Jayesh Brahmbhatt 9825344944
માલસામાનની હેરફેર માટે સુરત મહત્વનું થાણું હતું અને છે અને રહેશે
સજ્જડ લૉકડાઉનમાં પણ સતત ઓપરેશનલ રહ્યું સુરત એરપોર્ટનું એર કાર્ગો ટર્મિનલ
ફેબ્રુઆરી 2020માં સુરત એરપોર્ટ પર એક કાર્ગો ટર્મિનલ શરૂ થયું ત્યારથી અત્યાર પર્યંત વિક્રમી જથ્થા 2434 ટન માલસામાનની હેરફેર
બ્રિટીશકાળ સમયે સુરત બંદરથી સમગ્ર વિશ્વમાં માલ પરિવહન થતું હતું

સુરતના લલાટે સિદ્ધીઓનો યશ લખાયેલો છે એની પ્રતીતિ આદીકાળથી જોવા મળી રહી છે. અંગ્રેજોએ જ્યારે પહેલી કોઠી સુરત બંદરે સ્થાપી હતી ત્યારે પણ સુરત માલસામાનની હેરફેર માટેનું મુખ્ય બંદર મથક હતું અને હવે સુરતનું એરપોર્ટ એ દિશા તરફ આગળ વધી રહ્યું છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એ બાબતની નોધ લીધી છે કે સુરત એરપોર્ટ પર કાર્યાન્વિત એરકાર્ગો ટર્મિનલ દેશમાં સજ્જડ લૉકડાઉન વખતે સતત ઓપરેશનલ હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પોતાના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી કરેલા ટ્વીટમાં એ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે ફેબ્રુઆરી 2020માં સુરત એરપોર્ટ પર એર કાર્ગો ટર્મિનલનો આરંભ થયો ત્યારથી અહીં કાર્ગો મૂવમેન્ટ નિરંતર થઇ રહી છે.
છેલ્લા છ મહિનામાં સુરત એરપોર્ટના એરકાર્ગો ટર્મિનલથી 2434 ટન માલની હેરફેર થઇ ચૂકી છે

સુરત એરપોર્ટ પર એરકાર્ગો ટર્મિનલ પર ફેબ્રુઆરી 2020થી અત્યાર સુધી (લૉકડાઉન પિરીયડ)માં કુલ 2434 ટન જેટલા જંગી માત્રામાં માલસામાનની હેરફેર કરવામાં આવી ચૂકી છે. આ એક નોંધપાત્ર કાર્યવાહી હોવાનું એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે.


















