CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 4 of 73 - CIA Live

December 18, 2024
Cia_business_news-1280x936.jpg
2min267

ADVT on 22nd December

ADVT 19 December 2024

Reported on 18 December 2024

આગામી તા. ર૦, ર૧ અને રર ડિસેમ્બર, ર૦ર૪ દરમ્યાન સવારે ૧૧:૦૦થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એકઝીબીશન– ર૦ર૪’નું આયોજન

હાલમાં એક તરફ મંદીનો માહોલ છે, બીજી તરફ સોનાના ભાવ રૂ.80 હજાર પ્રતિ તોલાની વિક્રમી સપાટીએ છે, હીરા ઉદ્યોગમાં ઘરાકીનો અભાવ છે, આવી તમામ પ્રતિકૂળતા વચ્ચે આગામી તા.20 ડિસેમ્બરથી શહેરના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડીયમ ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજવામાં આવેલા ઝવેરાત એક્ષ્પો સ્પાર્કલ સમગ્ર ઝવેરાત ઉદ્યોગમાં ઘરાકી ખેંચી લાવશે એમ ચેમ્બર પ્રેસિડેન્ટ વિજય મેવાવાલાએ આજે જણાવ્યું હતું.

સ્પાર્કલ અંગે વધુ વિગતો આપતા ચેમ્બર પ્રેસિડેન્ટ વિજય મેવાવાલા, વીપી નિખિલ મદ્રાસી, સેક્રેટરી નિરવ માંડલેવાલા, રમેશ વઘાસીયા, મૃણાલ શુક્લ, બિજલ જરીવાલા અને સ્નેહલ પચ્ચીગરે જણાવ્યું હતું કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે જ સ્પાર્કલ એકઝીબીશનમાં સુરત ઉપરાંત મુંબઇ, જયપુર, બિકાનેગર અને નાગપુરના ૩૦થી વધુ જ્વેલર્સ દ્વારા એક્ઝિબિટર્સ તરીકે ભાગ લઇ રહ્યા છે. આ તમામ જ્વેલર્સ દ્વારા અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. 

આ પ્રદર્શનમાં NRI તથા શહેરીજનોને લગ્નસરા માટે ખાસ કલેકશન જોવા મળશે. મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે, લગ્નસરા ચાલી રહયા છે ત્યારે શહેરીજનો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.

શુક્રવાર, તા. ર૦ ડિસેમ્બર, ર૦ર૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય, ઇન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે સ્પાર્કલ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાશે. આ સમારોહના ઉદ્‌ઘાટક તરીકે લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલ ઉપસ્થિત રહેશે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આગામી તા. ર૦, ર૧ અને રર ડિસેમ્બર, ર૦ર૪ દરમ્યાન સવારે ૧૧:૦૦થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એકઝીબીશન– ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ચેમ્બરના સ્પાર્કલ એકઝીબીશનનું ઉદ્‌ઘાટન લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલના હસ્તે કરવામાં આવશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે જ સ્પાર્કલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત ઉપરાંત મુંબઇ, જયપુર, બિકાનેગર અને નાગપુરના ૩૦થી વધુ જ્વેલર્સ દ્વારા ભાગ લેવામાં આવશે. આ તમામ જ્વેલર્સ દ્વારા અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી આખી દુનિયાને આવતો હોય છે.

B2C ધોરણે એકઝીબીશનનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે, સ્પાર્કલ પ્રદર્શનમાં કસ્ટમરને એન્ડ ટુ એન્ડ પ્રોડકટ જોવા મળે છે. સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં NRI તથા શહેરીજનોને લગ્નસરા માટે ખાસ કલેકશન જોવા મળશે. મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. વેડિંગમાં આઉટફિટ સાથે જ્વેલરી સિલેકશન માટે મહિલાઓ ઘણું રિસર્ચ કરે છે, આથી મહિલાઓનું આ રિસર્ચ સ્પાર્કલ પ્રદર્શનમાં એક જ સ્થળે પૂરું થઇ જશે. કારણ કે, જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે, લગ્નસરા ચાલી રહયા છે ત્યારે શહેરીજનો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. ર૦ ડિસેમ્બર, ર૦ર૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય, ઇન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે સ્પાર્કલ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાશે. આ સમારોહના ઉદ્‌ઘાટક તરીકે લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ હસ્તે સ્પાર્કલ એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. સમારોહમાં સુરતના માનનીય સાંસદ શ્રી મુકેશભાઇ દલાલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. જ્યારે શ્રીમતી ગંગાબેન સી. પાટીલ અતિથિ વિશેષ તરીકેનું સ્થાન શોભાવશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, આ વર્ષે ચેમ્બર દ્વારા શહેરના તમામ મહિલા સંગઠનોમાં રૂબરૂ જઇને સ્પાર્કલ એકઝીબીશનની મુલાકાત માટે તેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નવ યુગલો કે જેઓ થોડા દિવસોમાં લગ્નના તાંતણે બંધાનાર છે તેઓ તથા તેમના પરિવારજનોને સ્પાર્કલની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી તેઓને એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરીનું કલેકશન મળી રહેશે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસીય સ્પાર્કલ એકઝીબીશનની મુલાકાત લેનારા વિઝીટર્સ માટે દર કલાકે લકી ડ્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં વિજેતાઓને ચાંદીના સિકકા આપવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલ એકઝીબીશન દરમ્યાન પ્રથમ વખત લકી ડ્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં એકઝીબીશન દરમ્યાન સવારે ૧૧ઃ૦૦થી રાત્રે ૮ઃ૦૦ કલાક દરમ્યાન દર કલાકે લકી ડ્રો યોજાશે.

સ્પાર્કલ એકઝીબીશનમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ૩.૭પ કિલો પ્યોર ચાંદીમાંથી બનાવવામાં આવેલી પ્રતિમા પ્રદર્શન માટે મૂકવામાં આવશે. શહેરના એક જ્વેલર્સ દ્વારા વડાપ્રધાનશ્રીની ચાંદીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આઠ જેટલા કારીગરોએ ત્રણ મહિનાની મહેનત બાદ આ અનોખી પ્રતિકૃતિ બનાવી છે, જે પણ સ્પાર્કલ એકઝીબીશનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

સ્પાર્કલ એકઝીબીશનના ચેરમેન શ્રી તુષાર ચોકસી અને કો–ચેરમેન શ્રી સ્નેહલ પચ્ચીગરે જણાવ્યું હતું કે, નવા ટ્રેન્ડમાં ચાલી રહેલી તમામ પ્રકારની જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. ખાસ કરીને પોલ્કી કોમ્બીનેશન સાથેની જ્વેલરી, હેરીટેજ અને એન્ટીક જ્વેલરી, મીના કારીગરીવાળી જ્વેલરી, નવા પ્રકારની એલીફન્ટ અને પીકોક સાથેની જ્વેલરી સ્પાર્કલમાં પ્રદર્શિત કરવામાં આવશે.

NRI તથા મહિલાઓ દ્વારા ગોલ્ડમાં પોલ્કી–હેરિટેજ જ્વેલરી અને ડાયમંડમાં એમ્રાલ્ડ–પર્લનું ફયુઝન બ્રાઇડલ જ્વેલરીને વધારે પસંદ કરે છે. આ બધી જ જ્વેલરીનું પ્રદર્શન સ્પાર્કલ એકઝીબીશનમાં કરવામાં આવશે. પોલ્કી–હેરિટેજ જ્વેલરી લોન્ગ લાસ્ટીંગ હોવાથી મહિલાઓ તેની ખરીદી વધારે કરે છે. આ પ્રદર્શનમાં ગ્રાહકોને વિશિષ્ટ શ્રેણીઓની જુદી–જુદી જ્વેલરી જોવા મળશે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરવામાં આવી છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે. લગ્નના આનુસાંગિક પ્રસંગો જેવા કે હલ્દી, મહેંદી, સંગિત અને રિસેપ્શનને અનુરૂપ જ્વેલરીની વિશાળ શ્રેણી આ એકઝીબીશનનું વિશેષ આકર્ષણ રહેશે.

December 10, 2024
fire.png
1min140

સુરતના ડીંડોલી સાંઈ શક્તિ સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં પરાક્રમ : એક યુવાનને ગોળી પ્રાઈવેટ
પાર્ટ નજીકથી જાંઘની આરપાર નીકળી ગઈ : પોલીસે વોર્ડ કોષાધ્યક્ષ અને ડેનીશ કેક શોપના માલિક ઉમેશ તિવારીની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો

શરૂઆતમાં ઈજાગ્રસ્તે રિવોલ્વર સરખી કરતી વખતે ફાયરિંગ થયાની કેફિયત રજૂ કરતા પોલીસે પૂરતી તપાસ કર્યા વિના ગુનો નોંધ્યો : સીસીટીવી ફૂટેજ વાયરલ થતા વિવિધ કલમનો ઉમેરો કરવો પડયો

  • સુરતના ડીંડોલી સાંઈ શક્તિ સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં પરાક્રમ : એક યુવાનને ગોળી પ્રાઈવેટ પાર્ટ નજીકથી જાંઘની આરપાર નીકળી ગઈ : પોલીસે વોર્ડ કોષાધ્યક્ષ અને ડેનીશ કેક શોપના માલિક ઉમેશ તિવારીની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો
  • શરૂઆતમાં ઈજાગ્રસ્તે રિવોલ્વર સરખી કરતી વખતે ફાયરિંગ થયાની કેફિયત રજૂ કરતા પોલીસે પૂરતી તપાસ કર્યા વિના ગુનો નોંધ્યો : સીસીટીવી ફૂટેજ વાયરલ થતા વિવિધ કલમનો ઉમેરો કરવો પડયો

સુરતના ડીંડોલી સુમુખ સર્કલ પાસે આવેલ સાંઈ શક્તિ સોસાયટીમાં ગત રાત્રે મિત્રની બહેનના લગ્ન પ્રસંગે ડી.જે.પાર્ટીમાં ભાજપના વોર્ડ કોષાધ્યક્ષ અને કેક શોપના માલિકે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતા તે પૈકીની બે ગોળી ત્યાં હાજર બે યુવાનને વાગતા બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તે પૈકી એક યુવાનને ગોળી જાંઘની આરપાર નીકળી ગઈ હતી.શરૂઆતમાં ઈજાગ્રસ્તે રિવોલ્વર સરખી કરતી વખતે ફાયરિંગ થયાની કેફિયત રજૂ કરતા પોલીસે પૂરતી તપાસ કર્યા વિના ગુનો નોંધ્યો હતો.જોકે, ત્યાર બાદ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા વિવિધ કલમનો ઉમેરો કરી ડેનીશ કેક શોપના માલિક ઉમેશ તિવારીની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો હતો.

મૂળ મધ્યપ્રદેશના ભીંડનો વતની અને સુરતના ડીંડોલી સુમુખ સર્કલ પાસે સાંઈ શક્તિ સોસાયટી ઘર નં.118 માં રહેતો તેમજ પાણીપુરી વેચતો 27 વર્ષીય સંતોષ હોમસિંગ બધેલ ગતરાત્રે 11.15 કલાકે સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈની બહેનના લગ્ન પ્રસંગે ડી.જે.પાર્ટીમાં હાજર હતો ત્યારે ત્યાં આવેલા પ્રવિણભાઈના મિત્ર ડેનીશ કેકના માલિક અને ભાજપના વોર્ડ નં.27 ના કોષાધ્યક્ષ ઉમેશ તિવારીએ તેની પાસેની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી પહેલા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.ત્યાર બાદ ત્યાં હાજર લોકોએ તેને અટકાવતા તેણે રિવોલ્વર મૂકતી વેળા જમીન ઉપર વધુ બે રાઉન્ડ ફાયરિંગ કરતા ગોળી ઉછળીને સંતોષના ડાબા પગની જાંઘની આરપાર નીકળી ગઈ હતી.જયારે બીજી ગોળી ત્યાં હાજર સંતોષના મિત્ર અને કાપડ વેપારી વીરેન્દ્ર વિશ્વકર્માને ડાબા પગમાં વાગી હતી.ગોળી વાગતા બંને ફસડાઈ પડયા હતા.

બંને યુવાનોને સારવાર માટે પરવત પાટીયાની ખાનગી સર્જીકલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.બનાવની જાણ થતા ડીંડોલી પોલીસે સંતોષની ફરિયાદ નોંધતા તેણે ઉમેશ તિવારી રિવોલ્વર સરખી કરતો હતો ત્યારે ફાયરિંગ થયાની કેફિયત રજૂ કરતા પોલીસે તે મુજબ પૂરતી તપાસ કર્યા વિના ગુનો નોંધી દીધો હતો.જોકે, બાદમાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા અને તેમાં ઉમેશે ત્રણ રાઉન્ડ ફાયરિંગ હવામાં કર્યા બાદ કરેલા બીજા બે રાઉન્ડ ફાયરિંગમાં બંને યુવાનોને ઈજા થઈ હોવાનું બહાર આવતા પોલીસે આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમનો ઉમેરો કરી ઉમેશ તિવારીની ધરપકડ કરી હતી.ત્યાર બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી તેને હોસ્પિટલ લઈ જઈ ડીંડોલી પોલીસે તેનો વરઘોડો કાઢ્યો હતો.હાલ ઈજાગ્રસ્ત બંને યુવાનોની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

યુ.પી. સ્ટાઈલમાં લગ્નપ્રસંગમાં ફાયરિંગ કરનાર ઉમેશ તિવારી સુરત ભાજપના મોટા ગજાના રાજકારણીઓ અને સુરત પોલીસમાં ફરજ બજાવતા અને અગાઉ બજાવી ગયેલા ઘણા પોલીસ અધિકારીઓનો માનીતો છે.એક સમયે સામાન્ય કેક શોપ ધરાવતો ઉમેશ તિવારી તેના સંપર્કોને લીધે હવે ડીંડોલી, ઉધના વિસ્તારમાં મોટું નામ ગણાય છે.તે જમીન દલાલીનું પણ કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

ઉમેશે તેની પાસેની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું તે લાયસન્સ વર્ષ 2020 માં લીધું હતું.ગતરાતના બનાવને પગલે પોલીસ આગામી દિવસોમાં તેનું લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરશે તેવું ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું.

November 26, 2024
aix-1280x690.png
1min1046

20 ડિસેમ્બર 2024 થી એર ઇન્ડિયા એક્સપ્રેસ સુરત – બેંગકોક – સુરતની વિકમાં 4 દિવસની ફ્લાઇટ શરૂ થશે. વનવે ટિકિટનો દર 13,000 રૂપિયા ,25,000 માં રિટર્ન ટીકીટ

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે એક ગુડ ન્યુઝ આજે મોડી રાત્રે વાઇરલ થયા છે. સુરત એરપોર્ટની ઇન્ટરનેશનલ કનેક્ટીવિટીમાં શારજાહ, દુબઇ બાદ હવે ત્રીજી ફ્લાઇટ ઉમેરાશે અને એ ફ્લાઇટ છે સુરતથી બેંગકોકની સીધી ફ્લાઇટ. ફક્ત સાડા ચાર કલાકમાં સુરતથી ફ્લાઇટ ઉપડશે અને બેંગકોક સુવર્ણભૂમિ એરપોર્ટ પર પહોંચાડી દેશે. આ ફ્લાઇટ તા.20મી ડિસેમ્બરથી શરૂ થશે અને તેનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફ્લાઇટનું સંચાલન એર ઇન્ડિયા એક્ષપ્રેસ દ્વારા કરવામાં આવશે.

તા.20 ડિસેમ્બરથી શરૂ થનારી સુરત બેંગકોક ફ્લાઇટ સપ્તાહમાં ચાર દિવસ, સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે સંચાલિત થશે.

સુરતથી સવારે 6.30 કલાકે ફ્લાઇટ ઉપડશે જ્યારે બેંગકોકથી ઉપડીને ફ્લાઇટ બપોરે 2.50 કલાકે સુરત પહોંચશે.

November 17, 2024
drugs-surat.png
1min153


હજીરા સાયણ રોડ અને ક્પલેથા ચેક પોસ્ટ પાસે ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન : વેડરોડનો યુવાન મુંબઈથી ડ્રગ્સ લઈ કારમાં મિત્રો સાથે સુરત આવતો હતો ત્યારે ઝડપાઈ ગયો
બાઈક ઉપર આવતા કોસંબાના બે યુવાનો પોલીસને જોઈ ડ્રગ્સ-બાઈક મૂકી ખેતરમાં ભાગ્યા : છ કલાક પકડદાવ પકડાયા

સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરના બે છેવાડાના વિસ્તાર હજીરા સાયણ રોડ અને ક્પલેથા ચેક પોસ્ટ પાસેથી દોઢ કિલોથી વધુ એમ.ડી.ડ્રગ્સ સાથે પાંચ યુવાનોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.1.53 કરોડનું એમ.ડી.ડ્રગ્સ, કાર, બાઈક, પાંચ મોબાઈલ ફોન, રોકડ મળી કુલ રૂ.1.57 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.તે પૈકી બાઈક ઉપર આવતા કોસંબાના બે યુવાનો પોલીસને જોઈ ડ્રગ્સનો જથ્થો અને બાઈક મૂકી શેરડીના ખેતરોમાં ભાગી જતા ક્રાઈમ બ્રાન્ચે છ કલાક કોમ્બીંગ કરી ઝડપી લીધા હતા.જયારે વેડરોડનો યુવાન મુંબઈથી ડ્રગ્સ લઈ કારમાં મિત્રો સાથે સુરત આવતો હતો ત્યારે ઝડપાઈ ગયો હતો.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગતરાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે હજીરા સાયણ રોડ ઉપર બાઈક ઉપર આવતા બે યુવાનો પોલીસને જોઈ બાઈક અને રૂ.97,37,400 ની મત્તાનું 973.740 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મૂકી શેરડીના ખેતરોમાં ભાગી ગયા હતા.ક્રાઈમ બ્રાન્ચે એફએસએલને સ્થળ ઉપર બોલાવી જરૂરી પરીક્ષણ કરતા તે એમ.ડી.ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ થયા બાદ ભાગી ગયેલા બંને યુવાનોને શોધવા કોમ્બીંગ હાથ ધર્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે છ કલાકની મહેનત બાદ કોસંબાના બે યુવાન તામીર શેખ અને સાહીલ દિવાનને ઝડપી પાડી તેમની પાસેથી ડ્રગ્સ ઉપરાંત બાઈક, બે મોબાઈલ ફોન અને રોકડા રૂ.2 હજાર મળી કુલ રૂ.97,99,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.છત રીપેરીંગનું કામ કરતા અને અગાઉ મારામારી, મોબાઈલ સ્નેચીંગ અને ચોરીના ગુનામાં ઝડપાયેલા તામીર શેખ અને કોસંબામાં બુટ ચંપલની દુકાનમાં નોકરી કરતા સાહીલ દિવાનની ક્રાઈમ બ્રાન્ચે પુછપરછ હાથ ધરી તેઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે તપાસ હાથ ધરી હતી.

ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરી દરમિયાન જ વધુ એક બાતમી મળી હતી કે વેડરોડ સાબરીનગરમાં રહેતો અને વરીયાવી બજાર મેઈન રોડ ઉપર છેલ્લા આઠ વર્ષથી મી.કોકોના નામે રેડીમેઈડ કપડાંની દુકાન ચલાવતો ધો.10 પાસ મોહમદ તૌસીફ ઉર્ફે તૌસીફ કોકો તેના મિત્રો ઈરફાન પઠાણ અને અસ્ફાક કુરેશી સાથે મુંબઈથી એમ.ડી.ડ્રગ્સનો જથ્થો લઈ કાર ( નં.જીજે-01-સીવી-2370 ) માં નવસારી થઈ સુરતમાં આવે છે.આથી મળસ્કે 3.30 વાગ્યાના અરસામાં ક્રાઈમ બ્રાન્ચે સચીન ક્પલેથા ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી કારને અટકાવી રૂ.55,48,200 ની મત્તાના 554.82 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ત્રણેયને ઝડપી પાડી તેમની પાસેથી ડ્રગ્સ ઉપરાંત કાર, રોકડા રૂ.53,750, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ.58,71,950 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.તેમની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ મુંબઈના નાલાસોપારા ખાતે એક અજાણ્યા પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા અને સુરતમાં વેચવા આપવાના હતા.

તૌસીફ સાથે ઝડપાયેલા બે મિત્રો પૈકી ઈરફાનખાન પઠાણ બી.કોમ કર્યા બાદ હાલ એમબીએમાં અભ્યાસ કરે છે અને વીઆઈ કંપનીમાં છેલ્લા બે વર્ષથી દક્ષિણ ગુજરાતમાં ઝોનલ સેલ્સ ટ્રેનર તરીકે નોકરી કરે છે.જયારે અસ્ફાક કુરેશી ધો.8 સુધી અભ્યાસ કર્યા બાદ દોઢ વર્ષથી ફેશન બકેટના નામે શુઝ, ઘડીયાળ વિગેરેનું ઓનલાઈન વેચાણ કરે છે.ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા ડ્રગ્સના જથ્થા અંગે બે અલગ અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં ફરી ડ્રગ્સની રેલમછેલ : રૂ.1.53 કરોડના MD ડ્રગ્સ સાથે પાંચ ઝડપાયા 2 – image

હજીરા સાયણ રોડ ઉપરથી આ લોકો પકડાયા

(1) તામીર અબ્દુલ કયુમ શેખ ( ઉ.વ.20, રહે.કોસંબા, સુરત )
(2) સાહીલ અલ્લા ગુલામ મહંમદ દિવાન ( ઉ.વ.19, રહે.કોસંબા, સુરત )

ક્પલેથા ચેક પોસ્ટ ઉપરથી આ લોકો પકડાયા

(1) ઈરફાનખાન મોહમદખાન પઠાણ ( ઉ.વ.32, રહે.ઘર નં.12/2197, છોટા એન્ડ્રુસ, વરીયાવી બજાર પોલીસ ચોકી પાસે, સૈયદપુરા, સુરત )
(2) મોહમદ તૌસીફ ઉર્ફે તૌસીફ કોકો મોહમદ રફીક શા ( ઉ.વ.34, રહે.ઘર નં.સી/70/3, સાબરીનગર, ભરીમાતા રોડ, વેડરોડ, સુરત )
(3) અસ્ફાક ઈર્શાદ કુરેશી ( ઉ.વ.18, રહે.ઘર નં.302, ખતીજા એપાર્ટમેન્ટ, ફીસલ્લી મસ્જીદ પાછળ, ખ્વાજાદાનાની દરગાહ પાસે, અઠવા, સુરત )

October 18, 2024
sumul-ghari-24.png
1min155

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ચંદી પડવાએ સુરતમાં ખવાતી ઘારી પૈકીની 70-75 ટકા ઘારી સુરતની સુમુલ ડેરી દ્વારા બનાવવામાં આવેલી હોય છે. ટૂંકમાં કહીએ તો સુમુલ ડેરીએ ઘારીનું 70-75 ટકા માર્કેટ સર કર્યું છે, જ્યારે બાકીની 25 ટકા ઘારીએ સ્થાનિક મીઠાઇની દુકાનવાળાઓ, જુદી જુદી મંડળીઓ વગેરે દ્વારા બનાવીને બજારમાં વેચવા મૂકાય છે.

આ વખતે 2024ના ચંદી પડવાએ સુમુલ ડેરી દ્વારા કમસેકમ 95 ટન જેટલી ઘારી એકલે હાથે બનાવીને બજારમાં મૂકી છે અને જે પણ કાઉન્ટર પર સુમુલ ડેરીની ઘારી વેચાવા મૂકી છે ત્યાંથી એ ચપોચપ ઉપડી ગઇ છે કેમકે ઘારીના એડવાન્સ ઓર્ડર જ એટલા હતા કે સ્ટોક મૂકાય એટલે વેચાઇ જાય છે.

સુરતીઓને સુમુલ ડેરીની ઘારી જ કેમ પસંદ એ અંગે જ્યારે સુમુલ ડેરીના રિટેલ કાઉન્ટર પરથી ઘારી ખરીદવા માટે આવેલા મહિલા નિકીતા શાહે જણાવ્યું કે સુમુલ ડેરીની ઘારી તેઓ છેલ્લા દસેક વર્ષથી આરોગી રહ્યા છે. તેઓ વિદેશમાં પણ પોતાના સગાસબંધીઓને સુમુલ ડેરીની જ ઘારી મોકલે છે. સુમુલની ઘારી એટલા માટે કે સુમુલ સહકારી ક્ષેત્રને અત્યંત વિશ્વસનીય સંસ્થા છે અને પોતાના જ દૂધ, શુધ્ધ ઘી તથા ઉચ્ચ ક્વોલિટીના ડ્રાયફ્રુટમાંથી સુમુલ ડેરી દ્વારા ફ્રેશ ઘારી તૈયાર કરીને બજારમાં મૂકવામાં આવે છે. ઘારીની બનાવટમાં જે પણ કોઇ મટીરીયલ વાપરવામાં આવે છે તેનું લેબોરેટરી પરીક્ષણ કરીને એ વાત નિશ્ચિત કરવામાં આવે છે કે જે તે મટિરિયલ હેલ્ધી છે કે નહીં. જો હેલ્ધી ન હોય તો જે તે ખરીદીનો સ્ટોક રિજેક્ટ કરી દેવામાં આવે છે. આ પ્રકાર ડિટેલ માહિતી કેવી રીતે જાણો છો તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ શિક્ષક છે અને અગાઉ તેમની શાળાના બાળકો સાથે સુમુલ ડેરીની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે તેમને આ પ્રકારની માહિતી શેર કરવામાં આવી હતી.

આ પ્રકારનો રિવ્યુ સુમુલની ઘારી ખાનારા દરેક ગ્રાહકો પાસેથી મળી રહ્યો છે એટલે જ સુમુલ ડેરીએ ઘારીના માર્કેટમાં 75 ટકા જેટલો હિસ્સો સર કરી લીધો છે. અનેક લોકો સુમુલ ડેરીની ઘારી એટલા માટે પણ ખરીદી રહ્યા છે કેમકે સુમુલ ડેરીની ઘારીના ભાવ અને બજારમાં મળતી અન્ય ઘારીના ભાવમાં પણ ખાસ્સો ફરક છે. સુમુલ ડેરીની ઘારી સસ્તામાં સસ્તા દરે અને સારી ક્વોલિટીની હોવાથી સુરતીઓની મનપસંદ બની છે.

October 7, 2024
pandesara-gidc.jpeg
1min151

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની ભ્રષ્ટાચાર વિરોધી શાખા, ગાંધીનગર દ્વારા 30 સપ્ટેમ્બર, 2024ના રોજ CETP પાંડેસરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં ભ્રષ્ટાચાર વિરોધી પગલાં અને ભ્રષ્ટાચાર મુક્ત પર્યાવરણ ઊભું કરવા માટેના પ્રયાસો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું.

આ બેઠકમાં ઘણા જાણીતા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એસોસિએશન તરફથી પ્રમુખ શ્રી કમલવિજય તુલસિયાન, SGTPA પ્રમુખ શ્રી જીતેન્દ્ર વખારિયા, શ્રી મહેશભાઈ કબુતરવાળા, શ્રી જે.પી. અગ્રવાલ અને અન્ય ઉદ્યોગજગતના પ્રતિનિધિઓની વિશેષ હાજરી રહી.

અતિથિ મહાનુભાવોમાંથી CBIના શ્રી રામ પ્રસાદ (DSP, CBI, ગાંધીનગર), શ્રી નીરજ મલિક (PI, CBI, ACB, ગાંધીનગર), અને શ્રી પંકજ એ પટેલ (PI, CBI, ACB, ગાંધીનગર)એ તેમના અનુભવ અને અભિપ્રાયો શેર કર્યા. ભ્રષ્ટાચાર નિવારણ માટે કાયદાકીય પગલાં અને જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા.

CBI, ACB ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવેલી અગત્યની સૂચના:

જો કોઈ કેન્દ્રીય સરકાર, બેંક અથવા રેલ્વેના ઓફિસર/કર્મચારી, લાંચ માંગે,પોતાનો પદનો દુરુપયોગ કરી નાજાયઝ આર્થિક લાભ મેળવે અથવા પોતાની આવક કરતાં વધુ સંપત્તિ ધરાવે, તો CBI, ACB ગાંધીનગરને તરત જ જાણ કરો.

September 27, 2024
SGCCI.jpg
1min186

છેલ્લા ઘણાં સમયથી મંદીનો સામનો કરવા સાથે અનેક પ્રશ્નો-સમસ્યાઓ વચ્ચે અટવાયેલા સુરત સહિત દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગમાં નક્કર પગલાં ભરી શકાય તે માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સમાં શહેરના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા જુદાજુદા સ્ટેક હોલ્ડર્સ, વેલ્યુ ચેઇન યુનિટ્સના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ચેમ્બર પ્રેસિડેન્ટ વિજય મેવાવાલાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે હાલમાં દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગના પ્રશ્નો, સમસ્યાઓ, પ્રોજેક્ટ તેમજ અન્ય ડેવલપમેન્ટ મોટા પાયે થઇ રહ્યા છે. કાપડ ઉદ્યોગ માટે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ એક્સપર્ટસ સતત મોનીટરીંગ કરે તે માટે ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેનું કામ કાપડ ઉદ્યોગના લગતા કોઇપણ ઇશ્યુ પરત્વે ચેમ્બર ઓફ કોમર્સ વતી પરામર્શ કરવાનું રહેશે. ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સના પહેલા ચેરમેને તરીકે આશિષ ગુજરાતીની નિયુક્તિ કરવામાં આવી હોવાનું વિજય મેવાવાલાએ જણાવ્યું હતું.  વધુમાં ચેમ્બર ઓફ કોમર્સની ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સમાં એડવાઇઝર તરીકે ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર એસ.પી. વર્માની નિમણૂંક કરવામાં આવી છે.

મ્બરની ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ, સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ તેમજ સમગ્ર ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના સ્કીલ ડેવલપમેન્ટ માટે પણ ચેમ્બરની આ ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ અંતર્ગત સુરતમાં કોમન ફેસિલિટી સેન્ટરના લાંબા ગાળાના આયોજન માટે પ્લાનિંગ કરાશે. સાથે જ રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડસ્ટ્રીયલ સ્ટડી ટુરનું પણ આયોજન કરવામાં આવશે.

September 23, 2024
fake-note.jpg
1min167
Fake currency

સુરત એસઓજીએ સરથાણા યોગીચોક સ્થિત એપલ સ્કવેરની ઓનલાઈન ગાર્મેન્ટની દુકાનમાં રેઈડ કરી ડુપ્લીકેટ નોટ છાપવાનું મીની કારખાનું ઝડપી લીધું હતું. એસઓજીએ 100 રૂપિયાના દરની 1 લાખ રૂપિયાની ડુપ્લીકેટ નોટો સાથે ચારને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, એક અસલી નોટ સ્કેન કરી બાદમાં તેની કલર પ્રિન્ટ કાઢી ડુપ્લીકેટ નોટ બનાવતા હતા. 100 રૂપિયાની ડુપ્લીકેટ નોટ માર્કેટમાં સરળતાથી વટાવી શકાતા હતા.અન્ય બે યુવાન ડુપ્લીકેટ નોટ લેવા ત્યાં આવ્યા હતા.

બાતમીના આધારે એઓસજીની ટીમે શનિવારે (21મી સપ્ટેમ્બર) સરથાણા યોગીચોક સ્થિત એપલ સ્કવેરના ચોથા માળે આવેલી ઓનલાઈન ગાર્મેન્ટની દુકાનમાં રેઇડ કરી હતી. એસઓજીને ત્યાં ડુપ્લીકેટ નોટ બનાવતા ભાવેશ અને ત્યાં ડુપ્લીકેટ નોટ લેવા આવેલા રાહુલ અને પવનને ઝડપી પાડી દુકાનમાં તપાસ કરી હતી. ત્યાંથી 100 રૂપિયાના દરની 1 લાખની ડુપ્લીકેટ નોટ મળી હતી. એસઓજીએ દુકાનમાંથી કોમ્પ્યુટર, સ્કેનર, કલર પ્રિન્ટર કબજે કર્યા છે.

તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ભાવેશ અસલ નોટ સ્કેન કરી બાદમાં તેની કલર પ્રિન્ટ કાઢી ડુપ્લીકેટ નોટ બનાવતો હતો અને 100 રૂપિયાની ડુપ્લીકેટ નોટ માર્કેટમાં સરળતાથી વટાવી શકતા હતા. ભાવેશે છેલ્લા એક મહિનાથી ડુપ્લીકેટ નોટ છાપવાનું શરૂ કર્યું હતું અને તે એક અસલી નોટની સામે ત્રણ ડુપ્લીકેટ નોટ આપતો હતો. માસ્ટર માઈન્ડ સાગરની સાથે રાહુલ, ભાવેશ અને પવનની ધરપકડ કરાઈ છે. ચાર આરોપીઓ માંથી એક મહારાષ્ટ્ર, એક એમપી અને અન્ય બે અમરેલી જિલ્લાના વતની છે.

September 20, 2024
trains.jpg
2min159

સુરત રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરીને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. હાલમાં સુરત સ્ટેશન પુનઃનિર્માણના પ્રથમ તબક્કામાં પ્લેટફોર્મ નં. 04 પર કોન્કોર્સનું કામ ચાલી રહ્યું છે. આથી બ્લોક 20 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવ્યો છે.

આથી સુરત રેલ્વે સ્ટેશન પર ઉપડતી કે ટર્મિનેશન થતી કેટલીક ટ્રેનોના ટર્મિનલ, જેને ઉધના સ્ટેશન પર સ્થળાંતરીત કરી દેવામાં આવી હતી, તેને હજુ પણ લંબાવવામાં આવ્યું છે અને તે 30 સપ્ટેમ્બર 2024 સુધી યથાવત રહેશે. આ પરિવર્તન રેલવેની કામગીરીને સરળ બનાવશે અને સાથે જ સુરત સ્ટેશન પર મુસાફરોની ભીડ ઘટાડશે, મુસાફરોની સેવાઓને વધારવા અને અપગ્રેડ કરવામાં મદદ કરશે.

પશ્ચિમ રેલવેની અખબારી યાદી મુજબ, સુરત સ્ટેશનથી ઉપડતી કુલ આઠ પેસેન્જર ટ્રેનો સુરતને બદલે ઉધના સ્ટેશનથી ટૂંકી ઉપડશે, જ્યારે નવ ટર્મિનેટ ટ્રેનો ઉધનાથી ટૂંકી ઉપડશે. સ્ટેશનને બદલે સુરત સ્ટેશન. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

સુરત અને ઉધના વચ્ચે આંશિક રદ રહેનારી ટ્રેનની યાદી જોઈ લો:

  • ટ્રેન નંબર 19002 સુરત-વિરાર પેસેન્જર 21મી સપ્ટેમ્બર, 2024 થી 30મી સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશનથી 04:25 કલાકે (પ્લેટફોર્મ નં. 3) ઉપડશે.
  • ટ્રેન નંબર 12936 સુરત-બાંદ્રા ટર્મિનસ ઇન્ટરસિટી એક્સપ્રેસ 21 સપ્ટેમ્બર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન (પ્લેટફોર્મ નં. 3) થી 16:35 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 19007 સુરત–ભુસાવલ પેસેન્જર ઉધના સ્ટેશન (પ્લેટફોર્મ નંબર 4) થી 21મી સપ્ટેમ્બર, 2024 થી 30મી સપ્ટેમ્બર, 2024 સુધી 17:24 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 19005 સુરત-ભુસાવલ એક્સપ્રેસ 21મી સપ્ટેમ્બર, 2024 થી 30મી સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન (પ્લેટફોર્મ નં. 5)થી 23:30 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 09065 સુરત-છાપરા સ્પેશિયલ 23 સપ્ટેમ્બર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન (પ્લેટફોર્મ નં. 3) થી 08:35 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 19045 સુરત – છપરા તાપ્તી ગંગા એક્સપ્રેસ ઉધના સ્ટેશન (પ્લેટફોર્મ નંબર 5) થી 22 સપ્ટેમ્બર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2024 દરમિયાન 10:20 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 22947 સુરત-ભાગલપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ 21 સપ્ટેમ્બર, 2024 થી 28 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન (પ્લેટફોર્મ નંબર 5) થી 10:20 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 20925 સુરત-અમરાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ 22 સપ્ટેમ્બર, 2024 થી 29 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ઉધના સ્ટેશન (પ્લેટફોર્મ નંબર 4) થી 12:30 કલાકે ઉપડશે.
  • ઉધના સ્ટેશન પર ટૂંકી અવરજવર કરતી ટ્રેનો:
  • ટ્રેન નંબર 19006 ભુસાવલ-સુરત એક્સપ્રેસ 21મી સપ્ટેમ્બર, 2024 થી 30મી સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન શોર્ટ ટર્મિનેટ થશે અને 04:40 કલાકે (પ્લેટફોર્મ નં. 5) પહોંચશે.
  • ટ્રેન નંબર 19008 ભુસાવલ – સુરત એક્સપ્રેસ 21મી સપ્ટેમ્બર, 2024 થી 30મી સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને 06:05 કલાકે (પ્લેટફોર્મ નં. 3) પહોંચશે.
  • ટ્રેન નં. 09096 નંદુરબાર-સુરત મેમુ સ્પેશિયલ 21 સપ્ટેમ્બર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને 09:25 કલાકે (પ્લેટફોર્મ નં. 3) પહોંચશે.
  • ટ્રેન નંબર 12935 બાંદ્રા ટર્મિનસ – સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ 21 સપ્ટેમ્બર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ થશે અને 10:25 કલાકે (પ્લેટફોર્મ નંબર 3) પર પહોંચશે.
  • ટ્રેન નંબર 20926 અમરાવતી-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ 21 સપ્ટેમ્બર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને 18:50 કલાકે (પ્લેટફોર્મ નંબર 3) પર પહોંચશે.
  • ટ્રેન નંબર 19001 વિરાર-સુરત પેસેન્જર 21મી સપ્ટેમ્બર, 2024 થી 30મી સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને 23:05 કલાકે (પ્લેટફોર્મ નં. 3) પહોંચશે.
  • ટ્રેન નંબર 09066 છપરા – સુરત સ્પેશિયલ ઉધના સ્ટેશન પર 25મી સપ્ટેમ્બર, 2024 સુધી શોર્ટ ટર્મિનેટ થશે અને 13:35 કલાકે (પ્લેટફોર્મ નં. 4) પહોંચશે.
  • ટ્રેન નંબર 19046 છપરા-સુરત તાપ્તી ગંગા એક્સપ્રેસ 21 સપ્ટેમ્બર, 2024 થી 29 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને 15:55 કલાકે (પ્લેટફોર્મ નંબર 4) પહોંચશે.
  • ટ્રેન નંબર 22948 ભાગલપુર-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ 23 સપ્ટેમ્બર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને 15:55 કલાકે (પ્લેટફોર્મ નંબર 4) પર પહોંચશે.
September 20, 2024
cia_multi-1280x1045.jpg
1min136


એરપોર્ટ સામે આવેલ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટની વિશાળ જગ્યામાં ભવ્ય નવરાત્રી નું આયોજન

જી નાઇન એપેક્સ ગ્રુપ દ્વારા આ વખતે સુરત એરપોર્ટ સામે અવધ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં બે એસી ડોમમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જી નાઈન એપેક્સ ગ્રુપના હિરેનભાઈ કાકડીયાએ આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે જી નાઇન ગ્રુપ દ્વારા કેદાર ભગત મ્યુઝિક ડાયરેક્ટર, દિવ્ય કુમાર બોલીવુડ સિંગર, પ્રિયંકા વૈદ, ચૈતાલી છાયા, વિશ્વા શાહ, શ્વેતા વિરાસ, કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યું છે.

આયોજન દરમિયાન આઈસીયુ ઓન વિલ દ્વારા ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈપણ મેડિકલ તકલીફ થાય તો તેમની સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે.તે ઉપરાંત ખેલૈયાઓ માટે એક એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર ત્યાં હાજર જ રહેશે

વર્લ્ડ બીગેસ્ટ અને બેટર નવરાત્રી માટે બે સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા છે. આ ડોમ સ્વયમ ફાયર પ્રૂફ છે અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ, ઈલેક્ટ્રીફાઈંગ લાઇટિંગ, ફ્લેક્સ નિયોન થીમ તેમજ સેલ્ફી પોઇન્ટની સુવિધા છે.

ખેલૈયાઓ માટે ફ્લોરિંગ માં આરસીસી સાથે લાઈન એલાઈમેન્ટ સેટ કરવામાં આવી છે તેમ જ વેલે પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે.તે ઉપરાંત ખેલૈયાઓ માટે હાઇજેનિક ટોયલેટ ની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે.

નવરાત્રી દરમ્યાન દરરોજ 30 થી 35,000 માણસો ભેગા થશે અને ગરબા રમી શકશે તે માટે બે વિશાળ સેન્ટ્રલ એસી ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.

નવરાત્રી ના સ્થળનાં આયોજન અંગે હિરેનભાઈ કાકડીયાએ જણાવ્યું કે અમે છેલ્લા ઘણા સમયથી વિશાળ જગ્યા શોધતા હતા.

શહેરની વચ્ચે વચ આટલી વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હતી. શહેરની અંદર જો આટલું વિશાળ આયોજન થાય તો સ્થાનિક લોકો અને શહેરીજનોને ટ્રાફિકની ઘણી સમસ્યા નળી શકે છે.

દરરોજ 30 થી 35,000 લોકોનું ગેધરિંગ માટે શહેરમાં જ એરપોર્ટ ની સામે અવધ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં ગરબા રાત્રીનું આયોજન નક્કી કરાયું છે

અહીં ગરબા રમવા વાળા માટે વિશાળ જગ્યા મળી રહેશે તેમ જ ગરબા જોનારા પ્રેક્ષકો મહેમાનો માટે બેસવાની જગ્યા ની સાથે વાહન પાર્કિંગ માટે પણ પૂરતી જગ્યા ઉપલબ્ધ છે.

સુરત વાસીઓને મેસેજ આપતા હિરેનભાઈએ જણાવ્યું કે સુરતવાસીઓ આવો જી નાઇન ગરબા રાત્રીમાં ડબલ એસી ડોમની વિશાળ જગ્યામાં સાંસ્કૃતિક અને પારંપરિક રીતે નવરાત્રી ઉત્સવની મજા માણો.