Railway Station
Latur Railway Station
Manichiryal Railway Station
Bandel Railway Station
Miraj Railway Station
Sirhind Railway Station
Sultanpur Junction Railway Station
Nagercoil Junction Railway Station
Nagda Junction Railway Station
Hosapete Junction Railway Station
Balharshah Railway Station
Dindigul Junction Railway Station
Swai Madhopur Junction Railway Station
Lalitpur Railway Station
Ballabhgarh Railway Station
Khalilabad Railway Station
Tirunelveli Junction station
Rajnandgaon Railway Station
Hassan Junction Station
Shahganj Junction Station
Jalandhar Cantt Station
Kanniyakumari Railway Station
Kovilpatti Railway Station
New Coochbehar Railway Station
Bokaro Steel City Railway Station
Chittorgarh Junction Station
Phagwara Railway Station
Rewari Railway Station
Coochbehar Railway Station
Morena Railway Station
Lalgarh Railway Station
Navsari Railway Station
Vapi Railway Station
Hatia Railway Station
Koderma Railway Station
New Bhuj Railway Station
Surendranagar Railway Station
Chandrapur Junction Station
Mau Railway Station
RajpuraJunction Station
N.S.C.B. Gomoh Junction
Udhna Railway Station
Bhavnagar Railway Station
Madhupur Railway Station
Samastipur Junction Station
Kurnool City Railway Station
Tuticorin Railway Station
Agra Fort Railway Station
Raja Ki Mandi Railway Station
Hardoi Railway Station
Valsad Railway Station
Rangia Junction Station
Katni Railway Station
Delhi Sarai Rohilla
Raichur Railway Station
Bellary Railway Station
Jalgaon Railway Station
Veraval Railway Station
Belgaum Railway Station
Jagadhri Railway Station
Nagarsul Railway Station
Kalka Railway Station
Mayiladuthurai Junction Station
Suratgarh Railway Station
Vasco Da Gama Railway Station
Kannur Railway Station
Rudrapur Railway Station
Hissar Railway Station
Palakkad Railway Station
Orai Railway Station
Maihar Railway Station
Anand Railway Station
Udhampur Railway Station
Nashik Railway Station
Yadagiri Railway Station
Kadapa Railway Station
Renigunta Railway Station
Nanded Railway Station
Bharuch Railway station
Shegaon Railway Station
Ankleswar Railway Station
Khandwa Railway Station
Chalisgaon Railway Station
Banglore Cantonment Railway Station
Pathankot Cantt Railway Station
Jamui Railway Station
Roorkee Railway Station
Anantapur Railway Station
Tadepalligudem Railway Station
Katihar Railway Station
Barpeta Road Railway Station
Burhanpur Railway Station
Rewa Railway Station
Nadiad Railway Station
Kanhangad Railway Station
Betul Railway Station
Mangalore Junction Station
Nizamabad Railway Station
Barauni Junction Station
Gandhinagar Jaipur Railway Station
Buxar Railway Station
Amravati Railway Station
Kayankulam Junction Station
Jalna Railway Station
Virudhunagar Junction Station
Shimoga Railway Station
Parbhani Railway Station
Tiruppur Railway Station
Chirala Railway Station
Bandikui Railway Station
Khagaria Railway Station
Ongole Railway Station
Siwan Railway Station
Anugraha Narayan Road Railway Station
Purnea Railway station
Bhilwara Railway Station
Gudur Railway Station
Shoranur Junction Railway Station
Tiruvalla Railway Station
Sasaram Junction Railway Station
Madhubani Railway Station
Bhaktiarpur Railway Station
Kamakhya Railway Station
Dehri on Sone Railway Station
Sri Ganganagar Junction Railway Station
Thalassery Railway Station
June 8, 2018
us_feature.jpg
1min15390

