સુરતીઓની દુનિયા Archives - Page 36 of 79 - CIA Live

October 16, 2020
neetresults-1280x1168.jpg
2min12070

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

NEET-JEE જેવી પરીક્ષાઓમાં પ્રોફેશનલ ટિચીંગના બહાને ધો.11-12 સાયન્સના વાલીઓના બેથી અઢીલાખ રૂપિયા ખંખેરી લેતા ધંધાદારી કોચિંગ ક્લાસીસો ને સુરતની આશાદીપ ગ્રુપ, પીપી સવાણી સ્કુલ, ભૂલકાભવન, ભૂલકા વિહાર જેવી સાયન્સ સ્કુલોએ ધોબીપછાડ આપી છે. 2020માં NEET-JEE પરફોર્મન્સમાં કોચિંગ ક્લાસીસો કરતા સુરતની સ્કુલોનું પરફોર્મન્સ જબરદસ્ત જોવા મળ્યું છે તેમાં પણ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના 14 જેટલા વિદ્યાર્થીઓ 600 પ્લસ સ્કોર નીટમાં લાવી ચૂક્યા છે. જેઇઇ મેઇન્સ અને એડવાન્સ્ડમાં પણ આશાદીપ સ્કુલના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો હતો.

ધો.11-12 સાયન્સમાં NEET-JEE માટે પ્રાઇવેટ કોચિંગની જગ્યાએ સ્કુલોમાં જ એડમિશન લેવાનો આગ્રહ રાખો

સુરત શહેરના વાલીઓ અને વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે ધો.11-12 સાયન્સમાં NEET-JEEના ખાનગી કોચિંગ ક્લાસીસોની જગ્યાએ રેગ્યુલર સ્કુલમાં જ પ્રવેશ મેળવવો જોઇએ. હાલમાં જે પરફોર્મન્સ આવ્યા છે તેમાં કોચિંગ ક્લાસીસો કરતા સ્કુલના પરફોર્મન્સ ઉજળા છે.

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ અનબિટન

છેલ્લા એક દાયકાથી વધુ સમયથી સુરત શહેર જ નહીં બલ્કે સમગ્ર ગુજરાતમાં ધો.12 સાયન્સ કોમર્સના પરીણામમાં એકચક્રી શાસન કરી રહેલા સુરતની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓ હવે જેઇઇ અને નીટ જેવી નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટના પરફોર્મન્સમાં પણ અનબિટન બની રહ્યા છે. નીટ-2020ના પરીણામ બાદ આશાદીપ આઇ.આઇ.ટી.ના એક સાથે 14 વિદ્યાર્થીઓએ 600 પ્લસ સ્કોર કરીને રેકોર્ડ સર્જી દીધો છે.

  • 1. હિંગરાજીયા પ્રિયલ – 691
  • 2. સાવલિયા ખુશી – 639
  • ૩. ધામેલીયા રાજ – 633
  • 4. કાછડિયા સ્મિત – 633
  • 5. બલદાણીય હાર્દિક – 625
  • 6. ગજેરા દિક્ષિત – 618
  • 7. લખાણી ધ્રુમિત – 616
  • 8. ઉંધાડ કેલ્વીન – 615
  • 9. માવાણી તૃષિત – 614
  • 10. ભાલાળા સ્મિત – 608
  • 11. પટેલ હર્ષ – 604
  • 12. ખોયાણી પ્રેશીતા – 603
  • 13. કાકડિયા જય – 602
  • 14. મકવાણા લલિત -600

નીટ 2020માં સુરત સમેત દક્ષિણ ગુજરાતમાં 691નો સર્વોચ્ચ સ્કોર ધરાવતા આશાદીપ સ્કુલના વિદ્યાર્થી પ્રિયલ જીતુભાઇ હિગરાજીયાની તસ્વીર

No description available.

તા.16મી ઓક્ટોબરે રાત્રે આઠ વાગ્યા બાદ જાહેર થયેલા નીટ 2020 પરીક્ષાના પરીણામમાં રાત્રે 10 કલાકે મળેલી લેટેસ્ટ માહિતી મુજબ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના ધો.12 સાયન્સ બાયોલોજીના વિદ્યાર્થી હિગરાજીયા પ્રિયલ જીતુભાઇએ 720માંથી 691નો સ્કોર હાંસલ કરીને સમગ્ર સુરત શહેર તેમજ ગુજરાતમાં અનબિટન સ્કોર કર્યો છે. નીટ 2020ના પરીણામો ધીરે ધીરે બહાર આવી રહ્યા હોઇ, સ્કુલ સંચાલકો દ્વારા કોઇ જ દાવો કરાયો નથી કે તેમની સ્કુલનો વિદ્યાર્થી ટોપર છે પરંતુ, સી.આઇ.એ. લાઇવ અને શિક્ષણ સર્વદાને મળેલી પ્રાથમિક માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાં હજુ સુધી નીટ 2020માં 691થી વધુ સ્કોર ધરાવતા વિદ્યાર્થીની માહિતી બહાર આવી નથી.

કૌશલ વિદ્યાભવનના કૌશલ ભાયાણીએ 640 સ્કોર કર્યો

સુરતમાં વરાછા રોડ પર આવેલા કૌશલ વિદ્યાભવનના વિદ્યાર્થી કૌશલ ભાયાણીએ નીટ 2020માં 720માંથી 640 સ્કોર કર્યો હોવાની માહિતી શાળાના આચાર્ય શ્રી હરેશભાઇએ આપી હતી.

જેઇઇ એડવાન્સ્ડમાં પણ આશાદીપ ગ્રુપ અવ્વલ રહ્યું હતું

NEET માં 640 પ્લસ સ્કોર ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓની માહિતી તેમના સ્કોર કાર્ડ અને ફોટા સાથે 98253 44944 પર વ્હોટ્સ એપ કરવા વિનંતી, જેથી તેમને અહેવાલમાં સમાવી શકાય

October 9, 2020
surat_loksabha.png
1min5350

સુરત શહેરના વિકાસ નકશા-ડેવલપમેન્ટ પ્લાન ૨૦૩૫ ને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા મંજૂર કરાયો છે. સુરત મહાનગરપાલિકા અને સુડાની કુલ ૧૦૮૫ ચોરસ કિ.મી વિસ્તારના ફાઈનલ ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. ૩૦ વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુક્ત થશે. તેમજ આશરે ૮પ૦ હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે.

30 વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુક્ત થતાં ખેડૂતો-જમીન માલિકોને વિકાસના સપના સાકાર કરવાની નવી દિશા ખોલી આપી છે. CM રૂપાણીના મોટા નિર્ણયથી આશરે 850 હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે.

આ પ્લાનને મંજૂરીથી અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેની બંને બાજુ એક કિ.મી.ના કામરેજથી પલસાણા સુધીના ૫૦ ચો. કિ.મી. વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ અને કમર્શિયલ ડેવલપમેન્ટ હવે થઇ શકશે તેમજ અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત ભવ્ય સ્ટેશન અંતરોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઇડેન્સિટી રેસિડેન્શિયલ-કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે નવી દિશા હવે ખૂલી શકશે. કામરેજ-પલસાણા કોરીડોર અંતરોલી હાઇસ્પીડ કોરીડોર જેવી અતિ મહત્વપૂર્ણ દરખાસ્તોને અંતિમ મંજૂરી મળવાથી બૂલેટ ટ્રેન, મેટ્રો રેલવે અને ટ્રાન્સપોર્ટ ફેસેલિટીઝ માટે નવી ક્ષિતિજોનો પ્રારંભ થશે. આ સાથે જ સુરત મહાનગરમાં વધુ સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો સાથે સ્માર્ટ સિટીના નિર્માણમાં વેગ લાવવામાં આવશે.

  • આશરે ૮પ૦ હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે.
  • – DP મંજૂર થતાં સુરત મહાનગર માટે વિકાસની અઢળક તકો ખૂલશે
  • અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેની બંને બાજુ 1 કિ.મી.ના કામરેજથી પલસાણા સુધીના 50 ચો. કિ.મી. વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ અને કમર્શિયલ ડેવલપમેન્ટ હવે થઇ શકશે
  • પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત ભવ્ય સ્ટેશન અંતરોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઇડેન્સિટી રેસિડેન્શિયલ-કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે ખૂલશે નવી દિશા હવે ખૂલી શકશે.
  • કામરેજ-પલસાણા કોરીડોર અંતરોલી હાઇસ્પીડ કોરીડોર જેવી અતિ મહત્વપૂર્ણ દરખાસ્તોને અંતિમ મંજૂરી મળવાથી બૂલેટ ટ્રેન, મેટ્રો રેલ્વે અને ટ્રાન્સપોર્ટ ફેસેલિટીઝ માટે નવી ક્ષિતીજોનો પ્રારંભ થશે.
  • સુરત મહાનગરમાં વધુ સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો સાથે સ્માર્ટ સિટીના નિર્માણમાં વેગ લાવવામાં મુખ્યમંત્રીનો આ નિર્ણય અત્યંત ઉપકારક નીવડશે.

October 7, 2020
dinesh_navadia_cialive.jpg
1min7980

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો 80મો પદગ્રહણ સમારો આજરોજ તા.7મી ઓક્ટોબર 2020ની શમી સાંજે યોજાઇ રહ્યો છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ષ ર૦ર૦–ર૧ માટેના વરાયેલા પ્રમુખ શ્રી દિનેશ નાવડીયા અને ચૂંટાયેલા ઉપપ્રમુખ શ્રી આશિષ ગુજરાતી મર્યાદિત આમંત્રિતો વચ્ચે પદગ્રહણ કરશે. સાથે જ દિનેશ નાવડીયાની ટીમમાં નિખીલ મદ્રાસી સેક્રેટરી તરીકે, મનીષ કાપડીયા ખજાનચી તરીકે તથા અન્ય ટીમ મેમ્બરો જુદી જુદી જવાબદારી સાથે કામકાજ શરૂ કરશે.

ન ભૂતો ન ભવિષ્યતિ જેવા પડકારો વચ્ચે SGCCIનું સુકાન સંભાળી રહ્યા છે દિનેશ નાવડીયા

SGCCIમાં હાલ ન ભૂતો ન ભવિષ્યતિ જેવા પ્રતિકુળ સંજોગો જોવા મળી રહ્યા છે. હાલ ચેમ્બરની આવક ઝીરો છે. SGCCIની જે મિલકતો ભાડે અપાયેલી હતી એ તમામ ભાડુઆત સંસ્થાઓ ખાલી કરી ગયા છે, બીજી તરફ હાલની સ્થિતિમાં એકેય એક્ઝિબીશન થયા નથી કે તેની આવક ચેમ્બરને મળી રહે. આમ સાવ ઝીરો ઇન્કમ વચ્ચે અને પેન્ડેમિકની કપરી પરિસ્થિતિમાં દિનેશ નાવડીયા પોતાની ટર્મ શરૂ કરી રહ્યા છે. આમ છતાં દિનેશ નાવડીયાએ જે પ્રકારે હીરા ઉદ્યોગ માટે કામગીરી કરી છે એ જોતા તેમના શુભેચ્છકોનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતના વેપાર વાણિજ્યના વેલ્ફેર માટે દિનેશ નાવડીયાની SGCCIમાં ટર્મ યાદગાર બની રહેશે.

ટેક્સટાઇલ-હીરા ઉદ્યોગની સાથે દક્ષિણ ગુજરાતના દરેક ધંધા-રોજગારના વેલ્ફેર માટે કામ કરશે દિનેશ નાવડીયાની ટીમ

SGCCIમાં એવું જોવાયું છે કે મોટા ભાગે ટેક્સટાઇલ, બાંધકામ, ઓટો, ઝવેરાત જેવા ઉધોગો માટે જ પ્રદર્શનો, સેમિનારો, મેળાવડા થતાં હોય છે પરંતુ દિનેશ નાવડીયાએ ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકેની કામગીરીમાં જ સંકેતો આપી દીધા છે કે ફક્ત ટેક્સટાઇલ, હીરા-ઝવેરાત કે બાંધકામ ઉદ્યોગ જ નહીં બલકે દક્ષિણ ગુજરાતના દરેકે દરેક ઉદ્યોગ, ધંધા, રોજગારોને સ્પર્શતી દરેક બાબતો કે જ્યાં SGCCIની મધ્યસ્થિ, પ્રતિનિધિત્વ, સંકલન, પ્રેઝન્ટેશન કોઇપણ પ્રકારે ભૂમિકાની આવશ્યકતા હશે ત્યાં SGCCIના દિનેશ નાવડીયાની ટીમ કાર્ય કરશે.

બર્થ ડે વીશ કન્સેપ્ટ વખાણી રહ્યા છે SGCCIના મેમ્બર્સ

SGCCIના પૂર્વ પ્રમુખ કેતન દેસાઇ રજા પર ઉતાર્યા અને ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે દિનેશ નાવડીયાએ કામગીરી શરૂ કરી ત્યારે તેમણે SGCCIના કમિટી મેમ્બર્સને તેમના ઘરે જઇને SGCCI વતી બર્થ ડે વીશ કરવાનો કન્સેપ્ટ અમલમાં મૂક્યો છે. આ શરૂઆતને SGCCIના મેમ્બર્સ વખાણી રહ્યા છે. SGCCI વતી બર્થડે વીશની સાથે જ જે તે મેમ્બરને જુદી જુદી ગીફ્ટ સમાવતું એક હેમ્પર ભેંટ આપવામાં આવી રહ્યું છે.

પહેલીવાર SGCCI સ્ટાફ સાથે મિટીંગ યોજી

ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે અનેક નવા ચીલા ચાતરતા દિનેશ નાવડીયાએ પહેલીવાર SGCCI સ્ટાફ સાથે બેઠક યોજીને તેમના પ્રશ્નો જાણ્યા હતા. એક મેન્ટર તરીકેની ભૂમિકા ભજવવાના કોલ સાથે તેમને કોઇપણ તકલીફ હોય તો બેધડક જણાવવા કહ્યું હતું. SGCCI સ્ટાફને સ્પેસિફિક એપ્રોચ સાથે કામગીરી કરવાની સિસ્ટમ પણ તેઓ સુપેરે સેટ કરી શક્યા છે.

ઇન્સ્ટોલેશન સેરેમની પણ મર્યાદિત મહેમાનોની હાજરીમાં

કોવિડ– ૧૯ની સરકારની ગાઇડ લાઇન્સ મુજબ માત્ર ર૦૦ આમંત્રિતોને નિમંત્રવામાં આવ્યા છે. આ ઉપરાંત ચેમ્બરના તમામ ૯ હજાર સભ્યોને ઝૂમ એપ દ્વારા નિમંત્રવામાં આવ્યા છે.

આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ભાજપના અધ્યક્ષ તેમજ સાંસદ શ્રી સી.આર. પાટીલ તથા અતિથિ વિશેષ તરીકે સાંસદ સભ્ય શ્રીમતી દર્શનાબેન જરદોશ, સુરત શહેરના મેયર ડો. જગદીશ પટેલ, સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની (આઈ.એ.એસ.) અને જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ (આઇ.એ.એસ.) સ્થાન શોભાવશે.

October 4, 2020
dinesh_navadia_cialive.jpg
2min7800
  • 4/10 એ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આશિષ ગુજરાતી ચૂંટાઇ આવ્યા
  • 5/10 એ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIની AGM
  • 6/10 એ વિજયી મૂહૂર્તમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI દિનેશ નાવડીયાની ટીમ ચાર્જ ગ્રહણ કરશે
  • 7/10 બુધવારે 7/10 બુધવારે પ્લેટીનમ હોલ ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI નવા પ્રમુખ તરીકે દિનેશ નાવડીયા માટે ઇન્સ્ટોલેશન સેરેમની
  • દિનેશ નાવડીયાની ટીમમા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આશિષ ગુજરાતી, સેક્રેટરી તરીકે નિખીલ મદ્રાસી અને ખજાનચી તરીકે મનીષ કાપડીયા ચાર્જ ગ્રહણ કરશે

Jayesh Brahmbhatt 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIના નવા પ્રેસિડેન્ટ તરીકે દિનેશ નાવડીયા આગામી તા.7મી ઓક્ટોબરને બુધવારે સત્તાવાર રીતે ચાર્જ લેશે. દિનેશ નાવડીયા સાથે તેમની સમગ્ર ટીમનો પદગ્રહણ સમારોહ પ્લેટિનમ પ્લાઝા ખાતે યોજાશે. દિનેશ નાવડીયાને એક મહિના માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIના ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ બનાવાયા હતા એ સમય દરમિયાન જ તેમણે ચેમ્બર ઓફ કોમર્સની પ્રવૃત્તિઓને એવી ધમધમાવી દીધી હતી કે તેમના વિરોધી જૂથે તરકટ રચીને પ્રમુખ પદથી દૂર રાખવાના પ્રયાસો કરી જોયા હતા. પરંતુ, વિરોધીઓની એકેય કારી કારગત નિવડી ન હતી.

આજરોજ તા.4 ઓક્ટોબર 2020ના રોજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં આશિષ ગુજરાતીનો વિજય થયા બાદ આવતીકાલ તા.5મી ઓક્ટોબર 2020ના રોજ વર્તમાન પ્રેસિડેન્ટ કેતન દેસાઇએ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIની એન્યુઅલ જનરલ મિટીંગ ઝુમ એપ્લિકેશન પર યોજી છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં આશિષ ગુજરાતી વિજયી

અપેક્ષા મુજબ જ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીમાં આશિષ ગુજરાતીનો વિજય થયો હતો. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વિતેલા વર્ષથી જ દિનેશ નાવડીયા અને બીએસ અગ્રવાલની બનેલી ધરી શક્તિશાળી નિવડી છે અને સતત બીજા વર્ષે દિનેશ નાવડીયા જૂથે વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણી જીતી લીધી છે. જે રીતે પ્રચારમાં બન્ને ઉમેદવારો આશિષ ગુજરાતી અને મિતીશ મોદી વચ્ચે કાંટાની ટક્કર હોવાનો પ્રભાવ ઉભો કરાયો હતો એનાથી વિપરીત આશિષ ગુજરાતીએ આસાનીથી અને મોટા માર્જિન સાથે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણી જીતી લીધી છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી કમિટીના સભ્યો સર્વશ્રી હેતલ મહેતા અને શ્રી કમલેશ યાજ્ઞિકે પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા, વાઇસ પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી અને મિતીશ મોદીને સાથે રાખીને ખેલદીલીભર્યો માહોલ ખડો કર્યો હતો

આશિષ ગુજરાતીની જીત નિશ્ચિત હતી

સોમવારે 5/10 એ ચેમ્બરની AGM

October 3, 2020
mitishmodi1.jpg
1min8250

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આગામી રવિવારે યોજાનારી વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીના બેલેટ પેપરમાં 4 ઉમેદવારોના નામો જોવા તો મળશે પરંતુ, હાલ બે ઉમેદવારો વચ્ચે જ દ્વીપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. મિતીશ મોદી અને આશીષ ગુજરાતી આ બે ઉમેદવારો પૈકી મિતીશ મોદી સામે હરીફોએ અનેક કાવાદાવાઓ રચ્યા હોવા છતાં વન ટુ વન અને ગ્રુપ મિટીંગો થકી મિતીશ મોદી સર્વત્ર છવાયેલા જોવા મળી રહ્યા છે.

મિતીશ મોદી સામે સ્પીડબ્રેકરોના આ નુસ્ખાઓ કારગત ના નિવડ્યા

  • ચેમ્બરના મતદારોને ખુલ્લંખુલ્લા લોભપ્રલોભનો આપીને ચૂંટણીના નિયમોની ઐસીતૈસી કરવામાં આવી રહી છે
  • મિતીશ મોદીના સમર્થકોએ લગાડેલા બેનરો સામે વિરોધ ઉઠાવીને નિયમભંગ કરાયાની ફરીયાદો કરી
  • સુગર ફેક્ટરીઓને 2400 કરોડનો ટેક્સ ઝીરો કરી આપવામાં ભજવેલી ભૂમિકાને ખોટો પ્રચાર ગણાવવાની હરકતો પર પાણી ફરી વળ્યા
  • ચેમ્બરનું સુકાન વ્યાવસાયિક (સી.એ.)ની જગ્યાએ ઉદ્યોગકારને આપવું જોઇએ એવા પ્રચાર થકી મત મેળવવાની કોશીશો મતદારો જ નાકામ્યાબ બનાવી રહ્યા છે.

સ્વચ્છ અને પ્રમાણિક પ્રતિભા મિતીશ મોદી પોતાના કાર્યોથી જ હોટફેવરીટ બન્યા

મિતીશ મોદી માટે કહેવાય છે કે તેઓ હરીફો પાછળ શક્તિ વેડફવા કરતા પોતાના કાર્યોનું ભાથું રજૂ કરીને જ ચેમ્બરના મતદારોને કન્વીન્સ કરી રહ્યા છે. અત્યાર સુધી સહકારી ક્ષેત્રમાં મિતીશ મોદીએ જે કાર્યો કર્યા છે, એનો લાભ વિશાળ વર્ગને મળ્યો છે. સ્વચ્છ અને પ્રમાણિક પ્રતિભાનું તેજ મિતીશ મોદીને આ ચૂંટણીમાં ઝળહળતા દેખાડી રહ્યું છે. મિતીશ મોદી કહે છે કે તેમની સામે હરીફો ભલે જે કાવાદાવા કરે પણ મતદારો જાણે છે કે કયા ઉમેદવારમાં દમખમ છે. મને મતદારો પર પૂરેપૂરો વિશ્વાસ છે.

September 30, 2020
mitis.jpg
1min7220

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણી લડી રહેલા સુરતના જાણીતી સી.એ. મિતીશ મોદી આ પદના ખરા દાવેદાર એટલા માટે પણ છે કે તેમણે દક્ષિણ ગુજરાત સમેત સમગ્ર ગુજરાતની સુગર ફેક્ટરીઓ જોગ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કાઢવામાં આવેલી કુલ રૂ.2400 કરોડની ટેક્સ ડિમાંડને છેક વડાપ્રધાન શ્રી મોદી સુધી રજૂઆતો કરીને આખરે ઝીરો કરાવી દીધી હતી. એટલું જ નહીં પરંતુ, સુગર ફેક્ટરીઓ માટે અન્યાયી ઇન્કમટેક્સના કાયદાની કલમમાં પણ આવકારદાયક સુધારો કરાવવામાં તેમણે પ્રમુખ ભૂમિકા ભજવી હતી.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝના આ પ્રકારે અનેક પ્રશ્નો ગૂંચવાયેલા છે ત્યારે મિતીશ મોદી જેવા પ્રતિનિધિ ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી રાજ્ય સરકાર સાથે અસરકારક રીતે સંકલન સાધીને પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે તેમ છે.

સી.એ. મિતીશ મોદીના સમર્થકોએ આપેલી માહિતી મુજબ સુગર ફેક્ટરીઓ ખાંડના એફ.આર.પી. કરતા વધારે ભાવ ચૂકવે તો તેના પર ઇનકમ ટેક્સ લાગૂ કરવામાં આવ્યો હતો.

2013 માં પહેલી નોટીસ સુગર ફેક્ટરીઓને મળી હતી. આ મુદ્દા પર ગુજરાતની તમામ સુગર ફેક્ટરીઓના ફેડરેશને મિતીશ મોદીને અધિકૃત રજૂઆત કર્તાનો દરજ્જો આપીને મામલાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટ એ 2006-07થી 2010-11 સુધીના સમયગાળા માટે 2500 કરોડ સુધીની ટેક્સ ડિમાંડ નોટીસ કાઢી નાંખી હતી. કુલ 17 ફેક્ટરીઓને આ પ્રકારે સીધો ફાયદો મિતીશ મોદીની મુદ્દાસર રજૂઆતોને કારણે શક્ય બની શક્યો હતો. ગુજરાત સુગર ફેડરેશનને સુરતના સી.એ. મિતીશ મોદીને અધિકૃત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે નિયુક્તિ આપી છે.

એ પછી આકારણી વર્ષ 11-12, 12-13, 13-14 અને 14-15ના એસેસમેન્ટ વર્ષ માટે પણ આ મુદ્દો ઉપસ્થિત થયો હતો.

2014માં સુગર ફેક્ટરીઓ પર લાગૂ કરાયેલા ઇન્કમટેક્સના મુદ્દે વડાપ્રધાન શ્રી મોદીને મળેલા પ્રતિનિધિ મંડળમાં મુખ્ય રજૂઆતકર્તા બન્યા હતા મિતીશ મોદી

દક્ષિણ ગુજરાતના અનેક ઉદ્યોગ ધંધાના પડતર પ્રશ્નો પરત્વે કેંદ્ર અને રાજ્ય સરકાર સાથે સંકલન સાધી નિરાકરણ લાવવામાં સી.એ. મિતીશ મોદીની ભૂમિકા નિર્ણાયક બની શકે તેમ છે

પરીણામે આ સમગ્ર મુદ્દા પર મિતીશ મોદીએ એક વિસ્તૃત પ્રેઝન્ટેશન તૈયાર કરીને 2014માં વડાપ્રધાન શ્રી મોદીને રૂબરૂમાં નવી દિલ્હી ખાતે રજૂઆતો કરી હતી. ગુજરાતના દરેક એમ.પી.ની હાજરીમાં તેમણે રજૂઆતો કરી હતી. વડાપ્રધાન શ્રી મોદીએ રિપ્રેઝન્ટેશન સાંભળીને તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીને મુદ્દો રિફર કર્યો હતો. જેના કારણે નાણાકીય વર્ષ 15-16થી કાયદો બદલાવવાની રજૂઆતો કરવામાં આવ્યો હતો.

ઇન્કમ ટેક્સ એક્ટ 1962ની કલમ નં.36 (1) (17) કલમમાં સુધારો મિતીશ મોદીના સૂચવ્યા અનુસાર કરવામાં આવ્યો હતો.

દરેક રાજ્ય સરકારે સુગર ફેક્ટરી જે ભાવ પાડે તે ભાવ રાજ્ય સરકારે મંજૂર કરવાનો અને તેના માટે એક કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેમાં ગુજરાત રાજ્ય તરફથી સુરતના સી.એ.ની નિમણૂંક કરવામાં આવી છે.

September 29, 2020
mitishmodi1.jpg
1min6030

આગામી તા.4થી ઓક્ટોબરે યોજાઇ રહેલી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે યોજાનારી ચૂંટણીમાં ઘણાં વર્ષો પછી કોઇ વ્યાવસાયિક (પ્રોફેશનલ) વ્યક્તિને પુનઃ લિડરશીપ મળે એવા હેતુ સાથે અનેક ખ્યાતિપ્રાપ્ત વેપારી મહાજન, પ્રોફેશ્નલ્સ જાણિતી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિતીશ મોદીને સપોર્ટ કરી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં વિકાસ પામેલા અનેક ઉધોગ, ધંધાઓ, રોજગાર માટે મિતીશ મોદી સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવાના મિશન અને વિઝન સાથે ચૂંટણી લડી રહ્યા છે.

મિતીશ મોદીની ઉમેદવારીને સુરત શહેર જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં વિકસીત નાના મોટા ઉદ્યોગ ધંધાઓના પ્રમોર્ટસ દ્વારા સાર્વત્રિક આવકાર મળી રહ્યો છે. ખાસ કરીને અત્યાર સુધીના કાર્યકાળ દરમિયાન મિતીશ મોદીએ સહકારી ક્ષેત્ર માટે કેન્દ્ર સરકાર સુધી કરેલી ધારદાર અને પરીણામદાયી રજૂઆતો સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી પ્રચારમાં તેમના માટે જમા પાસું લેખાય રહ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના અનેક માજી પ્રમુખો, મેનેજિંગ કમિટી સભ્યો સમેત અસંખ્ય સભ્યો દ્વારા તેમને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.

આ વિઝન સાથે ચૂંટણી લડી રહ્યા છે મિતીશ મોદી

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટણી લડી રહેલા સી.એ. મિતીશ મોદી હાલ પ્રત્યક્ષ (વન ટુ વન મિટ, ગ્રુપ મિટીંગ) તેમજ પરોક્ષ (સોશ્યલ મિડીયા) મારફતે ધૂંઆધાર પ્રચાર કરી રહ્યા છે. પોતાની ઉમેદવારી તેમજ વિઝન અંગે સી.એ. મિતીશ મોદીએ જણાવ્યું હતું કે એસ.જી.સી.સી.આઇ.ની જુદી જુદી પ્રવૃતિઓ જેવીકે એક્ઝીબિશન, વેબીનાર્સ, સેમિનાર્સ, બાયર્સ એન્ડ સેલર્સ મીટ, ઉદ્યોગ-ધંધાઓને સ્પર્શતા પ્રશ્નો, ટેક્સ સંબંધિત પડતર પ્રશ્નો, સબસિડી, સ્કીમ્સ, તમામ ટ્રેડ, ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નોનું સંકલન સાધીને તેનો પરીણામદાયી નિકાલ કરવો એ મારી પ્રાથમિકતા રહેશે.

માઇક્રોલેવલ પ્લાનિંગ સાથે ચૂંટણી વ્યૂહરચના

મિતીશ મોદી અને તેમની ટીમ આ વખતની ચેમ્બર વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં કોઇ જ ચાન્સ લેવા માગતી નથી એટલા માટે જ તેઓ માઇક્રોલેવલ પ્લાનિંગ સાથે ચૂંટણી લડી રહ્યા છે. મતદારોને વન ટુ વન સંપર્ક સાથે તેમની ભાવિ સ્ટ્રેટેજી અંગે પણ માર્ગદર્શિત કરીને તેમને વોટીંગ માટે સંમત કરવામાં આવી રહ્યા છે.

September 28, 2020
ashish_gujaratipic.jpg
1min16250

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SGCCI માં 2019થી લિડરશીપના પરીમામો બદલાયા છે. હીરા ઉદ્યોગપતિ અને જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાની એન્ટ્રી સાથે SGCCIના નેતૃત્વમાં થઇ રહેલા પરીવર્તન સામે મળી રહ્યા છે. 2022માં SGCCIની લિડરશીપ કોણ કરશે એ આગામી તા.4થી ઓક્ટોબર 2020ના રોજ યોજાઇ રહેલી SGCCI વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી નક્કી કરશે. 2022માં SGCCIની લિડરશીપ મળે એ માટે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા, અસ્સલ સુરતી મિજાજ ધરાવતા આશિષ ગુજરાતી અત્યારથી જ તૈયારી કરી રહ્યા છે.

SGCCIના વોટરોમાં આશિષ ગુજરાતી પરિચિત ચહેરો

આગામી તા.4થી ઓક્ટોબરે યોજાઇ રહેલી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી લડી રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગકાર આશિષ ગુજરાતીએ વહેલી સવારે એસવીએનઆઇટી ખાતે મોર્નિંગ વૉક ગ્રુપ મેમ્બર સાથે ઇલેક્શન અંગે મસલતો કરી હતી.

આશિષ ગુજરાતી માટે કહેવાય છે કે એ ડેટાનો માણસ છે. કોઇપણ રજૂઆત કે પ્રેઝન્ટેશનમાં ડેટાબેઝથી તેઓ આક્રમક રજૂઆત કરતા જણાયા છે. SGCCIના વોટરોમાં તેઓ બિલકુલ પરિચિત છે અને ટેક્સટાઇલ ઉદ્યોગની સાથે હાલમાં જે રીતે તેઓ અન્ય ઉદ્યોગો માટે કાર્ય કરી રહ્યા છે એ જોતા તેમની તૈયારી 2022ની SGCCI લિડરશીપ માટેની જોવા મળી રહી છે.

2022માં SGCCIનું સુકાન સંભાળી શકાય એ માટે આશિષ ગુજરાતીએ 2019માં જ પાયો નાંખી દીધો હતો. ગત વર્ષે 2019માં વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે આશિષ ગુજરાતીએ પણ ઉમેદવારી નોંધાવી હતી. એ સમયે હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાએ પણ ઉમેદવારી કરી હતી. અને બે શક્તિશાળી ઉમેદવારો વચ્ચે લડાઇમાં શક્તિ વેડફાય ન જાય એ માટે સમાધાનકારી ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી. SGCCI માજી પ્રેસિડેન્ટ બી.એસ. અગરવાલ, ભરત ગાંધી વગેરે જેવા ઉદ્યોગપતિઓની મધ્યસ્થીમાં આશિષ ગુજરાતીએ 2019માં ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. એ સમયે તેમને કમિટમેંટ અપાયું હતું કે 2020ની વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં બીએસ અગરવાલ, દિનેશ નાવડીયા જૂથના સત્તાવાર ઉમેદવાર આશિષ ગુજરાતી હશે અને હાલ એ પરિસ્થિતિ SGCCIના વોટરો જોઇ રહ્યા છે. આમ, ઇલેકશનમાં શક્તિ વેડફવા કરતા 2022માં લિડરશીપ સમયે પોતાની શક્તિનો ઉપયોગ થાય તો સુરતના ઉદ્યોગોને તેનો ફાયદો મળે એ ગણિત સાથે હાલ આશિષ ગુજરાતી SGCCIના વી.પી.નું ઇલેકશન લડી રહ્યા છે.

SGCCIના વોટરો લિડરશીપ માટે બિઝનેસ પર્સનાલિટી પસંદ કરતા આવ્યા છે

SGCCIની લિડરશીપ આમ તો છેલ્લા ત્રણ વર્ષથી બદલાયેલી જોવા મળી રહી છે. SGCCIના મતદારો વ્યાવસાયિકને નહીં પણ ઉદ્યોગકારને સુકાન આપવા માટે વોટિંગ કરી રહ્યા છે. SGCCIમાં પ્રેસિડેન્ટનું ઇલેકશન થતુ નથી. વાઇસ પ્રેસિડેન્ટ સામે સર્વાનુમતે કોઇ ચૂંટણી લડતું નથી અને એ પરંપરાગત રીતે પ્રેસિડેન્ટ બને છે. હેતલ મહેતા, કેતન દેસાઇ અને દિનેશ નાવડીયા ત્રણેય અલગ અલગ ઉદ્યોગો સાથે સંકળાયેલા છે. તેમની સામે વ્યાવસાયિકો વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી હાર્યા છે.

September 25, 2020
utran.jpg
1min6790

સુરતના ઉત્રાણ નજીક આવેલા તાપી નદી પરના રેલવે બ્રીજ પરથી આજે એક મહિલાએ આત્મહત્યાના ઇરાદે નદીમાં ઝંપલાવી દીધું હતું. એ સમયે રેલવે ટ્રેક પર જ કાર્ય કરી રહેલી રેલવે વર્કમેન ટીમને આ ઘટનાની જાણ થતાં જ ટ્રેક મેન સ્ટાફ ત્યાં પહોંચી ગયા હતા અને સમયસર ફાયરબ્રિગેટ તેમજ અન્ય બચાવકર્મીઓને તેડાવીને ડૂબી રહેલી મહિલાનો જીવ બચાવવાનું સરાહનીય કાર્ય કર્યું હતું.

વેસ્ટર્ન રેલવેએ આ સમગ્ર ઘટના અંગે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મહિલાનો જીવ બચાવવામાં સમયસૂચકતા વાપરનાર ટ્રેક મેનને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.

September 23, 2020
breaking_CIA-1280x831.jpg
1min13660

https://m.facebook.com/story.php?story_fbid=3284845758267822&id=604307259655032

તા.23મી સપ્ટેમ્બરે મધરાતે સવા ત્રણ વાગ્યાના અરસામાં અડધા સુરતમાં પ્રચંડ વિસ્ફોટની ધણધણાટી અનુભવાતા લાખો સુરતીઓ નિંદરમાંથી જાગી ગયા હતા. કશુંક અજુગતું થયાની પોસ્ટ સોશ્યલ મિડીયામાં વહેતી થઇ હતી. જ્યાં આ વિસ્ફોટ બન્યો એ હજીરા કાંઠા વિસ્તારના ગામોમાં તો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. થોડા સમય તો ભારે અફરાતફરીનો માહોલ સજાર્યો હોવાનું ગામવાસીઓએ જણાવ્યું હતું.

સી.આઇ.એ. લાઇવએ સુરત ફાયર બ્રિગેડને આ અંગે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે હજીરા સ્થિત ઓ.એન.જી.સી. પ્લાન્ટ ખાતે આગની હોનારત સર્જાયાનો કોલ મળ્યો છે અને સુરતથી ફાયર ફાઇટર રવાના થયા છે. પ્રાથમિક માહિતી મુજબ હજીરા ઓએનજીસી મધરાતે સવા ત્રણ વાગ્યાની આસપાસ એક મોટો બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ પ્રસરી હતી. લગભગ વીસેક મિનિટ સુધી તો આગની જવાળાઓ સાથે પ્રચંડ અવાજ સમગ્ર વિસ્તારમાં સંભળાય રહ્યો હતો. છેક સિટીલાઇટ સુધીના વિસ્તારોમાં અવાજો સંભળાયાનું સુરતીઓએ જણાવ્યું હતું.

ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે ઓએનજીસીની પાઈપલાઈનમાં લીકેજ થવાથી આગ લાગી હતી જેને કાબુમાં કરવા ફાયર ફાઇટર મોકલવામાં આવ્યા છે.

અડાજણ, અઠવાલાઇન્સથી ડુમસ સુધીના લાખો લોકો જાગ્યા

હજીરા ઓ.એન.જી.સી. ખાતે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે રાંદેર, અડાજણ, પાલ, ઉમરા, અઠવાલાઇન્સ, પીપલોદથી લઇને ડુમસ સુધીના વિસ્તારો ધણધણી ઉઠ્યા હતા. બારી બારણા પણ ધ્રુજી ગયા હતા અને આગની પ્રચંડ જવાળાઓને કારણે સુરતનું આકાશ કેસરી રંગે રંગાઇ ગયેલું જોવા મળ્યું હતું. અઠવાલાઇન્સ, અડાજણ, પાલ, ભાઠા વિસ્તારના હાઇરાઇઝ બિલ્ડિંગોમાં રહેતા લોકોએ આગ તેમજ આકાશના ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડીયામાં મૂકીને મોટી હોનારત સર્જાય હોવાની ભીંતી વ્યક્ત કરી હતી.