સુરતીઓની દુનિયા Archives - Page 45 of 76 - CIA Live

October 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min4880

GJEPC, ડાયમંડ એસોસીએશન અને  સુરત જ્વેલરી મેન્યુ. એસો.ના ઉપક્રમે ઋુણ સ્વીકાર કાર્યક્રમ

છેલ્લા ઘણાં સમયથી જુદા જુદા પ્રશ્નો પરત્વે ઉપેક્ષિત થતાં આવેલા હીરા ઉદ્યોગને તાજેતરમાં હીરા જોબવર્કને લગતા જી.એસ.ટી.ના દરોમાં નોંધપાત્ર ઘટાડો કરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને હીરા ઉદ્યોગે આવકારી લીધી હતી. હીરા ઉદ્યોગને હીરાના જોબવર્ક પર લાગતા જીએસટીના દર ઘટાડવા માટે હીરા ઉદ્યોગની તરફે કેન્દ્રમાં મક્ક્મ રજૂઆતો કરીને પરીણામદાયી નિવેડો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલનું જાહેર અભિવાદન કરવાનો કાર્યક્રમ સુરતના હીરા ઉદ્યોગકારોના જુદા જુદા સંગઠનો દ્વારા યોજવામાં આવ્યો છે.

હીરા ઉદ્યોગને જીએસટીમાં રાહત મળે એ માટે પરીણામદાયી રજૂઆતો કરનાર ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલનું સુરતમાં જાહેર અભિવાદન કરશે હીરા ઉદ્યોગપતિઓ (ફાઇલ ફોટો)

વધુ માહિતી આપતા જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયા, સુરત ડાયમંડ એસોસીએશના પ્રમુખ શ્રી બાબુભાઇ કથિરીયા તેમજ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના જંયતિભાઇ એ જણાવ્યું હતું કે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીન પટેલે હીરા જોબવર્ક પર અમલી જીએસટીના દરોમાં ઘટાડા અંગે હીરા ઉદ્યોગની પડખે રહીને કેન્દ્રમાં પરીણામદાયી રજૂઆતો કરી હતી. સુરતનો હીરા ઉદ્યોગ તેમનો ઋુણ સ્વીકાર કરવા માટે આગામી તા.14મી ઓક્ટોબરના રોજ બપોરે અઢી વાગ્યે એક કાર્યક્રમ યોજી રહ્યું છે.

સુરત સ્થિત જીજેઇપીસી, સુરત ડાયમંડ એસોસીએસન તેમજ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના નેજા હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં ખંભાતના હીરા ઉદ્યોગકારો પણ જોડાશે. તમામ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલને બહુમાનિત કરશે. પરવટ પાટીયા સ્થિત અમેઝિયા ખાતે યોજાનારા કાર્યક્રમ આમંત્રિતો માટે મર્યાદિત છે.

આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ ઉપરાંત મેયર ડો.જગદીશ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી કિશોર કાનાણી, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ તેમજ સાંસદ શ્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે.

October 9, 2019
diwalibonus-1280x720.jpg
1min6170

દિવાળી આખર તારીખમાં, એવું પણ બને કે અનેક નોકરીયાતોને દિવાળી પહેલા પગાર (એડવાન્સમાં) ન પણ મળે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

માર્કેટમાં હાલ અંડરટોન મંદી તરફી છે, નાણાંભીડની અભૂતપૂર્વ સ્થિતિ હોવાની દશેરાના તહેવારોની નબળી ખરીદીએ પ્રતીત કરાવી દીધું છે. સુરત વ્યાપારીક શહેર છે, ઉદ્યમીઓથી ભરેલું શહેર છે, નાના-મધ્યમ વર્ગના ધંધાર્થીઓ, કારખાનેદારોથી ભરેલું શહેર છે. બેથી 15-20 કર્મચારીઓ ધરાવતા કારખાનેદારો, વ્યાપારીઓની સંખ્યા અહીં લાખો છે. આવી સ્થિતિમાં દિવાળી આ વખતે બરાબર મહિનાની આખર તારીખમાં આવી રહી છે.

વ્યાપારીઓ-કારખાનેદારોએ ગત સપ્ટેમ્બર 2019 મહિનાનો પગાર નવરાત્રીના તહેવારો દરમિયાન કારીગર-કર્મચારીઓને ચૂકવી દીધો છે અને હવે દિવાળી આખર તારીખમાં હોઇ, ચાલુ ઓક્ટોબર 2019નો પગાર પણ દિવાળી પહેલા ચૂકવવો પડશે અને તેની સાથે જે ધંધાર્થીઓ કર્મચારીઓ, કારીગરો, કામદારોને બોનસ ચૂકવતા હોય તો એ પણ ચાલુ મહિને જ ચૂકવવું પડે તેવી નોબત આવી છે. સુરતમાં ઘણાં વેપારીઓ આ સ્થિતિને પામી ચૂક્યા છે અને તેમના નવરાત્રીના તહેવારોમાં દિવાળીની કેશ મેનેજમેન્ટનું ટેન્શન થઇ ગયું હતું.

Symbolic Photo

માર્કેટ મિડીયમ ચાલતું હોત તો આ ખર્ચા નીકળી શક્યા હોત, પણ મંદી છે એટલે મોટી મુશ્કેલી

23 જણાનો સ્ટાફ ધરાવતા ટેક્સટાઇલ કારખાનેદાર રતીલાલે જણાવ્યું કે દિવાળીના તહેવારોમાં બે વખત (10-12 દિવસ એડવાન્સ) પગાર ચૂકવવો પડે તેવા સંજોગો ભૂતકાળમાં પણ સર્જાયા હતા પણ એ વખતે માર્કેટમાં ઘરાકી હતી અને થોડું જોર લગાડીને એડવાન્સ પગાર માટેની કેશની ગોઠવણ થઇ જતી હતી. પણ આ વખતે માર્કેટમાં મંદી છે અને એ આજકાલની નથી, ઘણા મહિનાઓથી ટર્ન ઓવર નીચું થઇ રહ્યું છે એટલે આ દિવસો કેમ જશે એ સમજાતું નથી.