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

એવરેજ ભારતીયોમાં જેની સૌથી તીવ્ર ઘેલછા હોય છે કે અમેરિકાના વીઝા મળે અને ત્યાં ફરવા જવાનું થાય કે સ્થાયી થવાનું થઇ શકે, ભારતીયોને અમેરિકાના વીઝા આપતી મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના કોન્સુલ જનરલ એગાર્ડ કેગનએ તાજેતરમાં તેમના કલીગ જેનિફર લાર્સન સાથે મુંબઇના મહોમદઅલી રોડ પર જ્યાં રમઝાન બજાર ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ માર્કેટ ભરાય છે એ ખાઉ ગલીમાં સ્ટ્રીટ ફૂડની મઝા માણી હતી. આમ તો અમેરિકન નાગરિકો તીખા તમતમતા ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડના આદિ નથી હોતો કે ખાઇ શકતા પણ નથી આમ છતાં ભારતમાં મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના કોન્સુલ જનરલ એગાર્ડ અને જેનિફર લાર્સને મુંબઇની પ્રસિદ્ધ ખાઉ સ્ટ્રીટમાં મળતા ભોજનનો સ્વાદ માણ્યો હતો.

(મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલની કચેરીના કોન્સુલ જનરલ એગાર્ડ કેગનએ પોતાના મનપસંદ પરાઠા ફ્રાય કરવાની મઝા પણ માણી હતી)

મુંબઇ સ્થિત યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોન્સુલ જનરલ એગાર્ડ કેગન અને જેનિફર લાર્સનએ મોહમદ અલી રોડ પર ખાઉ ગલી ખાતે ભરાતા રમજાન બજારમાં એક સાંજે જે સ્ટ્રીટ ફૂડની મઝા માણી હતી તેમાં નલ્લી નિહારી, હલીમ, કબાબ જેનો ટેસ્ટ અત્યંત હોટ એન્ડ સ્પાઇસી હતો, તેની સાથે માલપૂઆ અને ફિરની જેવી સ્વીટ ડેઝર્ટની પણ જયાફત ઉડાવી હતી.

(મુંબઇ સ્થિત મહોમદઅલી રોડ પર ખાઉગલી ખાતે ભરાતા રમઝાન બજારમાં ઇફ્તારી ઇવનિંગ ડિનર માટે આવેલા અમેરિકન કોન્સ્યુલેટ જનરલની કચેરીના કોન્સુલ જનરલ એગાર્ડ કેગનની સાથે ડીપીઓ જેનિફર લાર્સન પણ જોડાયા હતા. તેમણે તીખી તમતમતી નોનવેજ વાનગીઓ માણી હતી, તસ્વીરમાં જોઇ શકાય છે.)

મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલના આ બન્ને અધિકારીઓને અશરફ અહેમદ શેખ નામના સ્થાનિકે માર્ગદર્શિત કરવા સાથે તેમને કંપની આપી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલ મુસ્લિમ સંપ્રદાય માટે અત્યંત પવિત્ર મનાતા રમઝાન મહિનાનો આખરી તબક્કો ચાલી રહ્યો છે અને દેશભરમાં મોટા શહેરો જેવા કે મુંબઇ, દિલ્હી, કોલકાત્તા, લખનઉ, હૈદરાબાદ, અજમેર વગેરે ખાતે ભરાતા રમઝાન  બજાર ખાસ કરીને ફૂડ માર્કેટમાં ભારતભરમાંથી નહીં પણ વિશ્વભરમાંથી સ્વાદરસીયાઓ મુલાકાતે આવતા હોય છે.

(મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલની કચેરીના કોન્સુલ જનરલ એગાર્ડ કેગન મુંબઇના મહોમદઅલી રોડ પર આવેલી ખાઉ ગલી ખાતે ભરાતા રમઝાન બજાર, સ્ટ્રીટફૂડ એરીયામાં ઇફ્તારી ડિનર માટે પહોંચ્યા હતા.)

For English readers

To experience the true taste of Ramadan, Consul General Edgard Kagan and DPO Jennifer Larson visited Mohammed Ali Road this week, where they were delighted by the sights, sounds, and flavors of the vibrant neighborhood. Visiting the iconic Khau Galli, they relished an assortment of iconic festive delicacies and flavors, from Nalli Nihari, Haleem, Kebabs, to Malpua and Phirni. A big thank you to Ashraf Ahmed Shaikh, our cultural guide for the evening.

