

सुरत के जाने माने चार्टर्ड अकाउन्टन्ट जय छैरा आगामी समय में होने वाले इन्स्टिट्यूट ओफ चार्टर्ड अकाउन्टन्टस आफ इन्डिया कि सेन्ट्रल काउन्सिल मेम्बर्स के हो रहे इलेकशनमां सुरत से एकमात्र प्रत्याशी है. 2013 से लगातार दो टर्म से वे ICAI के सेन्ट्रल काउन्सिल का इलेक्शन जीत ते आए है और उन्हो ने सेन्ट्रल काउन्सिल में बतौर मेम्बर रहेते हुए ऐसे कई कार्य किए जिसके चलते सी.ए. व्यवसाय को नया आयाम मिला और मिलेगा.
सुरत के सी.ए. जय छैरा के सोश्यल हेन्डल से मिले ईस पोस्टर का अभ्यास करते पता चलता है कि उन्हो ने अपने व्यावसायिक करीयर के साथ ICAI में बतौर मेम्बर कौन से कार्य किए जो कि सी.ए. व्यावसायिको के फायदे में रहे.

ICAI के वेस्टर्न रिजन से कुल 18 प्रत्याशी ICAI की सेन्ट्रल काउन्सिल में मेम्बर बन ने के लिए चुनाव लड रहे है. जिन में गुजरात से अमहदाबाद से दो और सुरत से जय छैरा के साथ कुल 3 प्रत्याशी है, जब की बाकी 15 प्रत्याशी या तो मुंबई अगर तो पूने से चुनाव लड रहे हे.

(Symbolic photo of Surat)
ગુજરાતની જ નહીં બલ્કે દેશની આર્થિક નગરી ગણાતું સુરત શહેર ગુજરાતના અમદાવાદ કે રાજકોટના મુકાબલે હાલના દિવસોમાં અભૂતપૂર્વ મંદીના દૌરમાંથી પસાર થઇ રહ્યું છે. દિવાળી પછી સુરતમાં ધંધા-રોજગાર હજુ સુધી શરૂ થઇ શક્યા નથી. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની સેંકડો દુકાનો શરૂ તો થઇ છે પણ લાભપાંચમ પછી કેટલીય દુકાનોમાં બોણી પણ થઇ નથી. વિવર્સ પાસે કામ નથી. મિલોમાં પણ પ્રોડકશન નહીંવત છે. સુરતના બાંધકામ ઉદ્યોગની તો આમેય દશા બેઠી છે. હીરા ઉદ્યોગમાં મોટા કારખાનાઓ પાસે ઠીકઠીક કામ છે, જ્યારે નાના કારખાના તો ડિસેમ્બરમાં શરૂ થાય તેમ છે.
ધંધો મળવાની આશા નથી એટલે નવું દેવું કોઇ કરતું નથી, કેપિટલમાંથી ખર્ચા કાઢતા વેપારીઓ
સૂત્રો જણાવે છે કે સુરતમાં દિવાળી પછી આ પ્રકારનો અભૂતપૂર્વ માહોલ 14 વર્ષ બાદ સર્જાયો છે. બજારમાં લિક્વિડીટી (કેશ ફ્લો)નો પ્રોબ્લેમ એટલી હદે વધી ગયો છે કે શહેરની જુની અને મોટી વેપારી પેઢીઓ નાણાં ભીડને કારણે તેમની કેપિટલ તોડવા માંડ્યા છે. કેપીટલ તોડીને કેટલાક ખર્ચને પહોંચી વળવાનું આયોજન કરી રહ્યા છે. બજારમાંથી કે બેંક પાસેથી નાણાં લઇને દેવું કરવાની જગ્યાએ મોટી પેઢીઓ કેપીટલ તોડી રહ્યા છે એ બાબત સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં પણ તેમના ધંધા રોજગાર ધમધમે તેવા કોઇ અણસાર દેખાતા નથી.
સૌરાષ્ટ્રવાસીઓ વતનથી પરત ફર્યા નથી
દિવાળીના પાંચ દિવસ પૂર્વેથી સુરતના લગભગ મોટા ભાગના કામ ધંધા બંધ થયા હતા, જે આજે 21 મી નવેમ્બર સુધી પણ પૂર્વવત થયા નથી. સુરતની સરખામણીમાં અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં દિવાળી વેકેશન બાદ ધંધા રોજગારની સ્થિતિ પૂર્વવત જોવા મળી રહી છે. સુરતમાં હજુ સુધી કેમ ધંધા રોજગાર શરૂ થયા નથી તે અંગે અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. સુરતની ઇકોનોમીમાં સૌથી મોટું યોગદાન સ્વભાવિક છે કે સૌરાષ્ટ્રવાસીઓનું રહ્યું છે, સૌરાષ્ટ્રવાસીઓ દિવાળી નિમિત્તે વતન ગયા છે અને હજુ સુધી પરત ફર્યા નથી, આવી સ્થિતિમાં ધંધા રોજગાર સ્વાભાવિક છે કે ઠપ થઇ ગયા છે.
ટેક્સટાઇલ ટ્રેડર્સનો આખો દિવસમાં બોણી પણ થતી નથી
બીજી તરફ સુરતમાં બે મોટા ઉદ્યોગો પૈકી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદનથી લઇને વેચાણ સુધીની ચેઇન સાવ જ નિષ્ક્રીય પડી રહી છે. સાવ સામાન્ય કામ જોવા મળી રહ્યું છે. રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટના સેંકડો દુકાનદારો એવા છે કે જેમને હાલના દિવસોમાં મોડી સાંજ સુધી બોણી પણ થતી નથી. માલ વેચાણની વાત તો દૂર રહી પણ પ્રોડકશન કરતા વિવર્સ કે પ્રોસેસર્સ પાસે પણ હાલમાં કામ નથી.
હજીરા રિલાયન્સમાં યાર્નનો ભરાવો, સ્ટોરેજ માટે જગ્યા નથી
આશ્ચર્યની વાત એ છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ છે એની પ્રતીતિ હજીરા સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કમ્પાઉન્ડમાં રોડ પર, જાહેરમાં ખડકાયેલા યાર્નના બોક્સ પરથી થઇને રહે છે, રિલાયન્સ હજીરા યુનિટમાં યાર્નનો ભરાવો થયો છે અને તેમની પાસે યાર્નના બોક્સ સ્ટોર કરવાના ગોડાઉનમાં માલનો ભરાવો એટલો થયો છે કે તેમણે ઓપન ગ્રાઉન્ડ પર યાર્ન સ્ટોર કરવું પડ્યું છે. સુરતના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં રિલાયન્સ યાર્નનો મોટો હિસ્સો છે, એનું યાર્ન નથી વેચાતું એના પરથી પ્રતીતિ થાય છેકે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કેટલી મંદીમાંથી પસાર થઇ રહી છે.
રિયલ એસ્ટેટમાં અભૂતપૂર્વ નાણાં ભીડ
શહેરના બાંધકામ ઉદ્યોગ પર આમેય જીએસટી અને રેરાનો માર તો પહેલેથી જ હતો પણ દિવાળીના તહેવારોમાં જે ગેપ પડ્યો તેને કારણે મંદ ગતિએ ચાલતો રિયલ એસ્ટેટ બિઝનેસ હાલમાં મંદીની ગર્તામાં ધકેલાય ગયો છે. ઓન ગોઇંગ પ્રોજેક્ટસ કરી રહેલા બિલ્ડરો પ્રોજેક્ટ પૂરા કરે તો બુકિંગ કરાવનારાઓ પાસેથી પેમેન્ટ મળે તેમ છે, બીજી તરફ પ્રોજેક્ટ પૂરો કરવા માટે નાણાં નથી. નાણાં ભીડને કારણે હાલમાં બાંધકામ ઉદ્યોગ જબરદસ્ત મંદીમાં સપડાયેલો જોવા મળી રહ્યો છે. બિલ્ડર્સ આગેવાનો જણાવે છે કે અગાઉ દિવાળી બાદ જ્યારે કામ શરૂ કરવામાં આવે ત્યારે ટર્ન ઓવર પર થોડી અસર થતી પણ સાવ મંદીની સ્થિતિ ક્યારેય જોવા મળી ન હતી.
સુરતની ઇકોનોમી સ્લો ડાઉનની અસર સામાન્ય પરિવારો પર પણ પડી રહી છે. સામાન્ય પરિવારો પણ તેમના રોજબરોજના ખર્ચા પર અસાધારણ કાપ મૂકી રહ્યા છે.

સુરતના યુવા આગેવાન અને પાસના નેતા અલ્પેશ કથિરીયાને આખરે રાજદ્રોહના કેસમાં આજરોજ તા.20મી નવેમ્બર 2018ના રોજ ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા હોવાની વિગતો જાણવા મળી છે. જોકે, તા.19મી નવેમ્બર 2018ના રોજ અમદાવાદ જેલમાંથી સુરત પોલીસે અલ્પેશ કથિરીયાને બીજા કેસમાં એરેસ્ટ કર્યા હતા, એટલે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હોવા છતાં સુરતના કેસમાં અલ્પેશ કથિરીયાએ હજુ કસ્ટડીમાં રહેવું પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.
ગુજરાત હાઇકોર્ટે રાજદ્રોહના કેસમાં પાસના મોટા નેતા સુરતના અલ્પેશ કથિરીયાને જામીન આપ્યા હોવાની વિગતો આજે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ભારે વાઇરલ થઇ હતી. પાસના વ્હોટ્સ એપ ગ્રુપમાં અલ્પેશ કથિરીયાના ચાહકોએ અલ્પેશ ગબ્બરની મુક્તિના સમાચારોને વાઇરલ કરી મૂક્યા હતા. પાસના નેતાઓએ અલ્પેશ કથિરીયાને અન્ય કેસોમાં પણ જામીન મળી જશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
અલ્પેશ કથિરીયા 19મી ઓગસ્ટ 2018ના રોજ પોલીસે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ મહિનાનો સમય અલ્પેશ કથિરીયા અમદાવાદની સાબરમતી જેલમાં બંધ રહ્યા હતા.


સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મીમેર હોસ્પિટલની 5 નંબરની લિફ્ટમાં ગઇ રાત્રે એક સગર્ભા મહિલા સમેત 6 લોકો ફસાઇ જતા ભારે બૂમાબૂમ થઇ ગઇ હતી. એક તબક્કે કંઇ મોટી ઘટના બન્યાની શંકાએ લોકોમાં ગભરાટ મચી ગયો હતો. મોડી રાત્રે સ્મીમેરની લિફ્ટમાં લગભગ પોણો કલાક જેટલા સમય તમામ ફસાયેલા રહ્યા હતા. ફાયર બ્રિગેડે સગર્ભા મહિલા સમેત અન્ય 1 પેશન્ટ અને 108ના 3 કર્મચારીઓ તેમજ એક દર્દીના સગા એમ ફસાયેલા 6 લોકોને હેમખેમ બહાર કાઢ્યા ત્યારે તમામને જીવ હેઠો બેઠો હતો. સગર્ભા મહિલાને સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવી હતી.

ઘટનાનો ભોગ બનેલી વ્યક્તિએ માહિતી આપતા કહ્યું હતું કે રવિવારે રાત્રે 11.30 વાગ્યાના સુમારે વડોદ-પાંડેસરાથી પ્રસૂતાને એડમિટ કરવા અંગેનો ફોન આવ્યો હતો . વર્ષાદેવી શર્માને પૂરા માસની પીડા ઉપડતા તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા, જ્યાં તેમને 5 નંબરની લિફ્ટમાં ઉપર લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે જ અચાનક જ લિફ્ટ બંધ થઈ ગઈ હતી. પ્રારંભમાં થોડી મિનિટો સુધી લિફ્ટ પૂર્વવત ન થતાં તમામ ગભરાયા હતા, જોત જોતામાં તો 50 મિનિટ સુધી લોકો લિફ્ટમાં ફસાયેલા રહ્યા હતા. છેવટે મદદ માટે ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો અને તેમના જવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. તે પછી બધાને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.
વિશ્વના સૌથી મોટા ડાયમન્ડ કટિંગ-પોલિશિંગ હબ સુરતમાં દિવાળી પહેલાથી જ હીરાના કારખાનાઓમાં મંદીની અસર જોવા મળી હતી. હાલમાં દિવાળી વેકેશન અંતિમ તબક્કામાં છે ત્યારે સુરતના હીરા ઉદ્યોગને પૂર્વવત્ થતાં હજુ તા. 1 ડિસેમ્બર 2018 સુધીનો સમય લાગી જાય તેમ જણાય આવે છે. સુરતમાં સૌથી પહેલા મોટી ફેક્ટરીઓમાં હીરાનું કામકાજ શરૂ થશે. નાના યુનિટને શરૂ થતા હજું પખવાડીયું નીકળી જાય તેવી શક્યતા છે. નાના કારખાનેદારો પાસે કામ જ ન હોય તો તેઓ કારીગરોને કારખાને બેસાડીને વગર કામનો પગાર કેમ ચૂકવે, આ રૂએ નાના હીરાના કારખાનાઓને કામ મળતા હજુ પખવાડીયું નીકળી જાય તેમ છે.
સુરતમાં દિવાળી પહેલાથી મંદી હતી, અમદાવાદમાં વિપરીત સ્થિતિ
દિવાળી અગાઉ જ હીરાબજારમાં મજબૂત ડોલર અને મોંઘા રફ હીરાની વિપરીત અસર જોવા મળી હતી અને નાના યુનિટો માટે કામગીરી મુશ્કેલ બની હતી. આ સ્થિતિમાં અનેક નાના યુનિટો બંધ થયા હતા. બેન્કિંગ ક્ષેત્ર દ્વારા ધિરાણના મામલે સખ્તાઈ રાખવામાં આવી તેની પણ સ્પષ્ટ અસર જોવા મળતી હતી. દરમિયાન, ક્રિસમસ માટે પણ બહુ પ્રોત્સાહક ઓર્ડર જોવા મળ્યા નહોતા અને દિવાળીના તહેવારો માટે સ્થાનિક બજારની માંગ પણ તળિયે હતી. જ્યારે અમદાવાદના હીરાના કારખાનાઓમાં દિવાળી પૂર્વે ફૂલ તેજી હતી. એટલું કામ હતું કે દિવાળીની રજાઓમાં પણ કારીગરો કામ કરવા માટે તૈયાર હતા. આમ, સુરતના જ હીરા ઉદ્યોગના કારખાનાઓમાં કારીગરો માટે કામ મળતું નથી એ બાબત પણ હવે તપાસનો વિષય બની છે.

સુરતના હીરા ઉદ્યોગના મોટા યુનિટોમાં તા. 20 નવેમ્બરથી કામકાજ શરૂ કરશે જ્યારે અન્ય યુનિટો 25 નવેમ્બર અને 1 ડિસેમ્બરથી કાર્યરત થશે. એટલે કે કુલ ત્રણ તબક્કામાં દિવાળી વેકેશન પૂર્ણ થશે. એવું જીજેઇપીસીના ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું. ક્રિસમસ માટેના ઓર્ડરો પૂરા કરવા પર યુનિટો ધ્યાન આપશે અને એકંદરે દિવાળી અગાઉની સ્થિતિ કરતાં સારી સ્થિતિ રહેશે એવી અપેક્ષા છે.
સુરતના હીરા ઉદ્યોગમાં લગભગ 5,000થી વધારે યુનિટ ધમધમે છે અને કટ એન્ડ પોલિશ્ડ ડાયમન્ડનું ₹80,000 કરોડ જેટલું ટર્નઓવર છે. રફ ડાયમન્ડના ભાવમાં વધારો થવાની સામે પોલિશ્ડ ડાયમન્ડના ભાવમાં એટલો વધારો જોવા મળ્યો નથી અને ડોલરની મજબૂતાઈનો લાભ પણ માત્ર ગણતરીની કંપનીઓને જ મળ્યો હતો.
સુરત આવીને સ્થાયી થયેલી સૌરાષ્ટ્રવાસીઓ સકારાત્મક અને સમાજ ઉપયોગી ક્ષેત્રની વાત કરીએ તો જુદા જુદા ક્ષેત્રમાં ક્રાંતિજનક કાર્ય કરી રહ્યા છે, પછી એ લોક આરોગ્ય હોય, સફાઇ અભિયાન હોય, ગુટખા-તમાકુ વિરોધી પ્રવૃતિ હોય કે અન્ય કોઇ સામાજિક દુષણ હોય. સૌરાષ્ટ્રવાસીઓએ સુરતમાં અનેક રચનાત્મક કાર્યો મોટા પાયે હાથ ધરીને સમાજમાં જાગૃતિ અભિયાનો પાર પાડ્યા છે. હવે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે આત્મહત્યાના દુષણ સામે જંગ છેડી છે અને આ જંગ માટે જે ઉત્સવમાં હજારો, લાખો લોકો જોડાય છે એ સમૂહ લગ્નોત્સવને નિમિત બનાવ્યો છે. સમૂહ લગ્નોત્સવ થકી આત્મહત્યા વિરુદ્ધ જાગૃતિ આણશે એ સુરતનો સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ.
સારાષ્ટ્ર પટેલ સમાજ દર વર્ષે સામાજિક જાગૃતિ સાથે સમૂહલગ્નનું આયોજન કરે છે. નવા વર્ષે 60 માં સમૂહલગ્નનું’ આયોજન છે. આ વર્ષે આપાઘાત રોકો થીમ પર સમૂહલગ્નનું આયોજન કરવામાં આવશે. આ સમૂહલગ્નમાં 275 જેટલા નવ યુગલ’ લગ્નગ્રંથીથી’ જોડાશે. સમૂહ લગ્ન પહેલા સમાજમાં વિવિધ કાર્યક્રમો યોજીને આપઘાત રોકવા માટેના કાર્યોક્રમો યોજવામાં આવશે.
તા. 17. ફેબ્રુઆરી,2019ના રોજ તમામ નવ યુગલો અને તેમના પરિવારોને આપઘાત નહીં કરવા પ્રતિજ્ઞા લેવડાવામાં આવશે. સારાષ્ટ્ર પટેલ સમાજ’ દ્વારા 40 હજાર જેટલી કંકોત્રી છાપવામાં આવશે. અને આ કંકોત્રીમાં’ આપઘાત કેવી રીતે ટાળી શકાય એવા સંદેશાઓ દર્શાવાશે. આ સમૂહલગ્ન સમારોહમાં 200 જેટલા એનજીઓ જોડાશે. આ તમામ એનજીઓ આપઘાત રોકવા માટે જુદા જુદા કાર્યક્રમો કરશે. “આપઘાત રોકો’’ ના થીમ કાર્યક્રમોમાં 3000 થી વધુ લોકો ભાગ લેશે.’

સુરત સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે લગ્ન મંડપમાં જુદા જુદા સામાજિક સંદેશાઓ આપવાનું પ્લેટફોર્મ બને એવો પ્રયાસ કરીશું. લગ્નમાં ખોટા ખર્ચને બચાવી ઇન્વેસ્ટ કેવી રીતે કરવું’ એ અંગે સેમિનારોનું આયોજન કરવામાં આવશે. તમામ યુગલો માટે પણ સેમિનારનું આયોજન કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા 1983 થી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે.’ લગ્ન કરવા એટલે પક્ષકારોને આર્થિક રીતે મદદ કરવું એ નહિં પરંતુ સમાજને નવો વિચાર આપવાનો છે. સમાજમાં નવી જાગૃતિ આવે એ માટે પટેલ સમાજ દ્વારા દર વર્ષે વિવિધ થીમો પર સમૂહલગ્નનું આયોજન કરે છે. સમાજમાં દિનપ્રતિદિન આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે.’ લોકો આપઘાત કરતાં અટકે અને પરિવાર’ અને સમાજને નવી દિશામાં લઇ જાય તે માટે આ નવા વર્ષે જીવનને નિહાળીને નવી નજરે અંતર્ગત સમૂહ લગ્ન યોજાશે.
સુરત શહેર પોલીસના ડિટેક્ટિવ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બે હેડ કોન્સ્ટેબલને રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ વિશેષ કામગીરી બદલ બહુમાન કર્યું હતું.
જેના પરીણામ સ્વરૂપ રાજ્યના ડી.જી.પી. શ્રી શિવાનંદ ઝા (I.P.S.) દ્વારા સુરત શહેરના હે.કો. જયેશભાઈ બાલકૃષ્ણ, ( ડી.સી.બી. પો.સ્ટે.) અને હે.કો. પરેશકુમાર ધીરજલાલ (ડી.સી.બી પો.સ્ટે)ને સપ્ટેમ્બર-૨૦૧૮ નો e-cop of the month અને cyber cop of the month નો એવાર્ડ એનાયત કરવામાં આવી હતી.
પ્રસ્તુત તસ્વીરો સુરત પોલીસના ડીસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની છે.

(સુરત ડીસીબીના હેડ કોન્સ્ટેબલ શ્રી જયેશભાઇ બાલકૃષ્ણને સપ્ટેમ્બર 2018 મહિનાનો ઇ-કોપ ઓફ ધ મન્થ નો એવોર્ડ રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા ના હસ્તે એનાયત કરાયો એ પ્રસંગની તસ્વીર)

(સુરત ડીસીબીના હેડ કોન્સ્ટેબલ શ્રી પરેશભાઇ ધીરજલાલ ને સપ્ટેમ્બર 2018 મહિનાનો સાઇબર કોપ ઓફ ધ મન્થ નો એવોર્ડ રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા ના હસ્તે એનાયત કરાયો એ પ્રસંગની તસ્વીર)
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સત્તાવાર ડેટા મુજબ સુરત એરપોર્ટ પર છેલ્લા 7 મહિનામાં થયેલી ફ્લાઇટ્સ તેમજ પેસેન્જરની આવન-જાવન અંગેની આંકડાવાર માહિતી આ મુજબ છે.

સુરત એરપોર્ટ સતત પ્રગતિ કરી રહ્યું છે અને આ પ્રગતિની નક્કરતા દર મહિનાના આંકડાઓ દર્શાવી રહ્યા છે. ઓક્ટોબર 2018 મહિના દરમિયાન સુરતના એરપોર્ટ પર કુલ 52730 મુસાફરોએ અન્ય ડેસ્ટિનેશન્સ પર ઉડાન ભરી હતી, જેની સામે કુલ 54,576 મુસાફરો વિવિધ ડેસ્ટિનેશન્સ પરથી સુરત આવ્યા હતા. આમ સમગ્ર ઓક્ટોબર 2018 માસ દરમિયાન સુરત એરપોર્ટ પર કુલ 1 લાખ 7 હજાર 306 મુસાફરોની અવરજવર નોંધાઇ છે.
જોકે સપ્ટેમ્બર 2018 મહિના દરમિયાન કુલ 1.10 લાખ મુસાફરોની અવરજવર કરતા ઓક્ટોબર માસમાં મુસાફરોની 2883ની સંખ્યાં ઓછી નોંધાઇ છે. જોકે, ચાલુ નવેમ્બર 2018ના મહિનામાં આ આંકડો ફરીથી ઉંચકાશે એમ માનવામાં આવે છે કેમકે દિવાળી દરમિયાન સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં અસાધારણ વધારો જોવાય રહ્યો છે.

ઉપરોક્ત કોષ્ટક સૂચવે છે કે સપ્ટેમ્બર 2018માં કુલ 1380 શિડ્યુલ્ડ ફ્લાઇટ્સની સંખ્યા નોંધાઇ હતી, જે ઓક્ટોબર 2018માં 1438 થઇ છે. આમ ફ્લાઇટ્સની સંખ્યા વધવા છતાં સુરત એરપોર્ટ પર પેસેન્જરની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
વધુમાં ચાલુ હિસાબી વર્ષ 2018-19 દરમિયાન સુરત એરપોર્ટ પર અત્યાર સુધી એટલે કે 31મી ઓક્ટોબર 2018 સુધીમાં કુલ 5,79,414 મુસાફરોની અવરજવર નોંધાઇ ચૂકી છે.