કોર્પોરેટ સિસ્ટમમાં કદાચ ઓક્ટોબરનો એડવાન્સ પગાર ન પણ થાય

શહેરના જાણીતા લેબર કન્સલ્ટન્ટ કહે છે કે ઘણા ઉદ્યોગ, ધંધાઓ કોર્પોરેટ સિસ્ટમથી ચાલે છે. માર્કેટમાં હાલ મંદીનો માહોલ છે અને એવું પણ બને કે 5થી 7 તારીખ વચ્ચે દર મહિને પગાર કરતા એકમો દિવાળી પહેલા ઓક્ટોબર મહિનાનો પગાર ન પણ ચૂકવે. બોનસ કે કેશ જે સંસ્થઆની પરંપરા હોય તે અનુસાર કામદાર કર્મચારીઓને તહેવાર માટેની રોકડ ચૂકવવાનો અભિગમ પણ રાખે તો નવાઇ નહીં. અનેક એકમોમાં કર્મચારીઓ, કામદારો આ સિસ્ટમથી વાકેફ છે અને તેઓ પણ આ વખતે દિવાળી પહેલા એડવાન્સ પગાર નહીં મળે તો પારિવારીક તકલીફ પડશે એવી અનૂભુતિ કરી રહ્યા છે.

હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગોનું સ્ટેન્ડ આગામી દિવસોમાં ક્લીયર થશે

દિવાળી આખર તારીખમાં આવી રહી હોઇ, કામદારો, કર્મચારીઓને એડવાન્સમાં ઓક્ટોબર મહિનાનો પગાર દિવાળી પહેલા ચૂકવવો જોઇએ કે કેમ એ અંગે દશેરાનો પર્વ પૂર્ણ થયા બાદ હવે આગામી દિવસોમાં શહેરના બે મોટા ઉદ્યોગ હીરા અને ટેક્સટાઇલના ઉદ્યોગકારો, કારખાનેદારો નિર્ણય લેશે કે શું કરવું. માર્કેટની પરિસ્થિતિ જોતા સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ બે મહિનાનો પગાર અને સાથે દિવાળીમાં પેશગી, બોનસ કે એકમમાં જે શિરસ્તો ચાલતો હોય એ ત્રણેયને ભેગા કરવામાં આવે તો કારખાનેદારો અને કામ ઉદ્યોગકારોના રેવન્યુ ખર્ચમાં તોતિંગ વધારો થઇ શકે તેમ છે.

સૌથી મોટી મુશ્કેલી કામદાર-કર્મચારી વર્ગને

કામદાર કર્મચારીઓને પણ એ વાતનો અણસાર આવી ગયો છે કે આ વખતે દિવાળી આખર તારીખમાં છે અને માર્કેટમાં મંદીના ટોનને લઇને જો ઓક્ટોબર 2019નો પગાર એડવાન્સમાં નહીં મળે તો દિવાળીના તહેવારની ઉજવણી ફિક્કી પડે તેમ છે. મધ્યમવર્ગીય પરીવાર તેમજ નોકરીયાત વર્ગે પોતાના સેવિંગ્સમાંથી કરકસરપૂર્વક દિવાળીના ખર્ચા કરવા પડે તેવી સ્થિતિ સર્જાવા તરફ છે.

મૂડી-બચત ઘસાય, લોન ધિરાણ કે ઉછીના પાછીનાથી દિવાળીનું સેટિંગ થશે

જાણકારો કહે છે કે આ વખતે મંદીના માહોલમાં દિવાળીના ખર્ચાને પહોંચી વળવા માટે દરેક વર્ગના લોકો પોતાના રિર્ઝવ, સેવિંગ્સ, કેપિટલ જે રસ્તો સૌથી અનૂકુળ રહે તે અપનાવશે. ભૂતકાળમાં પણ આવા સંજોગો બન્યા હતા એના પરથી જ લોકો આ વર્ષે પણ દિવાળીનો રસ્તો કાઢશે. એવું બને કે મોટા કારખાનેદારો, વ્યાપારીઓ રેવન્યુ ખર્ચને પહોંચી વળવા માટે પોતાની મૂડી કેપિટલમાં થોડો ઘસારો વેઠે, મધ્યવર્ગીય પરિવારો, નોકરીયાતો સેવિંગ્સમાંથી દિવાળીને કેટલાક અનિવાર્ય ખર્ચાઓ કાઢે પણ ખરા, ઘણાં લોકો એવા પણ હશે કે દિવાળીના ખર્ચાઓને પહોંચી વળવા માટે લોન, ધિરાણ, ઉછીના રૂપિયા લાવીને પણ દિવાળીના તહેવારનું સેટિંગ કરશે એમ મનાય છે.

October 8, 2019
r3-1280x853.jpg
2min10920

સુરતીઓ મિની વાવાઝોડાને ખમી શક્યા, રાવણ ખમી શક્યો નહીં

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિજયા દશમીની સમી સાંજે સુરતમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ભારે કરી હતી. અનેક વૃક્ષો વરસાદે પાડી દીધા, અનેક છાપરાં ઉડાડ્યા. લોકો સમજે વિચારે એ પહેલા રહેણાંકોના બારી બારણા અથડાવા માંડ્યા હતા. માહોલ તો એવો રચાયો કે જાણે પૃથ્વીલોકના સૌથી મોટા રાક્ષસને ખરેખર વધ થવાનો હોય. અને હા એવું થયું પણ ખરું. સુરતમાં વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર આજે લિંબાયત વિસ્તારમાં નિલગીરી સર્કલ પર રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વિજયાદશમીની સમી સાંજે સુરતમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ સુરતના લિંબાયતના નિલગીરી વિસ્તારમાં રાવણને આ રીતે ઢાળી દીધો હતો. ઃ તસ્વીર આસિફ એચ. મલેક

રાવણને ફટાકડાથી ભરીને, આતશબાજીઓથી શણગારીને 60 ફૂટ ઉંચાઇ જેટલો તાજોમાજો કરી દેવાયો હતો. દહન પહેલા રાવણની તસ્વીરો પણ સોશ્યલ મિડીયામાં ફરતી કરી દેવામાં આવી હતી. પરંતુ, એ પછી કહાનીમાં ટ્વીસ્ટ આવ્યો. અને સુરતમાં વિજયાદશમીની સમી સાંજે મિની વાવાઝોડું ફૂંકાયું. આ મિની વાવાઝોડાથી લોકો બચવા માટે પ્રયાસો કરી રહ્યા હતા, પણ જબરદસ્ત હાઇટ ધરાવતો રાવણ મિની વાવાઝોડાને ખમી શક્યો નહીં અને જમીનદોસ્ત થઇને પડ્યો હતો.

વિજયાદશમીની સમી સાંજે સુરતમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ રાવણને આ રીતે ઢાળી દીધો હતો. ઃ તસ્વીર આસિફ એચ. મલેક

રામાયણના રામ બનેલા પાત્ર રાવણ પર તીર છોડે એ પહેલા મિની વાવાઝોડાએ રાવણને જમીનદોસ્ત કરી દીધો હતો.

રાવણ દહનનો કાર્યક્રમ લોકો માણી શકે એ માટે કરવામાં આવેલી બેઠક વ્યવસ્થા પણ વેરણ છેરણ ઃ તસ્વીર આસીફ એચ. મલેક

સુરતના પત્રકાર તેજસ મોદીએ મિની વાવાઝોડામાં જમીનદોસ્ત થયેલા રાવણનો જોવા જેવો વિડીયો શેર કર્યો છે

https://www.youtube.com/watch?v=Cv0Pe5IJ28U&feature=youtu.be&fbclid=IwAR1rVp9lCsU9VjmWw3AynX_aFE0vVbY-VKCXQzGIJfJvUheiTd9s9qOdLFs

October 8, 2019
cp4-1280x853.jpg
2min10270

સુરતવાસીઓની રક્ષા કાજે અને કાયદો વ્યવસ્થા જાળવવા સુરત શહેર પોલીસ સુસજ્જ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિજયા દશમીએ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે શસ્ત્રનું પૂજન કરવામાં આવે. પ્રાચિન કાળમાં શસ્ત્રો જ માનવીની રક્ષા કરતા, આજના કાળમાં હવે ઔજારો શસ્ત્રનું કામ કરે છે. હવે એવો ટ્રેન્ડ છે કે અર્થોપાર્જનમાં ઉપયોગમાં લેવાતા ટૂલ્સની પૂજા વિજયા દશમી એટલે કે આજના દશેરના પર્વે થાય છે. તાજેતરમાં જ સુરતના પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળનાર શ્રી આર.બી.બ્રહ્મભટ્ટએ આજે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાને જાળવતા શસ્ત્ર પૂજન કર્યું હતું.

સુરત શહેર પોલીસ કમિશનર હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરી રહેલા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ તસ્વીર સૌજન્ય આસિફ એચ. મલેક

સુરત શહેર પોલીસના ઉપક્રમે યોજાયેલા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ પાસે ઉપલબ્ધ દરેક પ્રકારના શસ્ત્રોને પૂજા સ્થળે ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા. સુરત શહેરના લોકોની રક્ષા માટેના આ શસ્ત્રોનું પૂજન કરી શાસ્ત્રોક્ત વિધીથી કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા કરાવવામાં આવ્યું હતું.

સુરત શહેર પોલીસ કમિશનર હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરી રહેલા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ તસ્વીર સૌજન્ય આસિફ એચ. મલેક

સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટે સુરત પોલીસ બેડા પાસે ઉપલબ્ધ દરેક પ્રકારની પિસ્તોલ, બંદૂક, મશીનગન્સ વગેરે પ્રકારના શસ્ત્રોને તિલક કરીને ફૂલહાર અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સુરત શહેરમાં જુદા જુદા પદો પર ફરજ બજાવી રહેલા પોલીસ ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય પોલીસ જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેર પોલીસ કમિશનર હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરી રહેલા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ તસ્વીર સૌજન્ય આસિફ એચ. મલેક

ચાપલધરા વિભાગ રાજપૂત સમાજે પોતાની પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન કર્યું

સુરતના જાણિતા આઇ સ્પેશ્યાલિસ્ટ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ અન્ય મહાનુભાવોના સાનિધ્યમાં ચાપલધરા વિભાગ રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

દક્ષિણ ગુજરાતના જાણિતા રાજપૂત સમાજ, ચાપલધરા વિભાગ રાજપૂત સમાજના ઉપક્રમે આજરોજ ગુજરાતના જાણિતા આઇ સ્પેશ્યાલિસ્ટ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ અન્ય મહાનુભાવોના સાનિધ્યમાં રાજપૂત સમાજની પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન વિધિ તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં રાજપૂત સમાજ દ્વારા વિજયા દશમી પર્વે થતી શસ્ત્ર પૂજન વિધિનું અનેરુ મહત્વ છે. આ પરંપરા ચાપલધરા વિભાગ રાજપૂત સમાજ હરહંમેશ જાળવીને વિધિ વિધાન અનુસાર શસ્ત્ર પૂજન કરે છે.

શહેરના જાણિતા પત્રકાર નિલકંઠ શાસ્ત્રી વર્ષોથી તેમના શસ્ત્રનું પૂજન કરે છે

સુરત શહેરના સુપ્રસિદ્ધ અખબાર ગુજરાત ગાર્ડિયનમાં ક્રાઇમ રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહેલા સુરતના જાણિતા પત્રકાર શ્રી નિલકંઠ શાસ્ત્રી પોતે લાઇસન્સ વેપન ધરાવે છે. તેઓ પણ વર્ષોથી પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન કરે છે. આજે વિજયા દશમીના પર્વે તેમણે પોતાના લાઇસન્સ વેપન તેમજ જે કલમ (બોલપેન) થી તેઓ ફરજ બજાવે છે તેનું પૂજન કર્યું હતું. નિલકંઠ શાસ્ત્રીએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં દશેરા પર્વે શસ્ત્ર પૂજનની પરંપરા તેઓ જ્યારથી સમજણા થયા ત્યારથી જાળવી રહ્યા છે.

October 7, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12630

ઉકાઇ ડેમમાં કાબિલે તારીફ વોટર મેનેજમેન્ટ, ચોકસાઇપૂર્વક ડેમ 100 ટકા ભરાયો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજરોજ તા.7મી ઓક્ટોબર 2019 ને સોમવાર, નવમું નોરતું જાણે માં અંબાના આશીર્વાદ સૂરતીઓને મળ્યા હોય એ રીતે સુરતની 60 લાખ અને જિલ્લાની 40 લાખ મળીને 1 કરોડથી વધુ વસતિ માટે પાણીનો સૌથી મોટા અને અગત્યના સ્ત્રોત સમા ઉકાઇ ડેમ 100 એ 100 ટકા પાણીથી ભરાઇ ગયો છે.

તા.7મી ઓક્ટોબર સોમવારે સવારે 8 વાગ્યે જ્યારે ઉકાઇ ડેમના સત્તાવાર સૂત્રોએ સવારે 8 વાગ્યે માહિતી રજૂ કરી, જેમાં ડેમમાં ભયજનક સપાટી 345 ફૂટ અને સવારે 8 વાગ્યાની પાણીની સપાટી 345 પૂટ નોંધાઇ હતી. ડેમમાં 12553 ક્યુસેક્સ પાણીનો આવરો હતો અને તેટલી જ જાવક શરૂ કરવામાં આવી છે. સૌથી અગત્યના વાત એ છે કે હવે વરસાદની શક્યતા નહીવત્ છે. ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં જતું ચોમાસું છે અને પાછોતરો વરસાદ પડી રહ્યો છે જેની આવક થઇ રહી છે. ટૂંકમાં યોગ્ય સમયે ઉકાઇ ડેમ 100 ટકા ભરાઇ ગયો છે.

7મી ઓક્ટોબર 2019ની સવારે 8 વાગ્યે ઉકાઇ ડેમ 100 ટકા પાણીથી ભરાઇ ગયો

ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટનું કામ કાબિલે તારીફ

2019નું વર્ષ ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટ માટે હંમેશા માટે યાદ રાખવામાં આવશે. એક તબક્કે ઉકાઇ ડેમમાં 20 દિવસમાં 40 ફૂટ જેટલું પાણી આવી ગયું હતું. ઓગસ્ટ મહિનાના પહેલા જ અઠવાડીયામાં ઉકાઇ ડેમની સપાટી 330 ફૂટ પર પહોંચી ચૂકી હતી. એ પછી ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં સતત પાણી આવી રહ્યું હતું. જો ડેમ સત્તાવાળાઓ, સિંચાઇ વિભાગ કે કલેક્ટરેટના અધિકારીઓ, કર્મચારીઓએ નાની પણ માનવ સહજ ભૂલ કરી હોત તો કદાચ સૂરતને મોટી અસર થઇ હોત.

પણ સતત ફોલોઅપ, સતત વોચ રાખીને ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટ ચીવટાઈપૂર્વક અને ચોકસાઇથી કરવામાં આવ્યું અને તેના કારણે જ સૂરત શહેરમાં આ વખતે ફ્લડ લાઇક સિચુએશન હતી, જે નિવારી શકાઇ છે.

આજે તા.7મી ઓક્ટોબર 2019ના રોજ ઉકાઇ ડેમમાં પાણીનું હાઇએસ્ટ લેવલ સિદ્ધ કરી શકાયું. હવામાન ખાતું કહે છે કે દેશમાંથી લગભગ ચોમાસાએ વિદાય લીધી છે અને બરાબર એ જ સમયે દક્ષિણ ગુજરાતમાં પાણીનો તેમજ ખેતી સિંચાઇનો એકમાત્ર સ્ત્રોત ઉકાઇ ડેમ છલોછલ ભરાઇ જવા પામ્યો છે. આ પરિસ્થિતિએ પહોંચવા માટે છેલ્લા 45 દિવસથી સૂરતના સરકારી તંત્રોએ જડબેસલાક કામગીરી કરી.

October 6, 2019
CIA_Live_Logo_New2.jpg
1min24150

લોકનેતા હકીકતમાં એને કહેવાય કે એની એક હાકલથી લોકો તેમની સાથે ઉમટી પડતા હોય છે. ગુજરાત ભાજપ જ નહીં પણ ગુજરાતના રાજકીય તખ્તે વર્તમાન સમયમાં એવા આંગળીના વેઢે ગણાય તેટલા પણ નેતા નથી કે જેની હાકલ પડી હોય ને 50 માણસ પર ભેગું થાય. લોકોને પરાણે તેડાવા પડે ત્યારે માથા દેખાય. પણ સુરતના લોક નેતા સી.આર. પાટીલની વાત અનોખી છે. કોઇ ગમે તે કહે પણ ભાજપના કેન્દ્રીય હાઇકમાન્ડ પણ એ વાત સ્વીકારે છે કે નવસારીના સાંસદ સી.આર. પાટીલ એક જમીની નેતા છે, સંગઠનના માણસ છે અને તેની હાકલથી લોકો ઉમટી પડે છે. સી.આર. પાટીલએ પોતે જમીની નેતા છે એવું પુરવાર કરવાની ક્યારેય જરૂર પડતી નથી. એવા અનેક દાખલાઓ મળી આવે છે, જેમાં સી.આર. પાટીલની હાકલ પડી હોય અને માનવ કીડીયારું ઉભરાયું હોય. આજે તેમના મત વિસ્તારમાં કાઢવામાં આવેલી ગાંધી સંકલ્પ યાત્રા જ જોઇ લો.

સી.આર. પાટીલના નેતૃત્વમાં નીકળેલી ગાંધી સંકલ્પ યાત્રામાં કીડીયારાની જેમ મેદની ઉમટી પડી

નવસારી સંસદીય મત વિસ્તારમાં આવતા લિંબાયત ખાતે ગાંધી સંકલ્પ પદયાત્રા આજરોજ તા.6 ઓક્ટોબર 2019ના રોજ યોજવામાં આવી હતી. નવસારીના સાંસદ સી.આર. પાટીલએ જ્યાંથી યાત્રા શરૂ કરી ત્યારથી હકડેઠઠ માનવ મેદની ઉમટી હતી અને જ્યારે પૂર્ણ થઇ ત્યારે યાત્રા શરૂ થઇ તેનાથી 20 ગણા વધુ લોકો હતા. રવિવારની રજા, નવરાત્રીનો પર્વ અને દુર્ગાઅષ્ઠમી હોવા જેવા સંયોગ હોય ત્યારે રાજનેતા હોય તો એને ડર લાગે કે પબ્લિક આવશે કે કેમ, પણ લોક નેતાને એની ચિંતા હોતી નથી. આજે ના તો કોઇ ચૂંટણી યાત્રા હતી કે ના તો કોઇ રાજકીય કાર્યક્રમ, સી.આર. પાટીલના નેતૃત્વમાં ગાંધી સંકલ્પ યાત્રામાં હજારોની માનવ મેદની સ્વયંભુ ઉમટી પડી.