 

June 7, 2018
teafeature.jpg
1min14790

રાજકોટ, અમરેલી, ભાવનગર, શિહોરની વિવિધ બ્રાંડના નામે પેકિંગ કરી વેચવામાં આવતી હતી

સવાર-સાંજ તાજગી માટે લોકો કુદરતી પીણું ચા પીતા હોય છે, હવે તો મોટા ભાગે લોકો હર્બલ ચા પણ પસંદ કરે છે, પરંતુ, જે લોકો હજુ પણ પરંપરાગત ચા અને તે પણ સસ્તી શોધે છે તેમના માટે ખતરાની ઘંટડી વાગી ગઇ છે. રાજકોટમાંથી એવી ચાનો મોટો જથ્થો મળી આવ્યો છે જેમાં કેમિકલ્સ, એસેન્સ, કલર વગેરે નાંખવામાં આવ્યા હતા.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા બાતમીનાં આધારે એક ટી વાળાને ત્યાં દરોડા પાડી ચાના નમૂના લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે ચાના નમૂના લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા અને ચાનો જથ્થો સિઝ કર્યો હતો. મહાનગર-પાલિકાના જણાવ્યા અનુસાર દર્શન ટીના નમૂના પરીક્ષણમાં ફેઇલ થયા છે. આ ચામાંથી કેમિકલ કલર, એશેન્સ ભેળવવામાં આવતો હતો અને સસ્તા ભાવે ચા વેચવામાં આવતી હતી.

રાજકોટમાં પરાબજારમાં આવેલી દર્શન ટી નામની પેઢીમાં ચાની ભૂકીમાં ભેળસેળુનું કૌભાંડ પકડાયું છે. આરોગ્ય વિભાગના દરોડામાં લાકડાનું ભૂસું અને કેમિકલનું મિશ્રણ કરવામાં આવતું હોવાના ઘટસ્ફોટ થયા હતા. સાથે જ ભૂકીમાં કેમિકલ પાઉડર પણ મિલાવવામાં આવતો હતો. આ ડુપ્લિકેટ ભૂકીને રાજકોટ, અમરેલી, ભાવનગર, શિહોરની વિવિધ બ્રાંડના નામે પેકિંગ કરી વેચવામાં આવતી હતી.

આરોગ્ય વિભાગે 1200 કિલો ચાનો જથ્થો સિઝ કર્યો હતો. ચાના નમૂના ગુણવત્તાના વિવિધ માપદંડોમાં નાપાસ થતા હવે કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

June 6, 2018
3tien_feature.jpg
1min14580

વર્લ્ડ ઍન્વાયરમેન્ટ ડે નિમિત્તે મુંબઈ-પંજાબ વચ્ચે છેલ્લાં 106 વર્ષથી દોડતી ‘પંજાબ મેલ’માં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એસી-થ્રી ટિયર કૉચ જોડવામાં આવ્યો હતો. રેલવે ટ્રેક પર મુસાફરો દ્વારા ફેંકવામાં આવતી ફાલતુ ચીજવસ્તુઓના રીયુઝથી મેલના કેટલાક હિસ્સા તૈયાર કરવામાં આવ્યા છે.

રેલવે અધિકારીઓએ પંજાબ મેલ ટ્રેનમાં એક ઇકો ફ્રેન્ડલી કોચ લગાડ્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કૉચના ઈન્ટિરિયરમાં ફેરફાર કરીને ફ્લોર પર અને કૉચની દીવાલ પર ‘ક્રિબ શીટ’ લગાવવામાં આવી છે. આ શીટ તૈયાર કરવા માટે રેલવેએ ખાલી પડેલા ટેટ્રાપૅકના કૅન, ટૂથપેસ્ટ, ફેસક્રીમની ખાલી પડેલી ટ્યૂબને ઉપયોગમાં લેવામાં આવ્યા હોવાનું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

રેલવે દ્વારા કરવામાં આવેલા આ ફેરફાર અંગે પહેલાં પ્રવાસીઓની પ્રતિક્રિયા જાણવામાં આવશે અને ત્યાર બાદ જ વધુ ટ્રેનોમાં આ પ્રયોગ હાથ ધરવો કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, એવું અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું.