આગામી 1લી એપ્રિલથી રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ને અપડેટ કરવાની કવાયત શરૂ થવા જઈ રહી છે જે અંતર્ગત દેશના પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામાંકન સૌથી પહેલું થશે.
રાષ્ટ્રપતિના નામાંકન બાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ એનપીઆરની સુચિમાં સામેલ થશે. નામાંકન માટે ભારતના રજિસ્ટ્રાર જનરલ કાર્યાલયે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને તેમના અનુકૂળ સમયની માગ કરી છે.
મીડિયા અહેવાલો પ્રમાણે, 1 એપ્રિલના દિવસે જ દેશના ત્રણેય સર્વોચ્ચ પદાધિકારીઓના ડેટા એનપીઆરમાં સામેલ થઈ જશે તેવી સંભાવના રજિસ્ટ્રાર જનરલ કાર્યાલય વ્યકત કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામાંકન ગૃહમંત્રી, રજિસ્ટ્રાર જનરલ, જનગણના આયોગ અને જનગણના સંચાલન નિર્દેશકની હાજરીમાં દિલ્હીમાં થવાનું કહેવાય રહ્યું છે. ત્યારબાદ આ જ ટીમ દ્વારા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી મોદીના નામાંકન એનપીઆરમાં કરાશે.
નામાંકન થઈ ગયા બાદ રજિસ્ટ્રાર જનરલ અને જનગણના આયોગ કાર્યાલયનો ઈરાદો એનપીઆરનો મોટાપાયે પ્રચાર કરવાનો છે, જેથી દેશની જનતા સુધી તેનો સંકેત પહોંચી શકે. એનપીઆર અંતર્ગત 1 એપ્રિલ, 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં દેશના નાગરિકોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે ઘરે ઘરે જઈને વસ્તી ગણતરી કરવાની તૈયારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એનપીઆરનો ઉદેશ દેશના નાગરિકોની વ્યાપક ઓળખ માટે ડેટાબેઝ તૈયાર કરવાનો છે. જેથી સરકારી યોજનાઓ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચી શકે.
ગિરનારની ગોદ ભવનાથ તળેટીમાં 17 Februarty સવારે શાસ્ત્રોક્ત વિધિથી ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ સાથે 5 દિવસ ચાલનાર મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. આ સાથે અન્નક્ષેત્રોમાં હરિહરની હાકલ ઉઠી છે. ઉતારાઓમાં સંતવાણીના સૂર રેલાવા લાગ્યા છે. સાધુ-સંતોએ ધૂણીઓ ધખાવી છે.
Bhavnath Mahadev Mandir
પરંપરાગત પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો આજે મહાવદ નામના દિવસે ભૂદેવોના મંત્રોચ્ચાર, પૂજન, અર્ચન, શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરાતા હર હર મહાદેવ, જય ગિરનારીના જયઘોષ વચ્ચે શિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થયો.
બીજી તરફ અખાડાઓ તથા ભવનાથ મંદિર આસપાસ સાધુ-સંતો દ્વારા ધૂણા ધખવાયા છે. મેળાના પ્રારંભ સાથે મનપા, પોલીસ, આરોગ્ય અને વનતંત્ર દ્વારા પોત-પોતાની ફરજ શરૂ કરાઈ છે. પરંતુ પ્રારંભે ભાવિકોની પાંખી હાજરીનાં કારણે તંત્ર પણ શાંતિનો શ્વાસ લઇ રહ્યું છે. વાહનોને રોકટોક વગર તળેટીમાં પ્રવેશવા દેવાય છે.
18 February ત્રણ દિવસીય સાંજે 7 થી રાત્રીના 11 કલાક સુધી સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તેમાં સ્થાનિક નવોદિત કલાકારોને પ્લેટફોર્મ અપાશે જ્યારે નામાંકિત કલાકારો ઉતારાઓમાં સંતવાણીના સૂર રેલાવશે.
મેળામાં ઉમટતા લાખો ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે 3000 જેટલી પોલીસ ઉતારાતા તળેટીમાં પોલીસ, સાધુ-સંતો, ઉતારા, અન્નક્ષેત્રોનાં સ્વયંસેવકો તથા વિવિધ વિભાગનાં ફરજ તૈનાત કર્મચારીઓ અને પાંખી સંખ્યામાં ભાવિકો નજરે પડયા હતાં.
આવતીકાલથી ભાવિકોનો પ્રવાહ શરૂ થશે અને છેલ્લા બે દી’ તળેટીમાં માનવદરિયો ઘૂઘવશે. આ સ્થિતિને પહોંચી વળવા માટે આયોજકો સજ્જ’ બન્યા છે. આમ તળેટીમાં આજથી પાંચ દી’ જીવ અને શિવનો સંગમ રૂપી મેળાનો ધમધમાટ શરૂ’ થઇ ગયો છે.
કોરોના વાઈરસ: ચીનમાં મરણાંક 1775 : 71 હજારથી વધુ દર્દીઓ
Reported on 17 February 2020 : 8.30 a.m.
Infection Summary as of 8 am IST on February 17th, 2020: –
71,223 Confirmed Cases –
1,770 Deaths –
10,699 in Serious/Critical Condition –
10,559 Recovered –
29 Territories
ચીનમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસ અંગે તા.17મી ફેબ્રુઆરી 2020ની સવારે 8.30 કલાકે મળેલા સત્તાવાર અપડેટ અનુસાર કોરોના વાઇરસથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 1170 પર પહોંચી ચૂકી છે. કુલ 71,223 લોકોને વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે.
ભારત માટે સૌથી મહત્વના સમાચાર એ છે કે ભારતમાં કોરોના વાઇરસનો ભોગ બનેલા કેરળના ત્રણેય દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. તા.17મીએ સવારે સોશ્યલ મિડીયા પર કેરળ સરકારે સત્તાવાર નિવેદન આપીને જાણકારી આપી હતી કે કોરોનાથી પીડીત ત્રણેય દર્દીઓ રીકવર થઇ ચૂક્યા છે. આમ ભારતે કોરોના વાઇરસ પર સૌથી મોટી જીત મેળવી હોવાનું માનવામાં આવે છે.
Reported on 16 Feb.
ચીનના ખતરનાક કોરોના વાઈરસે અત્યાર સુધીમાં ૧૬૬૫નો ભોગ લીધો છે. શનિવારે એક જ દિવસમાં ૧૪૨નાં મરણ થયાં હતાં. વાઈરસથી અસરગ્રસ્ત કેસ વધીને ૬૮૫૦૦ થયા છે.શનિવારે ૨૦૦૯ નવા કેસ નોંધાયા હતા, એમ ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું. હુબેઈ અને વુહાનમાં સૌથી વધારે કેસ જોવાયા છે.કોરોના વાઈરસને નાથવા ચીન સતત પ્રયાસ કરી રહ્યું છે. ડબ્લ્યુએચઓના નિષ્ણાતો પણ મદદ કરી રહ્યા છે. ૯૪૧૯ દર્દીઓને રીકવરી બાદ હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે. વાઈરસથી અસરગ્રસ્તોની સારવાર કરતાં આરોગ્યના અનેક અધિકારી પણ ઝપટમાં આવ્યા છે. ૧૭૦૦ ચાઈનીસ અધિકારીને વાઈરસનો ચેપ લાગ્યો છે તે પૈકી છનાં મોત થયાં હતાં. તેથી સારવાર કરનારાઓમાં ડર પેસી ગયો છે.તમામ નાગરિકને માસ્ક પહેરવા સલાહ અપાઈ છે. હાથ-પગ અને મ્હોં અવારનવાર ધોતાં રહેવા જણાવાયું
છે. બેન્ક નોટ- કોઈનનું કવોરેન્ટાઈન શરૂ થયું છે. વૈજ્ઞાનિકો વેકસીન
તૈયાર કરવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.
ક્રૂઝ શિપમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્તોની સંખ્યા વધીને ૩૫૫ થઈ
જાપાનના દરિયાકાંઠે લાંગરેલી શિપ ક્રૂઝમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્ત પેસેન્જરની સંખ્યા વધીને ૩૫૫ થઈ છે, એમ જાપાનના આરોગ્ય પ્રધાને રવિવારે જણાવ્યું હતું.અત્યાર સુધીમાં ૧૨૧૯ પેસેન્જરના ટેસ્ટ કરાયા છે તે પૈકી ૩૫૫ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ શિપ ૫, ફેબ્રુઆરીથી જાપાનના દરિયાકાંઠે અટકાવી દેવાયું છે. શિપમાં ભારત સહિત ૫૦ દેશનાં ૩૭૦૦ પેસેન્જર છે. શિપમાં હોંગકોંગના પેસેન્જરો પણ હતા. તેઓને કોરોના વાઈરસની અસર થઈ હતી. તે અન્ય પેસેન્જરને પ્રસરે નહીં તે માટે તમામની ટેસ્ટ માટે શિપને અલગ રખાયું છે.અમેરિકા તેના પેસેન્જરોને શિપમાંથી ખસેડવાની તૈયારી કરી રહ્યું છે. કેનેડા, હોંગકોંગ પણ પોતાના નાગરિકને શિપમાંથી ખસેડવાની તૈયારી કરે છે. ભારતના પણ ૧૩૮ જેટલા પેસેન્જર છે. શિપમાં ટેસ્ટિંગ સવલત સિમીત હોવાથી તથા આરોગ્ય અધિકારી પણ ઓછા હોવાથી ટેસ્ટિંગ પ્રક્રિયા ધીમી રહી છે.
રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) હેઠળ મળેલી જાણકારી
અનુસાર,
ચાલુ નાણાંકીય વર્ષ પહેલાના 9 મહિના (એપ્રિલ-ડિસેમ્બર-2019) દરમિયાન 18
સરકારી બેંકોમાં કુલ 1.17 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડીના કુલ 8,926 કેસો સામે આવ્યા છે. ઈન્દોરના નિમચના રહેવાસી RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે જણાવ્યું કે, ભારતીય રીઝર્વ બેંકે તેમને RTI હેઠળ આ જાણકારી આપી
છે.
આરટીઆઈ હેઠળ પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) બેન્કિંગ છેતરપિંડીનો સૌથી વધુ શિકાર બની છે. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન એસબીઆઈ દ્વારા રૂ.30,300.01 કરોડ રૂપિયાની બેંકિંગ ફ્રોડના 4,769 કેસ નોંધાયા છે. આ રકમ આ સમયગાળા દરમિયાન સરકારી બેંકમાં બેન્કિંગ છેતરપિંડીના નોંધાયેલા કેસોના કુલ રકમ રૂ.1,17,463.73 કરોડની લગભગ 26 ટકા જેટલી રકમ છે.
એસબીઆઈ – રૂ.30,300.01 કરોડ – 4,769 કેસ
પંજાબ નેશનલ બેંક – રૂ.14,928.62 કરોડ – 294 કેસો
બેંક ઓફ બરોડા – રૂ.11,166.19 કરોડ – 250 કેસો
અલ્હાબાદ બેંક – રૂ.6,781.57 કરોડ – 860 કેસ
બેંક ઓફ ઇન્ડિયા – રૂ.6,626.12 કરોડ – 161 કેસ
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા – રૂ.5,604.55 કરોડ – 292 કેસ
ઇન્ડિયન ઓવરસીઝ બેંક – રૂ.5,556.64 કરોડ – 151 કેસ
ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ – રૂ.4,899.27 કરોડ – 282 કેસ
કેનેરા બેંક,
યુકો બેંક, સિન્ડિકેટ બેંક, કોર્પોરેશન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ
ઇન્ડિયા,
આંધ્ર બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, ઈન્ડિયન બેંક અને
પંજાબ એન્ડ સિંધ બેંકમાં કુલ રૂ.31,600.76 કરોડની બેન્કિંગ
છેતરપિંડીનો સમાવેશ થાય છે. આરબીઆઈ દ્વારા આરટીઆઈ અંતર્ગત આપવામાં આવેલી માહિતીમાં
બેન્કિંગ ફ્રોડનો શિકાર બનેલી બેંકો અથવા તેના ગ્રાહકોને થયેલા નુકસાન અંગે કોઈ
ચોક્કસ વિગતો આપવામાં આવી નથી.
ચીનમાં કોરોના વાયરસ વિકરાળ સ્વરુપ ધારણ કરી રહ્યો છે, જેના કારણે દુનિયાભરના દેશો ચિંતામાં મૂકાઈ ગયા છે. ચીનમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંક 1000ને પાર પહોંચી ચૂક્યો છે. ચીનમાં અત્યાર સુધીમાં 1011 લોકો આ વાયરસની લપેટમાં આવીને મોતને ભેટી ચૂકયા છે. મૃતકોની સંખ્યામાં જો ફિલીપાઈન્સ અને હોંગકોંગમાં થયેલા એક-એક વ્યક્તિના મોતનો સમાવેશ પણ કરવામાં આવે તો આ આંકડો 1013 સુધી પહોંચે છે.
ચીનની સરકારી મીડિયાના રિપોર્ટ્સ અનુસાર આ વાયરસની લપેટમાં આવેલા લોકોની સંખ્યા 42600 પર પહોંચી ગઈ છે. 2003માં ફેલાયેલા સીવિયર અક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (SARS)ના કારણે 774 લોકોના મોત નિપજ્યા હતા. જેની સરખામણીમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા ઘણી વધારે છે.
ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા વધીને 908 થઈ ગઈ છે, જેમાં સૌથી વધુ મોત હુબેઈ પ્રાંતમાં થયા છે. ઉપરાંત કોરાના વાયરસથી કુલ 42300 અસરગ્રસ્ત હોવાની પુષ્ટિ થઈ છે. બીજી તરફ, આ બાબતને ગંભીરતાથી લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે પોતાની એક ટીમ ચીન મોકલી છે.
Reported on 10 Febryary 2020
Coronavirus death toll rises to 908 in China There were 97 deaths and 3,062 new confirmed cases of the lethal infection on Sunday, China’s National Health Commission said. The number of infections in China reached 40,171, with nearly 6,500 of these being severe cases.
તા.10મી ફેબ્રુઆરીને સોમવારે ચીનના નેશનલ હેલ્થ કમિશને જારી કરેલી સત્તાવાર માહિતી મુજબ રવિવારે કોરોના પીડીત હોય તેવા વધુ 97 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આ સાથે જ કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 908 લોકોના મોત નિપજી ચૂક્યા છે. રવિવાર તા.9મી ફેબ્રુઆરીએ વધુ 3062 દર્દીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. ચીનમાં જ 40,171 હજારથી વધુ લોકો કોરોનાથી પીડીત છે. જેમાં 6500થી વધુ લોકોની તબિયત ગંભીર જણાય રહી છે.
Date 10 February
ચીનમાં મરણનો આંકડો વધીને ૮૧૩ થયો
ચીનમાં કોરોના વાઈરસના કારણે મરણનો આંકડો રોજ વધી રહ્યો છે. શનિવાર સુધીમાં ૮૧૩ વ્યક્તિનાં મોત થયાં છે અને ૩૭૦૦૦ લોકોને ઈન્ફેકશન લાગ્યું છે. ૨૫ દેશોને આ વાઈરસની અસર થઈ છે.
૨૦૦૨-૦૩માં સાર્સ વખતે જેટલાં મરણ થયાં હતાં તેના કરતાં વધુ મોત કોરોના વાઈરસથી થયાં છે. શનિવારે એક જ દિવસમાં ૮૯ મરણ થયાં હતાં, એમ ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું. સાર્સ વખતે ૭૦૦ વ્યક્તિના મોત થયાં હતાં.
હુબેઈ પ્રાન્તમાં શનિવારે ૬૦૦ વ્યક્તિને રીકવરી થતાં હૉસ્પિટલમાંથી રજા અપાઈ હતી. ડિસેમ્બરમાં આ વાઈરસ પ્રથમવાર જોવામાં આવ્યા હતા. ૬૧૮૮ દર્દી હજુ ગંભીર સ્થિતિમાં છે.ચીન આસપાસના દેશોમાં આ વાઈરસ ફેલાયો છે. અમેરિકા, જાપાન સહિત દૂરના દેશોમાં પણ આ વાઈરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે.
મોદીએ ચીનના પ્રમુખને પત્ર લખીને હૅલ્પ કરવાની તૈયારી દર્શાવી
ચીન જીવલેણ કોરોના વાઈરસને કારણે નિર્માણ પામેલી ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હોવા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગને પત્ર લખીને પરિસ્થિતિનો સામનો કરવા જરૂરી તમામ સહાય કરવાની તૈયારી દર્શાવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર જિનપિંગને લખેલા પત્રમાં મોદીએ કોરાના વાઈરસને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિમાં ચીનના લોકો અને પ્રમુખ શી જિનપિંગ પરત્વે એકતા વ્યક્ત કરી હતી.
કોરાના વાઈરસનું મુખ્ય કેન્દ્ર હુબેઈ પ્રાન્ત હોવા છતાં આ વાઈરસ ચીનના લભગ તમામ પ્રાન્ત ઉપરાંત વિશ્ર્વના લગભગ પચીસ કરતા પણ વધુ દેશમાં ફેલાઈ ગયો હોવાને કારણે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાને તાકીદની સ્થિતિ જાહેર કરવાની ફરજ પડી છે.
પત્રમાં મોદીએ કોરોના વાઈરસને કારણે ઊભા થયેલા પડકારને પહોંચી વળવા તમામ પ્રકારની સહાયનો પ્રસ્તાવ મૂક્યો હતો અને આ મહામારીમાં જીવ ગુમાવનારાઓ પરત્વે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. ગયા અઠવાડિયે ચીનના હુબેઈ પ્રાન્તમાંથી ૬૫૦ જેટલા ભારતીયને ખસેડવામાં સહાયરૂપ થવા બદલ મોદીએ જિનપિંગની પ્રશંસા કરી હતી. સલામતીનાં પગલાંરૂપ ભારત સહિત વિશ્ર્વના અનેક દેશોએ ચીનમાંથી પોતાના નાગરિકોને પાછા બોલાવી લીધા છે અને ચીનથી લાવવા લઈ જવામાં આવતા માલસામાન પર અંકુશ મૂક્યો છે. આ મહામારીની ચીનના અર્થતંત્ર પર ટૂંકાગાળાની અસર પડશે એવી કબૂલાત કરતા તેમણે કહ્યું હતું કે દેશની આંતરિક સ્થિતિસ્થાપકતા વધી રહી છે અને મહામારીને કારણે નિર્માણ પામેલી આર્થિક પ્રવાહીતા સાથે કામ પાર પાડવા માટેના સાધનો અને સ્રોતો વિપુલ માત્રામાં તેમની પાસે હોવાનું તેમણે કહ્યું હતું.
ચીનના કોરોના વાઇરસને પગલે વિશ્ર્વભરના દેશોએ ચીનના પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
ચીનના વુહાન પ્રાંતમાં શરૂ થયેલા કોરોના વાઇરસને પગલે અમેરિકાએ છેલ્લા ૧૪ દિવસમાં ચીનની યાત્રાએ ગયેલા લોકોના આગમન પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. અમેરિકાના નાગરિકો જેમણે હાલમાં ચીનના હુવેઇ પ્રાંતની મુસાફરી કરી છે તેમના આગમન પર તેમનું સ્ક્રિનીંગ કરવામાં આવશે અને જરૂર પડે અલાયદા પણ રાખવામાં આવશે.
બંગલાદેશે ચીનના નાગરિકોના વિઝા-ઓન- અરાઇવલ હાલ પૂરતા બંધ કર્યા છે અને દેશમાં હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટમાં ચીનના નાગરિકોની સેવા નહીં લેવા આદેશ આપવામાં આવ્યા છે. વૈશ્ર્વિક સ્વાસ્થ્ય કટોકટીને પગલે બંગલાદેશમાં રહેતા ચીનના લોકોને પણ આગામી મહિનામાં રજા નહીં લેવા અને ચીન નહીં જવા સૂચન કર્યું છે.
પોતાના દેશમાં કોરોના વાઇરસ ફેલાવાના ભયે ઇરાકે પણ ચીનથી આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યો છે. ઇરાકની ચીન માટેની કોઇ ડાઇરેક્ટ ફ્લાઇટ નથી, પરંતુ માતબર ઓઇલ ફિલ્ડ ધરાવતા દેશમાં ચીનના ઘણાં વ્યક્તિ અહીં કામ કરે છે. વર્ષોથી ચાલતા યુદ્ધ અને આંતરિક યાદવાસ્થળીને કારણે ઇરાકની જાહેર સ્વાસ્થ્ય યંત્રણા ખાડે
ગઇ છે.
ઇઝરાયલે પણ છેલ્લાં બે અઠવાડિયામાં ચીનના પ્રવાસે જઇ આવેલા વ્યક્તિના દેશમાં હવાઇ, રોડ અને જળ માર્ગે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
ઇન્ડોનેશિયાના લાયન ઍર ગ્રુપે તેની ચીનની ફ્લાઇટો બંધ કરી છે. લોકોને ચીનનો પ્રવાસ નહીં ખેડવા જણાવવામાં આવ્યું છે. ચીનથી આવતા મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં
આવ્યો છે.
ઑસ્ટ્રેલિયામાં પણ કોરોના વાઇરસના પુષ્ટિ કરાયેલા કેસની સંખ્યા ૧૨ થઇ જતા ચીનના મુસાફરોનો પ્રવેશ નકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
PMC બેંકના સંકટને જોતા ડિપોઝિટ કવરને વધારે કરવાથી બેંક ખાતા ધારકોને
મોટી રાહત મળી છે. આ મામલે નાણામંત્રીએ ઉમ્મીદ કરતા વધારે આપ્યું. હવે બેંકમાં
તમારી સુરક્ષિત રકમ 1 લાખથી વધીને 5 લાખ રૂપિયા હશે.
અત્યાર સુધી DICGC એક્ટ 1961 અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની જમા રકમ પર ઈન્શ્યોરન્સ કવર છે અને
જો બેંક ડૂબી જાય તો આ લિમિટથી આગળની જમા રકમ પાછી મળવાની ગેરેન્ટી નથી. આ વળતર
નક્કી કરાયું તેને 25 વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો છે.
બજેટમાં સરકારે તમારા બેંકની ડિપોઝિટને
લઈને મોટી જાહેરાત કરી છે. બેંકમાં જમા રકમ પર તમને હવે 5 લાખ રૂપિયા સુધીની ગેરેન્ટી મળશે. એટલે કે બેંકમાં તમારા 5 લાખ રૂપિયા બિલકુલ સેફ રહેશે. બેંકોમાં પૈસા જમા કરાવનારા લોકો
માટે ઈન્શ્યોરન્સ કવર 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવાયું છે. જો બેંક
ડૂબશે તો તમારી 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ તમને પાછી મળી જશે.
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક (PMC) સાથે જોડાયેલા મામલામાં સરકાર અને RBIને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં PMC બેંકનું કામકાજ બંધ થઈ ગયું. જેનાથી હજારો ગ્રાહકોના પૈસા ફસાઈ ગયા
હતા.
ડિપોઝિટ કવર વધારવાનો મુદ્દો ફાઈનાન્શિયલ
રિઝોલ્યૂશન એન્ડ ડિપોઝિટ ઈન્શ્યોરન્સ બિલ સમક્ષ ઉઠ્યો હતો, જે પાછલી સરકારે 2017માં રજૂ કર્યો હતો. જોકે આગામી વર્ષે બિલ
સંસદમાંથી પાછું લઈ લેવાયું. ક્રોસ કન્ટ્રી ડિપોઝિટ ઈન્શ્યોરન્સ કવરેજ લિમિટના
ડેટાથી માલુમ પડે છે કે ભારતમાં ડિપોઝિટ ઈન્શ્યોરન્સ કવરેજ 1508 ડોલર છે, જ્યારે અમેરિકામાં આ 250,000
ડોલર્સ અને
બ્રિટનમાં 111,143 ડોલર છે.
બજેટમાં ડિપોઝિટ ઈન્શ્યોરન્સ વધારવાની
જાહેરાત બાદ બેંકબાજાર ડોટ કોમના સીઈઓ આદિલ શેટ્ટીએ તેનું સ્વાગત કર્યું. તેમણે
કહ્યું, આ ડિપોઝિટર સેન્ટીમેન્ટને બૂસ્ટ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું
છે. આ જાહેરાતથી ખાસ કરીને સીનિયર સીટિઝન્સને ફાયદો મળશે, જે ઘડપણમાં ડિપોઝિટના વ્યાજ પર નિર્ભર રહે છે.
સરકાર બજેટના એક
દિવસ પહેલાં શુક્રવારે 2019-’20 માટેનો આર્થિક સરવે જારી કરશે. બજાર અને
નિષ્ણાતો ચાલુ નાણાકીય વર્ષના આર્થિક પ્રદર્શનનો અંદાજ મેળવવા આર્થિક સરવે પર
ચાંપતી નજર રાખશે. સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA)ની આગેવાનીમાં આર્થિક સરવેનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે અને
નાણાપ્રધાનની મંજૂરી પછી તે જારી કરાય છે. ક્રિષ્નમૂર્તિ વી સુબ્રમણિયન્ અત્યારના CEA છે.
આર્થિક સરવે 31 જાન્યુઆરીના રોજ સંસદનાં બંને ગૃહોમાં રજૂ કરવામાં આવશે. ત્યાર પછી
સુબ્રમણિયન્ પત્રકાર પરિષદને સંબોધશે. જેમાં CEA અને તેમની ટીમ આગામી નાણાકીય વર્ષ માટેની
યોજના બાબતે ચર્ચા કરશે. આર્થિક સરવે નાણામંત્રાલયનો વાર્ષિક દસ્તાવેજ છે. તેમાં
દેશની આર્થિક પ્રગતિ અને છેલ્લા 12 મહિનાના પડકારોની સમીક્ષા કરાય છે.
ઉપરાંત, સરકારની મહત્ત્વની નીતિઓના પ્રદર્શન અને તેની અસર અંગે પણ માહિતી
આપવામાં આવે છે. આર્થિક સરવેમાં મહત્ત્વની રાજકોષીય બાબતો, ફુગાવો,
મેક્રોઇકોનોમિક
પરિબળો અને અન્ય આર્થિક પરિબળોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે. તમામ બાબતો
અર્થતંત્રની કામગીરીનો નક્કર સંકેત આપે છે. આર્થિક સરવે
હવામાનમાં ફેરફાર, કૃષિ અને રોજગારીની અસર અંગેની વિગતો પણ દર્શાવે છે. ઉલ્લેખનીય છે
કે, પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન સીતારામન બજેટ રજૂ કરવાના છે તેના એક
દિવસ પહેલાં આર્થિક સરવે રજૂ થશે.
સોના કરતા પ્લેટિનમ 27 ટકા સસ્તું થયું હોવાથી આ લગ્નસરામાં પ્લેટિનમ પર પસંદગી ઉતારવામાં આવી રહી છે. આ ઉપરાંત, લગ્ન માટેની ખરીદીમાં પોલ્કી અથવા અનકટ હીરા, અન્ય કીમતી જેમસ્ટોન્સ અને પ્લેટિનમ જ્વેલરીની ભારે માંગ છે.
ભારતમાં હાલ સોનાનો ભાવ બજારભાવ ₹40,000ની આસપાસ સેટલ થઇ ચૂક્યો છે. જ્યારે પ્લેટિનમ પ્રતિ 10 ગ્રામ ₹31240નાં ભાવે વેચાઇ રહ્યું છે. સોનાના ભાવ ઊંચા છે ત્યારે ગ્રાહકોએ પસંદગી બદલી છે એમ અગ્રણી ડાયમંડ જ્વેલરી તેમજ બુલિયન આગેવાનોનું કહેવું છે.
આ વખતની લગ્નની સીઝનમાં ગ્રાહકોની પસંદગી કીમતી અને જેમસ્ટોન જ્વેલરી તથા પોલ્કી હીરા છે.
પ્લેટિનમ જ્વેલરીમાં હકારાત્મક વલણ જોવા મળે છે, તેમાં પણ ખાસ કરીને પુરુષો ટુ ટોન રિંગ, બ્રેસલેટ, કફલિંક અને ચેઇન ખરીદી રહ્યા છે. આ સિવાય ગ્રાહક માંગમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે, આ રિટેલ માંગ બિનસંગઠિત ઝવેરીઓથી શિફ્ટ થઈને સંગઠિત ક્ષેત્રના ઝવેરીઓ તરફ વળી છે. હીરા અને પ્લેટિનમ ઝવેરાત તરફ ગ્રાહકોની પસંદગી વળી તેનું કારણ તાજેતરના મહિનાઓમાં સોનાના ભાવમાં થયેલો વધારો છે.
તાજેતરનાં મહિનાઓમાં ગોલ્ડ અને પ્લેટિનમ વચ્ચેનો ભાવ તફાવત ઘણો વધ્યો છે. ગ્રાહકો સોના કરતા પ્લેટિનમ પસંદ કરી રહ્યા છે. સામાન્ય રીતે લગ્નમાં સોનાને પ્રાથમિકતા આપવામાં આવે છે પણ આ લગ્નસરામાં અમે પ્લેટિનમને પ્રાધાન્ય અપાઇ રહ્યાની અનુભૂતિ થઇ રહી છે.
નવા જમાનાની યુવતીઓને હવે ડિઝાઇન્ડ ડાયમંડ પોલ્કી નેકલેસ અને બંગડીઓ વગર ચાલતું નથી. તેઓ લગ્ન સમયે ડાયમંડ પોલ્કી જ્વેલરીને અનિવાર્ય સમજવા લાગી છે. કેટલીકે તેમાં પ્લેટિનમનો પણ ઉમેરો કર્યો છે જેથી તેનો દેખાવ અલગ જ તરી આવે.
પ્લેટિનમ હજી ખાસ કેટેગરીમાં આવતી બ્રાઇડલ જ્વેલરી હોવાથી વોલ્યુમની રીતે તેની માંગ સોના કે હીરા જેવી નથી. રિટેલ પ્લેટિનમ જ્વેલરી તે વ્યૂહાત્મક રિટેલ નિર્ણય છે અને તેનો આધાર માંગના ટ્રેન્ડ અને કોઈ ખાસ બજારનાં પરિમાણ પર છે.
આપણે સૌ ભારતીયો આજે તા.26મી જાન્યુઆરી 2020ના રોજ આપણા દેશનો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યા છીએ. દરેક નાગરીકના મનમાં આજે દેશ પ્રેમની કોઇકને કોઇક લાગણી વ્યક્ત થઇ રહી છે.
ભારતના 71મા પ્રજાસત્તાક સમારોહની મુખ્ય સરકારી ઉજવણી નવી દિલ્હીમાં ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે. આ વરસે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે. રાજપથ પર આજે સવારે 90 મિનિટની પરેડમાં ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલા એન્ટી સેટેલાઈટ વેપન્ટ (એસેટ)- મિશન શક્તિ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. વાયુસેનાના ચિનૂક અને અપાચે હેલિકોપ્ટર પણ પ્રથમ વખત પરેડાં સામેલ કરાયા હતા, લોકમાં એમણે પણ ભારે આકર્ષણ જણાવ્યું હતું.
પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રથમ વખત એવું બન્યું કે વડાપ્રધાન અમર જવાન જ્યોતિ ઉપર નહીં ગયા અને ઈન્ડિયા ગેટ પાસે આવેલા નેશનલ વોર મેમોરિયલ ગયા હતા. પરંપરા મુજબ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધ્વજારોહણ કર્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રગાન દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.