રવિવારે આમેય રજાના દિવસો આરામ કરવાનો મૂડ હોય, ગુજરાતી લોકો નવરાત્રીમાં મોડે સુધી ગરબે ઘૂમ્યા હોઇ, રવિવારની રજાના દિવસો આરામ કરવાના મૂડમાં હોય, બીજી તરફ પરપ્રાંતીય પરિવારોમાં આજે દુર્ગાઅષ્ઠમીનો ભારે મહિમા હોય. સી.આર. પાટીલના સમર્થકોમાં આ ત્રણેય વર્ગના લોકો આજે હર્ષોલ્લાસભેર ગાંધી સંકલ્પ યાત્રામાં જોડાયા હતા.

રવિવારની રજા, નવરાત્રી અને દુર્ગાઅષ્ઠમી હોવા છતાં લોકો સ્વયંભુ ઉમટ્યા

સાંસદ શ્રી સી.આર. પાટીલએ જણાવ્યું કે સંકલ્પમાં ખૂબ તાકાત હોય છે. રાષ્ટ્રપિતા ગાંધીજીનાં વિચારો અને સિધ્ધાંતો લોકો સુધી પહોંચાડવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન હેઠળ સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું હતું. આ સંકલ્પ યાત્રા પરવત કોમ્યુનિટી હોલથી શરૂ થઇ રામભરણજીની સ્કૂલ ખાતે પૂર્ણ થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સૌએ સત્ય, અહિંસા અને એકતાની વાત કરી. ભારત માતાની જયનાં પોકારોથી આકાશ ગૂંજી ઉઠ્યું હતું.

આ સંકલ્પયાત્રા અંતર્ગત સ્વચ્છ અને સ્વસ્થ ભારત બનાવવાનો સંકલ્પ પણ લેવાયો હતો.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પુષ્પ અર્પણ કરી એમનાં સિધ્ધાંતો અને વિચારોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. પૂજ્ય મહાત્મા ગાંધીજીને કોટિ કોટિ વંદન.

October 2, 2019
Fake_reveiws_banner-1280x750.png
1min5450

વેસુ વિસ્તારમાંથી ફ્રેન્ડશિપ કરાવી આપવાનાં નામે ગ્રાહકોને છેતરતાં એક કૉલ સેન્ટરનો પર્દાફાશ કરીને પોલીસે કૉલ સેન્ટરમાં કામ કરતાં ૨૦ યુવક યુવતીઓની ધરપકડ કરી હતી.

સુરત પોલીસને ગૌતમ નામના અરજદારેએ ફરિયાદ આપી હતી કે તેમને એક નંબર પરથી દોસ્તી કરાવી આપવાનો મૅસેજ આવ્યો હતો. કૉલ સેન્ટર દ્વારા તેમની પાસેથી પાંચ લાંખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા આ ફરિયાદના આધારે વેસુના એક બિલ્ડિંગમાં દરોડો પાડી કૉલ સેન્ટરને નિશાનમાં લેવાયું હતું.

કૉલ સેન્ટરમાંથી ૧૨ જેટલા કમ્પ્યૂટર, ૧૭ મોબાઇલ અને કાર્ડ પકડવામાં આવ્યા છે. આ કૉલ સેન્ટર અજાણ્યા નંબર પરથી મૅસેજ કરી યુવક અથવા યુવતી સાથે ફ્રેન્ડશિપ કરવાની વાત કરવાની લાલચ આપતું હતું. ત્યારબાદ ભોગ બનનારની રસના વિષયોની વાતો કરી અને તેમની સાથે મેમ્બરશિપ અને ચાર્જીસના નામે પૈસા ખંખેરી લેવામાં આવતા હતા.

આ કૉલ સેન્ટર પરના દરોડામાંથી અમરેલી જિલ્લાના કેલ્વિન અને ભાવેશ કાકડિયાને મુખ્ય આરોપી તરીકે ઝડપી પાડવામાં આવ્યા છે. આ કૉલ સેન્ટરે ફેબ્રુઆરીથી શરૂ કર્યું હતું. સેન્ટરે ૧૮ જેટલા યુવક યુવતીને પગાર પર રાખ્યા હતા. તેમને કૉલ સેન્ટરમાં બેસાડી તાલીમ આપી તેમને વાતચીત કરવાનું કામ આપવામાં આવ્યું હતું.

September 30, 2019
marriottt.jpg
2min17690

ध मेरीयोट इंटरनेशनल ब्रांड की प्रोपर्टी लिस्ट में अब से सूरत की दो होटेल दिखाइ देगी

जयेश ब्रह्मभट्ट 98253 44944

सुरत में मेरीयोट इन्टरनेशनल के कोटयार्ड मेरीयोट होटेल लोंचिंग के दो साल बाद मेरीयोट इन्टरनेशनल और ऑरो होटेल्सने मेरीयोट कि सूरत में दूसरी सिग्नेचर होटेल, धी सुरत मेरीयोट होटेल को लॉंच कीया है. ताज ग्रुप के साथ ऑरो होटेल्स का 30 सप्टम्बर 2019 तक का कोन्ट्रेक्ट था अब कल से यानी दि. 1 अक्टुबर 2019 से ताज गेट वे की जगह पे सुरत मेरीयेट होटेल कार्यान्वित हो जाएगा.

सुरत मेरीयोट होटेल के ग्रांड लॉचिंग पूर्व आयोजित प्रेस कान्फरेन्स का द्रश्य

सुरत में मेरीयोट की दूसरी होटेल के लॉंचिग पर आयोजित की गई प्रेस कान्फरन्स में डी.जे. रामा ने जानकारी दे ते हुए कहा की सुरत से हमारे परिवार की बहूत मीठीं यादें जुडी हूई है, सुरत की मिट्टी से जो लगाव है वो हमें यहां जूडे रखने का इंजन देती है.

सुरत मेरीयोट होटेल को लोंच करने के पूर्व इन्फ्रास्ट्रक्चर से लेकर फूड एन्ड फेसेलिटीझ सब में नवीनीकरण किया गया है और इसके चलते सुरत के लोगो को और सुरत आने वाले लोगो को इन्टरनेशनल स्टेन्डर्ड की सर्विस और एक्सपिरीयन्स उपलब्ध करवा सकेंगे.

