સુરતીઓની દુનિયા Archives - Page 64 of 76 - CIA Live

December 28, 2018
surat_police.jpg
1min14690

આગામી તા.31મી ડિસેમ્બર 2018ને સોમવારે 2018ની વિદાય અને 2019ના આગમન પ્રસંગે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જળવાય રહે તે માટે સુરત પોલીસને તમામે તમામ જવાનો સાંજે 5 વાગ્યાથી ઓન ફિલ્ડ હશે એવી જાહેરાત કરતા સુરત પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ ફેસબુક લાઇવ વિડિયોમાં જણાવ્યું હતું કે સુરત પોલીસને ત્રણ ફરીયાદો વારંવાર મળે છે, એક દારુડીયાઓ દ્વારા તોફાન મચાવવાની, બીજી ફરીયાદ મહિલાઓ, યુવતિઓની મશ્કરી કરવાની અને ત્રીજી ફરીયાદ રફ ડ્રાઇવિંગ કરવાની. આ ત્રણેય બાબતો પર પોલીસની વોચ રહેશે.

  • સુરત પોલીસના એકેએક જવાનો ઓન ધ ફિલ્ડ હશે
  • 31 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યાથી ડુમસ રોડ પર વાહન બંધી
  • 4 પોલીસ ચોકી પર ખાસ પોલીસ કુમક તૈનાત રહેશે
  1. પીપલોદ પોલીસ ચોકી
  2. ગોવર્ધન હવેલી પાસે
  3. એસ.કે. નગર ચાર રસ્તા
  4. ડુમસ લંગર ચાર રસ્તા

પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ નાગરિકોને જણાવ્યું કે 31મી ડિસેમ્બર 2018ને સાંજે 5 વાગ્યાથી ડુમસ રોડ વાહનોની અવરજવર માટે બંધ રહેશે. નાગરિકો ડુમસ રોડ પર વાહનો લઇને નહીં જઇ શકે, પગપાળા ઉજવણી માટે ત્યાં પહોંચી જશે. તેમણે કહ્યું કે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પોલીસ પોઇન્ટ હશે. કોઇપણ નાગરિક પોલીસની મદદ માગી શકશે. સુરત શહેર પોલીસનો તમામે તમામ સ્ટાફ થર્ટી ફર્સ્ટની રાત્રે ઓન ધ ફિલ્ડ હશે. દરેક જવાન, અધિકારીઓને પોતાની ફરજના સ્થળ જણાવી દેવાયા છે અને તેઓ ત્યાં તૈનાત હશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કંઇપણ ખરી છૂટશે.

સુરત શહેર પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ ફેસબુક લાઇવ પર આ રીતે ગાઇડન્સ આપ્યું હતું.

#નવા વર્ષની ઉજવણી દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો.#Live #SmartCity #SmartSurat #SuratCityPolice #GujaratPolice #Like #Share #Comment #SafeSurat #Follow #Surat #Gujarat #India.Our Official Pages :FB Page : @suratcitypoliceInsta : @suratcitypoliceTwitter : @Cp_surat

Posted by Surat City Police on Friday, 28 December 2018

December 28, 2018
alpesh-kathiriya-1-1280x720.jpg
1min8120
  • સરથાણા પોલીસમાં તા.27મી ડિસેમ્બર 2018ના રોજ ઉગ્ર રજૂઆતો બાદ
  • તા.28મી ડિસેમ્બરે સવારે અલ્પેશ કથિરીયા અને સમર્થકોએ વરાછામાં પાર્કિંગ બાબતે પોલીસ સાથે સંઘર્ષ થયો
  • વરાછા પોલીસ મથકમાં ગાળાગાળી, સૂત્રોચ્ચાર, હોબાળો
  • અલ્પેશ કથિરીયાને ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરે લાફો માર્યો હોવાની ફરીયાદ
  • પોલીસ સાથે બદસલુકીનો ગુનો નોંધાયો
  • પાસના 8-10 કાર્યકરોની અટકાયત

પાટીદાર આંદોલનનો દોરી સંચાર જેના શિરે સોંપવામાં આવ્યો છે એ સુરતના પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાએ ગઇકાલ તા.27મી ડિસેમ્બર 2018ના રોજ સરથાણા પોલીસ મથકમાં જઇને ભૂતકાળમાં તેમના કાર્યકરોને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હોવાના મુદ્દે કસૂરવાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવા માટે ઉગ્ર રજૂઆતો કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં જ પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસનો ઉગ્ર શાબ્દિક ઉધડો લીધો હતો.

આ ઘટનાના 24 કલાક બાદ આજે તા.28મી ડિસેમ્બર 2018ની સવારે વરાછા રોડ પર પાર્કિંગની બાબતમાં પાસના કાર્યકરને પોલીસ સાથે માથાકૂટ થઇ હતી. આ મુદ્દે પાસના નેતા અલ્પેશ કથિરીયા ઘટના સ્થળે ધસી ગયા હતા અને ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ઉગ્ર અવાજો બોલાચાલી થઇ હતી. અલ્પેશ કથિરીયા અને પાસના સમર્થકોએ પોલીસ સાથે ઉગ્ર અવાજે બોલાચાલી કરતા મામલો બિચક્યો હતો. અલ્પેશ કથિરીયાને વરાછા પોલીસ મથકમાં લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરે તેને લાફો માર્યો હોવાનું અલ્પેશ કથિરીયાનું કહેવું હતું.

ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે અલ્પેશ કથિરીયા અને સમર્થકો વરાછા પોલીસ મથકે ડિસીપીને રજૂઆતો કરવા પહોંચ્યા હતા. ત્યારે પણ એસીપી તથા અન્ય પોલીસ સાથે માથાકૂટ થતાં મામલો વધુ બગડ્યો હતો. જોતજોતામાં પાસના સેંકડો કાર્યકરો વરાછા પોલીસ મથકે પહોંચી ગયા હતા અને પોલીસનો હૂરીયા બોલાવવા સાથે ભારે ગાળાગાળીના દ્રશ્યો જોવા મળ્યા હતા. કેટલાક પાસના કાર્યકરોએ પોલીસ મથકમાં ફુલછોડના કૂંડા પણ ઉંધા વાળી દીધા હતા. પરીણામે પોલીસે અલ્પેશ કથિરીયા સામે પોલીસની ફરજમાં રુકાવટ, ધાકધમકી વગેરે સંદર્ભનો ગુનો દાખલ કરીને તેને ધરપકડ કરી લીધી હતી જ્યારે પાસના 8-10 જેટલા કાર્યકરોની અટકાયત કરી દેવામાં આવી હતી.

બપોરે 12.30 વાગ્યાના અરસામાં વરાછા પોલીસ મથકે હજારો પાસના કાર્યકરો ભેગા મળીને પોલીસને હૂરીયો બોલાવી રહ્યા હતા. વરાછા પોલીસ મથકે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

December 26, 2018
bjp-1280x960.jpg
1min12160

ભારતીય જનતા પાર્ટીના આંતરીક વહીવટમાં એક વ્યક્તિ એક હોદ્દાની નીતિનો સગવડીયા ધોરણે અમલ થઇ રહ્યો છે. આ નીતિ સુરત ભાજપમાં પણ લાગૂ પાડવામાં આવી રહી છે. સુરત ભાજપમાં મહામંત્રી તરીકે ફરજ બજાવતા ડો.જગદીશ પટેલની મેયર પદે નિમણૂંક થઇ ત્યારથી તેઓ મેયર અને સુરત ભાજપના મહામંત્રી એમ બે હોદ્દે સવાર થઇ રહ્યા છે.

સુરત ભાજપ સમેત ગુજરાત ભાજપમાં કેટલાક નેતાઓની નજરમાં અનેક મહિનાઓથી આ બાબત હતી. હવે સુરત સમેત ભાજપાના પ્રદેશ મોવડીમંડળના નેતાઓએ સુરત ભાજપના મહામંત્રી પદેથી ડો.જગદીશ પટેલના સ્થાને અન્ય કોઇ નેતાની નિમણૂંક કરવાનું કામ હાથ પર લીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાવનગર સાઇડ મૂળવતન ધરાવતા સૌરાષ્ટ્રવાસી નેતાને સુરત ભાજપના મહામંત્રી તરીકે નિયુક્ત કરવા માટે હાલ પ્રયાસો ચાલી રહ્યા છે. સુરત ભાજપાના મહામંત્રી પદે કોને નિમણૂંક આપવી તે અંગે હાલમાં તો પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી કહે તે ફાઇનલ ગણાય તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ, સુરત ભાજપામાં કેટલાક નેતાઓ મહામંત્રી જેવા મોટા હોદ્દા માટે પોતાના ચેલકાઓ માટે પણ લોબિંગ કરી રહ્યા હોઇ, મામલો ભાજપાના નવી દિલ્હી સ્થિત મોટા નેતાઓ સુધી પહોંચે અને ત્યાંથી દર વખતે જેમ થાય છે એમ મેન્ડેટ આવે તેવું પણ થઇ શકે છે.

સુરત ભાજપા વર્તુળમાં થઇ રહેલી ચર્ચાઓ મુજબ ડો.જગદીશ પટેલના મહામંત્રી તરીકેના રાજીનામા સાથે ખાલી પડનારા હોદ્દા પર કોઇપણ સૌરાષ્ટ્રવાસી નેતાની જ નિમણૂંક કરવામાં આવે તેવી રજૂઆતો સૌરાષ્ટ્રીયન લોબીમાંથી ચાલી રહી છે જેની સામે સુરત ભાજપાના મૂળ સુરતીઓ તેમજ પરપ્રાંતીય જૂથમાંથી સૌરાષ્ટ્રવાસીના સ્થાને અન્ય કોઇ સમૂહમાંથી નેતાની નિમણૂંક કરવામાં આવે એવી પણ રજૂઆતો પ્રદેશ કક્ષાએ કરી દેવામાં આવી છે. જ્યારે ભાજપાના પ્રદેશ મોવડીએ એવી ગણતરી માંડી રહ્યા છે કે સુરત ભાજપામાં મહામંત્રી તરીકેની એક બેઠક પર કોઇ સૌરાષ્ટ્રવાસી પાટીદાર નેતાની નિમણૂંક કરવામાં આવે જેથી પાટીદાર ફેક્ટરમાં ભાજપ વિરોધી આક્રમક્તા ઓછી કરી શકાય.

 

December 25, 2018
paas-1280x856.jpg
1min9820

લઠ્ઠો (દેશીદારુ) પી ને મરનારાઓના પરિવારજનોને ગુજરાત સરકાર રૂ.4 લાખની સહાય આપે છે જ્યારે અકસ્માતમાં સુરતના જે નિર્દોષ ભૂલકાઓ મોતને ભેટ્યા છે તેમના પરિવારજનોને ફક્ત રૂ.2.5 લાખની સહાય. રાજ્ય સરકારની સહાયમાં આ પ્રકારનો ભેદ અન્યાયકર્તા હોવાનું જણાવીને પાસના કાર્યકર્તાઓએ આજે સુરત કલેક્ટર સંકુલ ખાતે બેમુદતી ધરણા સાથે અન્નત્યાગનું શસ્ત્ર ઉગામતા સુરત પોલીસ સમેત તંત્રવાહકો નાતાલની રજાના દિવસે પણ દોડતા થઇ ગયા હતા.

સુરતના પાસના કાર્યકરોએ આજે અણચિતવ્યી રીતે સુરત કલેક્ટર કચેરી સંકુલ ખાતે પહોંચીને અમરોલીના બાળકોની બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકોના પરિવારજનોને રૂ.4-5 લાખ અને ઇજાગ્રસ્ત બાળકોની તમામ મેડીકલ સેવાનું બિલ ચૂકવવાની માગણી તાત્કાલિક ઉકેલવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. કલેક્ટર કચેરીએ ત્વરિત પગલાં નહીં ભરતા પાસના અલ્પેશ કથિરીયાની આગેવાની હેઠળ 100-150 કાર્યકરોએ કલેક્ટર કચેરીના સંકુલમાં જ ધરણા શરૂ કરી દીધા હતા. બપોર બાદ પાસના કાર્યકરોએ અન્નત્યાગ પણ કરી દીધો હતો.

આજે નાતાલના દિવસે જાહેર રજા હોવા છતાં પાસના કાર્યકર્તાઓ સવારે અઠવાલાઇન્સ ચોપાટીની બાજુમાં આવેલી કલેક્ટર કચેરીના સંકુલમાં પહોંચ્યા હતા. કલેક્ટર ડો.ધવલ પટેલને મળીને અમરોલી બસ દુર્ધટના બાબતે રજૂઆતો કરી હતી. તેમની ચાર મુખ્ય માગણીઓ આ મુજબ હતી.

  1. લઠ્ઠાકાંડમાં મોતને ભેટતા દારુડીયાઓને રાજ્ય સરકાર રૂ.4 લાખની સહાય કરે છે તો અમરોલીની બસ દુર્ઘટનામાં મોતને ભેટેલા ભૂલકાઓને પરિવારજનોને ફક્ત રૂ.2.5 લાખ કેમ, અલ્પેશ કથિરીયાએ રૂ.4-5 લાખની ત્વરીત સહાય આપવામાં આવે.
  2. અમરોલી બસ દુર્ઘટનામાં ઇજા પામેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને તમામ બિલની રકમ ચૂકવવામાં આવે.
  3. દારુ પીધેલા બસ ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી તેમજ જેની પાસેથી દારુ લીધો તેની સામે પણ પગલાં ભરવામાં આવે.

કલેક્ટર ડો. ધવલ પટેલે આવેદનપત્ર સ્વીકાર્યું અને ઘટતું કરવા માટે સરકારને મોકલી આપવાનું જણાવ્યું હતું. અલ્પેશ કથિરીયાની આગેવાની હેઠળ ગયેલા પાસના કાર્યકર્તાઓએ ત્વરીત એકશન નહીં લેવાતા કલેક્ટર કચેરી સંકુલમાં જ સવારથી ધરણા શરૂ કરી દીધા હતા. 100થી 150 જેટલા પાસના કાર્યકર્તાઓએ અચોક્કસ મુદતના ધરણા શરૂ કરી દીધા હતા. મોડી સાંજે મળતી માહિતી મુજબ ધરણા પર બેઠેલા પાસના કાર્યકર્તાઓએ અન્નનો ત્યાગ કરી દીધો હતો.

 

December 24, 2018
siddhi_vinayak_pal.jpg
1min20820

સમગ્ર દક્ષિણ ગુજરાત જ નહીં બલ્કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો માટે પણ આસ્થાનું પ્રતિક બનેલા સુરતના પાલ આરટીઓ બાજુમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર સંકુલમાં આવતીકાલ મંગળવાર તા.25મી ડિસેમ્બર 2018ના અંગારકી ચૌથના પર્વે ખાસ ગણેશાર્ચનમ્ પૂજા વિધીનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ શાસ્ત્રોમાં ગણેશાર્ચનમ્ પૂજાને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એ પણ અંગારકી ચૌથના પર્વે તેનું વિશેષ મહાત્મ્ય હોય છે.

પાલ સ્થિત અન્નપૂર્ણા મંદિર સંકુલ ખાતે દર વખત કરતા આ વખતની અંગારકી ચૌથની ઉજવણી કંઇક અનોખી રીતે કરવામાં આવશે. મંદિર સંચાલકગણએ આવતીકાલે ગણેશ યાગ આયોજન તો કર્યું જ છે પણ તેમાં આકર્ષણ ભારતવર્ષ માં ગજરાજ (હાથી)ના પૂજન-વિધાન સાથે તથા કેરળના પારંપરિક અને સાંસ્કૃતિક શણગારથી પરીસર બની રહ્યું છે. કેરળના જુદા જુદા વાદ્યોનું વાદન સાથે સમગ્ર કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે વેદપારાયણ પણ કરવામાં આવશે. આ તમામ પૂજાઓ સુરતમાં ભાગ્યે જ થતી હોય છે.

વડોદરા, કાશી અને નાશિકના પ્રખર વિદ્વાન પંડિતોના સાનિધ્યમાં ગણેશયાગ અને અન્ય પૂજન વિધી હાથ ધરવામાં આવશે. કુલ ૧૦૮ યુગલ આ યાગ માં બેસશે. મંગળવાર તા.25મી ડિસેમ્બર સવારથી પાલ સ્થિત અન્નપુર્ણા (સિધ્ધી વિનાયક ) મંદિર , પાલ ( આર.ટી. ઓ. ની બાજુ માં) કાર્યક્રમો શરૂ થશે.

સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે આ આયોજન મંદિર મેનેજમેન્ટ દ્વારા ઘણાં દિવસો પૂર્વેથી શરૂ કરી દેવાયું હતું. અનેક પ્રકારની તૈયારીઓ કરવાની હતી, આખરે આ મહાપૂજા સમાન ગણેશાર્ચનમ્ માટે અમે પૂર્વ સંધ્યાએ સજ્જ થઇ શક્યા છીએ. ગણેશ યાગમાં આમ તો 101 યુગલ બેસવાના હતા પરંતુ, ભક્તજનોની માગણીને પગલે 125થી વધુ યુગલ પૂજામાં બેસશે. તેમણે કહ્યું કે સુરત, તાપી, બારડોલી, નવસારી, વલસાડ, વાપી, વડોદરા ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ગણેશાર્ચનમ્ આયોજન અંગે ખાસ્સી ચર્ચા છે અને આવતીકાલે મંદિર પરીસરમાં વીસથી પચ્ચીસ હજાર ભક્તજનો અંગારકી ચૌથના પર્વે ભગવાન શ્રી ગણેશના દર્શનાર્થે તેમજ ગણેશયાગનો લાભ લેવા પધારશે એવી ગણતરી છે. તેમણે કહ્યું કે ભક્તજનોને કોઇપણ પ્રકારની અગવડ ન પડે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભક્તજનોએ સ્વયં સેવકોને અનુસરીવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

December 24, 2018
mal7.jpg
4min8020

આજના જમાનામાં એન.જી.ઓ. બનાવીને સમાજ સેવાની જાણે ફેશન ચાલી નીકળી છે. સમાજ સેવાના ક્ષેત્રમાં બે પ્રકારના લોકો જોવા મળે છે. એક પ્રકાર એવો હોય છે જેમાં કેટલાક લોકો પબ્લિસિટી મેળવવા માટે જ સામાજિક સેવાના ક્ષેત્રમાં જોડાતા હોય છે અને બીજો પ્રકાર એવો હોય છે કે જેમાં લોકો ખરેખર ઉમદા સમાજ સેવા કોઇપણ જાતની પબ્લિસિટી વગર કર્યે રાખતા હોય છે. બીજા પ્રકારના લોકોને સી.આઇ.એ. ન્યુઝ પોર્ટલ પ્લેટફોર્મ આપે છે. અમે એવા લોકો, એવી સંસ્થાઓને શોધીને તેમની પ્રવૃતિને મહેક ચારે કોર પ્રસરાવવાનું કામ કરે છે.

આજે અહીં એવા જ એક ગ્રુપની વાત કરી રહ્યા છે. મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર એવી સંસ્થા છે જે સિનિયર સિટીઝન્સ (વયોવૃધ્ધ) માટે કાર્યરત છે. આ ગ્રુપ ડો.રમેશ ઠક્કરે 2010માં સ્થાપ્યું હતું. આ ગ્રુપમાં 11 જેટલા તબીબો જોડાયેલા છે.  મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર સાથે જોડાયેલા તબીબોમાં એક કોમન શોખ છે અને એ છે સંગીત. મ્યુઝિકની પેશન ધરાવતા આ તબીબો શહેરના સિનિયર સિટીઝન્સની મનોરંજક મ્યુઝિકલ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. મનોરંજક મ્યુઝિકલ ટ્રીટમેન્ટ શબ્દ અમે આપ્યો છે, કહેવાનું તાત્પર્ય એ છે કે મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર સિનિયર સિટીઝન્સ માટે ઓડિટોરીયમમાં સંગીત સંધ્યા રાખે છે, અહીં સિનિયર સિટીઝન્સના તેમના ઠેકાણેથી બસમાં લાવીને તેમની સામે 11 તબીબો એક એકથી ચઢીયાતા ગીતો ગાય છે, મનોરંજન કરાવે છે, સંગીત સંધ્યા બાદ તેમને પ્રેમથી જમાડે છે અને ફરીથી તેમને તેમના મુકામ સુધી સહીસલામત પહોંચાડે છે. તાજેતરમાં આ જ પ્રકારે મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હારના ડો.રમેશ ઠક્કર, ડો. યોગેશ કાંઠાવાલા અને ડો.મુકેશ વાઘેલા સમેત અન્યોએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના ઓડિટોરીયમ ખાતે ખાસ મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન કર્યું હતું. સિનિયર સિટીઝન્સની આવી સેવા જો કોઇ કરતું હોય તો એ ફ્કત મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર છે.

(મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે યોજાયેલી સંગીત સંધ્યામાં શહેરના સિનિયર સિટીઝન્સને લઇ જવામાં આવી રહ્યા હતા એ પ્રસંગની તસ્વીર)

મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર સાથે 11 તબીબો જોડાયેલા હોવા ઉપરાંત 30 જેટલા મેમ્બર્સ પણ છે જેઓ કોઇપણ જાતની અપેક્ષા, સ્વાર્થ વગર સિનિયર સિટીઝન્સની દેખભાળ રાખે છે, સ્વૈચ્છીક બધી જ કામગીરી કરી રહ્યા છે. તાજેતરમાં મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર દ્વારા શહેરના અંદાજે 1200 જેટલા સિનિયર સિટીઝન્સ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓડિટોરીયમ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની તસ્વીરી ઝલક આ મુજબ છે.

 

 

The Statement of The Music group of Malhar Founder Member Dr.Ramesh Thakkar. ( Pediatrician )

I m founder member of my group, named ” Music group of Malhar ” ! The name was given by me. I have started this group ( as a founder members ) in 2010. This is small group of ( 11 ) doctors, having common, passion for music. The concept was generated in my mind (in 2010 ). Do some social services for the benefits of those section of society , who are socially deprived from their home – society and who are really in need of help-support . ( group of people from Old age home, poor Students from orphan center , poor Patients, and students from tribal area’s school ). What me and my group are doing…? As we all members are music lovers. So, we are doing once -twice large scale music concerts in big auditorium, usually after diwali. We ourselves are performing ( singing ) on stage with live orchestra. We invite people from old age home and from different senior citizens clubs for this live music program. We make arrangements of transport (of almost 20 plus buses ) for these all people. The group viewers( almost plus 1500) are there, to attend our program. Really, it’s worth to watch, how these old aged group of persons are enjoying in our program! ! ! It’s really great enjoyment for all of them. Prog is running for, almost 3 hrs plus. Afterwards, at the end of program, We all serving food ( dinner ) for all. After dinner, they will return to their place through buses. 30 Volunteers are working with my group, to help us this kind work. Charity should be start from our home. So, we individual( all my members ) contribute for this prog. And during program, we many times receiving donation from rich members of different seniors citizens clubs. Here, we ( me & my group) are using this donation for those, who are socially deprived from society, ( old age homes ) poor patients and poor students of tribal area’s school. So, in brief, my self and members of my group are doing such social activities, through music platform. Sometimes, we are receiving invitation for music program out of Surat also. Small scale music program are running every 3 – 4 months at local (surat ) level round the year. Regards ! Dr.Ramesh Thakkar. ( Pediatrician )

December 22, 2018
oyster_hotel.jpg
1min5880

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા ઓયસ્ટર હોટલ કે જ્યાંથી તા.21મી ડિસેમ્બર 2018ની રાત્રે ઉમરા પોલીસે 21 દારુ પીધેલી મહિલાઓને ઝડપી પાડી હતી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં ઓયસ્ટર હોટલ કે જ્યાં દારુની પાર્ટી ચાલી રહી હતી એ ઓયસ્ટર હોટેલના સંચાલકો સામે હજુ સુધી કોઇ જ કાર્યવાહી ન થતાં કશુંક રંધાયું હોવાની વાતોએ વેગ પકડ્યું છે.

શહેરની માલેતુજાર મહિલાઓને હોટેલ જેવા પબ્લિક પ્લેશમાં દારુની ખુલ્લેઆમ પાર્ટી અને એ પણ ડી.જે.ના મ્યુઝિકના સથવારે કરવા દેવાની પરવાનગી આપનાર ઓયસ્ટર હોટેલના સંચાલકો આ કેસમાં પણ પોતાનું નામ ન આવે તે માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. જે રીતે તા.21મી ડિસેમ્બર 2018ના રોજ માલેતુજાર મહિલાઓને દારુની પાર્ટી કરવાની ઓયસ્ટર હોટેલના સંચાલકોએ બિન્ધાસ્ત રીતે છૂટ આપી એવી જ રીતે આ હોટેલમાં છાશવારે દારુની મહેફિલો જામતી રહે છે, હોટેલના સંચાલકો મોટી રકમ વસુલ કરીને તમામ વ્યવસ્થા કરી આપતા હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે.

21 દારુ પીધેલી મહિલાઓ ઝડપાવાના કેસમાં ઉમરા પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે ઓયસ્ટર હોટેલમાં આ પ્રકારની પાર્ટી ખુલ્લેઆમ ચાલી રહી હતી, મહિલાઓ વ્હીસ્કી, દારુ અને વાઇન ઢીંચી રહી હતી, ખુલ્લેઆમ મોટા અવાજે મ્યુઝિક વાગી રહ્યું હતું આમ છતાં ઓયસ્ટર હોટેલના સંચાલકોએ પાર્ટી કેમ ચાલવા દીધી, ઓયસ્ટર હોટેલમાં આ પાર્ટી માટે બુકિંગ કોણે કરાવ્યું હતું, કેટલા રૂપિયા લઇને દારુની પાર્ટી કરવા દેવામાં આવે છે વગેરેની તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાય તેમ છે.

પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયસ્ટર હોટલ અગાઉ પણ ગોરખધંધા માટે બદનામ થઇ ચૂકી છે. ઇલિગલ કપલ્સ માટેનું આ મિટીંગ સ્થળ ગણાય છે, એ સિવાયના ધંધાઓ પણ થતા હોવાની ગંભીર ફરીયાદો હોવા છતાં પોલીસે હજુ સુધી ઓયસ્ટર હોટેલના સંચાલકો સામે કોઇ જ કાર્યવાહી કરી નથી.

અગાઉ તા.29મી ડિસેમ્બર 2015ના રોજ ઉમરા પોલીસે ઓયસ્ટર હોટેલમાં ગેરકાનૂની રીતે ચાલી રહેલા હુક્કાબાર પર રેડ પાડીને તેના એક કર્મચારીને ઝડપી પાડ્યો હતો. એ વખતે પણ ઓયસ્ટર હોટેલના સંચાલકો યેનકેન પ્રકારે કાયદાની ચુંગાલ માંથી છટકી ગયા હતા.

સુરતની ઓયસ્ટર હોટલમાં 29મી ડિસેમ્બર 2015ના રોજ હુક્કાબાર પર પોલીસે રેઇડ કરી હતી. અહીં જીતેન્દ્ર ઠાકુર નામના કર્મચારીને હાજર કરીને તેની સામે કેસ કરાયો હતો. અહીં ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં એ સમયે છપાયેલા સમાચારની લિંક પ્રસ્તુત છે

https://timesofindia.indiatimes.com/city/surat/New-Year-crackdown-Hookah-bars-raided/articleshow/50388873.cms

December 21, 2018
fogwa-1.jpg
1min11310

GST ક્રેડિટ લેપ્સના મુદ્દે ભાજપા તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ અનેક રજૂઆતો કર્યા પછી કોઇ દાદ નહીં મળતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પાસે મુદ્દો લઇ જવાની ધમકી ઉચ્ચારનાર ફોગવાના અશોક જીરાવાળા એન્ડ કંપની હવે ફરીથી પી.એમ. મોદીના શરણે આવી છે. 22મી ડિસેમ્બર 2018ના રોજ મળી રહેલી GST કાઉન્સિલની બેઠકમાં વિવર્સની અંદાજે રૂ.600 કરોડની ક્રેડિટ પરત મળે તેવી વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી છે.

GST ક્રેડિટનો મુદ્દો હકીકતમાં વિવર્સ ફેડરેશનના નેજા હેઠળ લડત ચલાવી રહેલા અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, આશિષ ગુજરાતી એન્ડ કંપની અવૈચારિક પગલાઓને કારણે વકર્યો છે. ભાજપાના સ્થાનિક આગેવાનો ખાસ કરીને નવસારીના એમ.પી. શ્રી સી.આર. પાટીલની મધ્યસ્થી, રાજ્ય સરકારના કેટલાક અધિકારીઓની દરમિયાનગીરી અને કેન્દ્રના કેટલાક મંત્રીઓની ભલામણ બાદ વિવર્સ અને પ્રોસેસર્સ બન્ને મળીને રૂ.1500 કરોડની GST ક્રેડિટ અંગેનો પ્રશ્ન ઉકેલાય જવાની તૈયારીમાં હતો. પરંતુ, બરાબર એ જ સમયે ધીરજ ગુમાવી ચૂકેલા ફોગવાના આગેવાનો પૈકી અશોક જીરાવાળાએ એવું નિવેદન આપી દીધું કે ભાજપાના નેતાઓથી કશું નહીં થાય તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે જવું પડશે.

જાણકારો કહે છે કે અશોક જીરાવાળાના આ જ વાણી વિલાસને પગલે હજારો વિવર્સને કનડતો ક્રેડિટ લેપ્સનો પ્રશ્ન હલ થતા રહી ગયો. ભાજપી નેતાગીરીએ ગંભીર નોંધ લઇને વિવર્સને આ મુદ્દે લટકાવી રાખ્યા. આ બાબત સાથે એ પૂર્વે અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, આશીષ ગુજરાતીએ સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા દેખાડવાની કરેલી હરકત પણ જોડાઇ જવા પામી હતી અને વિવર્સનો પ્રશ્ન તેમના જ આગેવાનોના અપરિપક્વ વર્તનને કારણે આજે પણ ટલ્લે ચઢી રહ્યો છે.

હવે ફોગવા ફરીથી પી.એમ. નરેન્દ્ર મોદીના દરબારમાં ક્રેડિટનો પ્રશ્ન ઉકેલી આપવા ગુજારીશ કરી રહ્યું છે. હકીકતમાં ફોગવાની આ લેખિત ગુજારીશ પી.એમ. સુધી શું દિલ્હી સુધી પણ પહોંચે તો બસ છે. કેમકે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસીએશનના લેટરહેડ પર વડાપ્રધાનને ઉદ્દેશીને હાથથી લખાયેલા પત્રમાં કોઇપણ જાતના રેફરન્સ, અગાઉની રજૂઆતો ટાંક્યા વગર લખાયો છે. એવું સ્પષ્ટ જણાય આવે છે કે વડાપ્રધાનને નહીં ફક્તને ફક્ત મિડીયામાં માઇલેજ લેવા માટે આ પત્ર લખાયો છે.

વડાપ્રધાનને ફોગવાના લેટર હેડ પર આ પ્રકારે પત્ર લખાયો

અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, આશીષ ગુજરાતી અને તેમની કંપની દ્વારા ભરાયેલા આ પગલાંઓને કારણે સમગ્ર વિવર્સ આલમે સહન કરવું પડી રહ્યું છે

  • સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા દેખાડવાની હરકત
  • ક્રેડિટ લેપ્સના મુદ્દે ભાજપા નેતાગીરીને ધમકાવવા માટે રાહુલ ગાંધીના નામની હૂલ આપવાની હરકત
  • કારખાનેદારોના સંગઠન ફોગવામાં ભાજપ-કોંગ્રેસનું રાજકારણ ઘૂસાડવાની હરકત
  • નક્કર નહીં પણ ઉપજાવી કાઢેલી આંકડાકીય માહિતીઓ રજૂ કરવાની અપરિપક્વ હરકત

પરીણામ શું આવ્યું

  • ફોગવા જેવા વિશાળ સંગઠનને સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જેવી સંસ્થાએ કોર્નર કરવી પડી
  • કોંગ્રેસને ક્રેડિટ આપવાની પેરવી થતાં રાજ્ય સરકારે રજૂઆતોને યોગ્ય પ્રતિસાદ ન આપ્યો
  • ટેક્સટાઇલ પોલિસીમાં વિવર્સના પ્રશ્નો ફોગવા પાસેથી નહીં પણ અન્ય સંગઠનો, આગેવાનો પાસેથી સરકારે સાંભળ્યા
  • ફોગવા એ બિનરાજકીય સંગઠન છે એવી છાપ ભૂંસાઇ અને કોંગ્રેસનું લેબલ લાગવા માંડતા ભાજપના નેતાઓએ સહાનુભૂતિ દાખવવાનું છોડી દીધું

હવે શું થશે

  • હવે શું થશે એવી કલ્પના કરવી સરળ છે. રાજ્ય સરકાર દ્વારા હાલ ડ્રાફ્ટ થઇ રહેલી નવી ટેક્સટાઇલ પોલિસીમાં સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાયેલી રજૂઆતોને પ્રાધાન્ય અપાશે
  • પ્રોસેસર્સનો ક્રેડિટ લેપ્સનો પ્રશ્ન હલ થઇ જાય તો નવાઇ નહીં, પણ ફોગવાના આગેવાનોને કારણે સમગ્ર વિવર્સ આલમે નુકસાની વેઠવી પડે તેવી શક્યતા 
  • અશોક જીરાવાળા, મયુર ગોળવાળા અને આશીષ ગુજરાતી એન્ડ કંપની દ્વારા ફોગવામાં ઘૂસાડવામાં આવેલા ડર્ટી પોલિટીક્સને કારણે હવે ભવિષ્યમાં ફોગવાના જેન્યુઇન પ્રશ્નોને પણ કેન્દ્ર કે રાજ્ય સરકાર ગંભીરતાથી નહીં લે.
  • ફોગવાની રજૂઆતો સાચી અને નક્કર હશે તો પણ તેના પર રાજકારણનું લેબલ લગાડીને તેને ક્રેડિટ નહીં મળવા દેવાય
December 21, 2018
ms2-1280x853.jpg
1min9810
  • તા.૨૩મીએ પી. પી. સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૬૧ દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ‘લાડકડી’ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહી પિતાવિહોણી દીકરીઓનું કન્યાદાન કરશે
  • નાત જાત કે ધર્મના ભેદભાવ વિના આજ સુધીમાં ૩૧૭૨ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવનાર સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીની પ્રેરણાદાયી પહેલ
  • નવદંપતિઓને લગ્નસ્થળે જ રાજ્ય સરકારની ‘કુંવરબાઈનું મામેરું’, સપ્તપદીના સાત ફેરા જેવી ઉપયોગી યોજનાઓથી લાભાન્વિત કરાશે
  • ‘લાડકડી’ લગ્નોત્સવના આયોજન સંદર્ભે આયોજક સવાણી ગ્રુપ અને મોવલિયા પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

પિતાવિહોણી દિકરીઓ માટે પિતાતુલ્ય ભૂમિકા ભજવી હજારો દિકરીઓના રંગે ચંગે લગ્ન કરાવી સાસરે વળાવનાર સેવાભાવી ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી દ્વારા આ વર્ષે પણ આગામી તા.૨૩મીના રોજ પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૬૧ દીકરીઓનો જાજરમાન ‘લાડકડી’ લગ્નોત્સવ યોજાશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પણ વિશેષ ઉપસ્થિત રહી પિતાવિહોણી દીકરીઓનું કન્યાદાન કરશે. સવાણી પરિવારના પ્રેરણાદાયી કાર્યમાં ભોજલરામ ગ્રુપના બટુકભાઈ અને અશ્વિનભાઈનો મોવલિયા પરિવાર પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ સહભાગી બન્યો છે.

પી પી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, અબ્રામા ખાતે યોજાનાર લાડકડી લગ્નોત્સવ વિષે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને જાણકારી આપતા શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, પિતાવિહોણી દિકરીઓ અને પરિવારની વ્યથા સમજી લગ્નના આર્થિક ભારણને પહોંચી ન વળનાર પરિવારની દિકરીઓને પી. પી. સવાણી પરિવાર દર વર્ષે ભવ્ય લગ્ન સમારંભ યોજીને દીકરીઓને પરણાવે છે. આ વર્ષે પણ ૨૬૧ દીકરીઓના પિતા બની સવાણી અને મોવલિયા પરિવાર કોઇ પણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના પિતાવિહોણી તેમજ વિધવા બહેનોની દીકરીઓને પરણાવી સાસરે વળાવશે.

આ વર્ષે ૨૬૧ ‘લાડકડી દીકરીઓ’ પૈકી છ મુસ્લિમ, ત્રણ ખ્રિસ્તી દીકરીઓ પણ એમની પરંપરાગત રિતીરિવાજ-લગ્ન વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાશે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત દેશભરમાંથી ૫૦ રાજસ્વી મહાનુભાવો, બ્યુરોક્રેટસ, ઉચ્ચ અધિકારીઓ, વિવિધ ધર્મના સંતોમહંતો, મહાનુભાવો આ લાડકડીઓનું કન્યાદાન કરશે.

શ્રી મહેશભાઈએ એક નવી જ પહેલ કરી દરેક દીકરીને રાજ્ય સરકારની ‘કુંવરબાઈનું મામેરું’, સપ્તપદીના સાત ફેરા જેવી બીજી ઉપયોગી યોજનાનો લાભ મળે એનું પણ આયોજન કર્યું હોવાનું જણાવી ઉમેર્યું કે, દીકરીના ખાતામાં સરકાર અમુક રકમ ફિક્સ ડિપોઝીટમાં મુકે છે, જે ૨૦-૨૧ વર્ષ પછી એના બાળકને ૬ લાખથી વધુ રકમ મળે છે. આ યોજનાના લાભ સાથે જ “લાડકડી”ના મંડપમાં લગ્ન કરનાર નવયુગલને ‘પ્રધાનમંત્રી વિમા યોજના અંતર્ગત ૨-૨ લાખનું વિમા કવચ પણ મળશે. ઉપરાંત લગ્નસ્થળે જ સુરત મહાનગરપાલિકાના સહયોગથી મેરેજ સર્ટિફિકેટ એનાયત કરાશે.

લગ્ન કરનારી ૨૬૧ દીકરીઓની પસંદગી માટે પણ લાંબી કવાયત હાથ ધરીને ચોક્કસ નિયમો મુજબ પસંદગી કરવામાં આવી છે. લગ્ન માટેના ફોર્મ ભરવાની શરૂઆતમાં માત્ર ૨૫ દિવસમાં પિતાવિહોણી ૬00 દીકરીઓની અરજી આવી હતી. જેમાં માતા અને પિતા બંનેની છત્રછાયા વિનાની ૫૪ દીકરીઓને પસંદગીમાં પ્રાથમિકતા આપી છે. ત્યાર બાદ પિતા વિનાની ૧૧૮ દીકરીઓ પસંદ કરાઈ છે. આ વર્ષે ‘લાડકડી’માં કામરેજના આંબોલી સ્થિત જનનીધામમાં રહેતી ૪ એચ.આઈ.વી.ગ્રસ્ત દીકરીઓના પણ લગ્ન થશે એમ શ્રી સવાણીએ કહ્યું હતું.

મહેશભાઈ સવાણીએ વધુમાં કહ્યું કે, વર્ષ ૨૦૦૮માં ૦૨ દિકરીઓથી પ્રારંભ કરીને નાત જાત કે ધર્મના ભેદભાવ વિના આજ સુધીમાં ૩૧૭૨ દીકરીઓના નિ:સ્વાર્થભાવે ધામધૂમથી લગ્ન કરાવી તેમના સપના પૂરા કર્યા છે. કરિયાવરમાં અનેક જીવન જરૂરિયાત વસ્તુઓ આપીએ જ છીએ, સાથે જ લગ્ન પછી પણ પી.પી.સવાણી ગ્રુપ દીકરીની તમામ સામાજિક જવાબદારી નિભાવતું રહ્યું છે. પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલ દીકરાઓની ધો.૧૦ સુધીની અભ્યાસ ફી અને કોલેજ સુધીના અભ્યાસની ફી ભરવામાં આવે છે. શિક્ષણની સાથે વિધવા બહેનોના પરિવારની આરોગ્યની જવાબદારી પણ પી. પી. સવાણી પરિવાર ઉપાડે છે. સુરતના ૮૦૦૦ થી વધુ પરિવારના પાલકપિતા તરીકેની જવાબદારી આજે પી.પી. સવાણી પરિવાર નિભાવી રહ્યો હોવાની વિગતો તેમણે આપી હતી.

