CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 14 of 41 - CIA Live

March 20, 2020
coronavirus.jpg
1min4720

કેન્દ્ર સરકારે પચાસ ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપી છે તો બાકીના કર્મચારીઓને દરરોજ ઑફિસમાં હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે.

કૉરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવાના પ્રયાસના ભાગરૂપ કર્મચારીઓને કામ માટે જુદા જુદા કલાકો ફાળવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ ગ્રુપ બી અને ગ્રુપ સીના પચાસ ટકા કર્મચારીઓએ ઑફિસમાં દરરોજ હાજર રહેવું ને બાકીના પચાસ ટકા લોકોએ ઘરેથી કામ કરવું.

ગ્રુપ બી અને ગ્રુપ સીના કર્મચારીઓ માટે અઠવાડિક ધોરણે વારાફરતી આ આદેશનો અમલ કરવાનું વિભાગીય વડાને જણાવી દેવામાં આવ્યું છે.

નવું સમયપત્રક બનાવતી વખતે પહેલા અઠવાડિયામાં ઑફિસની નજીકના વિસ્તારમાં રહેતા કર્મચારીઓનો તેમાં સમાવેશ કરવાની વિભાગીય વડાઓને સલાહ આપવામાં આવી છે.

આદેશમાં કરવામાં આવેલા સૂચન મુજબ કર્મચારીઓને ત્રણ જૂથમાં વિભાજિત કરી દેવા અને તેમનો ઑફિસનો સમય અનુક્રમે સવારે ૯:૦૦થી સાંજે ૫:૩૦, સવારે ૯:૩૦થી સાંજે ૬:૦૦ અને સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૩૦નો રાખવો. ઘરેથી કામ કરતી વ્યક્તિ સંપૂર્ણ સમય ટેલિફોન તેમ જ અન્ય ઈલેક્ટ્રોનિક માધ્યમ મારફતે સતત ઉપલબ્ધ રહેવી જોઈએ અને અનિવાર્ય સંજોગોમાં જો તેમને બોલાવવામાં આવે તો તેમણે ઑફિસે હાજર થવાનું રહેશે.

તાકીદની તેમ જ જરૂરી સેવામાં રોકાયેલા તેમ જ કૉરોના વાઈરસને ફેલાતો અટકાવવાના કામમાં રોકાયેલા કર્મચારીઓને આ નિયમ લાગુ નહીં પડે એમ બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું.

ડિપાર્ટમેન્ટ ઑફ ફાઈનાન્સ સર્વિસ તેમ જ ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક ઍન્ટરપ્રાઈસ પણ નાણાંકીય સંસ્થાઓ અને જાહેરક્ષેત્રની કંપનીઓને આ પ્રકારની સૂચના આપી શકે છે, એમ આદેશમાં જણાવવામાં આવ્યું છે.

ઑફિસના પરિસરમાં ઓછામાં ઓછા મુલાકાતીઓ આવે કે પ્રવેશ લે તેની ખાતરી કરવાનું પણ આદેશમાં જણાવવામાં આવ્યું છે. વિઝિટર્સ કે ટૅમ્પરરી પાસ જારી કરવાનું પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનું જણાવી દેવામાં આવ્યું છે.

અધિકારીની યોગ્ય પરવાનગી બાદ મુલાકાતીની યોગ્ય ચકાસણી કરીને જ સંબંધિત વ્યક્તિને મળવાની પરવાનગી આપવાનું પણ જણાવી દેવામાં આવ્યું છે.

તમામ સરકારી વિભાગોને થર્મલ સ્કૅનર ગોઠવી દેવા જણાવી દેવામાં આવ્યું છે. બની શકે ત્યાં સુધી વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જ મીટિંગ કરવાની સલાહ આપવામાં આવી છે.

March 17, 2020
CIA_Live_Logo_New2.jpg
19min10470

કોરોનાને કેવી રીતે ઓળખવો ? ICMR Guidelines

કોરોના વાઇરસને લઇને સોશ્યલ મિડીયામાં અનેક ગેરસમજો, ખોટા સમાચારો પ્રસરી રહ્યા છે. હરહંમેશ આપને ઓથેન્ટીક સમાચારો, નક્કર માહિતી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે. તા.19મી માર્ચ 2020ને ગુરુવારે સવારે 10 કલાકે ભારતમાં કોરોનાના કન્ફર્મ કેસોની સંખ્યા 169 હોવાનું કેન્દ્ર સરકારની ઓથોરિટીએ સત્તાવાર રીતે જણાવ્યું હતું.

ભારતની અપડેટેડ માહિતી

ભારતમાં મુંબઈમાં સૌથી વધુ 47 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે બીજા નંબર પર 25 કેસ સાથે કેરળ છે અને આ પછી ઉત્તરપ્રદેશમાં 16, કર્ણાટકમાં 13, દિલ્હીમાં 10, તેલંગાણામાં 10, લદ્દાખમાં 8 કેસ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 14 લોકો એકદમ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. જેમાં ઉત્તર પ્રદેશમાં 5, કેરળ અને રાજસ્થાનમાં 3-3 અને દિલ્હીમાં 2 તથા તેલંગાણામાં 1 દર્દીનો સમાવેશ થાય છે. ભારતમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ત્રણ છે. આ દર્દીઓ દિલ્હી, કર્ણાટકા અને મહારાષ્ટ્રના છે.

તા.19મી માર્ચની સ્થિતિએ કયા દેશમાંથી ભારત આવી ન શકાય

કોરોનાને કેવી રીતે ઓળખવો ? ICMR Guidelines

COVID-19 Case Definitions

Suspect Case:

A patient with acute respiratory illness (fever and at least one sign/ symptom of respiratory disease (e.g., cough, shortness of breath) AND a history of travel to of residence in a country/area or territory reporting local transmission (See NCDC website for updated list) of COVID-19 disease during the 14 days prior to symptom onset;

OR

A patient / Health care worker with any acute respiratory illness AND having been in contact with a confirmed COVID-19 case in the last 14 days prior to onset of symptoms;

OR

A patient with severe acute respiratory infection (fever and at least one sign/symptom of respiratory disease (e.g., cough, shortness breath) AND requiring hospitalization AND with no other etiology that fully explains the clinical presentation;

OR

A case for whom testing for COVID-19 is inconclusive

Laboratory Confirmed case:

A person with laboratory confirmation of COVID-19 infection, irrespective of clinical signs and symptoms.

Click below to download ICMR Guidelines on Covid19

https://www.mohfw.gov.in/pdf/GuidelinesfornotifyingCOVID-19affectedpersonsbyPrivateInstitutions.pdf

Reported on 18 March 4pm

2 લાખ પૈકી 82,813 દર્દીઓ સાજા થઇ ચૂક્યા : હાલમાં 1.09 લાખ એક્ટીવ કેસ એમાં પણ 94 ટકાને માઇલ્ડ ઇન્ફેકશન

વિશ્વમાં દર્દીઓની સંખ્યાનો આંક 2 લાખ : 90,823 કેસમાં અંતિમ પરિણામ મળી ચૂક્યા છે

તા.18મી માર્ચ બુધવારે બપોરે 3.45 કલાકે સમગ્ર વિશ્વમાં કોરોનાથી પીડીત લોકોની સંખ્યા 2 લાખના આંકને પાર કરી ગઇ હતી. હાલમાં વિશ્વમાં કુલ 2 લાખ 106 લોકો કોરોનાથી પીડીત થયા હોવાના અહેવાલો મળ્યા છે. આ એ સંખ્યા છે જેમાં કોરોનાથી મોતને ભેટેલા લોકો, કોરોનાથી બિલકુલ સાજા થઇ ચૂકેલા લોકો તેમજ હાલમાં ઇન્ફેકશન ધરાવતા હોય એવા તમામ લોકોનો સમાવેશ 2,00,016ની સંખ્યામાં થાય છે.

કુલ 8010 લોકોને કોરોના વાઇરસે યમસદન પહોંચાડી દીધા છે.

વિશેષ રાહતની વાત એ છે કે કોરોનાથી પીડીત કુલ 90,823 દર્દીઓનું છેવટનું પરીણામ આવી ચૂક્યું છે. આ સંખ્યા પૈકી 91 ટકા લોકો એટલે કે 82,813 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઇને પોતાના ઘરે પહોંચી ચૂક્યા છે. આ પૈકી 9 ટકા લોકો એટલેકે 8010 દર્દી ના મોત નિપજી ચૂક્યા છે.

સૌથી મહત્વની વાત એ છે કે તા.18મી માર્ચ 2020ની સ્થિતિએ વિશ્વમાં કુલ 1,09,283 દર્દીઓનો એક્ટીવ કોરોનાથી પીડીત હોવાના અહેવાલો મળ્યા છે. જેમાંથી 94 ટકા એટલે કે 1,02,860 દર્દીઓનો કોરોનાનો માઇલ્ડ ચેપ લાગ્યો છે અને 6 ટકા એટલે કે 9,423 દર્દીઓની સ્થિતિ ક્રિટીકલ બતાવવામાં આવી રહી છે.

Reported on 18/03/20 ભારતમાં નવા 9 કેસ મળતા સંખ્યા 152

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલો કોરોના વાઇરસ ભારતમાં હજુ સુધી ઝાઝું નુકસાન કરી શક્યો નથી. આમ છતાં તા.18મી માર્ચ 2020ની બપોરે 4 વાગ્યાની સ્થિતિ અનુસાર ભારતમાં કોરોના વાઇરસથી પીડીત દર્દીઓની સંખ્યા મંદ ગતિઓ આગળ વધતી 152 પર પહોંચી છે. કુલ 3 નો મોત નિપજ્યા છે. તેમજ 14 દર્દીઓ રિકવર થઇને પોતાના ઘરે પરત ફરી ચૂક્યા છે. 18મી માર્ચે બપોરે 4 વાગ્યા સુધીમાં ભારતમાં કોરોનાના નવા 9 કન્ફર્મ કેસો મળતા ભારતમાં કુલ એક્ટીવ દર્દીઓની સંખ્યા 130 થઇ છે.

18 માર્ચ 2020 બપોરે 1 વાગ્યે ભારતમાં કોરોનાના કેસોનું સ્ટેટસ

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA411
KERALA270
HARYANA160
UP160
KARNATAKA111
DELHI101
LADAKH80
TELANGANA50
RAJASTHAN40
J&K30
TAMIL NADU10
PUNJAB10
ANDHRA PRADESH10
UTTARAKHAND10

વિશ્વની સ્થિતિ તા.18મી માર્ચ બપોરે 1 વાગ્યે

વિશ્વભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંક 1,97,168 પર પહોંચ્યો છે. કુલ Deaths 7,905, કુલ Recovered 80,840, કુલ Active 108,423 કેસો હોવાનું જાણવા મળે છે.

COUNTRYCONFIRMEDDEATHS
CHINA81,0583,230
ITALY31,5062,503
IRAN16,169988
SPAIN11,748533
GERMANY9,25724
SOUTH KOREA8,32081
FRANCE7,683148
UNITED STATES6,421108
SWITZERLAND2,70027
UNITED KINGDOM1,96056
NETHERLANDS1,70843
NORWAY1,4633
AUSTRIA1,3323
BELGIUM1,24310
SWEDEN1,1907
DENMARK1,0244
JAPAN87829
CRUISE SHIP6967
MALAYSIA6732
CANADA4785
AUSTRALIA4525
PORTUGAL4481
QATAR4390
CZECH REPUBLIC3960
GREECE3875
ISRAEL3370
BRAZIL3211
FINLAND3210
SLOVENIA2751
SINGAPORE2660
POLAND2385
PAKISTAN2360
BAHRAIN2281
ESTONIA2250
IRELAND2232
ICELAND2201
CHILE2010
EGYPT1964
PHILIPPINES18712
ROMANIA1840
THAILAND1771
INDONESIA1725
SAUDI ARABIA1710
IRAQ15411
INDIA1473
LUXEMBOURG1401
KUWAIT1300
LEBANON1203
PERU1170
RUSSIA1140
SAN MARINO1097
UNITED ARAB EMIRATES980
MEXICO820
ARMENIA780
TAIWAN771
SLOVAKIA720
PANAMA691
ARGENTINA682
BULGARIA672
VIETNAM660
COLOMBIA650
SERBIA650
CROATIA650
SOUTH AFRICA620
ALGERIA604
ECUADOR582
BRUNEI560
ALBANIA551
HUNGARY501
LATVIA490
TURKEY471
CYPRUS460
SRI LANKA440
COSTA RICA410
ANDORRA390
MOROCCO382
MALTA380
BELARUS360
JORDAN340
GEORGIA340
KAZAKHSTAN330
VENEZUELA330
CAMBODIA330
MOLDOVA300
URUGUAY290
AZERBAIJAN281
NORTH MACEDONIA260
BOSNIA AND HERZEGOVINA260
SENEGAL260
LITHUANIA250
OMAN240
TUNISIA240
AFGHANISTAN220
DOMINICAN REPUBLIC211
GUADELOUPE180
MARTINIQUE161
BURKINA FASO150
UKRAINE142
MALDIVES130
JAMAICA120
NEW ZEALAND120
FRENCH GUIANA110
BOLIVIA110
BANGLADESH100
UZBEKISTAN100
CAMEROON100
REUNION90
PARAGUAY90
HONDURAS80
LIECHTENSTEIN70
MONACO70
RWANDA70
GHANA70
GUYANA71
GUATEMALA61
CUBA50
COTE D’IVOIRE50
TRINIDAD AND TOBAGO50
MONGOLIA50
ETHIOPIA50
SEYCHELLES40
CONGO30
GUAM30
KENYA30
NIGERIA30
ARUBA30
KOSOVO20
SAINT LUCIA20
BARBADOS20
NAMIBIA20
MONTENEGRO20
CONGO (BRAZZAVILLE)10
TOGO10
GREENLAND10
GABON10
ESWATINI10
EQUATORIAL GUINEA10
SAINT VINCENT AND THE GRENADINES10
CENTRAL AFRICAN REPUBLIC10
THE GAMBIA10
BENIN10
VATICAN CITY10
ANTIGUA AND BARBUDA10
BHUTAN10
THE BAHAMAS10
GUINEA10
TANZANIA10
LIBERIA10
MAURITANIA10
SURINAME10
SUDAN11
MAYOTTE10
NEPAL10
SOMALIA10
GUERNSEY00
JERSEY00
PUERTO RICO00
REPUBLIC OF THE CONGO00
OCCUPIED PALESTINIAN TERRITORY00

તા.17મી માર્ચ 2020ના રોજની સ્થિતિ

તા.17મી માર્ચે રાત્રે 12 કલાકે જ્યારે આ લખાઇ રહ્યું હતું ત્યારે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 137ની થઇ હતી. કુલ 3 દર્દીઓના મોત નિપજ્યા છે જ્યારે 14 દર્દીઓ કોરોના વાઇરસથી બિલકુલ સાજા થઇ ગયા હોવાના અહેવાલો છે.

ભારતમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં કુલ 39 અને કેરેલામાં 26 કેસો નોંધાયા છે.

ભારતમાં સોમવારે કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધીને ૧૧૪ થઈ હતી. ઓડિશામાં પ્રથમ દર્દી નોંધાયો છે. લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, કેરળમાં સોમવારે એક એક નવો કેસ નોંધાયો છે. કોરોના વાઈરસ રોગચાળાનો ફેલાવો અટકાવવા રાજ્યોએ ઘણાં ખરાં પગલાં ભર્યાં છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉક્ટરો, નર્સ અને હેલ્થકેર વર્કસની પ્રશંસા કરી હતી. મહારાષ્ટ્રમાં ચાર વધુ દર્દી નોંધાયા હતા.

ભુવનેશ્ર્વરના એક અધિકારીએ કહ્યું હતું કે ઈટલીથી પાછો આવેલો એક રિસર્ચરનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ૩૩ વર્ષીય વૈજ્ઞાનિક છઠ્ઠી માર્ચે ઈટલીથી દિલ્હી પહોંચ્યો હતો. તે પછી ટ્રેન દ્વારા ૧૨ માર્ચે ભુવનેશ્ર્વર પહોંચ્યો હતો. ઓડિશા સરકારના મુખ્ય પ્રવકતા સુબ્રતો બાગચીએ કહ્યું કે, “તેમની હાલત સ્થિર છે અને તેમને અન્ય કોઈ તકલીફ નથી. દર્દી દિલ્હીથી ભુવનેશ્ર્વર આવ્યો હતો આથી તે કોના કોના સંપર્કમાં આવ્યો હતો તેની તપાસ ઓડિશા સરકારે શરૂ કરી દીધી છે. દર્દીના પરિવારના સભ્યોને ‘ક્વોરન્ટાઈન’ કરવામાં આવ્યા છે અને તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

દરમ્યાન દેશભરમાં વિવિધ સ્થળે હજારો વિદ્યાર્થીઓએ ઘરોમાં પુરાઈ રહેવું પડ્યું હતું. વહીવટીતંત્રો દ્વારા લેવાયેલા પગલાંને કારણે કર્મચારીઓએ ‘વર્ક ફ્રોમ હોમ’ કર્યું હતું. ઘણાં રાજ્યોમાં જિમખાનાઓ, સિનેમા હોલ, સ્વિમિંગ પુલો વિગેરે બંધ જાહેર કરવામાં આવ્યા હતા. ૫૦ માણસથી વધુ લોકો ભેગા થઈ શકે તેવા તમામ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય મેળાવડાઓ પર દિલ્હીની ‘આપ’ સરકારે ૩૧ માર્ચ સુધી પ્રતિબંધ મૂક્યો છે.

દેશભરની જેલોમાં નબળું ઈન્ફ્રાસ્ટ્રકચર અને વધુ પડતી ગીચ પરિસ્થિતિની સુપ્રીમ કોર્ટે ‘સુઓ મોટો’ (આપમેળે) નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટમાં વકીલો, પક્ષકારો અને અન્યોનું થર્મલ સ્ક્રિનિંગ (તાવની તપાસ) કરવામાં આવ્યું હતું.

વિદેશમાં અટવાયેલા ભારતીયોનું એરલિફ્ટ કરવાનું સોમવારે પણ ચાલુ રહ્યું હતું. વિદેશ પ્રધાન એસ. જયશંકરે એક નિવેદનમાં કહ્યું હતું કે, “બાવન વિદ્યાર્થીઓ અને એક શિક્ષક એમ ૫૩ ભારતીયોનો ચોથો બેચ ઈરાનના તહેરાન અને શિરાઝથી પાછો ફર્યો હતો. ઈરાનથી કુલ ૩૮૯ ભારતીયોને લાવવામાં આવ્યા છે.

દરમ્યાન કોચીમાં પોલીસે એક કાર્યક્રમ યોજનારા ૭૯ વ્યક્તિઓ સામે કેસ કર્યો હતો. આવા કાર્યક્રમો પર પ્રતિબંધ હોવા છતાં આયોજકોએ એક રિયાલિટી શોના સ્ટારનો સત્કાર સમારંભ યોજ્યો હતો. કેરળમાં યુકેના નાગરિક સહિત બે જણ કોરોના વાઈરસ પોઝિટિવ મળી આવ્યા હતા. વાઈરસનો ફેલાવો અટકાવવા કેરળ સરકારે ‘બ્રેક ધ ચેઈન’ પહેલ શરૂ કરી છે.

March 12, 2020
SBI.jpg
1min7470

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ બચત ખાતાના વ્યાજદર ઘટાડીને ત્રણ ટકા જાહેર કયાર્ં છે. એસબીઆઇએ દરેક પ્રકારના એસબી અકાઉન્ટ માટે ત્રણ ટકાનો એક સમાન વ્યાજદર જાહેર કર્યો છે.

અત્યારે રૂ. એક લાખ સુધીની થાપણો ધરાવતાં ખાતા માટે ૩.૨૫ ટકા અને રૂપિયા એક લાખથી વધુ ડીપોઝિટ ધરાવતા અકાઉન્ટ માટે ત્રણ ટકાનો વ્યાજદર છે. આ ફેરફારથી ૪૪.૫૧ કરોડ અકાઉન્ટ હોલ્ડર્સને અસર થશે.

એ જ સાથે એસબી અકાઉન્ટ માટેની મિનિમમ બેલેન્સની શરત પણ બેન્કે દૂર કરી છે. બેન્કે એસએમએસ ચાર્જીસ અને એવરેજ મંથલી બેલેન્સ (એએમબી) મેન્ટેનેન્સ ચાર્જીસ પણ નાબૂદ કર્યાં છે.

હાલ ગ્રાહકોએ મેટ્રો, સેમી અર્બન અને રૂરલ એરિયા માટે સરેરાશ રૂ. ૩૦૦૦, રૂ. ૨૦૦૦ અને રૂ. ૧૦૦૦નું લઘુત્તમ બેલેન્સ જાળવવું પડે છે અને એએમબી જાળવવામાં નિષ્ફળ જનાર ગ્રાહક પર બેન્ક રૂ. પાંચથી રૂ. ૧૫ સુધીની પેનલ્ટી લાદતી હતી.

એસબીઆઇએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં આ મહિનામાં બીજી વખત ઘટાડો કર્યો છે. એફડીના નવા દરો ૧૦ માર્ચથી લાગુ થઈ ચૂક્યા છે. નવા અપડેટના જણાવ્યા મુજબ, એસબીઆઈની ૭થી ૪૫ દિવસના ગાળાની એફડી પર ૪ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૪.૫ ટકા મળતું હતું, ૧થી ૫ વર્ષના ગાળાની એફડી પર ૫.૯ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૬ ટકા મળતુ હતું. જ્યારે ૫થી ૧૦ વર્ષની એફડી પર હવે ૫.૯ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૬ ટકા મળતું હતું.

March 9, 2020
coronavirus.jpg
1min6110

ભારતમાં પણ કોરોના વાયરસની ઝપટમાં આવનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કેરળ રાજ્યમાં વિદેશથી આવેલા એક ત્રણ વર્ષના બાળકનો COVID-19 ટેસ્ટ પોઝેટિવ હોવાના રિપોર્ટ બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ ભારતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 41 પર પહોંચી છે.

કેરળના એર્નાકુલમમાં સોમવારે 3 વર્ષના બાળકને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટી થઈ છે. હાલમાં જ પરિવાર સાથે ઈટાલી ફરીને આવેલા બાળકનો ટેસ્ટ પોઝેટિવ આવ્યો છે. આ બાળકને સારવાર માટે એર્નાકુલમ મેડિકલ કૉલેજના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યું છે.

ભારતમાં કોરોના વાયરસના સૌ પ્રથમ કેસ કેરળમાં નોંધાયા હતા. ચીનના વુહાનથી પરત ફરેલા મેડિકલના વિદ્યાર્થીઓ આ વાયરસની ચપેટમાં આવ્યા હતા, જોકે, તેઓ હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે. કેરળના ઘણાં સંકાસ્પદ દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને તેમના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે.

March 6, 2020
yes-bank-2.jpg
1min6210

રિઝર્વ બેંકે યસ બેન્ક સામે કરેલી નિયંત્રણાત્મક કામગીરી બાદ આજે તા.6 માર્ચે શેરબજારના પહેલા ટ્રેડિંગ સેશનમાં જ અપેક્ષા મુજબ યસ બેંકના શેરમાં 85 ટકા સુધીનું તોતિંગ ગાબડું પડ્યું હતું. ગતરોજ યસબેંકના શેરમાં છેતરામણી તેજી હતી એથી લોકોએ આ શેર ખરીદ્યો હતો, પરંતુ, રાત્રે રિઝર્વ બેંક નિયંત્રણો બાદ આજે સવારે યસ બેંકના શેરમાં કડાકો બોલી ગયો હતો.

રિઝર્વ બેંકની નિયંત્રણાત્મક કાર્યવાહીને પગલે યસ બેંકના શેરને શેરબજારમાં ચોમેરથી રોકાણકારોની વેચવાલી નિકળતા શેરમાં એક તબક્કે 85 ટકાનું તોતિંગ ગાબડું પડ્યું હતું.

આ સાથે જ યસ બેન્કના માર્કેટ કેપમાં પણ 5,432 કરોડનું ધોવાણ થઈ ગયું હતું. યસ બેન્કના બોર્ડને રદ કરી એસબીઆઈને ટેકઓવર કરવાના આરબીઆઈના નિર્દેશ તેમજ રોકડ ઉપાડની મર્યાદા 50,000 મર્યાદીત કરાતા શેરમાં પેનિક બટન દબાયું હતું. યસ બેન્કનો શેર ગઈકાલના બંધ 36.85 સામે આજે 33.20 પર ખૂલીને દિવસના તળિયે 5.55ની સપાટીને સ્પર્શી ગયો હતો. શેર ટોચથી તે 85 ટકા તૂટ્યો હતો. નીચેના સ્તરેથી શેરમાં લેવાલી જોવા મળી હતી અને શેર રૂ. 17 થયો હતો. યસ બેન્કના માથે સંકટ ઘેરું બનવાના એંધાણથી રોકાણકારોએ પોર્ટફોલિયોમાંથી શેરને કાઢતા ચારેકોરથી વેચવાલીના દબાણથી શેરમાં પ્રચંડ કડાકો બોલ્યો હતો.

March 6, 2020
nonveg.jpg
5min16520

(શાકાહારીઓને સમાચાર નહીં ગમે) પણ, કોરોના અંગેની Myth ભાંગવી જરૂરી છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગત જાન્યુઆરી 2020ના ત્રીજા સપ્તાહથી ચીનના વુહાનથી ફેલાયેલો કોરોના વાઇરસ નોનવેજ માર્કેટમાંથી ફેલાયો હોવાના અહેવાલો બાદ વિશ્વભરમાં ન્યુઝ વાઇરલ થઇ રહ્યા છે કે નોનવેજમાંથી કોરોના ફેલાય રહ્યો છે અને તેને પગલે નોનવેજ ખાનારાઓમાં ભારે ફફડાટ મચી ગયો છે. શાકાહારીઓને કદાચ નહીં ગમે એવા સમાચાર છે પણ ભારતના ફૂડ વિભાગના અધિકારીથી લઇને કેન્દ્ર સરકારના મંત્રી ગિરીરાજ કિશોરે સ્પષ્ટતા કરી છે કે ઇંડા, ચીકન, મટન, ફીશ કે અન્ય સી ફૂડમાંથી કોરોના વાઇરસ ફેલાતો નથી.

ચીકન, મટન, સી ફૂડથી કોરોના વાઈરસ ફેલાતો હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા ન હોવાનું ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI)ના વડા જીએસજી આયંગરે ગુરુવારે Date 5 March 2020 કહ્યું હતું. કોરોના વાઈરસ ઊંચા તાપમાનમાં પોતાનું અસ્તિત્વ ટકાવી ન શકતો હોવાનો દાવો તેમણે કર્યો હતો.

Coronavirus does not spread through chicken, mutton, seafood: FSSAI chief

મૂળભૂત રીતે તે પ્રાણીઓનો વાઈરસ છે. માનવમાં આ વાઈરસ કઈ રીતે ફેલાયો તે નક્કી કરવાનું વૈજ્ઞાનિકો પર છોડી દો, એમ તેમણે કહ્યું હતું. ભારત ઉષ્ણકટિબંધ પ્રદેશ છે અને એકવાર તાપમાન ૩૫-૩૬ ડિગ્રી પાર કરે પછી કોઈ વાઈરસ બચી ન શકે, એમ તેમણે કહ્યું હતું.

ભારતના કોરોના વાઈરસના ચેપના ૨૯ ક્ધફર્મ કેસ છે. શિયાળો પૂરો થાય અને ઉનાળો શરૂ થાય એવી ઈશ્ર્વરને પ્રાર્થના કરો, એમ તેમણે કહ્યું હતું. ચીકન, મટન અને સી ફૂડ ખાવાથી કોરોના વાઈરસ વધુ ફેલાય છે એ પ્રકારની અફવાઓ વચ્ચે એફએસએસએઆઈએ કહ્યું હતું કે આ અંગે કોઈ ગેરસમજ નથી. હું વૈજ્ઞાનિક છું અને હું એ દલીલ માન્ય નહીં રાખું, એમ તેમણે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું. અગાઉ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ (આઈસીએમઆર) સાથે સંકળાયેલા આયંગરે કહ્યું હતું કે કોરોના વાઈરસને અંકુશમાં લેવાની દવા જલદી જ શોધી કાઢવામાં આવશે.

There is no scientific evidence to show that coronavirus spreads through eating chicken, mutton and seafood, FSSAI chief G S G Ayyangar said on Thursday and asserted that the virus would not survive in higher temperature. “It is basically an animal virus.

Let us leave it to scientists to figure out how it has been transmitted…however, ours is a tropical country and once the temperature crosses 35-36 degrees celsius, no virus will survive.

“Let us pray to God that winter ends and temperature rises,” he said. There are at least 29 confirmed cases of coronavirus infection in India. Amid apprehensions that the infection could spread through eating chicken, mutton and seafood, the Food Safety and Standards Authority of India (FSSAI) CEO said there is a misconception about it.

“There is a misconception that coronavirus will spread through chicken, mutton and seafood. There is nothing like that. It is scientifically not proven. “I am a scientist, I will not buy this argument,” Ayyangar told reporters here. Loan from 3000 to 3 lakhs on your fingertips.

Ayyangar, who was earlier with Indian Council of Medical Research (ICMR), said it is a matter of time that vaccine for coronavirus will be developed as India has a good track of handling viruses. “Whether it is Ebola virus or Avian flu, we have handled them very well. It is a matter of time. We have to take precaution. We have to be on our toes,” he said. Urging people to take precautions, he said coronavirus is like many other viruses and developing a vaccine will depend on the complexity of the virus. The government is making all efforts to isolate the virus. “Once we are able to isolate the virus, then it takes sometime to find a vaccine to counter the virus,” he said at an event organised by industry body Assocham.

Addressing the event on nutrition and functional foods, Hexagon Nutrition Managing Director Vikram Kelkar said prices of vitamin supplements have been volatile recently and spread of coronavirus has affected the supply across the world.

On March 2, poultry breeders demanded a relief package from the government claiming that the sector has incurred heavy losses of around Rs 1,750 crore in a month due to fake news that eating chicken could spread coronavirus. Poultry bird prices have plunged to Rs 10-30 per kg at farm gate level due to a slump in chicken demand while the average cost of production is Rs 80 per kg, the All India Poultry Breeders Association had said in a representation to the Ministry of Animal Husbandry.

March 3, 2020
dhoni_new_hairstyle.jpg
1min9410

છેલ્લા ઘણા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર રહેલા ધોનીએ મેદાન પર આવવાની તૈયારીઓ કરી દીધી છે. આ વખતે મહેન્દ્રસિંહ ધોની નવી હેરસ્ટાઈલ સાથે આવી ગયો છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ પણ તેનું જોરદાર સ્વાગત કર્યું હતું. એટલે કે હવે મહેન્દ્ર સિંહ ધોની IPL-2020માં ધૂમ મચાવવા માટે તૈયાર છે.

ધોનીની કેપ્ટનસીમાં CKSએ ત્રણ વખત IPLની ટ્રોફી હાંસલ કરી

  • તેમણે સ્વાગતનો વીડિયો પણ અપલોડ કર્યો છે. ધોનીની કેપ્ટનસીમાં CKSએ ત્રણ વખત IPLની ટ્રોફી હાંસલ કરી છે. ગત વખતે ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સથી હાર મળી હતી.
  • ધોનીનાં પ્રદર્શનની વાત કરીએ તો તેમણે આઈપીએલમાં ચેન્નીની તરફથી 160 મેચોમાં 44.34નાં સ્ટ્રાઈક રેટથી 3858 રન બનાવ્યા છે.
  • ધોનીની આગળ ફ્કત સુરેશ રૈના છે, જેમણે 164 મેચોમાં 33.28નાં સ્ટ્રાઈક રેટથી 4527 રન બનાવ્યા છે.
  • ગત વર્ષે જૂન-જુલાઈમાં ICC વર્લ્ડ કપ પછી 38 વર્ષનાં ધોનીનાં રમતનાં ભવિષ્યને લઈને સતત અટકળોનો સમય હતો.

CSK vs MI વચ્ચે 29મી માર્ચે મેચ

  • હવે તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ આગમી IPL માટે એમએ ચિદમ્બર સ્ટેડિયમમાં અભ્યાસ સત્રનો ભાગ હશે.
  • આઈપીએલ 2020ની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સ અને ગત વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 29 માર્ચનાં રોજ મુંબઈમાં ટક્કર થશે.
  • સીએસકેનાં સીઈઓ કેએસ વિશ્વનાથને જણાવ્યું કે ધોની તમામ ખેલાડીઓ સાથે ટ્રેનિંગ કરશે, જ્યારે ટીમની પૂર્ણ તૈયારી શિબિર 19 માર્ચે શરૂ થશે.

February 28, 2020
CORO.jpg
4min5030

રદ થયેલી ટુર્નામેન્ટો

(૧) ૪-૧૦ મેનો શાંઘાઈ ખાતેનો આર્ચરી (તીરંદાજીનો) વર્લ્ડ કપ.

(૨) ૯ ફેબ્રુઆરીની હૉંગ કૉંગ ખાતેની મૅરેથોન.

(૩) ૧૨-૧૩ ફેબ્રુઆરીની હૅન્ગઝોઉ ખાતેની એશિયન ઇન્ડોર ચૅમ્પિયનશિપ.

(૪) ૧૨ એપ્રિલની નૉર્થ કોરિયા ખાતેની મૅરેથોન.

(૫) ૨૧ માર્ચની સૅન્યા ખાતેની ફૉર્મ્યુલા ઇ-પ્રિ ઇવેન્ટ.

(૬) ૩-૮ માર્ચની મુલ્હીમ ખાતેની જર્મન ઓપન બૅડ્મિન્ટન.

(૭) ૧૪-૨૫ માર્ચનો ચીન ખાતેનો ભારતીય મહિલા હૉકી ટીમનો પ્રવાસ.

(૮) માર્ચ-એપ્રિલનો મલયેશિયાનો આયર્લેન્ડની મહિલા હૉકી ટીમનો પ્રવાસ.

(૯) ૨૦-૨૩ ફેબ્રુઆરીની થાઇલૅન્ડ ખાતેની ગૉલ્ફ સ્પર્ધા.

(૧૦) ૫-૮ માર્ચની હૈનન ટાપુ ખાતેની ગૉલ્ફ સ્પર્ધા.

(૧૧) ૨૭ ફેબ્રુઆરીની સિંગાપોર ખાતેની મહિલા ગૉલ્ફ વર્લ્ડ ચૅમ્પિયનશિપ.

(૧૨) ૨૭ માર્ચની જાપાન-સાઉથ આફ્રિકા વચ્ચેની ફ્રેન્ડ્લી ફૂટબૉલ મૅચ.

(૧૩) ૧૨-૧૬ ફેબ્રુઆરીની કઝાખસ્તાન ખાતેની એશિયન વૉટર પોલો ચૅમ્પિયનશિપ નામની સ્વિમિંગ સ્પર્ધા.

(૧૪) ૭-૯ માર્ચની બીજિંગ ખાતેની ડાઇવિંગ (સ્વિમિંગ) વર્લ્ડ સિરીઝ ઇવેન્ટ.

(૧૫) ૧૩-૧૯ એપ્રિલની ક્સિઆન ખાતેની ટેનિસ સ્પર્ધા.

(૧૬) ૩૦ માર્ચ-૫ એપ્રિલની ચાઇના ઓપન સ્નૂકર સ્પર્ધા.

મુલતવી રખાયેલી ટુર્નામેન્ટો

(૧) ૨૨-૨૮ ફેબ્રુઆરીની બંગલાદેશ ખાતેની તીરંદાજીની સ્પર્ધા.

(૨) ૧૩-૧૫ માર્ચની ચીન ખાતેની વર્લ્ડ ઇન્ડોર ઍથ્લેટિક્સ સ્પર્ધા.

(૩) ૨૯ માર્ચની હૉંગ કૉંગ ખાતેની એશિયન ક્રોસ-ક્ધટ્રી ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ.

(૪) ૧૯ એપ્રિલની શાંઘાઈ ખાતેની ફૉર્મ્યુલા-વન ગ્રાં પ્રિ.

(૫) ૨૫ ફેબ્રુઆરી-૧ માર્ચની હૈનન ખાતેની ચાઇના બૅડ્મિન્ટન સ્પર્ધા.

(૬) ૨૬-૨૯ માર્ચની ક્રૅકોઉ ખાતેની પૉલીશ ઓપન બૅડ્મિન્ટન સ્પર્ધા.

(૭) ૨૪-૨૯ માર્ચની હેનોઇ ખાતેની વિયેટનામ બૅડ્મિન્ટન સ્પર્ધા.

(૮) ૮-૯ ફેબ્રુઆરીની ચીન ખાતેની ફીલ્ડ હૉકી સ્પર્ધાની મૅચો.

(૯) ૧૬-૧૯ એપ્રિલની મલયેશિયા ખાતેની યુરોપિયન ટૂર ગૉલ્ફ સ્પર્ધા.

(૧૦) ૨૩ એપ્રિલની ચીનમાં શેન્ઝેન ખાતેની ચાઇન ઓપન ગૉલ્ફ સ્પર્ધા.

(૧૧) ૨૨ ફેબ્રુઆરીની ઇટલી ખાતેની સેરી-એ ફૂટબૉલ સ્પર્ધા.

(૧૨) ૨૫ ફેબ્રુઆરી-૧૫ માર્ચની જાપાનમાંની જે-લીગ ફૂટબૉલ સ્પર્ધા.

(૧૩) ૨૬ ફેબ્રુઆરીની તુર્કમેનિસ્તાન ખાતેની એશિયન ફૂટસલ ચૅમ્પિયનશિપ.

(૧૪) એપ્રિલ-મેની ચીન ખાતેની એશિયન ચૅમ્પિયન્સ લીગ ફૂટબૉલ સ્પર્ધા.

(૧૫) ૨-૩ માર્ચની ઇરાનની ક્લબોની ફૂટબૉલ મૅચો.

(૧૬) મે-જૂનની સાઉથ કોરિયા ખાતેની વર્લ્ડ ટીમ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ.

(૧૭) ૧૬-૨૧ જૂનની બુસૅન ખાતેની સાઉથ કોરિયા ટેબલ ટેનિસ સ્પર્ધા.

(૧૮) ૨૩-૨૮ જૂનની ગીલૉન્ગ ખાતેની ઑસ્ટ્રેલિયન ટેબલ ટેનિસ સ્પર્ધા.

(૧૯) ૧૦ મેનો ચીન ખાતેનો ટ્રાયથ્લોન વર્લ્ડ કપ.

(૨૦) ૮ મેની તાઇવાન ખાતેની એશિયન કપ ટ્રાયથ્લોન સ્પર્ધા.

(૨૧) ૨૨-૨૬ એપ્રિલની ચીન ખાતેની વૉલીબૉલ વિશ્ર્વકપ સ્પર્ધા.

(૨૨) ફેબ્રુઆરી-મેની જાપાન ખાતેની ટોક્યો ઑલિમ્પિક્સ ટ્રેઇનિંગ ઇવેન્ટ.

(૨૩) ૨૧-૨૩ ફેબ્રુઆરીની ચીન ખાતેની વિન્ટર એક્સ ગેમ્સ,

(૨૪) ૨૦ માર્ચની ફિલિપાઇન્સ ખાતેની સાઉથ એશિયન પૅરા ગેમ્સ.

February 28, 2020
Gandhinagar-Gujarat.jpg
1min4600

ગુજરાત સરકારનું કુલ જાહેર દેવું કૂદકે ને ભૂસકે વધતું જાય છે. સુધારેલા અંદાજ મુજબ સરકારનું જાહેર દેવું રૂ.૨,૬૭,૬૫૧ કરોડે પહોંચશે, જે ૨૦૨૦-૨૧ના નવા નાણાંકીય વર્ષના અંતે રૂ. ૨૮,૬૧૭ કરોડ વધીને કુલ રૂ.૨,૯૬,૨૬૮ કરોડ થશે, તેમ રાજ્યના બજેટ દસ્તાવેજોમાં જણાવાયું છે.

રાજ્ય સરકારનું જે કુલ રૂ.૨,૬૭, ૬૫૧ કરોડનું જાહેર દેવું ૩૧મી માર્ચ-૨૦૨૦ના રોજ રહેવાનો અંદાજ દર્શાવાયો છે, તેમાં નાની બચત યોજનાઓ યાને એનએસએસએફની લોનનું દેવું રૂ. ૩૫,૭૫૬ કરોડ, કેન્દ્ર સરકારની રૂ. ૭,૭૦૨ કરોડની લોનનું દેવું, બજાર લોન તથા પાવર બોન્ડનું રૂ. ૨,૦૮,૦૨૩ કરોડનું દેવું તેમ જ બૅંકો-નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી લોનોનું રૂ. ૧૬,૧૬૯ કરોડનું દેવું સામેલ છે. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે, ૨૦૧૯-૨૦ના વર્ષમાં તે રૂ. ૪૪,૦૦૧ કરોડનું કરજ કરશે, જ્યારે ૨૦૧૫-૧૬માં રૂ. ૨૩,૪૮૬ કરોડનું, ૨૦૧૬-૧૭માં રૂ. ૨૭,૬૬૮ કરોડનું, ૨૦૧૭-૧૮માં રૂ.૨૬,૯૫૩ કરોડનું તથા ૨૦૧૮-૧૯માં રૂ.૪૩,૧૪૬ કરોડનું જાહેર દેવું કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારે જાહેર દેવા સામે ૨૦૧૫-૧૬માં રૂ. ૧૪,૪૫૬ કરોડનું, ૨૦૧૬-૧૭માં રૂ. ૧૬,૦૮૭ કરોડનું, ૨૦૧૭-૧૮માં રૂ. ૧૭,૧૪૬ કરોડનું, ૨૦૧૮-૧૯માં રૂ. ૧૮,૦૭૭ કરોડનું તેમ જ સુધારેલા અંદાજ મુજબ ૨૦૧૯-૨૦માં રૂ.૨૦,૩૬૫ કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું. 

February 21, 2020
shambu.jpg
1min6060

આજરોજ તા.21મી ફેબ્રુઆરી 2020ને શુક્વાર, મહાશિવરાત્રીના પર્વની વહેલી સવારથી જ ગુજરાતમાં દેવાધિદેવ મહાદેવના ભક્તિપર્વ શિવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવા દરેક શિવાલયોમાં હર્ષોલ્લાસભેર શરૂ થઈ છે.

સોરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિને પહેલી પૂજા મળસ્કે ત્રણ વાગ્યે શરૂ થઇ હતી. વહેલી સવારે આરતી તેમજ ધજા રોહણ બાદ દિવસે હોમ હવન થયા હતા. સવારે નગરમાં પાલખી યાત્રા પણ ધામધૂમપૂર્વક કાઢવામાં આવી હતી.

ગુજરાતના દરેક જિલ્લાના અનેક શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રિનું પર્વ ઉજવણી શરૂ થયાના અહેવાલો મળ્યા છે.

ભુજમાં સનાતન હિન્દુ સમાજ દ્વારા યોજાનારી ભવ્ય શોભાયાત્રા દર વર્ષની માફક આ વખતે પણ આકર્ષણ જમાવી રહી છે. હમીરસરના કિનારે ૩૫ હજાર ભાવિકો મહાદેવના તહેવારે ભોજનપ્રસાદ ગ્રહણ કરશે.

રાજ્યભરમાં શુક્રવારે મહાશિવરાત્રિના હર હર મહાદેવના નાદ સાથે પર્વની ઉજવણી કરવા માટે શિવમંદિરો સજ્જ બની રહ્યા છે. શિવરાત્રિમાં ભક્તોના પ્રિય એવા ભાંગના પ્રસાદ માટે લોકો આતુર હોય છે. ત્યારે સોમનાથમાં, અમદાવાદના ચકુડીયા મહાદેવ ભાવનગરમાં, જૂનાગઢ તેમ જ ઉત્તર ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત ઉપરાત મધ્ય ગુજરાતમાં શિવ મંદિરોમાં રુદ્રી, હવનાદિ કાર્યો પણ જુદા – જુદા મંદિરોમાં યોજાશે.