डाईनिंग की बडी रेन्ज उपलब्ध होगी धी सुरत मेरीयोट होटेल मे

सुरत के लोग खाने के शोखीन है और इसको मद्दे नजर रखते हुए धी सुरत मेरीयोट होटेल में डाईनिंग की बहुत बडी रेन्ज उपलब्ध कराई गई है. यहां तक की सुरत के आसपास के गांवो की जानी मानी रेसीपीझ के लिए नानीमाज के नाम से एक स्पेशयल फूड कोर्ट भी शुरु किया जा रहा है. यहां तक की सुरत के लारी कल्चर, यानी सूरत शहर के लोग रात को 12 बजे के बाद भी खाने पीने की चीजो के लिए नीकलते है, उसको ध्यान में रखते हूए धी सुरत मेरीयोट होटेलमां खास लारी स्पेश भी कुछ दिनो में शरू करने कि योजना है.

दि. 1 अक्टुबर 2019 से सूरत की यह प्रोपर्टी धी सुरत मेरीयोट होटेल से जानी जाएगी
  • टेबल 101-ए , धी सुरत मेरियोट होटेल में इस नाम से जानी जाने वाली स्पेश में पूरा दिन इन्डियन, एशियन, वेस्टर्न कुजिन के वेरायटी उपलब्ध होगी
  • सुरत बेकींग कंपनी, धी सूरत मेरियोट होटेल में सुरत बेकिंग कंपनी ब्रेडस, मफिन्स, सेन्डविचीझ, पेस्ट्रीज, बेवरेजीस की तरोताजा रेन्ज उपलब्ध होगी
  • विन्टेज एशिया, धी सूरत मेरीयोट होटेल में विन्टेज एशिया नामक स्पेश में माडर्न एवं सिग्नेचर लजीज वेराइटी पेश कि जाएगी. तदपश्चात इसी स्पेश में जापानीज ट्रेडिशनल टेप्पान्याकी स्टाइल वेराइटी भी उपलब्ध होगी
  • ध एम क्लब, यह स्पेश में महेमानो को रेस्ट एन्ड प्लेझर मिलेगा
  • एम वेलनेस, मेरीयोट बोनवाइ इलाइट मेम्बर्स के फीटनेस, स्पा, स्टीम, सॉना बाथ इत्यादि सुविधाए परोसी जाएगी.
  • 3000 पेक्स के लिए बेंकवेट फेसेलिटीझ और पूरी तरह से रिडिझाइन इन्टिरीयर के साथ रूमो की विशाल श्रेणी महेमानो की सेवा में उपलब्ध कराइ जाएगी.

58 प्रतिशत का ऑक्युपेन्सी रेट 75 प्रतिशत तक बढेगा

सुरत मेरीयोट होटेल के अमित महेता ने जानकारी देते हूए कहा की फिलहाल इस प्रोपर्टी में ऑक्युपेन्सी रेट 58 प्रतिशत है, सुरत मेरीयोट होटेल में यह बढा के 75 प्रतिशत तक ले जाए इतना पोटेन्शियल है और नवीनीकरण में इस तरह से काम किया गया है. गेस्ट को हमारा इन्फ्रास्ट्रक्चर, फैसेलिटीझ, फूड और सर्विस इन सब में एक नवीनतम अनुभूति होगी.

अमीत महेताने यह भी कहा की पहेले के मुकाबले धी सुरत मेरीयोट होटेल में रुम टेरीफ में 18 से 25 प्रतिशत तक बढौतरी भी कि गई है.

ऑरो युनिवर्सिटी के छात्रो को मेरीयोट ब्रान्ड का एक्सपोजर मिलेगा

सुरत में मेरीयोट इन्टरनेशनल ब्रांड की दूसरी होटेल के आने के बाद ऑरो युनिवर्सिटी के छात्रो को शिक्षा के साथ एक्सपिरीयन्स और एक्सपोजर के लिए मेरीयोट इन्टरनेशनल जैसी बहूत बडी ब्रान्ड का नेटवर्क मिलेगा. स्वाभाविक है की मेरीयोट ब्रांड कि होटेल्स का वर्क एक्सपिरीयन्स छात्रो की प्रोफेशनल करीयर में बहूत अहम फेक्टर बनेगा.

सुरत मेरीयोट होटेल के ग्रान्ड लॉंचिंग के पूर्व आयोजित प्रेस कान्फरेन्स में श्री सुरेशजी माथूर, श्री अमित महेता, श्री डी.जे. रामा, श्री हेमंतजी, श्री नयन बेंकर और अन्य डिग्नेटरीज उपस्थित रहे थे.

सुरत मेरीयोट कि आफिश्यल प्रेस रिलीज

मेरियोट इन्टरनेशनल ने सूरत में सिग्नेचर ब्रान्ड सूरत मेरियोट होटेल का शुभारंभ किया सूरत। मेरियोट इन्टरनेशनल और ओरो होटल्स ने अपनी सिग्नेचर ब्राण्ड मेरियोट होटल्स और रिसोट्र्स ब्रान्ड की सूरत में अपनी दूसरी होटल सूरत मेरियोट होटल के शुभारंभ की घोषणा की है।

यह प्रोपर्टी सूरत एयरपोर्ट से केवल 15 मिनट के फासले पर है और सिटी सेन्टर से केवल 20 मिनट दूर है। प्रीमियम, फूल सर्विस होटल के तौरपर बनायी गई इस सूरत मेरियोट होटल में समकालीन शैली और आरामदायक अद्भूत मिश्रण है। होटल में इनोवेटिव और विचारपूर्वक तैयार किए 209 गेस्टरूम है जिसमें से शहर और तापी नदी के अद्भूत दृश्य देख सकते है। जो अत्याधुनिक सुविधा और सेवाओं से सुसज्ज है होटल के रूम डिजाइन और सुशोभन को एक उत्कृष्ट स्टैण्डर्ड दिया है, जो वास्तविक तौरपर आरामदायक और स्टाइल को प्रतिबिंबित करता है।

इस लॉन्चिंग के अवसर पर मेरियोट इन्टरनेशनल के साउथ एशिया के सीनियर एरिया वाइस प्रेसिडेन्ट श्रीमान निरज गोविल ने बताया कि भारत के सबसे विकसित शहरों में से एक सूरत ने उंच क्षमता वाला बाजार है। यहां हाल के दिनों में बिजनेस ट्रावेल की ट्रैफिक देखने को मिलती है। इस बिजनेस में अग्रसर रहे GJHM इन्टरनेशनल की भागीदारी में हम हमारी ब्रान्ड को इस शहर की हमारी दूसरी होटल के तौरपर शुरूआत करने के पिए अत्यंत उत्साही है।