‘લાડકડી’ લગ્નોત્સવના ૨૬૧ નવયુગલોમાંથી લક્કી ડ્રો દ્વારા વિજેતા થયેલા ૧૦ દંપતિને આડતીયા ફાઉન્ડેશનના રિઝવાનભાઈ આડતીયાના સૌજન્યથી સીંગાપુર-મલેશિયા ક્રુઝ ટુર પ્રવાસ અને ૫૦ લક્કી કપલને કિઆન એરવેઝના કેપ્ટન નૈયુમભાઈ સૈયદ કિઆન એરવેઝ દ્વારા હેલિકોપ્ટર મારફત સુરત દર્શન પણ કરાવવામાં આવશે.

December 21, 2018
icai_logo.jpeg
4min22170

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ કોર્સ તેમજ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ વ્યવસાયની સઘળી બાબતોનું સંચાલન જેના હાથમાં છે અને જે સંસ્થાને ભારતીય સંસદના ઠરાવથી અસ્તિત્વમાં લાવવામાં આવી છે એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા (આઇ.સી.એ.આઇ.)ની સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત તા.20મી ડિસેમ્બર 2018થી હાથ ધરાયેલી મતગણતરીની પ્રક્રિયામાં સુરતના આઇકોન યુથ અને સુરત સમેત દક્ષિણ ગુજરાતના યુવાનોમાં સૌથી વધુ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ તૈયાર કરનાર જય અજિત છૈરાનો પહેલા જ રાઉન્ડમાં પહેલા જ પ્રેફરન્સીયલ વોટથી પહેલા જ ક્રમે વિજય થયો છે.

આઇ.સી.એ.આઇ. ની સેન્ટ્રલ કાઉન્સિલમાં વેસ્ટર્ન રિજિયનમાંથી 11 ઉમેદવારો પ્રતિનિધિત્વ કરશે. વોટિંગ થયા બાદ દરેક ઉમેદવારે કુલ 3450 મત મળવા જોઇએ એવું ગણિત બેઠું હતું. પહેલા રાઉન્ડની ગણથરીમાં જ જય છૈરાને 3832 પ્રથમ પ્રેફરન્સીયલ મળી જતા તેઓ ચૂંટાયેલા જાહેર કરાયા છે. સુરત માટે આ ગૌરવશાળી બાબત છે કેમકે આઇ.સી.એ.આઇ. એ ભારતીય ઇકોનોમી બુસ્ટ કરે તેવી સંસ્થા છે. ભારતનાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ વ્યવસાયથી લઇને અભ્યાસક્રમને સંચાલિત કરે છે અને તેની સેન્ટ્રલ કાઉન્સિલમાં એક સુરતીનું ચૂંટાવું એ ખરેખર સુરત તેમજ ગુજરાત માટે ગૌરવવંતી બાબત છે. આ સાથે જય છૈરા બીજા વખત સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાયા છે.

ઇન્સિટટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસની સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં કુલ 42,517 મત પડ્યા હતા. જેમાંથી 1192 મતો ઇનવેલિડ પુરવાર થયા હતા. કુલ 41,405 વેલિડ વોટ્સના આધારે 3450નો ક્વોટા સેન્ટ્રલ કાઉન્સિલ માટે અને 1800નો ક્વોટા રિજિયોનલ કાઉન્સિલ માટે નિયત કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં પરીણામ આ મુજબ રહ્યું હતું

Rank

Sr No.

Name City 1st Pref
1 4 CHHAIRA JAY AJIT SURAT 3832
2 5 CHHAJED PRAFULLA PREMSUKH MUMBAI 3786
3 9 JAMBUSARIA NIHAR NIRANJAN MUMBAI 3441
4 18 TALATI ANIKET SUNIL AHMEDABAD 2987
5 13 KHANDELWAL DHEERAJ KUMAR MUMBAI 2735
6 14 KHANDELWAL PURUSHOTTAMLAL HUKAMICHAND AHMEDABAD 2560
7 8 HEGDE NANDKISHORE CHIDAMBER MUMBAI 2476
8 12 KABRA DURGESH KUMAR MUMBAI 2427
9 6 CHITALE CHANDRASHEKHAR VASANT PUNE 2373
10 3 BHANDARI ANIL SATYANARAYAN MUMBAI 2362
11 15 KINARE MANGESH PANDURANG THANE 2269
12 11 JOSHI SHRINIWAS YESHWANT MUMBAI 2224
13 7 GHIA TARUN JAMNADAS MUMBAI 2131
14 1 ADUKIA RAJKUMAR SATYANARAYAN MUMBAI 1823
15 17 SHAH SHRUTI JAYESH MUMBAI 1329
16 10 JOSHI SARVESH NANDLAL PUNE 929
17 2 BANERJEE ROBIN MUMBAI 892
18 16 PAWAR SANJAY NARAYAN PUNE 747

WIRCમાં બાલકિશન અગ્રવાલ પણ

પહેલા જ રાઉન્ડમાં વિજેતા

સુરતમાં પ્રેક્ટિસ કરતા બાલકિશન અગ્રવાલે પણ વેસ્ટર્ન રિજિયન કાઉન્સિલમાં મેમ્બરની ચૂંટણીમાં ઝુકાવ્યું હતું. તેમણે પહેલા જ રાઉન્ડમાં ફર્સ્ટ પ્રેફરન્સિયલ વોટ સાથે કુલ 2336 મતો મેળવીને વિજેતા નિવડ્યા હતા. તેઓ પણ સુરત માટે ગૌરવ સમાન છે. સુરત આઇ.એસ.એ.આઇ.ના ચેરમેન ભાવિન હિંગરે જય છૈરા તેમજ બાલકિશન અગ્રવાલને ઝળહળતા વિજય બદલ શુભકામનાઓ પાઠવી છે.