सुरत की मेरीयोट होटेल में स्थानिय फूड वेराइटी के लिए खास प्रावधान, लारी कल्चर भी उपलब्ध

सूरत मेरियोट होटल का उद्घाटन हमारे भारत के पोर्टफोलिया में 119 वां स्थान है। हमारे प्रयास हमारे सेवाओं के साथ आतिथ्य के आंतरराष्ट्रीय नीति को लाने पर ध्यान केन्द्रित करते है। यह होटल डाइनिंग रेन्ज का ऑप्शन देता है, टेबल 101 पूरे दिन के लिए खुला रहेगा। इसमें भारतीय, पूर्व, पच्छिम का चयन के व्यंजनों का उत्कृष्ट बुफे होगा। इसमें पसंद के लिए कई विकल्प होंगे।

सूरत बैंकिंग कंपनी (SBC) सभी बेक की गयी ताजी व्यंजन मुहैया करवाता है इसमें ब्रेड/ मफिन्स/सेन्डविच और पेस्ट्रीज का लुफ्त उठा सकते है। इसके अलावा इसमें समृद्ध कॉफी और चाय में से पसंद करने का विकल्प भी शामिल किया गया है। एक शांत बिजनेस मीटिंग या आपकी पसंदीदा पुस्तक को पढऩे के लिए एक आदर्श स्थल है। विन्टेज एशिया-मोर्डन और सिग्नेचर व्यंजनों के साथ, आपके टेबल पर एशिया के सभी श्रेष्ठ व्यंजन पेश करता है, परंपरागत और टेप्पान्याकी स्टाइल का आनंद उठा सकेंगे।

द एम-क्लब, मेरियोट बोनवोई इलाइट मेम्बर्स को विशेष केटरिंग और बिज़नस सेण्टर की सुविधा उपलब्ध करता है। फिटनेस का विभाग शामिल करने के लिए हमारे पास एम-वेलनेस है। इसमें एक स्पा है, जो सभी साधनों से सुसज्ज, स्टेट ऑफ़ धी आर्ट फिटनेस सेन्टर और लक्जुरियस और ओपन एयर स्विमिंग पुल शामिल है।

सूरत के नक्शे पर 3,000 गेस्ट समा सके ऐसे विशाल बैंकविट होल की सुविधा के साथ अतिथियों नदी किनारे के परिदृश्य की सुंदरता और कार्यक्रम की जगह का लाभ ले सकेंगे। यहाँ बड़ी जगह के साथ कुदरती प्रकाश और फेक्सिबल डेकोर ऑप्शन्स मिलेगा। इस मल्टी पर्पज वेन्यू ने इस होटल को शहर में पहले कभी नहीं देखने को मिला विशाल कॉन्वेकेशन, सामाजिक और शादी समारोह का स्थान के लिए श्रेष्ठत्तम स्थल बना दिया है ।

ओरो होटल्स के चेयरमेन श्रीमान एच.पी.रामा ने कहा कि हाल में कोर्टयार्ड मेरियोर्ट होटल की शुरूआत करने के बाद सूरत मेरियोट होटल का उद्घाटन रोमांचक है । गुजरात में ओरो होटल्स की दूसरी होटल है। ओरो होटल ने सूरत में ओरो यूनिवर्सिटी की स्थापना की है जहां स्कूल ऑफ हॉस्पिटालिटी मैनेजमेन्ट के मजबूत पाठ्यक्रम प्रदान किया जाता है, हॉस्पिटालिटी इन्डस्ट्रीज के लिए उंचे लक्ष्यांक वाले एक नई पेढ़ी तैयार करता है। सूरत के समुदाय का एक हिस्सा बनने पर खुशी अनुभव कर रहे है और दक्षिण गुजरात के शैक्षणिक और हॉस्पिटालिटी की जरूरत मुहैया करने में खुशी हो रही है।

September 30, 2019
s1-1280x960.jpg
1min12030

સુરતમાં હડતાળ પાડનાર શાળા સંચાલકો સામે કડક પગલાં ભરવા આદેશો જારી

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલમાં ઘૂસીને અસામાજિકોનો કહેવાતો સાથ મેળવીને શિક્ષકને બેરહેમીપૂર્વક માર મારવાની ઘટનામાં સંડોવાયેલા લોકોને પકડવામાં વિલંબ થતાં નારાજ થયેલા સુરતના શાળા સંચાલકોએ 1200 જેટલી સ્કૂલ સમેતની શૈક્ષણિક સંસ્થાઓમાં સજ્જડ હડતાળ પાડી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાજ્યગુરુએ રજૂઆત કરવા ગયેલ સંચાલકોને જણાવ્યું કે આશાદીપ સ્કુલમાં શિક્ષક પર હુમલા પ્રકરણમાં સંડોવાયેલા 10 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમાની લાગણી છે કે સંચાલકોએ હવે અડધા દિવસની હડતાળ પણ સમેટીને સમાજમાં એક સારો મેસેજ જાય એ માટે હડતાળ સંકેલી લેવાની જાહેરાત કરવી જોઇએ.

શિક્ષણાધિકારી શ્રી રાજ્યુગુરને શાળા સંચાલકોએ આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી

શિક્ષણાધિકારી મારફતે મળેલી રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહની લાગણી સંદર્ભે સુરતના શાળા સંચાલકોએ તેમની વાત માનવાનો ઇન્કાર કરીને હડતાળ પૂરેપૂરી રીતે જારી રાખી હતી. શિક્ષકો, સંચાલકો પર થઇ રહેલા હુમલાની સાથે સરકાર દ્વારા અને સરકારે રચેલી ફી નિર્ધારણ કમિટી દ્વારા કરવામાં આવેલી બિનજરૂરી કનડગત અંગે શાળા સંચાલકોના પ્રતિનિધિ મંડળે આજે શિક્ષણાધિકારીને અનેક ખરીખોટી સંભળાવી હતી.

પણ આજે અડધા દિવસની હડતાળ સમેટીને શિક્ષણકાર્ય ફરીથી શરૂ કરવાની શિક્ષણમંત્રીની ઓફર બિલકુલ ફગાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

હડતાળ પાડનાર સંચાલકો સામે પગલાં ભરવા કડક સૂચના

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની સુરતના શાળા સંચાલકોને હડતાળ નહીં પાડવાની અપીલ ઠુકરાવ્યા બાદ આજે સુરતની પ્રાઇવેટ સ્કુલોના સંચાલકોએ જબરદસ્ત ઐક્ય દેખાડીને શાળાઓ તેમજ અન્ય સંસ્થાઓ બંધ રાખી હતી. બાદમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુરતના જિલ્લા શિક્ષણાધિકારીની સાથે વાતચીત કરીને કહ્યું હતું કે શાળા સંચાલકોની માગણી હતી કે શિક્ષક પર હુમલામાં સંડોવાયેલા લોકો સામે પગલાં ભરવાની માગણી પૂરી થઇ છે. દસ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

સુરત કલેક્ટર કચેરી સંકુલ ખાતે આજે આવેદનપત્ર આપવા આવેલા સંચાલકો

મુખ્યમાગણી સંતોષાઇ ચૂકી હોઇ, સુરતની પ્રાઇવેટ સ્કુલોના સંચાલકોએ હડતાળ સમેટી લેવી જોઇએ, જેથી લોકોમાં એક સદભાવનાભર્યો મેસેજ જઇ શકે. શિક્ષણાધિકારી શ્રીરાજ્યગુરુએ શાળા સંચાલકોના પ્રતિનિધિઓને આ બાબતથી માહિતીગાર કર્યા હતા પરંતુ, શાળા સંચાલકો અધવચ્ચેથી હડતાળ સમેટવા બિલકુલ રાજી થયા ન હતા. પરીણામે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હડતાળ પાડનાર શાળા સંચાલકો તેમજ હડતાળમાં જોડાનાર શાળા સંચાલકો સામે કડક હાથે કામ લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને આગામી સમયમાં શાળા સંચાલકોને પણ સાણસામાં લેવામાં આવે તેવા એંધાણ મળી રહ્યા છે.

September 29, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9740

હુમલો એક શિક્ષક પર નહીં સમગ્ર શિક્ષણ આલમ પર, હવે એ સાંખી નહીં લેવાય

સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ સ્કુલના એક શિક્ષક પર શાળામાં ઘૂસીને કરવામાં આવેલા હિચકારા હુમલાની વિરુદ્ધમાં સુરતનું સમગ્ર શિક્ષણ જગત સોમવાર તા.30મી સપ્ટેમ્બર 2019ના રોજ અભૂતપૂર્વ રીતે જડબેસલાક બંધ પાળશે. અગાઉ ક્યારેય એવું બન્યું નથી કે કોઇ શિક્ષક પર થયેલા હુમલાના વિરોધમાં પ્રાઇવેટ સ્કુલો, ટ્યુશન ક્લાસીસો, બાળમંદિરો બંધ રહ્યા હોય. સોમવાર, તા.30મી સપ્ટેમ્બર 2019ના રોજ આ ઘટના બનવાની છે.

કઇ સ્કુલો બંધ અને કઇ સ્કુલો ચાલુ રહેશે

  • તમામ પ્રાઇવેટ પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી સ્કુલો બંધ પાળશે
  • તમામ પ્રાઇવેટ બાળમંદિરો બંધ પાળશે
  • સુરત શહેરના તમામ કોચિંગ ક્લાસીસો બંધ પાળશે
  • સુરત શહેર જિલ્લાની તમામ સેન્ટ્રલ બોર્ડની સ્કુલો બંધમાં જોડાશે
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલોમાં શિક્ષણ કાર્ય ચાલશે
  • ગ્રાન્ટેડ અને સરકારી સ્કુલોમાં શિક્ષણ કાર્ય ચાલુ રહેશે.
  • જુદા જુદા શૈક્ષણિક સંઘોએ પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નિર્ણયને ટેકો જાહેર કર્યો છે.

પ્રાઇવેટ સ્કુલો, કોચિંગ ક્લાસીસો સમેત આગેવાનોની મળેલી બેઠકમાં શિક્ષકો પર થઇ રહેલા હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો. હુમલો એક શિક્ષક પર નહીં સમગ્ર શિક્ષણ જગત પર છે. શિક્ષકો, આચાર્યો, સંચાલકો કે અન્ય કોઇ કર્મચારીઓ પર થતાં હુમલાને હવે સાંખી નહીં લેવાય. આ વખતે સમગ્ર શિક્ષણ જગત જબરદસ્ત ઐક્ય દેખાડી રહ્યું છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આશાદીપ વિદ્યાલયના શિક્ષક પર શાળામાં ઘૂસીને કરવામાં આવેલા હિંસક હુમલાના વિરોધમાં આપવામાં આવેલા બંધના એલાનમાં સુરત એકેડેમિક એસોસીએશ એટલે કે સુરત શહેરના તમામ કોચિંગ ક્લાસીસો પણ જોડાઇ રહ્યા છે. એવી જ રીતે પ્રાઇવેટ બાળમંદિરો પણ જોડાઇ રહ્યા છે. સુરત શહેર જિલ્લામાં આવેલી સેન્ટ્રલ બોર્ડની સ્કુલો પણ સોમવારના બંધમાં જોડાશે.

સુરતના જિલ્લા શિક્ષણાધિકારી શ્રીરાજ્યગુરુએ સોમવાર તા.30મી સપ્ટેમ્બરના રોજ સ્કુલોમાં શિક્ષણ કાર્ય યથાવત રાખવાની સૂચના આપી છે, અને હડતાળ પાડનાર સંસ્થા સામે પગલાં ભરવાની ચેતવણી આપી છે, આમ છતાં સુરત શહેરનું શિક્ષણ જગત સોમવારે બંધ પાળશે એમાં બે મત નથી.

11 કલાકે સંચાલકોને પોલીસ કમિશનર કચેરીએ ઉપસ્થિત રહેવા આહવાન

સુરત શહેરના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે તા.30મી સપ્ટેમ્બરને સોમવારે સવારે 11.45 કલાકે તમામ શાળા સંચાલકોને પોલીસ કમિશનર કચેરી, અઠવાલાઇન્સ ખાતે ઉપસ્થિત રહેવા આહવાન કર્યું છે. શિક્ષકો પર થઇ રહેલા હુમલાનો વખોડી કાઢીને જવાબદારો સામે પગલાં ભરવા તેમજ ભવિષ્યમાં આવી હરકતો ન થાય તે માટે વ્યવસ્થાતંત્ર વિકસાવવામાં આવે એ સંદર્ભે પોલીસ કમિશનર, કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવશે.